Showing posts with label book. Show all posts

Doctor Patient Relationship

An individual professionally trained to treat an ill and suffering person (patient) is a doctor. And their natural relationship is a bilateral one.

When a doctor is sincere, focused, patient, persistent with ethical conduct, a continuous learner, and doing keen observation – it is certain that doctor–patient relationship is the most enduring and satisfying relationship where the doctor learns to hear and see with heart and mind. This healthy and strong relationship will survive forever. (A)

Doctors and patients are the two sides of the same coin fighting their common enemy: disease. In fact, medicine is not a mere profession, it is a calling, a mission, or perhaps even devotion. (C)

During sickness, the patient and his entire family look up to only one person after God and that is the doctor. In the old days, when doctors relied more on their clinical skills than on investigation, patients trusted them with full faith. In those old days doctor was a healthcare giver, philosopher, guide, and teacher – a member of the family while considering this complicated doctor–patient relationship we will have to consider the factors related to their relationship.

Machines: Modern-day medical practice is full of technology bringing modern machines – diagnosing the disease with pathological, radiological, and other aids. They are meant to augment Doctor’s ability to diagnose and not replace them totally. The “S” singularity of machines tries to replace a doctor but that is not possible. (E)

The corporatization of medical treatment has given all the seriousness under one roof with all the modern medical instruments and highly trained doctors. But sadly it took away the human touch. Compassion became a victim of greed on one side (doctor) and unfulfillable demands of the patient on the other. Ultimately strange bitterness invaded the holy patient-doctor duo. (F)

Media: Print, electronic and social media also played a hoax. In hunger for sensationalization and increasing viewership, the media failed to paint the true picture: “especially from the doctor’s point of view” leading to doubt and low regard for the humble profession of doctors. (G)

Google: Huge influence of knowledge given via youtube – Wikipedia – WhatsApp group – made patients think, “they know everything”. They understand the disease and treatment. In fact, details on Google are neither right nor authentic. Patients trust all they read there, putting doctors on backfoot. (H)
Doctors are not God, but merely an instrument of God. Not everyone can and will be cured. (I)
Complications are bound to happen in the best of hands with almost care. Doctors should seek another colleague's opinion to seek support and involve as many other doctors as possible.

Mob Violence: Unending patients’, expectations and politically supported gangs who exploit doctors lead to mob violence. Arrogant, ill-behaved, and threatening relatives do violence leading to physical assault on doctors, damaging hospital premises, and destroying precious instruments. Though few patients are troublemakers, all are not. They make doctors monsters from demigods. Mob violence makes doctors feel timed, gutless, and easily terrified. Doctors become zero from heroes. 75% of doctors in India have faced violence once or more times. (Y)

Medicine is not mathematics and so no single formula can be applied to one and all. Every patient is different and multiple factors play a role in the end result. But without understanding all these details, a judge with little knowledge of medicine and overcharging exploiting lawyers decides the amount of compensation. With the fear of this law, doctors give defensive treatment, advise detailed investigation and refer the patient to a higher center for treatment.

So, present day, three requirements are medically trained judges, legal media restrictions, and appropriate remuneration to doctors.

The remuneration of doctors is always expected to be low telling it to be the profession of human service. Everyone expects discounts when it comes to the payment for health. Medicine is a noble profession, but it is still a business and so doctors need to be paid fairly for their talent. This expectation of low charges, generous, and charity doers can not be satisfied, because expenses for medical education, hospital premises & staff salaries, modern-day costly instruments, and government taxes demand a big amount of money.

The life of a doctor is worth studying before discussing anything. Doctors never refuse a call from the patient. Sleep deprivation and stress are the killing factors leading to five to six years less life for a doctor than the general public. All are allowed to fail, but doctors do not have that luxury. When complications arise, doctors become sleepless, tense, stressed, and has the feeling of anger, shame, and humiliation. Remember, doctors, too, are human and doctors too are only human. Doctors miss numerous family dinners, birthdays, marriage and even visiting their dying relations. They have no family life and sometimes face failed marital relations leading to divorce. Female doctors have more problems because they have to look after domestic work settings, husbands- children, elderly, and sometimes they have to cook in addition to days work of medical practice.

So medicine is an art of healing. Doctors can cure the patient with empathy, meaningful conversation, and sometimes with just a reassuring smile. If a doctor can communicate effectively with the patient and his family and take time to explain the disease, its prognoses, limitations of the doctor himself, and probable charges of the bill, the patients are ready to accept even the most.

Black sheep: However for every failing guilty doctor, thousands are honest, treat countless patients tirelessly and make their life better.

Similarly, for every inconsiderate patient, thousands are grateful and make the doctor's life journey worthwhile.

Corruption and greediness are related to society in general and are reflected in both doctors and patients.

I will summarise the long story short telling a few more things.

Healing touch: Some doctors have a healing touch that works wonders and transforms the patient’s life.

Faith: 100% faith is a must. 1% fear with faith means fraud! Faith infuses positive thoughts, expectations, and communication in the patient.

Law of attraction: Here one says that you can attract whatever you wish.

Law of acceptance: Death is inevitable. Doctors can only do their best to postpone it. Doctors can treat, but can not decide the outcome (end result).

Be non-judgemental: Sometimes there is an end of life. It is time for people to go and they do. The doctor must never feel that he can confer immortality to any patient.

Spirituality is an individual's search for the ultimate meaning of life mixed with humanism, rationalism, and naturalism. It plays a major role in healing. Spiritual dimension showing prayer with great faith in God, chanting mantras repeatedly and meditation do have a great role in healing. Cultivating optimism and positive emotions can counter depression and make healing faster.

Ralph Waldo Emerson said:
The purpose of life is not to be happy, it is to be useful, to be compassionate, and to make some difference that “you have lived and lived well.”
Take home message:
Despite longanimity of life, eradication of many diseases by vaccines and cure by transplanting vital organs, nobody is going to live a healthy life forever. So doctor’s help in curing physical illness is a must and doctors have voluntarily chosen to be a healer by profession. Thus doctor – patients relationship is compulsory.
Present-day society: “full of stress, hurry, corruption, infighting and having suspicion all around” has to be accepted as a reality. Few of the doctors and patients may not be honest and well behaved respectively. Both have to rationalize the relationship. Patients should find out a reasonably clever – honest and compassionate doctor around. Afterward, the patient should trust the doctor, have full faith, and tell him the details of illness and addictions. Doctors should be cautious regarding treatment, charges, and their own safety against violence.

 
Dear People, with Love and Care, Your Doctors
  • Book Title: Dear People, with Love and Care, Your Doctors: Heartfelt Stories about Doctor-Patient Relationship
  • Author: Debraj Shome and Aparna Govil Bhaskar
  • Book Review: by Dr. Bharat Desai, Date: 07-Dec-2022
  • Price: ₹ 389
  • Pages: 298+22
  • Publisher: Bloomsbury, New Delhi (2019)

ગુર્જર રત્ન, જીવતી વાર્તા અને મારી વાતો

પુસ્તક પરિચય કરાવવા પુસ્તક વાંચવું પડે અને વાંચવા માટે પુસ્તક મેળવવું પડે! પુસ્તક લાયબ્રેરીમાંથી જ મળે અને લાયબ્રેરીમાંથી લાવીને જ વંચાય એ મને ખબર હતી. જે.બી.પીટીટ લાયબ્રેરી-બીલીમોરા, ગઝધર લાયબ્રેરી-ગણદેવી અને સયાજી લાયબ્રેરી- નવસારીનો આજીવન સભ્ય હોવાથી હું ત્યાંથી લાવીને જ પુસ્તક વંચાય એવી ગેરસમજ ધરાવતો હતો. પણ નવી પેઢીના મારા બાળકો વૈશાલી અને રાહુલે એ ભૂલાવ્યું. પુસ્તકમેળા – પુસ્તકોની દુકાનો અને ઘટતામાં 'એમેઝોન' દ્વારા પુસ્તક ખરીદીને પુસ્તક વંચાય એમ તેમણે બતાવ્યું. પુસ્તકો ખરીદવાનું પહેલા ચર્ચગેટના રોડ પરથી દરેક પુસ્તક સો રૂપિયામાં વેચાય ત્યાંથી શરૂ કરાવ્યું – પછી બુક સ્ટોરમાંથી ખરીદી આપ્યું અને છેલ્લે ‘એમેઝોન’માં ઓર્ડર આપી ઘરે મળતું કરાવ્યું. આમ વૈશાલી–રાહુલે પુસ્તક ન ખરીદવાની જીદ દૂર કરાવી નવી ટેવ પડી. તેમાંથી છેલ્લે ખરીદી તે "ગુર્જર રત્ન" અને "જીવતી વાર્તા" પુસ્તકો મેળવ્યા.

દીક્ષા – સાદાઈ – સમાજસેવા

હિન્દુ ધર્મના સિદ્ધાંતો: કદાચ વારસાગત ગરીબી અને જૈન ધર્મની દીક્ષાના સંસ્કારોએ મને ન કમાવાની, કહેવાતી સમાજસેવા કરવાની અને સાદાઈ અપનાવવાની વિચારસરણીના પાટે ચડાવી દીધો હતો. તેથી નેત્રયજ્ઞ દ્વારા મફત ઓપરેશનો, એકદમ રાહતદરે પોતાની ખાનગી હોસ્પીટલમાં આંખની તપાસ અને ઓપરેશન, અને સાદાઈ ભરેલી જીવન શૈલી હું જીવ્યો છું. આ સારું કહેવાય કે મૂર્ખાઈ તેની વાત હવે 71 વર્ષે કરવાનો અર્થ નથી. પણ ખર્ચ કરવાની અનિચ્છા ઘર કરી ગઈ છે તે કાઢવામાં મારા બાળકો થોડાઘણા અંશે સફળ થયાં છે. તેઓના સિધ્ધાંતો સ્પષ્ટ છે – ખૂબ મહેનત કરો અને તે દ્વારા અઢળક કમાણી કરો.

મિત્રતા

વાંચન અને ત્યારપછી લેખનના શોખે મને થોડા મિત્રો શોધી આપ્યા છે. બકુલાબેન ઘાસવાલા (વલસાડ), હરેશ ધોળકિયા (ભુજ), સંધ્યાબેન ભટ્ટ (બારડોલી), પ્રો. તુષાર દેસાઈ (સુરત), કલ્પનાબેન દેસાઈ (ઉચ્છલ), સુરેશભાઈ દેસાઈ (નવસારી), અને બીપીનભાઈ શ્રોફ (મહેમદાવાદ) આ રીતે મળેલા મારા મિત્રો છે. કદાચ મારા સ્વભાવની મર્યાદાઓ કે પછી સફળ સાહિત્યકારોની પોતાની મહાનતાના ખ્યાલોને લીધે પરસ્પર વર્તનની મર્યાદાઓ વધારે આત્મીયતા લાવતાં રોકે છે. વાતચીતમાં સરળતા, કુદરતી રીતે સ્વભાવમાં નમ્રતા અને વાતચીત દરમ્યાન મિત્રતાનો સુંદર પ્રતિભાવ ધરવતા બીરેન કોઠારીને નવા મિત્ર બનાવી શકાશે એવા લક્ષણો દેખાય છે.

