Showing posts with label spiritual. Show all posts

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી. 


ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ.

  1. અનિન્દ્રા: દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી.
  2. પંડિત: જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જેને ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ભય-પ્રીતિ, ધનિકતા-નિર્ધનતા કંઈ જ અસર કરતા નથી. દ્રવ્યોયોપાર્જનમાં જે પ્રમાણિકતાને પ્રાધાન્ય આપે છે, જેણે ભોગવિલાસ ત્યજ્યા છે અને જે કોઈની નકલ ન કરતાં આપસૂઝ-આગવી બુદ્ધિથી લોકકલ્યાણના કાર્ય કરે છે તે પંડિત કહેવાય છે.
  3. મૂર્ખ: જે વિદ્વાન ન હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે દરિદ્ર હોવા છતાં લાખોની વાત કરે છે, પરિશ્રમ વિના દ્રવ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, જે મિત્ર સાથે કપટ યુકત આચરણ કરે છે, બળિયા સાથે બાથ ભીડે છે, શત્રુને મિત્ર બનાવી સાચા મિત્ર સાથે દ્વેષ રાખે છે, જે નિર્બળને દુ:ખ દે છે અને દરેક બાબતમાં શંકાશીલ હોય છે. તે મૂર્ખ કહેવાય છે.      
  4. ડાહ્યો માણસ: પરસ્ત્રીગમન, દ્યૃતક્રીડા, મૃગયા, મદિરાપાન, કર્કશવાણી, અનીતિ દ્વારા દ્રવ્યોપાર્જન, અને નિર્દોષ પ્રત્યે ઘાતકી વર્તન ત્યજનાર.
  5. આટલું ન કરો: કોઈ અગત્યની બાબતનો નિર્ણય એકલાએ જ ન કરવો, સ્વાદિષ્ટ ભોજન એકલા ન ખાવું, ઉજ્જડ ઘાટે સ્નાને એકલા ન જવું, નિર્જન રસ્તે વિચારણા એકલા ન ફરવું, કોઈની વસ્તુ ધણી ને પૂછ્યા વગર ન લેવી અને એકાંતમાં કામ સિવાય પોતાની માતા,બહેન, કે દીકરી સાથે પણ ન બેસવું.
  6. અનાદર: મોટા ભાગના મનુષ્યો છ વસ્તુઓનો અનાદર કરે છે.
      1. વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં વિદ્યાર્થી ગુરુનો,
      2. લગ્ન થઈ ગયા પછી પુત્રો માતાનો,
      3. કામવાસના શાંત થયા પછી પુરુષ સ્ત્રીનો,
      4. પ્રસંગ પૂરો થયા પછી તેમાં સહાય કરનારનો,
      5. રોગ મટ્યા પછી વૈદ્યનો અને છેલ્લે
      6. નદી પાર ઉતાર્યા પછી નાવડીનો લોકો તિરસ્કાર કરે છે.
  7. સંપતિ નાશ: વૃધ્ધવસ્થામાં રૂપ અને સૌંદર્ય હણી લે છે તેવી જ રીતે ઉદ્ધતવર્તન, તોછડાઈ, આછકલાઈ, અભિમાન, વગેરે સંપતિનો નાશ કરે છે. 
  8. સંગ તેવો રંગ: જેમ વસ્ત્રોને જે રંગો રંગવામાં આવે તેવો રંગ ચઢી જાય છે, તેમ જો કોઈ મનુષ્ય સજ્જનના સંસર્ગમાં આવે તો સજ્જન, દુર્જનના સંસર્ગથી દુર્જન, તપસ્વી સંસર્ગથી તપસ્વી અને ચોરના સંગથી ચોર બને છે.
  9. જીવનરથ: મનુષ્યનું શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે અને ઈન્દ્રિયો તેના ઘોડા છે. તેમણે વશમાં કરી સાવધાન રહેનાર બુદ્ધિમાન મનુષ્ય સુખપૂર્વક યાત્રા કરી શકે છે.
  10. વિશ્વાસ: કોઈના ઉપર વિશ્વાસ મુક્તા પહેલા ઊંડો વિચાર કરવો જોઈએ - જે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણતાં હોઈએ તેના પર પણ અધિક વિશ્વાસ ન મૂકવો. ખરેખર તો પોતાનો ખાસ વિચાર અતિગુપ્ત રાખવું.
  11. મિત્રતા: સજ્જન પુરુષે અભિમાની, મૂર્ખ, વાચાળ, ક્રોધી, ધર્મહીન અને ઉતાવળિયા પુરુષો સાથે ભૂલેચૂકે પણ મિત્રતા ન બાંધવી. મિત્ર તો સહૃદઈ, ઉદાર, સત્યનિષ્ઠ, કૃતઘ્ન, જિતેન્દ્રિય, પ્રેમી, સ્વભાવવાળો હોવો જોઈએ.
  12. સંતોષ: નિર્ધન હોય તે પણ જીવે છે અને ધનવાન હોય તે પણ જીવે છે, માટે આપણે અધિક ધન અને અધિક ભૂમિનો લોભ ત્યજી દેવો. જેટલું હોય તેનાથી સંતોષ માનશો તો સદા સુખી રહેશો. સંતોષી નર સદા સુખી.
  13. ક્ષણભંગુરતા: આ જગતમાં બધુ ક્ષણભંગુર છે. જે જન્મે છે તે મરે છે અને જે ખીલે છે તે કરમાય છે. કેટલાય લોકો સમૃદ્ધિ ત્યજીને અહી જ મૂકીને મરણ પામ્યા છે. સજ્જન મનુષ્યે કોઈ કામનાથી, ભયથી કે લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ ધર્મ નિત્ય છે પણ સુખ-દુ:ખ અચળ નથી. નાશવંત છે. 
  14. આપત્તિ: પરાઈ મિલકત પચાવી પાડવું, પરસ્ત્રીનો પરાભવ અને મિત્રનો ત્યાગ એ ત્રણ દોષો આપત્તિને આમંત્રણ આપે છે અને મોટી ખાનાખરાબી કરનાર છે.
  15. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ: વિનાસનો સમય આવવાને લીધે બુદ્ધિ મલીન થઈ જાય છે, ત્યારે અનીતિ નીતિ જેવી લાગે છે અને અનીતિ હ્રદયમાંથી ખસતી નથી. દ્વેષભાવને લીધે ફરી ગયેલી બુદ્ધિ લોભને કારણે પોતાને ખબર પડતી નથી.
  16. આવી અનેક વાતો, જ્ઞાની-વિદ્વાન અને ધૈર્યશીલ વિદૂરજીએ લંબાણ પૂર્વક ધૃતરાષ્ટ્ર ને કહીને, પાંડવોને તેમનો ભાગ પરત આપવા અને તેથી યુદ્ધનો આરંભ ત્યજવા સમજાવ્યું-પણ એ બધુ ભેંસ આગળ ભાગવત જેવુ નકામું સાબિત થયું. 
 કઈ નહીં તો, આપણને આ વાતો કઈક શીખવશે કે પછી...??                




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. 

ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. 

શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યાય છે. 365 પ્રકરણો ધરાવતો આ સૌથી લાંબો પર્વ છે. 

મારા હિસાબે ભીષ્મપિતામહે આપણને બધાને માર્ગદર્શન મળે તેવા સિદ્ધાંતો બતાવ્યા છે. જે જાણવા-સમજવા અનિવાર્ય છે. તો ચાલો, ભીષ્મપિતામહની ભગવદગીતાના જ્ઞાનનો મર્મ જાણીએ.  

મિત્રતા 

જીવનમાં આપતિઓ આવતી જ હોય છે, તેને મિત્ર વિના પાર પાડી ન શકાય. હ્રદયથી હ્રદયનું મિલન ધરાવતો મિત્ર જિગરજાન મિત્ર કહેવાય છે. કૃતજ્ઞ, મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી ન હોય તે આદર્શ મિત્ર કહેવાય છે.

મિત્રો ચાર પ્રકારના હોય છે.

  1. સહજ મિત્ર : સગાસંબધિઓ
  2. ભજમાન મિત્ર : પરંપરાથી જે મદદ કરતો આવ્યો હોય
  3. સહાર્થમિત્ર : શરતો કરીને મિત્રતા બાંધી હોય તે.
  4. તૃત્રિમ મિત્ર : ધન-સંપત્તિ આપી વશ કર્યા હોય.

સહજમિત્ર અને ભજમાનમિત્ર શ્રેષ્ઠ કહેવાય છે. સહાર્થ અને તુત્રિમમિત્ર શંકાસ્પદ હોય તેનાથી ચેતતા રહેવું જોઈએ.  

શાંતિના ઉપાયો (ભીષ્મપિતામહનો યુધિષ્ઠિરને બોધ)

શાંતિ પરાક્રમી રાજા અને પરાક્રમી પ્રજાથી જ આવે છે. રાજાએ સ્વયં પોતાનું, મંત્રીઓનું, ખજાનો અને સેનાનું, રાષ્ટ્રની પ્રજા અને રાજધાનીનું ઉપરાંત મિત્રરાષ્ટ્રોનું રક્ષણ કરવાનું હોય છે. 

અશાંતિના કારણો

  1. ખેતી, નોકરી, વ્યાપાર, ઘરકંકાસ, દ્રવ્યવાસના, કામવાસના
  2. અન્યાય, અપમાન, સંબંધો, ભૂલો, સળગતા પ્રશ્નો

ભીષ્મપિતામહ કહે છે,

  • ગુપ્ત રાખો: પોતાનું છિદ્ર, મંત્રણા અને કાર્યકૌશલ બીજાથી ગુપ્ત રાખો.
  • ત્યજો: છિદ્રવાળી નૌકા, ઉપદેશ વિનાનો આચાર્ય, વેદમંત્રવિનાનો હૃત્વિજ, રક્ષા ન કરી શકનાર રાજા, કટુવાણીવાળી સ્ત્રી, ગામમાં રહેતો ભરવાડ અને જંગલમાં રહેતો વાળંદને હંમેશા ત્યજો.
  • આમ પરાક્રમી, રાજધર્મીઓને રાષ્ટ્રવાદી રાજા જ શાંતિ લાવી શકે - સમૃદ્ધિ લાવી શકે છે.

દાન

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે. દાન એ ત્યાગનું સોપાન છે.

  1. સૌથી મોટું દાન અભયદાન છે. જે અભયનો ભંડાર હોય તે જ અભય આપી શકે.
  2. બીજા દાનો - મનોદાન, વચનદાન, શરીરશ્રમદાન, બુદ્ધિદાન, જલદાન, અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન અને સાધનાદાન છે.
  3. અનુકંપાદાન પણ ખૂબ મહત્વ ધરાવે છે.
    • દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના પડેલી છે.
    • દાન કિર્તિના બદલાવાળું કે ભૌતિક હેતુ પામવા ન હોવું જોઈએ.
    • દાનથી ધર્મને, કર્તવ્યને, સદાચારને અને અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ મળે છે.
    • એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય દાતાને આપોઆપ મળે છે. 

લક્ષ્મી (સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી) 

લક્ષ્મીની મહત્તા - જીવન મેળવવાનો મુખ્ય આધાર લક્ષ્મી છે.

  • વિકાસનું મૂળ સુખેચ્છા છે. સુખના વિરોધી વિકાસ વિનાના- દરિદ્ર અને છેલ્લે શોષિત બનતા હોય છે.
  • વધુ પડતાં સંતોષી, પ્રારબ્ધવાદી, અકમર્ણ્ય અને પૂર્વેના કર્મોની વાતો કરનાર દરિદ્રતા અને દુ:ખ લાવે છે.
  • સાદાઈ બેકારી અને દરિદ્રતા લાવે છે. વૈભવની ઈચ્છા રોજી અને સુખ લાવે છે. સાદાઈ વ્યવહારમાં ઠીક છે, જીવનમાં નહીં.
  • લક્ષ્મીના સાચા ઉપાસક અર્થોપાર્જન કરી હજારોના અન્નદાતા અને દાની બની શકે છે.  

પાપી મનુષ્યના લક્ષણો  (વેદ વ્યાસ)

  • કૃપણને દાન આપનાર                     
  • નિંદા કરનાર 
  • જૂઠું બોલીને પેટ ભરનાર                     
  • ગુરુનું અપમાન કરનાર 
  • માતા-પિતાને હડધૂત કરનાર                     
  • સ્વાર્થી 
  • ખોટાં તોલ-માપ કરનાર                     
  • ક્રોધથી ગામનો નાશ કરનાર 
  • બ્રાહ્મમણની હત્યા કરનાર

સમાજવિરુદ્ધ કામથી થતાં પાપ

  • અભક્ષ્ય આહાર લેવું                         
  • સ્વધર્મનો ત્યાગ કરવું 
  • શરણાગતનો તિરસ્કાર કરવો                     
  • માતા-પિતાનું ભરણપોષણ ન કરવું
  • યાચકોનો અનાદર કરવો                     
  • હિંસા કરવી 
  • અતિથિનો અનાદર કરવું 

પ્રાયશ્ચિત દ્વારા પાપ મુક્ત થવા પ્રાર્થના અને ભાવનાસહ ભક્તિ કરવી પડે છે.

સનાતન ધર્મ  (મુનિ દેવસ્થાન) 

સનાતન ધર્મના નવ અંગો:

  1. સર્વ પ્રાણીઓનો અદ્રોહ
  2. સત્યભાષણ
  3. આતિથ્ય સત્કાર
  4. દયા
  5. ચાપલ્ય
  6. લજ્જા
  7. મૃદુતા
  8. એક પત્ની વ્રત અને
  9. ઈંદ્રિયનિગ્રહ 

ચાર આશ્રમો અને તે વખતના કાર્યો

  1. બ્રહમચર્યાશ્રમ - સ્વાધ્યાય
  2. ગૃહસ્થાશ્રમ - ગૃહસ્થજીવન-યજ્ઞો
  3. વાન પ્રસ્થાશ્રમ - તપ
  4. સન્યાસ્તઆશ્રમ - જ્ઞાનયજ્ઞ   

સત્ય 

સત્ય સનાતન ધર્મ છે. સત્ય જ બ્રહમ છે. માટે સત્યનો સદૈવ આદર કરવો. સત્ય જીવની પરમગતિ છે. સત્યના તેર સ્વરૂપો છે. સત્ય, સમતા, દમ, મતસરનો અભાવ, લજ્જા, ક્ષમા, તિતિક્ષા, અન્યના દોષ ન જોવા, ત્યાગ, શુદ્ધ આચરણ, ધૈર્ય, દયા અને અહિંસા.
હકીકતમાં સત્ય એ ધર્મની પરાકાષ્ઠા છે. 

મોક્ષધર્મ

  • જેમ ફૂલથી સુગંધ અને સુખડ ઘસવાથી સુવાસ મળે છે, તેમ ઈષ્ટદેવનું અહર્નિશ ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. તો જ શ્રીહરિની કૃપાથી પ્રભુદર્શન શક્ય બને છે.
  • આપણામાં ભક્તિ હોય જ છે. કામ અને કાંચનનું આવરણ તેને ઢાંકે છે.
  • સત્કર્મ, ધ્યાન, જપ, પુજા, ઈશ્વરચિંતન, અને પ્રભુભક્તિથી પાપ કપાય છે.
  • ધર્મ એટલે બૌદ્ધિક વાદવિવાદ કે વિતંડાવાદ નહીં, ધર્મ એટલે નીતિશાસ્ત્ર મુજબ વર્તન-     ધર્માચરણ અને સંસ્કારીપણું-તેનાથી જ શાંતિ, પ્રગતિ અને ભાઈચારો મેળવી-છેલ્લે મોક્ષ મળે છે. 
 પાંચ મહાયજ્ઞ
  • બ્રહમયજ્ઞ - વેદનું અધ્યયન
  • પિતૃયજ્ઞ -  પિતૃ-તર્પણ અને શ્રાદ્ધ   
  • દેવયજ્ઞ - હોમહવન
  • ભૂતયજ્ઞ - બલીકર્મ
  • નૃયજ્ઞ  - માનવસેવા, અતિથિસેવા       

સર્વત્યાગીને જ મોક્ષ મળે છે એવી ગોરમાન્યતા છે.

  1. ત્યાગ: સુખનો ત્યાગ-ધન અને સ્ત્રીસંગ છોડવું
  2. મહાત્યાગ: સુખત્યાગ ઉપરાંત દુ:ખ સ્વીકૃતિ : અનિકેત- ઘર વગર વૃક્ષ નીચે રહેવું – આહાર-વિહાર કષ્ટદાયક રાખવા.
  3. અતિત્યાગ: મહાત્યાગ ઉપરાંત પ્રચુર દેહદમન-વસ્ત્ર ન પહેરવું, પાત્ર ન રાખવું, પગમાં કઈ ન પહેરવું, નામમાત્રનો આહાર, ઠંડી-તાપ-વરસાદ સહન કરવું. 

કળયુગ વિષે ભવિષ્યવાણી

વૃષ્ટિ નહિવત હશે- કૂવા, વાવ, તળાવના પાણીઓ, છોડ, વૃક્ષોની સંખ્યા ઘટશે, તૈયાર પાક તીડ ખાઈ જશે. ઋતુઓમાં અનિયમિતતા આવશે. દુષ્કાળ અવારનવાર પડશે. ગાય-ભેંસ ઓછું દૂધ આપશે. શ્વાન કરતાં ગાયો સસ્તી મળશે. વાસના, દંભ, ક્રોધ, લાલસા, મમત્વ જેવા દુર્ગુણો વધતાં જશે માનવમન સંકુચિત થશે. ભોગ-વિલાસમાં લોકો રચ્યાપચ્યા રહેશે. સદ્દ્ગુણોમાં ઓટ આવશે. અન્નના કોઠાર હશે ત્યાં ખાનાર નહીં હોય. અને ખાનાર હશે ત્યાં અન્નની અછત હશે. માનવ-માનવના સંહાર કરશે. ઘરે ઘરે કજિયો કંકાસ જોવા મળશે. ધનવાન-દાતાર નહીં બને. રાંધેલું અન્ન બજારમાં મળશે. ભિન્ન-ભિન્ન પ્રકારના યંત્રો, શસ્ત્રો અને વસ્ત્રો ઉત્તપન્ન થશે. 

ગુરુ, સ્વામી, મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારો વધશે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થશે. પુરુષ પત્નીને વશ થઈ પુત્રવધૂ સાસુ-સાસરનો તિરસ્કાર કરશે. સ્ત્રી પતિને તુચ્છ ગણશે. સ્ત્રી પતિનું કહેલું માનશે નહીં. પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે. આડંબર ખાતર સ્ત્રી ઓછું બોલશે. સ્ત્રીઓ અંગો દેખાય તેવા વસ્ત્રો પરિધાન કરશે. ગણિકાઓ નીતિ નિયમ પાળશે અને કુળવાન સ્ત્રી વેશ્યા જેવુ વર્તન કરશે. ભાઈ પોતાના ભાઈને દુશ્મન ગણશે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વેર બંધાશે. દેવાલયની મૂર્તિઓમાં દેવાયત નાશ પામશે. સાધુ-સન્યાસી ધનના લાલચુ અને ચારિત્રહીન બનશે વૈદ્ય-હકીમો દર્દીઓને ખોટી દવા આપશે. મલેચ્છ રાજકરતા બનશે. રાજા, પ્રધાન, વજીર, પ્રજા બધા ભેગા મળી ચોરી કરશે. મિથ્યા વાદવિવાદ-વિતંડાવાદ કરનારને લોકો વિદ્વાન માનશે. સાચા જ્ઞાનીને લોકો ગાળો ભાંડશે.

