Skip to main content

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ 

૧. રક્તદાન

દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્મર સુધી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તી આપી શકે છે. રક્તદાતાની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ તથા હીમોગ્લોબીન ઉપરાંત એઈડ્ઝ, હીપેટાઈટીસ બી અને સી તથા અન્ય જાતીય સંક્રામક રોગો માટે તપાસ કરવામાં આવે છે, પછી જ દાતાનું લોહી લેવામાં આવે છે, જેથી લોહી મેળવનાર વ્યક્તીના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું ન થાય. આથી દાન કરનારને લોહી આપ્યા પછી પોતાને કોઈ મુશ્કેલી અથવા રોગ થશે તેની જરાયે ચીંતા કરવાની જરુર નથી. દર ત્રણ મહીને જરા પણ ડર્યા વીના રક્તદાતા પોતાનું લોહી આપી શકે છે. દરેક તંદુરસ્ત વ્યક્તીએ આ દાન અચુક જ કરવું જોઈએ અને કોઈની જીંદગી બચાવ્યાનો સંતોષ લેવો જોઈએ. આપણે ત્યાં 100થી વધુ વખત ‘રક્તદાન’ કરનાર અનેક લોકો છે જે ખુબ જ તંદુરસ્ત જીવન જીવે છે; આથી ‘રક્તદાન’ કરનારાએ ડરવાની જરુર નથી.



૨. અંગદાન

હવે તો વીજ્ઞાને એક વ્યક્તીના શરીરનાં અંગો, બીજી વ્યક્તીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની અને એવા દર્દીઓને નવી જીંદગી આપવાની શોધ કરી છે. દરેક જણ એ જાણે છે કે મૃત્યુ પામ્યા બાદ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. કુટુંબીજનોએ એમના કૌટુંબીક રીવાજ પ્રમાણે મૃતદેહનો અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર/દફનવીધી કરે છે. ત્યારબાદ આશ્વાસન રુપે મળતી રાખ(અસ્થી)ને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવવામાં આવે છે. મરણ પછી વ્યક્તીનું શું થાય છે એની હજી સુધી આપણને ખબર નથી. આત્માનું હોવું વીવાદાસ્પદ છે, વીજ્ઞાન દ્વારા એની કોઈ સાબીતી મળી નથી; પરન્તુ વીજ્ઞાનની નવી શોધોએ મૃત વ્યક્તીનાં શરીરનાં વીવીધ અંગોને અન્ય વ્યક્તી કે જેને આ અંગો/અવયવોની જરુર છે તેમના શરીરમાં પ્રત્યારોપણ કરીને એ દર્દીને નવું જીવન આપવાની સંભાવના ઉભી કરી છે.

અંગદાન ત્રણ રીતે થઈ શકે છે:

૧. જીવીત વ્યક્તી: જેવી રીતે જીવીત વ્યક્તી ‘રક્તદાન’ કરી શકે છે તેવી જ રીતે કોઈ વ્યક્તી પોતાની એક કીડની (મુત્રપીંડ), લીવર (યકૃત)નો ભાગ, સ્વાદુપીંડ (પેન્ક્રીયાસ)નો ભાગ તેના નજીકના સગાંને દાનમાં આપી શકે છે. તંદુરસ્ત વ્યક્તી આ અવયવનું દાન કર્યા બાદ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને દાન લેનારને નવું જીવન મળે છે. બન્ને એક જ કીડનીથી જીવી શકે છે. મનુષ્યના શરીરમાં યકૃત જ એક એવો અવયવ છે જે ફરીથી આપેલ ભાગને નવો ઉત્પન્ન કરી શકે છે. 70 વર્ષના આયુષ્ય સુધી ‘અંગદાન’ દાન કરી શકે છે; પરન્તુ તે દાતાને કૅન્સર, ચેપી રોગો જેવા કે, ઝેરી કમળો, એઈડ્સ જેવા રોગો ન હોવા જોઈએ. 