લેખક પરિચય

આજે બે પુસ્તકો 'ગુર્જર રત્ન' અને 'જીવતી વાર્તા' (લેખકો: અનુક્રમે, બીરેન કોઠારી અને પ્રશાંત દયાળ) ચર્ચામાં છે. પુસ્તકોની વાત કરતાં પહેલા લેખકોની વાત કરવું અસ્થાને નથી. 

બીરેન કોઠારીના સંપર્કમાં બકુલાબેન ઘાસવાલાએ કરેલ 'હોમાઈ વ્યારાવાળા' વિષયક પુસ્તક પરિચયને લીધે આવવાનું થયું. બીરેનભાઈએ આ પુસ્તક ફોન પરની વાતચીતથી મને મોકલી આપ્યું. સ્વભાવગત મેં પુસ્તક વિષે પ્રતિભાવ મોકલ્યો અને કદાચ તેનો પુરસ્કાર એટલે અમારી પહેલી ત્રીસ મિનિટની હ્રદયસ્પર્શી વાતચીત! પુસ્તકની વિગત કહેવા પહેલાં એમ કહું કે ફક્ત લેખકનો પરિચય જ થાય તો તે પણ ઓછું નથી, પરંતુ છે તો જરાય ખોટું નથી. આશરે છપ્પન વર્ષના લેખક બીરેનભાઈનો સંઘર્ષ અને લેખક થવાનું મનોમંથન આ પુસ્તકની પ્રસ્તાવના 'હાલ-એ-દિલ હમારા' દ્વારા ખબર પડે છે. છેલ્લા ચૌદ વર્ષથી આઈપીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણ સમયના લેખનને જીવનશૈલી તરીકે અને આર્થિક ઉપાર્જનનો એકમાત્ર સ્ત્રોત તરીકે અપનાવેલ બીરેનભાઈની જીવનશૈલી સમજવા જેવી છે. બાવીશ વર્ષ કેમિકલ એંજિનીયર તરીકે આઈપીસીએલમાં નોકરી કરનાર બીરેનભાઈ હવે ૨૦૦૭ થી પૂર્ણ સમયના લેખક બન્યા છે. તેઓ લેખક તરીકે મુખ્યત્વે ‘જીવન ચરિત્ર’ લેખનમાં નિષ્ણાંત છે. પહેલાં રજનીભાઈ પંડ્યા સાથે ‘ઈષ્કો’ના પ્રણેતા ઈન્દુકાકાની જીવનકથા લખી (૨૦૦૨), ત્યાર પછી મુંબઈના ઉધ્યોગપતિ નવનીતરાય ત્રિવેદી (૨૦૦૫) વિષે લખ્યું. આમ રજનીભાઈ સાથે કરેલી શરૂઆત 'અહા જિંદગી' (દિવ્યભાસ્કર જૂથનું માસિક) માં અટકી. પછી સ્વતંત્ર લેખક તરીકે ત્યાં દર મહિને વિવિધ્યવાળા ક્ષેત્રોની વ્યક્તિઓ પસંદ કરી, તેમનું પ્રદાન કેન્દ્ર સ્થાને રાખી પાંત્રીસ વ્યક્તિઓની જીવન શૈલી વિષે લખ્યું. ઉર્વીશના સહ્રદય ભાઈ, કામિનીબેનના પતિ, શચિ અને  ઈશાનના પિતા અને અનિલભાઈ–સ્મિતાબેનના પુત્ર એવા બીરેનભાઈ ને શુભેચ્છા પાઠવું છું.

ચાલો, 'જીવતી વાર્તા' પુસ્તકનાં લેખક પ્રશાંત દયાળનો પરિચય ઉર્વીશ કોઠારી પાસેથી જાણીએ. ટૂંકા વાળ, ઘેરી દાઢી-મૂછો, મોટી આંખોમાં તરવરતી લાલાશ, કરડાકી ભર્યો ચહેરો ધરાવતા પ્રશાંત દયાળ અસલ શિવસૈનિક લાગે. કોઈની કે કશાની પરવા ન હોવી એ ભાવ ઘણીવાર સામેની વ્યક્તિ સળગી ઊઠે એ હદે વ્યક્ત થતો રહે છે. તેઓ સંવેદનશીલતાને મોટે ભાગે રૂક્ષતાના આવરણ હેઠળ સલામત રાખે છે. ‘ક્રાઈમ રિપોર્ટિંગ’માં નિષ્ણાંત આપણા પ્રામાણિક મિત્ર પ્રશાંત દયાળ તેની નૈતિકતાના બદલામાં છ આંકડાની રકમની ઓફર પણ ઠુકરાવી શકે છે. 'દિવ્ય ભાસ્કર'માં જોડાવાની અને લેખક તરીકેના સંઘર્ષની વાતો આપણે માટે સમજવી એટલી સહેલી નથી.
જે પુસ્તક વાંચીએ તેની ટૂંકનોધ બનાવી પ્રતિભાવ આપવાની ટેવ ખોટી નથી – પણ વાંચેલા દરેક પુસ્તક વિષયક લખવાની હઠ કદાચ સમય માંગી લેતી હોય છે અને થોડા વધારે પુસ્તકો વાંચતાં રોકતી પણ હોય છે. ત્યારે હવેથી કોઈ કોઈ પુસ્તકો વિષે જ લખીએ તો ચાલે એવા વ્યક્તિગત નિર્ણય પર આવ્યો છું.
સ્વતંત્રતા (The Freedom)

બિનવ્યાવસાયિક સ્વતંત્ર લેખનની મઝા કદાચ સ્પર્ધાત્મક લખાણો, કૉલમ લેખન કે પુસ્તકલેખન કરતાં ઘણી રીતે જુદી પડે છે. અહીં સમય પાલનનો કોઈ આગ્રહ નથી હોતો – મુદ્દાસર કે પછી નિર્ધારિત ઢાંચામાં લખવાનો નિયમ લાગતો નથી – ઉપરાંત લેખનની લંબાણ વિષયક કઈં નક્કી હોતું નથી. મનમરજી મુજબ આંતરસ્ફૂરણાંથી કે વિચારવલોણુંમાંથી નીકળતો સાર લખવાનો હોય છે. આ અનુભવ કદાચ બધાએ જ કરવા જેવો છે. પત્રલેખન, લઘુનિબંધ કે પુસ્તક પ્રતિભાવથી શરૂઆત કરી શકાય!

‘જીવતી વાર્તા’ અને ‘ગુર્જર રત્ન’ બન્ને પુસ્તકોમાં એક સામ્ય એ છે કે બન્ને લેખકોએ લેખનના પાત્રોની રૂબરૂ મુલાકાત લઈ, તે પાત્રોના અનુભવોનું શબ્દાંકન કર્યું છે. 'જીવતી વાર્તા' જીવનના પ્રસંગોની આસપાસ છે, તો ‘ગુર્જર રત્ન’ જીવતા લોકોના જીવનચિત્રનું વર્ણન છે. બન્ને પુસ્તકો મેં સાથે વાંચ્યા છે – તેથી સાથે જ વાત અસ્થાને નથી! 


જીવતી વાર્તા (લે. પ્રશાંત દયાળ)

૨૦૦૩ થી ૨૦૦૭ દરમ્યાન ‘દિવ્યભાસ્કર’ માં અને હાલમાં ‘ગુજરાતમિત્ર’ માં પ્રસિદ્ધ થતી ૪૦ વાર્તાઓનો આ સુંદર વાર્તાસંગ્રહ છે. અહીં તમામ વાર્તાના પાત્રોને લેખકે રૂબરૂ મળીને સત્યઘટના આધારિત વર્તમાનમાં જીવતા લોકોને થયેલા અનુભવો અને ત્યાર પછી જીવનશૈલીના પરિવર્તનની વિગતે વાતો કરી છે. તેઓ કહે છે તેમ બીજાની જિંદગીમાં પીડાના ગોદામ છે તે સંવેદનશીલ વ્યક્તિ જાણે ત્યારે, રુદન કુદરતી પ્રતિભાવ છે – રુદન રોકવું અશક્ય છે. જિંદગીમાં ક્યારેક એવું લાગે કે તમે બધુ જ હારી ગયા છો, ચારેય તરફથી નિરાશા ઘેરી વળે અને તમારા પ્રશ્નોના ઉત્તર દૂર સુધી તમને ક્યાંય નજર ન પડે, તમને લાગે કે મધદરિયે તમે એકલા છો, ત્યારે આશાનું એક કિરણ નજરે પડે છે અને ફરી જીવવાનું બળ મળે તેનું નામ તે 'જીવતી વાર્તા'! 


વૃદ્ધાશ્રમમાં રહેતા દરેકનો જન્મદિન ધામધુમથી ઉજવતા પ્રકાશભાઈ શાહ, ચાની કીટલી પર કામ કરતા જુગનુની વાત, રાજુ – નફિસાના પ્રેમની અને વ્હીલચેરની જિંદગીમાંથી લાકડીના સહારા સુધી દ્રઢ મનોબળથી પહોંચતી નફિસા, નાનાભાઇ વસંતભાઈ, મહેશના મૃત્યુનો અનુભવ – મહેશના મૃત્યુ પછી સાવિત્રી સાથે વસંતના લગ્ન અને આવી દરેક વાત લાગણીના તાર ઝાંઝણવવા માટે પૂરતી છે. લેખક છેલ્લે કહે છે – બીજાનું દુ:ખ તમને રડાવે એનો અર્થ કે તમારી અંદર રહેલો માણસ જીવે છે – ચાલો, પુસ્તક વાંચીને પોતાની માનવતાની તીવ્રતા તપાસી લઈએ.

ગુર્જર રત્ન (લે. બીરેન કોઠારી)

