Skip to main content

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી.

ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર્મો સ્થપાયા શુદ્ર અને નીચલા વર્ણના લોકો બુદ્ધ ધર્મ તરફ અને વૈશ્યો જૈન ધર્મ તરફ આકર્ષાયા. આમ બુદ્ધ ધર્મ એટલે ૧) લોક ભાષામાં ઉપદેશ ૨) જાતપાતના ભેદો નહીં ૩) મધ્યમ વર્ગો અતિશયતાનો વિરોધ અને ૪) ઊંચું ચરિત્ર.

ચાલો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મની વિગતે સમજીએ…


બૌદ્ધ ધર્મ


ગૌતમ બુદ્ધ (566 BC- 483 BC)


જન્મ : 566 BC- હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરમાં થયો હતો
પિતા: શુદ્ધોધન
માતા: મહામાયા

માતાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી સિદ્ધાર્થ અને માતાનું કુળ ગૌતમ હોવાથી ગૌતમ નામ રાખ્યું.

ગૌતમના જન્મ પછી સાત દિવસમાં તેમની માતાનું મૃત્યુ થયું તેથી માસી મહાપ્રજાપતિએ તેમને ઉછેર્યા જ્યોતિષે ગૌતમ વિશ્વભરનો ચક્રવર્તી રાજા અથવા મહાન ધર્મ પ્રવર્તક બનશે એવી ભવિષ્યવાણી ભાખી. રાજા શુદ્ધોધનને પુત્ર સાધુ થાય તે પસંદ ન હોવાથી, વૈભવ વીલાસયુક્ત જીવન બાળપણમાં આપ્યું, પિતાએ 16 વર્ષે યશોધરા સાથે લગ્ન કરાવ્યા. સાધન સંપન્ન મહેલની રચના કરવામાં આવી- છતાં મન વૈરાગ્યમાં ખેંચાતું હતું. પુત્ર રાહુલને જન્મ આપ્યો.

મહાભિનિષ્ક્રમણ: ગૌતમે વૃદ્ધ, રોગી, શબ અને સંન્યાસીને નગરમાં ફરતા જોયા, રોગ વગરનું જીવન-ઘડપણ વિનાની યુવાની- અને મૃત્યુ વગરનું જીવન- શક્ય ન હોવાથી તેમણે પત્ની પુત્ર અને અઢળક સંપત્તિનો ત્યાગ કરી ભગવો ઝભ્ભો પહેરી સાધુ જીવન શરૂ કર્યું. “બહુજન હિતાય, બહુજન સુખાય”. પટના નજીક ઉરબેલા વનમાં નિરંજના નદીના તટે બોધિગયામાં તપ કર્યું. શરૂઆતના સખત તપ કર્યું પણ જંગલમાંથી સંગીતનો જલસો કરવા જતી વારંગનાને કહેતી સાંભળી કે વિણાનો તાર તું એટલો બધો તાણીશ નહીં કે તૂટી જાય અને એટલો બધો ઢીલો પણ ન રાખીશ કે સ્વરોજ ન નીકળે. ત્યારથી શરીર ટકાવી રાખવા ભોજન શરૂ કર્યું, સુજાતા ખીર ખાવાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

બુદ્ધ બોધિજ્ઞાન પ્રાપ્ત થતા બુદ્ધ થયા.

તેમને વૈશાખી પૂર્ણિમાએ દુઃખ મુક્તિનો ઈલાજ જડી ગયો.


બુદ્ધે પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય અને સર્વજન સુખાય થાય તે માટે ધર્મચક્રપ્રવર્તનની શરૂઆત કરી- સારનાથ ખાતે પંચ વર્ગીય શિષ્યો સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો.

