Showing posts with label marriage. Show all posts

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે.

સમૂહ લગ્ન:
  • વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે. 
  • મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે. 
  • મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે. 
  • સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે. 

આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (NGO), ધનિક ઉધ્યોગપતિઓ અને જ્ઞાતિસમૂહો આ પ્રથા અપનાવી લેશે. સાદાઈથી લગ્ન કરવા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે તો ખૂબ જ યોગ્ય છે. લગ્નમાં પૈસાના ધુમાડો કરી દીધા પછી આખી જિંદગી દેવને કારણે દુઃખી થવામાં કે પોતાની જમીન વેચીને આવક ગુમાવવામાં કોઈ મહાનતા નથી,મૂર્ખાઈ છે. સમાજે ફરજિયાત અમલ કરવાના આદેશ બહાર પાડવો જોઈએ- જેથી તેનો ચોક્કસ અમલ થાય છે.

સુધારા માંગતા મુદ્દાઓ વિચારીએ.

આમંત્રણ પત્રિકા અને આમંત્રણની રીત:

મોંઘીદાટ કંકોત્રી છપાવવાથી આમંત્રિત કોઈ રીતે પ્રભાવિત થતો નથી- અને અઢળક નાણાવ્યય થાય છે.

રૂબરૂમાં આમંત્રણ આપવાની વિધિઓ ત્રાસ જેમણે સહન કર્યો હોય તે જ જાણે. મુંબઈથી અમદાવાદ કે બીજા રાજ્યમાં રહેતા સંબંધીઓને રૂબરૂ આમંત્રણ આપવું ખરેખર ત્રાસદાયક થાય છે. જે સ્નેહી છે- જે ખરા સંબંધી- મિત્રો છે- તે લગ્નમાં આવવાના જ છે.

લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયામાં વોટ્સએપ (WhatsApp) દ્વારા આપી ફોનથી આમંત્રણ પાકું કરવું ખૂબ સહેલું અને યોગ્ય છે.

વરઘોડો:

જાહેર માર્ગને અવરોધતો, ટ્રાફિકનું રોકાણ અને ત્રાસ ફેલાવતો, ફટાકડા દ્વારા હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ કરતા વરઘોડો કાઢીને આપણે શું સાબિત કરીએ છીએ? વળી ડી. જે. નો ઘોંઘાટ બહેરાશ ન આવે તો જ નવાઈ- વરઘોડો સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય છે.



ભોજન સમારંભ:

પચાસથી વધારે મદ્રાસી, પંજાબી, ચાઈનીઝ, વિવિધઆઈસ્ક્રીમો સરબતો સુપો સાથેનું ભોજન પીરસવામાં કોઈ મહાનતા નથી- એ દ્વારા અન્નનો અસહ્ય બગાડ અને ખાનારના પાચનતંત્રને નુકસાન સિવાય છે શું? વળી બુફે પ્રથામાં લોકો દ્વારા ભીડમાં બીજીવાર ન જવાની આળસ ને કારણે લીધેલુંવધારે પડતું ભોજન પૂરું કેવી રીતે કરવું શક્ય છે?

ઔરંગાબાદ જૈન સમાજે લીધેલ નિર્ણય મુજબ લગ્નમાં છ થી વધારે વાનગીઓ હોય તો ફક્ત વર કન્યાને આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું. અગ્રવાલ સમાજેપણ આ પ્રથાને અનુમોદન આપ્યું છે, આર્થિક સંપન્ન બંને સમાજો આ કરતા હોય છે તો, આપણે તેનું અનુકરણ ચોક્કસ કરવું જ રહ્યું.

લગ્ન ગમે એટલા મોટા હોય પણ લોકો તેને યાદ રાખતા નથી. ખર્ચાળ-ભભકાવાળા લગ્ન કરવા બદલ કોઈને એવોર્ડ મળતો નથી- લગ્ન એ સંસ્કાર છે. અહીં પરસ્પરને વચન બધ્ધ કરી જીવનભર સાથે રહી, અનુકૂલન સાધી, બે કુટુંબમાંથી આવેલ વર-કન્યાના મિલન દ્વારા વંશવૃદ્ધિનો હેતુ ધરાવતો વિધિ છે-

રાસ-ગરબા, સંગીત-સધ્યા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પ્રી-વેડિંગ શૂટિંગ, બ્યુટી-પાર્લર,મહેંદી અને પીઠી ચોળવાની વિધિ

​સંગીતસંધ્યામાં આવતા ઓરકેસ્ટ્રાનું બિલ, વર-કન્યા,બંને માબાપ, ભાઈ ભાભી વગેરેને મહીના સુધી પ્રેક્ટિસ કરાવી કરાવતા ડાન્સ અને રાસ-ગરબાનો પ્રસંગ શું સાબિત કરે છે?કંઈ-નહીં, કોઈ ખાસ આનંદ મળતો દેખાતો નથી – ઊલટાનુંઅભદ્ર પ્રદર્શન પણ બિનજરૂરી રીતે થતું હોય છે. ખર્ચ તો વળી ત્રણ ચાર લાખ રૂપિયાનો થઈ જાય છે.

