Showing posts with label ગુજરાતી. Show all posts

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ 

૧. રક્તદાન

દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્મર સુધી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તી આપી શકે છે. રક્તદાતાની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ તથા હીમોગ્લોબીન ઉપરાંત એઈડ્ઝ, હીપેટાઈટીસ બી અને સી તથા અન્ય જાતીય સંક્રામક રોગો માટે તપાસ કરવામાં આવે છે, પછી જ દાતાનું લોહી લેવામાં આવે છે, જેથી લોહી મેળવનાર વ્યક્તીના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું ન થાય. આથી દાન કરનારને લોહી આપ્યા પછી પોતાને કોઈ મુશ્કેલી અથવા રોગ થશે તેની જરાયે ચીંતા કરવાની જરુર નથી. દર ત્રણ મહીને જરા પણ ડર્યા વીના રક્તદાતા પોતાનું લોહી આપી શકે છે. દરેક તંદુરસ્ત વ્યક્તીએ આ દાન અચુક જ કરવું જોઈએ અને કોઈની જીંદગી બચાવ્યાનો સંતોષ લેવો જોઈએ. આપણે ત્યાં 100થી વધુ વખત ‘રક્તદાન’ કરનાર અનેક લોકો છે જે ખુબ જ તંદુરસ્ત જીવન જીવે છે; આથી ‘રક્તદાન’ કરનારાએ ડરવાની જરુર નથી.



૨. અંગદાન

હવે તો વીજ્ઞાને એક વ્યક્તીના શરીરનાં અંગો, બીજી વ્યક્તીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની અને એવા દર્દીઓને નવી જીંદગી આપવાની શોધ કરી છે. દરેક જણ એ જાણે છે કે મૃત્યુ પામ્યા બાદ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. કુટુંબીજનોએ એમના કૌટુંબીક રીવાજ પ્રમાણે મૃતદેહનો અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર/દફનવીધી કરે છે. ત્યારબાદ આશ્વાસન રુપે મળતી રાખ(અસ્થી)ને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવવામાં આવે છે. મરણ પછી વ્યક્તીનું શું થાય છે એની હજી સુધી આપણને ખબર નથી. આત્માનું હોવું વીવાદાસ્પદ છે, વીજ્ઞાન દ્વારા એની કોઈ સાબીતી મળી નથી; પરન્તુ વીજ્ઞાનની નવી શોધોએ મૃત વ્યક્તીનાં શરીરનાં વીવીધ અંગોને અન્ય વ્યક્તી કે જેને આ અંગો/અવયવોની જરુર છે તેમના શરીરમાં પ્રત્યારોપણ કરીને એ દર્દીને નવું જીવન આપવાની સંભાવના ઉભી કરી છે.

અંગદાન ત્રણ રીતે થઈ શકે છે:

૧. જીવીત વ્યક્તી: જેવી રીતે જીવીત વ્યક્તી ‘રક્તદાન’ કરી શકે છે તેવી જ રીતે કોઈ વ્યક્તી પોતાની એક કીડની (મુત્રપીંડ), લીવર (યકૃત)નો ભાગ, સ્વાદુપીંડ (પેન્ક્રીયાસ)નો ભાગ તેના નજીકના સગાંને દાનમાં આપી શકે છે. તંદુરસ્ત વ્યક્તી આ અવયવનું દાન કર્યા બાદ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને દાન લેનારને નવું જીવન મળે છે. બન્ને એક જ કીડનીથી જીવી શકે છે. મનુષ્યના શરીરમાં યકૃત જ એક એવો અવયવ છે જે ફરીથી આપેલ ભાગને નવો ઉત્પન્ન કરી શકે છે. 70 વર્ષના આયુષ્ય સુધી ‘અંગદાન’ દાન કરી શકે છે; પરન્તુ તે દાતાને કૅન્સર, ચેપી રોગો જેવા કે, ઝેરી કમળો, એઈડ્સ જેવા રોગો ન હોવા જોઈએ. 

૨. બ્રેઈનડેડ વ્યક્તી: ઘણીવાર વાહનનાં અકસ્માત કે હાઈ બ્લડપ્રેશરને લીધે મગજમાં હેમરેજ થાય છે, જેને લીધે વ્યક્તીનું મગજ કામ કરતું બંધ થાય છે. આવી વ્યક્તીની ખુબ ઝીણવટથી તબીબ તપાસ કર્યા બાદ મગજના રોગોના નીષ્ણાત તબીબ એને બ્રેઈનડેડ હોવાનો રીપોર્ટ આપે છે. જો વ્યક્તી બ્રેઈનડેડ હોય તો ફરી જીંદગી જીવી શકે નહીં, ક્યાં તો એનું મૃત્યુ થઈ જાય અથવા અન્ય પર પરાવલંબી થઈને એને જીવવું પડે. જો કારની બેટરી ઉતરી ગઈ હોય તો ધક્કા મારીને કાર ચાલુ કરી શકાય; પરન્તુ કાયમ માટે કાર ચાલુ રાખવી હોય તો નવી બેટરી નાખવી જ પડે. એ જ રીતે જે વ્યક્તીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તેના મગજનો મરી ચુકેલો ભાગ બદલી નાખવો પડે, પણ આવું શક્ય નથી. મગજ વગર શરીરનાં કોઈ પણ અંગો કે અવયવ કામ કરી શકતાં નથી, આથી આવી વ્યક્તી ફરીથી તંદુરસ્ત થઈને હરતીફરતી થાય એવી શક્યતા રહેતી નથી. આ સંજોગોમાં જો દર્દીનાં નજીકનાં સગાં તરફથી ‘અંગદાન’ કરવાની સંમતી મળે તો તેના શરીરમાં કાર્યરત અવયવોને કૃત્રીમ તબીબી સાધનો દ્વારા તબીબો થોડા કલાક માટે હૉસ્પીટલમાં તેનાં અંગોને સજીવ રાખી શકે છે. આ સમય દરમીયાન આ અંગોને કાઢી લઈને બીજા જરુરીયાતવાળા દર્દીમાં તાત્કાલીક પ્રત્યારોપણ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંથી જીવીત અને કાર્યરત અંગ કાઢી લઈને એને બીજા દર્દીના શરીરમાં નાખવાની આખી શસ્ત્રક્રીયા ખુબ જ ગણતરીના કલાક (4થી 8 કલાક)માં પુર્ણ કરી દેવામાં આવે છે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર, વાહન, વીમાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે, હાલમાં બ્રેઈનડેડ વ્યક્તી નીચેનાં અંગો/અવયવોનું દાન કરી શકે છે.

