Showing posts with label religion. Show all posts

વારસદાર (Legal Heir)

હિન્દુ

વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે.

હિન્દુ પુરુષ મૃતક 
  1. CLASS-I LEGAL HEIRS: 
    1. પુત્ર / પુત્રી
    2. વિધવા / વિધુર
    3. મા
    4. મૃતકના પુત્રનો દીકરો / દીકરી
    5. મૃતકની પુત્રીનો દીકરો / દીકરી
    6. મૃતક પુત્રની વિધવા
    7. મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી)
    8. મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા 
  2. CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs): 
    1. પિતા 
    2. પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી 
    3. ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી
    4. દાદા (Father’s Father)
    5. દાદી (Father’s Mother) 
    6. પિતાની વિધવા
    7. પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન 
    8. માતાના પિતા (આજા) / મા (આજી) 
    9. માતાનો ભાઈ / બહેન
પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે. 


હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક

ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે. 
  1. પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી 
  2. પતિના વારસદારો 
  3. માતા, પિતા 
  4. પિતાના વારસદારો 
  5. માતાના વારસદારો 
હિન્દુ સ્ત્રીના પિયરમાં માતા-પિતા દ્વારા મળેલ મિલકતોમાં તેના પુત્ર કે પુત્રી ન હશે, તો પિયરમાં તેણીના પિતાના સગાને મિલકતમાં ભાગ મળશે અને પતિ કે સસરા તરફથી મળેલ મિલકતમાં પુત્ર કે પુત્રી નહીં હોય તો, પત્નીના સગાને ભાગ મળશે.

કુંવારી હિન્દુ મૃતક સ્ત્રી

ઉત્તરતા ક્રમમાં ગણવું.
  1. માતા પિતા 
  2. પિતાના વારસદારો 
  3. માતાના વારસદારો. 

ખ્રિસ્તી ધર્મના મૃતક


વસિયતનામું ન કર્યુ હશે, તો નીચે મુજબ મિલકતમાં ભાગ અપાશે. 
  1. વિધવા- ત્રીજા ભાગની મિલકત વિધવાને અને બાકીની મિલકત પુત્ર-પુત્રીને સરખે ભાગે વહેંચાશે. 
  2. પુત્ર-પુત્રી ન હશે તો, વિધવાને અડધી મિલકત અને બાકીની અડધી મિલકત સગાંને વહેચાશે. 
  3. વિધવા જીવિત ન હશે તો, લાઈનમાં આવતા સગાંને નીચે મુજબ મળશે. 
    1. પિતા 
    2. પિતા ન હોય તો, માતા -ભાઈ -બહેનને સરખે ભાગે 
    3. પિતા-ભાઈ –બહેનની ગેરહાજરીમાં માતાને સંપૂર્ણ મિલકત મળશે. 
    4. માતા પિતાની ગેરહાજરીમાં ભાઈઓ –બહેનો- મૃતકભાઈઓ અને મૃતક બહેનોના બાળકોને સરખે ભાગે વિધુરને વિધવાને મળતા બધા લાભો આપાશે. 
    5. માતા અને ભાઈઓનો ભાગ દીકરી કરતાં બમણો ગણાશે. 

પારસી ધર્મના મૃતક

મૃતક પુરુષની મિલકત: વિધવા- બાળકો અને માં કે બાપ જીવિત હોય તો જીવિત પિતાને મૃતકના પુત્ર કરતાં અડધી અને જીવિત માતાને મૃતકના પુત્રી કરતાં અડધી મિલકત મળશે.

મૃતક પારસી સ્ત્રીની મિલકત 
  1. વિધુર અને દરેક બાળક (પુત્ર-પુત્રીને) સરખો ભાગ મળશે.
  2. ફક્ત બાળકો જીવિત હશે તો, દરેકને સરખો ભાગ મળશે. 

ઇસ્લામ ધર્મ (કુરાનને આધારે) 
  1. એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે. 
  2. ઓલાદમાં એક જ છોકરી હોય તો, અડધી માલ મિલકત મળશે. 
    • બે છોકરીઓ હશે તો, બંને થઈ ૨/૩ ભાગ મળશે. 
    • બાળક જ ન હોય તો, માને ૧/૩ ભાગ અને બાકીનો બાપને મળશે. 
  3. જો મરનારને એકથી વધુ ભાઈ/ બહેન હોય તો, વસિયત મુજબ કર્યા ઉપરાંત દેવું ચૂકવ્યા પછી, માને છઠ્ઠો ભાગ મળશે અને બાપને બાકીનું મળશે. 
  4. જો ઓરતને કોઈ ઓલાદ ન હોય તો, તે જ મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. જો પુરુષ ઓરત વગર મરે તો ઔરતને ૧/૪ ચોથો ભાગ મળશે, ઓલાઇ હોય તો આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ આઠમો ભાગ હોય છે. 
  5. જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેકને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે. 
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનૂનો છે.

The Quest For Happiness

With all the success, achievements, and happiness-infusing-technologies, our search for being joyous, pleasant and happy is not over. India has its own guidelines, very well defined by Bhagavadgita, Buddhism, and Jainism. Still, our search for techniques to be happy pushes us to explore different ways around the world. 

Some people traveled to the Netherlands, Denmark, Sweden, and Japan to find out four concepts of happiness, NIKSEN, HYGGE, LAGOM, and WABI-SABI respectively. These four countries top the list of the world happiness index and are amongst the first ten. Let me simplify and summarize each of them and try to derive the ultimate formula for happiness. 


NIKESEN (Netherlands)

In the Netherlands, Dutch people have found out key to happiness in NIKESEN. NIKESEN means “Doing nothing” purposefully and deliberately - leaving from work of body and mind - with a purpose to do nothing or having no purpose at all for a certain time (not exceeding 10 minutes). 

“Doing nothing” is a Dutch art of experiencing only being and not doing anything whatsoever. NIKESEN says let your mind wader, do not control motion or gesture, and do not try to be productive. Just be natural at that very moment, looking at nature, maybe listening to music and looking around. To practice Nikesen, pick a comfy chair, stare out of the window or around the room, and let your mind go where it wants. Remember do not exceed 10 minutes a day.

For getting rid of anxiety, burnout, trepidation, tiredness, or overwhelmed state, and when all the above turn out to be too much, try NIKESEN - doing nothing. You will find, multiple benefits like an increase in happiness, higher motivation, better rest, increased productivity, stress relief, better balance, digital detox (by staying away from mobile and computers), and better overall mood.

Find out your technique because NIKESEN is different for everyone. To summarize, NIKESEN is all about doing nothing on purpose. NIKESEN is not lazy and it is just doing nothing. It must stop at ten minutes a day.

