મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ.

મહાજન પદો (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦) 
મૌર્ય યુગ પૂર્વે નો સમય 
  1. ગણતંત્ર (Republican): રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી.
  2. વારસાગત (Hereditary): રાજા નો પુત્ર વારસદાર તરીકે રાજા બનતો.


સામાજિક સ્થિતિ

સમાજ વ્યવસ્થામાં ચાર વર્ણાશ્રમ પદ્ધતિ વધારે પ્રચલિત હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો દરજ્જો ઊંચો મનાતો.શુદ્રોને અસ્પૃશ્ય અને ખાણીપીણીમાં જુદા રખાતા, ઉપરાંત ગુલામી જેવા કામો કરવાતા.

ચાર વર્ણો: અધ્યાપન, યાજન અને પ્રતિગ્રહ બ્રાહ્મણોનો વિશિષ્ટ ધર્મ ગણાયો. તો શસ્ત્રાજીવ અને ભુતરક્ષણ ક્ષત્રિયનો વિશિષ્ટ ધર્મ મનાયો. કૃષિ,પશુપાલન અને વાણિજ્ય વૈશ્યનો વિશિષ્ટ ધર્મ બન્યો. છેલ્લા શુદ્રોને ત્રણવર્ણના લોકોની સેવા,કારૂકર્મ અને કુશીલકર્મ જેવા નિમ્નકાર્યો મળ્યા.

ચાર આશ્રમો: આ જ રીતે જીવનની ચાર અવસ્થાઓમાં પ્રથમ બ્રહ્મચર્ય વિદ્યાપાર્જન માટે ગણાવી. ગૃહસ્થ સામાજિક જીવનની બીજી અવસ્થા ગૃહસ્થાશ્રમ હતી. ગૃહસ્થ અધ્યયન, યજન, દાન અને અર્થોપાર્જન દ્વારા મહાયજ્ઞો દ્વારા ઋષિ, દેવ,પિતૃ ,મનુષ્ય અને ભૂત પ્રત્યેના કર્તવ્યો અદા કરતો. વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થઈ તાપસ જીવનની ચર્ચા અપનાવી સન્યાસાશ્રમમાં સંસારિક બંધનો ત્યાગી સંન્યાસ ધારણ કરી પરિવ્રાજક ધર્મ અપનાવી ગૃહસ્થોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતો.

સ્ત્રી: સ્ત્રીઓ ગૃહિણી બની ગૃહકાર્ય, કુટુંબના સભ્યોની કાળજી અને પતિની સેવા કરે તે અપેક્ષિત ગણાતું. પુત્રીને શિક્ષણ અપાતું. વિવાહ સંબંધમાં કન્યાને વર (સ્વયંવર દ્વારા) પસંદકરવાનો હક રહેતો. શીલ અને લજજા કુલાંગનાનાવિશિષ્ટ ગુણ ગણાતા. કોઈ સ્ત્રી ગણિકા કે નગરવધુ તરીકે જીવન જીવતી તો કોઈ સ્ત્રી પરિવ્રાજિકા, ભિક્ષુણી કે સાધ્વીનું જીવન અપનાવતી.

ગુલામી (દાસત્વ)ની પ્રથા ચાલુ હતી.

લગ્ન: વિવાહની પ્રાચીન ભારતમાં આઠ પદ્ધતિઓ પ્રચલિત હતી. 
  1. સ્વયંવર: કન્યા જાતે પતિને પસંદ કરે.
  2. આર્યવિવાહ: ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથે લગ્ન 
  3. ગાંધર્વ વિવાહ: પોતાની પરસ્પર પ્રીતિથી યોજાતા સંબંધ પછી લગ્ન 
  4. દૈવ વિવાહ: ઋત્વિજને અપાતા કન્યાદાન દ્વારા લગ્ન 
  5. રાક્ષસ વિવાહ: કન્યાને બળાત્કારે ઉપાડી જઈને લગ્ન 
  6. પૈશાચ વિવાહ: ઊંઘતી, મત કે ઉન્મત કન્યાને પરણી જવાની બળજબરી
  7. આસુરવિવાહ: દ્રવ્ય આપી મેળવાતી કન્યા સાથે લગ્ન 
  8. બ્રાહ્મવિવાહ: કોઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવાતા લગ્ન

પુરુષોમાં અનેક વિવાહની છૂટ હતી.

કન્યાના લગ્ન ૧૬ વર્ષથી પુખ્ત વય પછી થતો. સ્ત્રીઓમાં વૈધવ્ય બાદ પુનર્વિવાહ થઈ શકતા. 

