અંગદનો પગ - પુસ્તક પરિચય
એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.
ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.
પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ અંગદનો પગ!
વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ.
વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ.
“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાન ના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે. રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે છે, પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? આવા પ્રતિભાશાળી પાત્રની વાત હોય તો નવલકથા “અંગદનો પગ” શા માટે નહીં? કથાવાર્તાનો પરિચય હું કરાવીશ પણ બધી વિગત અને અંત ન કહીને આપણી ઉત્કંઠા અને વાંચવાની આતુરતા જાળવી રાખીશ. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહ ની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે. એ બન્નેના પ્રિય વિદ્યાર્થી જે ભણીને હાર્ટ સર્જન બને છે-તેના બન્ને ગુરુજીઓ સાથેના સહવાસથી થતી અસરોનું વર્ણન છે. આ નવલકથામાં વિચારોના વલણોમાંથી નીકળતું અમૃત હું આપને બતાવીશ.
- પ્રતિભાશાળી (First Raters) અને સામાન્ય (Secid Raters) ના સંઘર્ષની અહી ચર્ચા છે.
- આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધારી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી.
- મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. અહી કિશોર દવેને તેની માં, પ્રો. રાઠોડ અને સાથી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ તેની મર્યાદા બતાવે છે અને તેથી તેઓને તે દુશ્મન બનાવે છે.
- અનુભૂતિ (Awareness), આંતર પ્રજ્ઞાનો અવાજ (Spark), જીવવાની ઈચ્છા (Willpower), અને માધુર્ય (Grace) થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ મહત્વાકાંક્ષા, ધારદાર પૃથક્કરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન છે.
- જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ (અંદરનું અનંત જગત જે પૂર્ણ છે) ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે. તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી (મિશન એટલે ચોક્કસ નિર્ધારિત હેતુ માટે કાર્યરત રહેવું) તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
- શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
- એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે. આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
- સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
- પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે. ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ (Awareness)નું જ્ઞાન આપે છે.
- સરાસરીપણું અને સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે – તેઓ સ્વીકાર (Confessions) – કબૂલાતનામું વર્ણવે છે – તેઓ સમાન્યપણાના અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન (Catharsis) કરે છે. તેઓ પોતાને સિંહનું ચામડું પહેરેલ ગધેડો- કાયર – કહે છે. વધુ માટે “અંગદનો પત્ર” વાંચવું પડે.
- માનવસ્વભાવ નિશ્ચિત છે – તે અમુક રીતે જ વર્તે છે – જન્મની પળે બુદ્ધિશક્તિને એક ગતિ (Momentum) મળે છે – પછી લઘુતાગ્રંથિ- આળસ- ઈર્ષ્યા કે ઝેરીવલણ સામાન્યતા તરફ દોરે છે – તો પ્રજ્ઞા – જ્ઞાનીપણું – પ્રતિભા મહાન બુદ્ધિશાળી બનાવે છે. આપણે શું કરવું છે?
અંગદનો પગ
|