Showing posts with label speech. Show all posts

[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન 
સુખનું સરનામું” 
૩૧ ડિસેમ્બર, ૨૦૨૩
બીલીમોરા





વૃદ્ધાવસ્થા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન 




આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન.

આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.

આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.

2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.

મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?

મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.

આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.

કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.

હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-

વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?

ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
  • સહજતા- Naturality
  • સરળતા- Straightforwardness
  • સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
જીવનના અંતિમ પાડવામાં મિત્રો અવારનવાર મળવા માટે અવારનવાર નવા પ્રસંગો યોજાવા જરૂરી છે. આ મહાસંમેલન પછી શું? સાદો જવાબ- વહેલી તકે આવું જ બીજું અધિવેશન- મિત્રો, ૨૫૦ રૂપિયા સભ્યફી રાખીને ₹700 નો વ્યક્તિ દીઠ ખર્ચ કરવાનો હોય ત્યારે સમાજ પાસે દાનની ટહેલ નાંખવી પડે-

એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-

તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.

  1. મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
  2. પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
  3. લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
  4. સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
  5. ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
  6. આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.

શ્રીમતી નલીનીબેન, શ્રી કિરણભાઈ શ્રી આર.જે. પટેલ ડૉ. ઉમાકાન્ત શેઠ, શ્રી અજીતભાઈ ચૌહાણ તથા શ્રી ભાણાભાઈ તલાવીયાને અને આવકારું છું.

ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ. 

જય હિન્દ!




31 ડિસેમ્બર, 2023
બીલીમોરા 

[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન



મને ખબર છે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તેઓ -
  • વડીલ (Elderly)
  • વરિષ્ઠ (Seniors) અને
  • વયસ્કો (Aged) છે.
મને ખબર છે તેઓ જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા, અનુભવસિદ્ધ અને પ્રબુદ્ધ શિક્ષિત છે. ત્યારે સલાહ કે માર્ગદર્શનનો કોઈ અવકાશ નથી.

હું ફક્ત વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુનું મનોમંથન રજૂ કરીશ અને આ વિષયક મારા વિચારો અને પ્રશ્નો રજૂ કરીશ. આથી તમારી વૈચારિક પ્રક્રિયાને ધક્કો લાગશે અને જવાબ તો મને ખબર જ છે!

સમૂહજીવન

બહુ લાંબે ન જતા, કદાચ ૫૦-૬૦ વર્ષો પહેલા ફક્ત આપણા બાળપણમાં, આપણે સૌ આઠ-દસ-પંદર વ્યક્તિઓ જેમાં દાદા-દાદી, મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી જેવા સૌ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સમૂહજીવન આપણે માણ્યું છે. પરંતુ હવે પોતાના બાળકોથી જુદા રહેતા વૃદ્ધ માં બાપો હવે એકાકી જીવન જીવે છે.

ત્યારે,
  • એકલતા (Loneliness)
  • હતાશા (Depression) અને
  • દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે.
વર્તમાનમાં પોતાનાને પારકા માનવાની ટેવે આપણને એકલપેટા અને સ્વાર્થી બનાવી દીધા છે.
  • શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું?
  • શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્રામાણિક ભાવથી જીતી ન શકીએ?
  • શું એક નાનું પણ હૃદયના તાર ઝણઝણાવે એવું મિત્રમંડળ ન બનાવી શકીએ? સાથે વાતચીત કરીએ, લાગણીઓ અને સમસ્યાઓની ખુલ્લા દિલે ચર્ચા ન કરી શકીએ?
સાથે મળવું, પ્રવાસ કરવા, ચિત્ર નાટક- સિનેમા જોવા કે ઘરે અથવા હોટલમાં સાથે ભોજન ન કરી શકીએ?


પૈસા (Money Management)
  • વૃદ્ધાવસ્થામાં આપણે પૈસા કેમ સંગ્રહ કરી રાખીએ છીએ? ખર્ચવાથી કેમ ગભરાઈએ છીએ?
  • શું આપણે છેલ્લા સમયની માંદગીની સારવાર માટે મરણમૂડી તરીકે બચાવી રાખેલ છે? એ કામ તો મેડિક્લેમ દ્વારા પણ થઈ શકે.
  • શું આપણને ખાતરી છે કે મરણ સમયે વધેલા પૈસા સાથે લઈ જઈશું?
  • શું બાળકો સ્વમહેનતે જરૂર પૂરતી કે વધારે આજીવિકા માટે સક્ષમ નથી એવી ગેરમાન્યતા છે?
  • કદાચ બાળપણથી ગળથૂથીના સંસ્કાર મુજબ Simple living and high thinking ની માન્યતાને કારણે બચતને જ જીવન ધ્યે બનાવ્યો છે?

વિચારો

આનંદ, મોજમઝા, સુખ માટે ખર્ચ ક્યારે કરીશું?

મૃત્યુનું મનોમંથન: મૃત્યુ અવશ્યંભાવી છે. Death cannot be prevented. The truth is we are mortal. ત્યારે મૃત્યુનું માનપૂર્વક વિદાયનું આયોજન ફરજિયાત છે. તેની નોંધ, તે Medical Will કે Living Will! 

આખરી વિદાયના બે રસ્તા છે.
  1. હોસ્પિટલના ICU માં એકાંતમાં Ventilator, Gastric Tube, Catheter અને વિવિધ મશીનો વચ્ચે વિદાય લેવી છે? કે,
  2. ઘરે (at home) સ્વજનો વચ્ચે શાંતિથી, આનંદપૂર્વક, ‘I love you’ કે ‘I am sorry’ કહીને, વાતચીત કરતા કરતા પરમધામનો પ્રવાસ કરવો છે?
આ બાબતનો નિર્ણય, અપેક્ષા સ્વજનોને લેખિત કે મૌખિક કહેવાની કળા તે - મેડિકલ વીલ.

અહીં આપણે બે બાબતોનો નિર્ણય જણાવવાનું છે.
  1. સારવાર: અંતિમ તબક્કાની માંદગી સમયે (Terminal Illness) નીચે ચાર બાબતો હા કે ના કહેવું
    • DNR - DO NOT RESUSCITATE:
      • હૃદય બંધ પડે તો CPR કે કૃત્રિમ રીતે ચાલાવવું કે નહીં?
    • DNS - DO NOT SUPPORT:
      • ખાઈ ન શકાય એવી સ્થિતિમાં ખોરાકનળી (Gastric tube) કે પ્રવાહી દ્વારા IV FLUIDS આપીને દાખલ કરવો કે નહીં?
    • DNI - DO NOT INTUBATE:
      • અંતિમ સમયે VENTILATOR પર રાખવું કે નહીં? કેટલા દિવસ?
    • DNH - DO NOT HOSPITALISE:
      • હોસ્પિટલમાં દાખલ કરવું કે નહીં?
  2. દેહદાન-અંગદાન-ચક્ષુદાન બાબતે પોતાને મરજી છે કે નથી?

સમાપન

છેલ્લી વાત - ખોટી ચિંતા છોડી આનંદપૂર્વક રહેવા ભગવદ્ ગીતાએ બે રસ્તા સૂચવ્યા છે:
  1. સાક્ષીભાવ (Be witness only): કાર્યના પરિણામ માટે કર્તાભાવ છોડો - ફક્ત સાક્ષી બનો.
  2. સંપૂર્ણ શરણાગતિ (Total surrender)
ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી સંપૂર્ણ રીતે શરણે જાવ. આનંદીપણું, સુખ અને તંદુરસ્તી જળવાશે જ.
આજ આપણો વાનપ્રસ્થાશ્રમ
આ જ આપણો સન્યસ્તાશ્રમ


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
અમલસાડ વિભાગ વરિષ્ઠ નાગરિક મંડળ 
એચ. ડી. એમ. એસ. હાઈસ્કુલ, અમલસાડ
૯-૧૨-૨૦૨૩

[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો



ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે 

શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩

[Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023) 

વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય
IKIGAI – Purpose Of Life

ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો.

શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ.

વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે.

આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે –

મેસ્લોનો નિયમ
  1. મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે. 
  2. બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની સુરક્ષા – સલામતી. આ પ્રાથમિક જરૂરિયાતો પૈસાથી પુરી થઈ શકે છે. 
  3. પ્રેમ, હુંફ, પોતાપણું જેવી માનસિક જરૂરિયાતો સગાં-સંબંધી અને મિત્રો જ પુરી પાડી શકે. 
  4. આત્મસન્માન (Self Respect)
  5. જીવનધ્યેય સમાન અંતિમ પગલું આત્મબોધ–સંસારમાં રહીને સન્યાસ્તાશ્રમ–અપેક્ષા ઘટાડીને, ભૌતિક સુખોનો ત્યાગ કર્યા પછી કુદરત સાથે તાદાત્મય સાધવાની, એકરૂપ થવાની ઈચ્છા–પ્રક્રિયા અહીં છે. ઈશ્વર સાથે અનુસંધાન–મંત્રજાપ–મેડિટેશન અને નિસ્વાર્થ સમાજ સેવાથી જ મળે. 
નિવૃતિમાં પ્રવુત્તિ
  1. વ્યવસાયિક પ્રવુત્તિ 
    • જરૂરિયાત અથવા ઈચ્છા અનુસાર પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કે સ્વયં રોજગાર વિચારી શકાય. તેમાં માર્કેટિંગ ટ્યુશન કે કન્સલ્ટન્ટ જેવા સ્વયં રોજગાર પણ છે. 
  2. સર્જનાત્મક – રચનાત્મક વ્યક્તિગત પ્રવુત્તિઓમાં જોડાવું.
    • સ્વૈછિક સંસ્થાઓ – હોસ્પિટલ, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ ખાતે મુલાકાત–દાન–સેવા. બાળકો/ પ્રૌઢોને ભણાવવા.
    • વ્યક્તિગત પ્રવૃત્તિઓ– બાગ–બગીચા, દરિયાકિનારો, નદીકિનારો કે પર્વત જેવા કુદરતી સ્થળોની મુલાકાત – વેકેશન –પ્રવાસ–નાટક–સિનેમા જોવા જવું–મેડિટેશન–વાંચન– સંગીત સાંભળવું–ટીવી જોવું–ચાલવું–કસરત કરવું–મિત્રો સાથે મુલાકાત– રમત-ગમત.
જીવનસાથીનો સાથ ઘૂંટવું

પરિસ્થિતીનો સ્વીકાર એકમાત્ર માર્ગ છે.
  • પરિવાર મિત્રો અને સમાજના સધિયારે અનુકૂલન સાધવું.
  • બીજું લગ્ન પણ વિચારી શકાય.
  • રોતલપણું કે કરુણાતા કોઈને ગમતા નથી. 
  • સંતાનો પર નિર્ભરતા
કોઈને પણ સંતાનો પર નિર્ભર રહેવું ગમતું નથી. તેથી લઘુતાગ્રંથિ આવે છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે માર્ગ કાઢવો.

વસિયતનામું

વસિયતનામું અનિવાર્ય છે, તે તાત્કાલિક ધોરણે બનાવવું – વસિયતમાં સરળ ભાષા વાપરો. વહેંચવાની જમીન કે ઘરેણાંની કિંમત જણાવો, જેથી રોકડમાં ભાગ વહેંચી શકાય. લખતી વખતે ન્યાયી અને વિરક્ત બનો.

મેડિકલ વિલ (લિવિંગ વિલ)

અંત સમયની માંદગી વખતે:
  1. હ્રદય અટકી જાયતો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં?
  2. ઓક્સિજન વેન્ટિલેટર લગાવવું કે નહીં ? કેટલા દિવસ ?
  3. ખાઈ ન શકાય તેવી સ્થિતિમાં જઠરમાં નળી મૂકવી કે નહીં ? નસમાં પ્રવાહી આપવું કે નહીં?
  4. હોસ્પિટલ લઈ જવું કે નહીં ? આ બાબતોની સ્પષ્ટતાનું લખાણ કરવું.
મૃત્યુ પછી અંગદાન–ચક્ષુદાન અને દેહદાન વિષે સંમતિ કે નાસંમતિ જણાવવી.

આ બધી ચર્ચાનો સાર, વરિષ્ઠ નાગરિક જીવન સુખેથી અને આનંદપૂર્વક જીવવા હસતાં રહો – વ્યસ્ત રહો – સત્કાર્યો કરતાં રહો.

ડો. ભરત એમ. દેસાઈ 
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
7 જૂન 2023

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો,

સાદર વંદન.

બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું.

મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું.

કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ.

1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આપસર્વનો પ્રેમ, ભાઈચારો અને લાગણીનો હ્રદયસ્પર્શી અનુભવ માટે મને યોગ્ય શબ્દો મળતા નથી. આપ સૌએ મને સાચવ્યો છે.

2. મંત્રિશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ, સહખજાનચીશ્રી અને ક્લબના આધારસ્તંભ ગિરીશભાઈ દેસાઈ, સંગીત વિભાગના અધ્યક્ષ મારા ખાસમિત્ર સુરેન્દ્રભાઈ પારેખ, અશોકભાઈ રાય, અનંતભાઈ દેસાઈ, ગીતાબેન મહેતા અને કલ્પનાબેન વ્યાસ. ૯૩ વર્ષે સક્રિય પ્રમુખ માર્ગદર્શક પ્રો.બી.એચ.પટેલ, શ્રી બચુભાઈ જોશી, શ્રી બાબુભાઇ જોશી, દયાળજીભાઈ–ઈન્દુબેન, મારા બહેન કુસુમબેન ભગત, અરુણા, કૌશિકભાઈ, અવિનાસભાઈ ઉપાધ્યાય ઝવેરભાઈ કેવત, બલરામ છટવાણી, ભગવાનદાસ વટવાણી, કેશવભાઈ અને ઝીણાભાઈ અરુણાબેન વશી, રક્ષાબેન બક્ષી, પ્રિ. કુસુમબેન દેસાઈ - મેં કહ્યું તેમ “આપ સૌ મારુ કાર્યબળ છો – માનસબળ છો.” હા, શ્રીમતી સાવિત્રીબેન વશીનું અનાવિલ જાજરમાન વ્યક્તિત્વ મને હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છેલ્લા રૂ. 25,000 ઉમેરતા રૂ. 71,000 દાન કોણ આપે? એવા જ બીજા વડીલ સુશિલાબેન નાયક દર વર્ષે તેજસ્વી તરલાઓને ઉપયોગી ભેટો અને પુસ્તકો આપે છે, જે તેમની દરિયાદિલી બતાવે છે.

ઘણા બધા સભ્યોનો આગ્રહ હતો કે, હું પ્રમુખપદે ચાલું રહું. આ તેમનો મારે માટેનો પ્રેમ–આદર અને કાર્યપ્રણાલી માટેની પ્રશંસા દર્શાવે છે. આ માટે આપ સૌનો હું ઋણી છું. પરંતુ મેં મેડિકલ એસો., લાયન્સ ક્લબ, ભારતીય વિચાર મંચ, એલાયન્સ ક્લબ, જેવી ઘણી સંસ્થાઓમાંથી આજ રીતે પ્રમુખ તરીકે સન્માનનિય કાર્યો કરીને યોગ્ય સમયે વિદાય લીધી જ છે. કારણ, પરીવર્તન – Change – અનિવાર્ય અને ફરજિયાત છે.


