Skip to main content

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે. 
  • વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે 
  • વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે. 
  • વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ. 
  • વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ.



પ્રોબેટ (Probate)

Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession Act, 1923 Section 212(2) મુજબ પ્રોબેટ મેળવવું ફરજિયાત છે ફરજિયાત નથી વસિયત બાબતે તકરાર કે કાનૂની કાર્યવાહી થવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પ્રોબેટ વહેલી તકે લેવું સલાહકારક છે. આ માટે કોર્ટ ફી અને વકીલ ફી નો ખર્ચો લાગે છે.

રજીસ્ટેશન (Registration): સબસજીસ્ટ્રારની ઓફિસમાં વસિયત રજીસ્ટર કારાવી શકાય છે. રજીસ્ટ્રર કરાવવું મરજિયાત છે.

Registration Act, 1908 મુજબ વસિયત રજીસ્ટર કરાવવું ફરજિયાત નથી. આમ છતાં, રજીસ્ટ્રેશન કરવી લેવું સલાહકારક છે.


વસિયતનામા માટેની જરૂરીયાતો 
  1. ઓળખ (Identity): વસિયત કરનારની ઓળખની માહિતી નામ, સરનામું, ઉમર અને ધર્મ વિગેરે આપવું જરૂરી છે. 
  2. આ વસિયત પોતે કરેલ આખરી(Last) વસિયત છે. એવી જાહેરાત (Declaration) જરૂરી છે. 
  3. લાભાર્થી (Beneficiaries) બાબતે સ્પષ્ટ માહિતી અને તેની સાથેનો સંબંધ જણાવવું ફરજિયાત છે. વસિયતમાં કોને કેટલા ભાગ આપવો છે. તે વ્યવસ્થિત રીતે દર્શાવવું પડે છે. 
  4. વસિયતનો અમલ મૃત્યુ પછી થશે, તે જણાવો. 
  5. વસિયતનો અમલ કરનાર વ્યક્તિ(Executor) નું નામ લખો -જોકે આ નિમણૂંક જરૂરી લાગે તો જ કરવું. મરજિયાત છે. 
  6. સાક્ષીની સહી: લાભાર્થી સાક્ષી ન બને તે કાળજી લઈ, બે સાક્ષી તેમની હાજરીમાં લખાણ કરનારે સહી કરી છે એવું જણાવી સહી કરવી. સાક્ષીની ઓળખની સાબિતી આપવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે એવા ફોટાવાળા ઓળખપત્રો જોડવું. 
  7. સાક્ષી ૧૮ વર્ષથી ઉપરથી વધારેનો અને માનસિક રીતે સ્વસ્થ્ય હોવો જરૂરી છે. સાક્ષી લખાનારની ઉમર કરતાં ૫૦% નાની ઉમરનો હોય તે અને પ્રતિષ્ટિત સંબધી હોય તે યોગ્ય છે. 
  8. વસિયત બનાવનારના જીવન દરમિયાન વસિયતમાં ગમે તેટલી વાર ફેરફાર કે નવેસરથી વસિયત બનાવી શકાય છે. હા, આ છેલ્લું વસિયત છે અને અગાઉના વસિયત રદબાતલ કર્યાની નોંધ અચૂક કરવી. 
  9. આમ આપણે, 
    • a) વસિયત બનાવનાર વ્યક્તિ (Testator) 
    • b) વસિયત અમલ કરનાર (Executor) ( ફરજિયાત નથી) 
    • c) લાભાર્થી (Beneficiary)અને 
    • d) બે સાક્ષીઓ(Witnesses) વિષે જાણ્યું. 
  10. મીડિકલ રિપોર્ટ: વસિયત લખનારનું આરોગ્ય – માનસિક સંતુલન સમર્થ હતું. તે બાબતનું ડોક્ટરનું પ્રમાણપત્ર જોડાવું સલાહકારક છે. 
  11. વસિયતનો મુદ્દો વ્યક્તિ પોતે- જાતે બનાવી શકે છે. જરૂરી લાગેતો સારા વકીલ-કાયદાથી પરિક્ષિત અથવા માર્ગદર્શન પુસ્તક માંથી માહિતી મેળવી શકે છે. 
  12. વસિયત બનાવવું ફરજિયાત નથી, પરંતુ તેનાથી વારસદારોને મિલકત પોતાની નામે કરવામાં સરળતા રહે છે. અને આપની મિલકતનિ વિગતવાર સાચી માહિતી મળે છે. 