રાજધર્મ (રાજાએ ધ્યાનમાં રાખવાના લક્ષણો

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી કહે છે,

  1. શ્રદ્ધાપૂર્વક પરલોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો
  2. ક્રૂરતા વિના દ્રવ્યોપાર્જન કરવું
  3. ધર્મઅનુસાર ઈંદ્રિયનિગ્રહ કરવો
  4. દિનપણું તજવું
  5. શૂરવીર થવું, પણ અભિમાન કરવું નહીં
  6. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી
  7. પોતાની તાકાતની મર્યાદા વિચારી સંધિ કરવી
  8. કુપાત્રે નહીં, પણ સુપાત્રે દાન કરવું
  9. સગાવહાલાં સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં
  10. દુષ્ટ માણસની દુત તરીકે નિમણૂંક કરવી નહીં
  11. કાર્ય સિદ્ધ કરવા કોઈને દુ:ખ દેવું નહીં
  12. પોતાના વિચારો અપાત્ર મનુષ્યને જણાવવા નહીં
  13. આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) કરવી નહીં
  14. સાધુ-સંતો પાસે કરવેરા લેવા નહીં
  15. દુષ્ટ લોકોને મિત્ર બનાવવા નહીં
  16. પૂરી તપાસ કર્યા વિના શિક્ષા કરવી નહીં
  17. ગુપ્ત વાતો જાહેર કરવી નહીં
  18. લોભી જનોને દાન આપવું નહીં
  19. અપકાર કરનારનો વિશ્વાસ કરવો નહીં
  20.  ઈર્ષા આગ સમાન છે, ઈર્ષા કરવી નહીં
  21.  શુદ્ધતા (પવિત્રતા) જાળવવી
  22. અતિ વિષયભોગ (સ્ત્રીસેવન) ભોગવવા નહીં
  23. પથ્ય અને પોષક આહાર લેવું
  24. ગુરૂજનો અને વડીલોનું પૂજન કરવું
  25. ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. તેમની સેવા કરવી
  26. દેવતાઓની પુજા કરવી
  27. ન્યાયમાર્ગે જ ધન એકત્ર કરવું
  28. આસક્તિ વિના ધન વાપરવું
  29. દેશકાળને અનુસરી-સમયનો વિચાર કરી વ્યવહાર કરવો
  30. દરેક ને ધીરજ આપવી
  31. તિરસ્કારપૂર્વક નહીં-પ્રેમપૂર્વક ઉપકાર કરવો
  32. અન્યાયપૂર્વક કોઈને દંડ ન કરવો કે મારવું  નહીં 
  33. શત્રુને મારીને શોક કરવું નહીં
  34. વગર વિચાર્યે ક્રોધ કરવો નહીં
  35. અપરાધી ઉપર દયા રાખવી
  36. રાગદ્વેષ રહિત સર્વધર્મનું આચરણ કરવું અને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખવું

દરેક વ્યક્તિ સ્વયં રાજવી - રાજા! 

આપણે પોતે કુટુંબના, આપણાં પોતાના શરીરના અને તે ઉપરાંત બીજી ઘણી બધી રીતે રાજા છીએ. તેથી આ રાજાની સલાહો આપણને પણ એટલી જ અનુરૂપ યથાયોગ્ય અને જરૂરી છે. કઈંક વિચારીશું? 

  • પહેલી ભગવદગીતા માં અર્જુનનો વિષાદ દૂર કરવા અર્જુનને યુદ્ધની શરૂઆતમાં શ્રીકૃષ્ણે કહી છે અને તેમાં છેલ્લે અર્જુન પોતાનો ધર્મ સમજી “હું યુદ્ધ કરીશ” એમ વચન આપે છે. 
  • તેવી જ રીતે યુદ્ધના વિજય પછી યુધિષ્ઠિરને આપેલ વૈરાગ્ય અને સંસારત્યાગની ઈચ્છા છોડવા ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. પરિણામે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. આ બીજી ભગવદગીતા છે. 
  • પણ, એ બંને સંભાષણો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. હા, ખરેખર, દરેક પ્રશ્નનો ઉકેલ અને મનનું  સમાધાન આ બન્નેમં છે. ચાલો તો પછી આપણે સૌ માનવધર્મ-માણસાઈ-જીવનજીવવા આ પાઠોનું જીવનમાં આચરણ કરીએ.




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે.

મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1) 

ભગવદ્દગીતામાં જીવનના પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે. જેમ કે સંપૂર્ણ શરણાગતિ-સાક્ષીભાવ-સ્થિતપ્રજ્ઞજીવન-ઉપરાંત કર્મ યોગ-ભક્તિયોગ- અને જ્ઞાનયોગ વિષયક વિગતો આપી છે.
ચાલો ભગવદગીતા સમજીએ.

ભક્તિયોગ (XII અધ્યાય અને અધ્યાય VII જ્ઞાન વિજ્ઞાન યોગ)

હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક માર્ગે કર્મ, જ્ઞાન અને ભક્તિથી આગળ વધાય છે. તેમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાપૂર્વક કરાતી ભગવાનની પ્રાર્થનાની-ભક્તિની-ચર્ચા અને માહિતી ભગવદગીતામાં XII માં અધ્યાયમાં ‘ભક્તિયોગ’ તરીકે અને VII માં અધ્યાયમાં જ્ઞાનવિજ્ઞાન યોગમાં આપવામાં આવી છે. ભક્તના લક્ષણો, ભક્તના પ્રકારો અને ભક્તિની રીતે સમજવાથી ભક્તિ યોગની માહિતી સંપૂર્ણ થાય છે. 

ભક્તના લક્ષણો

ભક્ત પોતે કોઈને ઉદ્વેગ નથી આપતો અને કોઇથી ઉદ્વેગ નથી પામતો, ભક્ત હર્ષ, ભય, ઉદ્વેગ કે ઈર્ષ્યા (અમર્ષ) થી વેગળો છે-મુક્ત છે. આવો સ્થિરબુદ્ધિનો ભક્ત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. ભક્ત સાદાઈથી સંતુષ્ઠ, મનનશીલ અને નિંદા-સ્તુતિને સમાન ગણનાર હોય છે. 

ભક્તના પ્રકારો

  1. જિજ્ઞાસુ : ભગવાન અને ભક્તિ વિષયક જાણવાની અપેક્ષાવાળો ભક્ત
  2. જ્ઞાની : ભક્તિના વિષયનો જાણકાર, ભગવાનને નિર્દોષ ભાવે પ્રેમ કરનાર અને અપેક્ષા રહિત ભક્ત
  3. અર્થાર્થી : ભક્તિ દ્વારા આ કે આવતા જન્મે, લાભની અપેક્ષાવાળો ભક્ત
  4. આર્ત : ચિંતા, દુ:ખ, કે સમસ્યાના નિરાકરણ માટે ભગવાનની ભક્તિ કરનાર ભક્ત

ભક્તિની રીતો

  • શ્રાવણ :- સાંભળવું
  • કીર્તન :- મોટેથી ગાઈને - બોલીને - ભજવું.
  • સ્મરણ-મનન :- ભગવાનને યાદ કરવું અને તેનું ચિંતન કરવા સાથેની ભક્તિ
  • જપ :- માળાના મણકા સાથે કે વગર ભગવાનનું નામ બોલવું અને/અથવા લખવું.
  • વંદન :- ભગવાનને પગે લાગવું-પ્રણામ કરવું.
  • પાદસેવન :- ભગવાનની સેવા કરવું.
  • દાસ્ય :- ભગવાનના સેવક-નોકર-બની કામ કરતાં ભક્તિ કરવું.
  • સખ્ય :- ભગવાનને મિત્ર બનાવી ભક્તિ કરવું.
  • શાસ્ત્રોનું પઠન :- ભગવાનના ધાર્મિક પુસ્તકોનું વાંચન
  • આત્મનિવેદન :- સ્વને ભૂલીને ભગવાનની શરણાગતિ સાથેની ભક્તિ

આવી વિવિધ રીતોથી ભક્તિ થઈ શકે છે. તે ભક્તિયોગમાં શીખવા મળે છે.

જ્ઞાનયોગ (બીજો અધ્યાય) સ્વયંની અનુભૂતિ કરાવતો બુદ્ધિમાર્ગ 

જ્ઞાન-વિજ્ઞાન-બુદ્ધિ અને સ્વયંની અનુભૂતિ કરવાનો આધ્યાત્મિક માર્ગ તે જ્ઞાનયોગ. “હું કોણ છું” કે “હું શું છું” તે જાણવાને ખાતર યોગ્ય ગુરુ દ્વારા બુદ્ધિપૂર્વકનો અભ્યાસ જે “આત્મા” નું માર્ગદર્શન આપે છે, તે જ્ઞાનયોગ. 

જાણકારી, અનુભૂતિ, સમજણ સાથેનું જ્ઞાન કે જે વિગત, વસ્તુ અને આવડત શિખવે છે તે રસ્તો તે જ્ઞાનયોગ. સ્વયંસ્ફુરણા, અનુભૂતિ અને બુદ્ધિપૂર્વકની (Self consciousness, awareness and intellectual understanding) સમજણ જ્ઞાનયોગમાં મળે છે. 

જ્ઞાનયોગ ધ્યાન (Meditation) અને જ્ઞાન (Knowledge) શીખવે છે.

  1. વિવેક : બુદ્ધિપૂર્વક સમજણથી કાયમી (eternal) અને અનિત્ય-બદલાતું-(changing)નો તફાવત સમજવું.
  2. વિરાગ : કર્મફળ, વસ્તુઓ, અને અમૃત - કઈપણનો ત્યાગ – નિસ્પૃહા - તે વિરાગ.
  3. મોક્ષ : અજ્ઞાન થી જ્ઞાન તરફ વળી મોક્ષ મેળવવું.
  • શ્રવણ : સાંભળવું
  • મનન : વિચારવું-સ્વાધ્યાય કરવું અને
  • ધ્યાન : MEDITATION યોગ્ય બેઠક લઈ ધ્યાન કરવું.

આમ ગુરુની મદદથી, શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા મોક્ષ પ્રાપ્તિની શોધ કરવું તે જ્ઞાનયોગ.

કર્મયોગ (અધ્યાય - III) 

નિષ્કામ કર્મયોગ : (Selfless action for worship) કર્મફળ અને આશક્તિને છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તે.

કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. ખરેખર તો પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. (III-5) 

કૃષ્ણ- મારે ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે. કે ન કશીય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાય હું કર્મમાં જ વર્તુ છું. સઘળા કર્મો, સ્વપ્રકારે, પ્રકૃતિના ગુનો વડે જ કરવામાં આવે છે, છતાં અહંકારી-અજ્ઞાની-“હું કર્તા છું” એમ માને છે. (III-27)

શરીરના પ્રત્યેક અવયવ અને પ્રકૃતિ (નદી-સૂર્ય-વાદળ-ફૂલ-વૃક્ષ)ચારે તરફ નિષ્કામ કર્મ કરતાં જ રહે છે.

  • કર્મ તો કરવું જ, પણ કર્તાપણાનો ભાવ અને ફળની આશક્તિ છોડી દેવું.
  • પૂર્ણ પુરુષાર્થ કરો અને નિશ્ચિંત થાઓ. નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન જ એક સિદ્ધિ છે.
  1. કર્મ : સ્વધર્મ-સમાજે અને શાસ્ત્રોએ મંજૂર કરેલ કામો
  2. વિકર્મ : શાસ્ત્ર નિષિદ્ધ ક્રિયા, અંતરાત્મા ના પડે છતાં કરાતું કામ ચોરી, ખૂન, બળાત્કાર, હિંસા, અસત્ય, લોભ કે સંગ્રહ વિગેરે વિ = વિકૃત-વિકારવાળું-વિરુદ્ધ કામ
  3. અકર્મ : કાંઈપણ ન કરવું તે (lnaction) - નિષ્ક્રિયતા - શારીરિક શ્રમનો અભાવ

મોક્ષ - સન્યાસયોગ

  • નિત્યકર્મ : દૈનિક ક્રિયાઓ – ખાવું, ઊંઘવું, મળત્યાગ, શ્વાસ લેવું, સ્નાન, દેવસેવા, પૂજાપાઠ
  • નિમિત્તકર્મ : કારણને લીધે+માટે કરાતું કામ - અકસ્માત થનાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવું
  • કામ્યકર્મ : કોઈ સિદ્ધિ કે ફળ પ્રાપ્તિ માટે કામ-સંકટ કે રોગ નિવારણ અર્થે, + પુત્ર પ્રાપ્તિ, વરસાદ લાવવું માટે
  • કર્તવ્યકર્મ : ફરજ રૂપે કરવાનું થતું કામ – વિદ્યાર્થી તરીકે અભ્યાસ, વૃદ્ધ માતાપિતાની સેવા- ઈશ્વરભક્તિ, આશ્રમધર્મ, વર્ણધર્મનું કામ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર)

અન્નના પ્રકાર

  • ભક્ષ્ય : ચાવીને ખાવું પડે - દા.ત. રોટલી
  • ભોજય : ગળવું પડે - દા.ત. પ્રવાહી-દૂધ-પાણી
  • લોહય : ચાટવું પડે - દા.ત. ચટણી
  • ચોષ્ય : ચૂસવું પડે - દા.ત. શેરડી (15:15)

અપવિત્ર ભોજન : ન ખાવાના ભોજનના પદાર્થો

  • હિંસામય : માંસ-માછલી-ઈંડા
  • માદક : દારૂ, ભાંગ, તમાકુ
  • અપવિત્ર વસ્તુ : સ્થાન કે વ્યક્તિના સંયોગવાળું
  • અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસતધન વડે મેળવેલ. (17:10)

કરવા યોગ્ય કર્મ : દૈવી સંપદા (સોળમો અધ્યાય) 

  • મન, વાણી અને શરીરથી કષ્ટ ન આપવું
  • ક્રોધ ન કરવો
  • કર્મોમાં કર્તાપણાનો અભાવ રાખવું
  • ચિત્તમાં સરળતા હોવી-ચંચળતા નહીં
  • નિંદા ન કરવી
  • વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી 
  • વ્યર્થ ચેષ્ટા ન કરવું
  • મૃદુ સ્વભાવ રાખવો
  • શાસ્ત્ર વિરુદ્ધ કર્મથી લજ્જા થવી
  • ખરાબ કામ પ્રત્યે શરમ રાખવી
  • તેજ-ક્ષમા-ધીરજ અને બાહ્ય શુદ્ધિ રાખવી
  • પૂજ્યતાનું અભિમાન ન હોવું
  • નિરાભિમાની - પવિત્ર અને દાની બનવું
  • ચાડી ન ખાનાર બનવું
  • કોઈ પ્રત્યે શત્રુતા ન હોવી
ઉપર મુજબનું શાસ્ત્રોક્ત વિધિથી નિયત કરવા યોગ્ય કામ જ કરવું- તો જ સ્વર્ગ જવાશે.  

આસુરી સંપદા (ન કરવાના કામો)

  • દંભ 
  • ઢોંગીપણું 
  • સૌનો અપકાર કરવું
  • ઘમંડ 
  • મિથ્યાદ્રષ્ટિ 
  • ભ્રષ્ટ આચરણ
  • અભિમાન 
  • મંદબુદ્ધિ 
  • અન્યાયથી ધન કમાવવું
  • ક્રોધ 
  • ક્રૂરકર્મી 
  • લોભી થવું
  • કઠોરતા 
  • પાપાચારી
  • અજ્ઞાન 
  • દ્વેષકરનાર

ન કરવાના કામો - આસુરી ગુણો - નરકના દ્વાર ગણાય છે. 

ગુણાત્રય યોગ (ત્રિગુણ વિભાગ યોગ)

  • સત્વગુણ : તેજ પ્રગટાવનાર, વિકાર વિનાનો, સુખ અને જ્ઞાનના અભિમાનને જીવાત્માને બાંધે છે. ચેતનતા અને વિવેકશક્તિ વધે છે અને સત્વગુણથી મૃત્યુ પછી સ્વર્ગે જવાય છે.
  • રજોગુણ : લાલસા અને આશક્તિમાંથી ઉદ્દભવે છે. આ ગુણ ધરાવનાર લોભી, સ્વાર્થી, અશાંતિ, અને વિષય લોલુપ હોય છે. મૃત્યુ પછી મનુષ્યલોકમાં ફરીથી માનવદેહ મળે છે.
  • તમોગુણ : અજ્ઞાન, પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે આ ગુણ ઉપજે છે. વ્યક્તિ નિસ્તેજ અને ચેતનતાનો અભાવ ધરાવે છે. કર્તવ્યકામો ન કરનાર, આળસુ અને વધારે ઊંઘ લેનાર પ્રમાદી બને છે.મૃત્યુ પછી અધોગતિ પામે છે અને જંતુ કે પશુ જેવી મૂઢયોનિ પામે છે. 

શ્રદ્ધાત્રય વિભાગ

ત્રણ જાતના મનુષ્યો જગતમાં હોય છે. સાત્વિક, રાજસી અને તામસી. તે ત્રણેનું વર્તન સ્વભાવ પ્રમાણે અલગ-અલગ હોય છે. 

  1. પુજા : 
    • સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે. રાજસી યક્ષ અને રાક્ષસોને પૂજે છે. 
    • જ્યારે તામસી ભૂતપ્રેતગણને પૂજે છે.
  2. ખોરાક :
    • સાત્વિક ભોજન : આયુષ્ય, ઉત્સાહ, બળ, આરોગ્ય-સુખ, પ્રીતિ વધારનારા, સ્નિગ્ધ- ચિકાશવાળા અને મધુર રસવાળા, શરીરને મજબૂત કરી સ્થિર કરનારા અને હ્રદયને પ્રિય હોય છે. 
    • રાજસી મનુષ્ય : કડવા, તીખા, ખાટા, અતીગરમ લૂખા, દાહ કરનારા ભોજન લે છે. તેનાથી દુ:ખ-શોક અને રોગ ઉત્પન થાય છે. 
    • તામસી લોકો : વાસી, એંઠું, ઠંડુ, રસ વગરનું, ગંધાતું, અપવિત્ર ભોજન કરે છે. 
  3. યજ્ઞ : 
    • સાત્વિક : શાસ્ત્રવિધિ મુજબ-સ્થિર મને-ફળની અપેક્ષા વગરનો યજ્ઞ 
    • રાજસી : દંભ પૂર્વક-ફળની અપેક્ષાથી કરાતો યજ્ઞ
    • તામસી : શાસ્ત્રવિધિ વિરુદ્ધ અન્નદાન વિના, મંત્ર રહિત અને દક્ષિણા રહિત શ્રદ્ધાભાવ વગરનો યજ્ઞ 
  4. દાન : 
    • સાત્વિક : કર્તવ્યપરાયણતાથી, યોગ્ય સ્થળે અને સમયે, બદલાની આશા વગરનું દાન
    • રાજસી : ફળ પ્રાપ્તિમાટે, કચવાતા મને, દાન લેનાર ઉપર ઉપકાર કરવા માટે, રોગ નીવારણ માટે, માન, પ્રતિષ્ઠા અને સ્વર્ગ પ્રાપ્તિમાટેનું દાન
    • તામસી : અયોગ્ય સ્થાન અને સમયે, અપાત્રને, અવજ્ઞાપૂર્વક અપમાન કરીને આપેલું દાન
  5. ત્રિવિધિ તપ :
    • સાત્વિક : ફળની અપેક્ષા વિના, પરમાત્માપરાયણ માણસ દ્વારા શારીરિક, માનસિક અને વાણીનું તપ
    • રાજસી : દંભથી, સત્કાર-માન અને પૂજાની અપેક્ષા સાથેનું તપ
    • તામસી : અજ્ઞાનપૂર્વક, હઠથી થતું, મન, વાણી અને શરીરને પીડા આપનારું બીજાને અનિષ્ઠ કરવા થતું તપ 

સ્થિતપ્રજ્ઞ (બીજો અધ્યાય : 55 થી 59 ષ્લોક) (Man of Steady Wisdom)

  • વ્યક્તિ પોતે જ સ્વભાવે સંતુષ્ઠ અને પોતાની રીતે જ આનંદમાં હોય - તે પોતાને છોડી બીજામાં સુખ ન શોધતો હોય – તે સ્થિતપ્રજ્ઞ = સ્થિરમતિ.
  • કામના વાસના ત્યાગીને તેને ઈશ્વર તરફ વાળનાર છે.
  • સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ સ્થિરમતિ બને છે તેથી તેને સુખ-દુ:ખનો સ્વસ્થતાથી સ્વીકાર બને છે. રાગ-વિરાગથી પર રહે છે અને તેથી ભય અને ક્રોધથી આપમેળે જ મુકત થાય છે.
  • વિષયો પ્રત્યેનો આશક્તિ સ્થિત પ્રજ્ઞે ત્યજેલી જ હોય છે અને તેથી તેને પોતાના ચિતને નિર્વિકાર કરનાર બનાવ્યું હોય છે.
  • આમ, સ્થિત પ્રજ્ઞને પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેને સંસાર પ્રત્યે લેશમાત્ર આશક્તિ રહેતી નથી. (59)
  • તેણે કાચબાની જેમ ઈન્દ્રિયોને વિષયમાંથી સંપૂર્ણપણે સર્વ પ્રકારે ખેંચી લીધી હોય છે. (58)
  • જેને સ્થિરતાનું જ્ઞાન મળ્યું હોય તે, આનંદ કે શોક મુકત છે. તેણે એનું ક્યાય સ્થળ કે વસ્તુનું વળગણ નથી. તેથી તે આનંદ કે શોકથી મુકત છે. (57)
  • સ્થિતપ્રજ્ઞને દુ:ખોની પ્રાપ્તિ થતાં મનમાં ઉદ્વેગ નથી થતો તેવી જ રીતે, સુખો મળતા પણ સંપૂર્ણપણે તેનાથી નિસ્પૃહ રહે છે, કારણ સ્થિતપ્રજ્ઞના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા હોય છે. (56)

ખરેખર સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ (મુનિ, જ્ઞાની, યોગી કે ભક્ત) મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજીને છેલ્લે આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે. (55) 

સંપૂર્ણ શરણાગતિ (બીજો અધ્યાય-47 ષ્લોક)

ભગવદગીતાનો આ સૌથી મહાન ઉપદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “મારા શરણમાં આવ બધી જ જવાબદારી હું વહન કરીશ.” જીવનના અનુભવોમાં નિષ્ફળતા-નિરાશા-હતાશા ઘણી વખત આપણને ઘેરી વળે છે. ત્યારે રસ્તો દેખાતો નથી - ઉપાય મળતો નથી આવા સમયે “સંપૂર્ણ શરણાગતિ” (Total surrender) એકમાત્ર ઉપાય છે.

