Skip to main content

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!  

“વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે.

કોઈ જાતની કટુતા, ટીકા કે ડંખ વગર નિર્ભેળ પ્રેમ-સરળતા-લાગણી બતાવતા પત્રો અને મુલાકાતો દ્વારા પરિચય આપતી જીવનકથા વાંચવી જ રહી.

ચાલો, પહેલાં આપણે હરેશભાઈ ધોળકિયા સાહેબનો પરિચય મેળવીએ.
  • જન્મ: તા. 30 જૂન 1946
  • પિતા : ચમનલાલ 
  •  માતા : રસિકબાળા
  • મોટાભાઈ : સુધાકર 
  • નાની બહેન : દર્શના
  • પત્ની : વંદનાબહેન - લગ્ન : 1972
  • વ્યવસાય : શિક્ષક, આચાર્ય
  • નિવૃત્તિ : 45 વર્ષે 31 જુલાઈ, 1991 સ્વૈચ્છિક નિવૃત્તિ
  • પ્રિય સ્થળો : જ્યાં હોઉ ત્યાં, મહ્દ અંશે ઘર, સમુદ્રકિનારો
  • પ્રિય વ્યક્તિઓ : સમગ્ર જગતની
  • કુદરતી ઉપચાર (1983થી) અને શીવામ્બુ ચિકિત્સા (1981થી) સક્રિય
  • મુખ્ય શોખ : વાંચન, લેખન, પ્રવચનો, શિબિરો, સંગીત, વિચરવું, અનેક વિષયોમાં જિજ્ઞાસા
પુસ્તકવાંચન મિત્રો શોધી આપે છે, એવું પહેલીવાર જાણ્યું-અનુભવ્યું. મારા સ્નેહી આચાર્યા શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ મને “અંગદનો પગ” પુસ્તક વાંચવા આપ્યું. મે સ્વભાવવશ વાંચીને પ્રતિભાવ એમને અને આપશ્રી ને લખી મોકલ્યો. તેનું પરિણામ તે મારા નવા મિત્ર વડીલ શ્રી હરેશભાઈ! (આવા અકસ્માતો ઓછા થતાં હોય છે. કારણ કે સાહિત્યકારો કદાચ આપના જેવા અપવાદ રૂપે જ સાદા રહેતા હોય છે. બાકી તો, થોડુંક નામ થવાથી તેઓ વાચકોના પત્રો વાંચતાં નથી - જવાબ તો બહુ દૂરની વાત થઈ.)

પુસ્તક દ્વારા આપનો પરિચય થયો, પણ ઉંમર સિવાય વધુ વિગતો ન હતી. ત્યારે આપના વિદ્યાર્થીઓ - વિરેન શેઠ અને જીના શેઠ - દ્વારા લખેલ “વ્હાલનું અક્ષયપાત્ર” પુસ્તક દ્વારા વિગતવાર અને સંપૂર્ણ પરિચય થયો.

મારા જીવનમાં ભણતર દરમ્યાન અમિટ છાપ છોડનાર પાંચ ગુરુજીઓને ટેલિગ્રામ, ટેલિફોન કે તે પહેલાં પત્ર દ્વારા હું દર ગુરુપૂર્ણિમાએ પ્રણામ પાઠવતો. તેમના પ્રતિભાવો પણ નિયમિત મળતા. તેઓ ધીરેધીરે વિદાય થયા ત્યારે આપના પુસ્તક પછી આપના વિદ્યાર્થીઓ પ્રત્યે આપે દાખવેલ પ્રેમ જોઈ મને તેમની યાદ તાજી થઈ.

ચાલો હરેશભાઈ વિષેના મંતવ્યો મમળાવીએ!
 
વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, સગા સંબંધીઓ અને સાહિત્યકારો દ્વારા હરશેભાઈના જીવનની વિશેષતા જ એ કે - એમની પોતાની આગવી શૈલીથી જીવન જીવે. એમનું જીવન બધાથી તદ્દન અલગ. એમની જીવનશૈલી ફક્ત તેમણે જાતે લીધેલા નિર્ણય પર આધારિત. કોઈની સલાહ કે કોઈના આદર્શ કે કોઈના નિર્ણયથી પ્રભાવિત નહીં. એક વખત નિર્ણય લીધો પછી એમાં કોઈ ફેરફારની શક્યતા નહીં. (૭૭, નાના બહેન ડો.દર્શના

તેમને હું ‘મિનિ ગાંધીજી’ કહું, કારણકે એમણે એમની સમાજલક્ષી પ્રવૃત્તિ, વિચાર લેખન અને શિક્ષણ, ભલે કૌટુંબિક જીવનના ભોગે પણ ચાલુ રાખી છે. અને તે પણ જિંદગીના આઠમાં દાયકા સુધી જરાપણ ચલિત થયા વિના. (૭૭

મરતી વેળા હું કશી બચત ધરાવતો ન હોઉં તેથી શું? કદાચ કફન જેટલા રૂપિયા મારી પાસે ન હોય તો તેની ઉપાધિ પણ મારે શા માટે કરવી? (૩૯૮

