મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007
મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭ 

ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો. 



I. વ્યાખ્યાઓની સમજૂતી 
  1. બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી 
  2. ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર. 
  3. મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ 
  4. મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable) 
  5. સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs) 
  6. વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો 
  7. સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો. 
  8. સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ. 

II. Maintenance of Parents and Senior Citizens

માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ – રખરખાવ. 
  1. કલમ-૫ મુજબ, પોતાની આવક અથવા મિલ્કતમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા અક્ષમ (Unable) મા-બાપ કે વરિષ્ઠ નાગરિક 
    • મા-બાપ કે દાદા – દાદી પોતાના ઉમરલાયક(Major) એક કે વધુ બાળકો અને 
    • નિ:સંતાન મા-બાપોના કાયદેસર વારસ(Clause-G of Section 2) વિરુદ્ધ અરજી કરી શકશે. 
  2. સંતાનો કે બીજા વારસદારોની ફરજ(Obligation) મા બાપ કે વરિષ્ઠ નાગરિક સગાં સાધારણ જીવન જીવી શકે જોવાની છે. 

III. અરજી : Application for Maintenance

પોતાની આવક કે માલમિલકતમાંથી સાધારણ જીવન (Normal Life) ન જીવી શકાતા માં-બાપ કે વરિષ્ઠ નાગરિક સમાજસેવી સંસ્થા (Voluntary Organisation) સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ દ્વારા નોંધાયેલ સંસ્થા અથવા સરકારી ત્રિબ્યુનલ (Tribunal) ને અરજી કરશે. 
  1. કેસ પતે ત્યાં સુધી, વચગાળાનું ભરણપોષણ (Interim Maintenance) આપવાનું ત્રીબ્યુનલ સમય-સમયે નક્કી કરી આપશે. 
  2. કેસ નિકાલ: અરજી કાર્યથી ૯૦ (નેવું) દિવસની સમયમર્યાદામાં ત્રીબ્યુનલે કારણો જણાવ્યા પછી, વધારે ૩૦ (ત્રીસ) દિવસમાં ચુકાદો આપવાનો રહશે. 
  3. સજા: બાળક ઉપરોક્ત ઠરાવેલ રકમ, માં-બાપને ન આપશે અથવા ન આપી શકશે અને ત્રીબ્યુનલ દંડ (fine) કરશે. અને ત્રીબ્યુનલ(Warrant) મોકલીને ખુલાશેા માંગી એક મહિનાની કે ચુકવણી કરે ત્યાં સુધી –જે વહેલું હોય તે મુજબ કેદ (Imprisonment) ની સજા કરશે. 

આશા રાખીએ ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરવાની જરૂરિયાત આપણે ન પડે.

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!