  • પરમાત્મામાં સ્થિર થઈ જાવ.
  • એ સમજો કે ફક્ત કર્મ કરવાની જ આપણી ફરજ છે, પરંતુ તેના ફળોનો બિલકુલ અધિકાર જ નથી.
  • ભગવાન જે ફળ આપે તેનો સાચો સ્વીકાર (Acceptance) કરવાથી શાંતિ મળે છે.
  • આમ ભગવાનને શરણે ગયા પછીથી કાર્યના પરિણામનું આપણને કોઈ મહત્વ જ રહેતું નથી.

સાક્ષીભાવ (Awareness of being an Observer)

કોઈપણ કાર્યના અને તેના પરિણામના ફક્ત પ્રેક્ષક (Observer) હોવાની લાગણીને સાક્ષીભાવ કહે છે. આપણે ફક્ત કાર્યકરનાર અને સર્વ કઈને દૂરથી જોનાર છીએ એવી મન:સ્થિતિ કેળવવાની છે. દેહભાવ છોડીને, માત્ર આત્મસ્વરૂપ હોવાની દ્રઢ અનુભૂતિ સાથે માણસ તમામ પ્રવૃત્તિ - બધા કર્મ - તટસ્થ રીતે - કેવળ ફરજના ભાગરૂપે - ફળની અપેક્ષા છોડીને કરે અને જે કઈ બને છે તેમાં હું-આત્મા - કશે સંડોવાયો નથી. અને સર્વ કઈ ફક્ત પ્રકૃતિનો ખેલ હોવાની લાગણી અનુભવે તે સાક્ષીભાવ.  

ગીતાસાર

ભગવદગીતાના સાતસો ષ્લોક અને અઢાર અધ્યાયમાંથી આપણે આ શીખ્યા:

  1. ત્રણ યોગ : જ્ઞાન-ભક્તિ અને કર્મ એમ ત્રણ યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, અને કર્મયોગ. આ ત્રણ હકીકતમાં જુદીજુદી રીતની સાધના પદ્ધતિ છે. જેને જે ગમે તે અને જે ફાવેતે પદ્ધતિથી લોકોત્તર કક્ષા પ્રાપ્ત કરવાનું ગીતા સમજાવે છે. ખરેખર તો જ્ઞાન વગરના ભક્તની, ભક્તિ રહિત જ્ઞાનની કે જ્ઞાની અને ભક્ત ન હોય તેવા કર્મયોગની હયાતી સ્વીકારવા ગીતા તૈયાર નથી. એટલે કે જ્ઞાન-ભક્તિ અને કર્મ બધાનો એકસાથે એકસામટો ઉપયોગ જ થાય તે હિતાવહ છે.
  2. જીવનમાં ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ સંપૂર્ણ શરણાગતિ, સાક્ષીભાવ અને સ્થિતપ્રજ્ઞ સ્વભાવ કેળવવાથી અચૂક થઈ શકે છે. એટલે ચાલો, આ ત્રણે લક્ષણો સમજીએ અને જીવનમાં ઉતારીએ.
  3. સંભવામી યુગે યુગે : ચોથા અધ્યાયના સાતમા અને આઠમાં ષ્લોકમાં શ્રીક્રુષ્ણ ધર્મની સ્થાપના માટે અને સાધુપુરુષની રક્ષા માટે ફરી-ફરીને અનેકવાર હાજર થવાનું વચન આપે છે. (IV- 7-8)
  4. કરીષ્યે વચન તવ (18 : 73) અર્જુન શ્રીકૃષ્ણની આ ભગવદગીતા સાંભળીને કહે છે- હું તમારા ઉપદેશ પ્રમાણે જ વર્તીશ આ મારૂ આપણે વચન છે.


"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે. 

આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે.

આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત.

મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.  

કૌટુંબિક પરિચય

મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં અને છેલ્લા તેરમાં વર્ષના વનવાસની વાત વિરાટપર્વ માં જણાવી છે. તેરમાં વનવાસથી પરત ફરેલા પાંડવોને રાજ્ય ન આપતા તે પરત લેવા વાતચીત-સંધિ અને છેલ્લે યુદ્ધની તૈયારીની ચર્ચા ઉધ્યોગપર્વ માં કરેલી છે. આમ પહેલાં પાંચ અધ્યાયોમાં શરૂઆતની વાતનું વિગતવાર વર્ણન છે.  

કુરુક્ષેત્રનું યુદ્ધ

કૌરવો અને પાંડવો વચ્ચેના મહાભારતનું યુદ્ધનું વર્ણન ભીષ્મપર્વ, દ્રૌણપર્વ, કર્ણપર્વ, અને શલ્યપર્વમાં કરેલું છે. અહીં દરેક પર્વના નામ કૌરવ સેનાના સેનાપતિ પરથી ઉદ્દભવેલા છે. જેમકે ભીષ્મ, દ્રૌણ, કર્ણ અને શલ્ય. ભીષ્મપર્વ એટલા માટે ખાસ મહત્વનું છે કારણ કે તેના ૨૫ થી ૪૨ પ્રકારણોમાં અર્જુનને યુદ્ધની શરૂઆતમાં થયેલા વિષાદને દૂર કરવા શ્રીકૃષ્ણે આપેલો ભગવદગીતાનો સમાવેશ થયેલ છે. સૌપ્તિકપર્વ માં સૂતેલા પાંડવપુત્રોની ઊંઘમાં અશ્વથામાએ કરેલી હત્યાનું વર્ણન છે.

યુદ્ધ પછીની સ્થિતિ 

યુદ્ધમાં પાંડવો જીતે છે. કૌરવોના પક્ષે તથા પાંડવોના પક્ષે થયેલા મરણોના દુખમાં વિલાપ કરતી સ્ત્રીઓની વાત સ્ત્રીપર્વ માં કરી છે. મહાભારતની કથામાં બારમો અધ્યાય શાંતિપર્વ સૌથી લાંબો છે. બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનના સિદ્ધાંતો કહે છે. તે સમજાવટને લીધે યુધિષ્ઠિર રાજા થવા સંમત થાય છે. આ વર્ણનો ધરાવતા શાંતિપર્વને હું બીજી ભગવદગીતા તરીકે વર્ણવું છું. યુધિષ્ઠિરને જ્ઞાન આપતા ભીષ્મપિતામહ અઠ્ઠાવન દિવસ બાણશૈયા ઉપર રહી છેલ્લે ઈચ્છામૃત્યુ પામે છે તે વાત અનુસાશન પર્વ માં છે. 

સ્વર્ગારોહણ 

રાજ્યાભિષેક કરીને યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરે છે. તે અશ્વમેઘ પર્વ માં સમજાવ્યું છે. છેલ્લે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, અને કુંતી જંગલમાં નિવાસ દરમ્યાન આગમાં મૃત્યુ પામે છે તે વાત આશ્રમવાસિક પર્વ માં આવેછે. ગંધારીના કૃષ્ણ ને શ્રાપને કારણે કૃષ્ણ તથા યદાવોના વિનાશની કથા મૌસલપર્વ માં છે. અહીં છેલ્લે મહાપ્રસ્થાન પર્વ હિમાલયમાં પાંડવો અને દ્રૌપદી ના પ્રસ્થાનની વાત અને સૌથી છેલ્લે બધાના મરણ અને સ્વર્ગવાસનું વર્ણન સ્વર્ગારોહણ પર્વમાં વર્ણવેલી છે.

કુરૂવંશ 

ઘણી પેઢીઓ પહેલાં રાજા કુરુ હસ્તિનાપુર ખાતે રાજ્યકર્તા હતો. ત્યારપછીની પેઢીમાં અંશવાન, પારિજાત(1), જન્મેજય(1), ભીમસેના(1), પ્રતિશ્વાસ, અને છેલ્લે પ્રતિપાનો પુત્ર શાંન્તનું હતો. મહાભારતમા શાંન્તનું રાજાના પરિવારની વિગતવાર વાર્તા હોવાથી તે સમજીએ. શાંન્તનું રાજા પહેલીવાર ગંગા સાથે લગ્ન કર્યા તેનો પુત્ર તે ભીષ્મ. ત્યારપછી શાંન્તનુંએ સત્યવતી સાથે લગ્ન કરતાં પુત્રો ચિત્રાંગદા (વહેલી ઉંમરે મરણ પામ્યો) અને વિચિત્ર વીર્ય. સત્યવતીના લગ્ન પહેલા પરાશર દ્વારા પુત્ર વ્યાસ. સત્યવતી (માછીમાર કન્યા) મત્સ્યકન્યાના પિતાએ લગ્ન સમયે સત્યવતી શાંન્તનુંનો પુત્ર રાજા બને એવી શરત કરતાં, ભીષ્મ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લે છે. વિચિત્રવીર્ય અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન કરે છે પરંતુ અપુત્રવાન મરણ થતાં સત્યવતી બન્ને વહુઓને વ્યાસજી દ્વારા પુત્રો લાવવા સલાહ આપે છે.

  1. વ્યાસજી જોડે નિયોગ સમયે અંબિકાની ભયને લીધે આંખ બંધ થવાથી નેત્રહીન અંધપુત્ર ધૃતરાષ્ટ્ર જન્મે છે.
  2. વ્યાસને નિયોગ સમયે જોતાં અંબાલિકા સફેદ પડી જતાં ફીકાશ પડતો પીળો પુત્ર પાંડુ જન્મે છે.
  3. વ્યાસજીના દાસી જોડે શરીર સંબંધ થી વિદ્વાન પુત્ર વિદુર જન્મે છે.

પહેલાં પાંડુ, અને તેના મૃત્યુ પછી, ધૃતરાષ્ટ્ર રાજા બને છે. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર રાજા સુબલની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેને 100 પુત્રો કૌરવો- દુર્યોધન, દુ:શાશન, વિગેરે અને એક પુત્રી દુ:શલા જન્મે છે. ધૃતરાષ્ટ્ર ના દાસી સાથે સંબંધથી પુત્ર યુયુત્સુ જન્મે છે. પાંડુ રાજા કુંતી અને માદરી સાથે લગ્ન કરે છે. લગ્ન પહેલાં કુંતીને છ પુત્ર માટે દુર્વાસાએ મંત્ર આપ્યા હતા. કુંતી લગ્ન પહેલાં સૂર્યદેવને મંત્ર કહેતા સૂર્યપુત્ર કર્ણ જન્મે છે. વધેલાં પાંચમાંથી ત્રણ મંત્રો દ્વારા પોતે ત્રણ અને માદ્રી બે પુત્રોની માતા બને છે. 

ધર્મદેવને પ્રાર્થના કરતાં ધર્મરાજ યુધિષ્ઠિર, વાયુદેવનું આહવાન કરતાં અતિ બળવાન ભીમ અને છેલ્લે ઈન્દ્રનું આહવાન ફાગણમાં કરતાં ફાલ્ગુન ઉર્ફે અર્જુન જન્મે છે. બીજી રાણી માદ્રીને જોડીયાપુત્રો નકુલ અને સહદેવ જન્મે છે. કામાતુર થતાં શ્રાપિત પાંડુ રાજા મૃત્યુ પામતા માદ્રી સતી થાય છે. 

દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનના લગ્ન દ્રૌપદી જોડે થાય છે. ઘરે આવતા માતા વહેંચી લેવાના આશીર્વાદ અજાણતા આપે છે. તે કારણે દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બને છે. તે દરેક દ્વારા એકેક એમ પાંચ પુત્રોની માતા બને છે. 

આ સિવાય, ભીમના લગ્ન હિડીમ્બા સાથે થતાં પરાક્રમી ઘટોતક્ચ જન્મે છે. 

અર્જુનના લગ્ન ઉલૂપી સાથે થતાં ઈરાવાન, ચિત્રાંગદા સાથે થતાં બભ્રુવાહન અને શ્રીકૃષ્ણ ની બહેન સુભદ્રા સાથે થતાં અભિમન્યુ પુત્ર તરીકે જન્મે છે.

અભિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન થતાં પરિક્ષિત જન્મે છે. જેનો પુત્ર જન્મેજય થાય છે.

મહાભારતમાંથી આટલું તો જાણવું જ પડે. ચાલો, અગત્યના પ્રસંગોની માહિતી સમજીએ... 

દ્રૌપદીનું ચિરહરણ - સભાપર્વ 

દુર્યોધન મયદાનવ રચિત સભામંડપ જોઈને પાંડવોથી ઈર્ષ્યા પામે છે. શકુની તેને પાંડવોના પૂર્વગ્રહને લઈ ઈર્ષ્યા છોડવા કહે છે. ભાઈ દુ:શાસન, કર્ણ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કૃપાચર્યા, અને મારૂ કુટુંબ તારી પડખે જ છે. અમારી સહાયથી ભારતવર્ષ દિગ્વિજય કર. ઉપરાંત શકુની છળકપટ કે યુક્તિ-પ્રયુક્તિ સિવાય પાંડવોને જીતવા અશક્ય બતાવે છે. યુધિષ્ઠિર જુગાર રમવાના ખૂબ શોખીન છે, પરંતુ રમતા આવડતું નથી. શકુની કહે છે જુગારમાં હું વિશ્વમાં સૌથી પ્રવીણ છું, તેથી દ્યૂત રમીને હું તારા માટે સારુંય રાજ્ય આંચકી લઈશ.

સભામંડપમાં પ્રવેશદ્વારમાં સ્ફટિક મણીની મદદથી આબેહૂબ ચિત્ર દોર્યું હતું. જે બંધ હોવા છતાં ખુલ્લુ લાગવાથી દુર્યોધન દીવાલ સાથે અથડાઈ છે. ત્યાર પછી જળ હોય ત્યાં સ્થળ દેખાય એવા જળાશયને જોતાં જમીન માની દુર્યોધન તેમાં પડે છે અને તેના વસ્ત્રો પલળ્યા.

દ્રૌપદી અટ્ટહાસ્ય કરીને બોલી : “અંધના અંધ જ હોય.” ભીમે ઉમેર્યું - આતો ખરેખર ધૃતરાષ્ટ્રનો જ પુત્ર છે. દુર્યોધન અને શકુની ભુલભુલામણીને લીધે મહેલમાં ભૂલા પડ્યા-ત્યારે ભીમ, અર્જુન, સહદેવ, અને નકુળ સેવકો સહિત હસવા લાગ્યા. અપમાનિત બન્ને હસ્તિનાપુર પરત ગયા. શબ્દનો મહિમા અપાર છે. 

એક શબ્દ શાંત વિશ્વને સમરાંગણના પલટાવી નાખે છે. દ્રૌપદીના આ અપમાનજનક એક વાક્ય “અંધના અંધજ હોય” ને લીધે મહભારતનું યુદ્ધ સર્જાયું. 

દુ:ખી દુર્યોધનને શકુનીએ પાંડવોને દ્યૂત રમાડવાની યોજના સાંભળવી-ધૃતરાષ્ટ્ર પાસે પુત્ર પ્રેમને લીધે તેની પોતાની નામરજી હોવા છતાં વાત માન્ય રાખવી અને વિદુરને આમંત્રણ આપવા મોકલ્યા.

દ્યુત્ત સભા

 દુર્યોધન-દુ:શાસન-કર્ણ અને શકુની ની ચંડાળ ચોકડીએ અદ્દભુત સભા તૈયાર કરાવી. હસ્તિનાપુર આવવાના વિદુરના આમંત્રણને માન આપી વિદુર સાથે પાંડવો માતા કુંતી અને દ્રૌપદી સાથે પહોંચ્યા. વિચક્ષણ, મૂર્ખ, ઉદાર અને લોભીની પરીક્ષા જુગારમાં થાય છે. યુધિષ્ઠિર ફક્ત મહારાજ ધૃતરાષ્ટ્રને વંદન કરવા અને રમત જોવા જ આવ્યો હોવાનું જણાવી રમવાની ના પડે છે. શરૂઆતમાં અતિઆગ્રહને વશ થઈ ફકતા રમત અને જુગાર રમવાની ના પડે છે. પણ છેલ્લે વિચારે છે કે સંસાર ભાગ્યને આધીન છે, નહિતર મહારાજ ધૃતરાષ્ટ્ર જ દ્યુતનું આયોજન ન કરત. 

સભા અકડેઠઠ ભરાઈ ગઈ. સૌકોઈ સિંહાસને અને પોતાને સ્થાને ગોઠવાયા. છળકપટમાં અને પાસાના પરિણામ લાવવામાં માહિર દ્યુત શકુની-દુર્યોધન-અને યુધિષ્ઠિરે દ્યુત શરૂ કર્યું. 

યુધિષ્ઠિરે પ્રથમ દાવમાં મણિય સુવર્ણહાર, બીજા દાવમાં ધન અને રત્નો મૂક્યા. અઠંગ જુગારી અને કપટી શકુની દરેક દાવ જીતતો જ ગયો. યુધિષ્ઠિર મનનું સમતોલપણું ગુમાવી ધૃષ્ટ અને પામર થતાં ગયા. શકુનીના પાસા ઈચ્છા પ્રમાણે પડતાં હતા. હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે ધન ધાન્ય, રથ ઘોડા, દાસ-દાસીઓ, અને રાજ્ય હાર્યા. સૌએ તેમને રોક્યા પણ માન્યા નહીં. ચારે ભાઈઓ અને પોતાની જાતને પણ હારી ગયા. કપટ દ્યુત પાંડવો હાર્યા. વિદૂરે રમત બંધ કરવા કહ્યું પણ દુર્યોધને અપમાનિત કર્યા.

  • યુધિષ્ઠિરે દ્રૌપદીને હોડમાં મૂકી- દુર્યોધન દ્રૌપદીને જીત્યો. દુર્યોધન-દુ:શાસન, કર્ણ, અને શકુનીની ચંડાળ ચોકડી હસવા લાગી.
  • ધૃતરાષ્ટ્રનો દાસીપુત્ર યુયુત્સુ શોકમગ્ન થઈ ગયો.
  • દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણથી અન્યાય સહન થયો નહીં. તેણે ઊભા થઈ ભીષ્મને અને સાર્વવડીલોને મૌન ન રહેવા જણાવ્યું. ધર્મરાજને મામા શકુનીએ છળ-કપટ, યુક્તિ-પ્રયુક્તિ થી જીત્યા છે. અને વિકર્ણે છેલ્લે ઉમેર્યું! હું આમાં પરિવારનો નાશ જાઉં છું. કર્ણે મહાનુભાવોનું મૌનને સંમતિ બતાવી ત્યારે વિકર્ણે સભાત્યાગ કર્યો.
  • દુર્યોધને વિદુરને દ્રૌપદીને સભાગૃહમાં લાવવા કહ્યું. તેમણે ફિટકાર વરસાવ્યા, પછી દુર્યોધને પ્રતિકામી સારથીને કહ્યું તેને દ્રૌપદીએ રજ્સ્વલા હોવાનું અને ફક્ત એક જ વસ્ત્ર શરીર પર હોવાથી આવા ના પાડી ત્યારે દુ:શાસનને દ્રૌપદીને પકડી લાવવા કહ્યું. રાણીવાસમાંથી દુ:શાસને દ્રૌપદીને દોડીને ચોટલોથી પકડી લીધી અને ઘસડતો સભામાં લાવ્યો.

