Showing posts with label education. Show all posts

વિદ્યાર્થીઓને માર્ગદર્શન - શાંતાબા વિદ્યાલય, કુકેરી

વ્હાલા વિદ્યાર્થીમિર્ત્રો,

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) ના પ્રમુખશ્રી લા. મીનાબેન દેસાઈ અને અમે સૌ સભ્યો આપની સાથે થોડી આત્મીયતા કેળવવા આવ્યા છે ત્યારે મારે થોડી વાતો દિલ ખોલી કરવું છે.

વહાલા બાળકો, ખાસ તો અમે તમારી ભણવાની ધગશને બિરદાવવા અહી આવ્યા છીએ. મારે સ્વીકારવું છે કે તમને નવાઈ લાગશે પણ ખરેખર હકીકતમાં ૬૦ વર્ષ પહેલા તમારા જેવડો હું હતો ત્યારે જેટલો હોંશિયાર હતો તેના કરતાં તમે સૌ-ગણા વધારે હોંશિયાર છો. તેથી તમારે ફક્ત ધ્યાનથી અને ખંતથી અભ્યાસ કરવાની જરૂર છે. ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ બેઠું છે!



મારે તમને માર્ગદર્શન એકાગ્રતા, સ્વ સાથે સંવાદ, સમયવ્યવસ્થાપન, અને આરોગ્ય બાબતે આપવું છે.

એકાગ્રતા (Mindfulness)

થીચ-ના-હાન નામના વિયેટનામિ બુદ્ધ સંપ્રદાયના વિચારક–શિક્ષક અને સમાજસેવક તેમના પુસ્તક ‘આર્ટ ઓફ પાવર’ ('Art of Power' by Thich Nhat Hanh) માં એકાગ્રતા વિષે સરસ સમજ આપે છે. તેઓ કહે છે: અભ્યાસ જેવી કોઈપણ પ્રવુતિ કરતી વખતે (૧) આપણે જે કઈં કાર્ય કરીએ છીએ તેજ બાબતે ધ્યાન–વિચાર–પ્રવૃત્તિ સંપૂર્ણપણે ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરીને કરવાની છે. (૨) ત્યારે ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં ખોવાવાને બદલે પૂર્ણપણે વર્તમાનમાં રહેવાનું છે. (૩) જે કોઈ સ્થળે છો તે જ સ્થળે રહેવાનું છે અને બીજા સ્થળોને યાદ કરવાના નથી. અને આમ એકજ કામ દા.ત. અભ્યાસમાં ૧૦૦% પરોવાઈ જવાનું છે. પરિણામ ચોક્કસ મળશે. કારણ, તમે એક સાથે ઘણા બધા કાર્યો કરવાને બદલે એક કામ કરો છો. (Instead of multitasking, restrict to unitask.)

સ્વ સાથે સંવાદ (Monologue)

લેખક (Paul Dupuis) પોલ તેમના પુસ્તક ‘ધી રૂલ ઓફ 5’ (The Rule of Five) માં સ્વ સાથે સંવાદ કરવાનું સૂચવે છે. તમારા કાર્યો અને વિચારો વિષયક જાતે મનોમંથન કરો. તમને સમજાશે કે તમે કાર્ય બરાબર કર્યું છેકે હજી વધારે સારી રીતે કરી શકત ? તે પ્રમાણે સુધરો. Have I done the best or I would have done better ?

સમય (Time)

સમય વ્યવસ્થા (Time Management) જન્મથી મરણ સુધીનો નક્કી સમય મર્યાદિત છે. તે પાછો લાવી શકાતો નથી – જે સમય ગયો તે કાયમ માટે ગયો! What is gone is gone, forever! સફળતાની એકમાત્ર ચાવી ‘સમય’ ની મહત્તા સમજો – સ્વીકારો અને પ્રવૃત્તિઓ સમયમર્યાદામાં કરો અને પૂર્ણ કરો. સવારે વહેલા ઊઠો – પાંચ વાગ્યે આદર્શ. મોડામાં મોડા રાત્રે વહેલા સુઓ – નવ વાગ્યે આદર્શ, મોડામાં મોડા દસ. Early to bed, early to rise leads a long life. દિવસે કરેલા અભ્યાસનું રાત્રે મનન કરી જશો, તો મગજને વિષયની માહિતી સંગ્રહ કરવાની અનુકૂળતા રહેશે. (Reflection Time)

આરોગ્ય (Health)

છેલ્લે, પણ ખૂબ મહત્વની વાત. દર વર્ષે એકવાર, આરોગ્યની પ્રાથમિક તપાસ નિયમિત કરાવો. વજન – ઊંચાઈ – પોષણ – દ્રષ્ટિ – ડાયાબિટિશ – વિગેરે માહિતી આપતી તપાસ ફરજિયાત છે – અભ્યાસને અવરોધક રોગો પ્રાથમિક અવસ્થામાં જાણી લેવાથી વધારે નુકશાન રોકી શકાય છે. શરીરની સ્વસ્થતા આગળ વધવા માટે અનિવાર્ય છે.