ફોટોગ્રાફી – વિડિયો:

કેટલા આલ્બમ કે વિડીયો ઘરના સભ્યો નિયમિત રીતે જુવે છે. કદાચ એકપણ વાર આલ્બમ કે વિડીયો ન જોયો હોય એવા સભ્યો મળી આવે છે. વર્ષ પછી તો ક્યાં મૂક્યા છે તે પણ ઘણાને ધ્યાન પણ હોતું નથી.

પ્રિ-વેડ શૂટિંગમાં વર્ગ કન્યાને લગ્ન પહેલા એક કે બે દિવસ દૂરના સ્થળે હોટેલમાં લઈ જઈ પિક્ચરના ગીત પ્રમાણે ડાન્સ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે. નવા ખરીદેલા ચાર-પાંચ કે વધારે ડ્રેસ બદલાવી ફોટોગ્રાફી કરતાં હોય છે.ઉપરાંત લગ્ન પહેલાનું એકાંત કેટલું નુકસાનકર્તા હોઈ શકે તે તૂટેલા લગ્નવાળાને જ ખબર પડે. ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી અનેફોટોગ્રાફીની વિધિમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચીને કઈ મળતું નથી!

બ્યુટી પાર્લર:

લગ્નના બે દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર થતી ઘણીબધી સ્ત્રીઓ લગભગ પાંચ-છ કલાક ન બગાડે તો જ નવાઈ.ઘણીવાર તો આ કારણે લગ્ન અને બીજી વિધિઓ પણ ખોરવાતી હોય છે. બ્યુટી પાર્લરના આઠ દસ કલાકારોની ફોજ પછી દોઢ બે લાખ રૂપિયા ન લે તો જ નવાઈ. આજ વાત મહેંદીની એક સાંજ માટે કહી શકાય.

આમ બધી વિગતોનો કુલ ખર્ચ, બધા લોકોના ત્રણ-ચાર દિવસના રોકાણનો ખર્ચ અને તેમને નોકરી ધંધામાં થતું નુકસાન અને દોડાદોડી-ત્રાસના હિસાબ નિરાંતે માંડવા જેવો છે.

વિચારો, આમ લગ્નમાં થતો ખર્ચ રોકવાથી થયેલીબચત ભવિષ્યમાં વર- કન્યાને, બંને પક્ષના મા-બાપોને અને ભાઈ-બહેનોને માંદગીસમયે, અભ્યાસમાં કે બીજી કોઈ જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

ખરેખર વધારે પૈસા હોય તો, સમાજ સેવામાં દાનમાં વાપરી શકાય.

ચાલો. નીચે મુજબ સમાજ દ્વારા નિયમો નક્કી કરી તેનું પાલન કરીએ.

  1. લગ્નમાં બંને પક્ષના મળીને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લેવો જોઈએ તેટલા જ તમારા અંગત સ્નેહીઓ હોય છે.બાકીના તો?
  2. આમંત્રણ ફોનથી અને મોબાઈલમાં whatsapp દ્વારા આપી શકાય. 
  3. એક જ દિવસ લગ્નવિધિ ચાલવું જોઈએ. 
  4. ભોજનમાં વધુમાં વધુ છ વાનગી પીરસવું જોઈએ. 
  5. સમૂહ લગ્નમાં આયોજનોમાં જોડાવું જોઈએ. 

ચાલો, સુધારાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ તો કેવું?


ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૨૧/૦૪/૨૦૨૪

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો. 


એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો લેતા ફક્ત રૂપિયા ૫૦૦૦ થી ૧૧,૦૦૦ સુધી લગ્નવિધિ સમયે સોની પાસે વજન કરાવીને પુરાવજનનું સોનું ઉઘરાવતા તે વાત આજે કદાચ માનવામાં ન આવે, પરંતુ તે વાંકડાની નામોશી ત્યારે હકીકત હતી.

લેવડદેવડની ચર્ચા અને સમજૂતી લગ્ન નક્કી કરવાની પ્રથમ વિધિ ચાંદલા સમયે કરાતી અને આ બાબતોનો બંને પક્ષની અને બે સાક્ષીઓની સહીવાળા કાગળનું લખાણ કરાવવામાં આવતું.