ભર સભામાં દ્રૌપદીએ સંબોધન કરતાં કહ્યું:

  1. કોઈ અણછાજતું વર્તન કરતાં દુ:શાસનને રોકતું કેમ નથી?
  2. યુધિષ્ઠિર પહેલા જાતને હાર્યો કે પહેલા મને હાર્યો તે નિર્ણય કરો
  3. આર્યનારીનું અપમાન થતું હોય ત્યારે, ક્ષત્રિયો ની તલવારો કેમ કુદી પડતી નથી.

ભીષ્મે આ સવાલનો અર્ધદગ્ધ-અસ્પષ્ટ જવાબ આપ્યો. આ બધા પછી, કર્ણે કહ્યું:

  1. દુ:શાસન આ પાંડવો અને દ્રૌપદીના શરીર પરથી વસ્ત્રાલંકારો કાઢી-ઉતારી શકુનીને આપી દે.
  2. દ્રૌપદીને પાંચ પતિ છે. અને “વારંગના (વૈશ્યા)” ની કોટીમાં મુકાય-તેને એક વસ્ત્ર હોય કે સમુળગુ ન હોય બધુ સરખું છે પાંડવોએ પોતાના ઉપવસ્ત્રો ઉતારી સભામાં વચ્ચોવચ્ચ ફેંક્યા.

દુ:શાસન પંચાલીએ પહેરેલું એકમાત્ર વસ્ત્ર બળપૂર્વક ખેંચવા લાગ્યો.

  • દ્રૌપદીએ ની:સહાય અવસ્થામાં મદદ માટે શ્રીકૃષ્ણ ને પ્રાર્થના કરી. આર્તનાદ સાંભળી કૃષ્ણ રક્ષા કરવા હાજર થયા. દુ:શાસન વસ્ત્ર ખેંચતો ગયો-બીજુ વસ્ત્ર પાંચાલીના દેહ ઉપર લપેટાતું ગયું. અદ્રશ્યપણે દિવ્ય વસ્ત્રો પૂરા પાડ્યાં દસ હજાર હાથીનું બળ ધરાવતા દુ:શાસન થાકીને લોથપોથ થઈ ગયો. દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની દુ:શાસનની મનોકામના અધૂરી રહી ગઈ. શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી.
  • ભીમસેન ક્રોધાવસ્થામાં ત્રાડ પડી બોલ્યા : હું પ્રતિજ્ઞા લઉં છું કે યુદ્ધમાં દુ:શાસનની છાતી ચીરી હું તેનું લોહી પીશ.
  • તે સાંભળી દુર્યોધને કર્ણને પોતાની ડાબી જાંગ બતાવી આ જોઈ ભીમે કહ્યું. દુર્યોધન તારી એ જાંગને ગદાપ્રહારથી મહાયુદ્ધમાં હું તોડી નાખીશ. છેલ્લે ભીમ બોલ્યા હું લાચાર ન હોત તો આ સભામાં જ દુષ્ટોના પ્રાણ લઈ લઉં. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ઠપકો આપી-દ્રૌપદીને વરદાન માંગવા કહ્યું દ્રૌપદીએ પાંચ પાંડવો અને પોતાને દાસત્વ માંથી મુક્ત કરવા કહ્યું. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરની માફી માંગી સર્વસ્વ પરત કર્યું.

ફરીથી દ્યુત રમવા બોલાવી-બાર વરસનો વનવાસ અને તેરમાં વરસનો અજ્ઞાતવાસ-તેમાં જાણ થાય તો ફરીથી બાર વરસનો વનવાસ-એવી શરત સાથે દ્યુત રમતા યુધિષ્ઠિર શકુનીના છળકપટ સામે ફરીથી હારી અરણ્યવાસ વેઠે છે. નારદે ધૃતરાષ્ટ્રને કૌરવવંશના નાશનો શ્રાપ આપ્યો. આ સમયે, દુ:શાસને દ્રૌપદીને ભોગવિલાસની લાલચ આપી અને ભીમને બળદ કહ્યો.

  1. અપમાનિત ભીમસેને યુદ્ધમાં સર્વ કૌરવોનો સંહારની પ્રતિજ્ઞા લીધી.
  2. અર્જુને કર્ણના સંહાર અને કર્ણના સાથીઓનો સંહાર કરવા પ્રતિજ્ઞા લીધી.
  3. સહદેવે શકુની અને તેના સાથીઓને એકલે હાથે સંહારની પ્રતિજ્ઞા લીધી.
  4. વનમાં વિદાય થતી દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે ભીમસેન દુ:શાસનને મારી એનું લોહી પીશે અને લોહી ભર્યા હાથ મારા ઉપર મૂકશે ત્યાં સુધી હું ચોટલો વાળીશ નહીં-વાળ છૂટા રાખીશ.

કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવોનું યુદ્ધ  

દ્યુતમાં હરવા પછી તેર વર્ષના વનવાસ વેઠીને છેલ્લે વિરાટનગરમાં પાંડવો પ્રગટ થયા. વિરાટનરેશની રાજકુમારી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે ધામધુમથી ઉજવ્યા. ત્યારપછી પોતાનું રાજ્ય ઈન્દ્રપ્રસ્થ ધૃતરાષ્ટ્ર પાસે કઈ રીતે પરત મેળવવું તે વિચાર્યું. હસ્તિનાપુર ખાતે ધ્રુપદરાજાના પુરોહિતને દુત તરીકે મોકલવા શ્રીકૃષ્ણે સંમતિ આપી. પુરોહિતે કૌરવોની સભામાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતામહ, દ્રૌણ, અને દુર્યોધન વિગેરે ની હાજરીમાં “અન્યોઅન્ય કોલકરાર અનુસાર રાજ્યોનો અડધો ભાગ પાંડવોને મળવો જોઈએ અને એમ ના કરતાં જો યુદ્ધ થાય તો સંહારનો દોષ તમરે શિરે રહેશે એમ જણાવ્યું.”

  • ભીષ્મપિતામહે તેમાં સંમતિ પુરાવી, તેમને રોકી કર્ણે ક્રોધાવેમાં આવી દુર્યોધન ધાકધમકીથી તસુભાર રાજ્ય પણ નહીં આપે એમ જણાવ્યું. ભીષ્મપિતામહ તથા દ્રૌણગુરુએ પણ ફરીથી રાજ્યધર્મ માની, યુદ્ધ ન કરવા કહ્યું. મહારાજ ધૃતરાષ્ટ્રે સંજય સાથે ઉત્તર મોકલવા જણાવ્યું.
  • સંજયે પાંડવોને “રાજ્યભાગ આપવા સંમત નથી” એ ધૃતરાષ્ટ્ર દ્વારા મોકલેલ સંદેશો કહેતા શ્રીકૃષ્ણે સંજયને જવાબમાં કહ્યું પાંડવો સંધિ માટે તત્પર છે, પણ યુદ્ધ માટે પણ એટલા જ તૈયાર છે. આમ જો ઇન્દ્રપ્રસ્થ રાજ્ય સુપ્રત ન કરે તો મહાયુદ્ધનું મંડાણ નિશ્ચિત જ છે. છેલ્લે યુધિષ્ઠિરે સંજયને કહ્યું વધુ નહિ તો ફક્ત પાંચ ગામ (કુશલસ્થળ, વુકસ્થળ, માંકડી, વારણાવત અને એક બીજું ગામ) આપશો તો પણ વિવાદનો અંત લાવી સલાહ-શાંતિ કહીશું.
  • સંજયનો જવાબ પછી, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને ગાંધારી, ભીષ્મપિતામહ, વિદૂરજી, ભગવાન વ્યાસ, કૃષ્ણચાર્ય, દ્રોણાચાર્ય, સહિત સંજયે પોતે પણ વિગતે સમજાવી રાજ્ય પરત કરવા કહ્યું. ચંડાળ ચોકડી દુર્યોધન, દુ:શાસન, મામા શકુની, અને મિત્ર કર્ણ થી પ્રભાવિત દુર્યોધન પાંડવોને સોંયની અણી મુકાય તેટલી ધરતી પણ ન આપવા જણાવે છે. વિદૂરજી વિગતવાર નીતિવચનો સમજાવે છે, પણ પુત્રમોહવાળો ધૃતરાષ્ટ્ર સંમત ન થતાં, યુદ્ધ અનિવાર્ય બને છે.

શ્રીકૃષ્ણ દુત બન્યા 

દુર્યોધન દુરાગ્રહ પછી પાંડવોને સંજય કોઈ જવાબ ન પહોંચાડતા શ્રીકુર્ષ્ણ દુત તરીકે હસ્તિનાપુર જાય છે. કૌરવસભામાં જઈ શ્રીકૃષ્ણ કહે છે. કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ-શાંતિનો પ્રયત્ન કરવા અહીં આવ્યો છું. માટે ગંભીરતાથી વિચારી “યુદ્ધ કે સંધિ” બેમાંથી ઉચિત લાગે તે જણાવો. અવિવેકી દુર્યોધન શ્રીકૃષ્ણને જેલમાં મૂકવા પ્રયત્ન કરે છે ત્યારે શ્રીક્રુષ્ણ પોતાનું “વિરાટ સ્વરૂપ દર્શન” કરાવે છે. દુર્યોધન સભાત્યાગ કરે છે. છેલ્લે શકુનીના ભાઈ ઉલૂકને દુત તરીકે પાંડવ છાવણીમાં મોકલ્યો. શ્રીકૃષ્ણએ તેને યુદ્ધના મેદાનમાં મળવા કહ્યું. આમ બધી મંત્રણાઓ નિષ્ફળ જતાં યુદ્ધનો માર્ગ જ ખુલ્લો રહે છે.

દુર્યોધન-અર્જુન દ્વારકામાં

દ્વારકામાં શ્રીકૃષ્ણની યુદ્ધ માટે મદદ લેવા આવેલા દુર્યોધન અને અર્જુન સાથે ભેગા થઈ જાય છે. શ્રીકૃષ્ણ એક તરફ યાદવીસેના અને બીજી તરફ યુદ્ધ ન કરતાં અને શસ્ત્ર ન ધારણ કરેલા પોતે હોવાનું જણાવી પસંદ કરવા કહ્યું. અર્જુને શ્રીકૃષ્ણને પોતાની સાથે સારથિ બનવા કહ્યું ત્યારપછી દુર્યોધને ”યાદવીસેના” મેળવી ખુશ થયો. 

સેના: બન્ને પક્ષોએ રાજાઓનો સંપર્ક કરી પોતાને પક્ષે તૈયાર કરી સેના બનાવી. પાંડવોએ યાદવ સાત્યકિ, જરાસંઘપુત્ર જ્યત્સેન, દ્રુપદરાજા, વિરાટ નરેશ, એમ સાત અક્ષૌહીણી સેના ભેગી કરી. કૌરવોએ ભગદત્ત, કૃતવર્મા, ભોજ, અંધક, ભૂરીક્ષ્વા, શલ્ય, જયદ્રત, વિગેરે,મળી અગિયાર અક્ષૌહીણી સેના બનાવી. એક અક્ષૌહીણી સેના ના 21870 રથમાં લડનારા રથી. 21870 હાથી સવાર, 65610 ઘોડેશ્વાર, આમ યુદ્ધ મેદાનમાં 21870 + 28000 X 11 મળી 393600 સંખ્યાનું સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં ભેગું થયું.

શ્રીકૃષ્ણ ની ભેદનીતિ 

  1. શ્રીકુર્ષ્ણએ કર્ણને ફોડવા પ્રત્યન કર્યો. તેમણે પોતે કર્ણ જયેષ્ઠ પાંડવ હોવાનું રહસ્યોદઘાટન કર્યું, ઉપરાંત માતા કુંતી દ્વારા પણ કર્ણને હકીકત જણાવી. આ બંન્નેના પ્રયત્નો છતાં, કર્ણે મિત્રધર્મને પ્રાધાન્ય આપી કૌરવો સાથે જ રહેવા કહ્યું. માતાને આશ્વાસન તરીકે અર્જુન સિવાય ચારે પાંડવોને ન મારવાનું વચન આપ્યું.
  2. યુદ્ધની નવમી રાત્રે, ભીષ્મને યુધિષ્ઠિર સાથે યુદ્ધમેદાનમાં મળી “તેઓ કઈ રીતે મરશે?” એવું પૂછતાં પોતે શિખંડી દ્વારા વિંધાશે, કારણ સ્ત્રી હોવાથી તેને મારશે નહીં એમ જણાવ્યું.
  3. કૌરવસેનામાં જોડાયેલ શલ્યરાજાને, યુધિષ્ઠિરે કર્ણના સારથિ બની અર્જુનની પ્રશંસા દ્વારા ઉત્સાહભંગ કરવા જણાવ્યું.
  4. ભીષ્મપ્રતિજ્ઞા-2 : યુદ્ધમાં પાંડવો અને શિખંડીને ન મારવાની પ્રતિજ્ઞા લીધી.

ભીષ્મપર્વ

  • યુદ્ધમાં પડેલા બન્ને પક્ષોએ યુદ્ધના નિયમો નક્કી કર્યા.
  • પાંડવોએ સામે પકસેથી જોડાવા આવવા આમંત્રણ આપ્યું, ત્યારે ધૃતરાષ્ટ્રનો પુત્ર યુયુત્સુ પાંડવ પક્ષે જોડાયો.
  • યુદ્ધની શરૂઆતમાં અર્જુનને વિષાદ થતાં, શ્રીકૃષ્ણ ભગવદગીતા સંભળાવી વિષાદ દૂર કરે છે.
  • મહાભારતના અઢાર દિવસના યુદ્ધને કૌરવપક્ષના સેનાપતિઓના નામથી વર્ણવ્યું છે. પ્રથમ સેનાપતિ ભીષ્મ હોવાથી ભીષ્મપર્વ કહેવાયું. દસ દિવસ તેઓ લડ્યા, છેલ્લે તેમના વચન મુજબ શિખંડીના બાણો દ્વારા અને તેની પાછળ ઉભેલા અર્જુનના બાણો વડે ભીષ્મ પડ્યા પણ ઈચ્છામૃત્યુનું વરદાન હોવાથી ઉત્તરાયણની પ્રતિક્ષા કરી. બાણશૈયા પર સૂતેલા ભીષ્મના માથાના ટેકા માટે અર્જુને બાણ છોડી સહાય કરી.

ભગવાન વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને યુદ્ધ નિહાળવા દિવ્યદ્રષ્ટિ આપવાનું કહ્યું. પણ તેમણે સંજયને દિવ્યચક્ષુ આપવા કહ્યું. સંજયે ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન સંભળાવ્યું. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધનું મંડાણ થયા પછી 39લાખ સૈનિકોનાં યુદ્ધનું વિગતવાર વર્ણન અને અઢાર દિવસ ચાલેલા યુદ્ધની વિગતોમાંથી થોડા ખાસ નોંધનીય પ્રસંગો કહીશ.

ભીષ્મપ્રતિજ્ઞા 

રાજા શાંતનુની પ્રથમ પત્ની ગંગા-શાંતનુના ગંગાને પ્રશ્ન ન પૂછવાના વચનભંગ થવાથી તેના આઠમા પુત્ર દેવવ્રતને જન્મ આપ્યા પછી લગ્નસંબંધ છોડી વિદાય લે છે. વિદાય સમયે, શાંતનુની વિનંતીને માન આપી પુત્ર દેવવ્રતને ચોવીશ વરસ સુધી ગંગા સાથે રાખે છે તે દરમ્યાન બૃહસ્પતિ પાસે ચારવેદ-શુક્રાચાર્ય અને પરશુરામ પાસે ધનુર્વિદ્યા અને મહામુની વિશિષ્ઠ પાસે ધર્મજ્ઞાન, ન્યાયશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરાવે છે. તેથી આ ગુણવાન પુત્રને ગંગેય (ગંગાપુત્ર) અને ભીષ્મપિતામહ તરીકે ઓળખાયો. (પરશુરામ મુની કામેચ્છાને વશ મત્સ્યકન્યા દ્વારા પુરાણોના રચયિતા વ્યાસને જન્મ આપે છે.) આ તરફ પત્ની ગંગાની વિદાય પછી એકલા પડેલા શાન્તનુ દાસરાજ માછીમારની કન્યા મત્સ્યગંધા પ્રત્યે આકર્ષાયા. તે દેવાંશીરૂપ અપ્સરા હોવા ઉપરાંત પરાશર મુનિએ આપેલ કસ્તુરીની યોજન સુધી ફેલાતી સુગંધને કારણે યોજનગંધા પણ કહેવાતી. રાજા શાંતનુએ દાસરાજ પાસે કન્યાના હાથની માંગણી કરી. પુત્રીના લગ્નની હા પડતાં પિતા દાસરાજે એક શરત રાજા શાંતનુને સંભળાવી “મત્સ્યગંધા ઉર્ફે પુત્રી સત્યવતીથી થનાર પુત્ર રાજગાદીનો વારસદાર બની હસ્તિનાપુર રાજસિંહાસનનો ઘણી બને.” શાંતનુ રાજા કામવિહવળ હોવા છતાં પ્રથમ પુત્ર ભીષ્મના રાજગાદી છોડવા બાબતના અન્યાયપૂર્ણ વચન માટે નાસંમત થઈ પરત ફર્યા. ચિંતા અને શોકથી વ્યાકુળ પિતાની તકલીફ ભીષ્મ શોધી કાઢે છે. ભીષ્મ માછીમારને મળવા જાય છે અને પિતાનો લગ્નનો મનોરથ પૂર્ણ કરવા બે વચનો પ્રતિજ્ઞા કરીને આપ્યા.

  1. સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા પિતા પછી રાજગાદી નહીં લઉં.
  2. છતાં માછીમારોને શંકા રહેતા-બીજી પ્રતિજ્ઞા-હું આ જીવન અવિવાહિત રહીશ- અખંડ બ્રહ્મચારી રહીશ- જેથી બીજી સંતાનનો પ્રશ્ન જ ન રહે.

આવી ભીષણ કઠોર પ્રતિજ્ઞાને કારણે દેવવ્રત ભીષ્મ કહેવાયા. અને રાજા શાંતનુએ પુત્રને “ઈચ્છામૃત્યુ” નું વરદાન આપ્યું.

ભીમને ઝેર

એક વખત રમતરમતમાં ભીમે દુર્યોધનને ખૂબ માર્યો હતો- આ કુદ્વેષને લીધે શકુની અને દુર્યોધને ખોરાકમાં ઝેર આપી ભીમને મારવાનો મનસૂબો કર્યો. પછી જળક્રીડાને બહાને દુષ્ટ દુર્યોધન ભીમને લઈ ગંગાકિનારે ગયો. ભીમને સખત ભૂખ લગતા ઝેર મિશ્રિત ખીર શકુનીએ ખવડાવી. રાત્રે એકાંતમાં સુવડાવી પછીથી શીલા બાંધીને ગંગામાં નાંખી દીધો. ભીમ મર્યો નહીં પણ પાતાળમાં ગયો ત્યાં વાસુકિએ આદરસત્કાર કર્યો. ઝેર ઉતાર્યું અને આઠ કુંડનું અમૃતપાન કરાવ્યુ. આથી ભીમને દસ હજાર હાથીનું બળ મળ્યું. આમ, ભીમને જીવતદાન સાથે વિશાળ તાકાત મળી.