જીવતી વાર્તામાં ટૂંકી વાર્તા વાંચ્યા પછી હવે ચાલો, ગુજરાતના ૩૪ મહાનુભાવોની જીવન ચર્ચા વાંચીએ. દરેક વિષે એક પુસ્તક લખાય એવી વાતો, લગભગ આઠ-દસ પાનામાં એક એમ કુલ્લે ત્રણસો પાનામાં ૩૪ જીવનકથાઓનો હ્રદયસ્પર્શી આલેખ એટલે ગુર્જર રત્ન! જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કરીને દર મહિને એક લેખે 'અહા! જિંદગી' માસિક (દિવ્યભાસ્કર જુથ) ઓગસ્ટ ૨૦૧૧ સુધી વૈવિયધ્યસભર વ્યક્તિઓને રૂબરૂ મળ્યા. મુલાકાત રેકોર્ડ કરી. વિવિધ સંદર્ભસાહિત્ય અને સંપર્કો દ્વારા માહિતી એકઠી કરતાં કરતાં વિગતવાર વ્યક્તિ પરિચય કરાવ્યો. વાચક લેખક સાથે એકાકાર થઈ પરિચિત વ્યક્તિનું જીવન અનુભવતો થાય એવો રસાસ્વાદ મેં એક સપ્તાહ સુધી માણ્યો. જાણે રૂબરૂ વાતચીત થતી હોય એવી લાગણી – ઐક્યતા અનુભવી. ૩૪ વ્યક્તિઓનું જીવનચક્ર – શૂન્યમાંથી મહાનતા તરફનો પ્રવાસ – લેખકે કર્યો અને શબ્દદેહ આપીને આપણને કરાવ્યો. આપણા ગુજરાતીઓ માટે ઘણાખરા લોકો પરિચિત અને આપણાંમાનાં એક હોઈ શકે. ડાહ્યીબેન પરમાર થી શરૂ કરીને ઘેલુભાઈ નાયક, રતિલાલ ‘અનિલ’, મધુ રાય, પુર્ણિમાબેન પકવાસા, વિનોદ ભટ્ટ, હરીશ રઘુવંશી કે મહેન્દ્ર મેઘાણી જેવા ઘણાબધા સાથે સંપર્ક – પરિચિતતા અને વાચક તરીકેનો સંબંધ વ્યક્તિગત ઐક્ય અનુભવવા માટે પૂરતો છે. આપણાં લોકોની સંઘર્ષકથા – તકલીફો – અનુભવો અને પરિષ્ઠતાનું છેલ્લું જીવન વાંચતાં કદાચ લાગણી – ધન્યતા અને અહોભાવ ન જાગે તો જ નવાઈ!
  • ૯૮ વર્ષ ખુમારીપૂર્ણ સફળ જીવન જીવનર ફોટોગ્રાફર હોમાય વ્યારાવાળા (વડોદરા) પતિના મૃત્યુની વાત લોકોને કહેતા નથી. કારણ, મારો શોક મારી અંગત બાબત હોવાનું માને છે. 
  • હરીશ રઘુવંશી (સુરત) ૧૨૯૨૬ ફિલ્મોની યાદી કક્કાવાર તૈયાર કરે છે – અનેક કટુ અનુભવો અને આર્થિક વળતરની નહીંવત અપેક્ષા છતાં સર્વોચ્ચ શક્તિ દ્વારા સોંપાયેલ કામ અનુષ્ઠાન કરનારા યોગિની એકાગ્રતાથી કરે છે. 
  • હાસ્યલેખોના સફળ લેખક વિદ્વાન વિનોદ ભટ્ટ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, ચિત્રલેખા, સહિત લગભગ બધી જ જગ્યાએ લેખો દ્વારા મળતા હોવા છતાં તેમની વાતો સાંભળતા જ શીઘ્ર હાસ્ય પ્રગટે – હકીકતમાં આ વિનોદભાઈ દર્દથી ઘૂંટાયેલ હાસ્ય તરફ પક્ષપાત સાથે જીવનશૈલી શીખવે છે. 
  • રાજવી–દરબાર–વિખ્યાત શાયર રુશ્વા મઝલુમી ઉર્ફે ઈમામુદ્દીનખાન બાબી પ્રગતિશીલ વિચારના અને લોક કલ્યાણના અનેક કામો પાજોદના રાજવી તરીકે કરે છે. 
  • રતિલાલ ‘અનિલ’ આખાબોલા સ્વભાવના, સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવ્યા હોવા છતાં ‘ગઝલ’ રચના કરતાં કરતાં ગઝલકારોની ચાર પેઢીના સાક્ષી બને છે. 
  • જ્યોતિ ભટ્ટ કેમેરાના કસબી – ફોટોગ્રાફર – પેઈન્ટર અને પત્ની જ્યોત્સ્ના ભટ્ટ સિરામિસ્ટ હતા. પચાસેક હજાર નેગેટિવરૂપે સચવાયેલ કલાવારસાનું શું થશે? એ સવાલનો હ્રદય સ્પર્શી જવાબ સાંભળવા જેવો છે. “નેગેટિવનું કઈં ન થાય તો છેવટે મને બાળવામાં હોમી દેશો તો, એટલાં લાકડાં બચશે.” 
  • ઘેલુભાઈ નાયક (ડાંગીઓના ભાઈ) મારા અંગત સ્નેહી - એમની અને મોટાભાઈ છોટુભાઈની જીવનશૈલી આહવામાં મેં કરેલા નેત્રયજ્ઞો વખતે રૂબરૂ માણી. ખાદીનું પહેરણ (બાંડિયું) અને ખાદીની ચડ્ડીનો આજીવન પહેરવેશ સાથે ડાંગીઓની સેવામાં એકરૂપ ઘેલુભાઈ સાથે હોવાનો ગર્વ ન લઈએ તો કેમ ચાલે? 
આમ ૩૪ વ્યક્તિઓની દિનચર્યા – જીવનશૈલી – સંઘર્ષકથા આપણાં બીરેનભાઈ લગભગ ત્રણ વર્ષ જીવ્યા અને તેનો સાર આપતું પુસ્તક ‘ગુર્જર રત્ન’ વાંચી ધન્ય થઈએ. 

પુસ્તક લેખનની કસરત લેખકે કરી – હવે ખરીદીની અને વાંચનની મહેનત આપણે કરીએ.

- ડો. ભરતચંદ્ર દેસાઈ, બીલીમોરા

પુસ્તકો:
૧. ગુર્જર રત્ન (૨૦૧૯),   લે. બીરેન કોઠારી
૨. જીવતી વાર્તા (૨૦૧૮), લે. પ્રશાંત દયાળ
પ્રકાશક : સાર્થક પ્રકાશન, અમદાવાદ




ગુર્જર રત્ન
લેખક: બીરેન કોઠારી
૨૦૧૯
પ્રકાશક: સાર્થક પ્રકાશન, 
અમદાવાદ

જીવતી વાર્તા
લેખક: પ્રશાંત દયાળ
૨૦૧૮
પ્રકાશક: સાર્થક પ્રકાશન
અમદાવાદ

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં (Before memory fades... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે.

જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે.

૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય.

આ અનાવિલની આત્મકથા છે એમ મેં કહ્યું ત્યારે મારે જણાવવું જોઈએ કે અહીં પ્રામાણિક્તા-સાક્ષીભાવ-સ્પષ્ટવક્તાપણું અને નીડર રજૂઆત સ્વાભાવિક જ છે. ૬૫ વર્ષ પહેલાં મોટા ભાગના અનાવિલો નિમ્ન-મધ્યમવર્ગમાં આર્થિક રીતે આવતા-પણ ગરીબી તેમની આગળ વધવાની ધગશમાં ક્યાંય આડખીલીરૂપ નથી હોતી. સમાજને અને તેથી જ તેમને ભણેલા મોટાબેન ડો. પ્રવિણાબેન માટે ખૂબ અહોભાવ-સન્માન અને તેથી જ આત્મકથા જયંતભાઈએ એમને અર્પણ કરી છે.

B.Sc., LL.B., LL.M., અને Ph.D. ભણેલા લેખક-સફળ વકીલાત કરીને અઢળક ધનના સ્વામી બન્યા હોત-તેમણે શરૂઆત નવસારીમાં વકીલાતથી કરી પણ ખરી. પણ અનાવિલ વારસાગત શિક્ષકનો જીવ તેમને શિક્ષક-પ્રોફેસર-આચાર્ય અને યુનિવર્સિટી ના ‘કાનૂની’ શાખાના ડિન બનાવીને જ જંપ્યો.

મેં ગયા વર્ષે બીલીમોરા ખાતે ‘વરિષ્ઠ નાગરિકો’ માટે “મારી આત્મકથા” વિષય ઉપર નિબંધસ્પર્ધા રાખી હતી-ત્યારે કુટુંબજીવન, અભ્યાસ, વ્યવસાય, અને જીવનનાં અનુભવોને આધારે માર્ગદર્શન એમ ચાર મુદ્દા પર લખવા કહ્યું હતું. મારી અપેક્ષાનાં બધા વિષયો અહીં એમણે વિગતવાર આવરી લીધા છે.

ઘડપણમાં યાદશક્તિ જતી રહેવા છતાં ભૂતકાળની બધી વાતો-વિગતો સંપૂર્ણ યાદ રહે છે-પણ આપના આ યુવાન લેખક માનસિક સ્વસ્થતા સાથે વિગતવાર નામઠામ સાથે વાત કરતાં હોય ત્યારે એ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું.

પુસ્તક પરિચયના લંબાણની ચિંતા મને વાતને ટૂંકાવીને મુદ્દાની વાત કહેવા સૂચવે છે.