૨. બ્રેઈનડેડ વ્યક્તી: ઘણીવાર વાહનનાં અકસ્માત કે હાઈ બ્લડપ્રેશરને લીધે મગજમાં હેમરેજ થાય છે, જેને લીધે વ્યક્તીનું મગજ કામ કરતું બંધ થાય છે. આવી વ્યક્તીની ખુબ ઝીણવટથી તબીબ તપાસ કર્યા બાદ મગજના રોગોના નીષ્ણાત તબીબ એને બ્રેઈનડેડ હોવાનો રીપોર્ટ આપે છે. જો વ્યક્તી બ્રેઈનડેડ હોય તો ફરી જીંદગી જીવી શકે નહીં, ક્યાં તો એનું મૃત્યુ થઈ જાય અથવા અન્ય પર પરાવલંબી થઈને એને જીવવું પડે. જો કારની બેટરી ઉતરી ગઈ હોય તો ધક્કા મારીને કાર ચાલુ કરી શકાય; પરન્તુ કાયમ માટે કાર ચાલુ રાખવી હોય તો નવી બેટરી નાખવી જ પડે. એ જ રીતે જે વ્યક્તીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તેના મગજનો મરી ચુકેલો ભાગ બદલી નાખવો પડે, પણ આવું શક્ય નથી. મગજ વગર શરીરનાં કોઈ પણ અંગો કે અવયવ કામ કરી શકતાં નથી, આથી આવી વ્યક્તી ફરીથી તંદુરસ્ત થઈને હરતીફરતી થાય એવી શક્યતા રહેતી નથી. આ સંજોગોમાં જો દર્દીનાં નજીકનાં સગાં તરફથી ‘અંગદાન’ કરવાની સંમતી મળે તો તેના શરીરમાં કાર્યરત અવયવોને કૃત્રીમ તબીબી સાધનો દ્વારા તબીબો થોડા કલાક માટે હૉસ્પીટલમાં તેનાં અંગોને સજીવ રાખી શકે છે. આ સમય દરમીયાન આ અંગોને કાઢી લઈને બીજા જરુરીયાતવાળા દર્દીમાં તાત્કાલીક પ્રત્યારોપણ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંથી જીવીત અને કાર્યરત અંગ કાઢી લઈને એને બીજા દર્દીના શરીરમાં નાખવાની આખી શસ્ત્રક્રીયા ખુબ જ ગણતરીના કલાક (4થી 8 કલાક)માં પુર્ણ કરી દેવામાં આવે છે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર, વાહન, વીમાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે, હાલમાં બ્રેઈનડેડ વ્યક્તી નીચેનાં અંગો/અવયવોનું દાન કરી શકે છે.

ક્રમ

દાન કરી શકાય તેવા અંગોના નામ

કેટલા કલાકમાં

અંગ આપી  શકાય

અંગદાન કરનાર વ્યક્તીની  વય

બ્રેઈનડેડ વ્યક્તી :

1.

હૃદય અને ફેફસાં

4થી 6 કલાક

40થી 50 વર્ષ સુધી

2.

યકૃત

6થી 12 કલાક

70 વર્ષ સુધી

3.

મુત્રપીંડો

30 કલાક

70 વર્ષ સુધી

4.

આંતરડાં

6 કલાક

40થી 50 વર્ષ સુધી

5.

સ્વાદુપીંડ

6 કલાક

70 વર્ષ સુધી

મૃત વ્યક્તી :



1.

ચક્ષુદાન, અસ્થીમજ્જાદાન (હાડકાં)

4થી 6 કલાક

100 વર્ષ સુધી

2.

ચામડી

6 કલાક

100 વર્ષ સુધી




આ દાન કોણ ન કરી શકે?

કૅન્સર, ચેપી રોગો જેવા કે એઈડ્સ (AIDS), ઝેરી કમળો (હીપેટાઈટીસ એ અને બી)થી પીડીત દર્દીઓ અંગદાન ન કરી શકે. ભારત દેશમાં અત્યારે દોઢથી બે લાખ કીડની, લીવર, તેમ જ ચક્ષુદાનની જરુરીયાત છે, જો આવાં દાન કરવામાં આવે તો અન્ય વ્યક્તીને નવું જીવન મળે તથા દર્દીના આપ્તજનોને પોતાના સ્નેહી મૃત વ્યક્તી બીજાના શરીર દ્વારા જીવતો જોવાનો સંતોષ મળી શકે.