ક્રમ

દાન કરી શકાય તેવા અંગોના નામ

કેટલા કલાકમાં

અંગ આપી  શકાય

અંગદાન કરનાર વ્યક્તીની  વય

બ્રેઈનડેડ વ્યક્તી :

1.

હૃદય અને ફેફસાં

4થી 6 કલાક

40થી 50 વર્ષ સુધી

2.

યકૃત

6થી 12 કલાક

70 વર્ષ સુધી

3.

મુત્રપીંડો

30 કલાક

70 વર્ષ સુધી

4.

આંતરડાં

6 કલાક

40થી 50 વર્ષ સુધી

5.

સ્વાદુપીંડ

6 કલાક

70 વર્ષ સુધી

મૃત વ્યક્તી :



1.

ચક્ષુદાન, અસ્થીમજ્જાદાન (હાડકાં)

4થી 6 કલાક

100 વર્ષ સુધી

2.

ચામડી

6 કલાક

100 વર્ષ સુધી




આ દાન કોણ ન કરી શકે?

કૅન્સર, ચેપી રોગો જેવા કે એઈડ્સ (AIDS), ઝેરી કમળો (હીપેટાઈટીસ એ અને બી)થી પીડીત દર્દીઓ અંગદાન ન કરી શકે. ભારત દેશમાં અત્યારે દોઢથી બે લાખ કીડની, લીવર, તેમ જ ચક્ષુદાનની જરુરીયાત છે, જો આવાં દાન કરવામાં આવે તો અન્ય વ્યક્તીને નવું જીવન મળે તથા દર્દીના આપ્તજનોને પોતાના સ્નેહી મૃત વ્યક્તી બીજાના શરીર દ્વારા જીવતો જોવાનો સંતોષ મળી શકે.

સુરતમાં ‘Donate Life’ સંસ્થા કાર્યરત છે. https://www.donatelife.org.in/ વેબસાઈટ પર સઘળી માહીતી ઉપલબ્ધ છે. પોતાના મરણ પછી ‘અંગદાન’ કરવાની ઈચ્છા હોય તો અંગદાનનો ‘સંકલ્પ પત્ર’ ભરી, તેની નોંધણી કરાવીને પોતાની સાથે કાયમ રાખવો જરુરી છે. જેથી આકસ્મીક મૃત્યુ બાદ ‘અંગદાન’ માટે જરુરી કાર્યવાહી તાત્કાલીક કરી શકાય. વધુ માહીતી અને Donor Card માટે https://sotto.nic.in/StateHome.aspx વેબસાઈટ પર નોંધણી કરી ને Donor Card મેળવી શકાય છે.

3. દેહદાન

દરેક સજીવનું મૃત્યુ નીશ્ચીત છે, એ જ રીતે દરેક મનુષ્ય પણ મૃત્યુ પામે છે, એનો સમય, સ્થળ કે કારણ અગાઉથી જાણ થતી નથી; પરન્તુ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. ફક્ત થોડા સમય માટે મોર્ગ (શબઘર)માં તેને રાખી શકાય છે. આપ્તજનોને એને માટે ભાવનાત્મક અનુરાગ કે લગાવ રહે છે. વધુ સમય જો રાખવામાં આવે તો મૃતશરીરમાં સડો લાગુ પડીને તે દુઃર્ગંધ મારવા લાગે છે અને રોગ પણ ફેલાવી શકે છે. દરેક ધર્મમાં, શાસ્ત્રોમાં આત્મા અને પુનર્જન્મ વીષેની ખુબ માન્યતાઓ છે; પરન્તુ આ નશ્વરદેહનો સત્વરે અંતીમસંસ્કાર અથવા ભુમીસંસ્કાર/દફનવીધી કરવો જ પડે છે અને ફક્ત એનાં અસ્થી કે રાખ ભેગાં કરીને એને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવી દઈ સંતોષ માનવામાં આવે છે.

જો મેડીકલ કૉલેજમાં અભ્યાસ કરતા વીધાર્થીઓ માટે આ નશ્વરદેહનું દાન કરવામાં આવે તો ભવીષ્યમાં ડૉક્ટર થનારને શરીરરચના સીધી નજર સમક્ષ અંગવીચ્છેદ કરીને જોવા મળે છે, જે એના ભવીષ્યમાં સર્જન બનવા માટે ખુબ ઉપયોગી છે. આ નશ્વરદેહને મેડીકલ કૉલેજના ઍનેટોમી વીભાગમાં રાસાયણીક પ્રકીયા કરી લાંબો સમય રાખવામાં આવે છે. અભ્યાસ બાદ બાકી રહેલાં અંગો/અવયવોની મૃત વ્યક્તીના ધાર્મીક રીવાજ મુજબ વીધીસર અંતીમ ક્રીયા કરવામાં આવે છે. ‘દેહદાન’ કોઈ પણ વ્યક્તી એની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના મૃતશરીરના વૈજ્ઞાનીક ઉપયોગ વડે પુણ્યનું કામ કર્યાનો સંતોષ આપ્તજનો મેળવી શકે છે. આ ઈચ્છા ધરાવનાર વ્યક્તીએ પોતાની હયાતીમાં પોતાના વસીયતમાં અને એને માટેનું ‘સંકલ્પ પત્ર’ ભરીને નજીકની મેડીકલ કૉલેજમાં નોંધણી કરાવવી જોઈએ. અને મેડીકલ કૉલેજમાં નોંધણી કર્યાની પહોંચ પણ આપવામાં આવે છે. 

