Skip to main content

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.


તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.



ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.

હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.

ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.


ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.



માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.


ઘેરીયા દ્વારા ગવાતા ગીતો

“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!

પ્રવેશ સમયનું ગીત:

કિયાતે ઝાંપાને કેવી ઝાંપલી રે,
મગનભાઇના મોલ બતાવે રે

ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.

લગ્નમાં ઘેરીયા ગીત:

ઘોડીએ ચડ્યા ભીલો ભીલ “હમરેક મોરચા”

હમરેખ= એય સાંભળે છે કે?
મોરચા= બાળક, બચ્ચા

પારણું: સંતાન પ્રાપ્તિ માટે, ખોળો ભરવા કે નાના બાળને ઝુલાવવાના ગીતો

“વાવલીએ વધ્યા રે ગોરી ના પેટ જો નવમે માસે જનમીયા બાળ ગોપાળજો”

માતાના ગરબા:

મા પાવા તે ગઢથી ઉતર્યા માં
માનો ગરબો રે રમતો રાજને દરબાર


વાસંતી ઘેર

નર્મદા જિલ્લામાં નાંદોદ, ઝઘડિયા અને નેત્રંગ વિભાગમાં સુરત-વલસાડ જિલ્લા જેવા જ નૃત્યો પુરુષ હળપતિઓ કરે છે પરંતુ, નાંદોદના દક્ષિણ ભાગે ડેડીયાપાડા અને બેડવાણ પંથકમાં સ્ત્રી પુરુષો સંયુક્ત ઘેર બનાવી પોતાની રસ રુચિ પ્રમાણે વસ્ત્રાલંકાર પહેરી એકબીજાની કેડે કે ખભે હાથ બાથ લઈને ભેરુ બાંધો કરીને વર્તુળાકારે સર્પાકારે કે અનિયમિત આકારોમાં ઘેર રમે છે. અહીં દાંડિયા નથી પણ પશુઓની માફક ઠેકડા મારી કે વિવિધ ચાળાઓમાં ઘેરીયા નૃત્ય કરે છે. આ નૃત્ય હોળી દરમિયાન ભજવાય છે.

ઘેરીયા

દક્ષિણ ગુજરાતનાં હળપતિઓ દ્વારા યોજાતા ઘેરીયા નૃત્યમાં થતી ઘેરમા જોડાવાની શરતો:
  • એક માસનું બ્રહ્મચર્ય
  • માંસ-મદિરા ત્યાગ
  • સંયમિત આચાર સંહિતા
  • માતૃભક્તિ માતૃશક્તિની આરાધના
  • “હા રે હા”નું કોરસ, ઘુઘરાનો રણકાર, પુરુષ દ્વારા સ્ત્રીનો પહેરવેશ
  • બધાનું મિશ્રણ ધરાવતું, માતાની આરાધના માટે દક્ષિણ ગુજરાતના હળપતિઓની ભક્તિનૃત્ય ધરાવતું આદિવાસી નૃત્ય


આયોજન

  • ઘેર બાંધવાનો હળપતિ કોમ દ્વારા નિર્ણય
  • ૨૦-૨૫ ઘેરીયાઓની પસંદગી
  • નૃત્યના વિવિધ પ્રકારના પાત્રોની વરણી
  • એક મહિના માતાજી આરાધના-બ્રહ્મચર્ય-માંસાહાર-મદિરા ત્યાગ અને પ્રેક્ટિસ

લોકવાયકા

ઘણી બધી વાયકાઓ છે તેમાંથી બે:
  1. લીલારાણી નામની રાણીને યુવાન રાઠોડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. રાણીએ તેને પામવા ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ રાણીને પ્રસન્ન થઈ ને ઘેરીયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યુ હતું. આ ઘેરીયા રાસની યાદ માં ઘેરીયા રાસ રમાય છે.
  2. પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કરીને લોકોનું ધર્માંતરણ કરાવતા ધર્માંતરણથી બચવા રાઠોડ પાવૈયાનો વેશ ધારણ કરી ઘેરીયા નૃત્ય કરતા છટકી ગયા. ત્યારથી ઘેરીયા નૃત્ય પરંપરા ચાલુ થઈ.




પહેરવેશ

અર્ધનારી વેશ: ઘેરીયા નૃત્યમાં વેશમાં મહિલાઓનો વેશ અને શૈલી પુરુષોનો એવું સંયોજન હોય છે.
  1. ત્રણ સાડીનો વેશ: એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી સાડી કમરના ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભા ઉપર બાંધેલા હોય છે ત્રીજી સાડી કમરની નીચે ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરાય છે.
  2. શણગાર: કંઠમાં મણકા અને મોતીની ગળામાં ગલગોટાનો હાર, પગમાં બૂટ-મોજા, કમરે ઘૂઘરા , કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણીયા, હોઠે લાલી ઉપરાંત ગોગલ્સ. એક હાથમાં મોરપીંછ નો ઝૂડો- બીજા હાથમાં દાંડીયો




ઘેરીયા કલાકારો
  • ઘેરીયો:  એક હાથમાં બાવળ કે શીસમનો દાંડીયો અને બીજા હાથે મોરપીંછનો ઝૂડો- રમત રમનાર અને નૃત્ય કરનાર.
  • કવિયો: વેશ પુરુષનો (ઘેર મંડળીના નેતા): ખમીસ, બંડી કે કોટ, માથે સાફો કે ફેટો. એક હાથમાં મોરપીંછ નો જુડો બીજા હાથમાં છત્રી.
  • પ્રસંગ પ્રમાણે ગીત ગવડાવનાર કવિયો ઘેરીયાઓને રમાડે તે નાયક-માર્ગદર્શક.
  • ગભાણીયો: ઘેરીયાઓને સાજ-સજ્જ કરી તૈયાર કરનાર.
  • વાધ્યવાદકો: થાળી વાળો, મંજીરા વાળો, ખંજરી વાળો અને તબલચી કે ઢોલક વાળો
  • બગલી વાળો: લાંબી લાકડીવાળો- લાકડીના ઉપરના છેડે ખમીશ કે બંડી રૂપે ડગલી લટકાવીને વસ્ત્રદાન માંગે છે. બગલીવાળો ઘેરને નજર લગતા રોકે છે.
  • ઘોડી વાળો: જોકર: લોકોનું મનોરંજન કરનાર લાકડી ઉપર લાકડાના ઘોડાનું માથું લઈને ઘોડેસવારી કરતો હોય તેમ ઘેરની ફરતે ફરી લોકોને હસાવનાર.
  • તરકટિયો: તરકટ કરીને લોકોને હસાવનાર
  • કાળી બિલાડી બનેલ ઘેરીયો: બિલાડી નો વેશ, શરીર ઉપર કાળો રંગ ચોપડીને પાછળ પૂંછડી લગાવી બિલાડી બનનાર ઘરમાં જઈને ભૂત પ્રેત ઘરમાંથી ભગાવનારી પરંપરા નિભાવે છે.


આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.





સંદર્ભ:
  1. પુસ્તક: ઘેરીયા નૃત્ય અને ગીતો: પ્રિ. ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
  2. લેખ: ગુજરાત ૨૦૭૯ પેજ:૭૪ : ઘેરીયા: અજય મો. નાયક, પત્રકાર
  3. અશોકભાઇ પટેલ, પત્રકાર, ગણદેવી

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૧૮/૧૧/૨૦૨૩

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.