Skip to main content

મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું.

બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું.
  • પિતા ના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો. રાત્રે શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા ત્યારે, બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. 
  • સોળ વર્ષે કોલેરાથી મૃત પામેલી નાની બહેન અને થોડા દિવસ પછી કાકાનું મૃત્યુ જોઈને જીવનની નશ્વરતાનો પાકો ખ્યાલ આવી ગયો ત્યારે 21વર્ષે ગૃહત્યાગ કર્યો. સાયલા જઈ બ્રહમચર્યની દીક્ષા લઈ ‘શુદ્ધ ચૈતન્ય’ નામ ધારણ કર્યું. 
  • ત્રેવીસ વર્ષની વયે, નર્મદાના તટ ઉપર ચણોદ-કરનાલીમાં દક્ષિણના શુંગેરી મઠના સન્યાસી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસે સન્યસ્ત લઈ “દયાનંદ સરસ્વતી” નામ ધારણ કર્યું. 
  • પંદરેક વર્ષના અવિરત દેશાટન પછી 1860 માં દયાનંદ મથુરા પહોંચ્યા. પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનગુરુ સન્યાસી સ્વામી વિરજાનંદ સરસ્વતીએ તેમને યોગવિદ્યા, વ્યાકરણ, મનોરમા- શેખર-ન્યાયમાંસા, વેદાંતના ગ્રંથો, આષ્ટાધ્યાયી અને મહાભાષ્ય શીખવ્યા. 
  • આમ 21 વર્ષ રખડપટ્ટી કરી - 42 વર્ષે વેદોની પુન:પ્રતિષ્ઠા, પાખંડદહન, દેશોદ્ધાર અને સંસાર ના કલ્યાણ ના મહાવ્રત સાથે કાર્યરત થયા 


વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા જ્ન્મને આધારે નથી, પણ ગુણ કર્મ અને સ્વભાવને આધારે હોવાનું સાબિત કર્યું. શુદ્દ્ર કુળમાં જન્મેલ જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવા ગુણ, કર્મ અને સ્વભાવ ધરાવે તો તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની જાય છે.

ત્રેતવાદ સ્થાપ્યો
  1. જીવ 
  2. ઈશ્વર - નિરાકાર છે. 
  3. પ્રકૃતિ અનાદિ - અનંત છે. 
હવન

સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવાથી હવાની શુદ્ધિ થાય છે.

ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને વૈરાગ્ય નથી માનતો, પણ પાપ માનવામાં આવે છે. ધર્મસમંત કામ લગ્નજીવન દ્વારા હોવું જોઈએ.

સ્વામીજીએ લખેલ અગત્યના પુસ્તકો
  • સત્યાર્થ પ્રકાશ 
  • વેદભાષ્ય 
  • સંસ્કાર વિધિ (સોળ સંસ્કાર) 
  • આર્યાભિવિનય 
  • ગોકરુણાનિધિ 
પરિવર્તન સંસ્કાર શુદ્ધિ યજ્ઞ

ધર્માંતરણ કરેલા લોકોને અને બીજા ધર્મમાંથી જોડાયેલ લોકોને પાછા હિન્દુ બનાવવાનો વિધિ પૂર્વક સંસ્કાર.

દેવદાસી પ્રથા

વધારાની કન્યાઓને મંદિરમાં કે પુરોહિતોને અર્પણ કરવાની પ્રથાનો વિરોધ. પુષ્ટિ માર્ગી આચાર્યો ‘સર્વકૃષ્ણ ને અર્પણ’ કરવાની પ્રથાનો વિરોધ.