સુરતમાં ‘Donate Life’ સંસ્થા કાર્યરત છે. https://www.donatelife.org.in/ વેબસાઈટ પર સઘળી માહીતી ઉપલબ્ધ છે. પોતાના મરણ પછી ‘અંગદાન’ કરવાની ઈચ્છા હોય તો અંગદાનનો ‘સંકલ્પ પત્ર’ ભરી, તેની નોંધણી કરાવીને પોતાની સાથે કાયમ રાખવો જરુરી છે. જેથી આકસ્મીક મૃત્યુ બાદ ‘અંગદાન’ માટે જરુરી કાર્યવાહી તાત્કાલીક કરી શકાય. વધુ માહીતી અને Donor Card માટે https://sotto.nic.in/StateHome.aspx વેબસાઈટ પર નોંધણી કરી ને Donor Card મેળવી શકાય છે.

3. દેહદાન

દરેક સજીવનું મૃત્યુ નીશ્ચીત છે, એ જ રીતે દરેક મનુષ્ય પણ મૃત્યુ પામે છે, એનો સમય, સ્થળ કે કારણ અગાઉથી જાણ થતી નથી; પરન્તુ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. ફક્ત થોડા સમય માટે મોર્ગ (શબઘર)માં તેને રાખી શકાય છે. આપ્તજનોને એને માટે ભાવનાત્મક અનુરાગ કે લગાવ રહે છે. વધુ સમય જો રાખવામાં આવે તો મૃતશરીરમાં સડો લાગુ પડીને તે દુઃર્ગંધ મારવા લાગે છે અને રોગ પણ ફેલાવી શકે છે. દરેક ધર્મમાં, શાસ્ત્રોમાં આત્મા અને પુનર્જન્મ વીષેની ખુબ માન્યતાઓ છે; પરન્તુ આ નશ્વરદેહનો સત્વરે અંતીમસંસ્કાર અથવા ભુમીસંસ્કાર/દફનવીધી કરવો જ પડે છે અને ફક્ત એનાં અસ્થી કે રાખ ભેગાં કરીને એને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવી દઈ સંતોષ માનવામાં આવે છે.

જો મેડીકલ કૉલેજમાં અભ્યાસ કરતા વીધાર્થીઓ માટે આ નશ્વરદેહનું દાન કરવામાં આવે તો ભવીષ્યમાં ડૉક્ટર થનારને શરીરરચના સીધી નજર સમક્ષ અંગવીચ્છેદ કરીને જોવા મળે છે, જે એના ભવીષ્યમાં સર્જન બનવા માટે ખુબ ઉપયોગી છે. આ નશ્વરદેહને મેડીકલ કૉલેજના ઍનેટોમી વીભાગમાં રાસાયણીક પ્રકીયા કરી લાંબો સમય રાખવામાં આવે છે. અભ્યાસ બાદ બાકી રહેલાં અંગો/અવયવોની મૃત વ્યક્તીના ધાર્મીક રીવાજ મુજબ વીધીસર અંતીમ ક્રીયા કરવામાં આવે છે. ‘દેહદાન’ કોઈ પણ વ્યક્તી એની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના મૃતશરીરના વૈજ્ઞાનીક ઉપયોગ વડે પુણ્યનું કામ કર્યાનો સંતોષ આપ્તજનો મેળવી શકે છે. આ ઈચ્છા ધરાવનાર વ્યક્તીએ પોતાની હયાતીમાં પોતાના વસીયતમાં અને એને માટેનું ‘સંકલ્પ પત્ર’ ભરીને નજીકની મેડીકલ કૉલેજમાં નોંધણી કરાવવી જોઈએ. અને મેડીકલ કૉલેજમાં નોંધણી કર્યાની પહોંચ પણ આપવામાં આવે છે. 

