Showing posts with label christianity. Show all posts

વારસદાર (Legal Heir)

હિન્દુ

વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે.

હિન્દુ પુરુષ મૃતક 
  1. CLASS-I LEGAL HEIRS: 
    1. પુત્ર / પુત્રી
    2. વિધવા / વિધુર
    3. મા
    4. મૃતકના પુત્રનો દીકરો / દીકરી
    5. મૃતકની પુત્રીનો દીકરો / દીકરી
    6. મૃતક પુત્રની વિધવા
    7. મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી)
    8. મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા 
  2. CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs): 
    1. પિતા 
    2. પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી 
    3. ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી
    4. દાદા (Father’s Father)
    5. દાદી (Father’s Mother) 
    6. પિતાની વિધવા
    7. પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન 
    8. માતાના પિતા (આજા) / મા (આજી) 
    9. માતાનો ભાઈ / બહેન
પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે. 


હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક

ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે. 
  1. પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી 
  2. પતિના વારસદારો 
  3. માતા, પિતા 
  4. પિતાના વારસદારો 
  5. માતાના વારસદારો 
હિન્દુ સ્ત્રીના પિયરમાં માતા-પિતા દ્વારા મળેલ મિલકતોમાં તેના પુત્ર કે પુત્રી ન હશે, તો પિયરમાં તેણીના પિતાના સગાને મિલકતમાં ભાગ મળશે અને પતિ કે સસરા તરફથી મળેલ મિલકતમાં પુત્ર કે પુત્રી નહીં હોય તો, પત્નીના સગાને ભાગ મળશે.

કુંવારી હિન્દુ મૃતક સ્ત્રી

ઉત્તરતા ક્રમમાં ગણવું.
  1. માતા પિતા 
  2. પિતાના વારસદારો 
  3. માતાના વારસદારો. 

ખ્રિસ્તી ધર્મના મૃતક


વસિયતનામું ન કર્યુ હશે, તો નીચે મુજબ મિલકતમાં ભાગ અપાશે. 
  1. વિધવા- ત્રીજા ભાગની મિલકત વિધવાને અને બાકીની મિલકત પુત્ર-પુત્રીને સરખે ભાગે વહેંચાશે. 
  2. પુત્ર-પુત્રી ન હશે તો, વિધવાને અડધી મિલકત અને બાકીની અડધી મિલકત સગાંને વહેચાશે. 
  3. વિધવા જીવિત ન હશે તો, લાઈનમાં આવતા સગાંને નીચે મુજબ મળશે. 
    1. પિતા 
    2. પિતા ન હોય તો, માતા -ભાઈ -બહેનને સરખે ભાગે 
    3. પિતા-ભાઈ –બહેનની ગેરહાજરીમાં માતાને સંપૂર્ણ મિલકત મળશે. 
    4. માતા પિતાની ગેરહાજરીમાં ભાઈઓ –બહેનો- મૃતકભાઈઓ અને મૃતક બહેનોના બાળકોને સરખે ભાગે વિધુરને વિધવાને મળતા બધા લાભો આપાશે. 
    5. માતા અને ભાઈઓનો ભાગ દીકરી કરતાં બમણો ગણાશે. 

પારસી ધર્મના મૃતક

મૃતક પુરુષની મિલકત: વિધવા- બાળકો અને માં કે બાપ જીવિત હોય તો જીવિત પિતાને મૃતકના પુત્ર કરતાં અડધી અને જીવિત માતાને મૃતકના પુત્રી કરતાં અડધી મિલકત મળશે.

મૃતક પારસી સ્ત્રીની મિલકત 
  1. વિધુર અને દરેક બાળક (પુત્ર-પુત્રીને) સરખો ભાગ મળશે.
  2. ફક્ત બાળકો જીવિત હશે તો, દરેકને સરખો ભાગ મળશે. 

ઇસ્લામ ધર્મ (કુરાનને આધારે) 
  1. એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે. 
  2. ઓલાદમાં એક જ છોકરી હોય તો, અડધી માલ મિલકત મળશે. 
    • બે છોકરીઓ હશે તો, બંને થઈ ૨/૩ ભાગ મળશે. 
    • બાળક જ ન હોય તો, માને ૧/૩ ભાગ અને બાકીનો બાપને મળશે. 
  3. જો મરનારને એકથી વધુ ભાઈ/ બહેન હોય તો, વસિયત મુજબ કર્યા ઉપરાંત દેવું ચૂકવ્યા પછી, માને છઠ્ઠો ભાગ મળશે અને બાપને બાકીનું મળશે. 
  4. જો ઓરતને કોઈ ઓલાદ ન હોય તો, તે જ મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. જો પુરુષ ઓરત વગર મરે તો ઔરતને ૧/૪ ચોથો ભાગ મળશે, ઓલાઇ હોય તો આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ આઠમો ભાગ હોય છે. 
  5. જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેકને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે. 
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનૂનો છે.

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.


Basics of Christianity - II

Continuation of Basics of Christianity

The Holy Bible:

This time I am going to detail on New Testament of the Holy Bible.

As you all know, the holy bible is a religious book on Christianity guiding us and teaching us the religion. In the collection of 66 books written by more than 40 authors over a span of 15 countries, God has incorporated all truths, we should know about ourselves.


Basics Of Christianity

Every third person in the world is Christian. Meaning thereby, the highest number of people of any religion are Christians. So it is quite possible, you are dealing more often with a Christian than you think. With this in mind, here is a gentle effort to introduce the said religion.


I will divide this essay into three parts:
  1. Introduction
  2. Jesus Christ and
  3. The Bible