‘દેહદાન’ અંગે નીયમો:
  1. સૌથી નજીકના સગાં પતી/પત્ની/મા/બાપ/ભાઈ/બહેન/પુત્ર/પુત્રવધુ/પુત્રીજમાઈ/પૌત્ર/ પૌત્રી તરફથી આ વીભાગને મૃત દેહદાન (ડેડબોડી ડોનેશન) આપવા માટેની લેખીત અરજી કરવી. અરજી પત્ર દેહદાન સમયે એનાટોમી વીભાગમાંથી મળશે. આ અરજીમાં બે સાક્ષીની સહી પણ કરાવવી. 
  2. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો કે જે પોતાના કટુંબીજનો સાથે સંબંધ ધરાવતા ન હોય તેમણે પણ પોતાના સગાંઓને જાણ કરવાની રહેશે. તમારા સગાંવહાલાંઓને તમારી દેહદાન અંગેની ઈચ્છાની જાણ હોવી જ જોઈએ. 
  3. બહારથી ડેડબોડી આવવાની હોય તો લાગુ પડતાં પોલીસ સ્ટેશનનું ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (‘ના વાંધા પ્રમાણપત્ર’) સાથે રાખવું જેથી અત્રે બોડી પહોચાડવામાં રસ્તે કોઈ તકલીફ ન પડે. 
  4. મૃત્યુ થયા પછી વહેલામાં વેહલી તકે મેડીકલ કૉલેજમાં જાણ કરવી. (એનાટોમી વીભાગનો રુબરુ અથવા ફોનથી સંપર્ક કરવો.) જેથી ડેડબોડી જાળવણી કરવા અંગેની તૈયારી કરી શકાય. 
  5. એનાટોમી વીભાગનો સમય સવારે 9.00થી સાંજે 5.00 (રીસેશ સમય બપોરે 1.00થી બપોરે 2.00 કલાક) સુધીનો છે. શનીવારે સવારે 9.00થી બપોરે 1.00 સુધીનો છે. 
  6. સાંજે અથવા રાત્રે મૃત્યુ થાય તો સવારે 9.00 સુધીમાં લાવી શકાય. સવારમાં અથવા બપોરે મૃત્યુ થાય તો સાંજે 5.00 વાગ્યા સુધીમાં લાવી શકાય. શનીવારે બપોરે 1.00 વાગ્યા સુધી બોડી લાવી શકાય. 
  7. મૃત વ્યક્તીના ‘દેહદાન’ માટે સંમતી આપવાનો અધીકાર ધરાવતા મૃતકના નજીકના સગાં દુર કે ભારતની બહાર રહેતા હોય અને તે વ્યક્તી દેહદાન વખતે હાજર રહેવાની ઇચ્છા રાખે, તો ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ (મોર્જ)માં રાખવાનો રહેશે. તે નજીકના સગાંના આગમન પછી તાત્કાલીક મેડીકલ કોલેજમાં મૃતદેહને સુપ્રત કરી ‘દેહદાન’ કરી શકાય 
  8. શનીવારે બપોર પછી અથવા રવીવારે અથવા રજાના દીવસે બોડી પહોચાડવાની હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન દ્વારા સંપર્ક સાધી બોડી લાવવા અંગેની જાણ કરવી. 
  9. જે બોડી અને એનાટોમી વીભાગમાં દાન માટે લાવવામાં આવે તે બોડીનું મૃત્યુના એક અઠવાડીયાના સમયગાળામાં કોઈ ઑપેરેશન થયેલ હોય તો તે ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં. 
  10. એનાટોમી વીભાગ તરફથી દેહદાન મળ્યા અંગેનું પ્રમાણપત્ર નજીકના સગાંને આપવામાં આવશે. 
  11. મરનારનું મૃત્યુ થયાની નોંધ મ્યુનીસીપલ કોર્પોરેશન/નગરપાલીકા/ગ્રામપંચાયતમાં ‘દેહદાન’ કરનારના સગાંએ જાતે કરાવવાની રહેશે. 
  12. સાથે લાવવાના સર્ટીફીકેટ્સનું લીસ્ટ (તમામ ફરજીયાત) : 
    • કુદરતી મૃત્યુ થયા અંગેનું મેડીકલ સર્ટીફીકેટ (ઓછામાં ઓછા એમ.બી.બી.એસ. ડૉક્ટરનું) – મેડીકલ સર્ટીફીકેટમાં મરનાર વ્યક્તીની ઉમ્મર, આખુ નામ, સરનામું, મૃત્યુનું કારણ, મૃત્યુની તારીખ અને ચોક્કસ સમય, વ્યક્તીની ઓળખ વગેરે દર્શાવવું જોઈએ. મેડીકલ સર્ટીફીકેટ ડૉક્ટરના લેટરપેડ ઉપર સહી સીક્કા સહીતનું જરુરી છે. 
    • મૃત્યુ પામનારના પાસપોર્ટ સાઈઝના બે ફોટા. 
    • મૃત્યુ પામનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી. 
    • મૃત્યુ પામનારની સાથે આાવનાર તેના સૌથી નજીકના સગાંના ઓળખપત્રની કોપી. 
    • બે સાક્ષીઓના ઓળખપત્રની કોપી 
  13. દેહદાન કર્યાં બાદ સ્વજનોને ડેડબોડી જોવા દેવામાં આવશે નહીં. 
  14. મેડીકલ કૉલેજમાં ડેડબોડી પહોચાડવાની વાહનવ્યવસ્થા મૃતકનાં સગાંઓએ જાતે કરવાની રહેશે. 