આજે પણ મહાભારત પૂરું થયું નથી... હજી પણ ચાલ્યા જ કરે છે....
મનરૂપિ કુરુક્ષેત્રમાં મહાભારત કાયમ લડ્યા જ કરે છે.
લાક્ષાગૃહ

  • વરણાવત (જૂના પ્રયાગ) ખાતે મેળામાં જવા પાંડવો તલપાપડ થઈ રહ્યા હતા. ખરેખર તો, ચંડાળચોકડી : ધૃતરાષ્ટ્ર દુર્યોધન, મામાશકુની, તેમનો મંત્રી પુરોચન- પાંડવોને વારણાવત મોકલવા જ માંગતા હતા.
  • શકુની અને દુર્યોધને વારણાવત ખાતે પુરોચનની મદદથી લાખનો એક ભવ્ય અને કલાત્મક મહેલ બનાવ્યો. લાખનો મહેલ જલ્દી સળગી ઊઠે તે માટે દિવાલોમાં લાખ, રાળ, ડામર, કોલસા, ઘી, તેલ, ચરબીનો ઉપયોગ કર્યો. અહી મહેલ-લાક્ષાગૃહ માં માતા કુંતી અને પાંચ પાંડવો ને રાખી સળગાવી મારવાની યોજના હતી.
  • આખી વાતનો વિદુરને અણસાર આવી જતાં, યુધિષ્ઠિરને બર્બર નામની સાંકેતિક ભાષામાં આડકતરી રીતે ચેતવણી આપી દીધી હતી. માણસો મોકલી કિલ્લાની પાછળ ખાઈ ચોખ્ખી કરવાને બહાને વિદૂરે સમયસર એક ભોયરું મહેલમાંથી નીકળવા બનાવી આપ્યું.
  • પુરોચન એક સ્ત્રી અને પાંચ પુત્રો લઈને લાક્ષીગૃહ આવી. ત્યારે તેમણે ભોજન કરાવી-રાત્રે સુવડાવી દીધા બાદ, સાવચેત ભીમે જાતેજ લાક્ષીગૃહને સળગાવ્યું અને ભોંયરા મારફતે સહી સલામત નદી કિનારે પહોંચ્યા-ત્યાં ઊભી રાખેલ નૌકા મારફતે મહાવનમાં પહોંચ્યા.

દુર્યોધન કહે છે : ધર્મની મને જાણ છે. તમે અધર્મ શું છે તેની પણ મને ખબર છે. છતાં મારા હ્રદયમાં બેઠેલા દૈવને લીધે અને અધર્મનું નિવારણ થતું નથી.
જરાસંઘ વધ (સભાપર્વ) 

 મગધના રાજા બ્રુહદ્રથ કાશીરાજની બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિ થી જોડાયા. ની:સંતાન રહેવાથી ચંડકૌશિક મુનિને મળ્યા અને મૂલ્યવાન ભેટો આપી. પ્રસન્ન થયેલા મુનિએ એક કેરી મંત્રિત કરીને આપી અને રાનીને ખવડાવવાથી પરાક્રમી પુત્રરત્ન જન્મશે એમ કહ્યું. રાજાએ બન્ને રણીઓને અડધી-અડધી કેરી ખાવા આપી. પરિણામે બન્ને રાણીઓને અડધા-અડધા અંગવાળા બાળકો જન્મ્યો. ગભરાઈ ને બન્ને એ જંગલમાં બે અડધા ટુકડા ફેંકી દીધા- જરા નામની માંસભક્ષી રાણીએ ફક્ત ઊંચકવાની સરળતા ખાતર જોડ્યા-તો તે રાજકુમાર બન્યો. ચમત્કારથી પ્રભાવિત-જરા-એ રાજમહેલમાં પહોંચાડ્યો. જરા નામની રાક્ષસી (=જરા) એ સંઘ (=જોડ્યો) હોવાથી જરાસંઘ નામાભિધાન કર્યું. ચંડકૌશિક મુનિએ તેની ભવિષ્યવાણી જણાવી-તે અતિ પરાક્રમી અને તેજસ્વી બનશે એમ જણાવ્યું.

રાવણની માફક અભિમાની બનેલા જરાસંઘે 84 રાજાઓને બંદીવાન બનાવ્યા અને 16 રાજાઓને પકડવા નીકળ્યો- એકસો રાજાઓના પુરુષમેઘ યજ્ઞમાં બલિદાન આપવા વિચાર્યું.

શ્રીકૃષ્ણે બંદીવાન રાજાઓને છોડવા કહ્યું-ત્યારે જરાસંઘે ના કહી પોતાની સાથે યુદ્ધ કરવા કહ્યું. અર્જુન અને ભીમ સાથે આવેલ શ્રીકૃષ્ણને જરાસંઘે ભીમ સાથે લડવાનું પસંદ હોવાનું જણાવ્યું.

હાથોહાથનું યુદ્ધ, મુક્કાબાજી, ગદા યુદ્ધ અને મલ્લયુદ્ધની લડાઈ ચૌદ દિવસ લંબાઈ, જરાસંઘ જ્યારે જમીન પર પટકયો ત્યારે શ્રીકૃષ્ણના તૃણ ચીરીને કરેલા સંકેત મુજબ, ભીમે પગ પકડીને શરીરના બે ઊભા ચીરા કરી ટુકડાને વિરુદ્ધ દિશામાં ફેંક્યા, જેથી ફરી જોડાઈ સજીવન ન થાય.

બંદીવાન રાજાઓને મુક્ત કર્યા. જરાસંઘના પુત્ર સહદેવને અભયદાન આપી રાજ્યાભિષેક કરાવ્યો.

શાસ્ત્ર વચન : જે મનુષ્ય અનેક લોકોનો વધ કરવા તત્પર થયો હોય તેને, છળકપટ કે યુક્ત-પ્રયુક્તિથી પણ મારી નાંખવો.

શિશુપાલવધ (સભાપર્વ) 

ચેદીરાજ કુળમાં જન્મ પામેલ, શિશુપાલ ચાર હાથ+ત્રણ આંખ સાથે જન્મ્યો હતો. જન્મતાંની સાથે ગધેડાની જેમ ભૂકયો હતો જેના ખોળામાં બેસતા, શિશુપાલના વધારાના બે હાથ અને વધારાની આંખ ઊખડશે, તેના હાથથી જ શિશુપાલનું મૃત્યુ થશે. શ્રીકૃષ્ણે હાથમાં લેતા બે હાથ-એક આંખ લુપ્ત થયા-શિશુપાલની માતા શ્રીકૃષ્ણની ફોઈ થાય, તેમણે શ્રીકૃષ્ણને શિશુપાલના સો અપરાધ માફ કરશો એમ જણાવ્યું. શિશુપાલે યદુવંશીનો નાશ, દ્વારકા સળગાવ્યું, અશ્વમેઘમાં અંતરાય, બભ્રૂની પત્ની સૌવીર અને કૃષ્ણના મામાની દીકરી ભદ્રાનું અપહરણ જેવા અનેક અપરાધો કર્યા. 

યુધિષ્ઠિરના રાજસુય યજ્ઞમાં ભીષ્મપિતામહની સલાહથી શ્રીકૃષ્ણને અગ્રપૂજા માટે સન્માનીત કર્યા. ત્યારે શિશુપાલ અપમાનજનક ભાષા શ્રીકૃષ્ણ માટે બોલવા લાગ્યો. છેલ્લે સૌથી વધુ અપરાધ થતાં, શિશુપાલ માટે સુદર્શન ચક્ર છોડી શ્રીકૃષ્ણે શિશુપાલનું ગળું કાપી હત્યા કરી. શિશુપાલના પુત્ર મહિપાલને છેદી રાજ્યનો ગાદીપતિ રાજા બનાવ્યો. 

ભગવાન શ્રીકૃષ્ણ મહિમા (શાંતિપર્વ)

પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી મરણ સંદેશમાં કહે છે. પરમજ્ઞાની શ્રીકૃષ્ણ જ અમારા આચાર્ય, ગુરુ અને પિતા છે. તેઓ જ અમારા ઋત્વિજ, સ્નાતક અને પ્રિયમિત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણ સર્વ વિશ્વની ઉત્પતિ તેમજ પ્રલયનું સ્થાન છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ, તેજ તેમજ ચારે પ્રકારના જીવો તેમના આધારે જ ટકેલા છે. જેવી રીતે વેદોમાં અગ્નિહોત્ર, છંદોમાં ગાયત્રી, મનુષયોમાં રાજા, નક્ષત્રોમાં ચંદ્ર, પર્વતોમાં મેરુ અને પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે ત્રિલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ જ શ્રેષ્ઠ છે. 

દ્રોણવધ

દ્રોણાચાર્ય વૃદ્ધ હોવા છતાં હાહાકાર મચાવ્યો-પુત્ર અશ્વથામા સાથે મળી વિકરાળ સ્વરૂપે જોત-જોતામાં પાંડવસેનાનો નાશ કરવા માંડ્યો. ત્યારે “અશ્વથામા માર્યો ગયો છે” એવી અફવા સાંભળી નિરાશ થયા-એકમાત્ર વિશ્વાસપાત્ર યુધિષ્ઠિર ને સત્ય જણાવવા પૂછ્યું. શ્રીકૃષ્ણ અને ભીમની સલાહથી યુધિષ્ઠિર “અશ્વથામા માર્યો ગયો છે” એમ મોટેથી બોલ્યા અને “હાથી માર્યો ગયો છે” તે ન સાંભળે એમ ધીમેથી બોલ્યા. દ્રોણે પણ પહેલી વાતથી નિરુત્સાહ થઈ જવાથી આગળની પૂરી વાત સાંભળી નહીં દ્રોણે અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી રથના પાછળના ભાગમાં બેસી ગયા. યોગધ્યાનમાં જ તેમણે પોતાનો દેહ ત્યાગી દીધો. મરેલા હોવા છતાં દ્યુષ્ટદ્યુમ્ને તેમનું મસ્તક તલવારથી કાપી અલગ કર્યું. છળકપટથી દ્રોણ મૃત્યુ પામ્યા. 

સૌપ્તિકપર્વ – અશ્વત્થામા દ્વારા દ્યુષ્ટદ્યુમ્ન અને પાંડવપુત્રોનો રાત્રીમાં વધ

દુર્યોધને દ્રોણવધ પછી અશ્વત્થામાને સેનાપતિ પદ આપ્યું. ત્યારે દુર્યોધન સિવાય અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવમાં જ કૌરવ સેનામાં બચ્યા હતા. રાત્રે અશ્વત્થામાએ જોયું કે વડ ઉપર કાગડાઓને રાત્રિ વિશ્રામ કરતાં હતા ત્યારે ઘુવડે મારી નાખ્યા. આથી પાંડવોના વધની મારી પ્રતિજ્ઞા ઊંઘમાં રાત્રે તેમણે મારૂ તો પૂર્ણ થાય એમ અશ્વથામાએ વિચાર્યું. કૃપાચાર્યે તેને રોક્યો,પણ ન માનતા, અશ્વથામા, કૃપાચાર્ય અને કૃતવર્મા રાત્રિ દરમ્યાન પાંડવોના શિબિર પહોંચ્યા. અંદર અશ્વથામાએ જઈને દ્યુષ્ટદ્યુમ્ને લાત મારી જગાડયો અને પટકી-પટકીને મારી નાખ્યો. જે મહારથી હાથમાં આવ્યો તેને મારી નાખ્યા. છેલ્લે દ્રૌપદીને પાંચે પુત્રોને ઊંઘતા યમલોકમાં પહોંચાડ્યા. 

દ્રૌપદી વિલાપ કરતાં-ભીમ-અર્જુન-અને શ્રીકૃષ્ણ અશ્વથામાને મારવા ગયા. અર્જુન અને અશ્વથામાએ બ્રહસ્ત્રો સામસામે છોડ્યા. મહર્ષિ વ્યાસે તેને રોકતા-અશ્વથામાએ તે શસ્ત્રને ઉત્તરાના ગર્ભ પર છોડ્યું. શ્રી કૃષ્ણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું અને વારસસદાર પરિક્ષિત જન્મ્યો. તે જનમેજયનો પિતા થયો. અશ્વત્થામાના હિનકાર્યથી શ્રીકૃષ્ણ તેને ત્રણ હજાર વર્ષ એકલા ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. શ્રીકૃષ્ણે અશ્વથામા પાસે મણિ હતો તે માથા પરથી કઢાવીને દ્રૌપદીને આપ્યો. દ્રૌપદીએ શ્રીકૃષ્ણને મુંગટમાં ધારણ કરવા મણિ પરત આપ્યો. ગુરુપુત્ર હોવાથી અશ્વથામાને જીવતો જવા દીધો. 

દુ:શાસન વધ

ભીમ જોરથી ગદા ઘુમાવીને દુ:શાસનને મારતાં-તે ઢળી પડ્યો. ભીમે તરત જ તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું. ભીમ તેનું રક્ત પીવા લાગ્યો. અને દ્રૌપદીને બોલાવી તેના વાળ દુ:શાસનના લોહીથી ધોવડાવી તેની પ્રતિજ્ઞા પૂરી કરી. 

કર્ણ વધ

અર્જુન-કર્ણ વચ્ચેના ભયંકર યુદ્ધમાં કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંચી ગયું-રથના પૈડાને બહાર કાઢે ત્યાં સુધી થોભવાનું કર્ણે કહેતાં-શ્રીકૃષ્ણ અને અર્જુન તેને દ્રૌપદી સાથેનું વર્તન-અભિમન્યુને મારવાનું કૃત્ય અને દ્યુતમાં કરેલી છેતરપિંડી-યાદ દેવડાવી. અર્જુને બાણો વડે કર્ણને વીંધી નાખ્યો-કર્ણને પરશુરામનું બ્રહમાસ્ત્ર-પરશુરામના શ્રાપને લીધે ખરી જરૂર સમયે કામમાં ન લાગ્યું કર્ણ સૂર્યમા વિલીન થઈ ગયો. 

ભીમ-દુર્યોધન યુદ્ધ

યુધિષ્ઠિરે ‘રથશક્તિ’ વડે શલ્યની છાતી વીંધી માર્યો સહદેવે શકુનીને ભાલાથી માર્યો પછી દુર્યોધન, કર્ણ, શલ્ય અને શકુનીના મારવાથી ભયભીત થઈ કુરુક્ષેત્રના સરોવરમાં છુપાઈ ગયો. તેને બહાર કાઢી યુધિષ્ઠિરે કોઈપણ એક સાથે દ્ર્ન્દ્રયુદ્ધ કરવા લલકાર્યો. તેણે ભીમ સાથે ગદાયુદ્ધ કરવા સ્વીકાર્યું. શ્રીકૃષ્ણે અર્જુનને સંકેતથી ભીમને જાંગપર ગદા મારવા જણાવ્યુ. અર્જુને જાંગ ઉપર જોરથી થાપો મારી સંકેત કરતાં ભીમે દુર્યોધનની બંને જાંગ પર જોરથી ગદા પ્રહાર કરી જાંગો તોડી નાખી. ભીમે કૌરવસભામાં ગદા વડે દુર્યોધનની જાંઘ તોડવાની પ્રતિજ્ઞા પૂરી કરી. દુર્યોધન રણભૂમિમાં મર્યો.

અભિમન્યુ વધ

યુદ્ધના તેરમાં દિવસે દ્રોણાચાર્યે ચક્રવ્યુહનું આયોજન કરતાં યુધિષ્ઠિર ચિંતાતુર થાય છે. તેઓ અભિમન્યુને ચક્રવ્યુહ ભેદવા કહે છે. અભિમન્યુએ દ્રોણનો ચક્રવ્યુહ ભેદીને અસંખ્ય યોદ્ધાઓને હણી લીધા. ઘાયલ કર્યા અભિમન્યુને હરાવવા કર્ણ એનું દેવતાઈ ધનુષ્ય તોડી નાખ્યું, ભોજે રથના ઘોડા વીંધી નાખ્યા, કૃપાચાર્યે તલવારથી સારથીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે દ્રોણે અભિમન્યુની તલવારના કટકા કર્યા. નિસ્ત્ર:અભિમન્યુ પર છ છ જણાદ્વારા બાણવૃષ્ટ્રી અને ગદા પ્રહારથી અભિમન્યુ વીરગતિને પામ્યો. અધર્મથી જયદ્રથે પાંડવસેના અને અર્જુનને એક દિવસ માટે દૂર રોકી રાખવાથી, અભિમન્યુ હણાયો. 

જયદ્રથ વધ

ધૃતરાષ્ટ્રની એકમાત્ર પુત્રી દુ:શલાનો પતિ અને સિંધુરાજા જયદ્રથને દુ:શલા સિવાય બે પત્નીઓ હતી એક ગાંધારની અને બીજી કંબોજની. વનવાસના તેરમાં વર્ષમાં દ્રૌપદી ને જયદ્રથ હેરાન કરી પરણવાની ઈચ્છા કરી બતાવી અપહરણ કરે છે ત્યારે પાંડવોએ માર માર્યો હતો-પણ જીવંત છોડ્યો હતો. પાંડવો દ્વારા અપમાનિત જયદ્રથે શિવભક્તિ દ્વારા રાજી કરે છે. દુરુક્ષેત્રમાં તે અર્જુન સિવાય કોઈને પણ મારી શકે છે એવું વરદાન આપે છે. પુત્ર વધ થી દુ:ખી અર્જુન આવતી કાલે જ યુદ્ધમાં જયદ્રથ નો વધ કરવા અથવા અગ્નિપ્રવેશ થી આપઘાત કરીશ એવી પ્રતિજ્ઞા કરે છે. યુદ્ધ મેદાનમાં જયદ્રથને છ મહારથીઓ વચ્ચે સંતાડી રાખ્યો. ત્યારે શ્રીકૃષણ પડછાયો બનાવી રણમેદાનમાં અંધકાર ફેલાવી દીધો. સૂર્યાસ્ત થયેલો ધારી જયદ્રથ બહાર આવ્યો ત્યારે ફરી સૂર્ય દેખાતા સામે ઉભેલા અર્જુન બાણ છોડી જયદ્રથના મસ્તકનો વધ કરી દીધો. આમ કૃષ્ણની લીલાથી કૌરવોને ભ્રમિત કરી જયદ્રથનો વધ શક્ય બનાવ્યો.

આમ, મહાભારત યુદ્ધની કથા છે. જેમાં શ્રીકૃષ્ણ જીવનજીવવાની કળા જુદાજુદા પ્રસંગોએ જણાવે છે. ખાસ કરીને, અર્જુનને ભગવદગીતા દ્વારા શ્રીકૃષ્ણ, રાજા ધૃતરાષ્ટ્રને વિદૂરનીતી બતાવી વિદુર અને છેલ્લે યુધિષ્ઠિરને ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. તે જ્ઞાન આપણે ગ્રહણ કરવા યોગ્ય છે. ચાલો, મહાભારતનો બોધપાઠ જીવનમાં ઉતારીએ...

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે.

હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે.

કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે.

કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞાન (રૂહાની), ખગોળશાસ્ત્ર અને આધ્યાત્માનો સંપૂર્ણ સમન્વય છે. કુરાન હઝરત મુહમ્મદની હયાતીમાં જ લખાય ચૂક્યું છે અને ત્યારબાદ લગાતાર પાબંદીથી સંપૂર્ણ અમાનતદારી સાથે સુરક્ષિત કરવામાં આવ્યું છે. તેથી તેની ભરોસાપાત્રતા વિષે બિલકુલ લેશમાત્ર શંકા નથી. કુરાનને ખુદાઈ સંદેશ વહી જ સમજવામાં આવે.

અહી આપેલ વિચારો “પવિત્ર કુરશ સારાંશ” પુસ્તકમાંથી લીધેલા છે અને તે પુસ્તકમાં જે પાને આ માહિતી છે તે કૌસમાં આપેલ આંકડા દ્વારા નોંધાવ્યું છે- તે ખાસ જાણખાતર નોંધ.

કુરાનના વિષયો ચાર વિષયો માં વહેંચેલા છે.


૧.      અકાઈદ = માન્યતાઓ
  • ૧) તોહીદ = એકેશ્વરવાદ
  • ૨) રિસાલત = મે.પેગમ્બરની વાતમાં વિશ્વાસ અને મે. પેગમ્બરમાં સંપૂર્ણ વિશ્વાસ.
  • ૩) આખિરત = મરણ પછી મળતા જન્નત/જહન્નમ પરલૌકિક જીવનનો વિચાર સદ્કાર્યો કર્યા હશે તો જન્નતમાં કાયમી રહેવાશે અને બુરા કર્મો કર્યા હશે તો નર્ક (જહન્નમ) ની આગમાં હંમેશા બળતો રહેશે.

