Skip to main content

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III 
356-323 BC
Macedonia

વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.”

ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે:
  1. જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે.
  2. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે.
  3. શબપેટીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખશો, લોકો જે જોઈને સમજશે કે 32 વર્ષે સમગ્ર વિશ્વ જીતનાર સિકંદર પણ કંઈ પણ લીધા વગર ખાલી હાથે જાય છે. અરે, વૃદ્ધમાંને મળવાની નાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકતો નથી.
આ પૂર્વભૂમિકા લઈને, ચાલો, મહાન સિકંદરના પરાક્રમો અને યુદ્ધોના વિજયોને સમજીએ. જેથી છેલ્લે, કંઇક આત્મનીરીક્ષણ કરવાની પ્રેરણા મળશે કે?

પિતા રાજા ફિલિપ II અને માતા ઓલમ્પિયાનો પુત્ર સિકંદર મેસૉડૉનિયામાં જનમ્યો હતો અને ફક્ત 33 વર્ષની વયે બેબીલોનમાં ટાઈફોઈડ, મેલેરિયા કે ખોરાકમાં ઝેર આપવાને કારણે મૃત્યુ પામ્યો હતો. તે 16 વર્ષના અભ્યાસ પછી, 12 વર્ષના યુદ્ધો દ્વારા વિશ્વ વિજેતા બન્યોહતો. તેથી મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે પ્રખ્યાત થયો હતો. ઇતિહાસમાં પ્રાચીન સમયમાં સિકંદરના રાજ્યનો વિસ્તાર સૌથી વધારે હતો જેમાં વર્તમાન સમયના ગ્રીસમેસેડોનિયા તુર્કિસ્તાન, સીરિયા, આફ્રિકા, ઇજિપ્ત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ભાગો જીત્યા હતા. કદાચ વર્ષો પછી માત્ર ચંગીઝખાન અને ત્યારપછી બ્રિટિશરોએ એટલો વિસ્તાર કબજે કર્યો હતો. સિકંદર ગ્રીક ભગવાન Zeus નો પુત્ર માનતો હતો, તેથી તેનામા દેવી શક્તિ હોવાનું પણ મનાતું.

સિકંદરના પિતા રાજા ફિલિપ્સને સિકંદરમાં બાળપણથી મહાન રાજા બનવાના લક્ષણો દેખાયા હતા તેથી તેને મહાન વિદ્વાન ફિલસુફ અને રાજકારણના નિષ્ણાંત એરિસ્ટોટલ, પ્લેટોઅને સેક્રોટીસ પાસે ભણાવ્યો હતો, બાળપણમાં 12 વર્ષના બાળક સિકંદરે “બેસેફેલેસ”નામના તોફાની ઘોડાને કાબુ કરી બતાવ્યો હતો, ત્યારથી ઘોડો “બેસેફેલેસ” તેનો કાયમી સાથી બન્યો હતો. યુદ્ધમાં સાથે લડતા લડતા ભારત સાથે લડાઈમાં માર્યો હતો.

16 વર્ષના સિકંદરને યુદ્ધમાં લડવા મોકલ્યો હતો અને તે જીત્યો હતો.

18 વર્ષે હરાવવું મુશ્કેલ એવું કોરોનીયા યુદ્ધ જીત્યો.

20 વર્ષે રાજા ફિલિપિન્સનું ખૂન કરનાર વિદ્રોહીઓને મારી હટાવ્યો. કારણ પિતાનું તેના રક્ષકોએ ખૂન કર્યું હતું, 20 વર્ષે જ માતા ઓલમ્પિયની ઈચ્છા મુજબ રાજા બન્યો.


રાજા તરીકે વિશ્વ વિજેતા બનવાની મહાત્વાકાંક્ષાને કારણે પૂર્ણસમયે યુદ્ધોમાં રમમાણરહ્યો.
  1. પહેલા સંપૂર્ણ ગ્રીક વિસ્તાર જીત્યો
  2. ઈરાન = પર્શિયા જીત્યું - રાજા ડરાયસ III ને ટર્કીમાં ઇસુસના યુદ્ધમાં (Battle of Issus) હરાવ્યો. હારેલ રાજા ભાગી જાય છે ત્યારે ગુસ્સે થયેલ લોકોએ પકડીને તેનું ખૂન કર્યું. સિકંદરે ઇરાનના રિવાજો પ્રમાણે વર્તન કર્યું અને તેવા કપડાં પહેર્યા જોકે ઈરાના લોકોએ તે ગમ્યું નહીં (331 BC)
  3. ટાયરેના યુદ્ધમાં(Seize of Tyre) 332 BC માં ઇઝરાયેલ નો ટાપુ જીત્યું 8000 લોકો મરાયા અને 30,000 લોકો ગુલામ તરીકે પકડાયા.
  4. ઈજિપ્ત વિના યુદ્ધે જીત્યો. લોકોએ તેને આવકાર્યો. ઇજિપ્તના રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરી રાજા બન્યો.
  5. ભારતની સમૃદ્ધિને કારણે આકર્ષાયેલ સિકંદર 327 BC માં હિન્દુકુશ પર્વતો વટાવી જેલમ નદીને કિનારે યુદ્ધ માટે આવ્યો.
સિકંદરની ભારતની ચડાઈઓ (મેસોડનીયા ના આક્રમણો)

