Showing posts with label pakistan. Show all posts

આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદીનો અમૃત મહોત્સવ
પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત

બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્‍નારીઓ.

શુભ સવાર. સૌને નમસ્કાર.


આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો.

કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત.

એક મુઠીભર ધ્રિટીશરો સામે તે વખતના ભારતના લોકો ભેગા «ન થયા તે લડત ના આપી, પરિણામ અંગ્રેજોએ ફૂટનીતિ વાપરીને દેશને દુર્દશની ગતિમાં ધકેલી દીધો. દેશનું અમૂલ્ય નાણું, સંપત્તિ તેમજ યુદ્ધમાં વાપરવામાં આવતાં માનવધનનો ધ્રિટીશરોએ ખૂબ જ દુરુપયોગ કર્યો.

અહીં સામે ઉપસ્થિત વરિષ્ઠ મિત્રો, અભ્યાસુ, તજૂજ્ઞ અને અનુભવથી ઘડાયેલા છે. તેમની સમક્ષ હું આઝાદીનો ઈતિહાસ, ભારતની સિદ્ધિઓ, ભારતની નાલેશીઓ અને ભારતના આજના પડકારો વિશે થોડી વાતો કરીશ.

આ ઇતિહાસ અને તેની ઘટનાઓને તમે પાછા યાદ કરશો અને માણશો. આ બધી સાચી માહિતીઓ અને સત્ય કથાઓ પર આધારિત પ્રવચન છે. એમાં કદાચ રોમાંચ ના પ્રકટે, રસ ન પડે, પણ માહિતીનું આદાનપ્રદાન જરૂર થશે.

'દે દો હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ' એવું કવિ પ્રદીપજી ગાંધીજીની અહિંસાને અંજલિઆપવા લખે, એ બરાબર છે. પરંતુ આઝાદી માટે દાયકાઓથી ચાલતો સંઘર્ષ પૂર્ણાહૂતિ સુધી શી રીતે પહોંચ્યો તે સમજવા કવિતાઓ કે દંતકથાઓ કામ ન લાગે, કારણ કે તે પ્રક્રિયામાં સંકળાયેલા છે : અણગમતાં સમાધાન, કારમા આઘાત, ભોગ-બલિદાન, વ્યૂહ રચના, શતરંજ, દેશપ્રેમ સાથે કુનેહની આકરી કસોટી, વાટાઘાટો અને આઝાદીને ગજવામાં ગણતાં લોકોને અંદાજ પણ ન આવે એવા પડકાર.

૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારત પરથી અંગ્રેજ સત્તાનો સકંજો દૂર થયો, ત્યાર પહેલાંનો સમય ફિલ્મી લાગે એવાં વળાંકો - પ્રસંગોથી ભરપૂર છે, પણ તે મોટાભાગના લોકોથી મહદઅંશે અજાણ્યો રહ્યો છે.

૧૯૧૫માં ગાંધીજી ફિનિક્સ-સાઉથ આફ્રિકાથી તેમના પંદર શિષ્યોને લઈને મુંબઈ બંદરે ઉતરે છે. ત્યાંથી થોડોક સમય કાંગડી ગુરૂકુલ જઈ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અને કાર્યપ્રણાલિઓનો અભ્યાસ કરી ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિન્તિકેતન કલકત્તા જાય છે.

રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીથી ૮ વર્ષ મોટા હતા. રવિન્દ્રનાથના 'એકલો જાને રે, તરી હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે! ગીતથી ગાંધીજી બહુ જ પ્રભાવિત થયા હતા. રવિન્દ્રનાથનાં બીજા બંગાલી ગીતો અને 'ગીતાંજલિ'નાં ભાવવાહી ગીતો ગાંધીજીને ગમ્યાં હતાં. રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં થોડાક મહિના ત્યાંનુ માળખું અને બીજું ઘણું બધું શીખવા રહેવા માટેની ફિનિકસથી પરવાનગી માંગી હતી.

રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના ફિનિક્સનાં કામોથી ન્યૂઝ પેપરતાં અહેવાલોથી જાણીતા હતા. વળી તે બંને વચ્ચે ઘણાં પત્રવ્યવહાર પણ થતા હતા. રવિન્દ્રનાથ ગાંધીજીને “મહાત્મા નાં સંબોધનથી બોલાવતા હતા અને ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને 'ગુરૂદેવ' કહી સંબોધતા હતા.

ગાંધીજી એમના શિષ્યવૃંદ સાથે શાંતિનિકેતન જાય છે. ત્યાં રવિન્દ્રનાથને ત્યાં રહેતા તેમના એક ચાહક કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મળે છે.

ગાંધીજીની અહિંસાથી આઝાદી મેળવવાની વાતોથી કાકાસાહેબ પ્રભાવિત થતા નથી. "મને  તમારી અહિંસાના આંદોલનથી આઝાદી મેળવી શકાય એ બાબતનો વિશ્વાસ નથી."

ગાંધીજી કહે, "હમણાં થોડોક સમય હું અહીં રહેવાનો છું. થોડાક મહિના પછી હું નવો આશ્રમ ચાલુ કરવાનો છું. ત્યાં તમે મારી સાથે રહો. ફાવે તો ઠીક, નહીં તો પાછા ચાલ્યા જવાનું."

ગાંધીજીની સાદગી, સુતરાઉ જાડાં કપડાં, કાઠિયાવાડી જેવો ફળિયાવાળો ડ્રેસ, જાતે મહેનત કરી બીજાની વાત ધ્યાનથી સાંભળવી એ કાકાસાહેબને ગમ્યું. એમણે મુઝફરનગરમાં રહેતા એમના એક પ્રોફેસર મિત્ર કૃપલાણીને તાર કર્યો “તમે અહી કલકત્તા શાંતિનિકેતનમાં આવી જાઓ. મોહનદાસ ગાંઘી કરીને એક આદર્શવાદી વ્યક્તિને તમને મળવાનો આનંદ થશે. દેશ માટે મરી કીટે અને અહિંસામાં માનનારો આવો વ્યક્તિ જોવા નહીં મળે.