નવા પ્રમુખો, મંત્રીઓ, કાર્યકર્તા નવા વિચારો – નવા કાર્યક્રમો અને સંસ્થાનો વિકાસ તેમની મનનીય રીતે કરતાં જ હોય છે. અને તે આશાવાદ – ખાત્રી સાથે પ્રમુખપદ છોડું છું. આમ પણ હું તમારી સાથે અને બિલકુલ સક્રિય જ છું. હા, નવા પ્રમુખ અને તેમની ટીમની મર્યાદા અને સન્માન ની ખાસ કાળજી રાખીશ. ચાલો, ઊર્મિલાબેન, સુરેન્દ્ર્ભાઈ, બલરામભાઈ, ડો.ભાવના, પી.એ.પટેલ સાહેબ, અને પ્રો.બી.એચ.પટેલને બિરદાવીએ. 

કુટુંબનો સમય ક્લબને ફાળવવાની છૂટ આપવા પત્નીશ્રી ડો.ભાવનાબેનનો ખાસ ઋણસ્વીકાર કરું છું. મારા સાહસોનું એ પ્રેરણાબળ છે. 

આનંદી – સુખમય ભવિષ્યની પ્રાર્થના સાથે, જય હિંદ. વંદે માતરમ!

ડો. ભરત દેસાઈ
૧૯/૦૩/૨૦૨૩

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.

આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદીનો અમૃત મહોત્સવ
પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત

બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્‍નારીઓ.

શુભ સવાર. સૌને નમસ્કાર.


આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો.

કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત.

એક મુઠીભર ધ્રિટીશરો સામે તે વખતના ભારતના લોકો ભેગા «ન થયા તે લડત ના આપી, પરિણામ અંગ્રેજોએ ફૂટનીતિ વાપરીને દેશને દુર્દશની ગતિમાં ધકેલી દીધો. દેશનું અમૂલ્ય નાણું, સંપત્તિ તેમજ યુદ્ધમાં વાપરવામાં આવતાં માનવધનનો ધ્રિટીશરોએ ખૂબ જ દુરુપયોગ કર્યો.

અહીં સામે ઉપસ્થિત વરિષ્ઠ મિત્રો, અભ્યાસુ, તજૂજ્ઞ અને અનુભવથી ઘડાયેલા છે. તેમની સમક્ષ હું આઝાદીનો ઈતિહાસ, ભારતની સિદ્ધિઓ, ભારતની નાલેશીઓ અને ભારતના આજના પડકારો વિશે થોડી વાતો કરીશ.

આ ઇતિહાસ અને તેની ઘટનાઓને તમે પાછા યાદ કરશો અને માણશો. આ બધી સાચી માહિતીઓ અને સત્ય કથાઓ પર આધારિત પ્રવચન છે. એમાં કદાચ રોમાંચ ના પ્રકટે, રસ ન પડે, પણ માહિતીનું આદાનપ્રદાન જરૂર થશે.

'દે દો હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ' એવું કવિ પ્રદીપજી ગાંધીજીની અહિંસાને અંજલિઆપવા લખે, એ બરાબર છે. પરંતુ આઝાદી માટે દાયકાઓથી ચાલતો સંઘર્ષ પૂર્ણાહૂતિ સુધી શી રીતે પહોંચ્યો તે સમજવા કવિતાઓ કે દંતકથાઓ કામ ન લાગે, કારણ કે તે પ્રક્રિયામાં સંકળાયેલા છે : અણગમતાં સમાધાન, કારમા આઘાત, ભોગ-બલિદાન, વ્યૂહ રચના, શતરંજ, દેશપ્રેમ સાથે કુનેહની આકરી કસોટી, વાટાઘાટો અને આઝાદીને ગજવામાં ગણતાં લોકોને અંદાજ પણ ન આવે એવા પડકાર.

૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારત પરથી અંગ્રેજ સત્તાનો સકંજો દૂર થયો, ત્યાર પહેલાંનો સમય ફિલ્મી લાગે એવાં વળાંકો - પ્રસંગોથી ભરપૂર છે, પણ તે મોટાભાગના લોકોથી મહદઅંશે અજાણ્યો રહ્યો છે.

૧૯૧૫માં ગાંધીજી ફિનિક્સ-સાઉથ આફ્રિકાથી તેમના પંદર શિષ્યોને લઈને મુંબઈ બંદરે ઉતરે છે. ત્યાંથી થોડોક સમય કાંગડી ગુરૂકુલ જઈ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અને કાર્યપ્રણાલિઓનો અભ્યાસ કરી ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિન્તિકેતન કલકત્તા જાય છે.

રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીથી ૮ વર્ષ મોટા હતા. રવિન્દ્રનાથના 'એકલો જાને રે, તરી હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે! ગીતથી ગાંધીજી બહુ જ પ્રભાવિત થયા હતા. રવિન્દ્રનાથનાં બીજા બંગાલી ગીતો અને 'ગીતાંજલિ'નાં ભાવવાહી ગીતો ગાંધીજીને ગમ્યાં હતાં. રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં થોડાક મહિના ત્યાંનુ માળખું અને બીજું ઘણું બધું શીખવા રહેવા માટેની ફિનિકસથી પરવાનગી માંગી હતી.

રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના ફિનિક્સનાં કામોથી ન્યૂઝ પેપરતાં અહેવાલોથી જાણીતા હતા. વળી તે બંને વચ્ચે ઘણાં પત્રવ્યવહાર પણ થતા હતા. રવિન્દ્રનાથ ગાંધીજીને “મહાત્મા નાં સંબોધનથી બોલાવતા હતા અને ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને 'ગુરૂદેવ' કહી સંબોધતા હતા.

ગાંધીજી એમના શિષ્યવૃંદ સાથે શાંતિનિકેતન જાય છે. ત્યાં રવિન્દ્રનાથને ત્યાં રહેતા તેમના એક ચાહક કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મળે છે.

ગાંધીજીની અહિંસાથી આઝાદી મેળવવાની વાતોથી કાકાસાહેબ પ્રભાવિત થતા નથી. "મને  તમારી અહિંસાના આંદોલનથી આઝાદી મેળવી શકાય એ બાબતનો વિશ્વાસ નથી."

ગાંધીજી કહે, "હમણાં થોડોક સમય હું અહીં રહેવાનો છું. થોડાક મહિના પછી હું નવો આશ્રમ ચાલુ કરવાનો છું. ત્યાં તમે મારી સાથે રહો. ફાવે તો ઠીક, નહીં તો પાછા ચાલ્યા જવાનું."

ગાંધીજીની સાદગી, સુતરાઉ જાડાં કપડાં, કાઠિયાવાડી જેવો ફળિયાવાળો ડ્રેસ, જાતે મહેનત કરી બીજાની વાત ધ્યાનથી સાંભળવી એ કાકાસાહેબને ગમ્યું. એમણે મુઝફરનગરમાં રહેતા એમના એક પ્રોફેસર મિત્ર કૃપલાણીને તાર કર્યો “તમે અહી કલકત્તા શાંતિનિકેતનમાં આવી જાઓ. મોહનદાસ ગાંઘી કરીને એક આદર્શવાદી વ્યક્તિને તમને મળવાનો આનંદ થશે. દેશ માટે મરી કીટે અને અહિંસામાં માનનારો આવો વ્યક્તિ જોવા નહીં મળે.

કુપલાણી શાંતિનિકેતન આવે છે. તેઓ ગાંધીજી માથે ચર્ચા કરે છે. ગાંધીજીને કહે છે "મેં કોલેજમાં ઇતિહાસ ભણાવ્યો છે અને ભણાવું છું. કોઈ પણ દેશની કાંતિ અને આઝાદી માટે હિંસા વગર કશું શક્ય નથી. હું તમારી વાત કેવી રીતે માનું?”

ગાંધીજી કહે, "તમે ભાઈ, ઈીતેહાસ ભણાવો છો, હું તો ભારતની આઝાદી માટે ઈીતેહાસ રચવાનો છું, કે જેમાં અહિંસક આંદોલન, અસહકાર, અન્યાય સાથે ઝઝુમવાનું, સત્યનું આચરણ કરવાનું, ને ઉપવાસથી સામેવાળાનું મનોબળ તોડી નાંખવાનું, એવું કરીશ."

