Skip to main content

મારું વસિયતનામું - My Medical Will

માંદગીમાં સારવાર અને મરણ વખતની ક્રિયાઓને લાગતું વસિયતનામું 

મારી સાંઠ વર્ષની ઉંમરે મે મારી આત્મકથા લખેલી તેમાં મારી માંદગીની સારવાર અને મૃત્યુ પછીની વિધિઓ મારા પત્ની અને બાળકો જેમ કરશે તે મને મંજુર રહેશે-એવું વિધાન મે કર્યું હતું. હા, તે વાત હું હજીપણ એમની એમ જ સ્વીકારું જ છું પરંતુ, હવે દસ વર્ષ પછીના મારા વિચારોનો ખ્યાલ આવે એટલા પૂરતું આ પત્ર લખું છું. 

મારી શારીરિક તકલીફોનો ઈલાજ કઈ રીતે કરાવવું તે બાબતે કમસેકમ મારા પોતાને લગતા કેટલાક ખ્યાલો મે નક્કી કર્યા છે, તેનું વિગતવાર વર્ણન હું કરીશ.


જો બેભાન ન હોઉ અથવા કહો કે માનસિક રીતે નિર્ણયશક્તિ ગુમાવી ન ચુક્યો હોઉ તો, મારી ઉંમરને લગતી કોઈપણ માંદગીની કેવી-કેટલી અને ક્યાં સારવાર કરાવવી તેનો નિર્ણય હું લઈશ. પણ હું બોલીને કે બીજીરીતે કહી ન શકું એમ બને તો માર્ગદર્શક બને એ રીતે સારવારની વાતો કહીશ. 

બેભાન અવસ્થા

સાધારણ રીતે થતી નિદાન પ્રક્રિયાઓ દ્વારા રોગ સારવાર યોગ્ય છે કે કેમ તે જાણ્યા પછી-જો સારવારથી સારા થવાની ઓછી શક્યતાઓ હોય તો સારવાર નહીં લેવી ઘરે ફક્ત સ્નાન-ઝાડા-પેશાબ-ચોખ્ખાઈ વિગેરે કાળજી લેવી અથવા લેવડાવવી. દમણીયા હોસ્પિટલ, ગણદેવી ના અંતાશ્રમ વિભાગમાં દાખલ કરી અથવા એવી કોઈ જગ્યાએ રાખી અથવા ઘરે માણસ રાખી કાળજી લેવી, આ વાતને કોઈ રીતે નાનમ વાળી કે અયોગ્ય માનવી નહીં. ખાલી બતાવવા માટે કે ખાલી સામાજિક મોભ્ભા માટે કઈ જ ન કરવું. હ્રદય રોગ-મગજના રોગ-કે કેન્સરની પ્રાથમિક અવસ્થા હોય તો પ્રાથમિક સારવાર કરાવવું પણ હ્રદયના-મગજના-કે કેન્સર ના ઓપરેશનો કે એવી કોઈપણ સારવારમાં પડવું નહીં. આ આ સિવાયની કોઈપણ માંદગીમાં સારા થવાનું કોકટર અશક્ય જણાવે તો, સીધા ઘરે પરત લાવી સાધારણ સાર-સંભાર કરવું. 

I.C.U.

કોઈ સંજોગમાં તાત્કાલિક સારવાર તરીકે ICU માં દાખલ કરવાનું બને તો, ત્રણ કે વધુમાં વધુ ચાર દિવસ દવા-ઈંજેકશન-ઓક્સિજન વિગેરેથી સુધારો ન થતો હોય તો આ પત્ર દ્વારા મારી એટલે કે તે સમયના દર્દી ની ઈચ્છા ન હોવાનું જણાવી રજા લઈ ઘરે પરત લાવી દૈનિક જરૂરી કાળજી કરાવવી. 

Euthanasia

પીડારહિત મૃત્યુ હજી આપણાં સમાજમાં અને કદાચ કાનુની રીતે આ સ્વીકાર્ય નથી એટલે મૃત્યુ દવા-ઈંજેકશનથી લાવવાની અપેક્ષા રાખતો નથી. પરંતુ સારવાર બંધ કરાવીને - કરીને પોતાના ઘરે ઘરગથ્થું કાળજી લઈ મૃત્યુની રાહ જોઈ શકાય વધુ ઉંમર + માંદગી અને સારવાર વિના મૃત્યુ જ્યારે આવે ત્યાં સુધી દૈહિક સાધારણ કાળજી રાખવી. 

Organ Donation (અંગદાન)

આપણે ત્યાં જીવન દરમાયન એક ગુર્દો (Kidney) અને યકૃત (Liver) નો ભાગ દાન કરી શકાય છે તે બાબતે વિચારવું - આયોજન કરવું. બેભાન અવસ્થામાં (Coma) જ્યારે મગજનું મૃત્યુ એવું નિદાન (Brain Death) થાય ત્યારે તાત્કાલિક શરીરના લઈ શકાય એટલાં બધાં અંગો Kidney, Liver, Heart, Skin, Eyes, વિગેરે બધુજ આપવાની કોશિષ કરવી જોઈએ. 