‘દેહદાન’ અંગે નીયમો:
  1. સૌથી નજીકના સગાં પતી/પત્ની/મા/બાપ/ભાઈ/બહેન/પુત્ર/પુત્રવધુ/પુત્રીજમાઈ/પૌત્ર/ પૌત્રી તરફથી આ વીભાગને મૃત દેહદાન (ડેડબોડી ડોનેશન) આપવા માટેની લેખીત અરજી કરવી. અરજી પત્ર દેહદાન સમયે એનાટોમી વીભાગમાંથી મળશે. આ અરજીમાં બે સાક્ષીની સહી પણ કરાવવી. 
  2. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો કે જે પોતાના કટુંબીજનો સાથે સંબંધ ધરાવતા ન હોય તેમણે પણ પોતાના સગાંઓને જાણ કરવાની રહેશે. તમારા સગાંવહાલાંઓને તમારી દેહદાન અંગેની ઈચ્છાની જાણ હોવી જ જોઈએ. 
  3. બહારથી ડેડબોડી આવવાની હોય તો લાગુ પડતાં પોલીસ સ્ટેશનનું ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (‘ના વાંધા પ્રમાણપત્ર’) સાથે રાખવું જેથી અત્રે બોડી પહોચાડવામાં રસ્તે કોઈ તકલીફ ન પડે. 
  4. મૃત્યુ થયા પછી વહેલામાં વેહલી તકે મેડીકલ કૉલેજમાં જાણ કરવી. (એનાટોમી વીભાગનો રુબરુ અથવા ફોનથી સંપર્ક કરવો.) જેથી ડેડબોડી જાળવણી કરવા અંગેની તૈયારી કરી શકાય. 
  5. એનાટોમી વીભાગનો સમય સવારે 9.00થી સાંજે 5.00 (રીસેશ સમય બપોરે 1.00થી બપોરે 2.00 કલાક) સુધીનો છે. શનીવારે સવારે 9.00થી બપોરે 1.00 સુધીનો છે. 
  6. સાંજે અથવા રાત્રે મૃત્યુ થાય તો સવારે 9.00 સુધીમાં લાવી શકાય. સવારમાં અથવા બપોરે મૃત્યુ થાય તો સાંજે 5.00 વાગ્યા સુધીમાં લાવી શકાય. શનીવારે બપોરે 1.00 વાગ્યા સુધી બોડી લાવી શકાય. 
  7. મૃત વ્યક્તીના ‘દેહદાન’ માટે સંમતી આપવાનો અધીકાર ધરાવતા મૃતકના નજીકના સગાં દુર કે ભારતની બહાર રહેતા હોય અને તે વ્યક્તી દેહદાન વખતે હાજર રહેવાની ઇચ્છા રાખે, તો ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ (મોર્જ)માં રાખવાનો રહેશે. તે નજીકના સગાંના આગમન પછી તાત્કાલીક મેડીકલ કોલેજમાં મૃતદેહને સુપ્રત કરી ‘દેહદાન’ કરી શકાય 
  8. શનીવારે બપોર પછી અથવા રવીવારે અથવા રજાના દીવસે બોડી પહોચાડવાની હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન દ્વારા સંપર્ક સાધી બોડી લાવવા અંગેની જાણ કરવી. 
  9. જે બોડી અને એનાટોમી વીભાગમાં દાન માટે લાવવામાં આવે તે બોડીનું મૃત્યુના એક અઠવાડીયાના સમયગાળામાં કોઈ ઑપેરેશન થયેલ હોય તો તે ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં. 
  10. એનાટોમી વીભાગ તરફથી દેહદાન મળ્યા અંગેનું પ્રમાણપત્ર નજીકના સગાંને આપવામાં આવશે. 
  11. મરનારનું મૃત્યુ થયાની નોંધ મ્યુનીસીપલ કોર્પોરેશન/નગરપાલીકા/ગ્રામપંચાયતમાં ‘દેહદાન’ કરનારના સગાંએ જાતે કરાવવાની રહેશે. 
  12. સાથે લાવવાના સર્ટીફીકેટ્સનું લીસ્ટ (તમામ ફરજીયાત) : 
    • કુદરતી મૃત્યુ થયા અંગેનું મેડીકલ સર્ટીફીકેટ (ઓછામાં ઓછા એમ.બી.બી.એસ. ડૉક્ટરનું) – મેડીકલ સર્ટીફીકેટમાં મરનાર વ્યક્તીની ઉમ્મર, આખુ નામ, સરનામું, મૃત્યુનું કારણ, મૃત્યુની તારીખ અને ચોક્કસ સમય, વ્યક્તીની ઓળખ વગેરે દર્શાવવું જોઈએ. મેડીકલ સર્ટીફીકેટ ડૉક્ટરના લેટરપેડ ઉપર સહી સીક્કા સહીતનું જરુરી છે. 
    • મૃત્યુ પામનારના પાસપોર્ટ સાઈઝના બે ફોટા. 
    • મૃત્યુ પામનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી. 
    • મૃત્યુ પામનારની સાથે આાવનાર તેના સૌથી નજીકના સગાંના ઓળખપત્રની કોપી. 
    • બે સાક્ષીઓના ઓળખપત્રની કોપી 
  13. દેહદાન કર્યાં બાદ સ્વજનોને ડેડબોડી જોવા દેવામાં આવશે નહીં. 
  14. મેડીકલ કૉલેજમાં ડેડબોડી પહોચાડવાની વાહનવ્યવસ્થા મૃતકનાં સગાંઓએ જાતે કરવાની રહેશે. 