નીચે જણાવ્યા પ્રમાણેની ડેડબોડી સ્વીકારી શકાશે નહીં: 
  1. મૃત્યુ થયાના ચોક્કસ સમયના 6 કલાક પછીની ડેડબોડી (જે તે દીવસના તાપમાન મુજબ). 
  2. પોસ્ટમોર્ટમ કે ઑપરેશન કરેલી ડેડબોડી. 
  3. ઍક્સીડન્ટમાં મૃત્યુ થયેલ હોય એવી ડેડબોડી. 
  4. વધારે વજનવાળી ડેડબોડી (ફેટી). 
  5. ચેપી રોગ, ટીબી, ન્યુમોનીયા. લોહીમાં ચેપ (સેપ્ટીસેમીયા) અથવા એઈડ્સ રોગવાળી ડેડબોડી. 
  6. ચાંદા પડી ગયેલા હોય એવી ડેડબોડી. (બેડસોર્સ, ડાયાબીટીક અલ્સર, ગેંગરીન) 
  7. શંકાસ્પદ મૃત્યુવાળી ડેડબોડી. 
  8. કુદરતી મૃત્યુ થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ વગરની ડેડબોડી. 
  9. કૌટુંબીક વીવાદાસ્પદ ડેડબોડી. 
  10. દુર્ગંધ મારતી ડેડબોડી. 
  11. કેન્સરથી મૃત્યુ પામેલ વ્યક્તીની ડેડબોડી. 
  12. મૃત્યુ પછી અંગદાન કરેલ હોય એવી ડેડબોડી. 
  13. ડૉક્ટરએ એન્ટીકોએગ્યુલન્ટ આપેલ ડેડબોડી. 
  14. કોરોના ચેપવાળી ડેડબોડી. 

Mandatory documents: (મેડીકલ કૉલેજમાં ડેડબોડી લઈ જાઓ ત્યારે)
  • Death certificate. (Original) 
  • Photo ID. (Deceased) 
  • Two passport sized photographs. (Deceased) 
  • Photo ID of Donor. 
  • Photo ID of two witnesses. 

મૃત્યુ બાદ નશ્વરદેહ પણ ઉપયોગમાં આવી શકે તે માટે દરેક તંદુરસ્ત વ્યક્તીએ ‘અંગદાન’ની માફક ‘દેહદાન’ માટે પણ સંકલ્પ કરવો જોઈએ.

‘દેહદાન’ માટે સ્થાનીક મેડીકલ કૉલેજનો સમ્પર્ક : 

૧. નવસારી મેડીકલ કૉલેજ, નવસારી
ફોન નંબર : (02637) 299633
eMail: dean.navsari.mc@gmail.com અને dean@gmersnavsari.com

૨. વલસાડ મેડીકલ કૉલેજ, વલસાડ
ફોન નંબર : (02632) 255566, 252844, 251744
eMail: gmersmcvalsad@gmail.com

૩. ‘SMIMER’ સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ ઍડ્યુકેશન એન્ડ રીસર્ચ, સુરત
ફોન નંબર : (0261) 2368040, 2368041, 2368042, 2368043, 2368044
eMail: deansmimer@gmail.com

લેખક–સમ્પર્ક: ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. નવસારી (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362  ઈમેલ: gstkharel@yahoo.com અને gram_seva@yahoo.com વેબસાઈટ : www.gramsevatrust.org



તા.ક. : આ લેખ પ્રગટ થયા પછી લેખકમીત્ર ડૉ. અશ્વવીનભાઈ તરફથી લખેલ અંગ્રેજી કૉમેન્ટ/પુરક માહીતીનો આ ભાવાનવાદ છે

વારસદાર (Legal Heir)

હિન્દુ

વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે.

હિન્દુ પુરુષ મૃતક 
  1. CLASS-I LEGAL HEIRS: 
    1. પુત્ર / પુત્રી
    2. વિધવા / વિધુર
    3. મા
    4. મૃતકના પુત્રનો દીકરો / દીકરી
    5. મૃતકની પુત્રીનો દીકરો / દીકરી
    6. મૃતક પુત્રની વિધવા
    7. મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી)
    8. મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા 
  2. CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs): 
    1. પિતા 
    2. પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી 
    3. ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી
    4. દાદા (Father’s Father)
    5. દાદી (Father’s Mother) 
    6. પિતાની વિધવા
    7. પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન 
    8. માતાના પિતા (આજા) / મા (આજી) 
    9. માતાનો ભાઈ / બહેન
પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે. 


હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક

ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે. 
  1. પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી 
  2. પતિના વારસદારો 
  3. માતા, પિતા 
  4. પિતાના વારસદારો 
  5. માતાના વારસદારો 
હિન્દુ સ્ત્રીના પિયરમાં માતા-પિતા દ્વારા મળેલ મિલકતોમાં તેના પુત્ર કે પુત્રી ન હશે, તો પિયરમાં તેણીના પિતાના સગાને મિલકતમાં ભાગ મળશે અને પતિ કે સસરા તરફથી મળેલ મિલકતમાં પુત્ર કે પુત્રી નહીં હોય તો, પત્નીના સગાને ભાગ મળશે.

કુંવારી હિન્દુ મૃતક સ્ત્રી

ઉત્તરતા ક્રમમાં ગણવું.
  1. માતા પિતા 
  2. પિતાના વારસદારો 
  3. માતાના વારસદારો. 

ખ્રિસ્તી ધર્મના મૃતક


વસિયતનામું ન કર્યુ હશે, તો નીચે મુજબ મિલકતમાં ભાગ અપાશે. 
  1. વિધવા- ત્રીજા ભાગની મિલકત વિધવાને અને બાકીની મિલકત પુત્ર-પુત્રીને સરખે ભાગે વહેંચાશે. 
  2. પુત્ર-પુત્રી ન હશે તો, વિધવાને અડધી મિલકત અને બાકીની અડધી મિલકત સગાંને વહેચાશે. 
  3. વિધવા જીવિત ન હશે તો, લાઈનમાં આવતા સગાંને નીચે મુજબ મળશે. 
    1. પિતા 
    2. પિતા ન હોય તો, માતા -ભાઈ -બહેનને સરખે ભાગે 
    3. પિતા-ભાઈ –બહેનની ગેરહાજરીમાં માતાને સંપૂર્ણ મિલકત મળશે. 
    4. માતા પિતાની ગેરહાજરીમાં ભાઈઓ –બહેનો- મૃતકભાઈઓ અને મૃતક બહેનોના બાળકોને સરખે ભાગે વિધુરને વિધવાને મળતા બધા લાભો આપાશે. 
    5. માતા અને ભાઈઓનો ભાગ દીકરી કરતાં બમણો ગણાશે. 