ચાલો, રક્ષિકાબેનના પતિ, જલપા, જલધિ અને હર્ષના પિતા- જીનસાના આજા ડો. જયંતભાઈ -વકીલ, ખેડૂત અને શિક્ષક - પાસેથી જીવનનો સાર જાણીએ.
  • 61 - God alone is the doer, we are mere instruments in HIS hands. 
  • 123 - For retirement brings repose and repose allows a kindly judgment of all things. - John Sharp Williams 
  • Retirement, a time to do what you want to do, when you want to do it, where you want to do it and how you want to do it. - Catherine Pulsifer  
  • As your life changes, it takes time to recalibrate, to find your values again. You might find that retirement is a time when you stretch out and find your potential. Sid Miramontes. 
  • 6 - Everyone’s life is a page in human history irrespective of the position he or she holds or the work he or she performs. - APJ Abdul Kalam 
જિંદગીએ શીખવેલી અગત્યની બાબતો – 137
  • પરમકૃપાળુ પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખો. 
  • નિયતિએ નક્કી કરેલી તમામ ઘટના કે પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનો. લાગણી અને તર્ક વચ્ચે સમતુલા જાળવો. 
  • ક્યારેય કોઈપાસે કોઈપણ બાબતની અપેક્ષા રાખવી નહીં. 
  • માણસોને ઓળખતા શીખો. 
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા શિક્ષણને જીવનમાં અગ્રતા આપો. 
  • નિયમિત પ્રાર્થના અને હિસાબ લખવાની ટેવ પાડો. 
  • પરિવારના સભ્યો વચ્ચે નિખાલસ ચર્ચા કરો. 
  • શક્ય હોય ત્યાં સુધી, કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. 
  • કપટી સગાસંબંધીઓથી દૂર રહો. 
  • કોઈને છેતરશો નહીં, તેમ કોઈથી છેતરાશો નહીં. 
  • વિવિધ શોખો કેળવીને જીવન આનંદમય બનાવો. 
  • શક્ય હોય તેટલું સામાજિક અંતર રાખવું. 
A reader lives a thousand lives before he dies. The man who never reads only one. - George RR Martin
અલગ અલગ બાબતો અંગે વિચારો, અવલોકનો સૂચનો અને અભિપ્રાયો - 138
  • સ્વાસ્થ્ય: ઉત્તમ સ્વાસ્થય માટે દરેક સાનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સમતોલ ખોરાક, નિયમિતતા, કસરત, યોગ-ધ્યાન, પ્રાર્થના, વાંચન, પ્રકૃતિદર્શન, રાષ્ટ્રપ્રેમ, વાલીઓનો નિયમિત જીવંત સંપર્ક અને સારા મિત્રો આવશ્યક છે. 
  • શિક્ષણ: ઔપચારિક ઉપરાંત મૂલ્યનિષ્ઠ અને વ્યવસાયલક્ષી શિક્ષણ ને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. ઉચ્ચશિક્ષણ મેળવતી વખતે પ્રત્યેક બાળકે જરૂર પડ્યે કાઉન્સેલિંગ દ્વારા પોતાના રસ અને ક્ષમતાનુસાર વિદ્યાશાખા પસંદ કરવી જોઈએ. વ્યવસાયલક્ષી અભ્યાસ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
  • અર્થતંત્ર: મજબૂત અર્થતંત્ર સર્વ માટેની અનિવાર્ય જરૂર છે. રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવું હોય તો સીધી આર્થિક મદદ માત્ર અનાથ, વિકલાંગ, બીમાર અને વૃધ્ધને જ મળવી જોઈએ. બાકીનાને સ્વયં નાણાં મેળવી શકે તેવી તક પૂરી પાડવી જોઈએ. તો જ જાપાન-ચીનની જેમ work culture નું સર્જન થઈ શકે. 
  • પારિવારિક જીવન: પ્રત્યેક પરિવારની સુખાકારી અને વિકાસ આવશ્યક છે. તે શીખવવા, પરિવારિક જીવન અંગેનો વિસ્તૃત વિષય 11 કે 12 ધોરણમાં ફરજિયાત હોવો જોઈએ. આજકાલ પરિવારિક જીવનને દુ:ખદ બનાવતા પરિબળોમાં બાહ્યઆડંબર, અસંતોષ, ઈર્ષ્યા, અયોગ્ય જીવનસાથી, સ્વાર્થ, કરકસરનો અભાવ, મહેનત અને સાદાઈનો અભાવ, ધીરજનો અભાવ, વિનમ્રતા-પ્રામાણિક્તા અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ અને અન્યો પાસે વધુ પડતી અપેક્ષા વિગેરે ગણી શકાય. 
  • સુ:શાસન (Good Governance): લેખક છ ભાગમાં પ્રસિદ્ધ કરેલા લંબાણ સંશોધનના સાર તરીકે કહ્યું કે સુશાસન અંગે ભાગ્યે જ કોઈ નવા કાયદાની જરૂર છે. જરૂર છે માત્ર નિષ્ઠાપૂર્વક્ન અમલીકરણની એટલે કે “It is the optimum utilization of all natural, financial and human resources for the welfare of whole society.” 
    • સરકાર આ બાબતે નિષ્ફળ નીવડેલ છે. 
    • વિશાળ માનવીયબળ, કહેવાતા સાધુ, સંતો, મૌલવી, મુલ્લા, ધર્મગુરુઓના રૂપે, ભિખારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ, કૈદીઓ, બેકાર શિક્ષિત યુવાનો સ્વરૂપે વેડફાય છે. બીજી બાજુ માનવીય બળની અછત છે. 
    • શહેરો ગેરકાયદેસર ઝૂપડપટ્ટીઓથી ખદબદે છે. 
    • અઢળક સંપત્તિ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારામાં, ભ્રષ્ટ રાજકારણી અને લાંચિયા અધિકારીઓએ પાસે પડેલી છે, બીજી તરફ અમુક વર્ગ ખોરાક કપડાં અને રહેઠાણથી વંચિત છે. 
    • સત્તા મેળવવા અને તેને જાળવવામાં સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. 
    • સારું કામ કરનારની પ્રશંસા અને ખોટું કરનારને ત્વરિત શિક્ષા કરવાની જરૂર છે. 
    • સલાહ: પ્રજાએ જ સામૂહિક રીતે જાગૃત થવું પડશે. કટોકટી કરતાં પણ વધુ કપરો કાળ છે. 
  • આધ્યાત્મિકતા: અલૌકિક શક્તિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થવો અત્યંત આવશ્યક છે. ધર્મપુસ્તકોનું વાંચન, નિયમિત ઘરે જ આત્મચિંતન અને આત્મનિરીક્ષણ ધરાવતી આધ્યાત્મિકતા કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ શાંતિ અર્પે છે. 
People are illogical, unreasonable and self-centred. Love them anyway. - Mr Kent M. Keith  
આત્મકથા પાસેથી અપેક્ષિત બધી જ વિગતો જન્મ-અભ્યાસ-કુટુંબ-વ્યવસાય-લગ્નજીવન-અને બાળકો-વાંચ્યા પછી સૌથી મહત્વનો ભાગ તે જીવનનો સાર અને જીવનનો અર્થ ફક્ત આ આત્મકથામાંથી જ મળે છે-તેનું વિગતવાર વર્ણન લંબાણ થતું હોવા છતાં મેં અહી આપ્યું છે.
પ્રિ. ડો. જયંતભાઈ, અભિનંદન – આભાર અને શુભેચ્છા સાથે વિરમીએ ત્યારે દરેક વાચકની ભવિષ્યમાં આપની બીજી આત્મકથા (આત્મકથા-2) વાંચવાની અપેક્ષા અસ્થાને નથી શું?
ડો. ભરત એમ. દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા









મારા સંસ્મરણો
  • લેખક : ડો. જયંત ટી. દેસાઈ B.Sc. LLB, LLM, Ph.D.
  • જન્મ : 09-06-1965 મોસાળ વકતાણા (જી. સુરત) ખાતે
  • લગ્ન : 10-05-1985 રક્ષિકાબેન સાથે (શિક્ષિકા)
  • બાળકો : દીકરી: જલપા - લગ્ન શિવકુમાર સાથે - બાળક જિનસા
    દીકરી: જલધિ - લગ્ન વિશાલકુમાર સાથે
    દીકરો: હર્ષ
  • વ્યવસાયમાંથી સંપૂર્ણ મુક્તિ FEB-2019
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 12-06-2021

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય

આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. 

આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે.

આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે.

લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમાં પ્રદર્શિત થાય અને સિનેમા વિષે વિગતવાર વર્ણન આપતી માહિતી આવે. ત્યારે મને થતું કે આવા જીવનવીમાના કર્મચારી સાહિત્યચિંતન અને વિચારોનું ઊંડું મનોમંથન કઈ રીતે કરતાં હશે ? ‘આગિયાનું અજવાળું’ એ સવાલનો જવાબ છે. બાળપણથી વાંચનનો શોખ, અભ્યાસમાં સંસ્કૃત વિષય, અંગ્રેજીનો અભ્યાસ અને વાંચન એમને આપણાથી ઊંચા લઈ જઇ એક મહાન વિચારક અને સ્પષ્ટવક્તા એવા લેખક બનાવે છે. 
 

પુસ્તકની શરૂઆતમાં પ્રો.અશ્વિન દેસાઈ એ ખૂબ સરસ રીતે સાહિત્યિક શૈલીમાં લેખકનો અને તે રીતે પુસ્તકનો પરિચય દરેક અડતાલિશ પ્રકરણ આવરી લે એ રીતે કરાવ્યો છે, તેમણે યોગ્ય જ કહ્યું છે કે પોતાની ‘સાધારણતા’ માં રહેલી “અસાધારણતા” ને પામવાનો વિનમ્ર પ્રયાસ પુરૂષાર્થ માન પ્રેરે તેવો બની રહે છે. કોઈ મોટો વિવાદ જગાડવાના કે ‘પર્દાફાશ’ કરવાની મનોઋગ્ણતાભરી સ્થિતિથી કથાનાયક દૂર રહી શક્યા એ સ્વાસ્થતા અને સમતુલા પણ આવકાર્ય બની રહે છે.

૧૭૯ પાનામાં વિસ્તરેલી ૪૮ પ્રકરણોની આ આત્મકથામાં વિગતો તો છે જ પણ તે કરતાં વધારે સ્વાનુભાવના વર્ણન પછી તેનું વિષ્લેષણ અને માનસિક મનોભાવ ખૂબ આકર્ષક બની રહ્યા છે.

અનાવિલો વિષયક લેખ (પ્રકરણ-૧૫) જેવુ પ્રમાણિક-જ્ઞાતિનું અને તેથી પોતાના સમાજનું-ચિત્રનું વિવેચન ખૂબ પ્રશંસનીય અને સમાજ માટે માર્ગદર્શક બની રહે છે. “હમસચ્ચાઈ” અને “આપવડાઈ” જેવા કુલક્ષણો ધરાવતા અનાવિલો સુધરશે ? મુશ્કેલ છે.

લેખકની પ્રમાણિકતા ઘણાબધા વર્ણનોમાં દ્રષ્ટિપાત થાય છે. તે ખરેખર પ્રશસનીય અને માણવાલાયક છે. ઘરે પૈસાની ચોરી-ગામમાંથી નવાપુરમાં મિત્રમંડળી સાથે મળી ૧, ડોલ-દોરડું, ૨, ચંપલો અને ૩, દુકાનમાંથી અવારનવાર નાળિયેરની ચોરીનું વર્ણન અને કબૂલાત ગાંધીજીની આત્મકથાથી સુરેશભાઈની વાતને ઘણા જ ઉપર ઊર્ધ્વગામી લઈ જાય છે.

ભાષાનો આડંબર કે જટિલતા લેખકને જરૂરી નથી લાગતી તેઓ સરળ સમજાય એવી ભાષાના વર્ણનમાં પોતાની વાત અને વિચાર સરસ રીતે રજૂ કરી શકયા છે.

પ્રથમ ધુમ્રપાન ની કબૂલાત અને માના ઠપકાની ગેરહાજરી બાળકને કેટલું નુકશાન કરી શકે તે દરેક માબાપે જાણવા-સમજવા જેવુ છે. હા, બાળપણમાં કરેલા મદ્યપાને તેમને દારૂડિયા નથી બનાવ્યા તે બાબત ખરેખર પ્રશંસનીય છે.

પારાવાર ગરીબીએ તેમને બાળપણથી જ ઉદ્યમી બનાવ્યા છે. નવાપુરમાં શનિવારી હટવાડા બજારમાં અઢી વર્ષ નો ઉદ્યમ અને કમાવા માટે કરાતી ચાલાકીનું વર્ણન- આદિવાસી ગરીબોની બીજા ચાલાક ગરીબ દ્વારા શોષણ વિગેરે વાંચીએ તો જ સમજાય. અનાજ લેતી વખતે મોટું માપિયું, વેચતી વખતે વધારે વજન કરતું ત્રાજવું અને અનાજમાં કાંકરીવાળી માટીની ભેળસેળનું વર્ણન ખૂબ નમ્રતા માંગે, બાકી કોણ પોતાની નબળાઈ આ રીતે બતાવે. ?

મિત્ર ‘જેમી’ ના દીકરાની નવજોતમાં વહેવારમાં આપવાના અગિયાર રૂપિયા ન હોવાની લાચારીને કારણે ગેરહાજરી કદાચ ગરીબીના પ્રત્યક્ષ અનુભવી સિવાયનાને ન સમજાય. કોલેજમાં તૂટેલી ચંપલ સાથે છુપાતા ઘરે જવાનો અને ફાટેલા શર્ટનો શાળાનો અનુભવના વર્ણનો આપણી સગાંઓની તકલીફો માટેની બેફિકરાઈ નથી ?

પુસ્તક પરિચય વખતે લેખકની સાથે સાથે પોતાની વાત ના હોય એ જાણવા છતાં એમની માં અને મારી પત્નીની માની સરખામણી ક્ષમ્ય ગણશો. સુરેશભાઈની એક વર્ષની ઉંમરે પિતા અવસાન પામ્યા ત્યાર પછી તેમની છઠ્ઠી ભણેલી માં ભણીને સાતમું ધોરણ પાસ કરે છે અને શિક્ષિકા બની પોતાનો અને બાળકનો જીવનનિર્વાહ કરે છે. બરાબર એવી જ રીતે મારા પત્ની ભાવનાનાં પિતા અને જન્મ પછી તરત જ અવસાન પામે છે, ત્યારપછી માં ઇન્દુબેન એસ.એસ.સી. ભણેલા તે અભ્યાસ આગળ ધપાવી ડોક્ટર બની ને ત્રણ બાળકો મોટા કરે છે. તે વાત બન્ને ને ગૌરવવંતીત કરે છે. તે વાત અને બન્ને મોસાળમાં જ મોટાં થાય તે વાત આપના સમાજની નામોશી ન કહીયે તો શું ? મરેલા ભાઈના કુટુંબની દેખરેખ બાકીના સભ્યો કેમ નથી સ્વીકારતા અને ફક્ત મોસાળનો- પિયરનો-જ સહારો એકમાત્ર આધાર હોય એ આપણી નિર્બળતા છતી કરે ત્યારે લેખકનો સમાજ માટે આક્રોશ આસ્થાને નથી.