કુપલાણી શાંતિનિકેતન આવે છે. તેઓ ગાંધીજી માથે ચર્ચા કરે છે. ગાંધીજીને કહે છે "મેં કોલેજમાં ઇતિહાસ ભણાવ્યો છે અને ભણાવું છું. કોઈ પણ દેશની કાંતિ અને આઝાદી માટે હિંસા વગર કશું શક્ય નથી. હું તમારી વાત કેવી રીતે માનું?”

ગાંધીજી કહે, "તમે ભાઈ, ઈીતેહાસ ભણાવો છો, હું તો ભારતની આઝાદી માટે ઈીતેહાસ રચવાનો છું, કે જેમાં અહિંસક આંદોલન, અસહકાર, અન્યાય સાથે ઝઝુમવાનું, સત્યનું આચરણ કરવાનું, ને ઉપવાસથી સામેવાળાનું મનોબળ તોડી નાંખવાનું, એવું કરીશ."

કૃપલાણી આ વાતો થોડા સમય દરારોજ સાંભળે છે. અને ગાંધીજીની સાદગી, શ્રમ, જાતમહેત્તત, વગેરે જોઈને, તેમના અનુયાયી થઈ જાય છે. કાકાસાહેબ કાલેલકરે આ વાત તેમની સ્મરણકથામાં લખી છે. થોડાંક મહિનાઓ પછી, આખા ભારતમાં થોડીક થોડીક જગ્યાઓએ ફરી, લોકોની સાથે ગાંધીજી વાત-ચીતો કરે છે.

પછી, અમદાવાદમાં સાબરમતીમાં કોચરવ આશ્રમમાં ગાંધીજી એક એવો આશ્રમ સ્થાપે છે જ્યાં કોઈ પણ વ્યવસ્થા ન હોય, જ્યાં જાતે જ બધું કામ કરવાનું હોય, જ્યાં એક જ રસોડું હોય, જ્યાં સાદગી હોય, જ્યાં અહિંસાનું આચરણ થતું હોય, જ્યાં હંમેશાં સત્યની જય થતી હોય.

સાબરમતીમાં આશ્રમ સ્થાપવાનું અને ગુજરાતમાં રહેવાનું સૌથી મોટું કારણ ગાંધીજી ગુજરાતીના મતે ગુજરાતી ભાષામાં પહેલા મારા ગુજરાતી બંધુઓને મારા આ આંદોલનને સમજાવું, તેમના પ્રશ્નો સમજું, બીજું ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. તે માટે પૈસાની જરૂર પડે તો મદદ કરે. અને ગાંધીજીની આ વાત સાચી જ રહી.

થોડા જ વર્ષોમાં સાબરમતી આશ્રમમાં ગાંઘીજીને એક-એકથી ચઢિયાતા માનવરત્નો મળે છે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવ દેસાઈ, ત્તરહરિભાઈ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપલાણી, ઠક્કરબાપા, અને પ્યારેલાલ ભાઈ. આ બધાઓ સાથે ગાંધીજીનું સરસ મજાનું ટયુનિંગ થઈ જાય છે.

૧૯૧૮માં ચંપારણમાં ગળી પકવતા ખેડૂતોનાં આંદોલનમાં ગાંધીજી જોડાયા. આચાર્ય કૃપલાણીનો તેમને સાથ મળ્યો. રાજેન્દ્ર પ્રસાદનો પણ સાથ મળ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટનને ગળીની બહુ જ જરૂર પડી. બિહારમાં ચંપારણમાં ગળીનું ખાસ્સું વાવેતર થતું હતું. પણ બ્રિટેશ અમલદારો, જબરદસ્તી ખેડૂતોને ગળીનું વાવેતર કરવા ફરજ પાડવા માંડયા. અને જે પાક ઉતરે તેની કિંમત પણ જીવી રાખતા, પરિણામે અમલદારોને ઝાઝો નફો થતો અને ખેડૂતોને નુકશાન થતું હતું આના વિરોધમાં ચંપારણમાં ગાંધીજીએ આંદોલન કર્યું. લાંબી લડતને અંતે ગાંધીજીની અને ગળી પકવતા ખેડૂતોની જીત થઈ.

૧૯૧૮માં આવું જ ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં ખેડામાં થયું. આ આંદોલનમાં પણ ગાંધીજી જોડાઈ ગયા. અને તેમણે ખેડૂતોને જીત અપાવી. આ આંદોલન થકી વલ્લભભાઈ પટેલની શોધ થઈ. ગાંધીજીએ તેમને 'સરદાર'નું નામ આપ્યું.

૧૯૧૮ના ચોમાસામાં ખેડામાં ૭૦ ઈચ વરસાદ પડયો. ખેડૂતોને ઝારું નુકશાન થયું. બ્રિટિશ સરકાર આ તોફાની ખેડૂતો કે જેમણે તેમની સામે આંદોલન કર્યું હતું, તેમને મદદ કરવાની ના પાડી. ગાંધીજી બ્રિટિશ સરકાર સામે લડયાને ખેડૂતોને મદદ અપાવી.

૧૯૧૯માં વિશ્વભરમાં ચાલી રહેલા ખિલાફત આંદોલનમાં ભારતીય મુસ્લિમોને ટેકો આપ્યો. બ્રિટન અને તુર્કીના ઝઘડામાં તુર્કીવાદી જતાં તુર્કીના અમુક વિસ્તારો બ્રિટને કબજે કર્યા. અને તુર્કીના ખલીફાની મદદમાં આરંભાયેલા ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ ભારતીય મુસ્લ્મોને ટેકો આપ્યો. એક બિન મુસ્લિમ નેતા તરીકેનું ગાંધીનું કામ બ્રિટીશ અખબારો અને પત્રકારોએ વખાણ્યું.

૧૯૨૦ થી ૧૯રર અસહકારના આંદોલનમાં ગાંધીજીએ અસહકારની લડત ચાલુ કરી. બ્રિટીશ સરકારના કામકાજમાં સહકાર આપ્યો નહીં. લોકોએ સરકારી નોકરીમાંથી રાજીનામાં આપ્યાં. પોતાનાં બાળકોને અંગ્રેજી સરકારની શાળામાંથી ઉઠાડી મુક્યાં. સરકારી કચેરીઓમાં લોકાએ કામકાજ માટે જવાનું બંધ કર્યું. આમ, અસહકારના આંદોલનની ભારતભરમાં એક હવા ઊભી થઈ. એક મુઠ્ઠીભર અંગ્રેજો ભારતને કાબૂમાં ના રાખી શકે, તેવી અસર આવી ભારતમાંથી.