HYGGE (Denmark)

Hygge is a Danish word pronounced as Hue-Guh. Hygge asks us to be consciously cozy, that is, at rest, comfortable and relaxed. It describes the art of creating a nice atmosphere of good relationships and good companionship between two persons.

The other character of Hygge is Conviviality (પ્રફુલ્લતા) - gladness. By family eating together with everybody in conversation and talk to each other with love and respect. Hygee makes us take a break from the demand for healthy eating. It means eating cakes, candy, chocolate, or drinking alcohol whatever you want to, without limit.

Hygge is a mixture of relaxation, being with the people you love, indulgence, equality, gratitude, and good food.

Meik Wiking (Founder of the Happiness Research Institute), author of a book on Hygge tells us, “At a certain point, additional income does not lead to improved quality of life”.

Amanda Weldon describes Hygge as following: 
  1. Accepting any weather. She says there is nothing like bad weather. 
  2. Enjoy time indoors or outdoors with candles, a fireplace, and cashmere socks. 
  3. Enjoy the togetherness of family and friends by talking loudly, eating your favourite sweets, cake, pastries, coffee, and drinking. 
  4. Come as you are. 
We know, you cannot buy the right atmosphere or a sense of togetherness. So Hygge is for surviving boredom, sadness, depression, cold, and sameness. Hygge is talking about pleasure in the middle of life and a cure for sadness by way of enjoying togetherness, dialogue, and food.

Mark Wiking says, you cannot buy the right atmosphere or a sense of togetherness. You cannot Hygge if you are in a hurry or stressed out. And the art of getting intimacy cannot be bought by anything, but time, interest, and engagement in the people around you.

Danish Word says, Hygge is used when acknowledging a feeling or moment, whether alone or with friends, at home or out, ordinary or extraordinary as cozy, charming, or special. Hygge is a way of life - a lifestyle and doesn’t require learning “How to” or buying anything.

LAGOM (Sweden)

Lagom is a modest approach to life leading to “Balance” - not too much, not too little, but adequate. It means doing work or consuming food adequately.

Lagom teaches boundaries, balance, and mineralization by asking not to exceed personal limits. Lagom life lesson: 
  1. Reconcile rest 
  2. Opt for a moderate diet 
  3. Cultivate healthy relationships 
  4. Tidy up to your home and throw away unnecessary things. 
  5. Consume consciously 
  6. Practice technological detox of mobile and computers 
  7. Respect the environment, and last but most important, 
  8. Apply slow life
So Lagom is just the right amount, not too much, not too little, but balance. Lagom is a Swedish secret to explain a lifestyle based on social awareness sustainability and moderation.

Lagom is a recipe for being happy by living with less. Lagom teaches harmony, moderation universality. Lagom is summarised like this: 
  1. Be positive - Find happiness even in hidden corners and live sobriety as a conquest. 
  2. Importance of exercise and sleep - Find time for exercise and sleep. Both activities purify the mind and help to deal with everyday life in a positive spirit. 
  3. Sustainability and environment - Recycle and Reuse. 
  4. Choose functional, simple, and logical furniture. 
  5. Imperfection is beauty - Swedish people say, abandon the unattainable goal of perfection and allow the middle ground.

Ultimately, true happiness is knowing how to immerse oneself in one’s life with joy and preserve the strength to face everyday life with serenity, simplicity, awareness, and harmony.

WABI-SABI (Japan)

Wabi = Subdued austere beauty
Sabi = Rustic patina

Wabi-Sabi is a Japanese way of living a happy life. Wabi-Sabi is a worldview centered on the acceptance of transience and imperfection. They ask us, via Wabi-Sabi, to accept and appreciate the beauty that is imperfect, impermanent, and simple in nature. 
  • Simplicity: Life is empty. Let us fill it with simplicity, nobility, and humility. At the same time, relax and don’t be in a hurry. “Slow down” to enjoy life all around. 
  • Imperfection: Nothing is ever finished to perfection. Instead, accept imperfection. Robert Watson Watt said, give them the third best to go with because the second best comes too late and the best never comes! Enjoy the cracks and lines of an object’s imperfection. 
  • Impermanence: Nothing lasts forever as it is. It changes human beings- A child becomes young and ultimately old- Accept the importance of aging and respect grey hair and creases in the skin. Enjoy these changes by making them interesting. 
To summarise the long story short:

Happiness in life can be achieved in many ways. All you need is a sincere attempt to get it.

  • Bhagavadgita teaches total surrender to God and witness only to all that happens. Keep working and the result will be pleasant. 
  • Netherlands’ Nikesen tells us to do nothing for maximum ten minutes a day. 
  • Denmark’s Danish ask for Hygge - Enjoy eating with family doing dialogue. 
  • Swedish Lagom describes limiting, without doing too much or too less, only adequate. 
  • Lastly, Japanese Wabi-Sabi teaches simplicity, slowness, and accepting impermanence and imperforation. 

Decide what suits your nature and happiness will be with you forever.



Wabi Sabi

ચીનના તાઓ ધર્મના સ્થાપાક લાઓ-ત્સે-તુંગે એકદમ વ્યવહારિક પરંતુ તદ્દન સરળ સિદ્ધાંતો આપ્યા: 
  • સાદાઈ - Simplicity-Patience-Compassion
  • સંવાદિતા - Harmony
  • મુક્ત કરો - Let go

ત્યાર પછી બીજી બે ખાસ વાત કરી.

તમે તમે જ બની રહો.  તમે તમારા પ્રત્યે સાચા બનો. 

Be yourself. અને જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે. જિંદગી કોઈ ઉપયોગીતા માટે નથી. કુદરતી રીતે, નિયમો બનાવ્યા વિના, મહત્વકાંક્ષા વિના બિન્દાસ જીવો - તે જ સુંદરતા છે.

આ જ રીતે ભારતમાં બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મમાં જીવનમાં સહન કરવાની અને સ્વને અવગણીને કુદરતી રીતે જીવી જીવનના અસ્થાયીપણાની વાત કરી.

તાઓ અને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો જોડીને જાપાનમાં પ્રકૃતિમાં શાંત અને મંદગતિના લયની જેમ કશાયની ઉતાવળ સિવાય, નિરાંતમય - કુદરતી ક્રમ મુજબ - સાદગીપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શોધી તે આપણી Wabi- Sabi “વાબી – સાબી”.
  • Wabi: Subdued austere beauty (દબાયેલ - આડંબર વિનાનું, ગંભીર, સરળ – સૌંદર્ય)
  • Sabi: Rustic Patina (દેશી,  સીધી સાદી ઉમરલાયક –જૂની વસ્તુ)

આમ, વાબી સાબી એટલે જાપાની જીવન જીવવાની કળા!



Wabi-Sabi is a world view centered on the acceptance of transience and imperfection. They ask us to appreciate the beauty that is imperfect, impermanent and incomplete in nature.