પારસી ધર્મના મૃતક

મૃતક પુરુષની મિલકત: વિધવા- બાળકો અને માં કે બાપ જીવિત હોય તો જીવિત પિતાને મૃતકના પુત્ર કરતાં અડધી અને જીવિત માતાને મૃતકના પુત્રી કરતાં અડધી મિલકત મળશે.

મૃતક પારસી સ્ત્રીની મિલકત 
  1. વિધુર અને દરેક બાળક (પુત્ર-પુત્રીને) સરખો ભાગ મળશે.
  2. ફક્ત બાળકો જીવિત હશે તો, દરેકને સરખો ભાગ મળશે. 

ઇસ્લામ ધર્મ (કુરાનને આધારે) 
  1. એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે. 
  2. ઓલાદમાં એક જ છોકરી હોય તો, અડધી માલ મિલકત મળશે. 
    • બે છોકરીઓ હશે તો, બંને થઈ ૨/૩ ભાગ મળશે. 
    • બાળક જ ન હોય તો, માને ૧/૩ ભાગ અને બાકીનો બાપને મળશે. 
  3. જો મરનારને એકથી વધુ ભાઈ/ બહેન હોય તો, વસિયત મુજબ કર્યા ઉપરાંત દેવું ચૂકવ્યા પછી, માને છઠ્ઠો ભાગ મળશે અને બાપને બાકીનું મળશે. 
  4. જો ઓરતને કોઈ ઓલાદ ન હોય તો, તે જ મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. જો પુરુષ ઓરત વગર મરે તો ઔરતને ૧/૪ ચોથો ભાગ મળશે, ઓલાઇ હોય તો આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ આઠમો ભાગ હોય છે. 
  5. જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેકને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે. 
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનૂનો છે.

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007
મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭ 

ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો. 



I. વ્યાખ્યાઓની સમજૂતી 
  1. બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી 
  2. ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર. 
  3. મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ 
  4. મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable) 
  5. સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs) 
  6. વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો 
  7. સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો. 
  8. સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ. 

II. Maintenance of Parents and Senior Citizens

માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ – રખરખાવ. 
  1. કલમ-૫ મુજબ, પોતાની આવક અથવા મિલ્કતમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા અક્ષમ (Unable) મા-બાપ કે વરિષ્ઠ નાગરિક 
    • મા-બાપ કે દાદા – દાદી પોતાના ઉમરલાયક(Major) એક કે વધુ બાળકો અને 
    • નિ:સંતાન મા-બાપોના કાયદેસર વારસ(Clause-G of Section 2) વિરુદ્ધ અરજી કરી શકશે. 
  2. સંતાનો કે બીજા વારસદારોની ફરજ(Obligation) મા બાપ કે વરિષ્ઠ નાગરિક સગાં સાધારણ જીવન જીવી શકે જોવાની છે. 

III. અરજી : Application for Maintenance

પોતાની આવક કે માલમિલકતમાંથી સાધારણ જીવન (Normal Life) ન જીવી શકાતા માં-બાપ કે વરિષ્ઠ નાગરિક સમાજસેવી સંસ્થા (Voluntary Organisation) સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ દ્વારા નોંધાયેલ સંસ્થા અથવા સરકારી ત્રિબ્યુનલ (Tribunal) ને અરજી કરશે. 
  1. કેસ પતે ત્યાં સુધી, વચગાળાનું ભરણપોષણ (Interim Maintenance) આપવાનું ત્રીબ્યુનલ સમય-સમયે નક્કી કરી આપશે. 
  2. કેસ નિકાલ: અરજી કાર્યથી ૯૦ (નેવું) દિવસની સમયમર્યાદામાં ત્રીબ્યુનલે કારણો જણાવ્યા પછી, વધારે ૩૦ (ત્રીસ) દિવસમાં ચુકાદો આપવાનો રહશે. 
  3. સજા: બાળક ઉપરોક્ત ઠરાવેલ રકમ, માં-બાપને ન આપશે અથવા ન આપી શકશે અને ત્રીબ્યુનલ દંડ (fine) કરશે. અને ત્રીબ્યુનલ(Warrant) મોકલીને ખુલાશેા માંગી એક મહિનાની કે ચુકવણી કરે ત્યાં સુધી –જે વહેલું હોય તે મુજબ કેદ (Imprisonment) ની સજા કરશે. 

આશા રાખીએ ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરવાની જરૂરિયાત આપણે ન પડે.

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે. 
  • વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે 
  • વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે. 
  • વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ. 
  • વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ.



પ્રોબેટ (Probate)

Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession Act, 1923 Section 212(2) મુજબ પ્રોબેટ મેળવવું ફરજિયાત છે ફરજિયાત નથી વસિયત બાબતે તકરાર કે કાનૂની કાર્યવાહી થવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પ્રોબેટ વહેલી તકે લેવું સલાહકારક છે. આ માટે કોર્ટ ફી અને વકીલ ફી નો ખર્ચો લાગે છે.

રજીસ્ટેશન (Registration): સબસજીસ્ટ્રારની ઓફિસમાં વસિયત રજીસ્ટર કારાવી શકાય છે. રજીસ્ટ્રર કરાવવું મરજિયાત છે.

Registration Act, 1908 મુજબ વસિયત રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. આમ છતાં, રજીસ્ટ્રેશન કરવી લેવું સલાહકારક છે.


