Skip to main content

Posts

Showing posts with the label review

ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા. દીક્ષા – સાદાઈ – સમાજસેવા હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે. પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ. ૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં ( Before memory fades ... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે. જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે. ૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય. આ અનાવિલની

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય

આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે.  આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે. આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે. લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમાં પ

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!   “વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે. કોઈ જાતની કટુતા, ટી

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના

Soulful Simplicity - Book Review

How long can a book review of a 230+ pages book be considered ideal? I was not sure, so I ignored this and summarised it in my way.  The author Courtney Carver was diagnosed having 'multiple sclerosis' – a gradually increasing and killing disease. She did not surrender, instead, she decided to live life debt-free, clutter-free, mostly stress-free, and this way she found out the purpose of life. To our surprise, she got cured of the disease.  She shared her experience in this book talking about soul by 'hand to heart exercise' and simplicity in ' Project 333 '. Let us see both and understand the book.  Exercise 1: Hand To Heart Exercise Put your hands on your heart.  Time: Choose a time each day when you can sit alone for a few minutes. You may light a candle. Keep a pen and paper nearby to jot down thoughts.  Sit: Sit comfortably on the floor, on a chair, on your bed or anywhere you feel comfortable.  Silence: Try practising in silence or with soft music.  Breat

Pyramid Of Virgin Dreams

This is a novel depicting the story of an IAS officer’s life. Author Vipul Mitra is himself an IAS officer serving in Gujarat and living with his family in Ahmedabad. This book could take birth after ten years of thinking, writing and rewriting!  The title pyramid was derived from an Egyptian pyramid with a gigantic structure, a symbol of power stretching higher and higher into the sky. The author compares the pyramid with bureaucrats. He says the only difference was that one housed deceased Egyptian pharaohs while other housed living, conniving, tattling officers. There is a long (300 pages!) story of dreams those are virgin like unconsummated physical relation! You will read this novel to know what happens to Kartikeya Kukereja who meets his first failed love Revati Kapoor after both married and long gap of time passes. Revati desires to re-unite but does Kartikeya have the courage to hold on Revati? Honest? Mediocre? Coward? Does he ultimately succeed in fitting her in his life?  Th

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

We Are Alive To Live Only

While writing a book review on novel one has to be cautious in not telling the details, so that reader still needs to read the actual novel, on the same time they should find the basic details of the story in the review. Yes, I will do that. We Are Alive To Live Only is a story revolving around three young people in their twenties, namely Suhana from Kolkatta, Raahi from Surat and Joy from New Delhi. They meet and a novel is created in Mumbai. You have to read the novel to know how they become friends and how around ten years pass.

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો. મોરારજી દેસાઈનો સ્વભાવ સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ. ટૂંકો જીવન પરિચય ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્

દોસ્તાર - સુખનું સરનામું

દોસ્તાર - સુખનું સરનામું લેખક: જય વશી  પુસ્તક પરિચય - પ્રતિભાવ અને વિવેચન (ડૉ. ભરત દેસાઈ) પુસ્તક પરિચય ( Book Review ) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.

Learning To Say No, When You Usually Say Yes

Great damage is done to you if you say Yes when actually you want to say No . During a lifetime, we come across incidences in the day to day life where a critical situation arises and we wrongly say Yes  instead of No . This is about the analysis of all circumstances telling and teaching us why do we say Yes , how should we say No and most importantly, what are the benefits of telling No . No means no! (Photo source: indiatoday.in)

ઢળતી ઉંમરે તન-મનની માવજત

ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬) લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.

Who Is At Fault: India, Pakistan, Or Both?

India-Pakistan relation’s issue is a very complex subject and to summarise it in a 180-page book needs great skill. This interesting book ‘India Vs Pakistan: Why Can’t We Just Be Friends?’ written by Husain Haqqani caught all my attention. I also got an opportunity to present its review to my fellow members of the Senior Citizenship Club. Following their enthusiastic response to my talk, I now have this great urge to share the review with my blog readers as well. I shall try by introducing the author, telling about different wars, what leaders of India, Pakistan and other nations tell and finally the conclusion. The Author: Hussain Haqqani Hussain Haqqani is a Pakistani, who is a former Pakistani Ambassador to the US. Not only that, but he was also an advisor to four Pakistani Prime Ministers including Late Benazir Bhutto. The author is currently the Director for South and Central Asia at the Hudson Institute in Washington DC. The authenticity of his writing increases because

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.