Showing posts with label biography. Show all posts

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય

આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. 

આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે.

આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે.

લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમાં પ્રદર્શિત થાય અને સિનેમા વિષે વિગતવાર વર્ણન આપતી માહિતી આવે. ત્યારે મને થતું કે આવા જીવનવીમાના કર્મચારી સાહિત્યચિંતન અને વિચારોનું ઊંડું મનોમંથન કઈ રીતે કરતાં હશે ? ‘આગિયાનું અજવાળું’ એ સવાલનો જવાબ છે. બાળપણથી વાંચનનો શોખ, અભ્યાસમાં સંસ્કૃત વિષય, અંગ્રેજીનો અભ્યાસ અને વાંચન એમને આપણાથી ઊંચા લઈ જઇ એક મહાન વિચારક અને સ્પષ્ટવક્તા એવા લેખક બનાવે છે. 
 

પુસ્તકની શરૂઆતમાં પ્રો.અશ્વિન દેસાઈ એ ખૂબ સરસ રીતે સાહિત્યિક શૈલીમાં લેખકનો અને તે રીતે પુસ્તકનો પરિચય દરેક અડતાલિશ પ્રકરણ આવરી લે એ રીતે કરાવ્યો છે, તેમણે યોગ્ય જ કહ્યું છે કે પોતાની ‘સાધારણતા’ માં રહેલી “અસાધારણતા” ને પામવાનો વિનમ્ર પ્રયાસ પુરૂષાર્થ માન પ્રેરે તેવો બની રહે છે. કોઈ મોટો વિવાદ જગાડવાના કે ‘પર્દાફાશ’ કરવાની મનોઋગ્ણતાભરી સ્થિતિથી કથાનાયક દૂર રહી શક્યા એ સ્વાસ્થતા અને સમતુલા પણ આવકાર્ય બની રહે છે.

૧૭૯ પાનામાં વિસ્તરેલી ૪૮ પ્રકરણોની આ આત્મકથામાં વિગતો તો છે જ પણ તે કરતાં વધારે સ્વાનુભાવના વર્ણન પછી તેનું વિષ્લેષણ અને માનસિક મનોભાવ ખૂબ આકર્ષક બની રહ્યા છે.

અનાવિલો વિષયક લેખ (પ્રકરણ-૧૫) જેવુ પ્રમાણિક-જ્ઞાતિનું અને તેથી પોતાના સમાજનું-ચિત્રનું વિવેચન ખૂબ પ્રશંસનીય અને સમાજ માટે માર્ગદર્શક બની રહે છે. “હમસચ્ચાઈ” અને “આપવડાઈ” જેવા કુલક્ષણો ધરાવતા અનાવિલો સુધરશે ? મુશ્કેલ છે.

લેખકની પ્રમાણિકતા ઘણાબધા વર્ણનોમાં દ્રષ્ટિપાત થાય છે. તે ખરેખર પ્રશસનીય અને માણવાલાયક છે. ઘરે પૈસાની ચોરી-ગામમાંથી નવાપુરમાં મિત્રમંડળી સાથે મળી ૧, ડોલ-દોરડું, ૨, ચંપલો અને ૩, દુકાનમાંથી અવારનવાર નાળિયેરની ચોરીનું વર્ણન અને કબૂલાત ગાંધીજીની આત્મકથાથી સુરેશભાઈની વાતને ઘણા જ ઉપર ઊર્ધ્વગામી લઈ જાય છે.

ભાષાનો આડંબર કે જટિલતા લેખકને જરૂરી નથી લાગતી તેઓ સરળ સમજાય એવી ભાષાના વર્ણનમાં પોતાની વાત અને વિચાર સરસ રીતે રજૂ કરી શકયા છે.

પ્રથમ ધુમ્રપાન ની કબૂલાત અને માના ઠપકાની ગેરહાજરી બાળકને કેટલું નુકશાન કરી શકે તે દરેક માબાપે જાણવા-સમજવા જેવુ છે. હા, બાળપણમાં કરેલા મદ્યપાને તેમને દારૂડિયા નથી બનાવ્યા તે બાબત ખરેખર પ્રશંસનીય છે.

પારાવાર ગરીબીએ તેમને બાળપણથી જ ઉદ્યમી બનાવ્યા છે. નવાપુરમાં શનિવારી હટવાડા બજારમાં અઢી વર્ષ નો ઉદ્યમ અને કમાવા માટે કરાતી ચાલાકીનું વર્ણન- આદિવાસી ગરીબોની બીજા ચાલાક ગરીબ દ્વારા શોષણ વિગેરે વાંચીએ તો જ સમજાય. અનાજ લેતી વખતે મોટું માપિયું, વેચતી વખતે વધારે વજન કરતું ત્રાજવું અને અનાજમાં કાંકરીવાળી માટીની ભેળસેળનું વર્ણન ખૂબ નમ્રતા માંગે, બાકી કોણ પોતાની નબળાઈ આ રીતે બતાવે. ?

મિત્ર ‘જેમી’ ના દીકરાની નવજોતમાં વહેવારમાં આપવાના અગિયાર રૂપિયા ન હોવાની લાચારીને કારણે ગેરહાજરી કદાચ ગરીબીના પ્રત્યક્ષ અનુભવી સિવાયનાને ન સમજાય. કોલેજમાં તૂટેલી ચંપલ સાથે છુપાતા ઘરે જવાનો અને ફાટેલા શર્ટનો શાળાનો અનુભવના વર્ણનો આપણી સગાંઓની તકલીફો માટેની બેફિકરાઈ નથી ?