૨.      અહકામ = હુકમો


જીવનમાં બધાજ ક્ષેત્રોને લગતા હુકમો કરવાના કર્મો અને ન કરવાના કર્મોની માહિતી.
  • ૧) ઈબાદતો (ઉપાસના) = અલ્લાહપાક સંબંધી નિયમો-હુકમો : નમાઝ, રોઝા, ઝકાત, હજ અને કુરબાનીની માહિતી.
  • ૨) હક્કો = વ્યવહાર સંબંધિત = વેપાર વાણિજ્ય, ન્યાયાલય, સાક્ષીઓ, અમાનત, ગીરો, વસિયત, અને વારસાની વહેંચણી તથા ખાવા-પીવાની વસ્તુઓનો વપરાશ.
  • ૩) ઈબાદતો અને વ્યવહારના ભેગા કરેલા કાયદા = નિકાહ, તલાક, સજાઓ, સોગંદ અને ભાગીદારી.

૩.      કિસ્સાઓ = આ વિષય કિસ્સાઓ અને બનાવોનું વર્ણન છે.

  • ૧) ભૂતકાળ સંબંધિત કિસ્સાઓ અને
  • ૨) ભવિષ્ય સંબંધિત કિસ્સાઓ
અહી ઈબ્રત = બોધ, તાલીમ (શિક્ષા), નસીહત, ધર્મપ્રચાર (દાવત), અડગતા (સબ્ર), સાથે ઇલમ (જ્ઞાન), સમજદારી અને ડાહ્યપણ ને લાગતું ફરમાબરદાર – આજ્ઞાંકિત.


૪.     ઉદારહણો = દાખલાઓ

લોકો વાતને જલ્દીથી સારી રીતે સમજી શકે અને વાત બુદ્ધિમાં જલ્દીથી આવી જાય. ૧૯ જાતના વિવિધ વિષયોના ઉદાહરણો આપ્યાં છે.
  • કુરાન શરીફનો બુનિયાદી હેતુ માનવઘડતર – સુધારણા અને એક અલ્લાહપાકની સાથે સંબંધો મજબૂત બનાવી તેના દરેક હુકમોનું પાલન કરવાનો છે. તે ઉચ્ચ સંસ્કાર, સદભાવ, આત્મશુદ્ધિ, અને શિષ્ટાચાર શીખવે છે.
  • કુરાન આખિરતની માન્યતાનું પુનરાવર્તન કરી અલ્લાહપાકના ખોફ અને ડરનું વર્ણન કરી દુર્ગુણો, દુષ્કાર્યો અને ગુનાહિત પ્રવૃત્તિ થી રોકે છે.

કરવાના કામો

  • બોલચાલ - ઉઠવા બેસવામાં વિનમ્રતા અને સદ્દવર્તાવ
  • બેકાર અને વ્યર્થ વાતોથી દૂર રહેવું
  • અભણ અને ઉજ્જડ લોકો સાથે નરમી
  • અમાનતદારી અને વાયદાઓનું પાલન
  • મુલાકાતમાં પ્રથમ સલામ કરવું
  • કંજુસાઈ અને ખોટા ખર્ચા બન્ને વચ્ચેની ભેદરેખા સમજી ખર્ચ કરવું
  • સ્ત્રીઓ પર વ્યાભિચારનો આક્ષેપથી દૂર રહેવું
  • બળાત્કાર, નગ્નતા અને અષ્લિલતાથી દૂર
  • પોતાની આંખ અને ગુપ્તાંગોની હિફાઝત
  • જૂઠી સાક્ષી ન આપે
  • સ્ત્રી, બાળકો, સગાસંબંધી, જેની જવાબદારી હોય તેના સંસ્કાર પર ધ્યાન
  • સફાઈનો ખ્યાલ - ગંદકી અને અસ્વચ્છતા થી દૂર
  • ભૂખ્યા - તરસ્યા મુસાફિર - મહેમાનોની કાળજી, ન્યાત-જાતના કે ધર્મના ભેદભાવ વગર
  • હસતાં આવજો ધીમેથી વાત કરવું

કોઈના ઘરમાં પ્રવેશવાના નિયમો

  • ખાવા-પીવાની વસ્તુમાં હલાલ-હરામ ના ખ્યાલ
  • બેકારી ને બિલકુલ પસંદ ન કરવી
  • ગ્રાહક સાથે નરમીનો વ્યવહાર
  • ગરીબ-જરૂરિયાતમંદની જરૂરત પૂરી કરવી
  • સુલેહ-શાંતિ રાખવી ફિત્ના કે ઝગડા થી દૂર રહેવું
  • નોકરોના હક્કોનું રક્ષણ
  • સમસ્ત માનવજગતને સારા આદેશોનું શિક્ષણ
  • સન્યાસી જીવનને ઇસ્લામ પ્રોત્સાહન નથી આપતું

ન કરવાના કામો - ૬૩

  • અપશબ્દો
  • ગોબિત = કોઈની પીઠ પાછળ બુરાઈ કરવું, જાસૂસી ગાળો ભાંડવી, ગુસ્સો કરવો લાલચ રાખવી, ધોકાબાજી, ષડયંત્ર રચી લોકોને છેતરવા, ઓટલા કે ચોરા પર બેસી બેકાર-વ્યર્થ બકવાસ અને ગપ્પાં મારવાની સખ્ત મનાઈ છે.
  • પત્થર દિલ હોવું
  • કરણી - કથનીમાં વિરોધાભાસ હોવું
  • ગફલત, સુસ્તી, આળસ કરી રોઝી-રોટી કમાવવાના પ્રયત્નો ન કરવા
  • સજાતીય સંબંધો બાંધવા
  • પોતા માટે સારી અને બીજા માટે ખરાબ વસ્તુ પસંદ કરવું
  • આતંક, ફસાદ, લૂંટફાટ, ઝૂલ્મ કે ભયભીત કરનાર વાતાવરણ સર્જવું
  • લોકોમાં વાહ-વાહ માટે કામ કરવું
  • લોકો ને તુચ્છ સમજવા
  • અપશુકન કે જ્યોતિષશાસ્ત્ર ને માનવું
  • જરૂરત વગર ફોટા પાડવા-પડાવવા
  • વ્યાજુ વ્યવહાર કરવો
  • ચોરી-ભ્રષ્ટાચાર કરવું
  • ગેરલાયક વ્યક્તિને મત આપવો
  • ગરીબોની મદદ કરી ઉપકાર જતાવવો
  • અફવાઓ ફેલાવવી
  • જાદુ મારફતે કોઈને સતાવવું
  • દ્વિમુખી વાતો કરી ઝગડો કરાવવું
  • જ્ઞાન અને શિક્ષણની વાત છુપાવવું
  • ખોટી રીતે ધર્મના નામે પૈસા પડાવવું
  • સ્વ્વર, મડદા, લોહી, તથા દારૂ વગેરે નશા અને કેફી દ્રવ્યો વેચવું

સામાજિક બાબતો –
૬૫
  • સ્ત્રીના હક્કો
  • નિકાહમાં સ્ત્રીની પસંદ અને રજામંદીનો ખ્યાલ રાખવું
  • જબરજસ્તી કરાવવામાં આવેલ નિકાહ રદ કરવાનો સ્ત્રીનો અધિકાર
  • ઓલાદની સાર-સંભાર, સારા સંસ્કાર, સારું જ્ઞાન, અને શિક્ષણ આપવું
  • વારસાઈમાં સ્ત્રીઓના હક્કો આપવાની તાકીદ
  • સ્ત્રીની મહેર આપવામાં ખોટો વિલંબ ન કરવું
  • સગા-સંબંધીઓ સમગ્ર મખ્લુક સાથે સદ્દ્વર્તાવ
  • કામના સમયે કોઈના ઘરે ન જવું- જતાં પહેલાં પરવાનગી લેવી
  • માનવીની કદર-મહત્વતા, ભાઈચારો, બંધુત્વનો અમલ કરવું
  • શત્રુ સાથે ન્યાય, દરગુજર, માફી, રહેમ, સુલેહ, સમાધાન, વગેરે બાબતમાં આગળ પડતો ભાગ ભજવવું.
  • સારા કૃત્યોમાં મદદ કરવું, ખરાબ કૃત્યોથી દૂર ભાગવું
  • પાડોશી કાયમના હોય કે સફરમાં, સદ્દવર્તાવની તાકીદ
  • દરગુઝર એટલે ભૂલથી પણ ગુનેહગાર સમક્ષ તેના આગલા ગુનાહનું વર્ણન ન કરવું
  • રસ્તામાં આવતા-જતાં નજરો નીચી રાખવું
  • પારકી સ્ત્રીઓને માં-બહેન સમજી તેમની સાથે વર્તન કરવું
  • અન્ય ધર્મીઓ પ્રત્યે આદર-માન રાખવું

જાનવરોના હક્કો – ૬૭

  • તેમનાંથી તાકાત પ્રમાણે કામલેવું
  • ખાવા પીવામાં ભૂખ્યા ન રાખવા
  • પક્ષીઓના બચ્ચઓને તેમનાથી અલગ ન કરવા
  • ઝુબહ (વધ) કરવામાં ઓછામાં ઓછી તકલીફ આપવું
  • મૂંગા જાનવરોને ખવડાવવા-પીવડાવવામાં સ્વર્ગ અને ભૂખ્યા રાખવામાં નર્કની સજા મળે છે

નિકાહ. ૯૮-૧૪૮

નિકાહ એટલે ઈસ્લામમાં લગ્નવિધિ જેમાં બન્નેની સંમતિ હોય અને તેનું લખાણ કરી સહી કરવામાં આવે છે.
  • મજબૂત બંધન-જાણે કે કોઈ સાંકળ હોય
  • મુહબ્બતનું નીમિત્ત.
  • મજબૂત કરાર
  • એક બીજા ના વસ્ત્ર- સ્ત્રી પુરુષ એકબીજાના વસ્ત્રો છે. જેમ વસ્ત્રો માણસના ગુપ્ત અંગો ઢાંકી દે છે, તેમ મિયાંબીબી એકબીજાની ગુપ્ત બાબતો ઢાંકી દે છે-જેથી બન્નેને સુરક્ષા અને સુંદરતા મળે છે.
  • લગ્નની વિધિ વખતે વર-વધુના વાલીઓ અને કન્યા લગ્નના કાગળ ઉપર સહી કરે છે.

પતિ-પત્ની દરમ્યાન શાંતિથી જીવવા માટે સમાધાન - ૧૫૨

  • પત્નીને પતિ તરફથી કજિયા-કંકાસ- બેપરવાઈનો ડર હોય તો, સુલેહ કરવી જ બહેતર છે.
  • એકથી વધુ પત્ની હોય તો, તમે એક તરફ એવા ઢળી ન જાઓ કે એક પત્નીને અદ્ધર લટકતી છોડી મૂકો. અહી પણ સમયસર સમાધાન કરી લો. તેની પર ઝૂલ્મ ન કરો.
  • અલ્લાહપાકે પુરૂષને સ્ત્રી ઉપર સ્વાભાવિક શ્રેષ્ઠતા આપી છે.
  • પુરૂષ સ્ત્રીઓ પરનો સરદાર છે. તે સ્ત્રીઓ માટે પોતાનો માલ ખર્ચ કરે છે.

સ્ત્રી પુરૂષ સંબંધો અને તલાક - ૧૪૮

જો સ્ત્રીની નાફરમાની કે ગેરવર્તન હોય તો,
  • ૧) પુરૂષે તેણીઓને નરમીથી સમજાવવી.
  • ૨) ન માને તો, બિછાનાથી જુદી કરી દો.
  • ૩) છતાં ન માને ત્યારે સહેજ મારો પછી જો માની જાય તો તેની સતામણી ન કરો.
  • ૪) અણબનાવ ચાલુ રહે તો, એક લાયક લવાદ પતિ ના કુટુંબ તરફથી અને એક લવાદ પત્નીના કુટુંબ તરફથી નક્કી કરો. બન્ને લવાદ અંત: કરણપૂર્વક સુલેહ કરાવવા ચાહશો, નહીં તો છેલ્લે તલાક કરો.

તલાક -
૯૮
  • અલ્લાહતાલાની નજરમાં સૌથી વધારે નાપસંદ ચીજ છે.
  • દાંપત્ય જીવનમાં મુશ્કેલી હોય, મેળ પડવાની કોઈ ગુંજાઈશ બચી ન હોય તો લગ્નજીવનને વેંઢારવાનો આગ્રહ રાખવો નહીં.
  • અનિવાર્ય સંજોગોમાં જ ઈસ્લામે તલાકની છૂટ આપી છે. તેથી છૂટને અનિવાર્ય સંજોગોમાં જ વાપરવું.
  • સ્ત્રીઓમાં વ્યાપકપણે જોવાતી સ્વાભાવિક ખામીઓ અને નિર્બળતાને કારણે તલાક આપવી ન જોઈએ, ટૂંકી દ્રષ્ટિ છોડી ખામીઓ છોડીને બીવીઓની ખૂબી જોવાની ક્ષમતા કેળવવી જોઈએ.
  • શૌહર (કવ્વામ) = જવાબદાર છે. તેથી બીવી સાથે સમજદારીથી કામ લેવું જોઈએ. સ્ત્રીઓ સાથે ભલાઈ પૂર્વક સદ્દવર્તન કરો.

તલાકની અસરો

  • ૧) બાળકોની સાર-સંભાળની સમસ્યા
  • ૨) બન્ને-મિયાબીબીને-માનસિક ત્રાસ
  • ૩) બીવી માટે રોજી-રોટીની સમસ્યા
  • ૪) સ્ત્રીનું બીજું લગ્ન સરળ નથી.
  • તલાક આપતાં પહેલાં કે નિર્ણય કરતાં પહેલાં સમાધાનની એક કોશિશ કેટલાક મોભાદાર વ્યક્તિઓને વચ્ચે રાખી જરૂર કરવી જોઈએ.
  • તલાકે બિદ્દઅત : ત્રણ તલાક – પતિ ગુસ્સામાં આવીને ત્રણ વખત બોલી દે છે તલાક, તલાક, તલાક,
  • એક તલાક :- મતલબ “મે તને એક તલાક આપી” એટલું જ બોલવામાં આવે.
  • ૧) ઔરત ને માત્ર એક તલાક આપો. ફક્ત એકવાર તલાક – તને તલાક – બોલે
  • ૨) તલાક બે સાક્ષીઓ સમક્ષ આપવામાં આવે.
  • ૩) માસિકમાં હોય ત્યારે કે સંભોગ કર્યો હોય તો તલાક ન અપાય.
  • ૪) ઇદ્દ્ત (ત્રણ મહિના) – એક તલાક પછી ત્રણ મહિના પૂરા કરો. ઇદ્દત દરમ્યાન મર્દે પોતાની તલાક પાછી લઈ શકે છે એ માટે “મે રૂજુઅ કરી લીધું” અથવા “મે મારી તલાક પાછી લઈ લીધી” એટલું જ બે સાક્ષીઓની હાજરીમાં બોલવું જરૂરી છે.
  • ૫) તલાકે બાઈન (જુદાઈકારક તલાક) : ઇદ્દત પૂરી થતાં સુધીમાં તલાક પાછી ન લીધી હોય તો આપમેળે જ તલાક થઈ જશે.
  • મહેર: પતિ દ્વારા પત્નીને લગ્નસમયે ફરજિયાત અપાતી ફક્ત પત્ની માટેની નાણાકીય ભેટ. મહેરની રકમ ઓછામાં ઓછી એટલી હોવી જોઈએ કે પતિના મરણ પછી કે છૂટાછેડા પછી પત્ની પોતાનું જીવન ગુજારી શકે અને જો લગ્નમાં બાળકો હોય તો, તેમનું પણ જીવન નિભાવી શકે.

 રોજા - ૧૨૧/ ૯૧

રોજા એટલે રમઝાન માસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખવામા આવતા પ્રવાહી, ખોરાક, ધુમ્રપાન અને શરીર સંબંધનો ઉપવાસ. ઈસ્લામના પાંચ સ્તંભોમાં એક છે. રમઝાન માસમાં રોજા રાખવાનો હેતુ:
  • રોજા તમારા ઉપર ફર્જ કરવામાં આવ્યા છે.
  • રોજાને પ્રતાપે નઠારા કામોથી સદા દૂર રહો છે.
  • માનવીના નૈતિક ઘડતરમાં રોઝો ખૂબ ઉપયોગી છે.
  • રોઝાથી જે સદ્દ્ગુણો નો વિકાસ થાય છે તેને કુરાન “તકવા” શબ્દથી ઓળખે છે. રોઝા મન પર કાબૂ રાખવાની ટેવ પાડે છે. રોઝા આત્માને પવિત્ર કરે છે અને ઉચ્ચ હેતુ માટે બલિદાનની ભાવના વિકસાવે છે. રોઝા થી માણસમાં ફરિશ્તાઓના ગુણો વિકસે છે અલ્લાહપાકે કહ્યું છે રોઝા મારે માટે છે અને હું જ તેનું વળતર આપીશ.
  • રોઝા જન્નતમાં લઈ જાય છે. જન્નતમાં રટયાન નામનો દરવાજો રોઝેદારો માટે છે. રોઝેદારો દાખલ થઈ જતાં રટયાન દરવાજો જન્નતમાં બંધ થઈ જાય છે. રોઝા એક ઈબાદત છે. તેમાં (ઇખ્લાસ) = શુદ્ધતા છે. અને દેખાડો નથી.
  • રોજાનો હેતુ મનને તેની રોજિંદી ટેવોમાંથી મુક્ત કરવાનો છે.
  • રમઝાનના રોઝા ફર્ઝ થઈ ગયા પછી, દર મહિને રાખવાના ત્રણ રોઝા મરજીયાત બની ગયા છે.
  • જુઠ્ઠું બોલવું, લડાઈ-ઝગડો, ગાળાગાળી, બદબોઈ, કરવાથી રોઝાના હાર્દને નુકશાન પહોંચે છે.
  • રમઝાન મહિનો નેકી બરકતનો છે, આ માહિનામાં જેનું મન નેકીઓમાં ચોંટેલું રહેશે, તેનું મન આખું વર્ષ નેકીમાં પરોવયેલું રહેશે.
  • ફાયદા: આધ્યાત્મિક ઉપરાંત શારીરિક ફાયદાઓ પણ છે. રોઝા શરીરની ઉત્કટ ઈચ્છાઓ ઠંડી પાડે છે. શાદી ન કરી શકતા હોય તેને પણ રોઝાનું સૂચન છે. ઈમાન હોય + સવાબની નિયત હોય, ત્યાર પછી ભૂખ્યા તરસ્યા રહેવાથી રોઝો આકાર પામે છે.
  • અપવાદ: બીમાર જો રોજો રાખવા શક્તિમાન ન હોય, અને મુસાફિર (૭૮ કી.મી.) પણ રોઝો ન રાખે તો તેમણે બીજા દિવસોમાં તેની ફઝા કરવાની છે અને બીજા વધારાના દિવસોથી રોઝાની ગણતરી પૂરી કરવાની છે. રમઝાન મુબારક માસ છે, (જેમાં કુરાન શરિફ લોકોની હિદાયત માટે ઉતારવામાં આવ્યું છે.) રમઝાનમાં દરેક રોઝા અવશ્ય રાખવા જોઈએ. રોઝા વખતે અલ્લાહપાકની મોટાઈ બયાન કરતાં રહો અને તેનો આભાર માનો.
ROJA is fasting in Islam, Here, Muslims practice abstaining usually from food, drink, smoking, and sexual activity. During Ramadan, sawm is observed between dawn and nightfall when evening adhah is sounded.

મોરાજ

હઝરત મહંમદ પયગંબરે રજબ માસના અંતિમ તબક્કામાં મોરાજની ૨૭ તારીખે અમાસની સફર કરી હતી. ત્યાંથી જન્નત અને દોઝખ નો તાદ્દ્શ ચિતાર પ્રાપ્ત થયો હતો. જેનું વર્ણન કુરાને શરીફના પંદરમાં પ્રકરણમાં જોવા મળે છે.