કૃપલાણી આ વાતો થોડા સમય દરારોજ સાંભળે છે. અને ગાંધીજીની સાદગી, શ્રમ, જાતમહેત્તત, વગેરે જોઈને, તેમના અનુયાયી થઈ જાય છે. કાકાસાહેબ કાલેલકરે આ વાત તેમની સ્મરણકથામાં લખી છે. થોડાંક મહિનાઓ પછી, આખા ભારતમાં થોડીક થોડીક જગ્યાઓએ ફરી, લોકોની સાથે ગાંધીજી વાત-ચીતો કરે છે.

પછી, અમદાવાદમાં સાબરમતીમાં કોચરવ આશ્રમમાં ગાંધીજી એક એવો આશ્રમ સ્થાપે છે જ્યાં કોઈ પણ વ્યવસ્થા ન હોય, જ્યાં જાતે જ બધું કામ કરવાનું હોય, જ્યાં એક જ રસોડું હોય, જ્યાં સાદગી હોય, જ્યાં અહિંસાનું આચરણ થતું હોય, જ્યાં હંમેશાં સત્યની જય થતી હોય.

સાબરમતીમાં આશ્રમ સ્થાપવાનું અને ગુજરાતમાં રહેવાનું સૌથી મોટું કારણ ગાંધીજી ગુજરાતીના મતે ગુજરાતી ભાષામાં પહેલા મારા ગુજરાતી બંધુઓને મારા આ આંદોલનને સમજાવું, તેમના પ્રશ્નો સમજું, બીજું ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. તે માટે પૈસાની જરૂર પડે તો મદદ કરે. અને ગાંધીજીની આ વાત સાચી જ રહી.

થોડા જ વર્ષોમાં સાબરમતી આશ્રમમાં ગાંઘીજીને એક-એકથી ચઢિયાતા માનવરત્નો મળે છે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવ દેસાઈ, ત્તરહરિભાઈ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપલાણી, ઠક્કરબાપા, અને પ્યારેલાલ ભાઈ. આ બધાઓ સાથે ગાંધીજીનું સરસ મજાનું ટયુનિંગ થઈ જાય છે.

૧૯૧૮માં ચંપારણમાં ગળી પકવતા ખેડૂતોનાં આંદોલનમાં ગાંધીજી જોડાયા. આચાર્ય કૃપલાણીનો તેમને સાથ મળ્યો. રાજેન્દ્ર પ્રસાદનો પણ સાથ મળ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટનને ગળીની બહુ જ જરૂર પડી. બિહારમાં ચંપારણમાં ગળીનું ખાસ્સું વાવેતર થતું હતું. પણ બ્રિટેશ અમલદારો, જબરદસ્તી ખેડૂતોને ગળીનું વાવેતર કરવા ફરજ પાડવા માંડયા. અને જે પાક ઉતરે તેની કિંમત પણ જીવી રાખતા, પરિણામે અમલદારોને ઝાઝો નફો થતો અને ખેડૂતોને નુકશાન થતું હતું આના વિરોધમાં ચંપારણમાં ગાંધીજીએ આંદોલન કર્યું. લાંબી લડતને અંતે ગાંધીજીની અને ગળી પકવતા ખેડૂતોની જીત થઈ.

૧૯૧૮માં આવું જ ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં ખેડામાં થયું. આ આંદોલનમાં પણ ગાંધીજી જોડાઈ ગયા. અને તેમણે ખેડૂતોને જીત અપાવી. આ આંદોલન થકી વલ્લભભાઈ પટેલની શોધ થઈ. ગાંધીજીએ તેમને 'સરદાર'નું નામ આપ્યું.

૧૯૧૮ના ચોમાસામાં ખેડામાં ૭૦ ઈચ વરસાદ પડયો. ખેડૂતોને ઝારું નુકશાન થયું. બ્રિટિશ સરકાર આ તોફાની ખેડૂતો કે જેમણે તેમની સામે આંદોલન કર્યું હતું, તેમને મદદ કરવાની ના પાડી. ગાંધીજી બ્રિટિશ સરકાર સામે લડયાને ખેડૂતોને મદદ અપાવી.

૧૯૧૯માં વિશ્વભરમાં ચાલી રહેલા ખિલાફત આંદોલનમાં ભારતીય મુસ્લિમોને ટેકો આપ્યો. બ્રિટન અને તુર્કીના ઝઘડામાં તુર્કીવાદી જતાં તુર્કીના અમુક વિસ્તારો બ્રિટને કબજે કર્યા. અને તુર્કીના ખલીફાની મદદમાં આરંભાયેલા ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ ભારતીય મુસ્લ્મોને ટેકો આપ્યો. એક બિન મુસ્લિમ નેતા તરીકેનું ગાંધીનું કામ બ્રિટીશ અખબારો અને પત્રકારોએ વખાણ્યું.

૧૯૨૦ થી ૧૯રર અસહકારના આંદોલનમાં ગાંધીજીએ અસહકારની લડત ચાલુ કરી. બ્રિટીશ સરકારના કામકાજમાં સહકાર આપ્યો નહીં. લોકોએ સરકારી નોકરીમાંથી રાજીનામાં આપ્યાં. પોતાનાં બાળકોને અંગ્રેજી સરકારની શાળામાંથી ઉઠાડી મુક્યાં. સરકારી કચેરીઓમાં લોકાએ કામકાજ માટે જવાનું બંધ કર્યું. આમ, અસહકારના આંદોલનની ભારતભરમાં એક હવા ઊભી થઈ. એક મુઠ્ઠીભર અંગ્રેજો ભારતને કાબૂમાં ના રાખી શકે, તેવી અસર આવી ભારતમાંથી.

માર્ચ-ર૦, ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચની ચળવળ ચાલુ કરી. બ્રિટીશ સરકારને મીઠા પરથી ટેક્સ હટાવવા ર૪ દિવસની ર૪૦ માઈલની ૭૯ પદયાત્રીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી દરિયાકીત્તારા સુધીની કૂચ કરી. આ દાંડીકૂચની બ્રિટીશરો પર ખૂબ અસર થઈ.

૧૯૪૨માં “ભારત છોડો' આંદોલન અને કરેંગે યા મરૅંગે' આંદોલનમાં ભારતની પ્રજા સામૂહિક રીતે જોડાઈ અને બ્રિટીશ સલ્તનત હચ-મચી ગઈ. ગાંધીજી બ્રિટીશ લેખક આલ્ડસ હકસણે અન્ય અજ્ઞાની અંગ્રેજોની માફક લખ્યું હતું કે મહાત્મા ગાંધી પોતડી પહેરીને સાધુનું નાટક કરે છે' પરંતુ જેમજેમ એમને સમજવાનો પ્રયત્ન કર્યો પછી ૧૯૪૫માં લખેલી એમની એક કિતાબ સાયન્સ લિબર્ટી અને પીસમાં લખ્યું હતું કે, ગાંધીજીના સામાજિક અને આર્થિક વિચારો વ્યવહારું છે અને માનવ સ્વભાવને અનુડૂળ છે. વૈજ્ઞાનિકોએ હવા પાણી જેવી પ્રાકૃતિક સંપદા પર સહકારી ધોરણે કામ કરવું જોઈએ.

૧૯૩૧માં ગાંઘીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા ત્યારે રોઈટર સમાચાર સંસ્થાના પ્રતિનિધિએ પૂછયું હતું કે “તમારો શું પ્રોગ્રામ છે?” ત્યારે અળવીતરા ગાંધીએ કાગળમાં લખીને જવાબ આપ્યો હતો 'ભારા સ્વપ્નનું ભારત, જે સ્વતંત્ર હોય, જે લોકોનું હોય, જ્યાં ઊંચ-નીચ જાત « હોય, જ્યાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ «ત હોય, જ્યાં નશીલી ચીજો ન હોય, જ્યાં નાનામાં નાનું લશ્કર હોય.