વસિયતનામા માટેની જરૂરીયાતો 
  1. ઓળખ (Identity): વસિયત કરનારની ઓળખની માહિતી નામ, સરનામું, ઉમર અને ધર્મ વિગેરે આપવું જરૂરી છે. 
  2. આ વસિયત પોતે કરેલ આખરી(Last) વસિયત છે. એવી જાહેરાત (Declaration) જરૂરી છે. 
  3. લાભાર્થી (Beneficiaries) બાબતે સ્પષ્ટ માહિતી અને તેની સાથેનો સંબંધ જણાવવું ફરજિયાત છે. વસિયતમાં કોને કેટલા ભાગ આપવો છે. તે વ્યવસ્થિત રીતે દર્શાવવું પડે છે. 
  4. વસિયતનો અમલ મૃત્યુ પછી થશે, તે જણાવો. 
  5. વસિયતનો અમલ કરનાર વ્યક્તિ(Executor) નું નામ લખો -જોકે આ નિમણૂંક જરૂરી લાગે તો જ કરવું. મરજિયાત છે. 
  6. સાક્ષીની સહી: લાભાર્થી સાક્ષી ન બને તે કાળજી લઈ, બે સાક્ષી તેમની હાજરીમાં લખાણ કરનારે સહી કરી છે એવું જણાવી સહી કરવી. સાક્ષીની ઓળખની સાબિતી આપવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે એવા ફોટાવાળા ઓળખપત્રો જોડવું. 
  7. સાક્ષી ૧૮ વર્ષથી ઉપરથી વધારેનો અને માનસિક રીતે સ્વસ્થ્ય હોવો જરૂરી છે. સાક્ષી લખાનારની ઉમર કરતાં ૫૦% નાની ઉમરનો હોય તે અને પ્રતિષ્ટિત સંબધી હોય તે યોગ્ય છે. 
  8. વસિયત બનાવનારના જીવન દરમિયાન વસિયતમાં ગમે તેટલી વાર ફેરફાર કે નવેસરથી વસિયત બનાવી શકાય છે. હા, આ છેલ્લું વસિયત છે અને અગાઉના વસિયત રદબાતલ કર્યાની નોંધ અચૂક કરવી. 
  9. આમ આપણે, 
    • a) વસિયત બનાવનાર વ્યક્તિ (Testator) 
    • b) વસિયત અમલ કરનાર (Executor) ( ફરજિયાત નથી) 
    • c) લાભાર્થી (Beneficiary)અને 
    • d) બે સાક્ષીઓ(Witnesses) વિષે જાણ્યું. 
  10. મીડિકલ રિપોર્ટ: વસિયત લખનારનું આરોગ્ય – માનસિક સંતુલન સમર્થ હતું. તે બાબતનું ડોક્ટરનું પ્રમાણપત્ર જોડાવું સલાહકારક છે. 
  11. વસિયતનો મુદ્દો વ્યક્તિ પોતે- જાતે બનાવી શકે છે. જરૂરી લાગેતો સારા વકીલ-કાયદાથી પરિક્ષિત અથવા માર્ગદર્શન પુસ્તક માંથી માહિતી મેળવી શકે છે. 
  12. વસિયત બનાવવું ફરજિયાત નથી, પરંતુ તેનાથી વારસદારોને મિલકત પોતાની નામે કરવામાં સરળતા રહે છે. અને આપની મિલકતનિ વિગતવાર સાચી માહિતી મળે છે. 

વસીયતનામાની અમલ માટેની વિધિ
  1. મૃત્યુનું પ્રમાણપત્ર(Death Certificate): સુધરાઈ, મ્યુન્સીપાલ કોર્પોરેશન કે ગ્રામપંચાયત કચેરીમાંથી મરનારનું મૃત્યુનું પ્રમાણપત્ર વહેલી તકે મેળવો. 
    • પ્રમાણપત્રમાં વ્યક્તિનું નામ, ઉમર, સરનામું વગેરેની વિગતો બરાબર હોવાની ખાત્રી કરો. 
    • પ્રમાણપત્રમાં આધારકાર્ડ નંબરની નોંધ કરાવો. 
    • મરણનું કારણ (Cause of Death) વ્યવસ્થિત અને ખરું લખાયેલ છે, તેની ખાત્રી કરો. 
    • આ પ્રમાણપત્રની જરૂર મુજબ ઘણીબધી મૂળ નકલ (Original Copy) માંગો. 
  2. પ્રોબેટ- જરૂરી લાગે તો જ, કોર્ટમાંથી પ્રોબેટ મેળવો. 
  3. વારસાઈના નામો અને વિગતોનું કાયદાકીય પ્રમાણપત્ર મેળવો. 
  4. વાહન - વાહન બાબતે આર.ટી.ઓ. (RTO) ને મરનારની વિગત મોકલી જરૂરી કાર્યવાહી કરો. 
  5. નોકરીના સ્થળે માહિતી પહોંચાડો. અગ્નિસંસ્કાર પેટે મળતાં નાણાંની માહિતી જાણી યોગ્ય કાર્યવાહી કરો. 
  6. બેંકના ખાતા જ્યાં હોય ત્યાં જણાવી-યોગ્ય કાર્યવાહી કરો. બેંકમાં કોઈ જાતનો વીમાનો લાભ હોય તો, યોગ્ય કરો. ક્રેડિટ - ડેબિટ કાર્ડ સાથેના વીમાની માહિતી મેળવી યોગ્ય કરો. 
  7. વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો, Motor Vehicle Amendment Act, 2019 મુજબ આર્થિક લાભ મેળવો. 
  8. વીમા યોજનાની માહિતી કઢાવી, વળતર મેળવો. 
  9. LIC મળતું હોય તો, ફેમિલી પેન્શન કાર્યવાહી કરી મેળવો. 
  10. બધા લાભાર્થીઓ સાથે ચર્ચા કરો, ભાગ વહેંચવાની કાર્યવાહી કરો. 