માનસિક સ્વાસ્થય માટે જરુરી સૂચનાઓ (Mental Health)
  • મિત્રતા કેળવો
  • મિત્રો અને સગા – સંબંધીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવો 
  • સ્વભાવે આનંદી બનો. સ્મિત કરતાં રહો. Keep Smiling.
  • આશાવાદી બનો 
  • પોતાને મૂંઝવતી વાતોની મિત્રો સાથે ખુલ્લામને ચર્ચા કરી ઉકેલ લાવો. મગજમાં રાખી ખોટી હતાશા ન અનુભવો. 
આશા છે વિદ્યાથીઓ, આપણે મારી વાતો દ્વારા કઇંક નવું શીખવાનું મળ્યું હશે.

ચાલો, થોડી બીજી વાતો કરીએ.

આપણી સુરખાઈ શાળાના સ્વપ્નદ્રષ્ટા પરિમલભાઈના સાસુજી ડાહીબેન પી. પરમાર નિવૃત શિક્ષિકાને લેખક બીરેનભાઈ કોઠારીએ ગુજરાતનાં વિશિષ્ઠ વ્યક્તિઓને સમાવતું પુસ્તક “ગુર્જર રત્ન” (એક આદર્શ વાચક હોવાને નાતે) અર્પણ કર્યું ત્યારે લેખકોની ડાહીબેન સાથે આત્મીયતા જાણી બીરેનભાઈ અને રાજનીભાઈ પંડ્યા તેમણે બિરદાવવા કુકેરી સુધી આવ્યા. ડાહીબેન આપણને બે બોધપાઠ આપ્યા.
  1. નિયમિત નવા નવા પુસ્તકો વાંચતાં રહો. પુસ્તકોથી વિશેષ કોઈ મિત્ર નથી.
  2. પુસ્તકો ખરીદતા રહો અને સારા લગતા પુસ્તકો ખરીદીને મિત્રો – સગાસંબધીઓને ભેટ આપતા રહો.


૨૨-૦૬-૨૦૦૨ શાંતાબા વિદ્યાલય, કુકેરી

સુરખાઈ કુકેરી મારા રૂમ પાર્ટનર ડો. બી.જી.કોડિયા (મોંઘા)નું  ગામ, મારા ૧૯૬૩ ના અબ્રામા હાઈસ્કૂલના શિક્ષક શ્રી અભેસિંહ એચ પરમારનું ગામ, મારા બીજા રૂમ પાર્ટનર ડો. લક્ષ્મણસિંહ સોલંકીના સાળા ચંદ્રસિંહ આર. ડોડિયાનું ગામ અને છેલ્લા વીસ વરસથી મારા પત્ની ડો. ભાવનાના સહકર્મી ડો. પ્રથમેશ પરમારનું ગામ, મને એટલી ખબર કે અહી રજપૂત સમાજના સોથી વધારે વ્યક્તિઓ શિક્ષક – કે શિક્ષિકાઓ છે. ઘણા વખતથી શાંતાબા વિદ્યાલય, કુકેરી વિષે વાંચેલું અને પરિમલભાઈ પરમાર વિષે ખાસ અહોભાવ જાગેલો – પણ આ વિદ્યાલયની પ્રથમ મુલાકાત, ૧૭-૧૦-૨૦૨૧ના રક્તદાન યજ્ઞમાં આવેલા મારા પત્ની ડો. ભાવનાને લીધે, મારી પુત્રી વૈશાલી સાથે થઈ – જોગાનુજોગ મારી ૭૧મી જ્ન્મ તારીખ આ શાળામાં ઉજવાઈ ગઈ!

માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620

2018 - The Centenary Year of My Highschool D.C.O. Killa Pardi

To my greatest surprise, one fine morning I received a memento with my name inscribed, in the honour of outstanding academic achievements! Turned out that Pardi Education Society's trustees and event organisers (including the Vice President Hemant J. Desai) had sent this memento as part of the centenary celebrations of my high school D.C.O. (1918-2018). This award depicting the story of grand 100-year celebrations inspired me to write about my story with nostalgic emotions and the then D.C.O. High School. Killa Pardi.