માર્ચ-ર૦, ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચની ચળવળ ચાલુ કરી. બ્રિટીશ સરકારને મીઠા પરથી ટેક્સ હટાવવા ર૪ દિવસની ર૪૦ માઈલની ૭૯ પદયાત્રીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી દરિયાકીત્તારા સુધીની કૂચ કરી. આ દાંડીકૂચની બ્રિટીશરો પર ખૂબ અસર થઈ.

૧૯૪૨માં “ભારત છોડો' આંદોલન અને કરેંગે યા મરૅંગે' આંદોલનમાં ભારતની પ્રજા સામૂહિક રીતે જોડાઈ અને બ્રિટીશ સલ્તનત હચ-મચી ગઈ. ગાંધીજી બ્રિટીશ લેખક આલ્ડસ હકસણે અન્ય અજ્ઞાની અંગ્રેજોની માફક લખ્યું હતું કે મહાત્મા ગાંધી પોતડી પહેરીને સાધુનું નાટક કરે છે' પરંતુ જેમજેમ એમને સમજવાનો પ્રયત્ન કર્યો પછી ૧૯૪૫માં લખેલી એમની એક કિતાબ સાયન્સ લિબર્ટી અને પીસમાં લખ્યું હતું કે, ગાંધીજીના સામાજિક અને આર્થિક વિચારો વ્યવહારું છે અને માનવ સ્વભાવને અનુડૂળ છે. વૈજ્ઞાનિકોએ હવા પાણી જેવી પ્રાકૃતિક સંપદા પર સહકારી ધોરણે કામ કરવું જોઈએ.

૧૯૩૧માં ગાંઘીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા ત્યારે રોઈટર સમાચાર સંસ્થાના પ્રતિનિધિએ પૂછયું હતું કે “તમારો શું પ્રોગ્રામ છે?” ત્યારે અળવીતરા ગાંધીએ કાગળમાં લખીને જવાબ આપ્યો હતો 'ભારા સ્વપ્નનું ભારત, જે સ્વતંત્ર હોય, જે લોકોનું હોય, જ્યાં ઊંચ-નીચ જાત « હોય, જ્યાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ «ત હોય, જ્યાં નશીલી ચીજો ન હોય, જ્યાં નાનામાં નાનું લશ્કર હોય.

૧૯૪૭ની ૧૪ ઓષ્ટની મધરાતે વડાપ્રધાન નહેરુ સંસદમાં એમાના ખાસ મિત્રો સાથે પ્રવચન આપી સમજાવતા ત્યારે ગાંધીજી- નોઆબલીમાં તોફાનો અટકાવવા ઉપવાસ પર ઉતર્યા હતા. ગાંધીજીને સત્તાનો કે પદ મેળવવા કોઈ લોભ કે મોહ ન હતા. ગાંધીજીમાં ગ્રામસ્વરાજ્ય કેન્દ્રિત બંધારણની બે યોજનાઓ ૧૯૪૬ અંને ૧૯૪૭માં પેશ કરી હતી.

બીજી દરખાસ્ત તો એ જ દિવસે કરી હતી, જે દિવસે એમને ગોળી મારવામાં આવી હતી. કોંગ્રેસને વિખરી નાંખવામાં ગાંધીનો 'પ્રસિદ્ધ' વિચાર આ બીજી પેશકશમાં હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે રાજકીય વેશભૂષા ત્યજીને સામાજિક સંગઠન બની જવું જોઈએ અને પંચાયતોના દેશવ્યાપી તેટવર્કનું સંચાલન કરવું જોઈએ. કોંગ્રેસી નેતાઓએ આ સૂચન ફગાવી દીધું હતું.

ગાંઘીજી ૧૯૪૨માં કરેંગે યા મરેંગે વખતે દેશવ્યાપિ ખ્યાતિ મેળવીને લોકપ્રિય થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જર્મની સાથે યુદ્ધમાં માર ખાઈ ગયું હતું. હિટલરના આક્રમક વલણ સામે બ્રિટનના ચર્ચિલ બ્રિટનના લોકાને જાંઘ ચઢાવતા એ કહેતા હવે યુદ્ધના અંતિમ તબક્કામાં છીએ, અને આપણે યુદ્ધમો જીતી જવાના છીએ. તમે બધા મને મદદ કરો. તે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો પરાજય થયો. પત્રકારોએ જ્યારે ચર્ચિલને કહ્યું કે, તમે વિશ્વયુદ્ધમાં હિટલરથી ગભરાતા હતા ! તયારે ચર્ચિલે કહ્યું, દુનિયામાં હું માત્ર એક જ માણસથી ગભરાઉં છું, તે ભારતના મિ. ગાંધી. એમની સાથે વાત કરતાં મને તકલીફ થાય છે. તે અહિંસાના પૂજારી છે ને ભારતની આમજતતાનું સારું પ્રતિનિધિત્વ કરે છે.

આઝાદીનાં આંદોલન વખતે ભાવિભારતની જે કલ્પના કરવામાં આવી હતી તેનો બહુબધાએ વિરોધ કર્યો હતો. લોકમાન્ય તિલક જેવા અનુયાયીઓએ ક્યું હતું કે હવે માત્ર બે વિકલ્પ બચ્યાં છે કાં ગાંધીને સ્વીકારો કાં જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. તેમણે કહ્યું કે આપણે બધાંએ ગાંધીજીને સાથ આપવો જોઈએ. આ માણસ જ આપણને આઝાદી અપાવી શકે છે.