૧૯૪૭ની ૧૪ ઓષ્ટની મધરાતે વડાપ્રધાન નહેરુ સંસદમાં એમાના ખાસ મિત્રો સાથે પ્રવચન આપી સમજાવતા ત્યારે ગાંધીજી- નોઆબલીમાં તોફાનો અટકાવવા ઉપવાસ પર ઉતર્યા હતા. ગાંધીજીને સત્તાનો કે પદ મેળવવા કોઈ લોભ કે મોહ ન હતા. ગાંધીજીમાં ગ્રામસ્વરાજ્ય કેન્દ્રિત બંધારણની બે યોજનાઓ ૧૯૪૬ અંને ૧૯૪૭માં પેશ કરી હતી.

બીજી દરખાસ્ત તો એ જ દિવસે કરી હતી, જે દિવસે એમને ગોળી મારવામાં આવી હતી. કોંગ્રેસને વિખરી નાંખવામાં ગાંધીનો 'પ્રસિદ્ધ' વિચાર આ બીજી પેશકશમાં હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે રાજકીય વેશભૂષા ત્યજીને સામાજિક સંગઠન બની જવું જોઈએ અને પંચાયતોના દેશવ્યાપી તેટવર્કનું સંચાલન કરવું જોઈએ. કોંગ્રેસી નેતાઓએ આ સૂચન ફગાવી દીધું હતું.

ગાંઘીજી ૧૯૪૨માં કરેંગે યા મરેંગે વખતે દેશવ્યાપિ ખ્યાતિ મેળવીને લોકપ્રિય થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જર્મની સાથે યુદ્ધમાં માર ખાઈ ગયું હતું. હિટલરના આક્રમક વલણ સામે બ્રિટનના ચર્ચિલ બ્રિટનના લોકાને જાંઘ ચઢાવતા એ કહેતા હવે યુદ્ધના અંતિમ તબક્કામાં છીએ, અને આપણે યુદ્ધમો જીતી જવાના છીએ. તમે બધા મને મદદ કરો. તે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો પરાજય થયો. પત્રકારોએ જ્યારે ચર્ચિલને કહ્યું કે, તમે વિશ્વયુદ્ધમાં હિટલરથી ગભરાતા હતા ! તયારે ચર્ચિલે કહ્યું, દુનિયામાં હું માત્ર એક જ માણસથી ગભરાઉં છું, તે ભારતના મિ. ગાંધી. એમની સાથે વાત કરતાં મને તકલીફ થાય છે. તે અહિંસાના પૂજારી છે ને ભારતની આમજતતાનું સારું પ્રતિનિધિત્વ કરે છે.

આઝાદીનાં આંદોલન વખતે ભાવિભારતની જે કલ્પના કરવામાં આવી હતી તેનો બહુબધાએ વિરોધ કર્યો હતો. લોકમાન્ય તિલક જેવા અનુયાયીઓએ ક્યું હતું કે હવે માત્ર બે વિકલ્પ બચ્યાં છે કાં ગાંધીને સ્વીકારો કાં જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. તેમણે કહ્યું કે આપણે બધાંએ ગાંધીજીને સાથ આપવો જોઈએ. આ માણસ જ આપણને આઝાદી અપાવી શકે છે.

૧૯૧૯માં બ્રિટનની સંસદે ભારતને થોડા વહીવટી સુધારા આપ્યા, તેના દસ વર્ષ પછી ૧૯૨૯માં કેટલાક વધુ સુધારાઓ આપવા માટે બ્રિટનની સરકારે 'સાયમન કમિશન'ની નિમણૂંક કરી. પણ તેનો વિરોધ થયો. કારણ કે એમાં એક પણ ભારતીય સભ્ય « હતો. અંગ્રેજ સરકારને લાગતું હતું કે ભારતીયો પોતાનું બંધારણ જાતે બનાવી શકે તેમ તથી. જવાબમાં મોતીલાલ ગહેરુતા વડપણ હેઠળ રચાયેલી સમિતિએ નહેરુ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો. તેમાં સંપૂર્ણ સ્વતંત્રતાને બદલે ડોમિનિયિમ સ્ટેટ્સની માંગણી કરવામાં આવી હતી. આનો અર્થ થતો હતો કે ભારતને ઘણી બધી બાબતોમાં સ્વતંત્રતા મળે પણ તેની વફાદારી બ્રિટીશ તાજ પ્રત્યે છે.

નહેરુ સમિતિની જોગવાઈ જવાહર અને સુભાષચંદ્ર બોઝ જેવા નવી પેઢીના નેતાઓને મંજૂર ન હતી. એટલે કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરૂના અધ્યક્ષપણામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. એમાં બ્રિટીશરો પ્રત્યે કોઈ વફાદારી પ્રકટ કરવાની ન હતી.

ત્યારથી આઝાદી આંદોલનના બીજા તબક્કામાં દાંડીકૂચથી સત્યાગહને આંદોલનનો જુસ્સો વ્યાપી ગયો.

૧. દાંડીકૂચ પછી ગાંધીજી જેલમાં હતા ત્યારે બ્રિટનમાં પહેલી ગોળમેજી પરિષય યોજાઈ. તેનો હેતુ ભારતને કેવું બંધારણ આપવું, તેની ચર્ચા કરવાનો હતો. પણ ગાંધીજી જેલમાં હોવાથી કોંગ્રેસે પરિષદમાં ભાગ લીધો નહીં.
ર. બીજી ગોળમેજી પરિષદમાં અંગ્રેજ સરકાર ગાંધી અને કોંગ્રેસને બરાબરનો દરજ્જો આપીને કરાર કરે છે. પણ બંધારણના સુધારા તેમજ ભારતની અલગ અલગ કામોમાં અલગ પ્રતિનિધિત્વ જેવા મહત્વના મુદ્દે સમજૂતી થઈ નહી. આ વખતથી ઝીણાએ ઈંગ્લેન્ડમાં વકીલાત ચાલુ કરીને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં ભાંગફોડ ચાલુ કરી.
૩. ૧૯૩૫માં ભારતના જુદા જુદા પ્રાંતોની ચૂંટણીમાં, ગાંધીજીવી આભા અને પ્રચંડ લોકપ્રિયતા ઉપરાંત સરદાર પટેલના પ્રબળ આયોજનથી ચૂંટણીમાં કોંગ્રેસનું પલ્લુ ભારે થયું. આ તબક્કે ૧૯૩૦માં બ્રિટનથી પાછા આવીને ઝીણાએ ભારતમાં મુસ્લિમ લીગની તેતાગીરી સંભાળી.
૪. ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ૧૧ માંથી પાંચ પ્રાંતમાં કોંગ્રેસને ચોખ્ખી બહુમતિ અને ચાર પ્રાંતમાં સૌથી વધારે બેઠકો મળી. મુસ્લિમ લીગને ક્યાંય બહુમતિ મળી નહી. આઠ પ્રાંતમાં

જવાહરલાલ નહેરૂ આપણા સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા.

આઝાદી મળ્યા પછીના થોડા સમય પછી બાદ લાલકિલ્લા પરથી સંબોધના જવાહરલાલ નહેરૂ વક્તવ્યના થોડા અંશ સાંભળવા ગમશે.

તુઝે હિન્દુસ્તાન સે યકીન હૈ, ઔર મુઝે ઈસ ભારત કે ભવિષ્ય સે ભરોસા હૈ કિ આઈન્દા ઈસ કી શક્તિ બઢેગી ઔર શક્તિ ખાલી ઈસ તરહસે નહીં બઢેગી કિ વહ શક્તિ એક ફોજી શક્તિ હો. ઠીક હૈ, એક બડે દેશ કી ફૌજી શક્તિ ભી હોની ચાહિયે. લેકિન અસલ તાકત હોતી હૈ ઉસકી કામ કરનેકી શક્તિ, ઉસ કી મહેત્તત કરતે કી શક્તિ, અગર હમ ઈસ દેશ કી ગરીબી કો દૂર કરેંગે, તો કાનૂનો સે નહીં, શોરગૂલ મચાકે નહી. શિકાયત કરકે નહીં બલ્કે મહેનત કરકે. એક એક આદમી-બડા ઔર છોટા, મર્દ-ઓરત ઔર બચ્ચા મહેનત કરેગા.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.