પુસ્તક પરિચય વખતે લેખકની સાથે સાથે પોતાની વાત ના હોય એ જાણવા છતાં એમની માં અને મારી પત્નીની માની સરખામણી ક્ષમ્ય ગણશો. સુરેશભાઈની એક વર્ષની ઉંમરે પિતા અવસાન પામ્યા ત્યાર પછી તેમની છઠ્ઠી ભણેલી માં ભણીને સાતમું ધોરણ પાસ કરે છે અને શિક્ષિકા બની પોતાનો અને બાળકનો જીવનનિર્વાહ કરે છે. બરાબર એવી જ રીતે મારા પત્ની ભાવનાનાં પિતા અને જન્મ પછી તરત જ અવસાન પામે છે, ત્યારપછી માં ઇન્દુબેન એસ.એસ.સી. ભણેલા તે અભ્યાસ આગળ ધપાવી ડોક્ટર બની ને ત્રણ બાળકો મોટા કરે છે. તે વાત બન્ને ને ગૌરવવંતીત કરે છે. તે વાત અને બન્ને મોસાળમાં જ મોટાં થાય તે વાત આપના સમાજની નામોશી ન કહીયે તો શું ? મરેલા ભાઈના કુટુંબની દેખરેખ બાકીના સભ્યો કેમ નથી સ્વીકારતા અને ફક્ત મોસાળનો- પિયરનો-જ સહારો એકમાત્ર આધાર હોય એ આપણી નિર્બળતા છતી કરે ત્યારે લેખકનો સમાજ માટે આક્રોશ આસ્થાને નથી.

પુત્ર શર્મનનું અકસ્માતમાં નાની વયે મૃત્યુ અને ત્યારપછી લેખકનું વર્ણન-કદાચ આપણે સમજી ન શકીએ. ભગવાન કોઈને આવું જીવન ભરણું સહેવાનું ન આપે.

પુસ્તક પરિચય પુસ્તક કરતાં લંબાણ ન થઈ જાય એટલા માટે અટકું છું. બાકીની વાતો એમના જ શબ્દોમાં વર્ણવી છે.

જન્મનું પ્રથમ વર્ષ એંધલ, પછીના આઠ વર્ષ મોસાળ આટમાં, ત્યારપછી એક વર્ષ નંદુરબાર અને આઠ વર્ષ નવાપુર, ફરીથી આટ-આમરી-આટ અને છેલ્લે નવસારીમાં સ્થાયી થયેલ લેખક ભટકતું જીવન (Nomadic Life) જીવ્યા છે, ત્યારે તેમનો અનુભવ એમને વિચારક-ચિંતક ન બનાવે તો જ નવાઈ.