વસીયતનામાની અમલ માટેની વિધિ
  1. મૃત્યુનું પ્રમાણપત્ર(Death Certificate): સુધરાઈ, મ્યુન્સીપાલ કોર્પોરેશન કે ગ્રામપંચાયત કચેરીમાંથી મરનારનું મૃત્યુનું પ્રમાણપત્ર વહેલી તકે મેળવો. 
    • પ્રમાણપત્રમાં વ્યક્તિનું નામ, ઉમર, સરનામું વગેરેની વિગતો બરાબર હોવાની ખાત્રી કરો. 
    • પ્રમાણપત્રમાં આધારકાર્ડ નંબરની નોંધ કરાવો. 
    • મરણનું કારણ (Cause of Death) વ્યવસ્થિત અને ખરું લખાયેલ છે, તેની ખાત્રી કરો. 
    • આ પ્રમાણપત્રની જરૂર મુજબ ઘણીબધી મૂળ નકલ (Original Copy) માંગો. 
  2. પ્રોબેટ- જરૂરી લાગે તો જ, કોર્ટમાંથી પ્રોબેટ મેળવો. 
  3. વારસાઈના નામો અને વિગતોનું કાયદાકીય પ્રમાણપત્ર મેળવો. 
  4. વાહન - વાહન બાબતે આર.ટી.ઓ. (RTO) ને મરનારની વિગત મોકલી જરૂરી કાર્યવાહી કરો. 
  5. નોકરીના સ્થળે માહિતી પહોંચાડો. અગ્નિસંસ્કાર પેટે મળતાં નાણાંની માહિતી જાણી યોગ્ય કાર્યવાહી કરો. 
  6. બેંકના ખાતા જ્યાં હોય ત્યાં જણાવી-યોગ્ય કાર્યવાહી કરો. બેંકમાં કોઈ જાતનો વીમાનો લાભ હોય તો, યોગ્ય કરો. ક્રેડિટ - ડેબિટ કાર્ડ સાથેના વીમાની માહિતી મેળવી યોગ્ય કરો. 
  7. વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો, Motor Vehicle Amendment Act, 2019 મુજબ આર્થિક લાભ મેળવો. 
  8. વીમા યોજનાની માહિતી કઢાવી, વળતર મેળવો. 
  9. LIC મળતું હોય તો, ફેમિલી પેન્શન કાર્યવાહી કરી મેળવો. 
  10. બધા લાભાર્થીઓ સાથે ચર્ચા કરો, ભાગ વહેંચવાની કાર્યવાહી કરો. 

વસિયતનામામાં સમાવવાની મિલકતોની માહિતી 
  1. સ્થાયી મિલકતો: ઘર જમીન દુકાન વિગેરે. 
  2. આર્થિક વિષયો: ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પી.પી.એફ. વીમા પોલિસીઓ, બેંકના લોકર અને ખાતાઓની વિગતો. 
  3. અસ્થાયી મિલકતો: વાહનો-કાર-સ્કૂટર, સોનુ ચાંદી વિગેરે 
    • વારસાગત મિલકતો પોતાને નામે થયા પછી જ પોતાની ગણાશે. 
    • ભારત દેશની બહારની મિલકતો માટે અલગથી વસિયત બનાવવું 

વસિયતના લાભાર્થીઓ

પોતાના સગા બાળકો, સાવકા બાળકો, માં બાપ, દાદા દાદી, બીજા સગાંઓ, મિત્ર ઉપરાંત દાન આપવાની ઈચ્છા હોય તેવા માણસો, મંદિર, શાળા, હોસ્પિટલ, ટ્રસ્ટ વગેરે વ્યક્તિ પોતાની મિલકત કોઈપણને પોતાની ઈચ્છા મુજબ વસિયત દ્વારા આપી શકે છે.