૭૫ વર્ષની સિદ્ધિઓ પર એક નજર
  • - ૧૯૪૦માં ૫૦૭ થી વધારે દેશી રજવાડાંઓનું વિલનીકરણ એ સરદાર વલ્લભભાઈ પટેલની મહાત સિદ્ધિ હતી.
  • - ૧૯૫૦માં ૨૪મી જાન્યુઆરી બંધારણ લાગુ થયું અને મહિલાઓએ પ્રથમવાર મતાધિકાર મળવો શરૂ થયો.
  • - ૧૯૫૧ લોકસભાની પ્રથમ ચૂંટણી ખડગપુરમાં હવેથી પ્રથમ આઈ.આઈ.ટી.ની સ્થાપના
  • - ૧૯૫૨ રાજ્યસભાની સ્થાપના. ગૃહનું પ્રથમ સત્ર.
  • - ૧૯૫૩ ઈન્ડિયન એરલાઈઝસની સ્થાપના થઈ.
  • - ૧૯૫૪ સ્ટેટ બેંક ઓફ ઈીન્ડયાની સ્થાપના થઈ.
  • - ૧૯૫૬ એલઆઈસીની સ્થાપના થઈ.
  • - ૧૯૫૭ માં “મધર છીન્ડિયા' પ્રથમ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ.
  • - ૧૯૬૩ ભાખરાતાંગલ બંદા તૈયાર થયો.
  • - ૧૯૬૫ હિન્દી દેશની સત્તાવાર ભાષા બની.
  • - ૧૯૭૧ બાંગલાદેશને ભારતે આઝાદ કર્યું.
  • - ૧૯૭૪ પોખરણ સફળ પરમાણું પરીક્ષણ
  • - ૧૯૮૩ ટીમ છીન્ડિયા કપિલદેવના કેપ્ટનશીપ હેઠળ વિશ્વવિજેતા ટીમ બની.
  • - ૧૯૯૦ કુવૈતમાંથી સૌથી મોટુ એર લિફ્ટ થયું
  • - ૧૯૯૨ સત્યજીત રાયને ઓસ્કારનો લાઈફટાઈમ એચ્ડીવમેન્ટ એવોર્ડ મળ્યો.
  • - ૨૦૧૪ દેશ પોલિયો મુક્ત થયો.
  • - ૨૦૧૭ વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી લાગુ કરાયો.
  • - ૨૦૧૮ સ્ટેચ્યુ ઓફ યુનિટિ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
  • - ૨૦૧૯ ૩૭૦ મી કલમ નાબૂદી
  • - ૨૦૨૦ અયોધ્યા રામમંદિરનો પાયો નંખાયો
  • - ૨૦૨૧ સ્વદેશી કોરોના વેક્સીન ર૦૦ કરોડ લોકોને ડોઝ અપાયા.
  • - ૨૦૨? સૌપ્રથમ પ્રાઈવેટ ટ્રેન કોઈમ્બતૂરથી શીરડી વચ્ચે ચાલુ થઈ.
૭૫ વર્ષની કેટલીક ભારેખમ યાદો

સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ર૪ ઘટના જેની છાપ દેશના માનસ પર હજી ભૂલાઈ તથી.
  • ૧) ૧૯૪૭ ભારત-પાકિસ્તાન ભાગલા - ૨ કરોડ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ગયા. ૧૦ લાખ લોકોના મોત થયા.
  • ૨) ૧૯૬ર ભારત-ચીન યુદ્ધ. ભારતને યુદ્ધમાં ખાસુ નુકશાન થયું. ભારતીય સેનાની ભારે ખુવારી થઈ.
  • ૩) ૧૯૬૫ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બન્ને પક્ષે ખાસી ખુવારી થઈ. ભારત યુદ્ધ જીત્યું.
  • ૪) ૧૯૭૧ બાંગ્લાદેશની પ્રજાને સમર્થન આપવા ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યુ. ૨૪ માર્ચ ૧૯૭૧માં બાંગ્લાદેશની સ્થાપના થઈ.
  • પ) ૧૯૭૪ જયનારાયણની છીદેરાગાંધી સરકાર સામે પ્રજાએ ગુસ્સો બતાવ્યો.
  • ૬) ૧૯૭૫ છીદેરાગાંધીએ ર૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી નાંખી
  • ૭) ૧૯૮૪ ઓપરેશન બ્લ્યુ સ્ટાર : અલગ ખાલિસ્તાની માંગ કરનાર આતંકિઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી.
  • ૮) ૧૯૮૪ ૧ નવેમ્બર ૧૯૮૪માં ઈીદેરાગાંધીની હત્યા થઈ. બીજા દિવસ શીખ વિરોધી રમખાણો થયાં. ૧૫૦૦૦ લોકો માર્યા ગયા.
  • ૯) ૧૯૮૪ ભોપાલ ગેસ દુર્ઘટના- યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ર૫ હજાર લોકો મરી ગયા.
  • ૧૦) ૧૯૮૫ શાહબાનો કેસ: પચ બાળકોની માતા શાહબાનોને છૂટાછેડા પછી પતિ પાસે ભરણપોષણનો ચુકાદો આપ્યો. સુપ્રિમકોર્ટના ચુકાદાને અવગણીને પતિને સરકારે કાયદો બનાવી જવાબદારીમાંથી મુક્ત કર્યા. ખરેખર ખોટું પગલું ભરવામાં આવ્યું.
  • ૧૧) ૧૯૯૨ રાજીવગાંધીની હત્યા
  • ૧ર) ૧૯૯ર બાબરી મસ્જિદ ધ્વંસ
  • ૧૩) ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ
  • ૧૪) ૧૯૯૯ કારગીલ યુદ્ધ ભારતની જીત
  • ૧૫) ૧૯૯૯ કંઘહાર હાઈજેકીંગ
  • ૧૬) ર૦૦૦ મોહંમદ અઝરૂદીન અને અજય જાડેજા મેચ ફિક્સીંગમાં ગુનેગાર થયા. ભારતીય ક્રિકેટનું કાળું કૌભાંડ
  • ૧૭) ૨૦૦૧ ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ
  • ૧૮) ર૦૦૧ સંસદ પર હૂમલો
  • ૧૯) ૨૦૦૧ ગોધરાકાંડ એક હજાર લોકોના મોત
  • ૨૦) ર૦૦૪ દક્ષિણ ભારતમાં 'સુનામી' ૧૬,ર૭૯ લોકોએ જાન ગુમાવ્યા.
  • ૨૧) ૨૦૦૮ મુંબઈમાં તાજ હોટલ પર આતંકવાદી હુમલો
  • રર) ર૦૧૦ દંતેવાડા હત્યાકાંડ નકસલવાદી હુમલો
  • ૨૩) ર૦૧૨ તિર્ભયા ગેંગ રેપ કેસ
  • ર૪) ૨૦૧૩ ઉત્તરાખંડમાં પુર પૌચ હજાર લોકો મૃત્યુ પામ્યા
  • ૨૫) ર૦૨૦ કોરોના : લાખો લોકો કારોનામાં મોતને શરણ થયાં.