૧૯૧૯માં બ્રિટનની સંસદે ભારતને થોડા વહીવટી સુધારા આપ્યા, તેના દસ વર્ષ પછી ૧૯૨૯માં કેટલાક વધુ સુધારાઓ આપવા માટે બ્રિટનની સરકારે 'સાયમન કમિશન'ની નિમણૂંક કરી. પણ તેનો વિરોધ થયો. કારણ કે એમાં એક પણ ભારતીય સભ્ય « હતો. અંગ્રેજ સરકારને લાગતું હતું કે ભારતીયો પોતાનું બંધારણ જાતે બનાવી શકે તેમ તથી. જવાબમાં મોતીલાલ ગહેરુતા વડપણ હેઠળ રચાયેલી સમિતિએ નહેરુ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો. તેમાં સંપૂર્ણ સ્વતંત્રતાને બદલે ડોમિનિયિમ સ્ટેટ્સની માંગણી કરવામાં આવી હતી. આનો અર્થ થતો હતો કે ભારતને ઘણી બધી બાબતોમાં સ્વતંત્રતા મળે પણ તેની વફાદારી બ્રિટીશ તાજ પ્રત્યે છે.

નહેરુ સમિતિની જોગવાઈ જવાહર અને સુભાષચંદ્ર બોઝ જેવા નવી પેઢીના નેતાઓને મંજૂર ન હતી. એટલે કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરૂના અધ્યક્ષપણામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. એમાં બ્રિટીશરો પ્રત્યે કોઈ વફાદારી પ્રકટ કરવાની ન હતી.

ત્યારથી આઝાદી આંદોલનના બીજા તબક્કામાં દાંડીકૂચથી સત્યાગહને આંદોલનનો જુસ્સો વ્યાપી ગયો.

૧. દાંડીકૂચ પછી ગાંધીજી જેલમાં હતા ત્યારે બ્રિટનમાં પહેલી ગોળમેજી પરિષય યોજાઈ. તેનો હેતુ ભારતને કેવું બંધારણ આપવું, તેની ચર્ચા કરવાનો હતો. પણ ગાંધીજી જેલમાં હોવાથી કોંગ્રેસે પરિષદમાં ભાગ લીધો નહીં.
ર. બીજી ગોળમેજી પરિષદમાં અંગ્રેજ સરકાર ગાંધી અને કોંગ્રેસને બરાબરનો દરજ્જો આપીને કરાર કરે છે. પણ બંધારણના સુધારા તેમજ ભારતની અલગ અલગ કામોમાં અલગ પ્રતિનિધિત્વ જેવા મહત્વના મુદ્દે સમજૂતી થઈ નહી. આ વખતથી ઝીણાએ ઈંગ્લેન્ડમાં વકીલાત ચાલુ કરીને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં ભાંગફોડ ચાલુ કરી.
૩. ૧૯૩૫માં ભારતના જુદા જુદા પ્રાંતોની ચૂંટણીમાં, ગાંધીજીવી આભા અને પ્રચંડ લોકપ્રિયતા ઉપરાંત સરદાર પટેલના પ્રબળ આયોજનથી ચૂંટણીમાં કોંગ્રેસનું પલ્લુ ભારે થયું. આ તબક્કે ૧૯૩૦માં બ્રિટનથી પાછા આવીને ઝીણાએ ભારતમાં મુસ્લિમ લીગની તેતાગીરી સંભાળી.
૪. ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ૧૧ માંથી પાંચ પ્રાંતમાં કોંગ્રેસને ચોખ્ખી બહુમતિ અને ચાર પ્રાંતમાં સૌથી વધારે બેઠકો મળી. મુસ્લિમ લીગને ક્યાંય બહુમતિ મળી નહી. આઠ પ્રાંતમાં

જવાહરલાલ નહેરૂ આપણા સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા.

આઝાદી મળ્યા પછીના થોડા સમય પછી બાદ લાલકિલ્લા પરથી સંબોધના જવાહરલાલ નહેરૂ વક્તવ્યના થોડા અંશ સાંભળવા ગમશે.

તુઝે હિન્દુસ્તાન સે યકીન હૈ, ઔર મુઝે ઈસ ભારત કે ભવિષ્ય સે ભરોસા હૈ કિ આઈન્દા ઈસ કી શક્તિ બઢેગી ઔર શક્તિ ખાલી ઈસ તરહસે નહીં બઢેગી કિ વહ શક્તિ એક ફોજી શક્તિ હો. ઠીક હૈ, એક બડે દેશ કી ફૌજી શક્તિ ભી હોની ચાહિયે. લેકિન અસલ તાકત હોતી હૈ ઉસકી કામ કરનેકી શક્તિ, ઉસ કી મહેત્તત કરતે કી શક્તિ, અગર હમ ઈસ દેશ કી ગરીબી કો દૂર કરેંગે, તો કાનૂનો સે નહીં, શોરગૂલ મચાકે નહી. શિકાયત કરકે નહીં બલ્કે મહેનત કરકે. એક એક આદમી-બડા ઔર છોટા, મર્દ-ઓરત ઔર બચ્ચા મહેનત કરેગા.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.