વાબી સાબી નિરાંતભરેલું, ધીમું, ઉતાવળ-રહિત, કુદરતી લયવાળું, શાંત, પ્રાકૃતિક જીવન જીવવાની કળા છે. તે વર્તમાન જીવનમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. ધીમા પડીને શાંતિથી ક્ષણેક્ષણનો આનંદ માણો. ઉતાવળ શા માટે?

સાદાઈપૂર્ણ જીવન સાદી સરળ રીતે જીવવાથી ઘણાબધા પ્રશ્નો કે દુઃખો ઉદ્ ભવતા જ નથી. વ્યક્તિગત અપેક્ષાઓ અને જરૂરિયાત ઘટાડવાથી સુખ શાંતિ મળવાની જ છે. અપૂર્ણતા (imperfection) અને અસ્થાયીપણા (impermanence) નો સ્વીકાર (acceptance) કરો.

જીવનમાં સંપૂર્ણતાનું અસ્તિત્વ જ નથી. તેથી સઘળું અપૂર્ણ જ છે. અને અપૂર્ણ જ રહેવાનું છે. તેથી સંપૂર્ણતાનો ખ્યાલ છોડી અપૂર્ણતાને જેમનો તેમ સ્વીકારો અને માણો. વસ્તુની દરેક ફાટ અને દરેક તિરાડનું આગવું સૌંદર્ય છે. આ સમજણ અપૂર્ણતાનો સ્વીકાર કરતા શીખવું શીખવશે. તથા બાહ્ય અને આંતરિક પરિવર્તન જેમના તેમ જ, જેવા છે તેવા, સ્વીકારો. વૃદ્ધાવસ્થાની કરચલી અને ગુપ્તાનો સૌંદર્ય અને મહત્વને માન આપો. ફેરફાર સિવાય કંઈ જ નથી અને જ અસ્થાયી પણ કહેવાય છે તે સમજો. એટલે ધીમા પડી નિરાંતે વર્તમાનમાં જીવવું. સાદાય પૂર્ણ અપેક્ષા રહિત જીવન અને અપૂર્ણ હતા અને સમય જતા થતા પરિણામને લીધે આવતા અસ્થાયીપણાનો સ્વીકાર.

Wabi-Sabi teaches:
  • Impermanence: Nothing lasts forever as it is. Accept impotence of ageing. Enjoy changes in the time by making them interesting.
  • Imperfection: Nothing is ever finished to the perfection. Instead, accept imperfection.
  • Simplicity: Life is empty. Fill it with nobility - humility and simplicity.

આ વાબી સાબી બાબતે બે-ત્રણ મહાનુભવોની વાતો કરવાની લાલચ જ રોકાતી નથી.
  1. Pareto Principal of 80-20: ૮૦% કામ કરવા ફક્ત ૨૦% સમય જાય છે, પરંતુ બાકીના ૨૦% કામ કરવામાં ૮૦% સમય જાય છે. તો વિચારો શું કરવું? તેનો જવાબ આ મુજબ છે.
  2. Robert Watson Watt: Give them the third best to go with. Because the second best comes too late. And the best never comes!
  3. George Stigler: તમે જો વિમાન કોઈપણ વાર ચુકતા ન હો, તો શક્યતા એ છે કે તમે વિમાનઘર પર- એરપોર્ટ પર- ઘણો જ વધારે પડતો સમય ગુમાવવો છો!

આ બધી વાતો ટૂંકો સાર:

જાપાની વાબી સાબી પદ્ધતિ એટલે સાદાઈપૂર્ણ નિરાંતનું જીવન, અસ્થાયીપણાનો અને અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર.


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૩૧/૦૩/૨૦૨૪

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી.

ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર્મો સ્થપાયા શુદ્ર અને નીચલા વર્ણના લોકો બુદ્ધ ધર્મ તરફ અને વૈશ્યો જૈન ધર્મ તરફ આકર્ષાયા. આમ બુદ્ધ ધર્મ એટલે ૧) લોક ભાષામાં ઉપદેશ ૨) જાતપાતના ભેદો નહીં ૩) મધ્યમ વર્ગો અતિશયતાનો વિરોધ અને ૪) ઊંચું ચરિત્ર.

ચાલો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મની વિગતે સમજીએ…


બૌદ્ધ ધર્મ


ગૌતમ બુદ્ધ (566 BC- 483 BC)


જન્મ : 566 BC- હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરમાં થયો હતો
પિતા: શુદ્ધોધન
માતા: મહામાયા

માતાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી સિદ્ધાર્થ અને માતાનું કુળ ગૌતમ હોવાથી ગૌતમ નામ રાખ્યું.

ગૌતમના જન્મ પછી સાત દિવસમાં તેમની માતાનું મૃત્યુ થયું તેથી માસી મહાપ્રજાપતિએ તેમને ઉછેર્યા જ્યોતિષે ગૌતમ વિશ્વભરનો ચક્રવર્તી રાજા અથવા મહાન ધર્મ પ્રવર્તક બનશે એવી ભવિષ્યવાણી ભાખી. રાજા શુદ્ધોધનને પુત્ર સાધુ થાય તે પસંદ ન હોવાથી, વૈભવ વીલાસયુક્ત જીવન બાળપણમાં આપ્યું, પિતાએ 16 વર્ષે યશોધરા સાથે લગ્ન કરાવ્યા. સાધન સંપન્ન મહેલની રચના કરવામાં આવી- છતાં મન વૈરાગ્યમાં ખેંચાતું હતું. પુત્ર રાહુલને જન્મ આપ્યો.

મહાભિનિષ્ક્રમણ: ગૌતમે વૃદ્ધ, રોગી, શબ અને સંન્યાસીને નગરમાં ફરતા જોયા, રોગ વગરનું જીવન-ઘડપણ વિનાની યુવાની- અને મૃત્યુ વગરનું જીવન- શક્ય ન હોવાથી તેમણે પત્ની પુત્ર અને અઢળક સંપત્તિનો ત્યાગ કરી ભગવો ઝભ્ભો પહેરી સાધુ જીવન શરૂ કર્યું. “બહુજન હિતાય, બહુજન સુખાય”. પટના નજીક ઉરબેલા વનમાં નિરંજના નદીના તટે બોધિગયામાં તપ કર્યું. શરૂઆતના સખત તપ કર્યું પણ જંગલમાંથી સંગીતનો જલસો કરવા જતી વારંગનાને કહેતી સાંભળી કે વિણાનો તાર તું એટલો બધો તાણીશ નહીં કે તૂટી જાય અને એટલો બધો ઢીલો પણ ન રાખીશ કે સ્વરોજ ન નીકળે. ત્યારથી શરીર ટકાવી રાખવા ભોજન શરૂ કર્યું, સુજાતા ખીર ખાવાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

બુદ્ધ બોધિજ્ઞાન પ્રાપ્ત થતા બુદ્ધ થયા.