સ્વામીજીના કાર્યો
  • યજ્ઞમાં પશુબલિ કે નરબલી પ્રથાનો વિરોધ. 
  • માંસાહાર નો નિષેધ 
  • સ્વદેશી ચળવળ-1879-ફક્ત ભારતમાં બન્યા હોય તેવા જ વસ્ત્રો નો ઉપયોગ કરવું. 
  • રાષ્ટ્રભાષા હિન્દી - સંપૂર્ણ ભારત દેશને ફક્ત હિન્દી ભાષા જ એક રાખી શકે. 
  • જીવન ઉપયોગી વસ્તુઓ-નમક અને રોટી-પર કર લેવાનો વિરોધ કર્યો. 
  • સ્વામીજી આદર્શ બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી, સમાજસુધારક વેદો અને વૈદિક શાસ્ત્રોના વિદ્વાન, પરમયોગી, બ્રહ્મનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, માનવ એક્યનાં દ્રષ્ટા અને રાષ્ટ્ર વિધાયક અને નિર્ભયક સન્યાસી હતા. 
  • આપણો દેશ અંધવિશ્વાસથી મુક્ત થાય, કુરિવાજો અને પાખંડ મુક્ત બને, સર્વલોકો એક જ ઈશ્વરના ઉપાસક બને, સ્વરાજ્ય ની યોગ્યતા અને સ્વરાજ્ય મેળવે અને સંસારના અન્ય રાષ્ટ્રોમાં બરબારીનો અધિકાર મેળવે તે માટે જીવનભર મથ્યા. 
  • સ્વામીજી માનતા, કોઈ સમયે સમસ્ત સંસાર પર આપના પૂર્વજોનું-વૈદિક આર્યોનું- ચક્રવર્તી રાજ્ય પ્રવર્તતું હતું. ભારત-આર્યાવ્રત-સમસ્ત સંસારને જાગૃત કરનાર મહામાનવોથી ભરેલ હતું-એ વિશ્વવિજેતાઓની ગૌરવ ગાથા છે. 
અંધશ્રદ્ધા નિવારણ-લોકજાગૃતિ કાર્યો
  • સૂર્યગ્રહણ સમયે જમવામાં વાંધો નથી. 
  • સ્ત્રીઓને પણ મંત્ર જાપનો અધિકાર છે. 
  • મૂર્તિપૂજા બધા અનર્થોનું મૂળ છે. તેને દૂર કરવી જ રહી. 
  • બાળવિવાહ વિરોધ 
  • વિધવાવિવાહ સમર્થન 
  • વૃદ્ધવિવાહ વિરોધ 
  • અશ્પૃશ્યતા નિવારણ-છૂતછાત-આભડછેટનો વિરોધ. 
  • જ્યોતિષ, મંત્ર-તંત્ર અને ભૂતપ્રેત દ્વારા મચાવાતા ઢોંગ રોકો વિરુદ્ધ અભિયાન. 
ડામ : યમદુતો ભાગતા હોવાની અંધશ્રદ્ધા માટે ડામ લગાવતો રોક્યો.

લગ્ન : સ્વામીજીએ રાજસ્થાનમાં કન્યાઓને મુસ્લિમ જોડેજ પરણાવવાનો રિવાજ બંધ કરાવ્યો- પ્રથા બંધ કરાવી.

ધન : આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે-ધન ત્યાગ રાષ્ટ્ર માટે આત્મહત્યા સમાન છે. ધર્મસંમત ધન હોવું જ જોઈએ.

07-03-1867ના રોજ હરદ્વારના કુંભમેળામાં પાખંડખંડિની ધ્વજપતાકા ફરકાવીને નવજાગરણનો અને પાખંડદહનનો એક મહિનાનો કાર્યક્રમ કર્યો. તેમણે મૂર્તિપૂજાની અવૈદિકતા સિદ્ધ કરી. 
 

આર્યસમાજ


10-04-1875 આર્યસમાજની 10 નિયમો સાથે મુંબઈમાં સ્થાપના કરી શ્રી ગિરધરલાલ કોઠારીને પ્રમુખ અને શ્રી પાનાચંદ આણંદજી પારેખ ને મંત્રી બનાવ્યા. તેમણે કહ્યું આર્યસમાજ દ્વારા,
  1. હું વેદો ને સંદેશો આપું છું, મારો નહીં. 
  2. મારા વિચારો યોગ્ય ન લાગે તો, તેને માનશો નહીં. 
  3. મારા ફોટો કોઈ મંદિરમાં રાખશો નહીં. 
“અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ” એમનો જીવનમંત્ર કેવળ ઈશ્વર જ તેમનો સહાયક હતો અને સત્ય જ તેમનું પરમ અવલંબન હતું. સ્વામીજી પર અનેકવાર જીવલેણ હુમલા થયા પણ અખૂટ શારીરિક સામર્થ્ય અને યોગ બળથી તેઓ પોતાને બચાવતા રહ્યા.

31-05-1883 જોધપુર ખાતે મહારાજા અને બીજાવિશે ટીકા સાંભળી તેમના પ્રધાનોએ સ્વામીજીને રસોઈના દૂધમાં ઝેર પીવડાવી દીધું. 31-10-1883 રોજ આબુ ખાતે તેમનો દેહોત્સર્ગ થયો.

ઉપસંહાર 

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુખ્યત: વેદના પ્રચાર-પ્રસાર માટે કરી હતી. ત્યારે સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક વેદ ભણવા, ભણાવવા અને સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યસમાજનો પરમ ધર્મ છે.

મહર્ષિ દયાનંદની વેદ વિષયક માન્યતાઓના પોષક ઉચ્ચ સ્તરીય મૌલિક ગ્રંથોનું પ્રણયન અને પ્રકાશન કરીને તેની સર્વત્ર પહોંચ કરાવવામાં આવે. એ અનિવાર્ય છે.

દરેક વિશ્વવિદ્યાલયો(University)માં દયાનંદ વૈદિક શોધપીઠો (Research Center) સ્થપાય તો, આર્યસમાજની સફળતા બહુ દૂર નથી. 

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા
Related Article: આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

Comments

Popular posts from this blog

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....