પુત્ર શર્મનનું અકસ્માતમાં નાની વયે મૃત્યુ અને ત્યારપછી લેખકનું વર્ણન-કદાચ આપણે સમજી ન શકીએ. ભગવાન કોઈને આવું જીવન ભરણું સહેવાનું ન આપે.

પુસ્તક પરિચય પુસ્તક કરતાં લંબાણ ન થઈ જાય એટલા માટે અટકું છું. બાકીની વાતો એમના જ શબ્દોમાં વર્ણવી છે.

જન્મનું પ્રથમ વર્ષ એંધલ, પછીના આઠ વર્ષ મોસાળ આટમાં, ત્યારપછી એક વર્ષ નંદુરબાર અને આઠ વર્ષ નવાપુર, ફરીથી આટ-આમરી-આટ અને છેલ્લે નવસારીમાં સ્થાયી થયેલ લેખક ભટકતું જીવન (Nomadic Life) જીવ્યા છે, ત્યારે તેમનો અનુભવ એમને વિચારક-ચિંતક ન બનાવે તો જ નવાઈ.

ચાલો, થોડી વાતો સીધેસીધી જાણીએ.
  • ૪૦ - શનિવારી હાટમાં નવાપુર વેપારના અઢી વર્ષ : સંજોગો સાથે હાર સ્વીકાર્યા વિના પડી આખડીને ઊભો થતાં હું આ અઢી વર્ષો પાસેથી શીખ્યો. 
  • ૪૨ - નવાપુરના બાળપણના મહામુલા સાત-આઠ વર્ષો વાંદરીનું બચ્ચું વંદરીને વળગે એમ મને વળગ્યાં. 
  • ૪૭ - કોલેજ અભ્યાસ દરમ્યાન આટ એકલા રહેવું પડ્યું ત્યારે, આજુબાજુના અનાવિલો એ ખાધું છે કે ભૂખ્યો છે એ જાણવાની તમા ના રાખી. જાતે રસોઈ કરવાનું અને એકલા બેસી જમવાનું ખૂબ કપરું હતું. 
  • ૫૦ - બાળપણ ભૂલીને જીવનની જંજાળ અને ઉપાધીઓમાં વ્યક્તિ એવી અટવાઈ જાય છે કે ચિંતા, નિરાશા, અભ્યાસ અને હતાશા સિવાય એની પાસે કઈં રહેતું નથી. બાળપણ જેના હૈયામાં જીવે છે એ વ્યક્તિની નિર્મળતા, ભોળપણ, રમતિયાળપણું પણ આજીવન ટકી રહે છે. 
  • ૫૨ - યુવાસ્થામાં વાંચન-ફિલ્મો અને ફિલ્મીગીતોનો શોખ હતો. નાણાંભીડ અને લઘુતાગ્રંથિ બેડીથી હું બધાયેલ હતો તેથી યુવાનની ગર્મજોશી, ખુદ્દારી કે અલ્લડપણાં સિવાયનું મારૂ યુવાન એ કુંઠિત યૌવન હતું. 
  • ૫૬ - એંધલની પોતાને ભાગે પડતી ૨૦ વીંઘા જમીન જ્ઞાતિબંધુ પડાવી ગયા ત્યારે કોર્ટનો અનુભવમાંથી શીખ્યા, કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે થોડું નુકશાન વેઠીને પણ પ્રતિવાદી સાથે સમાધાન કરી લેવું એ શ્રેષ્ઠ રસ્તો છે. 
  • ૧૦૨ - વિતેલા વર્ષો દરમ્યાન કરેલો સંઘર્ષ, એ દુ:ખ, એ પીડા, એ લાચારી અને અકિંચન હોવાની એ વેદનાને હું યાદ કરું છું ત્યારે મનમાં કોઈ કણસ નથી ઊપડતી બલ્કે ફરીથી માણવાની તિતિક્ષા આજે પણ મનને તરસ્યું તરસ્યું કરી મૂકે છે. 
  • ૧૦૩ - આપમેળે રસ્તો શોધવાનું ખમીર મારા એ સંઘર્ષભર્યો વર્ષો એ મને આપ્યું હતું. 
  • ૧૧૭ - સારી બાબતો કોને કહેવી એ મતાંતરનો વિષય છે. પરંતુ બીજી કોઈ વ્યક્તિને નુકશાન ના કરે, બીજાના મનમાં દુ:ખ ઊભું ન કરે અને આપણને આનંદ આપે એને હું સારી બાબત ગણું છું. મંદિરોની ચાર દીવાલમાં બેઠેલા ઈશ્વર કરતાં વૃક્ષો, પર્વતો, સરિતા સાભાર પ્રકૃતિક વાતાવરણમાં ઈશ્વરનું વજૂદ કે અસ્તિત્વ મારે માટે વધારે સ્વીકાર્ય બની રહ્યું છે. 
  • ૧૩૯ - લેખકે જીવન વીમા, ઉચ્ચ અધિકારી પદ સાથે સંગઠન (Union) ના અને અનાવિલ સમાજમાં કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે. સંગઠનના નૈતૃત્વનો કેફ નશીલા પદાર્થો થી ઓછો નથી. તેમનો બન્ને જગ્યાએ (નમુનેદાર સેવાઓ, સમયના અને કુટુંબજીવનના ભોગે આપી હોવા છતાં) અનુભવ સારો નથી. 
  • ૧૬૬ - ગુજરાતમિત્રની બુધવારની પૂર્તિમાં ધમાચકડી શીર્ષક હેઠળ હાસ્યકોલમ લખી. હાસ્યલેખનના સર્જનમાં થોડી તાણ જરૂર રહેતી, પરંતુ એ તાણ પ્રસૂતાની મીઠી વેદના જેવી હતી. માણસનું હાસ્ય બહુધા દુ:ખ અને પીડામાંથી જન્મેલું હોય છે. મારૂ દુ:ખ અને મારી પીડા જ મારા વિનોદી લેખોનું કારણ બન્યા. 
  • ૧૭૪ - મુંબઈના તબીબોનો મારો અનુભવ તબીબી વ્યવસાય તરફ તિરસ્કાર ઉપજાવે એવો હતો. તગડી ફી વસૂલતી મુંબઈની હોસ્પિટલોમાં ગંભીર રોગોના દર્દીની પૂરતી કાળજી લેવાતી નથી. 
  • ૧૭૮ - My best years are yet to come. આપણે ધીમેધીમે અદ્રશ્ય થતાં જોઈએ છીએ અને નવાગંતુકોના રૂપમાં જીવંક્રમ ચાલતો રહે છે. ફરી એ જ શૈશવ, એ જ યૌવન, એ જ ઘડપણ એ જ સંઘર્ષ, એ જ સ્વપ્નો, એ જ સુખની તરસ, એજ અતૃપ્તિ અને એ જ આભાસી સંતૃપ્તિ. 



આ આત્મકથા મારી, તમારી અને આપણી વાતોના સંગ્રહ છે. તેથી લેખક આપણાં મનમાં એક “મહાનુભાવ” હોવાથી ખૂબ હ્રદયસ્પર્શી બની છે. આત્મકથા લેખક જીવનની કરૂણ ગરીબીની તકલીફો એકલપંડે સહન કરતાં હોય ત્યારે મદદરૂપ ન થવાની સમાજની નિર્લજ્જતા તેમને સમાજદર્શન કરાવી આક્રોશ રજૂ કરવા પ્રેરે તે સ્વાભાવિક છે.

પંદરમાં પ્રકરણનું ‘અનાવિલ જ્ઞાતિ’ નું વર્ણન આખેઆખું લખવાનું મન છે, છતાં થોડી વાતો જાણીએ.

અનાવિલ જ્ઞાતિ:
  • ૧. આખાબોલાપણું એ અનાવિલોની વિચાર શુન્યતાની બહુ નજીકની પરિસ્થિતી છે. આમ આખાબોલાપણું દ્વારા સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતો અનાવિલ કઈ રીતે સારો કહેવાય? 
  • ૨. ટેકીલાપણું એ અનાવિલોનું મિથ્યાભિમાન છે. 
  • ૩. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. 
  • ૪. આર્થિક સંકડામણમાં જમીનનો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી છે.   
  • ૫. અદેખાઈ પણ ભારે ભૂંડી, પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ન જાય. એની બદબોઈ કરે. 
  • ૬. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ના મળે. 
  • ૭. ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે અનાવિલ યુવાનના માબાપનો અહમને ઠેસ પહોંચાડતી મે જોઈ છે. ની:સહાય, દુ:ખી, અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ સંબંધ રાખતું નહીં. 
  • ૮. બડાઈ મારવી-દુનિયાની ફિકર કરવી એ અનાવિલનું સામૂહિક લક્ષણ છે. 
આ બધુ જોતાં જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે.

હજુ ઘણી બધી વાતો કહેવાનું મન છે, પણ તે લાલચ ને છોડી સમાપન કરું.
આત્મકથા દ્વારા સંઘર્ષ કરતાં સુરેશભાઈ ના શરૂઆતના ચોપન વર્ષ આપણને વિગતવાર અને જીવનનો સાર સમજાવતા વાંચવા મળ્યા. જીવન વિષે એમનો ભાવ કોઈ ઉપદેશ વગર બસ મનોમંથન કરતાં કરતાં જાણવા મળે એનાથી રૂડું શું?
બીજી આત્મકથા-આત્મકથા ભાગ-૨ ની વિનંતી કરી શકાય? આપણી મિત્રતા એટલો હક્ક તો આપણને આપે જ છે, તે આપે ત્યાં સુધી ‘પ્રિયમિત્ર’ દ્વારા એમને સાંભળતા-સમજતા રહીએ.   

ચાલો સુરેશભાઈને પ્રણામ સાથે શુભેચ્છાઓ પાઠવતા રહીએ.

ડો. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
તા. ૩૦-૦૫-૨૧

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!  

“વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે.

કોઈ જાતની કટુતા, ટીકા કે ડંખ વગર નિર્ભેળ પ્રેમ-સરળતા-લાગણી બતાવતા પત્રો અને મુલાકાતો દ્વારા પરિચય આપતી જીવનકથા વાંચવી જ રહી.