ચાલો, થોડી વાતો સીધેસીધી જાણીએ.
  • ૪૦ - શનિવારી હાટમાં નવાપુર વેપારના અઢી વર્ષ : સંજોગો સાથે હાર સ્વીકાર્યા વિના પડી આખડીને ઊભો થતાં હું આ અઢી વર્ષો પાસેથી શીખ્યો. 
  • ૪૨ - નવાપુરના બાળપણના મહામુલા સાત-આઠ વર્ષો વાંદરીનું બચ્ચું વંદરીને વળગે એમ મને વળગ્યાં. 
  • ૪૭ - કોલેજ અભ્યાસ દરમ્યાન આટ એકલા રહેવું પડ્યું ત્યારે, આજુબાજુના અનાવિલો એ ખાધું છે કે ભૂખ્યો છે એ જાણવાની તમા ના રાખી. જાતે રસોઈ કરવાનું અને એકલા બેસી જમવાનું ખૂબ કપરું હતું. 
  • ૫૦ - બાળપણ ભૂલીને જીવનની જંજાળ અને ઉપાધીઓમાં વ્યક્તિ એવી અટવાઈ જાય છે કે ચિંતા, નિરાશા, અભ્યાસ અને હતાશા સિવાય એની પાસે કઈં રહેતું નથી. બાળપણ જેના હૈયામાં જીવે છે એ વ્યક્તિની નિર્મળતા, ભોળપણ, રમતિયાળપણું પણ આજીવન ટકી રહે છે. 
  • ૫૨ - યુવાસ્થામાં વાંચન-ફિલ્મો અને ફિલ્મીગીતોનો શોખ હતો. નાણાંભીડ અને લઘુતાગ્રંથિ બેડીથી હું બધાયેલ હતો તેથી યુવાનની ગર્મજોશી, ખુદ્દારી કે અલ્લડપણાં સિવાયનું મારૂ યુવાન એ કુંઠિત યૌવન હતું. 
  • ૫૬ - એંધલની પોતાને ભાગે પડતી ૨૦ વીંઘા જમીન જ્ઞાતિબંધુ પડાવી ગયા ત્યારે કોર્ટનો અનુભવમાંથી શીખ્યા, કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે થોડું નુકશાન વેઠીને પણ પ્રતિવાદી સાથે સમાધાન કરી લેવું એ શ્રેષ્ઠ રસ્તો છે. 
  • ૧૦૨ - વિતેલા વર્ષો દરમ્યાન કરેલો સંઘર્ષ, એ દુ:ખ, એ પીડા, એ લાચારી અને અકિંચન હોવાની એ વેદનાને હું યાદ કરું છું ત્યારે મનમાં કોઈ કણસ નથી ઊપડતી બલ્કે ફરીથી માણવાની તિતિક્ષા આજે પણ મનને તરસ્યું તરસ્યું કરી મૂકે છે. 
  • ૧૦૩ - આપમેળે રસ્તો શોધવાનું ખમીર મારા એ સંઘર્ષભર્યો વર્ષો એ મને આપ્યું હતું. 
  • ૧૧૭ - સારી બાબતો કોને કહેવી એ મતાંતરનો વિષય છે. પરંતુ બીજી કોઈ વ્યક્તિને નુકશાન ના કરે, બીજાના મનમાં દુ:ખ ઊભું ન કરે અને આપણને આનંદ આપે એને હું સારી બાબત ગણું છું. મંદિરોની ચાર દીવાલમાં બેઠેલા ઈશ્વર કરતાં વૃક્ષો, પર્વતો, સરિતા સાભાર પ્રકૃતિક વાતાવરણમાં ઈશ્વરનું વજૂદ કે અસ્તિત્વ મારે માટે વધારે સ્વીકાર્ય બની રહ્યું છે. 
  • ૧૩૯ - લેખકે જીવન વીમા, ઉચ્ચ અધિકારી પદ સાથે સંગઠન (Union) ના અને અનાવિલ સમાજમાં કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે. સંગઠનના નૈતૃત્વનો કેફ નશીલા પદાર્થો થી ઓછો નથી. તેમનો બન્ને જગ્યાએ (નમુનેદાર સેવાઓ, સમયના અને કુટુંબજીવનના ભોગે આપી હોવા છતાં) અનુભવ સારો નથી. 
  • ૧૬૬ - ગુજરાતમિત્રની બુધવારની પૂર્તિમાં ધમાચકડી શીર્ષક હેઠળ હાસ્યકોલમ લખી. હાસ્યલેખનના સર્જનમાં થોડી તાણ જરૂર રહેતી, પરંતુ એ તાણ પ્રસૂતાની મીઠી વેદના જેવી હતી. માણસનું હાસ્ય બહુધા દુ:ખ અને પીડામાંથી જન્મેલું હોય છે. મારૂ દુ:ખ અને મારી પીડા જ મારા વિનોદી લેખોનું કારણ બન્યા. 
  • ૧૭૪ - મુંબઈના તબીબોનો મારો અનુભવ તબીબી વ્યવસાય તરફ તિરસ્કાર ઉપજાવે એવો હતો. તગડી ફી વસૂલતી મુંબઈની હોસ્પિટલોમાં ગંભીર રોગોના દર્દીની પૂરતી કાળજી લેવાતી નથી. 
  • ૧૭૮ - My best years are yet to come. આપણે ધીમેધીમે અદ્રશ્ય થતાં જોઈએ છીએ અને નવાગંતુકોના રૂપમાં જીવંક્રમ ચાલતો રહે છે. ફરી એ જ શૈશવ, એ જ યૌવન, એ જ ઘડપણ એ જ સંઘર્ષ, એ જ સ્વપ્નો, એ જ સુખની તરસ, એજ અતૃપ્તિ અને એ જ આભાસી સંતૃપ્તિ. 



આ આત્મકથા મારી, તમારી અને આપણી વાતોના સંગ્રહ છે. તેથી લેખક આપણાં મનમાં એક “મહાનુભાવ” હોવાથી ખૂબ હ્રદયસ્પર્શી બની છે. આત્મકથા લેખક જીવનની કરૂણ ગરીબીની તકલીફો એકલપંડે સહન કરતાં હોય ત્યારે મદદરૂપ ન થવાની સમાજની નિર્લજ્જતા તેમને સમાજદર્શન કરાવી આક્રોશ રજૂ કરવા પ્રેરે તે સ્વાભાવિક છે.

પંદરમાં પ્રકરણનું ‘અનાવિલ જ્ઞાતિ’ નું વર્ણન આખેઆખું લખવાનું મન છે, છતાં થોડી વાતો જાણીએ.

અનાવિલ જ્ઞાતિ:
  • ૧. આખાબોલાપણું એ અનાવિલોની વિચાર શુન્યતાની બહુ નજીકની પરિસ્થિતી છે. આમ આખાબોલાપણું દ્વારા સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતો અનાવિલ કઈ રીતે સારો કહેવાય? 
  • ૨. ટેકીલાપણું એ અનાવિલોનું મિથ્યાભિમાન છે. 
  • ૩. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. 
  • ૪. આર્થિક સંકડામણમાં જમીનનો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી છે.   
  • ૫. અદેખાઈ પણ ભારે ભૂંડી, પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ન જાય. એની બદબોઈ કરે. 
  • ૬. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ના મળે. 
  • ૭. ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે અનાવિલ યુવાનના માબાપનો અહમને ઠેસ પહોંચાડતી મે જોઈ છે. ની:સહાય, દુ:ખી, અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ સંબંધ રાખતું નહીં. 
  • ૮. બડાઈ મારવી-દુનિયાની ફિકર કરવી એ અનાવિલનું સામૂહિક લક્ષણ છે. 
આ બધુ જોતાં જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે.

હજુ ઘણી બધી વાતો કહેવાનું મન છે, પણ તે લાલચ ને છોડી સમાપન કરું.
આત્મકથા દ્વારા સંઘર્ષ કરતાં સુરેશભાઈ ના શરૂઆતના ચોપન વર્ષ આપણને વિગતવાર અને જીવનનો સાર સમજાવતા વાંચવા મળ્યા. જીવન વિષે એમનો ભાવ કોઈ ઉપદેશ વગર બસ મનોમંથન કરતાં કરતાં જાણવા મળે એનાથી રૂડું શું?
બીજી આત્મકથા-આત્મકથા ભાગ-૨ ની વિનંતી કરી શકાય? આપણી મિત્રતા એટલો હક્ક તો આપણને આપે જ છે, તે આપે ત્યાં સુધી ‘પ્રિયમિત્ર’ દ્વારા એમને સાંભળતા-સમજતા રહીએ.   