વસિયતનામામાં સમાવવાની મિલકતોની માહિતી 
  1. સ્થાયી મિલકતો: ઘર જમીન દુકાન વિગેરે. 
  2. આર્થિક વિષયો: ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પી.પી.એફ. વીમા પોલિસીઓ, બેંકના લોકર અને ખાતાઓની વિગતો. 
  3. અસ્થાયી મિલકતો: વાહનો-કાર-સ્કૂટર, સોનુ ચાંદી વિગેરે 
    • વારસાગત મિલકતો પોતાને નામે થયા પછી જ પોતાની ગણાશે. 
    • ભારત દેશની બહારની મિલકતો માટે અલગથી વસિયત બનાવવું 

વસિયતના લાભાર્થીઓ

પોતાના સગા બાળકો, સાવકા બાળકો, માં બાપ, દાદા દાદી, બીજા સગાંઓ, મિત્ર ઉપરાંત દાન આપવાની ઈચ્છા હોય તેવા માણસો, મંદિર, શાળા, હોસ્પિટલ, ટ્રસ્ટ વગેરે વ્યક્તિ પોતાની મિલકત કોઈપણને પોતાની ઈચ્છા મુજબ વસિયત દ્વારા આપી શકે છે.

મેડિકલ સર્ટિફિકેટ

જરૂરી નથી, પણ સાવચેતીના પગલે પગલાં તરીકે ફેમિલી ડોક્ટર પાસે માનસિક સ્થિરતા-યોગ્યતા-દર્શાવતું સર્ટિફિકેટ જોડાવું હિતવા છે.

સ્ટેમ્પ પેપર જરૂરી નથી

હાથે લખાયેલ વસિયત કાયદેસર જ છે પરંતુ મોટા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ટાઈપ કરવું સલાહકારક છે.

Executor વસિયતનો અમલ કારવાનાર વ્યક્તિ

માનસિક સ્વસ્થતા ધરાવનાર -૧૮ વર્ષથી ઉપરની કોઈપણ એક કે વધારે વ્યક્તિને એક્ઝિક્યુર બનાવી શકાય છે. પોતાના વિશ્વાસપાત્ર મિત્રો કે સગાંને બનાવી શકાય. એક્ઝિક્યુટર બનાવવું ફરજિયાત નથી. આવા વસિયતના અમલ માટે કોર્ટમાંથી પ્રોબેટ લેવું જરૂરી છે.

Minor (સગીર) ૧૮ વર્ષથી નીચેના બાળકો 

Indian Majority Act (Section) 1875 મુજબ અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો સગીર વયના ગણાશે. 
  • સગીર માટે Code of Civil Code Procedure, 1908 મુજબ Guardian વાલીની નિમણૂક કરવાની રહેશે. 
  • કોડીસીલ Codicil પુરવણી- ઉમેરો. Addendum જુના પહેલા બનાવેલ વસિયત સાથે ઉમેરાવામાં આવતી પુરવણી ને કોડીસીલ કહે છે. તે દ્વારા ફેરફાર, ઉમેરો કે કાઢી નાખવું વીગેરે ફેરફાર કરીને જોડાવામાં આવે છે.




 

નમુનાનું વસિયતનામું                                                   Sample WILL

                                                                

·      હુ _______________ નો  ___________ પુત્ર / પુત્રી ધર્મ ____________ ઉમર ____________ હાલનુ સરનામું ________________________________________

સ્વસ્થ મગજ અને યાદ શક્તિ (Sound Mind and Memory) સાથે જાહેર કરું છું કે આ મારુ છેલ્લા માં છેલ્લું વસિયત નામું (Last Will) છે.

·      આ અગાઉનું વસિયત નામું રદ (Cancel) કરું છું.

·      મારા લાગતાવળગતા બધા સગાં સંબંધીઓને આ વસિયત નામાના સન્માનરૂપે અમલમાં સહભાગી થઈ સહકાર આપવા વિંનતી કરું છું. અને આ વસિયતનામામાં  કોઈપણ જાતનો ફેરફાર ન કરવા કે અમલમાં કાનૂની, સામાજિક જે બીજી કોઈપણ જાતની અડચણો ન ઊભી કરવા આગ્રહ કરું છું. મારી મરજી મુજબ મારી મિલકતો વહેંચાય તે જોવા લાગતા વળગતા દરેક સંબંધીઓ ને સલાહ છે.

I My Immediate Family મારા નજીકના કુટુંબીઓની વિગતો

૧) Spouse: જીવન સાથી __________

મારા ધર્મ પત્ની / પતિ __________ છે અને તેમની ઉમર _____ છે. રહેઠાણ ____________________________ સરનામે છે.

૨) મારા પુત્રો / પુત્રીઓ ની વિગત નીચે મુજબ છે ( Sons / Daughters)


પુત્ર -૧  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૨  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૩  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૪) તેમના બાળકોની વિગત નીચે મુજબ છે. (Grand Children)

૧ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૨ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૩ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

(II) Executor and Beneficiary

1)    આ વસિયતનામાં સાથે આપેલ વિગત મુજબ અને તે સિવાયની મારી દરેક મિલકતો પોતે મેળવેલ (Self-acquired) છે.

2)  આ સર્વ મિલકતોના વર્ણન માં થોડીઘણી ભૂલ હોય તો, તેનાથી વારસના હક્ક ને કોઈ વાંધો આવતો નથી (Not. The Dispositions, Even with mistake)

3)  આ સાથેની યાદી સિવાયની ભવિષ્યમાં (in future) અમને મળનારી મિલકતો પણ વારસને મળવાપાત્ર છે.

4)  વહીવટકર્તા – પ્રતિબંધક (Executor)

આ વ્યક્તિ / વ્યક્તિઓ

૧) નામ _________________ ઉમર________ સરનામું_________________________

૨) નામ _________________ ઉમર________ સરનામું_________________________

મારા વસિયતનામાના અમલ માટે કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે ઉપરોક્ત વહીવટ કર્તા/ કર્તાઓ મિલકતની વહેંચણી કરશે.

5)  વહીવટકર્તાની કરતાની નિમણૂક મરજિયાત છે(Optional).