તેમને વૈશાખી પૂર્ણિમાએ દુઃખ મુક્તિનો ઈલાજ જડી ગયો.


બુદ્ધે પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય અને સર્વજન સુખાય થાય તે માટે ધર્મચક્રપ્રવર્તનની શરૂઆત કરી- સારનાથ ખાતે પંચ વર્ગીય શિષ્યો સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો.

સંઘ: પ્રથમ પાંચ ભિક્ષુઓ, પછી સગા સંબંધી, પત્ની યશોધરા, માતા મહાપ્રજાપતિ સહિત બધા સંઘમાં જોડાયા વૈશાલી નગરીની મહાન નૃત્યાંગના આમ્રપાલીએ પોતાનું આમ્રવન બુદ્ધને અર્પણ કર્યું મગધના રાજા બિમ્બીસાર અને કૌશલના રાજાએ તેમના ધર્મ સ્વીકાર્યો, 45 વર્ષ ભારતમાં આમ જનતાની ભાષામાં પોતાની મધ્યમ માર્ગની વિચારસરણી નો પ્રચાર કર્યો BC 483 માં 80 વર્ષે વૈશાખી પૂર્ણિમાએ કુષીનગર ખાતે નિર્વાણ પામ્યા.

ગૌતમ બુદ્ધનો ઉપદેશ


ભિક્ષુઓ પીળા ઝભ્ભો, માયે મુંડન અને ભિક્ષાપાત્ર રાખતા. સંઘમાં સ્ત્રીઓ પણ ભિક્ષુણી તરીકે જોડતી.

1) મહામંત્ર - પ્રતિજ્ઞા:

બુદ્ધમ શરણમ્ ગચ્છામી- બુદ્ધ એટલે જાતને શરણે જાઉ
ધમ્મમ્ શરણમ ગચ્છામી -ધર્મ ને શરણે જાઉ
સંગમ શરણમ ગચ્છામી સંઘ ને શરણે જાઉ

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો: મધ્યમ માર્ગ

2) ચાર આર્ય સત્યો:

  1. દુઃખ - જગત દુઃખોથી ભરેલું છે જીવવું દુઃખ દાયક મરવું દુઃખદાયક રોગદુઃખદાયક વિયોજનની ભી ખુદા પડવું દુઃખદાયક વૃદ્ધાવસ્થા દુઃખદાયક 
  2. તૃષ્ણા - ઈચ્છાઓ દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. 
  3. તૃષ્ણાઓનો ત્યાગથી જ દુ:ખનો નાશ થઈ શકે. 
  4. તૃષ્ણાના ત્યાગ માટે અષ્ટાંગ માર્ગ જરૂરી છે. 


૩) અષ્ટાંગ માર્ગ: સાચો જીવન માર્ગ
 

  1. RIGHT VIEW સમ્યક દ્રષ્ટિ સાચી સમજ-ચાર સત્યોનું યથાર્થ જ્ઞાન. 
  2. INTENTION સમ્યક સંકલ્પ: શુભ કાર્યનો નિશ્ચય 
  3. ACTION સમ્યક કર્મ: સારા કર્મો કરવા. ત્યાગ હિંસા, ચોરી ,વ્યભિચાર, અને મધ્યપાન નો ત્યાગ. 
  4. LIVELIHOOD સમ્યક આજીવિકા : પરસેવા પાડી જીવન માટે ધન પેદા કરવું. 
  5. SPEECH સમ્યક વાણી: સારું બોલવું- જૂઠું બોલવું કે નિંદા કરવી નહીં. 
  6. EFFORT સમ્યક પ્રયત્ન: બુરાઈ ત્યજી, સારા કામોમાં મગ્ન રહેવું. 
  7. MINDFULNESS સમ્યક સ્મૃતી: ચિત્ત શુદ્ધ રાખી, ખરાબ કાર્યોનું ભાન રાખવું. 
  8. CONCENTRATION સમ્યક સમાધિ: ચિત્તની એકાગ્રતા, આ ચાર એકાગ્રતા રાખવી, કર્મો, નિશ્ચય પુરુષાર્થ ભાવના 
આ ચાર- આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ એ ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ કહેવાય છે.

મધ્યમ માર્ગ: અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામાં ગણાય છે.

૪) પંચશીલ 
  1. હિંસા: મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. VIOLENCE 
  2. ચોરી કરવી નહીં STEALING 
  3. જૂઠું બોલવું નહીં LYING + GOSSIP 
  4. બ્રહ્મચાર્ય પાળવું. SEXUAL DISCIPLINE 
  5. દારૂ પીવો નહીં. NO TO DRUGS/ ALCOHOL 

૫) ચાર ભાવના 
  1. મૈત્રી: સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ 
  2. કરુણા: દયા 
  3. મૂદીતા: આનંદવૃત્તિ (આપણા કરતાં ચઢિયાતાં જોઈને ઈર્ષા ન કરવી પણ આનંદ પામવો.) 
  4. ઉપેક્ષા: પરવા ન કરવી જડ અને પાપી પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખવી.  (રાગ અને દ્વેષ ઉપજાવે તેવું કોઈપણ કાર્યની ઉપેક્ષા કરી તટસ્થ ભાવે જોવું) 


દસ મંગળ: ઉત્તમ મંગલ

ગૌતમ બુદ્ધની વાણી

૧) મૂર્ખાઓની સોબતથી દૂર રહેવું.
ઉતમ: પંડિતો એટલે જ્ઞાની પુરુષોનો સહવાસ રાખવું.

૨) યોગ્ય દેશમાં વસવાટ કરવો.
પુણ્યનો સંચય કરવો.
મનને સારા માર્ગમાં દ્રઢ કરવું.

૩) ઉત્તમ પ્રકારની વિધ્યા પ્રાપ્ત કરવું.
સદાચારની ટેવ પાડવી.
મધુર વાણી ઉચ્ચારવી.

૪) માતા-પિતાની સેવા કરવી.
સંતાનો- પત્નીનું પાલનપોષણ કરવું.

૫) દાન અને ધર્મનું આચરણ કરવું.
સગા વહાલાને મદદ કરવી.
સારા કાર્યોનું આચરણ કરવું.

૬) પાપકર્મોથી વિરક્ત રહેવું.
મધ્યપાનમાં સંયમ રાખવો.
પુણ્યકર્મ કરવામાં આળસ કરવી નહીં.

૭) સત્પુરુષોનું સન્માન કરવું.
નમ્રતાનો ભાવ રાખવો.
સંતોષ-કૃતજ્ઞ થવું.
સ્થળકાળ પ્રમાણે ધર્મ શ્રવણ કરવું

૮) સહન કરવું.
મીઠી વાણી બોલાવી.
સાધુ પુરુષોની સોબત કરવી.