સંઘ: પ્રથમ પાંચ ભિક્ષુઓ, પછી સગા સંબંધી, પત્ની યશોધરા, માતા મહાપ્રજાપતિ સહિત બધા સંઘમાં જોડાયા વૈશાલી નગરીની મહાન નૃત્યાંગના આમ્રપાલીએ પોતાનું આમ્રવન બુદ્ધને અર્પણ કર્યું મગધના રાજા બિમ્બીસાર અને કૌશલના રાજાએ તેમના ધર્મ સ્વીકાર્યો, 45 વર્ષ ભારતમાં આમ જનતાની ભાષામાં પોતાની મધ્યમ માર્ગની વિચારસરણી નો પ્રચાર કર્યો BC 483 માં 80 વર્ષે વૈશાખી પૂર્ણિમાએ કુષીનગર ખાતે નિર્વાણ પામ્યા.

ગૌતમ બુદ્ધનો ઉપદેશ


ભિક્ષુઓ પીળા ઝભ્ભો, માયે મુંડન અને ભિક્ષાપાત્ર રાખતા. સંઘમાં સ્ત્રીઓ પણ ભિક્ષુણી તરીકે જોડતી.

1) મહામંત્ર - પ્રતિજ્ઞા:

બુદ્ધમ શરણમ્ ગચ્છામી- બુદ્ધ એટલે જાતને શરણે જાઉ
ધમ્મમ્ શરણમ ગચ્છામી -ધર્મ ને શરણે જાઉ
સંગમ શરણમ ગચ્છામી સંઘ ને શરણે જાઉ

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો: મધ્યમ માર્ગ

2) ચાર આર્ય સત્યો:

  1. દુઃખ - જગત દુઃખોથી ભરેલું છે જીવવું દુઃખ દાયક મરવું દુઃખદાયક રોગદુઃખદાયક વિયોજનની ભી ખુદા પડવું દુઃખદાયક વૃદ્ધાવસ્થા દુઃખદાયક 
  2. તૃષ્ણા - ઈચ્છાઓ દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. 
  3. તૃષ્ણાઓનો ત્યાગથી જ દુ:ખનો નાશ થઈ શકે. 
  4. તૃષ્ણાના ત્યાગ માટે અષ્ટાંગ માર્ગ જરૂરી છે. 


૩) અષ્ટાંગ માર્ગ: સાચો જીવન માર્ગ
 

  1. RIGHT VIEW સમ્યક દ્રષ્ટિ સાચી સમજ-ચાર સત્યોનું યથાર્થ જ્ઞાન. 
  2. INTENTION સમ્યક સંકલ્પ: શુભ કાર્યનો નિશ્ચય 
  3. ACTION સમ્યક કર્મ: સારા કર્મો કરવા. ત્યાગ હિંસા, ચોરી ,વ્યભિચાર, અને મધ્યપાન નો ત્યાગ. 
  4. LIVELIHOOD સમ્યક આજીવિકા : પરસેવા પાડી જીવન માટે ધન પેદા કરવું. 
  5. SPEECH સમ્યક વાણી: સારું બોલવું- જૂઠું બોલવું કે નિંદા કરવી નહીં. 
  6. EFFORT સમ્યક પ્રયત્ન: બુરાઈ ત્યજી, સારા કામોમાં મગ્ન રહેવું. 
  7. MINDFULNESS સમ્યક સ્મૃતી: ચિત્ત શુદ્ધ રાખી, ખરાબ કાર્યોનું ભાન રાખવું. 
  8. CONCENTRATION સમ્યક સમાધિ: ચિત્તની એકાગ્રતા, આ ચાર એકાગ્રતા રાખવી, કર્મો, નિશ્ચય પુરુષાર્થ ભાવના 
આ ચાર- આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ એ ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ કહેવાય છે.

મધ્યમ માર્ગ: અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામાં ગણાય છે.