મેડિકલ સર્ટિફિકેટ

જરૂરી નથી, પણ સાવચેતીના પગલે પગલાં તરીકે ફેમિલી ડોક્ટર પાસે માનસિક સ્થિરતા-યોગ્યતા-દર્શાવતું સર્ટિફિકેટ જોડાવું હિતવા છે.

સ્ટેમ્પ પેપર જરૂરી નથી

હાથે લખાયેલ વસિયત કાયદેસર જ છે પરંતુ મોટા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ટાઈપ કરવું સલાહકારક છે.

Executor વસિયતનો અમલ કારવાનાર વ્યક્તિ

માનસિક સ્વસ્થતા ધરાવનાર -૧૮ વર્ષથી ઉપરની કોઈપણ એક કે વધારે વ્યક્તિને એક્ઝિક્યુર બનાવી શકાય છે. પોતાના વિશ્વાસપાત્ર મિત્રો કે સગાંને બનાવી શકાય. એક્ઝિક્યુટર બનાવવું ફરજિયાત નથી. આવા વસિયતના અમલ માટે કોર્ટમાંથી પ્રોબેટ લેવું જરૂરી છે.

Minor (સગીર) ૧૮ વર્ષથી નીચેના બાળકો 

Indian Majority Act (Section) 1875 મુજબ અઢાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો સગીર વયના ગણાશે. 
  • સગીર માટે Code of Civil Code Procedure, 1908 મુજબ Guardian વાલીની નિમણૂક કરવાની રહેશે. 
  • કોડીસીલ Codicil પુરવણી- ઉમેરો. Addendum જુના પહેલા બનાવેલ વસિયત સાથે ઉમેરાવામાં આવતી પુરવણી ને કોડીસીલ કહે છે. તે દ્વારા ફેરફાર, ઉમેરો કે કાઢી નાખવું વીગેરે ફેરફાર કરીને જોડાવામાં આવે છે.




 

નમુનાનું વસિયતનામું                                                   Sample WILL

                                                                

·      હુ _______________ નો  ___________ પુત્ર / પુત્રી ધર્મ ____________ ઉમર ____________ હાલનુ સરનામું ________________________________________

સ્વસ્થ મગજ અને યાદ શક્તિ (Sound Mind and Memory) સાથે જાહેર કરું છું કે આ મારુ છેલ્લા માં છેલ્લું વસિયત નામું (Last Will) છે.

·      આ અગાઉનું વસિયત નામું રદ (Cancel) કરું છું.

·      મારા લાગતાવળગતા બધા સગાં સંબંધીઓને આ વસિયત નામાના સન્માનરૂપે અમલમાં સહભાગી થઈ સહકાર આપવા વિંનતી કરું છું. અને આ વસિયતનામામાં  કોઈપણ જાતનો ફેરફાર ન કરવા કે અમલમાં કાનૂની, સામાજિક જે બીજી કોઈપણ જાતની અડચણો ન ઊભી કરવા આગ્રહ કરું છું. મારી મરજી મુજબ મારી મિલકતો વહેંચાય તે જોવા લાગતા વળગતા દરેક સંબંધીઓ ને સલાહ છે.

I My Immediate Family મારા નજીકના કુટુંબીઓની વિગતો

૧) Spouse: જીવન સાથી __________

મારા ધર્મ પત્ની / પતિ __________ છે અને તેમની ઉમર _____ છે. રહેઠાણ ____________________________ સરનામે છે.