ચાલો સુરેશભાઈને પ્રણામ સાથે શુભેચ્છાઓ પાઠવતા રહીએ.

ડો. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
તા. ૩૦-૦૫-૨૧

Three Decades Of My Nomadic Experience

I recently read the novel "Pyramid of Virgin Dreams" by Vipul Mitra. He affectionately described the pains and pleasures of multiple transfers because of his father’s job as DSP and later himself as an IAS officer. While reading it occurred to me, I have had a similar life of changing a place many times nearly every alternate year. So why not narrate my story and the article is here!
A nomad means someone who lives by travelling from place to place - moving around all the while.
I was a nomad for the initial 28 years of my life, staying and studying at more than 15 places. A year or two and change of the place again! 

મારી આત્મકથા - ડો. ભાવના દેસાઈ

આત્મકથા લખવી મતલબ આપણને આપણા જન્મથી અત્યાર સુધીની દરેક હકીકતો તથા પ્રસંગો, અનુભવોની ખબર હોવી જોઈએ. મારી (સંક્ષિપ્ત) આત્મકથા જરાક જુદી લખાશે એવું મને જણાય છે.

શરૂઆત મારા જન્મથી કરીશ. મારો જન્મ ૨૧/૧૧/૧૯૫૦ દિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં થયો. મારી માતા ૨૪ વર્ષના હતા. મારા મોટાભાઈ મારાથી ૬ વર્ષ મોટા અને મારી મોટીબેન ત્યારે ૩ વર્ષના. મને ધરાઈને રમાડે અને જોઈને ખુશ થવાના સમયે જ મારા પિતાનું અવસાન થયું. હાર્ટ અટૈક થી. મારી માતા સ્ટ્રોંગ - હિંમતવાળા - સમજી ગયા હતા કે કઈક ગડબડ છે. કારણ હોસ્પીટલમાં લિમિટેડ સગાઓની આવનજાવન અને દીકરીના પપ્પા કેમ આવ્યા નથી એનો અણસાર આવી ગયો હતો. સમાચાર સાંભળી દુ:ખી થયા. રડાય એટલું રડી લીધું. પછી મારા પિતાના વાક્યને સાર્થક કરવા કમર કસી.

મારુ મોસાળ વલસાડમાં નાની મહેતવાડ ફળિયામાં. મારા આજાબાપા ડોક્ટર. મારા દાદાનું ઘર સુરત - કાળામાતાની શેરી. મારા દાદી, મારા નાનાકાકા તથા કાકી બધા જ ઘણા સારા અને પ્રેમાળ, છતાં અમે ત્રણેય બાળકો મોસાળમાં મોટા થયા. કારણ જણાવું - મારા મામા મારી માતાથી ૧૦ વર્ષ નાના. તેઓ મેટ્રીક પાસ થયા બાદ ડોક્ટરી કરવા ઇચ્છતા હતા. એમણે જાતે જ નિર્ણય લીધો કે મારી બેનને (માતાનું નામ ડો. ઈન્દુમતી) મને જે કોઈ મેડિકલ લાઈનમાં એડમીશન મળશે તેમાં જ હું મારી બેનની સાથે જ ભણીશ અને મારી સાથે જ ડોક્ટર બનાવીશ. મારા આજાબાપાને સમજાવી મારા આજીબાએ દાદીને મળવા મોકલ્યા. એમને સમજાવી લીધા અને વિનંતી કરીને અમને ત્રણેય બાળકોને મોસાળમાં ઉછેરવાની તૈયારી બતાવી. વલસાડ લઈ આવ્યા. હું ત્યારે ૬ માસની, મારા ભાઈ બહેન સમજણા એટલે મારા કાકા મારી માતાને ભાભી કહેતા, એટલે તેઓ પણ ભાભી કહેતા. મારી વાત કરું તો હું ૬ માસની હતી ત્યારથી જ મોસાળમાં રહેતી એટલે મામા-મામી-અડોશપડોશ ઈન્દુબેન કહેતા એટલે હું સમજણી થઈ ત્યારે મારી માતાને હું પણ ઈન્દુબેન કહેતી.

મારી બાળપણની ઘણી બધી વાત લખવા માંગુ છું. પરંતુ એવું કઈ બાળપણ મને યાદ જ નથી. પાંચ વર્ષની થઈ ત્યાં સુધીનું કાઈ ખબર નથી. ઘરની નજીક જ બાલમંદિર એટલે મૂકવા લેવા માટે અમારો નોકર વલભો (વલ્લભ) આવતો. મને બરાબર યાદ છે બાલમંદિરમાંથી બાળકોને નજીકની સ્કૂલમાં ૧૫મી ઓગષ્ટના પ્રોગ્રામમાં ગીત ગાવા લઈ જવાના હતા. મારા આજાબાપા પ્રમુખપદે આવવાના હતા એટલે બાપાએ મને સમજાવેલું કે તું સરસ ગાઈને એકશન કરશે તો ઘરે પણ બીજું ઈનામ આપીશ. અરે જવા દો, બાપાના સમજાવ્યાં છતાં ગીતની પહેલી જ પંક્તિની એક્શન કરીને બાપાને બૂમ પાડી સ્ટેજ ઉપર વળગી પડી. મને યાદ છે મારી આજીબાને બાપાએ વાત કરી ત્યારે બા મને વળગીને ખૂબ રડેલા.