૯) તપ, બ્રહ્મચાર્ય અને ચાર આર્ય સત્ય જાણવા અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવું.

૧૦) લોક સ્વભાવ સાથે એટલે કે લાભ-નુકસાન, અપયશ, નિંદા-સ્તુતિ, સુખ દુ:ખ.
આ ચાર બાબતોમાં ચિત્ત શાંત, નિર્મળ અને શોક રહિત રહે.

બુદ્ધના આકર્ષક અને પ્રતિભાસંપન્ન વ્યકતીથી અનેક લોકો આકર્ષતા- તેઓ લોકબોલીમાં- નાની નાની વાર્તાઓથી ઉપદેશ આપતા. દા.ત. કિસા ગૌતમી અને રાય.


બૌદ્ધધર્મના ગ્રંથો

ત્રિપિટક:
  1.  સુત્ત પિટક- ધર્મના સિદ્ધાંતોની માહિતી 
  2. વિનય પિટક- બુદ્ધ ધર્મના સાધુઓ માટેના શિસ્તના અને બીજા સિદ્ધાંતો. 
  3. અભિધમ્મપિટક- ધર્મના વિચારોને અને પ્રથાઓને જોડી કરવાની પ્રવૃત્તિઓ. 

બૌદ્ધ ધર્મ એટલે ધર્મ સુધારણા: હિન્દુ ધર્મના સુધારણા પછી લોકોને – આમ જનતા ને સમજાય અને સ્વીકારાય એવું સ્વરૂપ.


તત્વજ્ઞાન: બૌદ્ધ ધર્મના તાત્વિક સિદ્ધાંતો 
  1. કોઈપણ બાબતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
  2. બધી બાબતોનું પરિવર્તન થાય છે. કોઈ સ્થાઈ નથી. 
  3. આ કારણે કોઈ સનાતન આત્માકે ઈશ્વર નથી. 
  4. વૃક્ષ પોતાના બીજ દ્વારા બીજું વૃક્ષ ઉત્પન્ન કરે છે અને પોતે નાશ પામે છે. તેમ જ બીજું માનવજીવન ઉત્પન્ન થાય છે. 

બાંધકામો
  1. સ્તૂપ- બૌદ્ધ કે બૌદ્ધધર્મના કોઈ પવિત્ર વ્યક્તિના અસ્થિને દાબડામાં મૂકી તેની ઉપર અંડાકારે રચેલી ઇમારત. 
  2. ચૈત્યગૃહ- સ્થંભોનિ રચનવાળું અર્ધ વર્તુળાકારે રચાયેલી મંદિર જેવુ સ્થાન. 
  3. વિહાર- બૌદ્ધ શ્રમણોને રહેવાનું નિવાસ સ્થાન. 
મહરાષ્ટ્રમાં કાર્લા, કન્હેરી, ભાની, અજંટા અને ઇલોરાની ગુફાઓ આવેલી છે.

ધર્મના પંથો


1) હિન યાન:

યાન એટલે સાધના – હિન એટલે નાનું.
જીવનના અંતિમ લક્ષ્યાંક નિર્વાણ સુધી જવાના સાધન તરીકે ફક્ત બુદ્ધે આપેલા ઉપદેશને અને ફક્ત “ત્રિપિટક” માં જ માને છે.
બુદ્ધને માનવ તરીકે જ માને છે. તેથી તેની પૂજા કરતાં નથી. પરંતુ બુદ્ધના અવશેષો સ્તૂપોમાં મૂકી પુંજે છે.
સંઘને વધુ મહત્વનું ગણે છે.
ગૃહસ્થો કરતાં ભિક્ષુકોને મહત્વના માને છે. કારણ કે ભિક્ષુક થયા વિના મોક્ષ (નિર્વાણ) ન મળે એવું માને છે.
સિલોન, બ્રહ્મદેશ, શિયામમાં મળે છે.

2) મહાયાન:

નિર્વાણ પ્રાપ્તિનું મોટું (મહા) વાહન (યાન) થાપણ આચાર્ય નાગાર્જુન અને અસંગે કરી.
સમય પ્રમાણે યોગ્ય ફેરફાર કરવામાં માને છે. ચીન મોંગોલિયા, જાપાન, કોરીયા, તિબેટ, નેપાળમાં જોવા મળે છે.
ભગવાન બુદ્ધને “ઈશ્વર” માની તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મના ક્રિયાકાંડ બૌદ્ધ ધર્મમાં દાખલ કર્યા. બૌદ્ધ ભિખ્ખુઓએ ‘પુરોહિત’ નું સ્થાન લીધું.

મુખ્ય ગ્રંથ સંદર્ભ પુંડરીક:

3) મંત્રયાન: આઠમા સૌકામાં યા શાખા વિકસી તંત્ર-મંત્રની વિશેષ અસર હતી. 

4) વ્રજયાન : તંત્ર-મંત્ર, યમ-નિયમ અને મહાસુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે છે. વ્રજયાનમાં સાધના માટે મૈથુનને ફરજિયાત ગણે છે.

બુદ્ધના મહા પ્રયાણ પછી તેમનો ઉપદેશ સંગ્રહાય અને સમાજમાં જળવાય રહે તે માટે ચાર મહાસભાઓ થયેલી, જેમાં મોટા પ્રમાણમાં બુદ્ધધર્મના ઉપદેશકોને ભેગા કરેલા. તેની વિગતો જાણવી જરૂરી છે.

 

સભાનો સમય

સભા સ્થળ

સભાપતિ

દાનદાતા રાજા

પરિણામ

I 483 BC

રાજગૃહ

મહાકશ્યપ

અજાતશત્રુ

બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી તેમનો ઉપદેશ અને નિયમો સમજાવી દીધા.

II 383 BC

વૈશાલી

સબ્બકામી

કાલશોકા

-

III 250 BC

પાટલીપુત્ર

મોગલીપુત્રટીસ્સા

અશોક

-

IV 98 AD

કાશ્મીર

વસુમિત્ર અને અશ્વઘોષ

કનિષ્ક

ધર્મના મહાયન- હિનયાન બે ભાગ પડ્યા


સંઘ: બુદ્ધ ધર્મમાં સંઘ- પોતાને સદાઈથી રાખી, બુદ્ધ ધર્મના નિયમો પાળનાર સાધુઓનો સમૂહને સંઘ કહે છે.

ઇતિહાસની જૂનામાં જૂની પ્રાર્થના સભા સ્થળને સંઘ કહે છે. ત્યાં ગુલામો, દેવાળીયા અને રોગીઓને પ્રવેશ કરવાની મનાઈ હતી. પથીમોક્ષ નામના ૬૪ જાતના ગુના કરવાની બંધી હતી. સંઘમાં મહિલાઓને આવકારાતી હતી.