૭૫ વર્ષની સિદ્ધિઓ પર એક નજર
  • - ૧૯૪૦માં ૫૦૭ થી વધારે દેશી રજવાડાંઓનું વિલનીકરણ એ સરદાર વલ્લભભાઈ પટેલની મહાત સિદ્ધિ હતી.
  • - ૧૯૫૦માં ૨૪મી જાન્યુઆરી બંધારણ લાગુ થયું અને મહિલાઓએ પ્રથમવાર મતાધિકાર મળવો શરૂ થયો.
  • - ૧૯૫૧ લોકસભાની પ્રથમ ચૂંટણી ખડગપુરમાં હવેથી પ્રથમ આઈ.આઈ.ટી.ની સ્થાપના
  • - ૧૯૫૨ રાજ્યસભાની સ્થાપના. ગૃહનું પ્રથમ સત્ર.
  • - ૧૯૫૩ ઈન્ડિયન એરલાઈઝસની સ્થાપના થઈ.
  • - ૧૯૫૪ સ્ટેટ બેંક ઓફ ઈીન્ડયાની સ્થાપના થઈ.
  • - ૧૯૫૬ એલઆઈસીની સ્થાપના થઈ.
  • - ૧૯૫૭ માં “મધર છીન્ડિયા' પ્રથમ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ.
  • - ૧૯૬૩ ભાખરાતાંગલ બંદા તૈયાર થયો.
  • - ૧૯૬૫ હિન્દી દેશની સત્તાવાર ભાષા બની.
  • - ૧૯૭૧ બાંગલાદેશને ભારતે આઝાદ કર્યું.
  • - ૧૯૭૪ પોખરણ સફળ પરમાણું પરીક્ષણ
  • - ૧૯૮૩ ટીમ છીન્ડિયા કપિલદેવના કેપ્ટનશીપ હેઠળ વિશ્વવિજેતા ટીમ બની.
  • - ૧૯૯૦ કુવૈતમાંથી સૌથી મોટુ એર લિફ્ટ થયું
  • - ૧૯૯૨ સત્યજીત રાયને ઓસ્કારનો લાઈફટાઈમ એચ્ડીવમેન્ટ એવોર્ડ મળ્યો.
  • - ૨૦૧૪ દેશ પોલિયો મુક્ત થયો.
  • - ૨૦૧૭ વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી લાગુ કરાયો.
  • - ૨૦૧૮ સ્ટેચ્યુ ઓફ યુનિટિ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
  • - ૨૦૧૯ ૩૭૦ મી કલમ નાબૂદી
  • - ૨૦૨૦ અયોધ્યા રામમંદિરનો પાયો નંખાયો
  • - ૨૦૨૧ સ્વદેશી કોરોના વેક્સીન ર૦૦ કરોડ લોકોને ડોઝ અપાયા.
  • - ૨૦૨? સૌપ્રથમ પ્રાઈવેટ ટ્રેન કોઈમ્બતૂરથી શીરડી વચ્ચે ચાલુ થઈ.
૭૫ વર્ષની કેટલીક ભારેખમ યાદો

સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ર૪ ઘટના જેની છાપ દેશના માનસ પર હજી ભૂલાઈ તથી.
  • ૧) ૧૯૪૭ ભારત-પાકિસ્તાન ભાગલા - ૨ કરોડ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ગયા. ૧૦ લાખ લોકોના મોત થયા.
  • ૨) ૧૯૬ર ભારત-ચીન યુદ્ધ. ભારતને યુદ્ધમાં ખાસુ નુકશાન થયું. ભારતીય સેનાની ભારે ખુવારી થઈ.
  • ૩) ૧૯૬૫ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બન્ને પક્ષે ખાસી ખુવારી થઈ. ભારત યુદ્ધ જીત્યું.
  • ૪) ૧૯૭૧ બાંગ્લાદેશની પ્રજાને સમર્થન આપવા ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યુ. ૨૪ માર્ચ ૧૯૭૧માં બાંગ્લાદેશની સ્થાપના થઈ.
  • પ) ૧૯૭૪ જયનારાયણની છીદેરાગાંધી સરકાર સામે પ્રજાએ ગુસ્સો બતાવ્યો.
  • ૬) ૧૯૭૫ છીદેરાગાંધીએ ર૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી નાંખી
  • ૭) ૧૯૮૪ ઓપરેશન બ્લ્યુ સ્ટાર : અલગ ખાલિસ્તાની માંગ કરનાર આતંકિઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી.
  • ૮) ૧૯૮૪ ૧ નવેમ્બર ૧૯૮૪માં ઈીદેરાગાંધીની હત્યા થઈ. બીજા દિવસ શીખ વિરોધી રમખાણો થયાં. ૧૫૦૦૦ લોકો માર્યા ગયા.
  • ૯) ૧૯૮૪ ભોપાલ ગેસ દુર્ઘટના- યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ર૫ હજાર લોકો મરી ગયા.
  • ૧૦) ૧૯૮૫ શાહબાનો કેસ: પચ બાળકોની માતા શાહબાનોને છૂટાછેડા પછી પતિ પાસે ભરણપોષણનો ચુકાદો આપ્યો. સુપ્રિમકોર્ટના ચુકાદાને અવગણીને પતિને સરકારે કાયદો બનાવી જવાબદારીમાંથી મુક્ત કર્યા. ખરેખર ખોટું પગલું ભરવામાં આવ્યું.
  • ૧૧) ૧૯૯૨ રાજીવગાંધીની હત્યા
  • ૧ર) ૧૯૯ર બાબરી મસ્જિદ ધ્વંસ
  • ૧૩) ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ
  • ૧૪) ૧૯૯૯ કારગીલ યુદ્ધ ભારતની જીત
  • ૧૫) ૧૯૯૯ કંઘહાર હાઈજેકીંગ
  • ૧૬) ર૦૦૦ મોહંમદ અઝરૂદીન અને અજય જાડેજા મેચ ફિક્સીંગમાં ગુનેગાર થયા. ભારતીય ક્રિકેટનું કાળું કૌભાંડ
  • ૧૭) ૨૦૦૧ ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ
  • ૧૮) ર૦૦૧ સંસદ પર હૂમલો
  • ૧૯) ૨૦૦૧ ગોધરાકાંડ એક હજાર લોકોના મોત
  • ૨૦) ર૦૦૪ દક્ષિણ ભારતમાં 'સુનામી' ૧૬,ર૭૯ લોકોએ જાન ગુમાવ્યા.
  • ૨૧) ૨૦૦૮ મુંબઈમાં તાજ હોટલ પર આતંકવાદી હુમલો
  • રર) ર૦૧૦ દંતેવાડા હત્યાકાંડ નકસલવાદી હુમલો
  • ૨૩) ર૦૧૨ તિર્ભયા ગેંગ રેપ કેસ
  • ર૪) ૨૦૧૩ ઉત્તરાખંડમાં પુર પૌચ હજાર લોકો મૃત્યુ પામ્યા
  • ૨૫) ર૦૨૦ કોરોના : લાખો લોકો કારોનામાં મોતને શરણ થયાં.