નીચે જણાવ્યા પ્રમાણેની ડેડબોડી સ્વીકારી શકાશે નહીં: 
  1. મૃત્યુ થયાના ચોક્કસ સમયના 6 કલાક પછીની ડેડબોડી (જે તે દીવસના તાપમાન મુજબ). 
  2. પોસ્ટમોર્ટમ કે ઑપરેશન કરેલી ડેડબોડી. 
  3. ઍક્સીડન્ટમાં મૃત્યુ થયેલ હોય એવી ડેડબોડી. 
  4. વધારે વજનવાળી ડેડબોડી (ફેટી). 
  5. ચેપી રોગ, ટીબી, ન્યુમોનીયા. લોહીમાં ચેપ (સેપ્ટીસેમીયા) અથવા એઈડ્સ રોગવાળી ડેડબોડી. 
  6. ચાંદા પડી ગયેલા હોય એવી ડેડબોડી. (બેડસોર્સ, ડાયાબીટીક અલ્સર, ગેંગરીન) 
  7. શંકાસ્પદ મૃત્યુવાળી ડેડબોડી. 
  8. કુદરતી મૃત્યુ થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ વગરની ડેડબોડી. 
  9. કૌટુંબીક વીવાદાસ્પદ ડેડબોડી. 
  10. દુર્ગંધ મારતી ડેડબોડી. 
  11. કેન્સરથી મૃત્યુ પામેલ વ્યક્તીની ડેડબોડી. 
  12. મૃત્યુ પછી અંગદાન કરેલ હોય એવી ડેડબોડી. 
  13. ડૉક્ટરએ એન્ટીકોએગ્યુલન્ટ આપેલ ડેડબોડી. 
  14. કોરોના ચેપવાળી ડેડબોડી. 

Mandatory documents: (મેડીકલ કૉલેજમાં ડેડબોડી લઈ જાઓ ત્યારે)
  • Death certificate. (Original) 
  • Photo ID. (Deceased) 
  • Two passport sized photographs. (Deceased) 
  • Photo ID of Donor. 
  • Photo ID of two witnesses. 

મૃત્યુ બાદ નશ્વરદેહ પણ ઉપયોગમાં આવી શકે તે માટે દરેક તંદુરસ્ત વ્યક્તીએ ‘અંગદાન’ની માફક ‘દેહદાન’ માટે પણ સંકલ્પ કરવો જોઈએ.

‘દેહદાન’ માટે સ્થાનીક મેડીકલ કૉલેજનો સમ્પર્ક : 

૧. નવસારી મેડીકલ કૉલેજ, નવસારી
ફોન નંબર : (02637) 299633
eMail: dean.navsari.mc@gmail.com અને dean@gmersnavsari.com

૨. વલસાડ મેડીકલ કૉલેજ, વલસાડ
ફોન નંબર : (02632) 255566, 252844, 251744
eMail: gmersmcvalsad@gmail.com

૩. ‘SMIMER’ સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ ઍડ્યુકેશન એન્ડ રીસર્ચ, સુરત
ફોન નંબર : (0261) 2368040, 2368041, 2368042, 2368043, 2368044
eMail: deansmimer@gmail.com

લેખક–સમ્પર્ક: ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. નવસારી (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362  ઈમેલ: gstkharel@yahoo.com અને gram_seva@yahoo.com વેબસાઈટ : www.gramsevatrust.org



તા.ક. : આ લેખ પ્રગટ થયા પછી લેખકમીત્ર ડૉ. અશ્વવીનભાઈ તરફથી લખેલ અંગ્રેજી કૉમેન્ટ/પુરક માહીતીનો આ ભાવાનવાદ છે

Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Karmic Theory (Law Of Karma)

“Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી.  ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ. અનિન્દ્રા : દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી. પંડિત : જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જે...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.