બુદ્ધના જીવનના મહાન પ્રસંગો:

  1. અવક્રાંતિ- ગર્ભધાન 
  2. જતિ-જન્મ 
  3. મહાભિનિષ્ક્રમણ- જ્ઞાન માટે સંસાર ત્યાગ
  4. નિર્વાણ / સંબોધીનિ- જ્ઞાન થવું.- Enlightenment 
  5. ધર્મચક્ર પરિવર્તન-પ્રથમ પ્રવચન 
  6. મહાપરી નિર્વાણ- મૃત્યુ 
ભારતમાં 0.7% એટલેકે લગભગ 80 લાખ લોકો બુદ્ધ ધર્મ પાળે છે. તો 0.4 % વસ્તી એટલે કે લગભગ 45 લાખ લોકો જૈન ધર્મ પાળે છે.

બુદ્ધ ધર્મ ભારતમાં સ્થપાયો હોવા છતાં, ચીન, જાપાન, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે. પરંતુ ભારતમાં ખાસ જોવા મળતો નથી.

જૈન ધર્મમાં અહિંસા અને તપને મહત્વના ગણ્યા છે, તો બુદ્ધ ધર્મમાં- મધ્યમમાર્ગ-એટલે કે અતિશય કામભોગ વિલાસ કે અતિશય દેહદમન ટાળવાનું કહી પંચશીલને મહત્વના ગણાવ્યા છે. 

મહામંત્ર:

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ,
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ,
સંઘમ્ શરણમ્ ગચ્છામિ

જેવો મહામંત્ર આપ્યો છે.

જી હા, જગત દુ:ખો થી ભરેલું છે.

આર્યસત્ય:

દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્



ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605)
જલાલુદ્દીન મુહમ્મદ અકબર 

લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે. 

  • જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
  • રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
  • મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે

63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.

અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”

ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે. 

ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.

ચારિત્ર્ય અને વ્યક્તિત્વ

અકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.

વહીવટીતંત્ર

રાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.

ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી. 
  • હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો 
  • કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
  • તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
  • તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા

અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
  • 1563: યાત્રાવેરો નાબુદી 
  • 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
  • 1591: ગૌવધ નિષેધ 
  • 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક 
  • ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
  • સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા

સાહિત્ય

  • અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
  • ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી, 
  • તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન 
  • તનકાત – એ અકબરી 

સ્થાપત્યો
  • દિલ્હી હુમાયુનો મકબરો
  • અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
  • ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો

યુદ્ધો


અકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.

દિને – ઈલાહી ધર્મ (1582) 

અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.

હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)


દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:

  • જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
  • દુષ્કર્મો કરનારને માફ કરવું
  • દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
  • પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
  • કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
  • ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
  • બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
  • બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
  • પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
  • એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું

હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.

આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.

ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
 



મહાન અકબર? (Akbar the great?)

અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
  • મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી. 
  • વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો. 
  • અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો. 
  • વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા. 
  • ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં  અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો. 
  • મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
  • ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
  • દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો. 
  • ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
  • સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા. 
  • વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. 

આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો. 

અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક

અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે. 

સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે. 


સત્ય સક્રિયતા માંગે છે. 
નહીં તો અકબર મહાન જ છે.


ડો. ભરત દેસાઈ
બીલીમોરા

ગુજરાત રાજયમાં ધાર્મિક વ્યવહારો

ધર્મ બાબતે સૌ નાગરિકો ખાસ સંવેદનશીલ હોય છે અને પોતાના ધર્મની ગરિમા જળવાય રહે તે માટે ખાસ સક્રિય હોય છે. તેથી પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવા તત્પર અને સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે. એટલે ઈસ્લામ – ખ્રિસ્તી – જરથોસ્તી કે હિન્દુ ધર્મની કોઈ સરખામણી શક્ય નથી. દરેક ધર્મ પોતાની રીતે અને પોતાની માન્યતા મુજબ મહાન છે.

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ગુજરાતમાં બહુમતી ધરાવે છે - ત્યારે તકલીફ સૌ હિન્દુઓની એકતાનો અભાવ છે. ઘણા બધા ભગવાનો શિવ - માતાઓ (અંબિકા, ઉમિયા, ચામુંડા, સરસ્વતી, લક્ષ્મી, વિગેરે) - શ્રી ક્રુષ્ણ - રાધા, શ્રી રામ - સીતા છે. રામાયણ, ચાર વેદો, મહાભારત, ભગવદ્દગીતા જેવા ધર્મગ્રંથો છે. આથી દરેકમાંથી કોઈ એક ભગવાન કે કોઈ એક ધર્મગ્રંથ પ્રત્યે વધારે આસ્થા હોવાથી એકરૂપતા નથી. આ બાબતે સૌએ સાથે મળીને સક્રિય બની એકતા લાવવી અનિવાર્ય છે. આ અશક્ય નથી.

હિન્દુઓ બુદ્ધિશાળી અને વિચારશીલ હોવાથી પોતે ધર્મનો અર્થ સમજી અને પોતાની રીતે ધાર્મિક જીવન જીવવા સક્ષમ હોવા છતાં વિવિધ વિચારશરણી અને આચાર શીખવતા ગુરુઓનું અનુસરણ કરવાની તેમને વધારે ફાવટ છે. એટલે ધર્મગુરૂઓ પોતાનો રસ્તો માનતા ઘણાબધા લોકોને ભેગા કરી વિશિષ્ટ આચરણ-માન્યતાઓ વાળો એક વિશાળ સંપ્રદાય બનાવે છે.

શ્રી રામ શર્મા પ્રેરિત ગાયત્રી પરિવાર, શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજ, શ્રી પાંડુરંગ આઠવલેનો સ્વાધ્યાય પરિવાર, શ્રી શ્રી રવિશંકર દ્વારા ચલાવાતો “આર્ટ ઓફ લિવિંગ” (Art of Living), સત્ય સાંઈ બાબા પરિવાર, શિવબાળા સ્થાપિત પ્રજાપિતા બ્રહમાકુમારી પરિવાર, હરે રામ હરે ક્રુષ્ણ (ISKCON) ઇસ્કોન માર્ગ જેવા અહીં આપેલ અસંખ્ય વિચાર પ્રવાહો ગુજરાતમાં સક્રિય રીતે ચાલે છે.