૪) પંચશીલ 
  1. હિંસા: મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. VIOLENCE 
  2. ચોરી કરવી નહીં STEALING 
  3. જૂઠું બોલવું નહીં LYING + GOSSIP 
  4. બ્રહ્મચાર્ય પાળવું. SEXUAL DISCIPLINE 
  5. દારૂ પીવો નહીં. NO TO DRUGS/ ALCOHOL 

૫) ચાર ભાવના 
  1. મૈત્રી: સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ 
  2. કરુણા: દયા 
  3. મૂદીતા: આનંદવૃત્તિ (આપણા કરતાં ચઢિયાતાં જોઈને ઈર્ષા ન કરવી પણ આનંદ પામવો.) 
  4. ઉપેક્ષા: પરવા ન કરવી જડ અને પાપી પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખવી.  (રાગ અને દ્વેષ ઉપજાવે તેવું કોઈપણ કાર્યની ઉપેક્ષા કરી તટસ્થ ભાવે જોવું) 


દસ મંગળ: ઉત્તમ મંગલ

ગૌતમ બુદ્ધની વાણી

૧) મૂર્ખાઓની સોબતથી દૂર રહેવું.
ઉતમ: પંડિતો એટલે જ્ઞાની પુરુષોનો સહવાસ રાખવું.

૨) યોગ્ય દેશમાં વસવાટ કરવો.
પુણ્યનો સંચય કરવો.
મનને સારા માર્ગમાં દ્રઢ કરવું.

૩) ઉત્તમ પ્રકારની વિધ્યા પ્રાપ્ત કરવું.
સદાચારની ટેવ પાડવી.
મધુર વાણી ઉચ્ચારવી.

૪) માતા-પિતાની સેવા કરવી.
સંતાનો- પત્નીનું પાલનપોષણ કરવું.

૫) દાન અને ધર્મનું આચરણ કરવું.
સગા વહાલાને મદદ કરવી.
સારા કાર્યોનું આચરણ કરવું.

૬) પાપકર્મોથી વિરક્ત રહેવું.
મધ્યપાનમાં સંયમ રાખવો.
પુણ્યકર્મ કરવામાં આળસ કરવી નહીં.

૭) સત્પુરુષોનું સન્માન કરવું.
નમ્રતાનો ભાવ રાખવો.
સંતોષ-કૃતજ્ઞ થવું.
સ્થળકાળ પ્રમાણે ધર્મ શ્રવણ કરવું

૮) સહન કરવું.
મીઠી વાણી બોલાવી.
સાધુ પુરુષોની સોબત કરવી.

૯) તપ, બ્રહ્મચાર્ય અને ચાર આર્ય સત્ય જાણવા અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવું.

૧૦) લોક સ્વભાવ સાથે એટલે કે લાભ-નુકસાન, અપયશ, નિંદા-સ્તુતિ, સુખ દુ:ખ.
આ ચાર બાબતોમાં ચિત્ત શાંત, નિર્મળ અને શોક રહિત રહે.

બુદ્ધના આકર્ષક અને પ્રતિભાસંપન્ન વ્યકતીથી અનેક લોકો આકર્ષતા- તેઓ લોકબોલીમાં- નાની નાની વાર્તાઓથી ઉપદેશ આપતા. દા.ત. કિસા ગૌતમી અને રાય.


બૌદ્ધધર્મના ગ્રંથો

ત્રિપિટક:
  1.  સુત્ત પિટક- ધર્મના સિદ્ધાંતોની માહિતી 
  2. વિનય પિટક- બુદ્ધ ધર્મના સાધુઓ માટેના શિસ્તના અને બીજા સિદ્ધાંતો. 
  3. અભિધમ્મપિટક- ધર્મના વિચારોને અને પ્રથાઓને જોડી કરવાની પ્રવૃત્તિઓ. 

બૌદ્ધ ધર્મ એટલે ધર્મ સુધારણા: હિન્દુ ધર્મના સુધારણા પછી લોકોને – આમ જનતા ને સમજાય અને સ્વીકારાય એવું સ્વરૂપ.