ભારતના આજના પ્રશ્વો
  • ૧. વસ્તીવધારો
  • ૨. હિન્દુ મુસ્લીમ તણાવ
  • ૩. ભારતના પડોશી ચીન અને પાકિસ્તાન સાથે વારેઘડી છમકલાં
  • ૪. નિરક્ષરતા
  • પ. બેકારી, અભ્યાસક્રમ પછી જીવન જીવવાનું શીખાડવાતું નથી.
  • ૬. ન્નોકરી અને ધંઘો મેળવાની તિષ્ફળતા
  • ૭. ડ્રગ્સ અને દારૂનું સેવન
  • ૮. આપઘાત અને માનસિક રોગોના આક્રમણ
  • ૯. મોબાઈલનું વળગણ- કલાકો મોબાઈલ સાથે જોડાઈ રહેવું અને અણગમતી સાઈટ જોઈ મગજ બગાડવું.
  • ૧૦. બળાત્કાર અને સ્ત્રી હત્યા
  • ૧૧. આર્થિક લેવડ-દેવડના ગુનાઓ વધી રહ્યા છે.
  • ૧ર. હરામનું અને મફતનું ખાવાવાળા લોકોની વધતી સંખ્યા.
  • ૧૩. કામચોરી અને અપ્રમાણિકતાથી જીવન ગુજારવું.
  • ૧૪. ૨૧મી સદીમાં પાણીનો સૌથી મોટો પડકાર- આ દેશમાં થયો. એના માટે રમખાણો થશે.
  • ૧૫. એટલા બધાં વ્ડીકીલ થઈ ગયાં છે કે પાર્કિંગ માટે જગ્યા મળશે નહી. બીલીમોરાની અંદર આવવું હશે તો ચીખલી આગળ ગાડી પાર્કિંગ કરવું પડશે.
આઝાદીના ૭૫ વર્ષમાં પત્રકારત્વ, સાહિત્ય, નાટક, કવિતા, નવલકથા, ફિલ્મો રમતગમતોમાં પણ ઘણો નવો અને સરસ વળાંક આવ્યો.

રવિન્દ્રનાથ ટાગોરની 'ગીતાંજલી' અને સત્યજીત રાયની ફિલ્મો એ કદાચ એક જમાનામાં ભારતની ઓળખ હતી.

પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, દેશપાંડે, ઉમાશંકરભાઈ જોષી, કનૈયાલાલ મુન્શી, કાકા કાલેલકર જેવા અસંખ્ય લેખકોએ વિશ્વભરમાં તેમના સમકાલીન બીજી વિદેશી ભણતા લેખકો સાથે બરાબરી કરી.

શાસ્ત્રીય સંગીતકારોમાં પંડિત રવિશંકર, બિસ્મિલ્લાખાન, ઝાકિર હુસેન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ આખા યુરોપ - અમેરિકાને મંત્રમુગ્ધ કરી દીધા.

આ આપણી સાંસ્કૃતિ ભવ્યતાની એક કહાની છે.

આઝાદીના ૭૫ વર્ષના મહોત્સવમાં ભારતીય ફિલ્મોમાં દેશભક્તિ વિશે તમારી સાથે વાત ન કરીએ તો આજનું વક્તવ્ય જરાક ફિકું લાગે.
  • દેશભક્તિની ભાવના જગાડતી ફિલ્મો આઝાદી મળ્યાં અને પછી અઢળક બની. આઝાદી પહેલાં લોકાને એક્ઝૂટ કરવા માટે તથા વિશ્વાસ ટકાવી રાખવામાં આ ફિલ્મો મદદરૂપ બની. તો બાદમાં દેશ પ્રત્યેનું ગૌરવ ધરાવતી ફિલ્મો બની છે.
  • ભારતમાં આઝાદી સાથે ગીત-સંગીતથી કેવો નાતો હતો, તેવી શ્રેષ્ઠ મનાતી હિન્દી ફિલ્મોમાં મળે છે. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ વર્ષમાં એવા બે દિવસ છે, જ્યારે દેશના શહેર-શહેર કે ગામડે-ગામડે દેશભક્તિનાં ગીતો વાગે છે. જો કે, આ હિન્દી ફિલોમોનાં દેશભક્તિનો પાનો ચઢાવે તેવા ગીત ગાવાથી દેશભક્તિની ખરેખર કોઈ લાગણી વહેતી નથી. કદાચ આ દંભ છે.
  • સૌપ્રથમ ૧૯૪૩માં અશોકકુમાર અને મુમતાઝ અભિનીત ફિલ્મ 'કિસ્મત'માં દૂર હટો યે દુનિયાવાલો, યે હિન્દુસ્તાન હમારા હે! ગીત લખીને એક તરખાટ મચાવી દીધો હતો. કવિ પ્રદીપે અંગ્રેજી અક્ષરથી બચવા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને તેના સાથી દેશોની જોરે જબરાઈ સામે આ ગીત લખ્યું હતું. પણ તેમાં અદ્રશ્ય દેખો ભારતીય સ્વાતંત્ર્ય અંગે લોકોમાં પાનો ચઢાવવાનો હતો. જો કે ર૦૨રમાં પણ આ ગીત કેમ જાણે એટલું જ લોકપ્રિય છે.
  • આઝાદી પછી ૧૯૪૮માં દિલીપકુમારની 'શહીદ' ફિલ્મ આવી હતી. મોહંમદ રફીએ રાજા મહેંદીઅલી ના શબ્દોમાં ગાયેલું વતન કી રાહમેં વતન કે નૌ જવાન શહીદ હો' દિલીપકુમાર સુભાષચંદ્ર બોઝના ઈન્ડિયન નેશનલ આર્મીમાં ભરતી થાય છે ને સંદર્ભમાં ફિલ્મની કથા હતી.
  • ૧૯૫૭માં બી.આર. ચોપરાની “નયા દોર' બની. તેમાં તેમણે નહેરૂ અને ગાંધીજીના ભારતનો હદ બતાવ્યો હતો. તેનો નાયક દિલીપકુમાર આઝાદ ભારતના યુવાન હતાં. પણ હૈયે ગાંધીના ભારતનો પ્રેમ હતો. સાથી હાથ બઢાના, એક અકોલા થક જાયેગા' આ થે દેશ હૈ વીર જવાનોં કા' આજે પણ આ ગીતો એટલા જ લોકપ્રિય છે.
  • યશ ચોપરાએ ૧૯૬૧માં શશીકપુર-માલાસિંહા સાથે ધર્મપુત્ર' ફિલ્મ બનાવી તેમાં 'સારે જહાં સે અચ્છ હિન્દોસ્તા હમારાં' ગીત હતું.
  • ૧૯૬૨માં મહેબુબખાનની (સન ઓફ છીન્ડિયા' ફિલ્મ આવી હતી. ફિલ્મમાં આઝાદી સંબંધી કોઈ વાત ન હોતી પણ “નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જયહિંદ, જયહિં, જયહિંદ!" ગીત આજે પણ આઝાદીની ઉજવણીમાં રંગેચંગે ગવાય છે.
  • ૧૯૬૪માં ફિલ્મ લીડરમાં અપની આઝાદી કો હમ હરગિઝ મીટા સકતેનહી' ગત દર્શકોમાં જોશ ભરી દીધો હતો. આજ સમયગાળામાં ૧૯૬૨-૬૩માં ભારતે ચીનના હાથે સિયાચીનમાં હાર ભોગવવી પડી હતી.
  • ૧૬૯૪માં ચીન સાથે યુદ્ધ પછી ફિલ્મે હકીકતે (કર ચલે હમ ફો જાન-ઓ-તન સાથિયો ગીત મોહંમદ રફીએ ગાઈને કમાલ કરી દીધી. કેફી આઝમી મરતે દમ સુધી લડતા સૈનિકોના ગોરવ અને પીડાને યાદગાર રીતે દર્શાવી હતી.
  • ૧૯૬૫માં મહેન્દ્રકુમારની શહીદ ભેરા રંગ દે બસંતી ચોલા' ગીતે ધૂમ મચાવી દીધી. આ ગીતમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના પાત્ર સાથે અઘતન ગીત વણી લેવાનું કે લોકોએ હસું ખાઈ લીધું.
  • ૧૯૬૭માં મહેન્દ્રકુમારની “ઉપકાર' ભેરે દેશકી ઘરતી સોના ઉગલે' ગીતે દેશભરમાં ડંકો બજાવી દીધો.
તો આ હતી ૧૯૭૦ની ફિલ્મો અને દેશપ્રેમની કહાની. ૧૯૭૦ થી ર૦૨૨ સુધીમાં બીજી ઘણી ફિલ્મો આવી. એમાં ગદર અને લગાન નોંઘપાત્ર હતી.