૧. ગુજરાતમાં વિવિધ ધર્મો:
  1. હિન્દુ ધર્મ: સનાતન ધર્મ (વૈદિક ધર્મ)
    • જૈન: શ્વેતાંબર , દિગંબર , સ્થાનકવાસી , વિસા પંથી , તેરા પંથી
    • બૌદ્ધ ધર્મ : હીનયાન, મહાયાન
    • શીખ ધર્મ
  2. ઈસ્લામ: સુન્ની, શિયા, વહોરા, પિરાણા (હિન્દુ મુસ્લિમ મિશ્ર)
  3. ખ્રિસ્તી ધર્મ: કેથલિક , પ્રોટેસ્ટંટ
  4. જરથોસ્તી ધર્મ
  5. બહાઈ ધર્મ - જગતમાં એકજ ધર્મ છે અને જગતમાં એક જ ઈશ્વર છે.

Photo Courtesy: ndtv.com

૨. હિન્દુ ધર્મના તેંત્રિસ કોટીમાંથી મુખ્ય ભગવાનો:
  • શિવ: 12 જ્યોતિલિંગો - શિવ – પાર્વતિ
  • શક્તિ માતા: અંબિકા, ઉમિયા, ભદ્રકાલી, ખોડિયાર, હરસિદ્ધ, ચામુંડા, સરસ્વતી, કમલા
  • શ્રી રામ-સીતા
  • શ્રી કૃષ્ણ-રાધા

૩. ગુજરાતમાં ચાલતા સંપ્રદાયો:

  • વૈષ્ણવ – શ્રી કૃષ્ણ ભક્ત
  • પુષ્ટિ માર્ગ – શ્રી કૃષ્ણ
  • સ્વામિ નારાયણ સંપ્રદાય
  • રાધા સ્વામી
  • શ્રી રામ શર્મા – ગાયત્રી પરિવાર
  • સંતોષી મા
  • દશા મા
  • સ્માર્ત સંપ્રદાય – શિવ ભક્તિ
  • (નાના-મોટાના ભેદભાવ વગર સૌને પ્રણામ કરતો) શ્રી ક્રુષ્ણ પ્રણામી સંપ્રદાય
  • આર્ટ ઓફ લિવિંગ - શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રંગ અવધૂત પરિવાર
  • કુબેર પંથ - સારસા ઉપરાંત ડેરા મંદિરો
  • રામદેવ પીર - રેણુજા
  • સત્ય સાઈ બાબા
  • આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ઓશો – રજનીશ

  • આનંદમયી મા સંઘ
  • શ્રી અરવિંદ કેન્દ્રો
  • ચિન્મયાનંદ મિશન
  • સદ્વિચાર પરિવાર - સંત પુનિત મહારાજ
  • સ્વાધ્યાય મંડળ - પાંડુરંગ આઠવલે
  • અક્રમ વિજ્ઞાન - દાદા ભગવાન
  • કબીર પંથ - સંત કબીર
  • ISKCON
  • રામકૃષ્ણ મિશન
  • દિવ્યજીવન સંઘ – શિવાનંદ
  • રાધા વલ્લભ સંપ્રદાય
  • ઉદાસી સંપ્રદાય
  • પૂજ્ય મોટાની સંસ્થા
  • શિરડી - સાઈ બાબા
  • બ્રહ્મો સમાજ
  • પ્રજાપિતા બ્રહ્મા કુમારી
  • અહીં આ ધાર્મિક પ્રવુતિની માહિતી આપી ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. પરંતુ આવા માર્ગે જવાથી હિન્દુ એકતા જોખમાય છે એવું લાગે છે. આસ્તિક અને નાસ્તિક વર્ગીકરણ પ્રમાણે આ વર્ગ આસ્તિક જ ગણાય છે - પણ દરેક ફાંટામાં માનનાર વિશાળવર્ગ પોતાની મહાનતા સ્થાપિત કરવાના કારણે કદાચ બીજી વિચારશરણી ધરાવતા વર્ગોથી જુદો પડે છે.

    “વિવિધતામાં એકતા” સૂત્ર ખોટું નથી – છેલ્લે તો આ બધા હિન્દુઓ જ છે એમ કહેવું અર્ધસત્ય છે. શ્રી શ્રી રવિશંકર, શ્રી અરવિંદ, શ્રી રામ શર્મા કે સત્ય સાઈ બાબા જેવા ઘણા બધા વિચારકોના શિષ્યો વેશભૂષા–આચરણ–ધાર્મિક વલણો અને ઉત્સવો જુદી–જુદી રીતે ઉજવે છે. આમ કદાચ ધર્મમાં વિવિધ ફાંટા–ભાગલા પડે છે.

    ભગવાને દરેક મનુષ્યને બુધ્ધિ શક્તિ, વિવેક અને વિચાર સાથે મોકલ્યો છે. ત્યારે પોતાનો જીવનમાર્ગ જાતે જ નક્કી કરી શકાય અને તે માટે ગુરૂ બનાવવું કે ખોટા વિધિવિધાન જરૂરી નથી.

    આ ખોટી ઘેલછા નથી તો શું? શ્રધ્ધાળુઓ, ભક્તો, આસ્તિકોનું ઝૂંડ દલીલ, શંકા, ટીકા, સવાલ વગર, આંખ બંધ કરી, બુધ્ધિ બંધ કરી ગુરૂ જે કહે તે સ્વીકારવા તૈયાર હોય તો ધર્મોના વેપારીઓ ન વધે તો શું?
    રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતા ન જોખમાય એવું કઈ “સર્વસ્વીકાર્ય” ધાર્મિક સરખું (Uniform) વલણ જરૂરી નથી શું?


    ડો. ભરત દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    તાઓ ધર્મ

    વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ.

    તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે.

    તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે.

    તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો
    • સાદાઈ – Simplicity - Patience and Compassion 
    • અકર્મણ્યતા – Inaction 
    • સંવાદીતા – Harmony 
    • મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું. 
    તાઓ 


    જેને કહી શકાય તે પરમ તાઓ નથી.

    • સામાન્ય બનવું, ખરેખર સાચું અસામાન્યપણું છે-સાધારણપણું છે. 
    • સત્સંગનો અર્થ છે – તેની સાથે હોવું. 
    • સૂર્ય ઊગે છે અને સુંદર છે તો બોલવાનો શું અર્થ ? સૌંદર્ય માટે અનુભૂતિ જરૂરી છે – અભિવ્યક્તિ નહીં. જરૂરી છે – નિર્વિચાર – ની : શબ્દતા – મૌન. 
    • પસંદગી કર્યા વગર – પસંદગી વિહોણા – બની જાવ – અને જિંદગીને વહેવા દો. 
    • વિરોધી હોવાનું સૌંદર્ય. 
    • વિરોધી તત્વો વાસ્તવમાં વિરોધી નથી – પણ પૂરક છે. તેઓ સ્વતંત્ર કે પરતંત્ર નથી – પરસ્પરાવલંબી છે – આમ જીવન ન તો સ્વાવલંબી તેઓ સાથે મળીને સંપૂર્ણતા કરે છે. દા.ત. પ્રેમ-ઘૃણા, અંધકાર-પ્રકાશ, કામ-આરામ, જિંદગી-મૃત્યુ, 
    • લાઓત્સે કહે છે – જો તમે દાવો કરો છો તે દાવો નામંજૂર થઈ શકે – પણ દાવો જ ન કરો તો ? – તે જ રીતે – માંગો નહીં અને મળશે – વિજેતા બનવાની કોશિશ ન કરો, તમને કોઈ હરાવશે નહીં. 
    સહજતા = પ્રબુદ્ધતા એટલે કુદરતી સહજતા, સરળતા અને શૂન્યતા