તત્વજ્ઞાન: બૌદ્ધ ધર્મના તાત્વિક સિદ્ધાંતો 
  1. કોઈપણ બાબતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
  2. બધી બાબતોનું પરિવર્તન થાય છે. કોઈ સ્થાઈ નથી. 
  3. આ કારણે કોઈ સનાતન આત્માકે ઈશ્વર નથી. 
  4. વૃક્ષ પોતાના બીજ દ્વારા બીજું વૃક્ષ ઉત્પન્ન કરે છે અને પોતે નાશ પામે છે. તેમ જ બીજું માનવજીવન ઉત્પન્ન થાય છે. 

બાંધકામો
  1. સ્તૂપ- બૌદ્ધ કે બૌદ્ધધર્મના કોઈ પવિત્ર વ્યક્તિના અસ્થિને દાબડામાં મૂકી તેની ઉપર અંડાકારે રચેલી ઇમારત. 
  2. ચૈત્યગૃહ- સ્થંભોનિ રચનવાળું અર્ધ વર્તુળાકારે રચાયેલી મંદિર જેવુ સ્થાન. 
  3. વિહાર- બૌદ્ધ શ્રમણોને રહેવાનું નિવાસ સ્થાન. 
મહરાષ્ટ્રમાં કાર્લા, કન્હેરી, ભાની, અજંટા અને ઇલોરાની ગુફાઓ આવેલી છે.

ધર્મના પંથો


1) હિન યાન:

યાન એટલે સાધના – હિન એટલે નાનું.
જીવનના અંતિમ લક્ષ્યાંક નિર્વાણ સુધી જવાના સાધન તરીકે ફક્ત બુદ્ધે આપેલા ઉપદેશને અને ફક્ત “ત્રિપિટક” માં જ માને છે.
બુદ્ધને માનવ તરીકે જ માને છે. તેથી તેની પૂજા કરતાં નથી. પરંતુ બુદ્ધના અવશેષો સ્તૂપોમાં મૂકી પુંજે છે.
સંઘને વધુ મહત્વનું ગણે છે.
ગૃહસ્થો કરતાં ભિક્ષુકોને મહત્વના માને છે. કારણ કે ભિક્ષુક થયા વિના મોક્ષ (નિર્વાણ) ન મળે એવું માને છે.
સિલોન, બ્રહ્મદેશ, શિયામમાં મળે છે.

2) મહાયાન:

નિર્વાણ પ્રાપ્તિનું મોટું (મહા) વાહન (યાન) થાપણ આચાર્ય નાગાર્જુન અને અસંગે કરી.
સમય પ્રમાણે યોગ્ય ફેરફાર કરવામાં માને છે. ચીન મોંગોલિયા, જાપાન, કોરીયા, તિબેટ, નેપાળમાં જોવા મળે છે.
ભગવાન બુદ્ધને “ઈશ્વર” માની તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મના ક્રિયાકાંડ બૌદ્ધ ધર્મમાં દાખલ કર્યા. બૌદ્ધ ભિખ્ખુઓએ ‘પુરોહિત’ નું સ્થાન લીધું.

મુખ્ય ગ્રંથ સંદર્ભ પુંડરીક:

3) મંત્રયાન: આઠમા સૌકામાં યા શાખા વિકસી તંત્ર-મંત્રની વિશેષ અસર હતી. 

4) વ્રજયાન : તંત્ર-મંત્ર, યમ-નિયમ અને મહાસુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે છે. વ્રજયાનમાં સાધના માટે મૈથુનને ફરજિયાત ગણે છે.

બુદ્ધના મહા પ્રયાણ પછી તેમનો ઉપદેશ સંગ્રહાય અને સમાજમાં જળવાય રહે તે માટે ચાર મહાસભાઓ થયેલી, જેમાં મોટા પ્રમાણમાં બુદ્ધધર્મના ઉપદેશકોને ભેગા કરેલા. તેની વિગતો જાણવી જરૂરી છે.

