સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.
આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.
મા બાપનો પ્રાતિભાવ
પુત્રીના લગ્નની જાણ મા બાપને સૌથી મોડી, છેલ્લે થતી હોય છે. જાણ થતાં તરત જ ખૂબ તીવ્ર પ્રત્યાઘાત મા બાપ આપતા હોય છે. ખૂબ ઊંડા આઘાત, હતાશા અને પીડાની લાગણી કદાચ સ્વાભાવિક છે. માનસિક અનુભૂતિ અને સામાજીક ભય તેમને અપમાન જનક અને નિરાશાની ખૂબ ઊંડી પરાકાષ્ઠાએ પહોંચાડે છે. તેમને ખૂબ ખરાબ લાગે છે કે અસામાજીક પ્રવુતિ કે સામાજીક રીતે અસ્વીકાર્ય વાત તેમના પોતાના ઘરમાં બની છે. એટલે આ વાત – સમાચાર, શક્ય હોય ત્યાં સુધી છુપાવવા માથે છે. અને તેથી તેઓ
આ બધા લક્ષણોને સાથે કહીએ તો, તેઓ ખૂબ મોટી મનોવૈજ્ઞાનિક હતાશામાં પડી જાય છે. આ પછી દિલાશો, આશ્વાસન કે મદદ માટે સગાસંબંધી અને મિત્રો ઝંપલાવે છે. તેઓને લીધે – ઘણીવાર મા બાપ અવિવેકી – બુદ્ધિ વગરનું કે અકુદરતી પગલું ભરી બેસે છે. તેઓ દીકરીનો સંપર્ક છોડી દે છે, ધમકી આપે છે અથવા મારી મારીને દીકરીને શારિરીક પીડા આપે છે – કોઈ વાર મોત પણ લાવે છે. (સ્વમાન માટે હત્યા Honour Killing)
મા બાપ એટલેથી અટકતા નથી. થયેલા જમાઈને,
જમાઈ વિષે ન કહેવાનું - સાચું ખોટું - બધું જ ગાઈ વગાડીને, ઢંઢેરો પીટી-પીટીને જાહેર કરે છે.
આમ વધારે પડતી ઘૃણા - તિરસ્કાર અને નકારાત્મક લાગણીથી આઘાત પામેલા માં બાપ પુત્રી ના સંબંધ વખત જતાં એટલા ખરાબ રહેતા નથી. સુધરે છે. સમાધાન થાય છે. તે સારું પણ છે. અને આવકાર્ય પણ છે. આમ તો, જન્મથી પ્રેમ પામેલી દીકરીને ભૂલવું સહેલું પણ નથી અને જરૂરી પણ નથી. ખરું ને?
ચાલો, હવે આપણે નક્કી કરીએ, હવે શું કરીશું?
સંક્ષિપ્તમાં અમલમાં મુકવા જેવાં સૂચનો કહીશ.
દિવસો, સપ્તાહો, વર્ષો, રસ્તો તૈયાર જ છે. કહેવાયું છે દુ:ખનું ઓસડ દહાડા.
દીકરીના પક્ષકાર બનો
આ વાતમાં તમારા પોતાની ઈચ્છા-શક્તિ પોતાની લાગણીના માર્ગદર્શન મુજબ કામ કરો-મિત્રો, સગાસંબંધી, વકીલોની વાતોથી ગેરમાર્ગ દોરાશો નહિ. તેમને તમારી લાગણીની વાતો કરશો તો ચાલશે. તેમની ખોટી વાતથી ગેરમાર્ગે દોરાશો નહિ. કારણ કે ખરો-યોગ્ય રસ્તો તમને જ દેખાશે. તે મુજબ જ અનુસરો.
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
bharat@desaieyehospital.com
આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.
- એકવીસમી સદીના બાળકોની નવી પેઢીને ઈલેક્ટ્રોનીક માધ્યમો – મોબાઇલ – ઈન્ટરનેટ,લેપટોપ, અને ટેલીવીઝન ભેટમાં મળેલ છે. એટલે તેમની હોશિયારી, સમજ, જ્ઞાન આકાશ આંબે તેટલાં ઉંચા ગયા છે. એટલે તેઓ પોતાને ખૂબ હોશિયાર અને માબાપને મૂર્ખ માને છે.
- માબાપને એક જ બાળક હોય છે. બે બાળકો તો ખૂબ ઓછા મા બાપને નસીબ હોય છે. તેથી ખૂબ વધારે પડતા લાડ લડાવે છે. ,આ બાપ બાળક માંગે તે બધી માગણીઓ મુજબ વસ્તુ લાવી આપે છે. (એમને પરવડે કે નહિ તો પણ) આમ બાળકને જોઈતી દરેક ચીજ- સાઈકલ, મોપેડ, મોબાઈલ, કપડાં, બૂટ મેળવીને જ જંપે છે. આ રીતે ત્યારે ના સાંભળવા ન ટેવાયેલું બાળક, લગ્નમાં પણ પોતાની મરજી મુજબ જ કરે છે.