ચાલો, પહેલાં આપણે હરેશભાઈ ધોળકિયા સાહેબનો પરિચય મેળવીએ.
  • જન્મ: તા. 30 જૂન 1946
  • પિતા : ચમનલાલ 
  •  માતા : રસિકબાળા
  • મોટાભાઈ : સુધાકર 
  • નાની બહેન : દર્શના
  • પત્ની : વંદનાબહેન - લગ્ન : 1972
  • વ્યવસાય : શિક્ષક, આચાર્ય
  • નિવૃત્તિ : 45 વર્ષે 31 જુલાઈ, 1991 સ્વૈચ્છિક નિવૃત્તિ
  • પ્રિય સ્થળો : જ્યાં હોઉ ત્યાં, મહ્દ અંશે ઘર, સમુદ્રકિનારો
  • પ્રિય વ્યક્તિઓ : સમગ્ર જગતની
  • કુદરતી ઉપચાર (1983થી) અને શીવામ્બુ ચિકિત્સા (1981થી) સક્રિય
  • મુખ્ય શોખ : વાંચન, લેખન, પ્રવચનો, શિબિરો, સંગીત, વિચરવું, અનેક વિષયોમાં જિજ્ઞાસા
પુસ્તકવાંચન મિત્રો શોધી આપે છે, એવું પહેલીવાર જાણ્યું-અનુભવ્યું. મારા સ્નેહી આચાર્યા શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ મને “અંગદનો પગ” પુસ્તક વાંચવા આપ્યું. મે સ્વભાવવશ વાંચીને પ્રતિભાવ એમને અને આપશ્રી ને લખી મોકલ્યો. તેનું પરિણામ તે મારા નવા મિત્ર વડીલ શ્રી હરેશભાઈ! (આવા અકસ્માતો ઓછા થતાં હોય છે. કારણ કે સાહિત્યકારો કદાચ આપના જેવા અપવાદ રૂપે જ સાદા રહેતા હોય છે. બાકી તો, થોડુંક નામ થવાથી તેઓ વાચકોના પત્રો વાંચતાં નથી - જવાબ તો બહુ દૂરની વાત થઈ.)

પુસ્તક દ્વારા આપનો પરિચય થયો, પણ ઉંમર સિવાય વધુ વિગતો ન હતી. ત્યારે આપના વિદ્યાર્થીઓ - વિરેન શેઠ અને જીના શેઠ - દ્વારા લખેલ “વ્હાલનું અક્ષયપાત્ર” પુસ્તક દ્વારા વિગતવાર અને સંપૂર્ણ પરિચય થયો.

મારા જીવનમાં ભણતર દરમ્યાન અમિટ છાપ છોડનાર પાંચ ગુરુજીઓને ટેલિગ્રામ, ટેલિફોન કે તે પહેલાં પત્ર દ્વારા હું દર ગુરુપૂર્ણિમાએ પ્રણામ પાઠવતો. તેમના પ્રતિભાવો પણ નિયમિત મળતા. તેઓ ધીરેધીરે વિદાય થયા ત્યારે આપના પુસ્તક પછી આપના વિદ્યાર્થીઓ પ્રત્યે આપે દાખવેલ પ્રેમ જોઈ મને તેમની યાદ તાજી થઈ.

ચાલો હરેશભાઈ વિષેના મંતવ્યો મમળાવીએ!
 
વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, સગા સંબંધીઓ અને સાહિત્યકારો દ્વારા હરશેભાઈના જીવનની વિશેષતા જ એ કે - એમની પોતાની આગવી શૈલીથી જીવન જીવે. એમનું જીવન બધાથી તદ્દન અલગ. એમની જીવનશૈલી ફક્ત તેમણે જાતે લીધેલા નિર્ણય પર આધારિત. કોઈની સલાહ કે કોઈના આદર્શ કે કોઈના નિર્ણયથી પ્રભાવિત નહીં. એક વખત નિર્ણય લીધો પછી એમાં કોઈ ફેરફારની શક્યતા નહીં. (૭૭, નાના બહેન ડો.દર્શના

તેમને હું ‘મિનિ ગાંધીજી’ કહું, કારણકે એમણે એમની સમાજલક્ષી પ્રવૃત્તિ, વિચાર લેખન અને શિક્ષણ, ભલે કૌટુંબિક જીવનના ભોગે પણ ચાલુ રાખી છે. અને તે પણ જિંદગીના આઠમાં દાયકા સુધી જરાપણ ચલિત થયા વિના. (૭૭

મરતી વેળા હું કશી બચત ધરાવતો ન હોઉં તેથી શું? કદાચ કફન જેટલા રૂપિયા મારી પાસે ન હોય તો તેની ઉપાધિ પણ મારે શા માટે કરવી? (૩૯૮

૪૫ વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારનાર હરેશભાઈ-સવેતન શાળા-શિક્ષક મટીને અવેતન લોકશિક્ષક તરીકે અનૌપચારિક શિક્ષણમાં મસ્ત. (૩૯૯

સ્વભાવે શરમાળ અને ભણતરમાં સાધારણ પણ બાળપણથી વાચન ઝનૂન એવું કે રોજની એક ચોપડી તો વાંચે જ વાંચે. (૩૯૯

અલીયાબાડાની દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિધ્યાલયમાં પ્રખર પૃચ્છક (પ્રશ્ન કરનાર) તરીકે પંકાયા. (૪૦૧

વિદ્યાર્થીઓ અને પ્રૌઢોને જાતીય શિક્ષણ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે આપ્યું. 

સ્વભાવે નાળિયેર જેવા કઠોર અને કોપરાં જેવી મીઠાસ ધરાવતા હરેશભાઈ આનંદના ભાવ ઉછળીને ન બતાવે, જેથી કોઈવાર લાગણીશૂન્ય લાગે. 

Crystal Clear Personality - પારદર્શી વ્યક્તિત્વ: એમને તમે સોંસરવા જોઈ શકો અને છતાં કહી પણ ન શકો એવા અભેધ. 

વસ્તુને અને વ્યક્તિને ખુલ્લા દિલથી સ્વીકારે, પૂર્વગ્રહ થી નહીં. તેમણે પોતાની શાલીનતા-તાજગી કદી છોડી નથી. (૭૯

એ ટોળાંના માણસ નથી, પણ one-to-one સંબંધોના માણસ છે. 

સંબંધોની વ્યાખ્યાની બહાર જીવનારો માણસ છે અને ચોકઠાની બહાર (Out of Box) વિચારનારો માણસ છે. (૭૯

હરેશભાઈ તેમની તર્કશીલ બાહ્યપ્રતિભા નીચે એક સંવેદનામય લાગણીઓ ધરાવતો વ્યક્તિ છે. (૮૨

પરિવારમાં સૌ એકબીજાને મૂક રીતે ચાહતા. કોઈ દેખાડો નહીં. બસ માત્ર ચાહવું એજ પરસ્પરનો એકમાત્ર સ્વધર્મ. ટાંચા સાધનો, આર્થિક સંક્રામણ, સંયુક્ત પરિવાર, અને જીવનની ગુંચો- આ બધા વચ્ચે અમારું બાળપણ વીત્યું. (૮૫, બહેન દર્શના)

હરેશનું જીવન તદ્દન અંતર્મુખી, નીરવ, અવધૂત સમું રહ્યું. સંસારની ભરમારોથી દૂર, એકલપંડ, પણ તેમનું શિક્ષકત્વ પ્રભાવક રહેવાથી તેનો પ્રભાવ ખૂબ વિસ્તર્યો. (૮૭

કાકા કહે કે કોઈપણ બાબત માટેનું કારણ હોય જ. એ શોધી લેવું તો કોઈ નકારાત્મક લાગણી નહીં અનુભવાય. પછી એ કોઈ બીક હોય કે કોઈ માટેનો પૂર્વગ્રહ. (૮૧, ભત્રીજી ઉત્કંઠા

હરેશભાઈ ક્યાંય બંધાતા નથી. કોઈ ગુરુની કંઠી પહેરી નથી. પણ અનેક ગુરુઓની સાધના જાણી છે – સમજી છે અને સમાજમાં લેખો દ્વારા પહોંચાડી છે. (૧૦૫

“કચ્છમિત્ર” દૈનિકમાં કચ્છ વિષે ૪૦ વર્ષથી અભ્યાસપૂર્ણ લેખોનાં લેખક. (૧૦૭

તેઓ ચિંતકની ચિત્તવૃત્તિને પણ મઠારે એવા વિચારક છે. (૧૧૦

ધર્મમાં શ્રદ્ધા માનવું-ન-માનવું વગેરેમાં ફસાયા વગર પોતાની આંતરિક વૃતિઓને જ હંમેશા ચકાસવાનુ કહે. ગમે તે કરીને મૂળ ઉદ્દેશ્ય “જાગૃતિપૂર્વક જોવું” જ હોવો જોઈએ. (૧૪૭, Awareness)

શ્રી શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાભાવે, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, જેવા અનેક મહાપુરૂષોએ હરેશભાઈને ગૃહસ્થાશ્રમી સાધુ બનાવ્યા. શિક્ષણ માટેનો ભેખ લેવડાવ્યો અને સમાજના બાળકોને જ પોતાના સંતાન બનાવ્યાં. (૧૫૧

મૌજ કરો નહીં - મોજ માં રહો! (૧૪૩

સાલું આમને આંખમાં ક્યાક વાંધો હશે કે શું? બધામાં સારું જ દેખાય છે. ખરો માણસ છે, નહીં? 

જેમના સુખનો આધાર વ્યક્તિ, ઘટના કે સ્થળ પર ન હોય તે સુખી વ્યક્તિ. 

જેનું તંત્ર “સ્વ” પર હોય તે સ્વતંત્ર. સ્વતંત્ર વ્યક્તિ જ સુખી. (૧૮૦

હરેશભાઈ એક હરતી ફરતી યુનિવર્સિટી છે, એમ કહીએ તો ખોટું નથી. તેઓ જે કામ ઉપડે તેમાં મંડ્યા રહે અને પૂર્ણતાને પ્રગટાવે. (૧૩૪

ઘણાબધા સાહિત્ય પ્રકારો એમણે ખેડયા છે, અનેક ક્ષેત્રોમાં એમની સેવાની સુગંધ પ્રસરી છે. વિવિધ વિધ્યાઓમા ચાંચ ડુબાડી છે. અને કંઈકેટલાના પથદર્શક બન્યા છે. તેથી હરફનમૌલા સાબિત થયા છે. (૧૩૬

હરેશભાઈ હંમેશા કહે, લખતા રહો. લખતા રહો, એક દિવસ તમારું નામ પણ આગળ હશે, હશે અને હશે જ. (૧૨૫

વડોદરાની બાજુના મુનિ આશ્રમ, ગોરજમાં અનુબેનને તેમના બ્રહ્મચર્ય અને સેક્સ વિષે સવાલ પૂછેલા. (૧૧૮

હવે પછીની તેમની યાત્રા - પ.પૂ.ધ.ધુ.(પરમપુજ્ય ધર્મ ધુરંધર) બનવા તરફની દેખાય રહી છે. (૧૧૮)