ચાંદલા વિધિ સમયે લાલ પેનથી લખાતું કરારનામું:


શ્રી ગણેશાય નમઃ


વિક્રમ સંવત ___________ના__________ મહિનાના કૃષ્ણ/શુક્લ પક્ષની તિથિ અને વારે_________ સમયે આ લખાણ કરવામાં આવે છે.

કુ. _______________,  ________________ ની પુત્રી______________ ગામ___________ તાલુકા__________ જિલ્લાની રહેવાસીનો ચાંદલો કુ. _________,  _________ ના પુત્ર_________ ગામ_________ તાલુકા___________ જિલ્લાના રહેવાસી સાથે નક્કી કર્યા તે ચાંદલા દરમ્યાન નીચે મુજબની આપ-લેની ખાત્રી કરી છે. જેનો અમલ થતાં લગ્નની વિધિ પૂર્ણ કરીશું.

૧) હળદર ૬૨૫ ગ્રામ (સવા સેર)

૨) પાન – Betel-nuts _____ ગ્રામ 

૩) રોકડ વાંકડો _______ રૂપિયા (આશરે રૂપિયા ૫૦૦૦૦ સુધી)

૪) સોનાના ઘરેણાં ___________ તોલા (આશરે ૫ થી ૫૦ તોલા સુધી)

૫) પહેરામણી – પુત્રીની માતાને _______ રૂપિયા 

૬) શાલ _______ અને સાડી ________ સ્થિતિ પ્રમાણે શોભે તેવી.

૭) આ ઉપરાંત પ્રસંગને આનુષંગિક ઘરઘામણમાં આપવાની વસ્તુઓ વાસણો- ટેબલ, ખુરશી વિગેરેની યાદી.

૮) વરયાત્રામાં આવેલા _______ વ્યક્તિઓને ભોજન – ચા નાસ્તો

૯) નોંધ: ઉપરોક્ત યાદી ઉપરાંત રોકડવદા, સુવાવડનો ખર્ચ, જાનખર્ચ, વાહનખર્ચ અને વાજાવાળાનો, સુવાવડ શેતરંગી ખર્ચ મજરે આપવાનો રેહશે. 

ઉપરોક્ત લેવડ દેવડ વાંકડાના આવેજ રૂપે __________ રૂપિયા આજ રોજ આપીએ છીએ.



સહી:                                              

કન્યાપક્ષ પિતા        __________________

વરપક્ષ પિતા         __________________



સાક્ષીની સહી:                                             

૧)         __________________

૨)         __________________
  

        


લગ્ન પહેલા આ લેખિત કરારનો સખ્તાઈથી અમલ કરવા કરાવાતો. વાંકડો (રોકડ પૈસા), ઘરેણાં(સોના અને ચાંદીના), ઘરઘામણને નામે ઘરવખરીની બધી જ વસ્તુઓ- વાસણો -ફર્નિચર ઉઘરાવતા વરપક્ષને કંઈ ખોટું કરવાની લાગણી થતી નહીં. ઓછી આવકવાળો ગરીબ સ્થિતિનો કન્યાનો બાપ આ વ્યવહાર દેવું કરીને કે પોતાની જમીન વેચીને નિભાવતો જોવામાં સમાજને કે સગા સંબંધીઓને કોઈ નાનમ કે સંકોચ થતો નહીં. આ ઉપરાંત સગા સંબંધીએ કે મિત્ર મંડળ દ્વારા આપેલ રોકડ ભેટ, સોનું કે વસ્તુ કન્યાને સાસરે પહોંચાડવાની રહેતી.

વાત એટલેથી પતતી હોય તો વાત અલગ છે, પણ લગ્નના બીજા દિવસે દસીયાની વદા- ત્રણ ખાવાં-દિવાળીમાં દીવા મૂકવા- પ્રસુતિ સમયનો ખર્ચ- દર વર્ષે કન્યાના કપડા નો ખર્ચ અને કન્યાના મરણ સમયે લાકડાનો ખર્ચ કન્યા પક્ષે જ કરવાનો કુરિવાજ હતો. વર્ષ દરમિયાન ગમે ત્યારે પિયર આવેલી કન્યા સાસરે ખાલી હાથે ન જતાં પૂરી, વડા અને લાડવા અચૂક લઈ જતી

અને સમયનું ચક્ર ફરે છે- તેમ વખત જતા કન્યાની સંખ્યા ઘટતાં ઉપરાંત કન્યાનું ભણતર અને આવક વધતાં અને વરપક્ષની લાયકાત કન્યા ની સરખામણીએ ઘટતા, ઉપરોક્ત બધા જ રિવાજો મોટા ભાગે અદ્રશ્ય થયા- વરપક્ષેહવે વગર વાંકડે- વગર સોનાએ અને વગર ઘરઘામણે લગ્ન કરવા ફરજિયાત સંમતિ આપવી જ પડે છે- અરે, કન્યા પક્ષનો લગ્નનો ખર્ચો પણ વરપક્ષ આપવાની ગરજ બતાવતા જોવા મળે છે. છતાં છોકરાઓ (દેખાવડા, કમાતા, ભણેલા અને વ્યસન મુક્ત હોવાછતાં) મોટી સંખ્યામાં કુવારા રહી જતા જોવા મળે છે. 

સમય સમયની વાત છે.



ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૧/૦૪/૨૦૨૪

અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ.

દેખીતાં કારણો:

1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ:40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે.

2. અભિપ્રાયોમાં નિરસતા: લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો.

3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન: દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે લગ્નની સમસ્યા ભારી બને છે.

4. વિરોધાભાષ (Paradox): આપણી અપેક્ષાઓમાં વિચિત્ર વિરોધાભાસ (Paradox) છે જેમકે, (1) માબાપ મોટી જમીનના માલિક હોવા જરૂરી છે, પણ યોગ્ય હોવા છતાં ખેતીવાડી વાળો ગામડાનો મુરતિયો ન ચાલે. (2) પૈસાદાર કુટુંબનો છોકરો જોઈએ, પણ વેપાર–ધંધાવાળો ન ચાલે–નોકરીવાળો જ જોઈએ. (3) કમાણી તો ઘણાબધા વ્યવસાયમાં છે, પણ ઉમેદવાર ડોક્ટર – એંજિનિયર જ જોઈએ. (4) મધ્યમ દેખાવનો બીજી રીતે યોગ્ય ઉમેદવાર ન ચાલે, દેખાવડો આકર્ષક વ્યક્તિત્વવાળો રૂપાળો જ જોઈએ.

5. આદર્શ યુવાનો છોકરીઓ સાથે મર્યાદા જાળવી રાખતા હોવાથી પોતાની પસંદગીની કે પ્રેમની વાત અવ્યક્ત જ રાખે છે–છોકરી પહેલની રાહ જોતી હોય ત્યારે પણ અસમંજસમાં રહી સ્પષ્ટ રજૂઆત કરતાં નથી, આથી નિષ્ફળ રહે છે ત્યારે અભણ તોફાની–અવિવેકી અને નફ્ફટ છોકરાઓ કન્યાઓને ફોસલાવી પોતાની લગ્નની ઈચ્છા બતાવી ફસાવી શકે છે અને છોકરીઓ એને પ્રેમ સમજી તૈયાર થાય છે,પછી પસ્તાય છે.


મા-બાપ દ્વારા ગોઠવાયેલ લગ્નોની પ્રથા યોગ્ય છે, પરંતુ તે એકદમ ચોક્કસ કે સંપૂર્ણ (Fullproof) નથી. માણસોને ઓળખવા–પારખવા સહેલા નથી–ત્યારે ભૂલનો અવકાશ હંમેશા રહે જ છે. લાંબા સામના ગાઢ મિત્રોના બાળકો વચ્ચે લગ્ન પણ નિષ્ફળ ગયા છે. તેવી જ રીતે બાળપણથી મિત્રતાવાળા પાત્રોના લગ્ન છ માહિનામાં તૂટતાં મેં જોયા છે. 

આમ, લગ્નની સફળતાની કોઈ ગુરૂચાવી નથી. પરસ્પર અનુકૂળ (Adjustment) અને બાંધછોડ (Compromise) દ્વારા લગ્ન સફળ બનાવી શકાય. ઓછી સહનશક્તિ અને વધારે પડતી અપેક્ષાઓ હાલના છૂટાછેડાના અગત્યના કારણો છે.

વાતનો સાર:

અંતે, લગ્નઉત્સુક આપ સૌને એક છેલ્લી અગત્યની વાત કહેવી છે. સમજશો–વિચારશો એવી નાની અપેક્ષા છે. 

મિત્રો, તમે યોગ્ય જ છો – લગ્ન માટે શક્તિમાન છો ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. લગ્નની આતુરતા જ હોય તો, કુંવારા રહેવાના, લગ્ન સિવાય, લગ્ન બાહ્ય શરીર સંબંધો કે લગ્ન વિના સાથે રહેવાના (Live-in-Relationship) વિચારો ન કરશો.


આપના સંપર્કમાં આવતા આડોશ-પડોશના, મિત્રમંડળના, આવજાવમાં મળતા કે વ્યવસાયના સ્થળે મળતા વિજાતીય પાત્રમાંથી કોઈ એકને પસંદ કરો – સંપર્ક વધારો – મિત્રતા બનાવો અને લગ્નની સહમતી બનાવો. મિત્રો ધારો એટલું ભારી નથી. તમારા લગ્ન આ વર્ષે થવાના જ છે.

મારી શુભેચ્છાઓ – આશીર્વાદ.

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો

છૂટાછેડા (Divorce): છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage)
  1. Without marriage, there is no divorce
  2. Marriage can be easily done but not divorce
  3. Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake
  4. Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life.
કારણો
  • Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ
  • Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન
  • Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ
  • Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ
  • Lack of Love: પરસ્પર પ્રેમ
  • Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ
આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો
  • ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ્નજીવનનો અંત લાવવા તૈયાર થઈ જાય છે.
  • Communication gap and Ego: પોતપોતાના સ્વભાવના અહંકારને લીધે અને પરસ્પર વાતચીતના સમયના અભાવે વાર્તાલાપ કે ચર્ચા બંધ થઈ જતાં-પ્રશ્નોના કારણો અને નિરાકરણની ચર્ચા થતી નથી, તેથી પણ છૂટા પડી જવાય છે.
  • Lack of Commitment: લગ્નજીવનમાં ભંગાણ અને છૂટાછેડા સમાજમાં હવે ખરાબ ન ગણાતા હોવાથી છૂટાછેડાની સ્થિતિ ને સમાજે સ્વીકારી લીધી છે, જેથી હવે છૂટાછેડાનો કોઈ છોછ રહ્યો નથી તેથી લગ્નજીવનની વીધીમાં આપેલા વચનોની ગંભીરતા રહી નથી (No Social Taboo). પરસ્પર માટે પ્રેમ કે લાગણી અને પરસ્પર માટે બધુ જ કરી છુટવાની ભાવના જતી રહી છે-મરી પરવારી છે.
  • Family Interference: સંયુક્ત કુટુંબની ભાવના અને સંયુક્ત રહેવાનું ન હોવાથી પતિ-પત્નીનું એકલા રહેવું જોખમી બન્યું છે. નાનામોટા ઝગડાઓએ કાયમી સ્વરૂપ પકડ્યું છે અને સમાધાન શક્ય રહ્યું નથી.
  • Mobile Connectivity and Parents Interference. મોબાઈલ ફોને મોકાણ મંડી છે. કે ડાટ વાળ્યો છે એમ કહીયે તો ચાલે એ ખોટું નથી. સવાર-સાંજ ફોન દ્વારા માબાપની ચર્ચા લગ્નજીવનમાં ખલેલ પહોંચાડે છે અને વખત જતાં લગ્નો તોડે છે.
  • Dowry - વાંકડો
  • Modern Lifestyle: Hectic complex lifestyle causing high ambitions, expectations leading to anger, frustrations and confrontations.




છૂટાછેડાની અસરો

  • કૌટુંબિક અસર: છૂટાછેડા જીવનનો અકુદરતી વણાંક છે તેથી છૂટા પાડનાર પાત્રો પતિ- પત્ની, તેના માબાપો, ભાઈબહેન અને કુટુંબીજનો માટે એક અસહ્ય આઘાત અને માનસિક હતાશા-નિરાશા લાવે છે. લગ્નજીવનની આ નિષ્ફળતા વૈવાહિક જીવનનો અંત તો લાવે જ છે પણ સાથે સાથે અસહ્ય વેદના અને સાધારણ દૈનિક જીવનને પણ ખલેલ પહોંચાડે છે. આ નામોશીને કારણે તેઓ બધા સાથે કુદરતી રીતે હળીમળી શકતા નથી અને જીવનની નિષ્ફળતાના વિચારોને લીધે આરોગ્યની સમસ્યા પણ લાવે છે.
Judicial Separation
  • એકબીજાથી છૂટા પડવું લગ્નનો અંત લાવી એકબીજાથી જુદા રહેતા પાત્રોને છૂટાછેડા સહેલાઈથી મળતા નથી. આથી ફરીથી લગ્ન શક્ય બનતા નથી ઉપરાંત ન કુંવારા-ન પરણેલા જેવી વિપરીત સ્થિતિમાં આ પાત્રો લાંબા સમય સુધી જીવન જીવવા ધકેલાઈ જાય છે.
થોડી છૂટાછેડાની અસરો વિષે

ભારતીય ન્યાયાલયોમાં છૂટાછેડા બહુ સહેલાઈથી મળતા નથી. બન્ને પક્ષોએ માનસિક ત્રાસ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. જેને કારણે આર્થિક શારીરીક તેમજ માનસિક રીતે ખૂબ મોટું નુકશાન ભોગવે છે.

પરસ્પર સંમતિ (Mutual Consent) એ સહેલાઈથી છૂટાછેડા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જે માટે બન્ને પક્ષ (થાકયા સિવાય, હાર્યા સિવાય) વહેલા તૈયાર થતાં નથી. અને ભારતીય ન્યાયાલયોમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવું અશક્ય છે. તે સમજે છે.

કાયદાકીય પ્રશ્નો
લગ્નને કારણે ઊભી થતી સમસ્યાઓ આ પ્રમાણે છે:
  1. ભરણપોષણ: Code of criminal procedure 1973 મુજબ લગ્નજીવન પર આધારિત વ્યક્તિ કોઈ પણ પુરુષ, સ્ત્રી અને બાળક ઉપરાંત તેના માતા-પિતા ભરણપોષણનો હક્ક મેળવે છે. તે આવક રજુઆત અને ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પ્રમાણે મળે છે. ઉંમર, આવક, માંદગી વગેરે પ્રમાણે નક્કી થાય છે. આવક ન ધરાવતો પતિ પણ પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે.
  2. બાળક: બાળકનો કબ્જો, તેનું લાલનપાલન અને તેની સાથે બન્નેના સંબંધો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરસ્પરની સમજુતી પછી કોર્ટના હુકમને આધારે તેને દર મહિને ભરણપોષણ અને તેની સાથે મુલાકાત ગોઠવી શકાય છે.
  3. માલમિલકતમાં ભાગ: પત્નીને ભરણપોષણ સિવાય કોઈ જાતનો ભાગ મળતો નથી. પત્નીનો પતિની મિલકતમાં સીધી રીતે કોઈ ભાગ હોતો નથી.
  4. સીધેસીધા છૂટાછેડા: સાત વર્ષ કે સિત્તેર વર્ષ (!) છૂટા રહેવાથી છૂટાછેડા મળતા નથી. પાત્રનું મરણ સાબિત કરવું અનિવાર્ય છે.
છૂટાછેડા બાબતે આપની ફરજો
  1. દંપતી: છૂટાછેડાની નાની નાની બાબતોમાં ધમકી આપતા પાત્રોએ ગંભીરતા કેવળવી જરૂરી છે. લગ્ન એ સંપૂર્ણ જીવન દરમ્યાન સુખમાં, દુ:ખમાં, તકલીફમાં, આનંદમાં પરસ્પર સમજુતીથી (Compromise) અને એકબીજાની સાથે અનુકુળતા (Adjustment) સાધી જીવવાની પ્રક્રિયા છે. તે બન્ને માબાપોએ, કુટુંબીઓએ અને મિત્રોએ લગ્ન પહેલા લગ્ન જીવન દરમ્યાન અને છૂટા પડ્યા બાદ વિગતે સમજવાની જરૂર છે. Compromise and adjustment are the keys to success of marriage and life.
  2. સગાસંબંધી: લગ્નના ભંગાણને આરે આવી છૂટા રહેતા પત્રોને ગંભીરતાથી લેવાની જરૂર છે. માબાપો લગ્નમાં લાગત્ય વળગતા દરેક સગઓ અને મિત્રમંડળોએ સામૂહિક રીતે ભેગા મળી પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવાની કોશિષ કરવી જોઈએ. અંગત રીતે બન્નેને મળીને તકલીફો સમજી નાના નાના કારણોથી છૂટાછેડા ન થાય તે જોવાની આપણી ફરજ છે. કારણ જો બીજા લગ્નની ઈચ્છા હશે તો આનાથી પણ ખરાબ પાત્ર મળી શકે એ શક્યતા પણ ધ્યાન પર લાવવાની જરૂર છે.
લગ્ન માટે ‘હા’ કહેતા પહેલા... (Before saying ‘yes’ for marriage...)

આપણે વાત કરી તે મુજબ છૂટાછેડા કે લગ્નજીવનની તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય લગ્ન પહેલાની સાવચેતી અને કાળજી છે.

લગ્ન ન થતાં હોવાથી અથવા લગ્નની ઉતાવળમાં, જે કોઈ પહેલી લગ્નની ઓફર આવે તેને આંધડુક્રિયા કરીને હા પાડવું ભયજનક-ખતરનાક છે. ચાલો, સમજીએ.

લગ્નની હા પાડતા પહેલા નીચેના પ્રશ્નો વિગતે સમજો ચર્ચા કરો અભિપ્રાય જાણો પરસ્પર સંમત થાવ.
  1. બાળકો: લગ્ન પછી બાળકો લાવીશું? ક્યારે? કેટલાં? બાળકોને કોણ રાખશે, મા કે કામવાળી?
  2. આવક: બન્નેની આવકનો વહીવટ કેવી રીતે કરીશું? પૈસા ભેગા રાખીશું? સહિયારો વહીવટ કરીશું? 
  3. ઘરકામ કોણ કરશે? અડધા- અડધાકામો વહેચીશું કે કામવાળી?
  4. મા-બાપ: બન્નેના માબાપની કાળજી કઈ રીતે લઈશું? સાથે રાખીશું? પૈસા મોકળીશું કે પછી વૃદ્ધાશ્રમ?
વારસાગત રોગો

જન્માક્ષર જોવડાવતાં ન અચકાતાં આપણે મેડિકલ ચેકઅપ માટે તૈયાર થતાં નથી અને પછી લગ્નમાં ભેરવાયા છીએ AIDS, હ્રદય રોગ, કે ખેંચ જેવા લગ્ન પહેલાના રોગો લગ્નને નિષ્ફળ બનાવી શકે છે. બન્નેની વિગતવાર મેડિકલ ચેકઅપ કરાવી તંદુરસ્તીની ખાત્રી કરો. આંખના, લોહીના, માનસિક કે શરીરના વારસાગત રોગો બાળકોમાં આવતા જીવવું મુશ્કેલ બનાવી દે છે.
આપણે સૌ અનાવિલ સમાજ કંઈ વિચારીશું?

દીકરીના અવિચારી લગ્ન અને માબાપ

પુત્રી પોતાની મરજીથી માબાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, ત્યારે માબાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

કારણો
  1. એકવીસમી સદીમાં મળેલા ઈલેક્ટ્રોનિક સાધનો મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલીવિઝન ને કારણે બાળકો ખૂબ હોંશિયાર બની જાય છે. અને તેથી અજાણપણે માબાપને મૂર્ખ માને છે.
  2. માબાપ એક જ બાળક હોવાથી બાળકને જોઈતી, માંગેલી ચીજો પરવડે કે નહીં તો પણ લાવી આપે છે. આમ સાઈકલ, મોપેડ, કપડાં કે બૂટ કે કોઈપણ ચીજ મેળવીને જ જંપતું બાળક ના સાંભળવા ટેવાયું જ નથી. તેથી ખોટા લગ્ન પણ પોતાની મરજી થી જ કરે છે.
  3. ચલચિત્રો, ઇન્ટરનેટ, ટેલીવિઝન ના યુગમાં ઉઘાડે છોગ બતાવતા શારીરક સંબંધો ને કારણે શારીરીક ઈચ્છાઓ વહેલી ઉંમરે જાગતા ખોટા પાત્ર સાથે જોડાઈ જાય છે.
માબાપને સલાહ
  1. દુ:ખનું ઓસડ દહાડ ધીરજ ધરો સમયને સમયનું કામ કરવા દો. શાંતિ જાળવો. શોકાતુર ન બનો. ગુસ્સો ના કરો.
  2. દીકરીને તમારા અણગમાના કારણો સમજાવો.
  3. દીકરી સાથે સંપર્ક જાળવી રાખો.
  4. ભૂલ એ ભૂલ છે તે ભૂલીને, બાકીના સંબંધો અને જીવન યથાવત રાખો.
  5. આ પ્રશ્નનો ઉકેલ તમારે ત્રણે જ કાઢવાનો છે. સારો રસ્તો ચોક્કસ દેખાશે ગેરમાર્ગે દોરશો નહિ.


ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.


Destination Wedding

While attending my niece Khushbu’s wedding (Dr Hirak Desai’s daughter) at a party plot in Valsad, my other niece Guddi (Mrunmayi Janak Desai) suddenly coined the phrase 'destination wedding'. My vocabulary evolved with a new phrase, with a special meaning. It is a special type of wedding hosted at a location, usually far away from home.

Here, the guests reach the venue and stay for a couple of days with all the people involved in the wedding celebration. The hosts plan the wedding and send the invitation with the details of stay, events, dress code and explaining the rituals planned to be followed. Yes, this is the same conventional wedding we’ve always seen, but with creative ideas of enjoying, dancing, playing games and simultaneously conducting the wedding in an authentic manner. It is a bit costly affair for the hosts, but I’m sure they are prepared for it.

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

Wedding Announcement

In Greece, there is a law about marriages. It forces you to give a detailed advertisement of marriage decision telling about both bride and groom.... one month in advance, in the newspaper.

I think this exercise gives you time to reconsider regarding the prudence of your decision. You may analyse your said partner and think about compatibility. Then the chances of cancelling the decision are more.

Or readers of the news may warn you about the drawbacks of the said partner, leading to no marriage at the said place.

Respect To Wife

After getting married, the wife changes her name and adds husband's name. Similarly, the husband should also add wife's name to his. And both can drop their fathers' names.

After the wedding, the wife wears "Mangal Sutra" and applies "Bindi" on her forehead. The married man - the husband - too should find out similar symbolic marks on neck and forehead. And till then, he should copy wearing Mangal Sutra and Bindi.


Rahul & Shivani's Wedding

Whatever smartness or intelligence one has, to anticipate the probable attitude of the future partner is difficult. So for the continuation of the marriage, adjustment and compromises are must, compulsory.



One has to marry because the law does not allow man-woman physical relations at random and society has laid certain norms of man-woman staying together. Though liberate present-day scenario allows live-in relations and physical relationship without much fuss, marriages are unavoidable.

Once decided to marry, the second question arising is the method – the technique of the wedding. How many persons to be invited, the place of the wedding, the menu and its preparation and the details of the function is the subject of this article.

When A Daughter Gets Married... Against Parents' Will...

Generally, the wedding of a daughter is event parents plan from the day of her birth. They start saving money and dream about the son-in-law to be. But all these have one condition tagged – “Consent of Parents”. Or say a final decision has to be with and as per the will of the parents. When this does not happen and daughter decides to marry at her own will – against the consent of parents, they get shocked emotionally to its deepest level and this is the subject of my discussion.

Weddings In Two Opposite Styles: Destination Wedding Vs. Elopement

Destination Wedding:
  • It is a wedding event generally held far away from residences of the would-be couple.
  • Here, the wedding is hosted in a location where guests have to travel long to reach the said wedding place... the DESTINATION.
  • Guests are expected to stay long for the event.
  • Places are usually grand like Palace, Resort, Beach. In India, Goa, Udaipur and some resorts near Mumbai are typically considered. It is one's imagination and choice.

Elopement:
  • This is a way of getting married... often unexpectedly... without inviting guests to the wedding.
  • Usually, such weddings are without consent and/or knowledge of the parents.
  • Such weddings, when informed to relatives, are often a surprise.

Marriage Workshop


http://www.pathfindersforautism.org/docs/Parent%20Tips/Parent%20tips%20images/parents-talking-divorce-to-.gif


Workshop by parents of a son and/or daughter on marriage is a must.

Parents should enlist and explain in details the Do's and Dont's for success of married life.

Just having good look, good qualification and good earning does not make a marriage successful. These things can only work as a base for agreeing to marry.

Inter-personnel manners, care for each-other and maintaining dignity of relations makes the most important issues.

Or failure is certain!!!


Before Saying "Yes" For Marriage - II

Expectations from everything have gone high, be it any relation or life. And in that, marriage is no exception. So one has to be alert before saying "YES" for marriage or marriage may end suddenly without any chance of compromise. Though issues I am going to put forward may sound small and petty, they actually are of great importance.

Before Saying "Yes" For Marriage

Typically marriages are decided by one of these two methods in our society:
  1. Arranged Marriage: Socially accepted and practised method where ‘offer’ for marriage is given by appropriate party and then, marriage is finalized on the basis of match-making.
  2. Love Marriage: Recently established way of selecting marriage partner after some contact, friendship and/or attraction because of looks. Here prospective partners for marriage decide themselves marry with or without consent from parents and families.

Balancing Relations

Balancing two sides of relations:
  1. A son/daughter: Parents and offsprings
  2. A married woman: Parents and parents-in-laws
  3. A married son: Wife and parents
When you are any of the above, you are an in-between person. You have to be tricky, cautious and careful person in handling either side maintaining your own views or you will be in trouble. You need not be judging any, but you have to be neutral and caring both.

For Parents of A Married Son

Be cautious in critising the in-laws of your son; he may not like it even if you are right.

Avoid being critic with bad taste, you will be the loser.

Your son is married and he is neutral to both the sides, non-biased for any.

Family Planning

It is the THE RIGHT of a married couple to decide when to be parents and how many times. Parents and parents-in-law must not dictate or suggest about what they wish.

In my opinion, ideal is the first child soon after the wedding, second at the earliest convenient time. Late parenthood is complicated and difficult once in a while. Single child is sometimes a problem child.


For Daughters, Married And About-to-Marry

About relationship with your parents and parents-in-law:
  • Never think of in-laws as your opponents or enemies.
  • They have some limitations of nature, similarly you too have. Simply accept.
  • Bringing your parents in problem with in-laws does not solve it, but complicate it most of the times. Think it over,... ultimately it is your life.