૪૫ વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારનાર હરેશભાઈ-સવેતન શાળા-શિક્ષક મટીને અવેતન લોકશિક્ષક તરીકે અનૌપચારિક શિક્ષણમાં મસ્ત. (૩૯૯

સ્વભાવે શરમાળ અને ભણતરમાં સાધારણ પણ બાળપણથી વાચન ઝનૂન એવું કે રોજની એક ચોપડી તો વાંચે જ વાંચે. (૩૯૯

અલીયાબાડાની દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિધ્યાલયમાં પ્રખર પૃચ્છક (પ્રશ્ન કરનાર) તરીકે પંકાયા. (૪૦૧

વિદ્યાર્થીઓ અને પ્રૌઢોને જાતીય શિક્ષણ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે આપ્યું. 

સ્વભાવે નાળિયેર જેવા કઠોર અને કોપરાં જેવી મીઠાસ ધરાવતા હરેશભાઈ આનંદના ભાવ ઉછળીને ન બતાવે, જેથી કોઈવાર લાગણીશૂન્ય લાગે. 

Crystal Clear Personality - પારદર્શી વ્યક્તિત્વ: એમને તમે સોંસરવા જોઈ શકો અને છતાં કહી પણ ન શકો એવા અભેધ. 

વસ્તુને અને વ્યક્તિને ખુલ્લા દિલથી સ્વીકારે, પૂર્વગ્રહ થી નહીં. તેમણે પોતાની શાલીનતા-તાજગી કદી છોડી નથી. (૭૯

એ ટોળાંના માણસ નથી, પણ one-to-one સંબંધોના માણસ છે. 

સંબંધોની વ્યાખ્યાની બહાર જીવનારો માણસ છે અને ચોકઠાની બહાર (Out of Box) વિચારનારો માણસ છે. (૭૯

હરેશભાઈ તેમની તર્કશીલ બાહ્યપ્રતિભા નીચે એક સંવેદનામય લાગણીઓ ધરાવતો વ્યક્તિ છે. (૮૨

પરિવારમાં સૌ એકબીજાને મૂક રીતે ચાહતા. કોઈ દેખાડો નહીં. બસ માત્ર ચાહવું એજ પરસ્પરનો એકમાત્ર સ્વધર્મ. ટાંચા સાધનો, આર્થિક સંક્રામણ, સંયુક્ત પરિવાર, અને જીવનની ગુંચો- આ બધા વચ્ચે અમારું બાળપણ વીત્યું. (૮૫, બહેન દર્શના)

હરેશનું જીવન તદ્દન અંતર્મુખી, નીરવ, અવધૂત સમું રહ્યું. સંસારની ભરમારોથી દૂર, એકલપંડ, પણ તેમનું શિક્ષકત્વ પ્રભાવક રહેવાથી તેનો પ્રભાવ ખૂબ વિસ્તર્યો. (૮૭

કાકા કહે કે કોઈપણ બાબત માટેનું કારણ હોય જ. એ શોધી લેવું તો કોઈ નકારાત્મક લાગણી નહીં અનુભવાય. પછી એ કોઈ બીક હોય કે કોઈ માટેનો પૂર્વગ્રહ. (૮૧, ભત્રીજી ઉત્કંઠા

હરેશભાઈ ક્યાંય બંધાતા નથી. કોઈ ગુરુની કંઠી પહેરી નથી. પણ અનેક ગુરુઓની સાધના જાણી છે – સમજી છે અને સમાજમાં લેખો દ્વારા પહોંચાડી છે. (૧૦૫

“કચ્છમિત્ર” દૈનિકમાં કચ્છ વિષે ૪૦ વર્ષથી અભ્યાસપૂર્ણ લેખોનાં લેખક. (૧૦૭

તેઓ ચિંતકની ચિત્તવૃત્તિને પણ મઠારે એવા વિચારક છે. (૧૧૦

ધર્મમાં શ્રદ્ધા માનવું-ન-માનવું વગેરેમાં ફસાયા વગર પોતાની આંતરિક વૃતિઓને જ હંમેશા ચકાસવાનુ કહે. ગમે તે કરીને મૂળ ઉદ્દેશ્ય “જાગૃતિપૂર્વક જોવું” જ હોવો જોઈએ. (૧૪૭, Awareness)

શ્રી શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાભાવે, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, જેવા અનેક મહાપુરૂષોએ હરેશભાઈને ગૃહસ્થાશ્રમી સાધુ બનાવ્યા. શિક્ષણ માટેનો ભેખ લેવડાવ્યો અને સમાજના બાળકોને જ પોતાના સંતાન બનાવ્યાં. (૧૫૧

મૌજ કરો નહીં - મોજ માં રહો! (૧૪૩

સાલું આમને આંખમાં ક્યાક વાંધો હશે કે શું? બધામાં સારું જ દેખાય છે. ખરો માણસ છે, નહીં? 

જેમના સુખનો આધાર વ્યક્તિ, ઘટના કે સ્થળ પર ન હોય તે સુખી વ્યક્તિ. 