નંબરરાજ્યરાજધાનીરાજારાજ્યનો વિસ્તારનોંધ
અંગ (બિહાર)ચંપાનગરી (હાલનું બિહાર)દધિવાહનઆધુનિક બિહારના ભાગલપુર અને મુંગેર જીલ્લા
મગધ (દક્ષિણ બિહાર)ગિરિવ્રજ (રાજગૃહ)બિંબિસાર (અજાતશત્રુ)પટના અને ગયા જીલ્લોરાજગાદી માટે પિતૃહત્યા
કાશી (દક્ષિણ- પૂર્વ ઉત્તર પ્રદેશ)વારાણસીબ્રહ્મદત્ત-શિલ્પ, વેપાર અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું.
કૌશલ (ઉત્તરપ્રદેશ નું હાલનું અવધ) ઈ.પૂ. ૪૮૧ઉત્તરે: શ્રાવસ્તી
દક્ષિણે: કુશાવતી
પ્રસેનજિત પૂત્ર વિદુરથઆધુનિક ઉત્તરપ્રદેશ ના સાકેત, અયોધ્યા અને શ્રાવસ્તીા- મગધના રાજા અજાતશત્રુ જોડે પુત્રી પરણાવી
- અજાતશત્રુ જમાઈ
 - પિતા ને પદભ્રષ્ટ કરી પુત્ર વિરુદ્ધ રાજા બન્યો.
વજિ (વ્રજી)
વિદેહજનપદ
વૈશાલી જનપદ
વૈશાલી (મિથિલા)-બિહાર, નેપાળ- આઠ નવ ગણરાજ્યોના સમૂહ (સંઘ)
- વિશ્વના પ્રાચીનત્તમ ગણરાજ્યના જન્મદાતા
મલ્લ
હિમાલયની તળેટીમાં (ઉત્તર પ્રદેશ)
કુશિનારા અને પાવા-ગોરખપુર જિલ્લો દેવરિયા-ગોરખપુરનો વિસ્તારઆઠ-દસ  ગણરાજ્યોનો સમૂહ
ચેદિ (ચેતી)ઉત્તર ચેદી: નેપાળ
દક્ષીણ ચેદી: બુંદેલખંડ
-યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ(બુંદેલખંડ) (U.P. and M.P.)
વત્સકોસાંબી (હાલનું પ્રયાગ)-ઉત્તરપ્રદેશ (અલ્હાહાબાદ ) પ્રયાગની આજુબાજુનો પ્રદેશ
કુરુ (હરિયાણા)હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ-થાનેશ્વર, બરેલી અને મિરત જીલ્લો
૧૦પંચાલ (ઉત્તરપ્રદેશ)ઉત્તર પંચાલ: અહીછત્ર (બરેલ જીલ્લો) દક્ષિણ પંચાલ: કામ્પીલ્ય (ફારુખાબાદ જિલ્લો)-બંદાઉં, બરેલી અને ફારુખાબાદ જીલ્લો
૧૧મત્સ્ય
રાજસ્થાન
વિરાટ (જયપુર નજીક)-રાજસ્થાનના અલ્વર, ભરતપુર અને જયપુર જીલ્લા
૧૨સુરસેન (ઉત્તરપ્રદેશ)મથુરા-કુરુ ની દક્ષિણ અને ચેદીનો પશ્ચિમોત્તરભાગ
૧૩અશ્મક
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે
પૈઠણ-ગોદાવરી નદીનો તટવર્તી પ્રદેશ
૧૪અવંતી (માળવા)
મધ્યપ્રદેશ
ઉજ્જૈનપ્રદ્યોત-
૧૫ગાંધાર
પશ્ચિમ પાકીસ્તાન
તક્ષશિલા-પાકીસ્તાન અને અફઘાનીસ્તાનના પેશાવર અને રાવલપીંડી જીલ્લાા
૧૬કામ્બોજ (પછછીમ પાકિસ્તાન)રાજૌરી (હઝારા જીલ્લો)-જમ્મુ કાશ્મીરના પ્રદેશ દ્વારકા મુખ્ય નગરી
-આ ઉપરાંતના જનપદો-કૈકેય મદ્યકસિન્ધુ – અંબાઈ- આન્ધ્ર, દ્રવિડ, સિની કલીંગ, સિંહલ, વિદર્ભ

મગધ સામ્રાજ્ય



I. હર્ચક વંશ 

સ્થાપક: 
  1. બિમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪ - ૪૯૨) 
  2. અજાતસત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦) 
  3. ઉદયન (ઇ.સ.પૂર્વે  ૪૬૦-૪૪૪) 
  4. નન્દીવર્ધન 
  5. મુંડ
  6. મહાનંદી
  7. અંતિમ શાસક: નાગદશક