૨) મારા પુત્રો / પુત્રીઓ ની વિગત નીચે મુજબ છે ( Sons / Daughters)


પુત્ર -૧  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૨  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

પુત્રી-૩  નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૪) તેમના બાળકોની વિગત નીચે મુજબ છે. (Grand Children)

૧ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૨ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

૩ નામ-_________________ ઉમર________ હાલનું સરનામું____________________

(II) Executor and Beneficiary

1)    આ વસિયતનામાં સાથે આપેલ વિગત મુજબ અને તે સિવાયની મારી દરેક મિલકતો પોતે મેળવેલ (Self-acquired) છે.

2)  આ સર્વ મિલકતોના વર્ણન માં થોડીઘણી ભૂલ હોય તો, તેનાથી વારસના હક્ક ને કોઈ વાંધો આવતો નથી (Not. The Dispositions, Even with mistake)

3)  આ સાથેની યાદી સિવાયની ભવિષ્યમાં (in future) અમને મળનારી મિલકતો પણ વારસને મળવાપાત્ર છે.

4)  વહીવટકર્તા – પ્રતિબંધક (Executor)

આ વ્યક્તિ / વ્યક્તિઓ

૧) નામ _________________ ઉમર________ સરનામું_________________________

૨) નામ _________________ ઉમર________ સરનામું_________________________

મારા વસિયતનામાના અમલ માટે કોઈપણ જાતના બંધન વિના મુક્ત રીતે ઉપરોક્ત વહીવટ કર્તા/ કર્તાઓ મિલકતની વહેંચણી કરશે.

5)  વહીવટકર્તાની કરતાની નિમણૂક મરજિયાત છે(Optional).

6)  વહીવટકર્તાઓને વહેચણી માટે જરૂરી બધી સત્તા હું આપું છું. અને યોગ્ય લાગે તે કાનૂની કાર્યવાહી કરી કોર્ટનો ઓર્ડર(Probate) મેળવવા વિનંતી કરું છું.

(III) વસિયતનામુ (Will)

1)   મારા મરણ પછી મારા પતિ કે પત્ની (Wife / Husband) મારી યાદીમાં વર્ણવેલ દરેક મિલકતની સિધી / સીધા વારસદાર બનશે

2)  મારા બંનેના પતિ-પત્નીના મૃત્યુ બાદ અમારા ઉપરોક્ત વર્ણવેલા વારસદારો સરખે ભાગે મિલકતના હકદાર બનશે.

નોંધ: આ બાબતે દરેક વસિયતકાર પોતાની ઈચ્છા મુજબ વારસદારોને અથવા અન્ય કોઈપણ ને પોતાની સ્વઅર્જિત (Self-acquired) મિલકત વધારે કે ઓછી આપી શકશે. વડીલોપાર્જિત મિલકતો કાયદા મુજબ દરેક વારસદારને અચૂક મળશે.

(IV) Separability (ભાગ)

1)    આ મિલકતનો કોઇપણ ભાગ કોર્ટ અયોગ્ય ઠરાવી નહીં શકે એવું હું ખાસ સૂચન (Direct) કરું છું.

2)  કદાચ કોર્ટ કોઈ મિલકતને ભાગ માટે અયોગ્ય ઠરાવે(Invalidate) તો પણ, તે સિવાયની બાકીની મિલકતોનો ભાગ વહેંચી શકાશે.

3)  આ મારુ અંતિમ(Last) વસિયતનામું(Will) છે.

4)  આ વસિયતનામું મારી સ્વતંત્ર મરજીથી (Voluntarily) અને મુક્તપણે (Free) વિચારીને કોઈપણ જાતના દાબદબાણો કે અસરો (influence) સિવાય સ્વસ્થ માનસિક (Sound Mind and Health) સ્થિતિમાં કરું છું.

5)  હું પુખ્ત વયનો છું. અને કાનૂની રીતે(Legally) વારસદારોને આપવા લાયક મિલકતોનો કાયદેસર માલિક છું.