Body Donation (દેહદાન)

મરણની આવવાની સ્થિતિમાં આ બાબતે કાર્યવાહી શરૂ કરવું જેથી મરણ પછી તરત જ ચક્ષુદાન (Eye Donation) કર્યા પછી દેહદાન થઈ શકે. અકસ્માત કે શરીરના બીજા કારણોસર દેહદાન ન થઈ શકે તોજ અગ્નિસંસ્કાર કરવું. 

મરણ સમયે કે મરણ પછીની કોઈ વિધિની અપેક્ષા નથી. 

આમ આ બાબતે કોઈ જાહેરાતો સમાચારપત્રમાં આપવાની જરૂર નથી બારમું-તેરમું-વર્ષી કરવું નહીં બેસણું-ઉઠમણું-શોકસભા જેવા કાર્યક્રમો બિલકુલ ન કરવા, લગ્ન-જન્મદિન કે કોઈપણ પ્રસંગો ને જેમના તેમ કાર્યક્રમ મુજબ જ કરવા. 

હા, મરણ એક અંતિમ પડાવ છે - તેને સ્વીકારી-આવકારી પોતાનું જીવન પહેલાની જેમ જીવવાનું શરૂ કરી દેવું. 

મરણને લગતા કોઈ દાન કરવા નહિ. હા, પોતાને ગમતી સમાજસેવા કે આર્થિક મદદ યોગ્ય લાગે તે રીતે યોગ્ય લાગે તેને કાયમ જ કરવી. 
આમ, સિત્તેર વર્ષે – 41 વર્ષની આંખની ડોક્ટર તરીકેની જિંદગી – 43 વર્ષનું લગ્નજીવન, સિત્તેર વર્ષનું આરોગ્યમય જીવન અને બે જવાબદાર લાગણીશીલ બાળકોના પિતા હોવામાં મને જીવનની સંપૂર્ણ સફળતા ધન્યતા અને સુખ અનુભવાય છે ત્યારે વિદાય એ આનંદપૂર્ણ જ હોય શકે.
ડો. ભરત એમ. દેસાઈ 
બીલીમોરા 
તા. ૨૩-૦૭-૨૦૧૯ 


સંપર્ક

સારવાર: ડો. વિજય દેસાઈ 99280 20522, ડો. હિતેન્દ્ર પટેલ 98251 28876
દેહદાન: ડો. પ્રફુલ્લ સીરોયા 98250 34591
અંગદાન: ડો. નીલેશ માંડલેવાલા 98256 09922
ચક્ષુદાન: રોટરી, નવસારી. 02637-258920, 02637-258931

Comments

  1. Frank as always, Saheb.����

    ReplyDelete
  2. Nice commendable declaration.
    Except one point.
    I think,declaration in news paper should be there.Reason being,
    the people (who have been helped , in their difficult times)have right to know & react with your closest relatives.The relatives go through following stages after the death:
    1.stage of shock.feeling of total loss.
    2.stage of realisation. accepting the truth.
    3.stage of idealisation. people praising the virtues of deceased.
    4.stage of rehabilitation.start learning to leave under changed circumstances.
    Sir,
    the stage 3 & 4 are helped by the people who have been helped by you & who only can know through obituary.
    When one dies,one goes alone,but never forget one is leaving behind live stock .And they need support system.

    ReplyDelete
  3. Worth saluting your views and planning Dr Bharatbhai Desai . Perfect example of what should be done in geriatric phase of life and after death .
    Anavils are great leaders with advance thinking .����

    ReplyDelete
  4. I’m highly impressed by your clear thinking. Everyone should follow this.
    Perfect

    ReplyDelete
  5. I know that no "will" is a last "will" till it is a last "will".
    It needs revision from time to time.
    Well, I would like you to add to a nearly perfect "will" following point, if you think it worthwhile.
    Sir, I observed while touring China that every foreyard of the house has a little stone structure like (Tulsi-kyara), and I saw people coming out of house, bowing down, before going to office work. I inquisitively asked the guide about it. and he replied that they keep the ashes of their beloved ones who have gone to heavenly abode. By bowing down on daily basis,before they start their day, they pay respect to the dead and pray for their blessings.great spirituality.
    We, instead, can ask our children to plant a tree, putting our ashes and nurture the plants. That is how we can be remembered forever. It is a legacy which can help our green environment dream also.

    ReplyDelete
  6. આટલી સહજતાથી મૃત્યુ વિષે લખવું એ કઈ જેવા તેવા માણસનું કામ નથી. જિંદગીની સૌથી મોભાદાર ઘટનાનું આટલું સીધું અને સરળ અર્થઘટન અને સેવા-દાનને છેલ્લા શ્વાસ સુધી જીવનમાં સાંકળવું એ મને આપની આત્મકથા વાંચવા માટે આકર્ષે છે.

    ReplyDelete
    Replies
    1. Thank you, Shreya, for reading and responding positively.
      I have been lucky to live my life at my terms and so I can easily spell out all about death.
      My mini-autobiography is part of this blog as ""Life at 60" pubblished around 10 yeas back. do have a look when possible.
      Blessings.

      Delete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more.