ત્યાર પછી તો ૬ વર્ષની થઈ એટલે મને બાજુની જ પ્રાથમિક શાળામાં ભણવા દાખલ કરી. બાજુવાળા માસી એ જ સ્કૂલમાં હતા એટલે શાળામાં મને ગમતું. ઘર જેવુ લાગતું. આજીબા મારી ખૂબ જ કાળજી રાખતા. કારણકે નાનપણમાં જન્મ સમયે મારી તબિયત ખૂબ જ નબળી રહેતી તેથી મારી બાએ મારા દૂધ માટે ગાય રાખી હતી, જાતે જ દોહતા.

સમય જતાં માતા-પિતા વગર હું મોસાળમાં રહી તો બાળમાનસમાં એવું જ અંકિત થયેલું કે મારા સગા જ મારા-બા-બાપા-મામા-મામી. સમજણી થઈ ત્યાં સુધી ઈન્દુબેન મારા માતા એવી સમજ જ નહીં.

Dr Indumati and Children

૮ વર્ષની થઈ ત્યારે મામાના લગ્ન થયા. મારા ભાઈના જનોઈ ત્યારે જ થયા. ત્યારે અમારા ત્રણનો ફોટો સોફામાં બેસીને પળાવેલો. એ ફોટો મારી પાસે હમણાં યાદગીરી રૂપે છે. આ સાથે અગત્યની વાત જણાવું, મારા મામા જયારે મામીને જોવા મુંબઈ ગયેલા ત્યારે વાતચીત દરમ્યાન મામીને જણાવેલું મારા ત્રણ બાળકો છે. તેમને સંભાળવાની તૈયારી હોય તો લગ્ન માટે સમજીને “હા” જવાબ આપશો. મારા મામી મુંબઈના પ્રખ્યાત ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર ધીરુભાઈ દેસાઈના પુત્રી. ઘરના સભ્યોને આશા ના હતી કે મામા આવી વાત કરીને આવ્યા છે તો ફિલ્મવાળાની દીકરી રાજી થશે નહીં. પરંતુ મારા સારા નસીબ ને મારા બા-બાપાના સારા નસીબ કે મને ઘણાંજ પ્રેમાળ અને સમજુ મામી મળ્યા. લગ્નની વાત જણાવું તો ત્યારે પહેરામણીનો રિવાજ માટે મામાના સાસરેવાળા વલસાડ આવ્યા હતા. રામજી ટેકરાના ઘરમાં પહેરામણીનો પ્રોગ્રામ રાખેલો. મારા નાનામાસી (વલસાડના જાણીતા ડો. હીરક દેસાઈના મમ્મી) અને હું બે ગયેલા. અરે હું તો ૮ વર્ષની, પણ જલસો થઈ ગયેલો. બે જ જણા જમતા હોય પાટલા પર બેસીને અને સામે પાટલા ઉપર મોટી થાળી અને માથા ઉપર ૧૦ જણા હાજર, ઉપરા ચાપરી સવાલ! મારું પિયરનું નામ દેવયાની. બધા દેવયાનીબેન-દેવયાનીબેન કરે અને આપણે ખુશખુશાલ!

બા, બાપા, મામા, મામી મારી બધી જ માંગ પૂરી કરતાં. બાપાની પારડીમાં મોટી વાડી - 'દુર્લભજી ની વાડી' કહેવાતી. કેરી, ચીકુ, જાંબુ, દેશી-વિલાયતી આંબલી થતી. હું વાડીએ જવા તૈયાર થતી પરંતુ હંમેશા ના કહેતા કારણે બાપાએ મને સાચવવાની. કારણ રાત્રે વાડીમાં જ રહેતા.

શનિવારે બાપા ચુપચાપ વાડી નીકળી જતાં. પરંતુ કોઈવાર હું બાપાના સેન્ડલ સંતાળી દેતી એટલે મને ફરજિયાત લઈ જવી પડતી. જોકે હું એમને બિલકુલ હેરાન નહોતી કરતી.

સમય જતાં મામાના ઘરે દીકરીનો જન્મ થયો. ૧૯૬૦ માં. ત્યારે પણ મે બાપા સાથે મુંબઈ જવાની જીદ કરી તો બાએ મને કહ્યું કે નાની બહેન માટે કઈંક રમકડું લઈ જવું પડે તો મે મારી અક્કલ પ્રમાણે શો કેસમાં નાની ડિઝાઈન વાળી રંગીન ૨કુલડી હતી તે બાને બતાવીને બાપા સાથે ગઈ જ. મામી ખૂબ ખુશ થયેલા.

ત્યાર બાદ મોટા થતાં ધો. ૮ માં જમનાબાઈ હાઈસ્કૂલ માં ભણવાનું શરૂ કર્યું. બાપા-મામા ડોક્ટર એટલે મને સ્કૂલમાં સારું માન મળતું. બધા જ શિક્ષકો બાપા-મામાને ઓળખાતા.

ઇન્દુબેને ડોક્ટર થયા બાદ મુંબઈ-થાણામાં પણ નોકરી કરી. મારા મમ્મીએ ખૂબ જ મહેનત કરીને બધી પરીક્ષા First Trial માં પાસ કરી. વિચિત્ર સાહેબો સાથે internship કરવી પડી. શરીર કાયમ જ એકવડિયું રહ્યું. જિંદગીમાં એમનું વજન ૩૨ કિલો ઉપર ગયું જ નહીં. થાણા પછી સરકારી નોકરી ઈડર તથા ડભોઈમાં કરી. સાહેબ તરીકેની નામના મેળવી. મારા બાપા-મામાને યોગ્ય ન લાગવાથી સરકારી નોકરી છોડાવી દીધી અને વાપીમાં Lady Doctor તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી.