હરેશભાઈ ધોળકિયાનો સ્વ-પરિચય
: (પોતે આપેલો પરિચય)
  • ભણવામાં હું તદ્દન નબળો હતો. મારા બધા મિત્રો અતિ હોંશિયાર. માત્ર હું જ ભયંકર ઠોઠ. (સફળ શિક્ષક, આચાર્ય, પ્રસિદ્ધ લેખક, અને પ્રભાવશાળી વક્તા તરીકેની નામના થયા પછી હરેશભાઈની નમ્રતા જ આવું સ્વીકારી શકે.)
  • છોકરીઓ ખૂબ ગમતી. તે સન્યાસી થવા દે એમ ન હતું. એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. (પારદર્શક પ્રમાણિક્તા - નિર્દમ્ભ ખુલ્લાપણું હોય તો જ આ વાત કારણ સ્વરૂપ પ્રદર્શિત કરી શકાય.)
  • શિક્ષક તરીકે “ચારસો ટકા આનંદ”! આજનાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે એવો જ પ્રેમ તેમના પ્રત્યે ઉભરાઈ આવે છે. વિદ્યાર્થીઓ જ મારા સંતાન રહ્યા છે અને આજે પણ છે. (આદર્શ શિક્ષક અને ગુરુ-શિષ્યના સંબંધની આ ઊંચાઈ વિદ્યાર્થીઓને નસીબથી જ મળે. આવા આદર્શ શિક્ષકને રાજ્ય કે રાષ્ટ્રીય સન્માન એટલે વિદ્યાર્થીઓનો પ્રેમ.)
  • નિવૃત્તિ પછી ૨૯ વર્ષથી મોટા ભાગે ઘરે રહીને જ કામ કરેલ છે. મુખ્ય પ્રવૃત્તિ લખવું-વાંચવું જ રહી છે. ઉપરાંત પોતા સાથે સમય ગાળું છું. હરું છું. ફરું છું. મજા કરું છું. (વરિષ્ઠ નાગરિક ૭૪ માં વર્ષે આનંદપૂર્વક પ્રવુત્તિમય દિવસ અને તેથી જીવન જીવે - એજ એમનો ઉપદેશ.)
  • If You Love What You Are Doing, You Will Be Successful. તેમણે આ વાક્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને નેત્રદિપક સફળતા મેળવી છે.
૪૨૨ પાનાનાં પુસ્તકનો સાર અથવા પુસ્તક પરિચય ટૂંકમાં લખીએ તો પણ લાંબો જ થઈ જાય એટલે કથાવસ્તુની વિગતો સમાવી શકાય. જીવન ઝરમરમાંથી વ્યક્તિનો પ્રાથમિક પરિચય થઈ જાય – પછી વધુ સમાવવાના લોભને મેં છોડીને કલમને વિરામ આપવાનું નક્કી કર્યું. આશા છે હરેશભાઈ ધોળકિયાનો ઓછો પરિચય મેં અહી સમજાવ્યો છે – વધુ ઉત્કંઠા જાગે તો પુસ્તક વાંચવા સિવાય છૂટકો નથી.





વહાલનું અક્ષયપાત્ર
  • પુસ્તકનું નામ: વહાલનું અક્ષયપાત્ર
  • સંપાદન : જીના શેઠ, વિરેન શેઠ
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૦૮-૦૮-૨૦૨૦
  • વર્ષ : ૨૦૧૯
  • પાનાં : ૪૨૨
  • પ્રકાશન : સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે. 

ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે. 

ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે. 

પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ અંગદનો પગ!

વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ. 

“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાન ના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે. રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે  છે, પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? આવા પ્રતિભાશાળી પાત્રની વાત હોય તો નવલકથા “અંગદનો પગ” શા માટે નહીં? કથાવાર્તાનો પરિચય હું કરાવીશ પણ બધી વિગત અને અંત ન કહીને આપણી ઉત્કંઠા અને વાંચવાની આતુરતા જાળવી રાખીશ. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહ ની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે. એ બન્નેના પ્રિય વિદ્યાર્થી જે ભણીને હાર્ટ સર્જન બને છે-તેના બન્ને ગુરુજીઓ સાથેના સહવાસથી થતી અસરોનું વર્ણન છે. આ નવલકથામાં વિચારોના વલણોમાંથી નીકળતું અમૃત હું આપને બતાવીશ.

  • પ્રતિભાશાળી (First Raters) અને સામાન્ય (Secid Raters) ના સંઘર્ષની અહી ચર્ચા છે.
  • આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધારી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી.
  • મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. અહી કિશોર દવેને તેની માં, પ્રો. રાઠોડ અને સાથી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ તેની મર્યાદા બતાવે છે અને તેથી તેઓને તે દુશ્મન બનાવે છે.
  • અનુભૂતિ (Awareness), આંતર પ્રજ્ઞાનો અવાજ (Spark), જીવવાની ઈચ્છા (Willpower), અને માધુર્ય (Grace) થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ મહત્વાકાંક્ષા, ધારદાર પૃથક્કરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન છે.
  • જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ (અંદરનું અનંત જગત જે પૂર્ણ છે) ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે. તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી (મિશન એટલે ચોક્કસ નિર્ધારિત હેતુ માટે કાર્યરત રહેવું) તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
  • શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
  • એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે. આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
  • સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
  • પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે. ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ (Awareness)નું જ્ઞાન આપે છે.
  • સરાસરીપણું અને સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે – તેઓ સ્વીકાર (Confessions) – કબૂલાતનામું વર્ણવે છે – તેઓ સમાન્યપણાના અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન (Catharsis) કરે છે. તેઓ પોતાને સિંહનું ચામડું પહેરેલ ગધેડો- કાયર – કહે છે. વધુ માટે “અંગદનો પત્ર” વાંચવું પડે.
  • માનવસ્વભાવ નિશ્ચિત છે – તે અમુક રીતે જ વર્તે છે – જન્મની પળે બુદ્ધિશક્તિને એક ગતિ (Momentum) મળે છે – પછી લઘુતાગ્રંથિ- આળસ- ઈર્ષ્યા કે ઝેરીવલણ સામાન્યતા તરફ દોરે છે – તો પ્રજ્ઞા – જ્ઞાનીપણું – પ્રતિભા મહાન બુદ્ધિશાળી બનાવે છે. આપણે શું કરવું છે?
આમ ગુજરાતની બધી શિક્ષણ સંસ્થાઓ માં વંચાયેલું M.Phil ના સંદર્ભ પુસ્તક તરીકે ખેડાયેલા M.Ed ના વિધ્યાર્થીઓ દ્વારા શોધ-નિબંધ માં વર્ણવાયેલ અને નાટ્યરૂપાંતર પામેલ આ નવલ આપણે વાંચીશું ને?

      



અંગદનો પગ
  • પુસ્તકનું નામ: અંગદનો પગ
  • લેખક : હરેશ ધોળકિયા
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 23-Jul-2020
  • કિમત : ₹150
  • પાનાં : 184 + 16 પાનાં
  • પ્રકાશન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (2006)


Soulful Simplicity - Book Review

How long can a book review of a 230+ pages book be considered ideal? I was not sure, so I ignored this and summarised it in my way. 

The author Courtney Carver was diagnosed having 'multiple sclerosis' – a gradually increasing and killing disease. She did not surrender, instead, she decided to live life debt-free, clutter-free, mostly stress-free, and this way she found out the purpose of life. To our surprise, she got cured of the disease. 

She shared her experience in this book talking about soul by 'hand to heart exercise' and simplicity in 'Project 333'. Let us see both and understand the book. 

Exercise 1: Hand To Heart Exercise

Put your hands on your heart. 
  • Time: Choose a time each day when you can sit alone for a few minutes. You may light a candle. Keep a pen and paper nearby to jot down thoughts. 
  • Sit: Sit comfortably on the floor, on a chair, on your bed or anywhere you feel comfortable. 
  • Silence: Try practising in silence or with soft music. 
  • Breathe: Breathe in through the nose and out through the mouth. 
  • Eyes: Close your eyes or turn your gaze down, and continue focusing on your breath. 
  • Hand on heart: Place one hand on your heart and cover the hand with the other hand. Feel the heart beating. Feel the warmth of your heart and your hands. 
Start a conversation with your heart. Be open, curious and compassionate with yourself. 

After putting hands on heart, start a conversation with heart ask questions that come up and be open to answers. Keep practising. Listen and trust your heart. She knows things it’s your right and responsibility to remember who you are.

PLEASE,
SIT,
SETTLE &
LISTEN TO HEART.

My Heart’s Mission Statement

My mission statement describes how I want to live. When I forget my soul and get caught up in the show or begin to lose myself. I come back to my heart’s mission statement. 
  1. I work towards full clarity on what is most important by getting rid of everything that is not. To matter, they must support health and /or love in my life. 
  2. I reject perfection, comparison & competition.
  3. I do not resent the past or let the future dictate my present. I am firmly rooted in my present and to support that I take time to hear into my heart and feed my soul. 
  4. The quiet messages from my heart and soul guide my decision making in life & work. I trust myself to know what feels right and good usually is right and good. 
  5. I lift myself with good food, meditation, movement and creativity, so I can lift the people around me including my family, close friends and anyone also who needs something as simple as a smile and as complex as a massive change in their life, or work. Yes, think of your mission statement as a soul's face breathe work that guides you.

Exercise 2: Project 333

Here the author challenged herself to dress with thirty-three items or less including clothing, jewellery, accessories and shoes. 
  • She did not count underwear, sleepwear, around the house to wear or workout gear. 
  • Some may feel this challenge as weird, crazy or impossible. 
  • What is important is who I am and not what I wear. 
  • In fact, this project has more to do with health, happiness and heart and less to do with fashion or clothes.
  • We are spending money on what we don’t have, on clothes, we don’t wear. 
Lessons learnt after three months.
  1. I need way less than I think to be happy. 
  2. No one cares what I am wearing. 
  3. Deciding on what to wear requires mental energy (Decision fatigue) better spent on other things. 
  4. A simple closet is a gateway to a simple life.
  5. By eliminating everything that does not matter I finally know what matters, it’s love. 
  6. Home becomes a living space instead of store space.
Technique: This is the closet purging and de-cluttering battle. 
  • Round one: Empty your closet. Dump all on the bed. Take a break. 
  • Round two: Once you have thirty-three picked out, get everything else out of sight. 
As the wardrobe becomes less interesting, life becomes more interesting. 

Wanting More
The more I worked, the more I made. And the more I spent and I wanted even more!

Filling every moment with stuff and busyness makes one sick. When you work outside of your heart, there will always be a break-up, a breakdown or both. One of the reasons we keep our lives so complicated is so we don’t have to listen to our inner voice telling us what we need to do to make our life work better. 

With all these thoughts, the author learned that you can be more with less. You can embrace a simpler life and soul flames within it. Enough is enough moment has to come to learn the power of simplicity and connect heart to heart. You get more health, space, time and love by choosing less. 

Courtney Cover was diagnosed with MS (multiple sclerosis), a killing disease. She decided to fight for her health and win. She is happy and symptom-free today. 

Soulful Simplicity 

With soulful simplicity and living with less my life has become more than I ever imagined. 
Instead of more money, more stuff, more busyness, and more stepping outside of myself to be who other people may need me to be, I am enjoying a different kind of more.
  • I am more myself and more connected to my heart. 
  • I am more available for people I love and projects I care about.
  • I am more present and focused.
  • I have more space, time and love in my life along with all of the other mores I craved for so long.
The changes started on the outside while the real work was happening on the inside. Give yourself all the space, time and love you need to remember who you have let us see how soulful simplicity works for us after learning hand to heart exercise and project 333. 

I am sure, it will open the door to a new philosophy of life. 