16 મહાજન પદોના રાજ્યોનું બનેલુ ભારતના, વાયવ્ય ભાગમાં અનેક જુદી જુદી રાજસત્તાઓ પ્રવર્તતી હતી. પણ એમની વચ્ચે કોઈ સંગઠન નહોતું.

કેટલાક રાજ્યોએ કાયરતાથી અને કેટલાકે પરસ્પરની ઈર્ષાથી એને આવકારવા સંદેશો મોકલ્યો.

હિન્દુકુશ, પુષ્કલાવતી, કાબુલ વગેરે પ્રદેશના રાજાઓએ સરળતાથી સીધી જ અધિનતા અંગિકાર કરી લીધી. ભારતના ઇતિહાસનો સૌપ્રથમ દેશદ્રોહીઓ એવા તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીને મોકલી, હિંદ પર ચઢાઈ કરે તો મદદ કરવાનું કહેણ મોકલ્યું. સરહદનો બીજો રાજા શશીગુપ્ત પણ સિકંદર ને સહાય કરવા દોડી ગયો.

આમ, ભારતના ઇતિહાસના કલંક એવા દેશદ્રોહીઓ તરીકે આંભી અને શશીગુપ્તને યાદ કરવા રહ્યા. 

સિકંદરનો ચડાઈએ ભરતીઓની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. પરદેશી આક્રમણનો સામનો કરવા નાના રાજ્ય અક્ષમ હોવાથી મોટું બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે સિકંદરમાં વિજેતા બનવાની ધૂનને કારણે જંગાલીયતનું પ્રદર્શન જોવા મળ્યું. મગધ સામ્રાજ્ય મદદે ન આવ્યુ. રાજ્યો સંગઠિત નહોતા, ઉપરાંત આંતરિક ખટરાગથી પ્રેરાય દેશદ્રોહનું વલણ અપનાવ્યું.

હાઇડાસ્પેશનું યુદ્ધ (Battle of Hydaspes): જેલમ નદી નું યુદ્ધ

જેલમ અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક=પૂરુ=પોરસે યુદ્ધમેદમાં મળવા સિકંદરને લલકાર્યો. 40,00૦ ના સિકંદરના ઘોડેસવાર સૈન્યે પ્રથમવાર યુદ્ધમાં પોરસના હાથીઓનું યુદ્ધ જોયું- હારવાનો ભય લાગ્યો પણ કપટી સિકંદરે ચૂપચાપ નદી ઓળંગી પાછળથી આવી આક્રમણ કર્યું, ઉપરાંત વરસાદ પડવાથી અને કાદવમાં રથ ખૂંપી જવાથી,ગજદળ અશ્વદળનો સામનો ન કરી શક્યું. 

પૂરું હાર્યો – સૈનિકોએ સિકંદર સમક્ષ પુરુને રજૂ કર્યો. સિકંદરે પૂછ્યું: તારી સાથે કેવો વર્તાવ કરું? પૂરુંએ કહ્યું: રાજા તરીકે (Treat me as a King) સિકંદરે પૂરુંને એનું રાજ્ય પરત કરી વિશ્વાસુ ઉપરાજ બનાવ્યો અને (Vessal State) સમાંતર રાજ્ય બનાવ્યું. 

ત્યાર પછી સિકંદરે ગ્લચૂકાયનોનાં ગણરાજ્યને અને સાકલના કઠ લોકોને હરાવી યુદ્ધ જીત્યા. 

મદક દેશના પૌરવ, સૌભૂતિ અને ભાગલના રાજ્યોએ યુદ્ધ વિના સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. 

સૈનિકોએ આગેકૂચ કરવાની સાફ ના પાડી દેતા, સિકંદર સંપૂર્ણ ભારત જીતવાની મહેચ્છા છોડી ભારે હ્રદયે પાછો ફર્યો. 

-પરત ફરતા રસ્તામાં બેબિલોન ખાતે 323 BC અકાળે સિકંદર અવસાન પામ્યો. ત્યાર પછી યુનાની સત્તા બે ત્રણ વર્ષમાં અસ્ત પામી.મહાન સિકંદર બાર વર્ષમાં એક પણ યુદ્ધ હર્યો નહીં. 

આમ, વિશ્વવિજેતા બનવા બાર વર્ષથી સતત યુદ્ધો કરતો સિકંદર ખાલી હાથે મૃત્યુ પામ્યો. (323 BC) 

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.