II. શિશુ નાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) 
સ્થાપક:
  1. શીશુનાગ (ઇ.સ.પૂર્વે  ૪૧૪ - ૨૯૪)
  2. કાલશોક
  3. અંતિમ શાસક: નંદીવર્ધન

III. નંદવંશ (૩૪૨-૩૨૨ BC)
સ્થાપક: 
  1. મહાપદ્યનંદ
  2. અંતિમ શાસક: ધનનંદ

મગદ સામ્રાજ્ય ૧૬માંથી ૪ અને ૪માંથી એક માત્ર મોટું મહાજનપદ બન્યુ!

મગજ સામ્રાજ્યના વિકાસના કારણો
  1. ભૂગોળ રાજધાની રાજગીર પર્વતોથી રક્ષાયેલ
  2. યુદ્ધમાં પ્રથમવાર હાથીના ઉપયોગ
  3. વિકાસ પામેલા સમાજ
  4. બિમ્બીસાર અને અજાતસત્રું જેવા સાહસિક અને મહત્વાકાંક્ષી રાજા
  5. લોખંડના હથિયારો બનાવ્યા લોખંડના ખાણોની શોધ પછી લોખંડના હથિયારો બનાવ્યા.
કરુણ હકીકત : અજાતશત્રુથી નાગદશક સુધીના બધા રાજા પિતૃહત્યા કરીને ગાદીએ આવ્યા હતા.
હર્ચકવંશ 
  • બીમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪-૪૯૨): સંસ્થાપક મહાત્મા બુદ્ધના મિત્ર અને સંરક્ષક હતા.સામ્રાજ્યમાં ૮૦૦૦૦ ગામો હતા. બીમ્બીસાર અંગના શાસક બ્રમ્હ્દત્તની હત્યા કરી મગઘમાં ભેળવી દીધું ઉપરાંત તેને લગ્નથી કાશી દહેજમાં કૌશલના રાજાએ આપ્યું.
  • રાજધાની : રાજગૃહ 
  • અજાતશત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦): બિમ્બીસારની હત્યા કરી રાજા બન્યો. કૌશલ અને વૈશાલીના યુદ્ધમાં “મહાશીલાકન્ટક અને રથમુસલ” જેવા હથીયારો વાપરી જીત મેળવી મજ્જીઓંના સંયુક્ત ગણસંઘને પણ હરાવ્યુ. રાજધાની પાટલીપુત્ર બનાવી.
  • શીશુનાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૪૫): નાગદશકને પદભ્રષ્ટ કરી શીશુનાગ વંશ ની સ્થાપના શીશુનાગ વંશની સ્થાપના શીશુનાગે (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) કરી શુદ્ર વંશનો રાજા જે નાગદશક નો અમાત્ય હતા તેના પછી કાલાશોક (ઇ.સ.પૂર્વે  ૩૯૪ - ૩૬૬) રાજા બન્યો નંદીવર્ધન આ વંશનો છેલ્લા રાજા હતો.
  • નંદવંશ (ઇ.સ.પૂર્વે  ૩૪૪ - ૩૩૪): મહાપદ્યનંદ નંદવંશના સ્થાપક બન્યા તેમણે કૌશમ્બી કૌશલ અવંતી અને કલિંગ જીતી મગધમાં મેળવી લીધા છેલ્લા રાજા ધનનંદ ને પરાજીત કરી ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્યવંશ ની સ્થાપના ઇ.સ.પૂર્વે  ૩૨૩ માં કરાવી ઇ.સ.પૂર્વે  છઠ્ઠી સદીમાં ઈરાનીઓનું અને ઇ.સ.પૂર્વે ૪થી સદીમાં ગ્રીકોનું ભારત પર આક્રમણ થયું. આર્યો મધ્યપ્રદેશ તરફ યુદ્ધ કરતા હતા ત્યારે પહેલાં ઈરાનીઓ અને પછી મેસેડોલ્ફિયાના લોકો ભારતની વાયવ્ય સરહદે ચઢી આવ્યા. 

આમ આપણે મહાજનપદોની વિગતવાર માહિતી લીધી અને તેમાંથી બનેલ મગધ સામ્રાજ્ય જાણ્યુ. ત્યાર પછી ગ્રીકો, હુણ, કુષાણો અને શક લોકોએ ભારત ઉપર ઉત્તર-વાયવ્ય સરહદે ચઢી આવ્યા તેની વાતો જાણીશું.

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!