ભારતના આજના પ્રશ્વો
  • ૧. વસ્તીવધારો
  • ૨. હિન્દુ મુસ્લીમ તણાવ
  • ૩. ભારતના પડોશી ચીન અને પાકિસ્તાન સાથે વારેઘડી છમકલાં
  • ૪. નિરક્ષરતા
  • પ. બેકારી, અભ્યાસક્રમ પછી જીવન જીવવાનું શીખાડવાતું નથી.
  • ૬. ન્નોકરી અને ધંઘો મેળવાની તિષ્ફળતા
  • ૭. ડ્રગ્સ અને દારૂનું સેવન
  • ૮. આપઘાત અને માનસિક રોગોના આક્રમણ
  • ૯. મોબાઈલનું વળગણ- કલાકો મોબાઈલ સાથે જોડાઈ રહેવું અને અણગમતી સાઈટ જોઈ મગજ બગાડવું.
  • ૧૦. બળાત્કાર અને સ્ત્રી હત્યા
  • ૧૧. આર્થિક લેવડ-દેવડના ગુનાઓ વધી રહ્યા છે.
  • ૧ર. હરામનું અને મફતનું ખાવાવાળા લોકોની વધતી સંખ્યા.
  • ૧૩. કામચોરી અને અપ્રમાણિકતાથી જીવન ગુજારવું.
  • ૧૪. ૨૧મી સદીમાં પાણીનો સૌથી મોટો પડકાર- આ દેશમાં થયો. એના માટે રમખાણો થશે.
  • ૧૫. એટલા બધાં વ્ડીકીલ થઈ ગયાં છે કે પાર્કિંગ માટે જગ્યા મળશે નહી. બીલીમોરાની અંદર આવવું હશે તો ચીખલી આગળ ગાડી પાર્કિંગ કરવું પડશે.
આઝાદીના ૭૫ વર્ષમાં પત્રકારત્વ, સાહિત્ય, નાટક, કવિતા, નવલકથા, ફિલ્મો રમતગમતોમાં પણ ઘણો નવો અને સરસ વળાંક આવ્યો.

રવિન્દ્રનાથ ટાગોરની 'ગીતાંજલી' અને સત્યજીત રાયની ફિલ્મો એ કદાચ એક જમાનામાં ભારતની ઓળખ હતી.

પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, દેશપાંડે, ઉમાશંકરભાઈ જોષી, કનૈયાલાલ મુન્શી, કાકા કાલેલકર જેવા અસંખ્ય લેખકોએ વિશ્વભરમાં તેમના સમકાલીન બીજી વિદેશી ભણતા લેખકો સાથે બરાબરી કરી.

શાસ્ત્રીય સંગીતકારોમાં પંડિત રવિશંકર, બિસ્મિલ્લાખાન, ઝાકિર હુસેન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ આખા યુરોપ - અમેરિકાને મંત્રમુગ્ધ કરી દીધા.

આ આપણી સાંસ્કૃતિ ભવ્યતાની એક કહાની છે.

આઝાદીના ૭૫ વર્ષના મહોત્સવમાં ભારતીય ફિલ્મોમાં દેશભક્તિ વિશે તમારી સાથે વાત ન કરીએ તો આજનું વક્તવ્ય જરાક ફિકું લાગે.
  • દેશભક્તિની ભાવના જગાડતી ફિલ્મો આઝાદી મળ્યાં અને પછી અઢળક બની. આઝાદી પહેલાં લોકાને એક્ઝૂટ કરવા માટે તથા વિશ્વાસ ટકાવી રાખવામાં આ ફિલ્મો મદદરૂપ બની. તો બાદમાં દેશ પ્રત્યેનું ગૌરવ ધરાવતી ફિલ્મો બની છે.
  • ભારતમાં આઝાદી સાથે ગીત-સંગીતથી કેવો નાતો હતો, તેવી શ્રેષ્ઠ મનાતી હિન્દી ફિલ્મોમાં મળે છે. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ વર્ષમાં એવા બે દિવસ છે, જ્યારે દેશના શહેર-શહેર કે ગામડે-ગામડે દેશભક્તિનાં ગીતો વાગે છે. જો કે, આ હિન્દી ફિલોમોનાં દેશભક્તિનો પાનો ચઢાવે તેવા ગીત ગાવાથી દેશભક્તિની ખરેખર કોઈ લાગણી વહેતી નથી. કદાચ આ દંભ છે.
  • સૌપ્રથમ ૧૯૪૩માં અશોકકુમાર અને મુમતાઝ અભિનીત ફિલ્મ 'કિસ્મત'માં દૂર હટો યે દુનિયાવાલો, યે હિન્દુસ્તાન હમારા હે! ગીત લખીને એક તરખાટ મચાવી દીધો હતો. કવિ પ્રદીપે અંગ્રેજી અક્ષરથી બચવા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને તેના સાથી દેશોની જોરે જબરાઈ સામે આ ગીત લખ્યું હતું. પણ તેમાં અદ્રશ્ય દેખો ભારતીય સ્વાતંત્ર્ય અંગે લોકોમાં પાનો ચઢાવવાનો હતો. જો કે ર૦૨રમાં પણ આ ગીત કેમ જાણે એટલું જ લોકપ્રિય છે.
  • આઝાદી પછી ૧૯૪૮માં દિલીપકુમારની 'શહીદ' ફિલ્મ આવી હતી. મોહંમદ રફીએ રાજા મહેંદીઅલી ના શબ્દોમાં ગાયેલું વતન કી રાહમેં વતન કે નૌ જવાન શહીદ હો' દિલીપકુમાર સુભાષચંદ્ર બોઝના ઈન્ડિયન નેશનલ આર્મીમાં ભરતી થાય છે ને સંદર્ભમાં ફિલ્મની કથા હતી.
  • ૧૯૫૭માં બી.આર. ચોપરાની “નયા દોર' બની. તેમાં તેમણે નહેરૂ અને ગાંધીજીના ભારતનો હદ બતાવ્યો હતો. તેનો નાયક દિલીપકુમાર આઝાદ ભારતના યુવાન હતાં. પણ હૈયે ગાંધીના ભારતનો પ્રેમ હતો. સાથી હાથ બઢાના, એક અકોલા થક જાયેગા' આ થે દેશ હૈ વીર જવાનોં કા' આજે પણ આ ગીતો એટલા જ લોકપ્રિય છે.
  • યશ ચોપરાએ ૧૯૬૧માં શશીકપુર-માલાસિંહા સાથે ધર્મપુત્ર' ફિલ્મ બનાવી તેમાં 'સારે જહાં સે અચ્છ હિન્દોસ્તા હમારાં' ગીત હતું.
  • ૧૯૬૨માં મહેબુબખાનની (સન ઓફ છીન્ડિયા' ફિલ્મ આવી હતી. ફિલ્મમાં આઝાદી સંબંધી કોઈ વાત ન હોતી પણ “નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જયહિંદ, જયહિં, જયહિંદ!" ગીત આજે પણ આઝાદીની ઉજવણીમાં રંગેચંગે ગવાય છે.
  • ૧૯૬૪માં ફિલ્મ લીડરમાં અપની આઝાદી કો હમ હરગિઝ મીટા સકતેનહી' ગત દર્શકોમાં જોશ ભરી દીધો હતો. આજ સમયગાળામાં ૧૯૬૨-૬૩માં ભારતે ચીનના હાથે સિયાચીનમાં હાર ભોગવવી પડી હતી.
  • ૧૬૯૪માં ચીન સાથે યુદ્ધ પછી ફિલ્મે હકીકતે (કર ચલે હમ ફો જાન-ઓ-તન સાથિયો ગીત મોહંમદ રફીએ ગાઈને કમાલ કરી દીધી. કેફી આઝમી મરતે દમ સુધી લડતા સૈનિકોના ગોરવ અને પીડાને યાદગાર રીતે દર્શાવી હતી.
  • ૧૯૬૫માં મહેન્દ્રકુમારની શહીદ ભેરા રંગ દે બસંતી ચોલા' ગીતે ધૂમ મચાવી દીધી. આ ગીતમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના પાત્ર સાથે અઘતન ગીત વણી લેવાનું કે લોકોએ હસું ખાઈ લીધું.
  • ૧૯૬૭માં મહેન્દ્રકુમારની “ઉપકાર' ભેરે દેશકી ઘરતી સોના ઉગલે' ગીતે દેશભરમાં ડંકો બજાવી દીધો.
તો આ હતી ૧૯૭૦ની ફિલ્મો અને દેશપ્રેમની કહાની. ૧૯૭૦ થી ર૦૨૨ સુધીમાં બીજી ઘણી ફિલ્મો આવી. એમાં ગદર અને લગાન નોંઘપાત્ર હતી.