મે ૧૯૬૭ માં મેટ્રિક પરીક્ષા પાસ કરી. First Class ૬૮% બાપાએ પેંડા વહેંચ્યા. First Class આવી એટલે, બાકી Center Firstના તો ૭૨% હતા. મારા પિતાએ ઇન્દુબેનને આ મારી દીકરીને ડોક્ટર બનાવીશું એવું કહેલું એટલે મામાએ નિર્ણય કરેલો કે બહાર દૂર મૂકવી પડે તો પણ દેવયાનીને ડોક્ટર બનાવવી જ. કારણ ઇન્દુબેનને ૧૮ વર્ષની ઉંમરે મેડિકલમાં ભણવા જવા માટે સામાન બાંધેલો અને સારું માંગુ આવેલું - સરભોણનો ઊંચા ગામનો દીકરો. એટલે સામાન છોડી દીધો, લગ્ન થઈ ગયા. પરંતુ મારા પિતાએ કહેલું કે તારા (ઇન્દુબેન) નસીબમાં ડોક્ટર થવાનું છે. એટલે મારા જન્મ વખતે ઇન્દુબેનને કહેલું કે અમારી દીકરીને ડોક્ટરી ભણાવજે.

હું મેટ્રિક પછી બરોડા Pre-Science ભણવા ગઈ. મહેનત ઘણી જ કરવી પડી કારણ કે પહેલીવાર ઘરથી દૂર અને ગુજરાતી મીડિયમમાંથી સીધા અંગ્રેજી મિડિયમમાં ભણવાનું. ૫૫% થી પાસ થઈ એટલે મેડિકલનો ચાન્સ જ નહીં. તે વખતે ઇન્દુબેન વાપીમાં પ્રેક્ટીસ કરતાં અને દર ગુરુવારે સવારે ૯ થી ૧૨ દમણ દવાખાનું ચલાવતા. એટલે એમને સમાચાર મળ્યા હતા કે ગયા વર્ષથી દમણમાં કોલેજ શરૂ થઈ છે અને દીવ-દમણ-ગોવાની કોલેજમાંથી પાસ થનાર વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. Inter-Science દમણમાં કર્યું. વાપી ઇન્દુબેન સાથે રહી. સવારે મારા માટે ચા-નાસ્તો કરે, ડબ્બો કરે અને પછી હું ૮:૨૦ ની બસમાં જવા માટે નિકળું. થોડી રસોઈ બનાવી દવાખાને જતાં. બપોરે દાળ-ભાત શાક ઢાંકી જતાં. હું આવીને જમીને અભ્યાસ કરતી. રાત્રે જ્યારે ઇન્દુબેન દવાખાનું બંધ કરીને આવતા ત્યાર પછી જ ભાખરી-શાક બનાવતા અને અમે સાથે જમતા. દેસાઈવાડમાં ભાડેથી રહેતા તે ઘરના માલિક પણ સારા હતા. મારી કાળજી રાખતા. ઇન્દુબેનને ધરપત આપતા કે અમે છીએ ફિકર કરશો નહીં. મહેનત તો કરી પણ ૬૨% માર્કસ જ આવ્યા. જો કે ક્લાસમાં બીજા નંબરે હતી. મામાએ બધી જ કોલેજ માં ફોર્મ ભરાવેલા. ત્યારે મારા Result બાદ મારા કાકાના મોટા દિકરા વલસાડ આવેલા અને મને ફોર્મ ભરવામાં ખૂબ જ મદદ કરેલી. રાહ જોઈ-જોઈને થાક્યા ત્યારે જુલાઈમાં એડમિશનનો તાર આવેલો. મારા મામી તે સમયે pregnant – ૩૨ weeks. મામી બધી જ ગાડીઓ ચલાવતા. એમની સુજબુજ અને ત્વરિત નિર્ણયથી તે જ દિવસે હું મારા મામાના મિત્ર મુંબઈ રહેતા હતા તેની સાથે પ્લેનમાં ગોવા પહોંચી ગઈ. બે દિવસ પછી મામાના friend મને ગોવા મૂકીને પરત મુંબઈ ગયા. રડવું આવતું ખૂબ જ. ઘરની યાદ આવતી. ભાષાની તકલીફ - ખાવાની તકલીફ - હોસ્ટેલમાં રહેવાનુ. જાતે પોતાનું કામ કરવાનું, આકરું લાગતું એટલે ઘર ખૂબ જ યાદ આવતું. ઘરનો કોંટેક્ટ કરવો હોય તો call book કરાવી exchange માં માંગવો પડતો. રવિવારે 2-3 કલાક ફોન પાસે બેસી રહીએ ત્યારે વાત થાય. પહેલીવાર 6 મહિના પછી ઘરે જવા મળ્યું. વધારે સમય વલસાડ અને 2-3 દિવસ પછી વાપી રહેતી. મેડિકલના કોલેજકાળ દરમ્યાન friends બન્યા તે ડો. ભુપેન્દ્ર પાંચાલ (બીલીમોરા), ડો. નયન ચોક્સી (અમેરિકા), ડો. જ્યોતિ શુક્લ (ગોંડલ) અને ડો. રમેશ (સંજાણ- ડો. સૂર્યકાંત બીલીમોરાના વેવાઈના-વેવાઈ).
 