    • તમે તમારા પ્રત્યે સાચા બનો – તમે તમે જ બની રહો
    • જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે – જિંદગી કોઈ ઉપયોગિતા માટે નથી. જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવી છે – ફૂલ કોઈને ધ્યાનમાં રાખી નથી ખીલ્યું – તે સુવાસ પવન સાથે ફેલાવે છે – સરનામાને ધ્યાનમાં રાખ્યા સિવાય – તે તેનો પોતાનો નિજાનંદ છે – પોતાનું હોવાપણું છે. 
    • તીવ્ર આકાંક્ષાની મૂર્ખામી છોડો – આકાંક્ષા જ અવરોધ છે. 
    • જ્યાં સુધી તમારી અંદર એક ખાલીપણું, એક શૂન્યતા ઊભી ન થાય ત્યાં સુધી તમારી વચ્ચેનો અવરોધ કેવી રીતે દૂર થાય ? જો ખરેખર પ્રેમ કરવા અને મેળવવા માંગતા હોય તો, તમારે અદ્રશ્ય થવું પડશે – જેથી તમારી શુદ્ધ અને તાજી શૂન્યતા બને. પછી ફૂલની જેમ પ્રેમ ખીલી શકે. 
    • મહત્વાકાંક્ષાની કડી પૂર્ણતા થતી નથી – કારણ મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી – તમે એક ઈચ્છા પૂરી કરો ત્યાં બીજી હજારો ઈચ્છાઓ તરત પેદા થાય છે. 
    • જ્યારે તમે તમારા ખાલીપણામાંથી આપતા હો છો ત્યારે તમે આપવાથી ભયભીત થતાં નથી – કારણ ખાલીપણું કદી ખૂટતું નથી – તમે આપ્યે જ જાવ છે. 
    • અસ્તિત્વ સહેતુક અને અર્થસભર છે. 
    • લાઓત્સે અપ્રદુષિત અને શુદ્ધ રહી શકે છે કારણ કે તે સમાધાન કરતો નથી. તેની સમગ્રતા જ રહસ્યમય છે. કારણ કે તે જંગલ જેવો, નિયમો વિનાનો, બિન્દાસ વિકાસતો હશે – એ જ સુંદરતા છે – મહાનતા છે. 
    તાઓના લક્ષણો
    • ધાર્મિક વ્યક્તિ હંમેશ અહીં અને અત્યારે હોય છે. તે વર્તમાનમાં હોય છે. તે સંપૂર્ણતામાં જીવતો હોય છે. 
    • ધર્માચાર્યોએ તમારા ભગવાનને મોટામાં મોટા અત્યાચારી તરીકે ચીતર્યા છે. તે ભગવાન જાણે કે લોકોને નર્કમાં નાખવા ઉકળતા તેલમાં નવડાવવા કે અગ્નિમાં નાખવા નવરો ન હોય ! 
    • તમે મૃત્યુથી એટલા માટે ભયભીત છો, કારણ તમે જિંદગીને સંપૂર્ણતાથી જીવ્યા નથી – ડર ન જીવાયેલી જિંદગી સાથે છે. જ્યારે કોઈ વસ્તુ પૂરેપુરી બને છે ત્યારે તમે તેનાથી મુક્ત થાવ છો – જો જિંદગી ખરેખર જિવાઈ હોય તો કોઈપણ તેનાથી મુક્ત થઈ શકે છે. 
    • ઈશ્વર એટલે ખાલીપો – ખાલીપણું અને શૂન્યતા. તમે ખાલીપણાથી શૂન્ય સાથે જન્મો છો અને તેમાં રહો છો અને ઓગળી જવા છો. ઈશ્વર અગાધ છે, તેની કોઈ સીમા નથી. ખાલીપણા સાથે ફરો – ખાલીપણા સાથે જીવો. 
    • અસ્તિત્વનો સ્વભાવ સ્ત્રી જેવો વધુ છે. 
    • જગત સમયના ભાન વિના જ ચાલે છે. ઘડિયાળો – વૃક્ષો, નદીઓ અને પહાડો માટે નથી. તેમ સમય વિનાનું જગત છે. 
    • અસ્તિત્વને સંઘર્ષની જેમ નહીં પણ આનંદની જેમ જુઓ. અસ્તિત્વને ઉત્સવની જેમ જુઓ અને અનંત ઉજવણી કરો. 
    ચાલો, ઉપરોક્ત માહિતી દ્વારા ‘તાઓ’ ધર્મને જાણીએ. તાઓ ધર્મની આ વાતો હું ફરીથી કહીશ.
    ‘તમારી મિલકત નાની રાખો,
    ઇચ્છાને ગરીબ રહેવા દો.
    વિદ્વાન હોવાનું મિથ્યાભિમાન છોડો.
    પોતાને જીવો – મહાસમર્થ બનો.’
    ડો. ભરત દેસાઈ
    તા. ૦૮-૧૨-૨૦૨૨

    મને ગર્વ છે કે હું અનાવિલ છું!

    ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
    યદ્દભદ્રં તન્ન આસુવ ||

    હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

    પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
     
    જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

    કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


    A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

    B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

    હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

    C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
    ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
    D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

    વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

    E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

    F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

    અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

    G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

    ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

    લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી


    ૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

    જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


    ૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

    મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

    ૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

    સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

    પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

    આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

    તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
    ૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
    પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

    ૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
    • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
    • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
    • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
    • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
    • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
    • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
    • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
    • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
    • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
    • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
    • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
    કાશ્મીરી પંડિતો 

    ૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

    પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

    Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

    કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

    આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
    ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


    ગોધરાકાંડ ૨૦૦૨

    ૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

    મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


     ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

    પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

    બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

    ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

    અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

    બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

    અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

    નરોડા પાટિયા, અમદાવાદ

    નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
    • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
    • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
    • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
    • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
    • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
    ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

    ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

    મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
    • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
    • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
    ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
    • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
    • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
    આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

    હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

    પંચમહાલ જિલ્લાના રણધીપુર

    ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

    બેસ્ટ બેકરી, વડોદરા

    વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
    ‘આ ખોટું થયું.’
    ‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
    અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

    ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?