It gives me great pleasure to witness the 100-year celebration of my school where I was a student (1963 to 1967), 50 years ago! So, all I wish to tell you here is a story of my experiences as a student in an era of student-teacher relationship 50 years back.

Life Without Money (24 Hours x 29 Days x 60 Months)

I know the title create some ambiguity around its meaning. Here’s the story: the author was a medical student studying at Surat during 1969-1974. Being an offspring of a middle-class family, all his parents could send him every month was Rs. 100 (One hundred). No doubt, this was more than 25% of his father’s salary and the rest 75% was to be spent by remaining nine members of the family. So, I used to receive Rs. 100 by MT (money transfer) at Bank of Baroda, Vanita Vishram (Surat) branch. Now this amount was exhausted in total on day one itself – so the remaining 29 days of the month had to be spent without any money – ‘zero balance’ stage, for all five years of the under graduation. This makes the story titled "Life without money - 24 hours x 29 days x 60 months"!


Rare Story Of A Charity School For Tribal Girls

This is a rare story of how a person from Valsad (Gujarat) turned into someone serving Aadivasi (tribal) girls far away from his home in the interiors of the Dharampur forests.

Naresh Ramanandi, my friend Sanjay Mahant’s brother-in-law, is a dedicated follower of Shri Rang Avadhoot Bapji of Nareshwar. Bapji once told I shall take rebirth as an Adivasi. So in search of Shri Avadhoot Bapji, Nareshji opted to reach this area and thought of some service activity.


Before Shirdi, Shivarimal and After Saputara, Shivarimal - Story of a School for Blind Children

We visit Saputara (the only hill station in Gujarat) round the year for pleasure trips. Similarly, the devotees of Sai Baba visit Shirdi frequently. For a change and possibly a better experience, I’d like to suggest you visit Shivarimal (a Free Residential School for Visually Impaired (Blind) and Physically Challenged Children), about 20 km from Saputara and 93 km away from Bilimora on Bilimora-Saputara road. Let me tell you my reasons for details.

My close friend Piyushbhai Dharaiya formed a charitable trust in the name of his wife Late Jyotsanaben and decided to donate the interest away, every year. I suggested him to visit Shivarimal School for Blind Children and experience the emotions of blind students. We finally visited this place on Sunday, February 16th, 2014 and the result is this introductory article.

Become an iMature Student – A Book On Internet

Computer users having internet connection are most of the time restricted to Social Media like "Facebook" or just reading E-mails received. Here is a book for them to teach all the details on the subject. Author Raghu Pandey (an Expert on the Internet)  has spent more than 18 months in preparing this book to make us understand the subject in the most simple and easy way. This is a book for all!

Raghvendra “Raghu” Pandey

I personally know Raghu - the author - for more than a decade now. His way of living life has impressed me in many ways. He is open to experimenting with life on himself and for that earning money is just a byproduct. The intense desire to teach students the subject Internet has made him spend nearly one and half a year to write this book. Let me say: it was this virtue of doing social service for self-satisfaction and desire to express knowledge in the simplest and easy to understand the way that led him to write this book.

Marriage Workshop


http://www.pathfindersforautism.org/docs/Parent%20Tips/Parent%20tips%20images/parents-talking-divorce-to-.gif


Workshop by parents of a son and/or daughter on marriage is a must.

Parents should enlist and explain in details the Do's and Dont's for success of married life.

Just having good look, good qualification and good earning does not make a marriage successful. These things can only work as a base for agreeing to marry.

Inter-personnel manners, care for each-other and maintaining dignity of relations makes the most important issues.

Or failure is certain!!!


Lemon Juice, Horoscope and Dates

My three true stories with explanations for poor English word power.

Because of exposure to television, internet, mobile and other gadgets of telecommunication, modern day child is far more intelligent than her/his parents and grandparents. He has great vocabulary not only in English but also in Hindi and Gujarati. But what was it like in the past? To know that you have to go through this article.

Father's Letter To Son On Completion Of Studies

My letter to my son Rahul on completion of studies.

December 21, 2004

Beloved Ravi,

When one is finalizing a job if options are available, what are the basic criteria?
  1. Place: Country/city
  2. Salary and probable increments
  3. Advantage of learning and exposure to updating
  4. Parents