[Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય, 7 જૂન 2023) 

વરિષ્ઠ નાગરિકનો જીવનધ્યેય
IKIGAI – Purpose Of Life

ઓશો પૂછે છે, આમ તમે આખી જિંદગી કરો છો શું? વસ્તુઓ ભેગી કરો છો – મોટું મકાન બનાવો છો – તિજોરી ભરી લો છો અને છેલ્લે બધુ અહીં જ છોડીને, પોતાને પણ ગુમાવીને વિદાય લો છો.

શું આ જીવન છે? જન્મ, વૃદ્ધિ અને વિનાશ – તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? હેતુ શું છે? આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નને જાપાનમાં IKIGAI (ઇકિગાઈ) કહે છે. જીવનનો હેતુ શું? તમારા પોતાની ઈચ્છા શું કરવાની છે અને સમાજની જરૂરિયાતો તમે કઈ રીતે પુરી પાડશો–તે શોધવાનો વ્યક્તિગત માર્ગ તે ઇકિગાઈ.

વયસ્કો – વરિષ્ઠ નાગરિકો સાથે નિવૃત્તિની વાતો શોભે. નિવૃત્તિ એટલે સ્વ તરફનું પ્રયાણ જે છેલ્લે આધ્યાત્મિક માર્ગે ભગવાન તરફ દોરી જાય છે.

આપણાં જીવન બાબતે મેસ્લો નામના વ્યક્તિએ પાંચ પગથિયા બતાવ્યા છે –

મેસ્લોનો નિયમ
  1. મૂળભૂત જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન આ બાબતે ઘટતું આયોજન ફરજિયાત છે. 
  2. બીજી બાબત છે - જીવનની અને સંપત્તિની સુરક્ષા – સલામતી. આ પ્રાથમિક જરૂરિયાતો પૈસાથી પુરી થઈ શકે છે. 
  3. પ્રેમ, હુંફ, પોતાપણું જેવી માનસિક જરૂરિયાતો સગાં-સંબંધી અને મિત્રો જ પુરી પાડી શકે. 
  4. આત્મસન્માન (Self Respect)
  5. જીવનધ્યેય સમાન અંતિમ પગલું આત્મબોધ–સંસારમાં રહીને સન્યાસ્તાશ્રમ–અપેક્ષા ઘટાડીને, ભૌતિક સુખોનો ત્યાગ કર્યા પછી કુદરત સાથે તાદાત્મય સાધવાની, એકરૂપ થવાની ઈચ્છા–પ્રક્રિયા અહીં છે. ઈશ્વર સાથે અનુસંધાન–મંત્રજાપ–મેડિટેશન અને નિસ્વાર્થ સમાજ સેવાથી જ મળે. 
નિવૃતિમાં પ્રવુત્તિ
  1. વ્યવસાયિક પ્રવુત્તિ 
    • જરૂરિયાત અથવા ઈચ્છા અનુસાર પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કે સ્વયં રોજગાર વિચારી શકાય. તેમાં માર્કેટિંગ ટ્યુશન કે કન્સલ્ટન્ટ જેવા સ્વયં રોજગાર પણ છે. 
  2. સર્જનાત્મક – રચનાત્મક વ્યક્તિગત પ્રવુત્તિઓમાં જોડાવું.
    • સ્વૈછિક સંસ્થાઓ – હોસ્પિટલ, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ ખાતે મુલાકાત–દાન–સેવા. બાળકો/ પ્રૌઢોને ભણાવવા.
    • વ્યક્તિગત પ્રવૃત્તિઓ– બાગ–બગીચા, દરિયાકિનારો, નદીકિનારો કે પર્વત જેવા કુદરતી સ્થળોની મુલાકાત – વેકેશન –પ્રવાસ–નાટક–સિનેમા જોવા જવું–મેડિટેશન–વાંચન– સંગીત સાંભળવું–ટીવી જોવું–ચાલવું–કસરત કરવું–મિત્રો સાથે મુલાકાત– રમત-ગમત.
જીવનસાથીનો સાથ ઘૂંટવું

પરિસ્થિતીનો સ્વીકાર એકમાત્ર માર્ગ છે.
  • પરિવાર મિત્રો અને સમાજના સધિયારે અનુકૂલન સાધવું.
  • બીજું લગ્ન પણ વિચારી શકાય.
  • રોતલપણું કે કરુણાતા કોઈને ગમતા નથી. 
  • સંતાનો પર નિર્ભરતા
કોઈને પણ સંતાનો પર નિર્ભર રહેવું ગમતું નથી. તેથી લઘુતાગ્રંથિ આવે છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે માર્ગ કાઢવો.

વસિયતનામું

વસિયતનામું અનિવાર્ય છે, તે તાત્કાલિક ધોરણે બનાવવું – વસિયતમાં સરળ ભાષા વાપરો. વહેંચવાની જમીન કે ઘરેણાંની કિંમત જણાવો, જેથી રોકડમાં ભાગ વહેંચી શકાય. લખતી વખતે ન્યાયી અને વિરક્ત બનો.

મેડિકલ વિલ (લિવિંગ વિલ)

અંત સમયની માંદગી વખતે:
  1. હ્રદય અટકી જાયતો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં?
  2. ઓક્સિજન વેન્ટિલેટર લગાવવું કે નહીં ? કેટલા દિવસ ?
  3. ખાઈ ન શકાય તેવી સ્થિતિમાં જઠરમાં નળી મૂકવી કે નહીં ? નસમાં પ્રવાહી આપવું કે નહીં?
  4. હોસ્પિટલ લઈ જવું કે નહીં ? આ બાબતોની સ્પષ્ટતાનું લખાણ કરવું.
મૃત્યુ પછી અંગદાન–ચક્ષુદાન અને દેહદાન વિષે સંમતિ કે નાસંમતિ જણાવવી.

આ બધી ચર્ચાનો સાર, વરિષ્ઠ નાગરિક જીવન સુખેથી અને આનંદપૂર્વક જીવવા હસતાં રહો – વ્યસ્ત રહો – સત્કાર્યો કરતાં રહો.

ડો. ભરત એમ. દેસાઈ 
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
7 જૂન 2023

Post a Comment

0 Comments