Skip to main content

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

તાઓ ધર્મ

વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ. તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે. તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે. તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો સાદાઈ – Simplicity - Patience and Compassion  અકર્મણ્યતા – Inaction  સંવાદીતા – Harmony  મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું.  તાઓ   જેને કહી શકાય તે પરમ તાઓ નથી. સામાન્ય બનવું, ખરેખર સાચું ...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...