6)  વહીવટકર્તાઓને વહેચણી માટે જરૂરી બધી સત્તા હું આપું છું. અને યોગ્ય લાગે તે કાનૂની કાર્યવાહી કરી કોર્ટનો ઓર્ડર(Probate) મેળવવા વિનંતી કરું છું.

(III) વસિયતનામુ (Will)

1)   મારા મરણ પછી મારા પતિ કે પત્ની (Wife / Husband) મારી યાદીમાં વર્ણવેલ દરેક મિલકતની સિધી / સીધા વારસદાર બનશે

2)  મારા બંનેના પતિ-પત્નીના મૃત્યુ બાદ અમારા ઉપરોક્ત વર્ણવેલા વારસદારો સરખે ભાગે મિલકતના હકદાર બનશે.

નોંધ: આ બાબતે દરેક વસિયતકાર પોતાની ઈચ્છા મુજબ વારસદારોને અથવા અન્ય કોઈપણ ને પોતાની સ્વઅર્જિત (Self-acquired) મિલકત વધારે કે ઓછી આપી શકશે. વડીલોપાર્જિત મિલકતો કાયદા મુજબ દરેક વારસદારને અચૂક મળશે.

(IV) Separability (ભાગ)

1)    આ મિલકતનો કોઇપણ ભાગ કોર્ટ અયોગ્ય ઠરાવી નહીં શકે એવું હું ખાસ સૂચન (Direct) કરું છું.

2)  કદાચ કોર્ટ કોઈ મિલકતને ભાગ માટે અયોગ્ય ઠરાવે(Invalidate) તો પણ, તે સિવાયની બાકીની મિલકતોનો ભાગ વહેંચી શકાશે.

3)  આ મારુ અંતિમ(Last) વસિયતનામું(Will) છે.

4)  આ વસિયતનામું મારી સ્વતંત્ર મરજીથી (Voluntarily) અને મુક્તપણે (Free) વિચારીને કોઈપણ જાતના દાબદબાણો કે અસરો (influence) સિવાય સ્વસ્થ માનસિક (Sound Mind and Health) સ્થિતિમાં કરું છું.

5)  હું પુખ્ત વયનો છું. અને કાનૂની રીતે(Legally) વારસદારોને આપવા લાયક મિલકતોનો કાયદેસર માલિક છું.

 

Testator (વસિયતનામુ કરનાર)નું નામ___________________________

વસિયતનામું કરનારની સહી________________

તારીખ__________________

બે સાક્ષીઓની હાજરીમાં ઉપરોક્ત સહી કરવામાં આવી છે

સાક્ષી ૧ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

સાક્ષી ૨ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

વસિયતનામાં સાથે જોડાવાની માહિતી

1)  


Deposits (જમા પૈસાની વિગતો)            જમા રકમ

F.D. – ફિક્સ ડિપોઝીટ                      બેંકનું નામ

Savings Account -                 સરનામું, ખાતામાં નામો અને પ્રકાર

2)  સ્થાયી મિલકતો (Immovable Properties) વર્ણનનું મિલકતોનું વર્ણન- વિસ્તારનું નામ -સરનામું ઘર નંબર- જમીનમાં ૭/૧૨ અને ૮-અ દાખલા

3)  જર ઝવેરાત(Jewelry) સોના-ચાંદી-હીરાના સિક્કા ઘરેણાની વિગતો

સોનાની બંગડી________ નંગ _______________ગ્રામ વજન

સોનાનો હાર__________ નંગ _______________ ગ્રામ વજન

સોનાનું મંગળસૂત્ર__________ નંગ____________ ગ્રામ વજન

સોનાની વીંટી _____________નંગ____________ વજન

સોનાની ચેઈન______________ નંગ____________ વજન

તે જ રીતે વિગતવાર બધી જ વસ્તુઓનું વર્ણન.


બેન્કનો લોકર નંબર- બેંકનું નામ - સરનામું દરેક વપરાશ કારોના નામ

4)  શેર-                         શેરની સંખ્યા        

    મ્યુચ્યુઅલ ફંડ                કંપનીનું નામ

પી.પી.એફ                   ડિમેટ એકોઉન્ટની વિગતો.

એન.એસ.એસ

આર્થિક સલાહકાર(Invetment Firm)

હિસાબ રાખનાર(C.A) તથા બધા જ રોકાણકારોની વિગત.

5)  વિમાઓ Insurance –પોલિસીનિ વિગત-અંક સંખ્યા-પાકવાની તારીખ લાભાર્થી ના નામો.

6)  પરચુરણ રોકાણો (MISCELLANEOUS)  કાર-સ્કૂટર વિગેરે વાહનો, કમ્પ્યુટર, ટીવી, ફર્નિચર તે સિવાય યોગ્ય લાગે તેની ખાસ નોંધ લેવી.

 

નોંધ:-

૧) આ ફક્ત નમૂનાનું વસિયત નામું છે. દરેકે પોતાની ઈચ્છા મુજબ લખાણ કરીને સ્વતંત્ર વસિયતનામું બનાવવું.

૨) દરેક પાનાં ઉપર વસિયતનામું કરનારે સહી કરવી.

૩) સાદા કાગળ ઉપર વસિયત કરી શકાય. પોતાની અને બે સાક્ષીઓનિ સહી ફરજિયાત છે.

૪) સ્ટેમ્પ પેપર ઉપર, નોટરી કરાવીને અને રજીસ્ટાર પાસે રજીસ્ટ્રશન કરાવીને વસિયતને વધારે પ્રમાણિત કરી શકાય –પણ આ બધુ જ મરજિયાત છે.

૫) વસિયતનામું લૉકર કે બીજી સલામત જગ્યાએ સાચવીને મૂકવું.

૬) Codicil – (વધારો) મૂળ વસિયતનામું (Original Will ) સાથે ઉમેરણ કે સાધારણ ફેરફારનો પત્ર ઉપરોક્ત ત્રણે સહીઓ સાથે જોડી શકાય, પરંતુ આ કરતાં નવું વસિયત કરવું સહેલું

રહેશે.