હજ - ૧૨૧ / ૯૬

હજ એટલે દર વર્ષે મક્કા (સાઉદી અરેબીયા) માં થતો ધાર્મિક મેળાવડો, દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વખત જવું ફરજિયાત છે. હજ ઈસ્લામનો મહાન સ્તંભ (રૂકન) છે. હજ એટલે પોતાના દરેક અમલો (કાર્યો) અને ઈબાદતો સાથે આજ્ઞાપાલન-વિનાસંકોચે માની લેવું-દરેક આજ્ઞા પર મસ્તક નમાવી દેવું.
  • હાજના અમુક મહિના પ્રખ્યાત છે.
  • હજમાં સ્ત્રી મેળાપ અને કોઈપણ જાતનો ગુનો-ઝગડો-ફસાદ કરવો જોઈએ નહીં.
  • હજમાં મુસાફરીનો ખર્ચ સાથે લેવો-જેથી ભીખથી બચી જવાય.
  • હજમાં કદીક સફર તો કદીક નિવાસ, કાઇદ્ક મિલન તો કદીક જુદાઈ, ન ઈચ્છાની ગુલામી, ન અભિરુચિના કૈદી, ન તો કામવાસના સમક્ષ હથિયાર હેઠાં મૂકે છે.
  • હજ એ કોઈ ભેદભાવ નથી જાતિવાદ, ભાષાવાદ અને જુથવાદ વિરુદ્ધ બંધુત્વભાવના સમાનતા અને ઈસ્લામી એકતાનું પ્રતિક છે.
  • હજમાં જનાર ઈસ્લામનો કૌમી, પહેરવેશ-હજ-ઉમરહની-ભાષામાં “એહરામ” કહેવાય છે, તે ધારણ કરે છે.
અહી બધાજ નમ્રતા, વિનમ્રતા, લાચારી, કાકલૂદી અને રડી-રડી ને એકજ ભાષામાં એક સૂત્ર ઉચ્ચારે છે. “લબ્બયક અલ્લાહુમ્મ લબ્બયક” = અય મારા પરવાર દિગાર ! હું હાજર છું, સઘળી પ્રશંસાઓ અને નેમતો ફક્ત તને જ શોભે છે. અને સઘળી હકૂમત અને સત્તાઓ પણ. તારો કોઈ ભાગીદાર નથી. મીનામાં પણ એક સાથે રોકાણ, કુરબાની, માથું મૂંડાવવું, રમી (શેતાનને પથ્થર મારવા) બધાજ કામો એક સાથે કરવામાં આવે છે.

કાફિર - ૨૬
  • ૧) કફ્ર = ઈન્કાર કરવું, ન માનવું (ન માને તે કાફિર)
  • છુપાવવું = સંતાડવું = આવરણ નાખવું. રાત્રિ - ખેડૂત (કારણકે તે જમીનમાં બીજ સંતાડે છે) સમુદ્ર- અંધકારમય વાદળો.
  • ૨) કાફિર = ઉપકાર કરનારના ઉપકારને ભૂલી જનાર.
  • ૪) પોતાને એક સર્વશક્તિમાન અલ્લાહપાક નો ફરમાબરદાર અને આજ્ઞાંકિત નથી માનતો-તે- કાફિર
  • ૫) હિન્દુ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે મલેચ્છ / ચંડાળ શબ્દો છે. તેવો શબ્દ ઈસ્લામમાં કાફિર છે. મક્કા વાસીઓ પોતાને કાફિર કહેતા- “હમો તમારી ઈસ્લામની દાવતને ઈન્કારીએ છીએ.
  • હકીકતમાં કાફિર શબ્દ અપમાનજનક નથી, ગુણવાચક છે.
  • આદેશ છે કે જો કોઈને ‘કાફિર’ શબ્દના સંબોધનથી તકલીફ પહોંચતી હોય તો તેને એ પ્રમાણે સંબોધવામાં ન આવે. અને જો તે છતાં સંબોધશે, તો ગુનેહગાર થશે.
Kaafir means unbeliever - denier - rejector of Islam or the tenets of Islam.

જિહાદ - ૨૨૦ / ૧૯૮

ધાર્મિક બાબતે વિરોધીઓને ઈસ્લામમાં લાવવા માટેનું પવિત્ર યુદ્ધને જિહાદ કહે છે.
  • જિહાદ માટે સઘળા જ મુસલમાનો નીકળી પડે તે પણ યોગ્ય નથી. એક નાનું જુથ જિહાદમાં જાય અને બાકીના લોકો દિનનું જ્ઞાન મેળવતા રહે.
  • જિહાદ દરેક યુગમાં હતો.
  • અલ્લાહપાકને વિરુદ્ધતા કરનારને કચડી-અને દબાવી દેવાના જે પ્રયાસો કરે છે, તેની સામે મરણિયા બની મુકાબલો કરી તેઓને નિષ્ફળ અને અલ્લાહપાકના બોલને ઊંચો કરવો એ જિહાદનો મૂળ હેતુ છે.
  • જિહાદ ત્રણ જાતના હોય છે.
      • ૧) પોતાની સામે
      • ૨) સેતાનની સામે અને
      • ૩) દેખીતા ખુલ્લાદુશ્મન સામે
પોતાની સામેની લડાઈને મોટું જિહાદ અને બહારના દુશ્મન સામેના જિહાદ ને નાનું જિહાદ કહ્યું છે. LOVE JIHAD ગેરમુસ્લિમ યુવતી સાથે મુસ્લિમ લગ્ન કરે અને તેને ઈસ્લામમાં લાવે તેને લવ જિહાદ કહે છે.

જિહાદનો અર્થ મુહંમ્મદ પેગંબરની શિક્ષા-કાર્ય અને કહેવામાં (TEACHINGS) હદીશમાં કહ્યા મુજબ પણ યુદ્ધ-ભલે પવિત્ર-પણ યુદ્ધ જ થાય છે.
  • Jihad means holy war (crusade) against the infidels, as a religious duty. It is a fight/battle/warfare.
  • Jihad was to continue until all mankind either embraced Islam or submitted to the authority of the Muslim state.
  • Later, Jihad became an armed struggle (war) against Western Colonial forces.
  • Jihad is a spiritual war against inner impurities - it means reforms neither violence nor bloodshed.
વિશ્વની દરેક વ્યક્તિ ઈસ્લામ ન સ્વીકારે ત્યાં સુધી, ઈસ્લામ ધર્મના લોકો દ્વારા સમજાવટ કે લશ્કરી યુદ્ધને જિહાદ કહ્યું છે.
  • હા – માબાપ ની કાળજી પણ જિહાદ છે.
  • તો – મહિલાઓની હજયાત્રા પણ જિહાદ કહેવાય છે.
  • ધર્મપરીવર્તનના કાર્યમાં-યુદ્ધમાં-મરણને પવિત્ર કહ્યું છે. મારનાર જન્નત-સ્વર્ગમાં જતાં હોવાનું કહેવાયું છે.
  • ઈસ્લામમાં સ્ત્રીઓ અને બાળકોને ન મારવાનું કહ્યું છે. પણ ધર્મગુરુઓના આ આદેશનું જિહાદી પાલન કરતાં નથી.
  • અબ્દુલ્લા આઝમ (વૈશ્વિક આધુનિક જિહાદના પિતા) પહેલા રશિયાને અફઘાનિસ્તાનમાંથી હરાવ્યા બાદ ફતવો બહાર પડી વિશ્વમાં જિહાદ ફેલાવ્યું-બોસીન્યા, ફિલિપાઈન્સ, કાશીમર, સોમાલિયા, ઈરિટ્રી, સ્પેન અને પેલેસ્ટાઈન માં આતંક ફેલાવ્યો.
  • ઓસામા-બિન-લાદેન ૯/૧૧ (૧૧ સપ્ટે.૨૦૦૧) માં વર્લ્ડટ્રેડ સેન્ટર નો નાશ કરીને અને પેન્ટાગોન ને નુકશાન પહોંચાડી-જિહાદ-ફેલાવ્યો-જિહાદી આતંકવાદ વિશ્વને બતાવ્યો.
  • આયાતોલ્લા ખૌમેની-ઈરાન-ના સ્થાપકે પણ ઈસ્લામ માટે જિહાદનો ઝંડો ફરકાવ્યો.
  • શિયા-સુન્ની- ઝગડાઓ પણ જિહાદીઓએ કર્યા અને ભાગલા પડેલ બે મુસ્લિમ કોમો પણ લડી.
  • અલ-કાયદા, ISIS- જેવા મંડળો પણ યુદ્ધ અને આતંકવાદના ફેલાવવામાં લાગ્યાં.
  • હાલમાં જિહાદ વૈશ્વિક સ્તરે ખૂબ મોટા પાયે આતંકવાદી બની ફેલાયું છે. દા.ત. રોહિંગ્યા, ઈરાન-ઈરાક યુદ્ધ, લશ્કરે તૈયબા, અને કાશ્મીર, બાંગલાદેશ, અલ્જેરિયા, સોમાલી, મોરો, અફઘાન, યેમન, નાઈજીરિયા, વિગેરે.
  • આશા રાખીએ, કોઈ ધર્મગુરુ જેહાદીઓને ઈસ્લામ ધર્મ સમજાવે.

ઈસ્લામી અર્થ વ્યવસ્થાના નિયમો - ૪૬૮
  • સમાજ છોડી સન્યાસી જીવનને ઈસ્લામ પસંદ કરતો નથી.
  • માણસની આર્થિક પ્રગતિને ઈસ્લામ પસંદ કરે છે. પણ ઇસ્લામની નજરમાં માણસનો બુનિયાદી હેતુ ફક્ત રોઝી કમાવું નથી.
  • સૌ પ્રથમ એ દર્શાવ્યું કે માલ-મિલકત દૌલત પર પહેલી અલ્લાહપાકની માલિકી છે. માલ દૌલત તમારી માલિકી નથી, બલ્કે તમારી પાસે અમાનત છે. કોઈ માણસ પોતાની જાત મહેનતથી કમાઈને જે ખાવા જાય છે, તેનાથી વધુ સારું કોઈ ખાણું નથી.
  • ૧) વ્યાજ વહેવાર માટે ઇસ્લામમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપી નથી.
  • ૨) સટ્ટો પણ ઇસ્લામમાં મોટો ગુન્હો છે.
  • ૩) જુગાર, સટ્ટો, દારૂ, સ્વાર્થ, દગો, છેતરપિંડી, શોષણ, મિલાવટ, ખોટી અફવાઓ, જુથ, સંગ્રહખોરી, ધોકાબાજી, ખિયાનત અને કબજા વગરની વસ્તુનું સીધું વેચાણ- મનાઈ ફરમાવી છે.
  • ૪) લાંચ, રૂશ્વત, ચોરી, ધાડ, લૂંટ, અત્યાચાર, મજબૂરીનો સોદો, અને અનીતિના બધા જ પ્રકારના સોદાઓથી મનાઈ ફરમાવવામાં આવી છે.
  • ૫) વ્યજ, સટ્ટો, ધોકાબાજી, તથા જુઠ ઈસ્લામના નિયમોની વિરુદ્ધ છે.
  • ૬) મજૂર વર્ગને પસીનો સુકાતા પહેલા મજૂરી અને યોગ્ય વળતર આપવાની તાકીદ કરી છે.
  • ૭) સંગ્રહખોરી પણ સખ્ત નાપસંદ ફરમાવી છે.

વકફ = નિષેધ, રોકવું કે બાંધવું.

વકફ એટલે ઈસ્લામમાં ઈમાન રાખનાર કોઈપણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદ્દેશ માટે પોતાની સંપતિનું સ્થાયી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું. આમ એકવાર વકફ થયેલી સંપતિનું સ્વામીત્ત્વ ખુદાને નામે રાખવું.- એકવાર વકફ થયેલી સંપતિ પુન:પ્રાપ્ત થતી નથી. વકફ સંપતિના વહીવટમાં વકફ બોર્ડ અસ્તિત્વમાં છે.

જકાત - ૨૧૨ / ૨૧૫ / ૪૭૨

હેતુ: જકાતના સામૂહિક હેતુઓથી સમાજમાં ગરીબી દૂર થાય છે. જકાતથી ગરીબો, મોહતાજો, ગુલામો, કર્જદારો, અને મુસાફિરોની મદદ થાય છે. જકાત સંરક્ષણ, રાજકારણ, નૈતિકતા, ઈબાદતો =(ઉપાસના) સંસ્કૃતિ અને અર્થતંત્ર માટે મદદરૂપ થઈ બધી જ બાબતોએ પગભાર થવા અને સ્વાવલંબી બનવા સહયોગ આપે છે. જકાતનો આધ્યાત્મિક (રૂહાની) ફાયદો પણ છે તેનાથી:
  • ૧) ગુલામી નાબૂદ થઈ શકે.
  • ૨) વ્યક્તિ પોતાનો માલનો ખર્ચ સમાજ માટે કરવા તત્પર બને છે અને
  • ૩) માન્યતાઓ (અકીદાઓ), ઈબાદતો (ઉપાસના), અને અખલાક (નૈતિકતા), ની રક્ષા થાય છે.
આમ જકાત સમાજમાંથી ગરીબી દૂર કરી સમાજને માલદાર બનાવે છે.

જકાત ન આપનાર ની સજા

જકાત ન આપનાર અને સંગ્રહ કરનારને જહન્નમની આગ તપવામાં આવશે ત્યારે તેઓની પરેશાનીઓ, પડખાઓ, અને પીડાઓને ડામવામાં આવશે.

જકાતના પ્રકારો
  • ૧.      જકાત: ૨.૫% દરેક તે વ્યક્તિ જે સોનું, ચાંદી, પશુઓ અને વેપારનો માલ ઈસ્લામી પ્રમાણે જાયદાદ વગેરેનો માલિક હોય તેણે પોતાના માલમાંથી ૨.૫% જકાત આપવી ફર્જ છે.
  • ૨.      ઉશર: ૧૦% જમીનથી પેદા થતી વસ્તુઓની જકાત. ખેતીવાડીની કુલ પેદાઈશનો દસમો ભાગ આપવો જરૂરી છે.
  • ૩.      સદક એ ફિત્ર: શરઈ દ્રષ્ટિએ દરેક માલદાર વ્યક્તિ ૧.૭૫/- kg. ઘઉં અથવા તેની કિમત ગરીબો, બેવાઓ, યતિમો, ઉપર ખર્ચ કરે. આ રકમ પોતાના તરફથી અથવા ઔલાદ (નાના બાળક) તરફથી પણ આપવામાં આવે.
  • ૪.      કુર્બાની: કુર્બાની ના ગોસ્ત અને ચામડું ગરીબોને આપવું.
  • ૫.      કફફારો: ગુનાહિત વ્યક્તિએ દંડ તરીકે ગરીબોને, નાદારોને, રૂપિયા-ખાવાનું કે કપડાં આપવાના હોય છે તે ગુનાઓ.
      • ૧. રમજાનના રોજા તોડી નાખે,
      • ૨. ઈરાદા વગર કત્લ કરી દે,
      • ૩. પત્નીને ઝિહાર કરે – હરામ કહે,
      • ૪. સોગંદ (કસમ) ખાઈ પૂરી ન કરે.
  • ૬.      નફકહ (ખાધા ખોરાકી નો ખર્ચ): પોતાના પત્ની-બાળબર નાદાર સગા-સંબંધીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો.
  • ૭.      વારસા વહેંચણી: મૃત્યુ પામનાર (ફક્ત ૧/૩) માલની વારસદારો સિવાય માટે વસિયત કરી શકે છે. કોઈ વારિસને વંચિત નથી કરી શકતો, કોઈ વારિસ માટે ભાગ સિવાય વસિયત કરવાની મનાઈ છે.
      • દરેક સગા સંબંધીને હક મળે છે.
      • સ્ત્રીને માં, પત્ની, બહેન, પુત્રી, દાદી, તરીકે અલગ અલગ ભાગ મળે છે.
      • નાની, મોટી ઓલાદનો કોઈ ફર્ક નથી.

વારસો. ૧૪૭
  • ૧.      એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે.
  • ૨.      ઓલાદમાં એકલી છોકરી હોય તો, એક જ છોકરી હોય તો અડધી માલ મિલકત મળશે.
      • બે છોકરી હશે, તો બન્ને થઈ ૨/૩ બેતૃતિયાંશ ભાગ મળશે.
      • બાળક જ ન હોય તો, માં-બાપ જ વારીશ હોય તો માને ૧/૩ ભાગ અને બાકીનું બાપને મળશે.
  • ૩.      જો મરનારને એક થી વધુ ભાઈ/બહેન હોયતો જે વસિયત કરી હોય ને અને દેવું ચુકવ્યા પછી, માને છઠ્ઠો ૧/૬ ભાગ મળશે. બાકીનું બાપને મળશે.
  • ૪.      જો તમારી ઓરતને કઈ ઓલાદ ન હોય અને તે જે મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. (દેવું ચુકવ્યા પછી અને વસિયત પ્રમાણે વહેંચયા પછી) જો પુરુષ ઓરત વગર મરે તો, ઔરત ને ૧/૪ ચોથો ભાગ મળશે. અને ઔલાદ હોય તો ૧/૮ આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ ભાગ છે.
  • ૫.      જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેક ને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે.
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનુનો છે.

સખાવત - ખૈરાત

પોતાની કમાણી માંથી ચોખ્ખી પવિત્ર વસ્તુ અને જમીનમાંથી જે ચીજો તમારા માટે ઉત્પન્ન કરી છે, તેમાંથી નેક કામમાં આપ્યા કરો.

વ્યાજ

અલ્લાહપાકે વ્યાજ ને હરામ કહ્યું છે. જો દેણદાર નાદાર હોય તો, તેને હાથ છૂટો થતાં સુધીની મહોલત આપવું. અને જો તમે સમજતા હોય તો દેવું માફ કરવું બહેતર છે.

લેવડ-દેવડ
  • લખાણ: માહેમાહે અમુક મુદ્દત સુધીનો ઉધારનો મામલો કરો તો તેને લખી લો.
  • સાક્ષી: આ ઉપરાંત તમારામાના મુસલમાન પુરુષો બે પુરાવામાં રાખો જો પુરુષ ન મળે તો એક પુરુષ અને બે સ્ત્રીઓને સાક્ષી માં રાખો. જેનો ભરોસો કરવામાં આવ્યો છે, તેણે બીજાનો હક પૂર્ણપણે આપી દેવો જોઈએ અને પોતાના પરવરદિગાર અલ્લાહપાકથી ડરવું જોઈએ.
  • ગીરો: કોઈ જગ્યાએ સાક્ષી કે લખાણ શક્ય ન હોય તો કોઈ વસ્તુ ગીરો મૂકો. લેણ વસૂલ થતાં જ તે જ વસ્તુ માલિક ને પછી આપવી જોઈએ.

સબ્ર (ધીરજ) - ૨૦૪
  • પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો.
  • સબ્ર (ધીરજ) નપુંશક્તા નથી, સબ્ર બહાદુરી છે.
  • સબ્ર દ્વારા કમજોર પરિસ્થિતી ને મજબૂત સ્થિતિ માં ફેરવવાનો સમયગાળો મળી રહે છે.
  • સબ્ર ને કારણે કપરો સમય પસાર થઈ અનુકૂળતા મળી જાય છે. સબ્ર બહુ મોટી શક્તિ છે.
 
શાંતિ - ૨૦૫
  • શાંતિ ને ચોક્કસ કરવા ઈસ્લામે હકારાત્મક સાધનો અને યુક્તિઓ, અખત્યાર કરી છે.
  • શાંતિભંગ માટે આર્થિક અસમાનતા પણ જવાબદાર છે. તેથી જ ગરીબો માટે જકાત ફરજિયાત દાન છે.
  • ધર્મઝૂનૂન પણ શાંતિભંગ નું કારણ હોય શકે.
  • કુરાન શરિફ માટે બળજબરી કરવાનું તમારું કાર્ય નથી.

