Skip to main content

૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
  • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
  • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
  • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
  • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
  • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
  • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
  • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
  • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
  • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
  • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
  • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...