Final M.B.B.S. દરમ્યાન લગ્નનું નક્કી થયું. રિવાજ મુજબ જોવાનું ગોઠવાયું. વાપીમાં અમારા ઘરે આ સમય દરમ્યાન મારી માતા ઇન્દુબેન ખૂબ જ મહેનત અને સારી પ્રેકટિસથી બંગલો બનાવી શક્યા. જોવાના પ્રોગ્રામ બાદ જવાબ આવ્યો નહીં એટલે અમે સમજ્યા ગોવામાં ભણી છે એટલે વિચાર કરતાં હશે. પરંતુ ડો.ભરતે અમારી મુલાકાત પછી પણ 2-3 છોકરીને chance આપ્યો હતો. હું નસીબદાર, અમારા લગ્ન થયા. મારી internship ચાલુ રહી અને ડો.ભરત ૧૯૭૬માં અમદાવાદ ખાતે D.O.M.S થયા.

૧૯૭૭ ની ૧૯ મેના દિવસે મારી દીકરી વૈશાલીનો જન્મ થયો અમદાવાદમાં. ડો ભરતનો અભ્યાસ ચાલુ હતો એટલે નવસારીમાં મારા સાસુ-સસરા સાથે રહીને ડો. રમાબેનની હોસ્પીટલમાં નોકરી કરી. કારણ મારી દીકરી એના દાદા-દાદી સાથે સારી રીતે રહી શકતી હતી. દીકરી મારે ઘરે લક્ષ્મી થઈને આવી. અમારી સારી પ્રગતિ થતી ગઈ. M.S. થયા બાદ ડો. ભરતે Rotary Eye Hospitalમાં job સ્વીકારી અને મેં પ્રાઈવેટ પ્રેક્ટીસ ચાલુ કરી.

વખત જતાં આંખની પ્રાઈવેટ પ્રેક્ટીસ શરૂ કરવાનો વિચાર આવતા બીલીમોરામાં ડો. ભરતે consulting ચાલુ કર્યું અને મારી અબ્રામા પ્રેક્ટીસ ચાલી.

૧૯૭૯ માં આંખની હોસ્પિટલ ચાલુ કરવાના ઈરાદાથી હું અને મારી દીકરી પણ બીલીમોરા રહેવા આવ્યા. બીલી પાઠશાળામાં રહ્યા અને હોસ્પિટલ પણ પાઠશાળામાં ચાલુ કરી. ખૂબ મહેનત કરી. આ સમય દરમ્યાન મારી friend ભાવિકાએ મને ઘણી મદદ કરી. સમય જતાં બીલી અનાવિલ મહોલ્લામાં રહેવા લાગ્યા.



વૈશાલી બાલમંદિર જવા લાગી ને એના નાના ભાઈ રાહુલનો જન્મ થયો ૧૯૮૧, ૧૬ મે. Complete family. દરમ્યાન ૪-૬ મહિના મેંગુષી માં half-day નોકરી કરી. Wood Polymer Clinicમાં થોડો સમય નોકરી કરી. બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. સમય જતાં ગૌહરબાગ વિસ્તારમાં હોસ્પિટલ માટે સારી જગ્યા મળતા આંખની હોસ્પિટલ ગૌહરબાગમાં ચાલુ થઈ અને હું પણ મદદનીશ તરીકે ડો. ભરતની સાથે કામ કરવા લાગી. બાળકોના અભ્યાસમાં મદદ કરતી. ખાવા-પીવાની કાળજી રાખતી સાથે સાથે ESISની તથા LIC ની Medical Officer બની. બાળકો થોડા મોટા થયા એટલે થોડો સમય ગૌહરબાગમાં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી.

બાળકો મોટા થતાં ગયા. સમય જતાં વાર લાગતો નથી. દીકરી ૮૦% થી SSC pass થઈ અને સુરત Girls Polytechnicમાંથી આર્કિટેક્ટ થઈ. બાદમાં મુંબઈમાં Interior Designerનો અભ્યાસ કર્યો. દીકરો HSC pass કરી લાતુર થી BE (Electronics) અને પૂનાથી ME થયો.
 


દીકરીના લગ્ન કર્યા - હાસકારો થયો. મે અબ્રામા PHCમાં સરકારી નોકરી લીધી. દીકરાનો અભ્યાસ ચાલુ હતો. થોડો સમય અમારો ખરાબ ગયો. પણ અમે બિલકુલ હિંમત હાર્યા નહીં. દીકરાના લગ્ન કર્યા. એના જીવનમાં પણ થોડી તકલીફ આવી. દુ:ખનું ઓસડ દહાડા. સાચી કહેવત. આનંદના દિવસો આવ્યા. દિકરી બરાબર મુંબઈમાં સ્થાયી થઈ અને દિકરા-વહુ પુનામાં સ્થાયી થયા. વહુ M.Pharm થયા બાદ PhD કરીને D. Y. Patil College માં job કરે છે. સાથે એની research પણ ચાલુ છે. દરમ્યાનમા ઘણા publications કર્યા છે અને awards પણ મેળવ્યા છે.

૧૪ વર્ષની સરકારી નોકરી કર્યા બાદ નિવૃત થઈને private practice ચાલુ કરી છે. સમય સારો જાય છે. સેવા કર્યાનો આનંદ છે. બાળકો સુખી છે. પોતપોતાના કામમાં વ્યસ્ત છે ખુશ છે. આનંદથી જિંદગી જીવીએ છીએ. ડો.ભરત practice થી retired થઈ પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવે છે.