Action For Soulful Simplicity

After learning the basics of the two exercises, we need to advance more by learning more about life. Here are the details: 
  1. Be more with less 
  2. Do the things you do not want to do 
  3. Best friends, envy and lie
  4. Shopping
  5. Wake-up calls for you need to change 
  6. Art of saying ‘No’ 
  7. Smile 99
  8. 21 days busy boycott challenge 
  9. Sabbath
  10. Do more with less
Be More With Less

Be more you – yourself. Give yourself all the space, time and love to remember who you are. Living with less clutter, busyness, stress and simplifying your life will help you make the room to do what you need to do. Simplifying my life gave me space, time and love to be more with me. 

Do Things You Do Not Want To Do

Eating greeds.
  • Walking: Take a walk every day – preferably outdoors
  • Sleeping 7-8 hours: Prioritise sleep
If you want to get out of your slump or if you feel stuck, try something you have never done before or something that you do not want to do. 

Best Friends

My best friend is a magical rooftop sunrise, the ocean, a hike in the mountains, a peaceful afternoon, a good book, laughter and seeing the world.
  1. Envy: Envy shows you when somebody has something you wish you had. 
  2. Lie: When you lie about something, you are showing yourself. There is something that is not right in your life. 
Shopping
If you have to step outside of yourself, away from your values and soul to get your needs met, then you are not going to get your needs met. - Danielle La Porte
Shopping is for what you wanted or needed, but it is not for numbing your pain. So for pain, take care of yourself and don’t go buy things. Instead of going shopping,
  • Take a walk
  • Go for yoga 
  • Call a friend 
  • Make a smoothie
  • Get a message 
  • Sleep for an extra hour
  • Write 
  • Meditation 
  • Send a thank-you note
Three Shopping Mantras:
  1. I do not have to buy this today. 
  2. I can return that. Do not hold on to something that makes you feel bad. 
  3. I have paid enough. Accepting this allowed to cut ties between emotion, shopping and holding on. 
I do not value material objects anymore. I value people, places and experiences. I will never purchase something because I want to portray a certain level of success or character quality I wish I had. 

Without love for yourself, and love for how you live, and who you spend your time with, the drugs aren’t going to be helpful for long, if ever. 

Identify your wake-up calls for the need to change. 
  1. If you are constantly self–medicating with food, shopping, alcohol, tv or other distractions
  2. If you are worn down, beat up, stressed out or completely depleted
  3. If you never put yourself first
Such symptoms tell to wake up and know it as a time to change. Each change she made to simplify her life, she found less stuff - more love. 

Once simplifying your life becomes a matter of heart, you will connect with like-minded people and find the strength you need to let go of the clutter, busyness, and all of the other things standing between you and simplicity. 
  1. Yoga (Savasana + Pranayam): Take a deep breath in through your nose and release it through your mouth. It will release stress, anxiety, excitement or frustration.
  2. Let go.
  3. Stop comparison. 
Sigh Warner calls it 'SIGH' - Sitting In God’s Hands!

Saying ‘No’ Is An Art

Saying no is no easy feat, especially for kind, generous souls, for people pleasure and for the people who are used to saying yes to everything. 

Saying yes when your heart says no is a disservice not only to you but to everyone you say yes to. You won’t give your best and you may end up resenting the commitment or the person who asked you to commit.

Here are techniques for saying ‘No’:
  1. Be grateful and graceful while saying ‘No’ 
  2. Be clear: when you know it’s a no, say no. 
  3. Keep short: ‘No’ is a complete sentence. No long explanation or sorry are needed. 
  4. Try a “yes” fast: commit to saying no to every request for thirty days. Practice the loving no over and over again. 
  5. Say no to guilt following no: Dump the guilt around not doing someone’s work. Believe in yourself and what you know is best for your life and say no to guilt. 
Creating a life with fewer decisions and distractions will dramatically improve your health, work and relationships. 

Smile 99

Make a life that makes you smile at least ninety-nine times a day. Commit to smiling when you wake up and before you get out to bed.

Meaningful morning routine: Instead of snooze, snooze or no, I am getting late, coffee, shower, a kid in the car, start the day half asleep running late and frantic, make a meaningful morning routine. Use the first five minutes for yoga, the second five minutes for writing and the last five minutes for meditation. Before you begin a day feed yourself first with these three. You can change the list of habits, either yoga, writing, meditation, walking, reading, or hands-on heart practice. 

21 Days Busy Boycott Challenge 
  1. Day 1-7: Ban the word 'busy' from your talk and vocabulary. Stop saying 'I am too busy.' To avoid the word 'busy'. Use other sentences like how are you? What made you smile today? Did anything interesting happen today?
  2. Day 8-14 (Do less): Eliminate one thing from your to-do list. Stop comparing your lists, your life & your love. 
  3. Day 15-21 (Linger longer): It’s ok to be still and stop listening to your heart. There is no guilt in self-care. Savour good food, conversation and beautiful views. Fall in love. Smile. Breathe and then fall in love again. 
Sabbath

A day of the week for rest and prayer: Sunday in Christians, Saturday in Jews and Friday in Islam. 

The fruitful uselessness of rest, play and delight can be on a Sabbath morning. Wake up but do not get up. Do something delightful. 
Use your imagination, be frivolous, be daring. Invent rituals. Do nothing of significance. - Wayne Muller (Author: Sabbath) 
We are weary because we do not rest. On weekends, we go grocery shopping, banking, cleaning, laundry, washing the car, entertaining, TV viewing, e-mails. Yes, they are necessary, but, when do your body, mind and soul get to rest? 

Stop distractions:

Make it a 'Digital Fast'. Hundreds of TV channels, e-mails, magazines, billboards, social media platforms, like Facebook, Twitter and WhatsApp. 
  1. Schedule your Sabbath
  2. Tell the world you won’t be available 
  3. Put anything in the Sabbath box that you don’t want to use:
    • phone, tablets, digital devices
    • mentally put in a box: car washing, meditation etc. 
    • write on paper to put in a box: worries and things left undone
  4. Time out: eat when you are hungry, drink when you are thirsty and sleep when you are tired 
Be More With Less

Better connect with people you love and enjoy your life. 

Several grateful reminders:
  1. If you are always getting ready for the next thing, how will you ever enjoy this thing?
  2. Remove the things that remove you from life. 
  3. Create some time to spend your life the way you want to spend your life. 
  4. If you want a real connection and an honest answer, check your heart more than you check your phone. 
  5. You are allowed to protect your time and energy. 
  6. When all of your free time is spent catching up or getting ahead, that’s not the free time to be free. Use your free time, to be free!
  7. Simplicity does not change who you are, it brings you back to who you are. 
I am sure if you have read all that I wrote, you are an enlightened person by now. 

Yes, do not wait to start your search for 'soulful simplicity'. Best of luck! 




Soulful Simplicity
  • Book TitleSoulful Simplicity: How Living with Less Can Lead to So Much More
  • AuthorCourtney Carver
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 20-Jul-2020
  • Pages: 256 pages
  • ISBN-100143130684
  • ISBN-13978-0143130680

Pyramid Of Virgin Dreams

This is a novel depicting the story of an IAS officer’s life. Author Vipul Mitra is himself an IAS officer serving in Gujarat and living with his family in Ahmedabad. This book could take birth after ten years of thinking, writing and rewriting! 

The title pyramid was derived from an Egyptian pyramid with a gigantic structure, a symbol of power stretching higher and higher into the sky. The author compares the pyramid with bureaucrats. He says the only difference was that one housed deceased Egyptian pharaohs while other housed living, conniving, tattling officers. There is a long (300 pages!) story of dreams those are virgin like unconsummated physical relation!

You will read this novel to know what happens to Kartikeya Kukereja who meets his first failed love Revati Kapoor after both married and long gap of time passes. Revati desires to re-unite but does Kartikeya have the courage to hold on Revati? Honest? Mediocre? Coward? Does he ultimately succeed in fitting her in his life? 

The story background begins Kartikeya Kukreja having father Pratap as S.D.M. at Dhansa- later G.M. (General Manager) at Varsha Milk Plant and finally an IAS grade officer at Chandigarh. So his childhood is passed in the rural background finally going to big city Chandigarh for college study. 

While studying at NDA, Missouri find letter getting a post of an IAS officer, here Kartikeya gets frequent transfers because of his honesty and un-corruptive principals. Yes, the transfer is a routine thing in “Sarkari’ job. Storyline dwells around him, his Beautiful wife Aakanksha and his two children Roshni and Chirag. 

Why should you read this novel at all? I say for three reasons: your hobby of reading novels, getting wiser and finding out never seen comparisons all around everywhere!

I will post a few quotes first : 

Kartikeya would hear heavy police breathing behind his earlobes: it was like the breathing of a tigress before the hunt, of a politician before a poll, of a child looking at chocolates or of a calf before the feed!

He thought bidis made gardeners, just the way cigarettes made babus, cigars made entrepreneurs, pipes made professors or hookahs made rustic wise man!

It was the same routine of packing, loading and unpacking, the customary farewell dinners, the thrusting of cheap inferior mementoes, and emotional parting with household menials. 

His diary was his guilt sharing, tension draining, safety valve that absorbed all his day long shames like blotting paper snacking up adulterated milk to become fake mali. 

The dining hall symbolized the state. Punjabis doted on Butter Chicken and Paneer Makhani, Rajasthanis eulogized Dal Bati & Churma, Malayalees relished Appam & Stew and Tamilians savoured Dosa and Vada Sambhar 

The rural public had no work except working for their very survival eating, gathering fuelwood, collecting water, cooking, sleeping, defecating, procreating and feuding over street and field boundaries. 

A bureaucrat is never completely a bureaucrat without his flattering henchmen.

  • File-walle were the men carrying files and bags.
  • Door-wallahs were to open the doors making officer limbless amputee.
  • Dictation-wallahs were to take notes and help him remember things to do.
  • Gaadi-wallahs were men to chauffeur him around as if he is directionless.
  • Yes, wallahs were men who nodded yes to every absurdity implying he was some higher divinity. 
Now, let us see comparisons sprinkled all over in plenty – I will enumerate few. 
  • The red light of car draped with a white cloth-like the mouth of a surgeon. 
  • Green curtains of rest house worked as though looted from the ophthalmic ward of Civil Hospital.
  • Water in the jug was like urine?  
  • The cops began to clap clumsily like circus jokers eulogising their ring leader. 
  • Teaching occurred like the drizzle in the desert. 
  • Its impact on him had been mind-boggling like the effect of a village elder’s freezing stare on a Purdah-less daughter.
  • Kartikeya felt as insecure as a freshly abandoned orphan.

Yes, I have enlisted only a few, because each page contains many comparisons unique feature of this novel. Rarely seen anywhere else. I am happy and impressed by reading endless comparisons!

Raison d’etre: My treasure of words increased reading this French word telling about the reason to be (the reason for being). Yes, raison d’etre means reason, purpose or justification for some one’s existence or something like Japanese words “I kingai” reason d’etre teaches the purpose of life. 

Well, this novel “pyramid on virgin dreams” by ‘Vipul Mitra’ is a must-read book. it will stimulate your thought cycle very effectively and fast. Let us see. 





Pyramid Of Virgin Dreams
  • Book Title: Pyramid Of Virgin Dreams
  • Author: Vipul Mitra
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 05-Jul-2020
  • Pages: 270 pages
  • ISBN-10: 8129117444
  • ISBN-13: 978-8129117441