ગુલામીમાંથી કેટકેટલા સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી હોય અને એ આઝાદીને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં હોય ત્યારે આવી આ ભવ્ય ઉજવણી કરી, એમાં કશું ખોટું નથી. ઉજવણી કરવી જ જોઈએ અને કરી પણ ખરી. રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો આનાથી બીજો કોઈ રૂડો અવસર ના જ હોઈ શકે. દેશના યુવાનોમાં દેશપ્રેમનું પ્રાકટય થાય એ જરૂરી છે. જે દેશમાં રહીએ એ દેશને પ્રેમ કરવો જ જોઈએ. અને આ પ્રેમ નક્કર હોવો જોઈએ. માતૃભૂમિનો દરજ્જો મા થી પણ વિશેષ હોય છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માણસના જીવનમાં મા અને માતૃભૂમિનું એક વિશેષ સ્થાન હોય છે.

ભક્તિ એ તો આંતરિક અનુભૂતિનો વિષય છે. એ પછી દેશભક્તિ હોય કે ઈશ્વરની ભક્તિ હોય. એમ પણ માતૃભૂમિ અને ઈશ્વર એ બંન્ને જણાં એકબીજાથી જુદા છે ? જ્યાં ભક્તિ હોય ત્યાં દંભ અને દેખાડો ઓછો અને હૃદયની સાત્વિક અનુભૂતિ વધુ હોય છે. પણ આપણી વાત સાવ અલગ છે. આપણે

ભલે વાત દરિયાની કરતા હોઈએ, પણ આપણી દેશભક્તિ ચમચીમાં સમાઈ જાય તેટલી ના હોવી જોઈએ.

૧૫ ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરી આવે ત્યારે આપણી અંદર દેશભક્તિનો જુવાળ ઉછળે છે અને બીજા દિવસે પાછું શમી જાય છે. ભ્રષ્ટાચાર કરતો માણસ ભ્રષ્ટાચાર કરતો જ રહે છે અને કરચોરી કરનાર કરચોરી કરતો જ રહે છે. યાદ રહે, ઘરે ઘરે ત્રિરંગા રાખવાથી કે વોટ્સએપ સ્ટેટ્સ કે ફેસબુક સ્ટેટ્સ ઉપર ત્રિરંગો ચોંટાડી દેવાથી દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી થતી નથી. દેશ પ્રત્યે આપણા સૌની અપ્રતિમ ફરજો છે. દેશપ્રેમ એ એક ફેશન બની જાય એ ૪ ચાલે, દેશ પ્રેમ એક પેશન-જુસ્સાભરી લાગણી-બનવી જોઈએ.

સરકારી કર્મચારી પોતાની નિષ્ઠાથી કામ બજાવે, ડૉક્ટરો અને શિક્ષક કે ઈજનેર પોતાના કામને રાષ્ટ્રધર્મ સાથે જોડીને કરે. જ્યારે દેશનો દરેક નાગરિક ઈમાનદારીથી ટેક્સ ભરે, દેશનો દરેક વિધાર્થી કોઈપણ પરીક્ષા ઈમાનદારીથી આપે, દેશમાં દારૂ મળતો બંધ થઈ જાય, ડ્રગ્સનું બેફામ સેવન થતું અટકે, બળાત્કારને સ્ત્રી હત્યાના કિસ્સાઓ દેખાતા બંધ થઈ જાય ત્યારે આઝાદીનું ખરેખર અમૃત પ્રકટ્યું હોય તેવું કડી શકાય. આપણને સૌને ઈમાનદારી અને નિષ્ઠાનું વળગણ ચોંટેલું રહે તે જ ખરેખર આ મહોત્સની ફળશ્રુતિ છે.

ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ફરજને વફાદાર બનીને કામ કરતો રહે, એટલે આપોઆપ ત્રિરંગો લહેરાતો થઈ જશે. રાષ્ટ્રપ્રેમ એ કોઈ પ્રોજેક્ટ તાથી. રાષ્ટ્રપ્રેમ એ વ્યવસ્થા છે. દેશના નાગરિકને નાગરિક ધર્મ અને ફરજની સમજણ પડવી જોઈએ. દેશને કઈ રીતે વફાદાર થઈ શકાય, તેનો પ્રોટોકોલ દરેક માણસે જાતે જ પાળવો જોઈએ.