 

Testator (વસિયતનામુ કરનાર)નું નામ___________________________

વસિયતનામું કરનારની સહી________________

તારીખ__________________

બે સાક્ષીઓની હાજરીમાં ઉપરોક્ત સહી કરવામાં આવી છે

સાક્ષી ૧ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

સાક્ષી ૨ સહી__________________

તારીખ_________________

નામ સરનામું ____________

વસિયતનામાં સાથે જોડાવાની માહિતી

1)  


Deposits (જમા પૈસાની વિગતો)            જમા રકમ

F.D. – ફિક્સ ડિપોઝીટ                      બેંકનું નામ

Savings Account -                 સરનામું, ખાતામાં નામો અને પ્રકાર

2)  સ્થાયી મિલકતો (Immovable Properties) વર્ણનનું મિલકતોનું વર્ણન- વિસ્તારનું નામ -સરનામું ઘર નંબર- જમીનમાં ૭/૧૨ અને ૮-અ દાખલા

3)  જર ઝવેરાત(Jewelry) સોના-ચાંદી-હીરાના સિક્કા ઘરેણાની વિગતો

સોનાની બંગડી________ નંગ _______________ગ્રામ વજન

સોનાનો હાર__________ નંગ _______________ ગ્રામ વજન

સોનાનું મંગળસૂત્ર__________ નંગ____________ ગ્રામ વજન

સોનાની વીંટી _____________નંગ____________ વજન

સોનાની ચેઈન______________ નંગ____________ વજન

તે જ રીતે વિગતવાર બધી જ વસ્તુઓનું વર્ણન.


બેન્કનો લોકર નંબર- બેંકનું નામ - સરનામું દરેક વપરાશ કારોના નામ

4)  શેર-                         શેરની સંખ્યા        

    મ્યુચ્યુઅલ ફંડ                કંપનીનું નામ

પી.પી.એફ                   ડિમેટ એકોઉન્ટની વિગતો.

એન.એસ.એસ

આર્થિક સલાહકાર(Invetment Firm)

હિસાબ રાખનાર(C.A) તથા બધા જ રોકાણકારોની વિગત.

5)  વિમાઓ Insurance –પોલિસીનિ વિગત-અંક સંખ્યા-પાકવાની તારીખ લાભાર્થી ના નામો.

6)  પરચુરણ રોકાણો (MISCELLANEOUS)  કાર-સ્કૂટર વિગેરે વાહનો, કમ્પ્યુટર, ટીવી, ફર્નિચર તે સિવાય યોગ્ય લાગે તેની ખાસ નોંધ લેવી.

 

નોંધ:-

૧) આ ફક્ત નમૂનાનું વસિયત નામું છે. દરેકે પોતાની ઈચ્છા મુજબ લખાણ કરીને સ્વતંત્ર વસિયતનામું બનાવવું.

૨) દરેક પાનાં ઉપર વસિયતનામું કરનારે સહી કરવી.

૩) સાદા કાગળ ઉપર વસિયત કરી શકાય. પોતાની અને બે સાક્ષીઓનિ સહી ફરજિયાત છે.

૪) સ્ટેમ્પ પેપર ઉપર, નોટરી કરાવીને અને રજીસ્ટાર પાસે રજીસ્ટ્રશન કરાવીને વસિયતને વધારે પ્રમાણિત કરી શકાય –પણ આ બધુ જ મરજિયાત છે.

૫) વસિયતનામું લૉકર કે બીજી સલામત જગ્યાએ સાચવીને મૂકવું.

૬) Codicil – (વધારો) મૂળ વસિયતનામું (Original Will ) સાથે ઉમેરણ કે સાધારણ ફેરફારનો પત્ર ઉપરોક્ત ત્રણે સહીઓ સાથે જોડી શકાય, પરંતુ આ કરતાં નવું વસિયત કરવું સહેલું

રહેશે.


Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...