ગુલામીમાંથી કેટકેટલા સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી હોય અને એ આઝાદીને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં હોય ત્યારે આવી આ ભવ્ય ઉજવણી કરી, એમાં કશું ખોટું નથી. ઉજવણી કરવી જ જોઈએ અને કરી પણ ખરી. રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો આનાથી બીજો કોઈ રૂડો અવસર ના જ હોઈ શકે. દેશના યુવાનોમાં દેશપ્રેમનું પ્રાકટય થાય એ જરૂરી છે. જે દેશમાં રહીએ એ દેશને પ્રેમ કરવો જ જોઈએ. અને આ પ્રેમ નક્કર હોવો જોઈએ. માતૃભૂમિનો દરજ્જો મા થી પણ વિશેષ હોય છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માણસના જીવનમાં મા અને માતૃભૂમિનું એક વિશેષ સ્થાન હોય છે.

ભક્તિ એ તો આંતરિક અનુભૂતિનો વિષય છે. એ પછી દેશભક્તિ હોય કે ઈશ્વરની ભક્તિ હોય. એમ પણ માતૃભૂમિ અને ઈશ્વર એ બંન્ને જણાં એકબીજાથી જુદા છે ? જ્યાં ભક્તિ હોય ત્યાં દંભ અને દેખાડો ઓછો અને હૃદયની સાત્વિક અનુભૂતિ વધુ હોય છે. પણ આપણી વાત સાવ અલગ છે. આપણે

ભલે વાત દરિયાની કરતા હોઈએ, પણ આપણી દેશભક્તિ ચમચીમાં સમાઈ જાય તેટલી ના હોવી જોઈએ.

૧૫ ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરી આવે ત્યારે આપણી અંદર દેશભક્તિનો જુવાળ ઉછળે છે અને બીજા દિવસે પાછું શમી જાય છે. ભ્રષ્ટાચાર કરતો માણસ ભ્રષ્ટાચાર કરતો જ રહે છે અને કરચોરી કરનાર કરચોરી કરતો જ રહે છે. યાદ રહે, ઘરે ઘરે ત્રિરંગા રાખવાથી કે વોટ્સએપ સ્ટેટ્સ કે ફેસબુક સ્ટેટ્સ ઉપર ત્રિરંગો ચોંટાડી દેવાથી દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી થતી નથી. દેશ પ્રત્યે આપણા સૌની અપ્રતિમ ફરજો છે. દેશપ્રેમ એ એક ફેશન બની જાય એ ૪ ચાલે, દેશ પ્રેમ એક પેશન-જુસ્સાભરી લાગણી-બનવી જોઈએ.

સરકારી કર્મચારી પોતાની નિષ્ઠાથી કામ બજાવે, ડૉક્ટરો અને શિક્ષક કે ઈજનેર પોતાના કામને રાષ્ટ્રધર્મ સાથે જોડીને કરે. જ્યારે દેશનો દરેક નાગરિક ઈમાનદારીથી ટેક્સ ભરે, દેશનો દરેક વિધાર્થી કોઈપણ પરીક્ષા ઈમાનદારીથી આપે, દેશમાં દારૂ મળતો બંધ થઈ જાય, ડ્રગ્સનું બેફામ સેવન થતું અટકે, બળાત્કારને સ્ત્રી હત્યાના કિસ્સાઓ દેખાતા બંધ થઈ જાય ત્યારે આઝાદીનું ખરેખર અમૃત પ્રકટ્યું હોય તેવું કડી શકાય. આપણને સૌને ઈમાનદારી અને નિષ્ઠાનું વળગણ ચોંટેલું રહે તે જ ખરેખર આ મહોત્સની ફળશ્રુતિ છે.

ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ફરજને વફાદાર બનીને કામ કરતો રહે, એટલે આપોઆપ ત્રિરંગો લહેરાતો થઈ જશે. રાષ્ટ્રપ્રેમ એ કોઈ પ્રોજેક્ટ તાથી. રાષ્ટ્રપ્રેમ એ વ્યવસ્થા છે. દેશના નાગરિકને નાગરિક ધર્મ અને ફરજની સમજણ પડવી જોઈએ. દેશને કઈ રીતે વફાદાર થઈ શકાય, તેનો પ્રોટોકોલ દરેક માણસે જાતે જ પાળવો જોઈએ.

રાષ્ટ્રીય ચેતના માટે અત્યંત ઉચ્ચકોટિની સંવેદનશીલતાની જરૂર હોય છે. આ ત્યાં સુધી આવતી નથી જ્યાં સુધી વ્યક્તિ નૈતિકતાના સોપાનની પ્રથમ સીડી ચઢતો નથી. આથી દેશપ્રેમના પ્રતિક તરીકે ત્રિરંગો ભલે લહેરાવજો, એમાં કશો વાંધો નથી, પણ તમે દેશ માટે એક આદર્શ પરિણામ મેળવી શકશો નહીં. જ્યાં સુધી ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવાનું અભિયાન શરૂ «ત થઈ જાય ત્યાં સુધી કશું નૈતિક રીતે મળવાનું થી.
મોટાભાગના આપણા નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે, પરંતુ વિચારોમાં નથી. રાષ્ટ્રભાવના પ્રદર્શન કે ભાષણબાજીનો વિષય નથી. એ એક આદર્શ જીવનશૈલી છે.
મહર્ષિ અરવિંદના પાંચ સપનાઓ હતા,
  1. સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું.
  2. ભારતની પ્રજાની જાગૃતિનું સંવર્ધન કરવું.
  3. ભારત પૂરા વિશ્વમાં વસુધૈવ કુટુંમ્બકમ્‌ની ભાવના દ્રઢ કરે.
  4. ભારત વિશ્વને આધ્યાત્મિક ભેટ આપે.
  5. ભારતમાં રહેતા પ્રત્યેક માનવમાં તેની આંતર ચેતનાનો વિકાસ થાય.

આઝાદીના પંચોતેર વર્ષ માટે મહર્ષિ અરવિંદના સપનાઓ પુરાં થાય ત્યારે લોકાએ, પ્રજાએ તેમની પ્રમાણિકતા અને એક અદ્દભૂત નવી પ્રણાલિ અને કાર્યશૈલીમાં જોડાવું જોઈએ. આશા છે આપને આ વક્તવ્ય ગમ્યું હશે.

કરે કોઈ આઝાદીની ચર્ચા,
કરે કોઈ ઉત્સવોની ચર્ચા,
ઉજવણી તો પુરી થઈ
બાકી રહી બેકારની ચર્ચા
ભૂખે મરતાઓને કહી દો,
જરા થોભે ને રાહ જોએ
હજી ચાલે છે એ પ્રશ્નો ઉપર
સરકારતી ચર્ચા
હતા જે ભાર ઉજવણીત્ના માથા પર
એ “નો? તુ થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરીએ ઉજવણીના ભારની ચર્ચા.
ગરીબી ભ્રષ્ટાચાર હટી જાશે તો
નેતાઓનું શું થશે ?
પછી કોણ કરશે અહીં
કૌના ભલા ઉદ્ધારની ચર્ચા?
વહે છે દંભ, આડંબર અને છલનાઓ
દેશભક્તિના પ્રવચનોથી
અમે કરતા રહ્યા કાયમ
ફક્ત માર્ગદર્શન-ઉપચારની ચર્ચા.

જય હિંદ!


ડો. ભાસ્કર આચાર્ય, સુરત
તા. : ર૮-૦૮-રર

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
યદ્દભદ્રં તન્ન આસુવ ||

હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
 
જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી