Skip to main content

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.



ખ્રિસ્તી ધર્મના લગ્નો સાધારણ રીતે ચર્ચમાં થાય છે – ત્યાં એકબાજુ સ્ત્રીઓ અને બીજી તરફ પુરુષો બેસે છે- સ્ત્રીઓ સાધારણ રીતે ભારે સાડી અને માથે ઓઢવાનું વસ્ત્ર સાથે દેખાય છે. પુરુષો બ્લેઝર-ટાઈ-પેન્ટ અને શર્ટમાં હોય છે. ચર્ચના સ્ટેજ ઉપર બે-ત્રણ ધર્મગુરુઓ – બિશપ કે ફાધર બેસે છે, સ્ટેજની નીચે બીજા ચાર-પાંચ ખ્રિસ્તી ધર્મના અભ્યાસી બેસે છે. ટેબલની સામેની બાજુ થનાર પતિ-પત્ની એમના એક એક મિત્ર સાથે બેસે છે. એક બાજુએ વરપક્ષ અને કન્યા પક્ષના માબાપ અને ભાઈબહેન જેવા અગત્યના સગાઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ બેસે છે. તો બીજી તરફ કેસીઓ-ઢોલક જેવાં વાજિંત્રો થી સજ્જ છ-સાત વ્યક્તિઓની મંડળી લગ્નગીતો – પ્રાર્થના – ભજનો ગાવા હાજર રહે છે.

લગભગ એકથી દોઢ કલાક ચાલતી લગ્નવિધિ કોઈપણ જાતના ઘોંઘાટ વગર શાંતિથી-દરેકને પૂર્ણ સાક્ષીભાવે વિધિમાં પૂર્ણ ગંભીરતા સાથે ભાગીદાર થઈ બાઈબલ પુસ્તક વર-વધુ–પાદરીઓ અને સંગીતમંડળ ના હાથમાં રાખી વાંચતાં-વાંચતાં ગુજરાતીમાં કરવામાં આવે છે. સાધારણ રીતે દરેક પ્રદેશની ભાષામાં બાઈબલ લખાયેલું છે. મોબાઈલ બંધ રાખી તથા પરસ્પર વાતચીત ન કરીને દરેક હાજર વ્યક્તિને લગ્નમાં જોડાવાની વિનંતી કરવામાં આવે છે.

લગ્નવિધિ

સફેદ લાંબા ઝભ્ભા પહેરેલા લાલ કે ભૂરા લાંબા પટ્ટા લગાવેલા પાદરીઓમાંથી એક સંપૂર્ણ વિધિ દરમ્યાન બાઈબલમાંથી કયા પાઠોના કયા ષ્લોકો વાંચવા તેનો આદેશ આપી લગ્ન કરાવે છે.

પ્રાર્થના

લગ્નની વિધિ શરૂ કરતાં પહેલા, લગ્નને લગતા અને તે સિવાયના ભગવાન ઈસુને ભક્તિભાવ બતાવતાં ગીતો સાત-આઠ ગાયકો અને કલાકારોની મંડળી વાઘો વગાડીને ગાયન કરે છે.

લગ્નને લગતા પાઠોનું બાઈબલમાંથી વાંચન

પાદરીના આદેશ અનુસાર બાઈબલમાંથી વિવિધ ઉપદેશો જે ભક્તોને કહેવાય તેણે વાંચી સંભાળવવાનું હોય છે. આમ ઈસુ ખ્રિસ્તના લગ્નને લગતા વિચારો પરણનારને અને સાક્ષી રહેલા સર્વેને વિગતવાર કહેવામાં આવે છે.

પ્રભુનો આભાર વચન

જ્ન્મ આપવાથી માંડીને સુખરૂપ મોટા કરવા બદલ અને જીવનસાથી સાથે મેળાપ કરી આપનાર ભગવાન ઈસુનો વિવિધ રીતે આભાર પ્રદર્શિત કરવામાં આવે છે.

લગ્નનો હેતુ

રીતભાત અને જવાબદારી સમજાવવા માટે બિશપ દ્વારા માર્ગદર્શન

ઉપદેશ અને સરળ ગુજરાતી ભાષામાં આ વિષયક બિશપ બાઈબલને આધારે લગ્ન કરનાર યુગલને સમજ આપતા કહે છે કે નીચેનો ચાર “વ” વાળી બાબતોમાં વિશ્વાસ રાખી લગ્નજીવન જીવો.

  1. ઈશ્વરના વચનો = વચનો
  2. ઈશ્વરનો સંપૂર્ણ વિશ્વાસ = વિશ્વાસ
  3. ઈશ્વરનો આપણાં ઉપર અધિકાર સ્વીકારી સાચું વલણ અપનાવવું = વલણ
  4. ઈશ્વરે આપણને આપેલ આર્થિક સમૃદ્ધિની સમાજમાં વહેંચણી = વહેંચણી

લગ્નવિધિ

મુખ્ય લગ્નવિધિ કરાવનાર ફાધર દ્વારા ગંભીરતાપૂર્વક અને જવાબદારી સાથે સૌને સાથે જોડીને આ વિધિ કરી છે.

  1. હાજર સૌને પ્રશ્ન: પાદરી એ સૌને થનાર વર-વહુ વિષે લગ્નમાં બાધ હોય તેવું કઈં જાણતા હોય અથવા પૂર્વે તેમાંથી કોઈએ ગુનાહિત કાર્ય કે લગ્ન કરેલા હોય તો જણાવવા કહ્યું. બધાની સંમતિ પછી જ લગ્નવિધિ કરતાં હોવાનું જણાવ્યું
  2. વર-વધુને પ્રશ્ન: લગ્ન ન થઈ શકે એવા બાધ ન હોવા વિષે પહેલાં પુરુષને અને ત્યાર પછી સ્ત્રીને વારાફરથી સવાલ પૂછીને જવાબ મેળવ્યો
  3. પત્ની તરીકે સ્વીકારની સંમતિ બાબતે પ્રશ્ન અને પુરુષનો જવાબ. પતિ તરીકે સ્વીકારની સંમતિ બાબતે સ્ત્રીને પ્રશ્ન અને સ્ત્રીનો જવાબ
  4. બાઈબલમાંથી લગ્નને લગતા વચનોનો પુરુષ દ્વારા પત્ની સ્વીકારના વચનોનું વાંચન. એજ પ્રમાણે સ્ત્રી દ્વારા પુરુષને પતિ તરીકે સ્વીકારના ગંભીર વચનોનું વાંચન
  5. પતિ-પત્ની દ્વારા વીંટીની આપલે અને પતિ-પત્ની દ્વારા લગ્ન માટેનો હાર પહેરાવવાની વિધિ તેને લગતા બાઈબલના પાઠોનું વાંચન
  6. ફાધર દ્વારા બન્નેના લગ્ન સંપન્ન થયા હોય તેઓની પતિ-પત્ની તરીકે જાહેરાત
  7. લગ્નના રજીસ્ટરમાં બન્નેની અને બન્નેના એક એક નજીકના સાથીની સહી અને બન્નેના લગ્નનું પ્રમાણપત્ર અર્પણ
  8. હાજર સૌ દ્વારા-ભજનમંડળીના સંગીત સાથે ઊભા થઈ નવદંપતિને આશિષ આપતાં ગીતોનું ગુંજન સર્વે દ્વારા લગ્નની સફળતા માટે આશીર્વચન
  9. આભારવિધિ: સૌનો આભારમાની વિદાય થવા સૂચન અને લગ્નવિધિ પૂર્ણ થયાની જાહેરાત

કન્યાવિદાય

લગ્નવિધિનું અંતિમ કાર્ય કન્યાને વરને ઘરે જવામાટે વિદાય-બધા જ સમાજમાં સરખું જ હોય છે – તે ખૂબ લાગણીસભર અને કરૂણ પ્રસંગ છે. તેનું વર્ણન જરૂરી નથી, પણ તે પહેલાં આ વિશિષ્ટ સમાજમાં જુદા પડતાં સારા રિવાજો સમજી લઈએ.

લગ્નને આગલે દિવસે વરપક્ષ તરફથી વહુને સોનાના ઘરેણાં અને વસ્ત્રો ભેટ આપવામાં આવે છે જેથી કન્યા લગ્નમાં તે પહેરી શકે. ખ્રિસ્તી સમાજનો આ રિવાજ બીજા ધર્મથી અલગ પાડે છે અહી વરપક્ષ તરફથી કોઈ જાતની રોકડ-દહેજ કે ભેટ મંગાતી નથી.

લગ્નવિધિ થયા પછી ભોજન વિધિ હોય છે અને ત્યારપછી વરપક્ષના અને કન્યાપક્ષના દાદા-દાદી માતા-પિતા પછી વડીલ સગાઓ જેવાં કે કાકા-કાકી મામા-મામી ફૂવાજી અને છેલ્લે ભાઈ-ભાભી અને બહેન-બનેવી અરસપરસપર એટલે કે વરપક્ષના સગાને અભિવાદન કરી ભેટની સામ-સામે આપલે કરે છે અહી બન્ને પક્ષનું સરખાપણું અને સન્માન અનુભવાય છે. ભેટ તરીકે સોનાના ઘરેણાં-કપડાં-સાડી- કે અન્ય વસ્તુ આપવાનો રિવાજ છે નવપરિણીત વર-વધુ નો આ રીતે શુભેચ્છા અને આશીર્વચનો આપી બન્ને પક્ષના સગાનો પરિચય કેળવાતો જોવાનો લહાવો ચુકવાજેવું નથી. છેલ્લે વિદાય થતાં વરપક્ષને-જાનને લગ્નવિધિ કરાવનાર ધર્મગુરુ-પાદરી આશીર્વચનો આપતાં કહે છે હે પ્રભુ, જે રીતે જાનને તેમના ઘરેથી અહીં તકલીફ વગર સુખરૂપ પહોંચાડ્યા છે તેજ રીતે વરકન્યા સહિતનો જાનને વિના વિધ્ને સુખરૂપ તેમના મુકામે પહોંચાડજે.

આમ લગ્નવિધિનું સમાપન થાય છે. ચાલો તક મળે ખ્રિસ્તી સમાજનો લગ્નવિધિ માણીએ અને એમના સારા રિવાજો અપનાવીએ.

તારીખ ૨૫-૦૪-૨૦૧૯ ગુરુવારે ખેરગામ (તાલુકો ખેરગામ, જિલ્લો .નવસારી) ખાતે સી.એન.આઈ. ચર્ચ માં શ્રી પ્રમોદભાઈ વેલજીભાઈ પટેલની પુત્રી ચિ. અર્ચનાના ચિ. જેરેમી સાથે લગ્નવિધિના અનુભવને આધારે.

સૌજન્ય: શ્રી પી. એ. પટેલ, જાલનગર, બીલીમોરા

ડો. ભરત એમ. દેસાઈ
બીલીમોરા
તા. ૨૩-૦૭-૨૦૧૯

Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Computer and Eye

Use of computer is unavoidable in day to day life of an individual dealing with IT industry and such other professions. It is not a safe thing to go using computer carelessly. Then What? The answer to such questions follows. Our science tells following 10 rules to be taken care of.

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ -પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે. આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એ...