રાષ્ટ્રીય ચેતના માટે અત્યંત ઉચ્ચકોટિની સંવેદનશીલતાની જરૂર હોય છે. આ ત્યાં સુધી આવતી નથી જ્યાં સુધી વ્યક્તિ નૈતિકતાના સોપાનની પ્રથમ સીડી ચઢતો નથી. આથી દેશપ્રેમના પ્રતિક તરીકે ત્રિરંગો ભલે લહેરાવજો, એમાં કશો વાંધો નથી, પણ તમે દેશ માટે એક આદર્શ પરિણામ મેળવી શકશો નહીં. જ્યાં સુધી ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવાનું અભિયાન શરૂ «ત થઈ જાય ત્યાં સુધી કશું નૈતિક રીતે મળવાનું થી.
મોટાભાગના આપણા નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે, પરંતુ વિચારોમાં નથી. રાષ્ટ્રભાવના પ્રદર્શન કે ભાષણબાજીનો વિષય નથી. એ એક આદર્શ જીવનશૈલી છે.
મહર્ષિ અરવિંદના પાંચ સપનાઓ હતા,
  1. સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું.
  2. ભારતની પ્રજાની જાગૃતિનું સંવર્ધન કરવું.
  3. ભારત પૂરા વિશ્વમાં વસુધૈવ કુટુંમ્બકમ્‌ની ભાવના દ્રઢ કરે.
  4. ભારત વિશ્વને આધ્યાત્મિક ભેટ આપે.
  5. ભારતમાં રહેતા પ્રત્યેક માનવમાં તેની આંતર ચેતનાનો વિકાસ થાય.

આઝાદીના પંચોતેર વર્ષ માટે મહર્ષિ અરવિંદના સપનાઓ પુરાં થાય ત્યારે લોકાએ, પ્રજાએ તેમની પ્રમાણિકતા અને એક અદ્દભૂત નવી પ્રણાલિ અને કાર્યશૈલીમાં જોડાવું જોઈએ. આશા છે આપને આ વક્તવ્ય ગમ્યું હશે.

કરે કોઈ આઝાદીની ચર્ચા,
કરે કોઈ ઉત્સવોની ચર્ચા,
ઉજવણી તો પુરી થઈ
બાકી રહી બેકારની ચર્ચા
ભૂખે મરતાઓને કહી દો,
જરા થોભે ને રાહ જોએ
હજી ચાલે છે એ પ્રશ્નો ઉપર
સરકારતી ચર્ચા
હતા જે ભાર ઉજવણીત્ના માથા પર
એ “નો? તુ થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરીએ ઉજવણીના ભારની ચર્ચા.
ગરીબી ભ્રષ્ટાચાર હટી જાશે તો
નેતાઓનું શું થશે ?
પછી કોણ કરશે અહીં
કૌના ભલા ઉદ્ધારની ચર્ચા?
વહે છે દંભ, આડંબર અને છલનાઓ
દેશભક્તિના પ્રવચનોથી
અમે કરતા રહ્યા કાયમ
ફક્ત માર્ગદર્શન-ઉપચારની ચર્ચા.

જય હિંદ!


ડો. ભાસ્કર આચાર્ય, સુરત
તા. : ર૮-૦૮-રર

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
  • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
  • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
  • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
  • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
  • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
  • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
  • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
  • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
  • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
  • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
  • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ઈતિહાસ

આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે.

જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ
  • ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા.
  • ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ.
  • ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ.
  • ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું.
  • રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો.
  • ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ.
  • ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા.
  • ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.

ભારત વિ. પાકિસ્તાન: આપણે મિત્રો કેમ નથી?

ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ.
  1. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો,
  2. ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ,
  3. છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.

Who Is At Fault: India, Pakistan, Or Both?

India-Pakistan relation’s issue is a very complex subject and to summarise it in a 180-page book needs great skill. This interesting book ‘India Vs Pakistan: Why Can’t We Just Be Friends?’ written by Husain Haqqani caught all my attention. I also got an opportunity to present its review to my fellow members of the Senior Citizenship Club. Following their enthusiastic response to my talk, I now have this great urge to share the review with my blog readers as well.


I shall try by introducing the author, telling about different wars, what leaders of India, Pakistan and other nations tell and finally the conclusion.

The Author: Hussain Haqqani

Hussain Haqqani is a Pakistani, who is a former Pakistani Ambassador to the US. Not only that, but he was also an advisor to four Pakistani Prime Ministers including Late Benazir Bhutto. The author is currently the Director for South and Central Asia at the Hudson Institute in Washington DC. The authenticity of his writing increases because he is an academician per se and journalist.

To better comprehend the current scenario, we must dive into the Indo-Pak history of close to seven decades. Let’s start with the wars.

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Dongri To Dubai Cover Page.jpg

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri.
  • और देश बट गया (Hindi)
  • વિભાજનની કરુણાંતિકા (Gujarati) 
  • Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai.
  • Pages: 294, Price: Rs. 90.
  • Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028

Train to Pakistan - Book Review

A story of a little known frontier village Mano - Majra (Punjab) - a railway station situated near the bank of river Sutlej dividing India & Pakistan. Here the author narrates the history of 1947 Summer after Partition was declared and frontier elsewhere has become the scene of rioting and bloodshed, but this is the village where Sikhs and Muslims have always lived peacefully and partition did not mean much. Life is regulated by the trains which rattle across the nearby river bridge. One day a local money lender is Kala Ramlal is murdered. Suspicion falls upon Juggut Singh - a gangster having an affair with the Muslim weaver's young daughter Nooran. A western educated communist agent Iqbal Singh comes and does his activity here and stays at gurudwara after meeting Meet Singh - a priest. And one day a train comes from Pakistan full of dead Sikhs and some days later the same thing - a train full Sikhs from Pakistan is repeated. Imam Baksh, Mullah a Muslim spiritual leader at a mosque and all Muslims are asked by Hukumchand, deputy Magistrate, to leave the village and "I am not going to reveal - say" what happens then - it is the heart of the novel.