 

સભાનો સમય

સભા સ્થળ

સભાપતિ

દાનદાતા રાજા

પરિણામ

I 483 BC

રાજગૃહ

મહાકશ્યપ

અજાતશત્રુ

બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી તેમનો ઉપદેશ અને નિયમો સમજાવી દીધા.

II 383 BC

વૈશાલી

સબ્બકામી

કાલશોકા

-

III 250 BC

પાટલીપુત્ર

મોગલીપુત્રટીસ્સા

અશોક

-

IV 98 AD

કાશ્મીર

વસુમિત્ર અને અશ્વઘોષ

કનિષ્ક

ધર્મના મહાયન- હિનયાન બે ભાગ પડ્યા


સંઘ: બુદ્ધ ધર્મમાં સંઘ- પોતાને સદાઈથી રાખી, બુદ્ધ ધર્મના નિયમો પાળનાર સાધુઓનો સમૂહને સંઘ કહે છે.

ઇતિહાસની જૂનામાં જૂની પ્રાર્થના સભા સ્થળને સંઘ કહે છે. ત્યાં ગુલામો, દેવાળીયા અને રોગીઓને પ્રવેશ કરવાની મનાઈ હતી. પથીમોક્ષ નામના ૬૪ જાતના ગુના કરવાની બંધી હતી. સંઘમાં મહિલાઓને આવકારાતી હતી.

બુદ્ધના જીવનના મહાન પ્રસંગો:

  1. અવક્રાંતિ- ગર્ભધાન 
  2. જતિ-જન્મ 
  3. મહાભિનિષ્ક્રમણ- જ્ઞાન માટે સંસાર ત્યાગ
  4. નિર્વાણ / સંબોધીનિ- જ્ઞાન થવું.- Enlightenment 
  5. ધર્મચક્ર પરિવર્તન-પ્રથમ પ્રવચન 
  6. મહાપરી નિર્વાણ- મૃત્યુ 
ભારતમાં 0.7% એટલેકે લગભગ 80 લાખ લોકો બુદ્ધ ધર્મ પાળે છે. તો 0.4 % વસ્તી એટલે કે લગભગ 45 લાખ લોકો જૈન ધર્મ પાળે છે.

બુદ્ધ ધર્મ ભારતમાં સ્થપાયો હોવા છતાં, ચીન, જાપાન, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે. પરંતુ ભારતમાં ખાસ જોવા મળતો નથી.

જૈન ધર્મમાં અહિંસા અને તપને મહત્વના ગણ્યા છે, તો બુદ્ધ ધર્મમાં- મધ્યમમાર્ગ-એટલે કે અતિશય કામભોગ વિલાસ કે અતિશય દેહદમન ટાળવાનું કહી પંચશીલને મહત્વના ગણાવ્યા છે. 

મહામંત્ર:

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ,
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ,
સંઘમ્ શરણમ્ ગચ્છામિ

જેવો મહામંત્ર આપ્યો છે.

જી હા, જગત દુ:ખો થી ભરેલું છે.

આર્યસત્ય:

દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્



ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Chakravarti Samrat Vikramaditya

Chakravarty Samrat Vikramaditya (102 BC – 15 AD) We are discussing a king who was Chakravarty  - which literally means the ruler of the kingdom in all four directions without any other king challenging him. His name Vikramaditya means ‘Vikram’ – one who is wise, brave, moral, and victorious + ‘Aditya’ meaning ‘of Aditi’, Newly rising sun, sun God. So he was “mighty as Sun”. There was no other emperor comparable to him. Fourteen Indian kings gave him the title of Vikramaditya. This legendary king started his rule at the age of 20 at the coronation at Ujjain (Madhya Pradesh) India. He was the son of parents Gandharvasen and Virmati. He had one elder sister Menavati and elder brother Bharthuhari. His elder brother became a saint and went to the forest under teacher Gorakhnath, who later guided King Vikramaditya as well. He was the father of his son Vikramsena. Historian Abhijit Chavada says: Old historians tell this story of Vikramaditya as a myth and do not agree. In fact, they are ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.