જેનું તંત્ર “સ્વ” પર હોય તે સ્વતંત્ર. સ્વતંત્ર વ્યક્તિ જ સુખી. (૧૮૦

હરેશભાઈ એક હરતી ફરતી યુનિવર્સિટી છે, એમ કહીએ તો ખોટું નથી. તેઓ જે કામ ઉપડે તેમાં મંડ્યા રહે અને પૂર્ણતાને પ્રગટાવે. (૧૩૪

ઘણાબધા સાહિત્ય પ્રકારો એમણે ખેડયા છે, અનેક ક્ષેત્રોમાં એમની સેવાની સુગંધ પ્રસરી છે. વિવિધ વિધ્યાઓમા ચાંચ ડુબાડી છે. અને કંઈકેટલાના પથદર્શક બન્યા છે. તેથી હરફનમૌલા સાબિત થયા છે. (૧૩૬

હરેશભાઈ હંમેશા કહે, લખતા રહો. લખતા રહો, એક દિવસ તમારું નામ પણ આગળ હશે, હશે અને હશે જ. (૧૨૫

વડોદરાની બાજુના મુનિ આશ્રમ, ગોરજમાં અનુબેનને તેમના બ્રહ્મચર્ય અને સેક્સ વિષે સવાલ પૂછેલા. (૧૧૮

હવે પછીની તેમની યાત્રા - પ.પૂ.ધ.ધુ.(પરમપુજ્ય ધર્મ ધુરંધર) બનવા તરફની દેખાય રહી છે. (૧૧૮)

હરેશભાઈ ધોળકિયાનો સ્વ-પરિચય
: (પોતે આપેલો પરિચય)
  • ભણવામાં હું તદ્દન નબળો હતો. મારા બધા મિત્રો અતિ હોંશિયાર. માત્ર હું જ ભયંકર ઠોઠ. (સફળ શિક્ષક, આચાર્ય, પ્રસિદ્ધ લેખક, અને પ્રભાવશાળી વક્તા તરીકેની નામના થયા પછી હરેશભાઈની નમ્રતા જ આવું સ્વીકારી શકે.)
  • છોકરીઓ ખૂબ ગમતી. તે સન્યાસી થવા દે એમ ન હતું. એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. (પારદર્શક પ્રમાણિક્તા - નિર્દમ્ભ ખુલ્લાપણું હોય તો જ આ વાત કારણ સ્વરૂપ પ્રદર્શિત કરી શકાય.)
  • શિક્ષક તરીકે “ચારસો ટકા આનંદ”! આજનાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે એવો જ પ્રેમ તેમના પ્રત્યે ઉભરાઈ આવે છે. વિદ્યાર્થીઓ જ મારા સંતાન રહ્યા છે અને આજે પણ છે. (આદર્શ શિક્ષક અને ગુરુ-શિષ્યના સંબંધની આ ઊંચાઈ વિદ્યાર્થીઓને નસીબથી જ મળે. આવા આદર્શ શિક્ષકને રાજ્ય કે રાષ્ટ્રીય સન્માન એટલે વિદ્યાર્થીઓનો પ્રેમ.)
  • નિવૃત્તિ પછી ૨૯ વર્ષથી મોટા ભાગે ઘરે રહીને જ કામ કરેલ છે. મુખ્ય પ્રવૃત્તિ લખવું-વાંચવું જ રહી છે. ઉપરાંત પોતા સાથે સમય ગાળું છું. હરું છું. ફરું છું. મજા કરું છું. (વરિષ્ઠ નાગરિક ૭૪ માં વર્ષે આનંદપૂર્વક પ્રવુત્તિમય દિવસ અને તેથી જીવન જીવે - એજ એમનો ઉપદેશ.)
  • If You Love What You Are Doing, You Will Be Successful. તેમણે આ વાક્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને નેત્રદિપક સફળતા મેળવી છે.
૪૨૨ પાનાનાં પુસ્તકનો સાર અથવા પુસ્તક પરિચય ટૂંકમાં લખીએ તો પણ લાંબો જ થઈ જાય એટલે કથાવસ્તુની વિગતો સમાવી શકાય. જીવન ઝરમરમાંથી વ્યક્તિનો પ્રાથમિક પરિચય થઈ જાય – પછી વધુ સમાવવાના લોભને મેં છોડીને કલમને વિરામ આપવાનું નક્કી કર્યું. આશા છે હરેશભાઈ ધોળકિયાનો ઓછો પરિચય મેં અહી સમજાવ્યો છે – વધુ ઉત્કંઠા જાગે તો પુસ્તક વાંચવા સિવાય છૂટકો નથી.





વહાલનું અક્ષયપાત્ર
  • પુસ્તકનું નામ: વહાલનું અક્ષયપાત્ર
  • સંપાદન : જીના શેઠ, વિરેન શેઠ
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૦૮-૦૮-૨૦૨૦
  • વર્ષ : ૨૦૧૯
  • પાનાં : ૪૨૨
  • પ્રકાશન : સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...