લાયન્સ કલ્બ, સિનિયર સિટીઝન્સ ક્લબ, તથા IMA માં કાર્યરત રહીએ છીએ એટલે લોકોના સંપર્કમાં રહેવાથી આનંદ મળે છે. અમારી બંનેની તબિયત સારી રહે છે એટલે અવાર-નવાર નાના- મોટા પ્રવાસો પણ કરીએ છીએ. લોકોને ઉપયોગી થવા પ્રયત્ન કરીએ છીએ.


મારુ કહેવું એટલું જ છે કે જો તમારી તબિયત સારી હોય, તો આપણે જેટલું જીવ્યા તેને ઇશ્વરી આશીર્વાદ સમજી બીજાને સહાય કરવી, મદદ કરવી કે બીજાને માટે જીવી જાણીએ એવું વિચારવું. આપણાં માટે, આપણાં કુટુંબ માટે, આપણાં સગાવાહલા માટે ખૂબ સારું જીવ્યા. હવે આપણે શક્ય હોય તો બીજાને માટે સારું જીવવાનું શરૂ કરીએ તો ખૂબ આનંદ થશે.
નમસ્કાર!

ડો. ભાવના "દેવયાની" દેસાઈ
વીરા ક્લિનિક, વંકાલ, બીલીમોરા




નોંધ : સીનીયર સીટીઝન ક્લબ, બીલીમોરા આયોજીત નિબંધ સ્પર્ધામાં દ્વિતિય ઈનામ વિજેતા ક્રૃતિ




સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા 

વિષય: મારી આત્મકથા


  • 60થી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
  • લીટીવાળા ચાર (04) ફૂલસ્કેપ કાગળમાં (બાળપણ - અભ્યાસ - વ્યવસાય - સમાજજીવન - પોતાના અનુભવો અને સલાહના મુદ્દા પર) પોતાની આત્મકથા ગુજરાતીમાં લખવી.
  • પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જણાવવા.
  • સ્પર્ધા નિઃશુલ્ક (મફત) છે. યોગ્ય નિર્ણાયકો દ્વારા તપાસી ત્રણ (03) ઈનામો સિનિયર સિટીઝન્સ ક્લબ, બીલીમોરાની મે/જૂનની સભામાં આમંત્રી અપાશે. 

Why Do I Write?

When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.

I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.

Death, at 60

Continued from the series I, at 60; Relations, at 60; Money, at 60 and Medical Practice, at 60


Am I ready to die? The answer is yes and no. If given choice, I don’t want to die before my father. If so is allowed, I want to be with him serving till his last breath and yes, then I am ready.

Actually, I had sorted out my wishes during my terminal illness where I am unconscious regarding 1. Organ donation, body donation and eye donation, 2. Treatment schedule especially telling when they should be stopped, 3. Protocols to be followed at the time of death and 4. Formalities not to be observed after my death and enlisted them. But then I suddenly realized the futileness of such exercise and accordingly, I have omitted all as a mark of respect to my concerned ones.

Medical Practice, at 60

I was one of the brightest of students during my academic career. I respected my teachers and I was their favourite student. I have studied up to 28 years of age to pass M.S. in Ophthalmology and practised for 32 years. I know practising in a small village-like town does bring more practice and less money. I was the only eye specialist available serving needy poor of the area for more than two decades
.

I have worked as honorary visiting eye-surgeon at Eye camps organized at Adivasi (tribal) and poor areas of Vansda, Ahwa, Dharampur for a long time - at Gram Seva Trust, Kharel and Bodhi Gaya (Bihar) eye-camps for more than five years. I am working at Rotary Eye Hospital, Chikhali till today in addition to my private practice.

Money, at 60

Continued from I, at 60 and Relationship, at 60

If a person is ready to live a simple life in old age with minimum needs, any savings one has done is enough. Generally, all at 60 and beyond feel whatever one has earned is very little – one has missed the chance to earn. When I graduated my MBBS in 1974, all were leaving for the US. I opted for serving my motherland India and my parents; today I have no regrets for the decision. If serving the poor with full dedication is considered to balance, I have earned it at maximum. If poor appreciation is an issue, I suggest to bother about Karmic Theory of results and remain aloof.


Relationship, at 60.

Continued from I, at 60

Before starting this story, I must admit, I have been accompanied by a brother before birth till today - a pair of twins. We are hardly comparable in any way or let me say, we are totally different in nature, look and attitude - we are always available to each other.

I had parents to guide me till 60, of whom I lost my mother a month back. My father is always available with his viewpoint to guide me in need on any issue with clarity of thought and without forcing to follow the same. I understand it as a great luxury many do not have.

At 60 And After

At 60 and after...
  1. Even the not-so-young people around start addressing you as Uncle/Auntie.
  2. You start receiving less greeting cards on new year, birthday, wedding anniversary.
  3. You start earning less in case of professionals and start getting pensions if retired from such a job.
  4. One starts counting balances and investments that can give returns.
  5. Diseases of old-age like blood pressure, diabetes, arthritis, amnesia start showing their power. Certain serious illnesses like cancer, paralysis and heart problems start troubling.
  6. You start receiving concessions in railway ticket, state transport fare and air tickets.
  7. Younger people may start offering a seat at public places out of respect or pity. You may be allowed to go ahead in 'Q's and if needed they may support you.
  8. You start feeling a new phase of life has begun, where you have to start compromising and adjusting in place of ruling and dominating as in the past.
  9. Senior citizen clubs and old-age homes start waiting for your welcome.
  10. Evening meetings of elderly at temples, garden and railway stations await, honouring them with your regular presence to share your pleasures and sorrows.