પાક મુસલમાન - ૩૩૩ / ૩૪૯
  • ઈમાનવાળા 
  • નમ્રતા
  • પોતાની નમાઝમાં ડરનાર 
  •  લડાઈ થી દૂર રહેવું
  • નકામી બાબતથી અળગા 
  • માફી
  • જકાત આપતા રહે 
  •  સદાચાર
  • શર્મગાહની સંભાળ રાખે છે 
  •  રાત્રિ ઈબાદતો
  • સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતાં નથી 
  •  ગુનાહો થી તૌબા
  • પોતાની અમાનતો અને કરારો જાળવે છે 
  •  સખાવત
  • ફર્ઝ નમાજોની કાળજી રાખે છે
  • વ્યભિચાર, ખૂન અને બેહુદા કામો થી દૂર
  • નકામો ખર્ચ કરતાં નથી
  • અલ્લાહપાક ના હુકમો ધ્યાન દઈ સાંભળે છે

આખિરત - ૬૨૫

મરણ પછીના હિસાબ-કિતાબ માટે અલ્લાહ તાલાની અદાલતની સ્થાપના કરવામાં આવશે. જે માણસ ના નેકીઓના પાલ્લા ભારે થશે, તોતે મનમાન્યા આરામમાં રહેશે. જે માણસના પલ્લાં હલકાં થશે તેનું સ્થાન દોઝખનો ખાડો છે, જ્યાં કાયમી ધગધગતી આગ છે. આખિરતમાં તમારે કાર્યોનો જવાબ આપવો પડશે. જે માણસ ધન એકઠું કરે છે, ગણીગણીને રાખે છે તે ધારે છે કે તેનો માલ તેની પાસે સદા રહેશે તો હરગિઝ રહેશે નહીં અને તે માણસને ભાંગી તોડી નાખનારી આગમાં ફેકવામાં આવશે. (૬૨૫) આમ, આખિરત માં અલ્લાહ ન્યાય કરી મરનારને જન્નત કે દોઝખ આપશે.

(Al Akhirah – a Muslim term for the afterlife in Quran, explaining fate after death as judged by Allah.)

સત્કર્મો કરનારને જન્નત મળશે – જ્યાં બગીચાઓ હશે, છોકરાઓ સેવા કરશે + સ્વ્છ શરાબના પ્યાલા આપશે, મન ચાહયા પક્ષીનું ગોશ્ત ખાવા મળશે, પસંદગીના મેળા મળશે, મોટી-મોટી આંખોવાળી સુંદરીઓ મનમોહક અદા કરતી મળશે અને વ્યક્તિ રત્નજડિત તખ્તો પર બેસશે. (૫૩૭) ગુનેહગારોને સજા અને નેક લોકોને મજા. (૫૨૫)

વ્યાભિચાર ૩૪૦ / સ્ત્રી ના પડદાના નિયમો ૩૪૩ / મુસલમાન સ્ત્રીના ગુણો ૫૪૮
  • વ્યભિચારને ફોજદારી ગુનો ઠરાવીને તેની સજા ૧૦૦ સો કોરડા ઠરાવવામાં આવી.
  • જે વ્યક્તિ બીજા પર વ્યભિચારનો આરોપ મૂકે પછી પુરાવામાં ચાર સાક્ષીઓ ન લાવે, તેની સજા ૮૦ એંસી કોરડા ઠરાવવામાં આવી.
  • એકબીજાને ધારીધારીને કે છૂપી નજરોથી જોવાની સ્ત્રીઓ કે પુરૂષોને મનાઈ કરી દેવામાં આવી છે.
  • સ્ત્રીઓને બહાર નીકળે ત્યારે પોતાના સાજ-શણગાર છુપાવે અને અવાજ ઉત્પન કરે તેવા ઘરેણાં ન પહેરે.

ફરજિયાત લગ્ન 

સમાજમાં સ્ત્રીઓ-પુરુષો-ગુલામો સર્વે ને અપરિણીત કૂંવારા રહેવા દેવામાં ન આવે. કુંવારા થી નિર્લજ્જતા પેદા થાય છે. જેમના લગ્ન ન થયા હોય તેના કરાવે.

સ્ત્રીઓના પરદાના નિયમો - ૩૪૩

પોતાની નજર નીચી રાખે, પોતાના ગુપ્ત ભાગો સંભાળે અને પોતાના શણગાર જાહેર ન થવા દે. પોતાની ઓઢણી છાતી પર નાખી રાખે. ધીમે-ધીમે ચાલે, જેથી છુપા ઘરેણાં જણાઈ ન આવે.

મુસલમાન સ્ત્રીઓના ગુણો

ન કોઈ વસ્તુને શરિક ઠેરવશે. ન ચોરી કરશે, ન વ્યભિચાર કરશે, ન જૂઠી તોહમત લાવશે ન પોતાના બાળકોની હત્યા કરશે.

કત્લનો બદલો – કિસાસનો હુકમ - ૧૨૦

ઈરાદાપૂર્વક કતલ કરવામાં આવેલ સંબંધમાં બદલો (કિસાસ) લેવો ફર્ઝ કરવામાં આવ્યો છે. એટલે,
  • ૧. દરેક આઝાદ પુરુષને બદલે આઝાદ પુરુષ
  • ૨. ગુલામને બદલે ગુલામ
  • ૩. સ્ત્રીને બદલે સ્ત્રીની
- કત્લ કરવામાં આવે.

માફી (દિય્યત): જો હત્યા કરનારને હત્યારાને માફી આપવામાં આવે તો, યોગ્ય રીતે માલની માંગણી કરવી જોઈએ. અને હત્યા કરનારે ખૂનના બદલાને ભલાઈ સાથે તે હકદારો પાસે પહોંચાડવો જોઈએ. ખૂની ને બદલે બીજાની કત્લ કરવી યોગ્ય નથી. (દિય્યત : ખૂનના બદલા તરીકે માલ-મિલકત લેવા રાજી થવું તે.)

ફત્વા

ફત્વા એટલે ધાર્મિક હુકમ કે આદેશ. ફત્વા કુરાને શરિફની આયતોના સામાજિક કે આધ્યાત્મિક અર્થઘટનો સમજવા-મસ્જિદના ઈમામ (નમાઝ પઢાવનાર વ્યક્તિ) દ્વારા કે આલીમો (જ્ઞાની) દ્વારા-બહાર પડતાં આદેશો કે હુકમોને ફત્વા કહે છે.

ફત્વા રાજકારણ કે ચોરી કે વિવિધ વર્તનો બાબત હોતા નથી. આવા આદેશો કોઈ ગૂઢ ઈસ્લામિક બાબતોનું અર્થઘટન ન હોવાથી ફત્વા કહેવાતા નથી. ઈસ્લામનો ખોટો અર્થ છે. ફત્વાનું આ રીતે અવમૂલ્યન ન કરીએ. (પ્રો, મહેબૂબ દેસાઈ)



આ બધા વિષયો વિગતે વાંચ્યા પછી કહી શકાય કે કુરનનો સાર આ મુજબ છે. આ સાર સન્માનનીય ઈતિહાસકાર પ્રો. ડો. મહેબૂબ દેસાઈ એ આપણને લખી જણાવ્યો છે.


ઈસ્લામ ધર્મ ના લક્ષણો

૧. જકાત - ૨.૫%

૨. ખેરાત - મરજિયાત દાન.

૩. રમઝાન - રોજા ઉપવાસ.

૪. દીકરીનો જન્મ ખુદાની કૃપા.

૫. સ્ત્રીઓ સાથે વિવેક પૂર્ણ વ્યવહાર.

૬. વિધવા અને તેના બાળકોને મદદ

૭. ઊંચનીચના કોઈ ભેદો નથી.

૮. બીજા ધર્મી સાથે હંમેશા સદ્દવ્યવહાર.

૯. શરાબ (દારૂ) અને જુગાર ની મનાઈ.

૧૦. મજૂરનો પસીનો સુકાઈ એ પહેલાં મહેનતાણું ચૂકવો.

૧૧. ઈર્ષા અને ગીબત (કોઈની ટીકા ટિપ્પણી કરવું) મોટા ગુનાહ છે.

૧૨. તમારાથી આમિરને ન જુઓ- ગરીબને જુઓ.

૧૩. નૈતિક અર્થાત હલાલ કર્યો જ આચરણ માં મૂકો.

૧૪. પાણીનો નિર્થક વ્યય ન કરો.

૧૫. રસ્તે અડચણરૂપ વસ્તુ જાતે જ દૂર કરો.

૧૬. સ્ત્રી સન્માન. અજાણી સ્ત્રી પર નજર ન કરો.

૧૭. નાપતોલમાં બેઈમાની ન કરો.
 





પવિત્ર કુરાન સારાંશ 
  • પુસ્તકનું નામ: પવિત્ર કુરાન સારાંશ 
  • સંપાદન : (અવ.) ઈકબાલ મુહમ્મદ ટંકારવી (સા.), ઈદગાહ રોડ, ભરુચ - ૧ 
  • પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 18-Nov-2020
  • પાનાં : ૬૪૯  
  • પ્રકાશન વર્ષ : ૨૦૧૧ 

Soulful Simplicity - Book Review

How long can a book review of a 230+ pages book be considered ideal? I was not sure, so I ignored this and summarised it in my way. 

The author Courtney Carver was diagnosed having 'multiple sclerosis' – a gradually increasing and killing disease. She did not surrender, instead, she decided to live life debt-free, clutter-free, mostly stress-free, and this way she found out the purpose of life. To our surprise, she got cured of the disease. 

She shared her experience in this book talking about soul by 'hand to heart exercise' and simplicity in 'Project 333'. Let us see both and understand the book. 

Exercise 1: Hand To Heart Exercise

Put your hands on your heart. 
  • Time: Choose a time each day when you can sit alone for a few minutes. You may light a candle. Keep a pen and paper nearby to jot down thoughts. 
  • Sit: Sit comfortably on the floor, on a chair, on your bed or anywhere you feel comfortable. 
  • Silence: Try practising in silence or with soft music. 
  • Breathe: Breathe in through the nose and out through the mouth. 
  • Eyes: Close your eyes or turn your gaze down, and continue focusing on your breath. 
  • Hand on heart: Place one hand on your heart and cover the hand with the other hand. Feel the heart beating. Feel the warmth of your heart and your hands. 
Start a conversation with your heart. Be open, curious and compassionate with yourself. 

After putting hands on heart, start a conversation with heart ask questions that come up and be open to answers. Keep practising. Listen and trust your heart. She knows things it’s your right and responsibility to remember who you are.

PLEASE,
SIT,
SETTLE &
LISTEN TO HEART.

My Heart’s Mission Statement

My mission statement describes how I want to live. When I forget my soul and get caught up in the show or begin to lose myself. I come back to my heart’s mission statement. 
  1. I work towards full clarity on what is most important by getting rid of everything that is not. To matter, they must support health and /or love in my life. 
  2. I reject perfection, comparison & competition.
  3. I do not resent the past or let the future dictate my present. I am firmly rooted in my present and to support that I take time to hear into my heart and feed my soul. 
  4. The quiet messages from my heart and soul guide my decision making in life & work. I trust myself to know what feels right and good usually is right and good. 
  5. I lift myself with good food, meditation, movement and creativity, so I can lift the people around me including my family, close friends and anyone also who needs something as simple as a smile and as complex as a massive change in their life, or work. Yes, think of your mission statement as a soul's face breathe work that guides you.

Exercise 2: Project 333

Here the author challenged herself to dress with thirty-three items or less including clothing, jewellery, accessories and shoes. 
  • She did not count underwear, sleepwear, around the house to wear or workout gear. 
  • Some may feel this challenge as weird, crazy or impossible. 
  • What is important is who I am and not what I wear. 
  • In fact, this project has more to do with health, happiness and heart and less to do with fashion or clothes.
  • We are spending money on what we don’t have, on clothes, we don’t wear. 
Lessons learnt after three months.
  1. I need way less than I think to be happy. 
  2. No one cares what I am wearing. 
  3. Deciding on what to wear requires mental energy (Decision fatigue) better spent on other things. 
  4. A simple closet is a gateway to a simple life.
  5. By eliminating everything that does not matter I finally know what matters, it’s love. 
  6. Home becomes a living space instead of store space.
Technique: This is the closet purging and de-cluttering battle. 
  • Round one: Empty your closet. Dump all on the bed. Take a break. 
  • Round two: Once you have thirty-three picked out, get everything else out of sight. 
As the wardrobe becomes less interesting, life becomes more interesting. 

Wanting More
The more I worked, the more I made. And the more I spent and I wanted even more!

Filling every moment with stuff and busyness makes one sick. When you work outside of your heart, there will always be a break-up, a breakdown or both. One of the reasons we keep our lives so complicated is so we don’t have to listen to our inner voice telling us what we need to do to make our life work better. 

With all these thoughts, the author learned that you can be more with less. You can embrace a simpler life and soul flames within it. Enough is enough moment has to come to learn the power of simplicity and connect heart to heart. You get more health, space, time and love by choosing less. 

Courtney Cover was diagnosed with MS (multiple sclerosis), a killing disease. She decided to fight for her health and win. She is happy and symptom-free today. 

Soulful Simplicity 

With soulful simplicity and living with less my life has become more than I ever imagined. 
Instead of more money, more stuff, more busyness, and more stepping outside of myself to be who other people may need me to be, I am enjoying a different kind of more.
  • I am more myself and more connected to my heart. 
  • I am more available for people I love and projects I care about.
  • I am more present and focused.
  • I have more space, time and love in my life along with all of the other mores I craved for so long.
The changes started on the outside while the real work was happening on the inside. Give yourself all the space, time and love you need to remember who you have let us see how soulful simplicity works for us after learning hand to heart exercise and project 333. 

I am sure, it will open the door to a new philosophy of life. 

Action For Soulful Simplicity

After learning the basics of the two exercises, we need to advance more by learning more about life. Here are the details: 
  1. Be more with less 
  2. Do the things you do not want to do 
  3. Best friends, envy and lie
  4. Shopping
  5. Wake-up calls for you need to change 
  6. Art of saying ‘No’ 
  7. Smile 99
  8. 21 days busy boycott challenge 
  9. Sabbath
  10. Do more with less
Be More With Less

Be more you – yourself. Give yourself all the space, time and love to remember who you are. Living with less clutter, busyness, stress and simplifying your life will help you make the room to do what you need to do. Simplifying my life gave me space, time and love to be more with me. 

Do Things You Do Not Want To Do

Eating greeds.
  • Walking: Take a walk every day – preferably outdoors
  • Sleeping 7-8 hours: Prioritise sleep
If you want to get out of your slump or if you feel stuck, try something you have never done before or something that you do not want to do. 

Best Friends

My best friend is a magical rooftop sunrise, the ocean, a hike in the mountains, a peaceful afternoon, a good book, laughter and seeing the world.
  1. Envy: Envy shows you when somebody has something you wish you had. 
  2. Lie: When you lie about something, you are showing yourself. There is something that is not right in your life. 
Shopping
If you have to step outside of yourself, away from your values and soul to get your needs met, then you are not going to get your needs met. - Danielle La Porte
Shopping is for what you wanted or needed, but it is not for numbing your pain. So for pain, take care of yourself and don’t go buy things. Instead of going shopping,
  • Take a walk
  • Go for yoga 
  • Call a friend 
  • Make a smoothie
  • Get a message 
  • Sleep for an extra hour
  • Write 
  • Meditation 
  • Send a thank-you note
Three Shopping Mantras:
  1. I do not have to buy this today. 
  2. I can return that. Do not hold on to something that makes you feel bad. 
  3. I have paid enough. Accepting this allowed to cut ties between emotion, shopping and holding on. 
I do not value material objects anymore. I value people, places and experiences. I will never purchase something because I want to portray a certain level of success or character quality I wish I had. 

Without love for yourself, and love for how you live, and who you spend your time with, the drugs aren’t going to be helpful for long, if ever. 

Identify your wake-up calls for the need to change. 
  1. If you are constantly self–medicating with food, shopping, alcohol, tv or other distractions
  2. If you are worn down, beat up, stressed out or completely depleted
  3. If you never put yourself first
Such symptoms tell to wake up and know it as a time to change. Each change she made to simplify her life, she found less stuff - more love. 

Once simplifying your life becomes a matter of heart, you will connect with like-minded people and find the strength you need to let go of the clutter, busyness, and all of the other things standing between you and simplicity. 
  1. Yoga (Savasana + Pranayam): Take a deep breath in through your nose and release it through your mouth. It will release stress, anxiety, excitement or frustration.
  2. Let go.
  3. Stop comparison. 
Sigh Warner calls it 'SIGH' - Sitting In God’s Hands!

Saying ‘No’ Is An Art

Saying no is no easy feat, especially for kind, generous souls, for people pleasure and for the people who are used to saying yes to everything. 

Saying yes when your heart says no is a disservice not only to you but to everyone you say yes to. You won’t give your best and you may end up resenting the commitment or the person who asked you to commit.

Here are techniques for saying ‘No’:
  1. Be grateful and graceful while saying ‘No’ 
  2. Be clear: when you know it’s a no, say no. 
  3. Keep short: ‘No’ is a complete sentence. No long explanation or sorry are needed. 
  4. Try a “yes” fast: commit to saying no to every request for thirty days. Practice the loving no over and over again. 
  5. Say no to guilt following no: Dump the guilt around not doing someone’s work. Believe in yourself and what you know is best for your life and say no to guilt. 
Creating a life with fewer decisions and distractions will dramatically improve your health, work and relationships. 

Smile 99

Make a life that makes you smile at least ninety-nine times a day. Commit to smiling when you wake up and before you get out to bed.

Meaningful morning routine: Instead of snooze, snooze or no, I am getting late, coffee, shower, a kid in the car, start the day half asleep running late and frantic, make a meaningful morning routine. Use the first five minutes for yoga, the second five minutes for writing and the last five minutes for meditation. Before you begin a day feed yourself first with these three. You can change the list of habits, either yoga, writing, meditation, walking, reading, or hands-on heart practice. 

21 Days Busy Boycott Challenge 
  1. Day 1-7: Ban the word 'busy' from your talk and vocabulary. Stop saying 'I am too busy.' To avoid the word 'busy'. Use other sentences like how are you? What made you smile today? Did anything interesting happen today?
  2. Day 8-14 (Do less): Eliminate one thing from your to-do list. Stop comparing your lists, your life & your love. 
  3. Day 15-21 (Linger longer): It’s ok to be still and stop listening to your heart. There is no guilt in self-care. Savour good food, conversation and beautiful views. Fall in love. Smile. Breathe and then fall in love again. 
Sabbath

A day of the week for rest and prayer: Sunday in Christians, Saturday in Jews and Friday in Islam. 

The fruitful uselessness of rest, play and delight can be on a Sabbath morning. Wake up but do not get up. Do something delightful. 
Use your imagination, be frivolous, be daring. Invent rituals. Do nothing of significance. - Wayne Muller (Author: Sabbath) 
We are weary because we do not rest. On weekends, we go grocery shopping, banking, cleaning, laundry, washing the car, entertaining, TV viewing, e-mails. Yes, they are necessary, but, when do your body, mind and soul get to rest? 

Stop distractions:

Make it a 'Digital Fast'. Hundreds of TV channels, e-mails, magazines, billboards, social media platforms, like Facebook, Twitter and WhatsApp. 
  1. Schedule your Sabbath
  2. Tell the world you won’t be available 
  3. Put anything in the Sabbath box that you don’t want to use:
    • phone, tablets, digital devices
    • mentally put in a box: car washing, meditation etc. 
    • write on paper to put in a box: worries and things left undone
  4. Time out: eat when you are hungry, drink when you are thirsty and sleep when you are tired 
Be More With Less

Better connect with people you love and enjoy your life. 

Several grateful reminders:
  1. If you are always getting ready for the next thing, how will you ever enjoy this thing?
  2. Remove the things that remove you from life. 
  3. Create some time to spend your life the way you want to spend your life. 
  4. If you want a real connection and an honest answer, check your heart more than you check your phone. 
  5. You are allowed to protect your time and energy. 
  6. When all of your free time is spent catching up or getting ahead, that’s not the free time to be free. Use your free time, to be free!
  7. Simplicity does not change who you are, it brings you back to who you are. 
I am sure if you have read all that I wrote, you are an enlightened person by now. 

Yes, do not wait to start your search for 'soulful simplicity'. Best of luck! 




Soulful Simplicity
  • Book TitleSoulful Simplicity: How Living with Less Can Lead to So Much More
  • AuthorCourtney Carver
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 20-Jul-2020
  • Pages: 256 pages
  • ISBN-100143130684
  • ISBN-13978-0143130680