- પુખ્ત લોકોને જોવાના ચલચિત્રો, ઈનટરનેટના શરીર સંબંધ દર્શાવતા પ્રસંગો અને ટેલીવીઝનમાં શીખવાને લીધે શારીરિક ઈચ્છાઓ વહેલી ઉમરે જાગૃત થાય છે. સંસ્કારી ભણવામાં મશગુલ અને વિવેક બુદ્ધિવાળો છોકરો છોકરી સાથે આ બાબતે ભેગો થતો નથી. ત્યારે બીનસંસ્કારી, નાલાયક, છોકરા શરીર સંબંધ બાંધવાની હરકત કરે છે. જેના શરીરની જાતિય ઇચ્છાથી આકર્ષાયને ખોટા પાત્ર સાથે ખોટી રીતે લગ્ન કરવાની ભૂલ કરી બેસે છે.
- માધ્યમિક શાળા : ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજોમાં ભણતી કન્યાઓ પુરુષમિત્ર (Boyfriend) હોવો ફરજીયાત ગણે છે અને તે ન હોવાને નાનમ સમજે છે, હીણપત અનુભવે છે ત્યારે, સામે આવેલા કોઈપણ નાલાયક છોકરા સાથે જોડી બનાવી દે છે. જેનો અંત ખોટા લગ્નમાં આવે છે.
મા બાપનો પ્રાતિભાવ
પુત્રીના લગ્નની જાણ મા બાપને સૌથી મોડી, છેલ્લે થતી હોય છે. જાણ થતાં તરત જ ખૂબ તીવ્ર પ્રત્યાઘાત મા બાપ આપતા હોય છે. ખૂબ ઊંડા આઘાત, હતાશા અને પીડાની લાગણી કદાચ સ્વાભાવિક છે. માનસિક અનુભૂતિ અને સામાજીક ભય તેમને અપમાન જનક અને નિરાશાની ખૂબ ઊંડી પરાકાષ્ઠાએ પહોંચાડે છે. તેમને ખૂબ ખરાબ લાગે છે કે અસામાજીક પ્રવુતિ કે સામાજીક રીતે અસ્વીકાર્ય વાત તેમના પોતાના ઘરમાં બની છે. એટલે આ વાત – સમાચાર, શક્ય હોય ત્યાં સુધી છુપાવવા માથે છે. અને તેથી તેઓ
- શાંત, આઘાતમય, મૂઢ બની જાય છે.
- મૂક-મૌન કે મૂંગાપણું જાળવે છે.
- આંસુ સારે છે. રડે છે.
- દિવસો – મહિનાઓ સુધી નિસાસો નાંખે છે.
- નિંદ્રાહીન – ઊંઘતા નથી.
- ચિંતાતુર – ખૂબ ભારે ચિંતામાં પડે છે.
- ભૂખ્યા રહે છે – ખાતા નથી – ખાવાનું ભાવતું નથી.
- કામકાજ નોકરી – વેપારધંધો કરતા નથી.
આ બધા લક્ષણોને સાથે કહીએ તો, તેઓ ખૂબ મોટી મનોવૈજ્ઞાનિક હતાશામાં પડી જાય છે. આ પછી દિલાશો, આશ્વાસન કે મદદ માટે સગાસંબંધી અને મિત્રો ઝંપલાવે છે. તેઓને લીધે – ઘણીવાર મા બાપ અવિવેકી – બુદ્ધિ વગરનું કે અકુદરતી પગલું ભરી બેસે છે. તેઓ દીકરીનો સંપર્ક છોડી દે છે, ધમકી આપે છે અથવા મારી મારીને દીકરીને શારિરીક પીડા આપે છે – કોઈ વાર મોત પણ લાવે છે. (સ્વમાન માટે હત્યા Honour Killing)
મા બાપ એટલેથી અટકતા નથી. થયેલા જમાઈને,
- ચરિત્રહીન,
- અભણ-ઓછું ભણેલો,
- ઓછો દેખાવડો-કદરૂપો,
- ગરીબ-ઓછું કમાતો-ગરીબ કુટુંબનો,
- સિદ્ધાંત વગરનો અને શું શું ?
જમાઈ વિષે ન કહેવાનું - સાચું ખોટું - બધું જ ગાઈ વગાડીને, ઢંઢેરો પીટી-પીટીને જાહેર કરે છે.
- વસિયત નામું: નવેસરથી વસિયત (Will) બનાવી લાભકર્તા તરીકે કન્યાનું નામ કાઢી નાંખે છે.
- ઘરબાર, જમીન વેચીને બીજે ગામ કે શહેર રહેવા જાય છે.
- પોતાના વિસ્તારમાં આવતા સમાચારપત્રોમાં જાહેરાત આપી પુત્રી સાથે સંબંધ નથી, એમ છપાવી સંબંધનો અંત આણે છે.
- લગ્ન ભાગીને થવાથી પૈસા બચ્યા હોવાનો કરુણ આનંદ અનુભવે છે.
આમ વધારે પડતી ઘૃણા - તિરસ્કાર અને નકારાત્મક લાગણીથી આઘાત પામેલા માં બાપ પુત્રી ના સંબંધ વખત જતાં એટલા ખરાબ રહેતા નથી. સુધરે છે. સમાધાન થાય છે. તે સારું પણ છે. અને આવકાર્ય પણ છે. આમ તો, જન્મથી પ્રેમ પામેલી દીકરીને ભૂલવું સહેલું પણ નથી અને જરૂરી પણ નથી. ખરું ને?
ચાલો, હવે આપણે નક્કી કરીએ, હવે શું કરીશું?
સંક્ષિપ્તમાં અમલમાં મુકવા જેવાં સૂચનો કહીશ.
- ધીરજ ધરો, ઉતાવળા ન થાવ. આવી ગંભીર પરિસ્થિતિમાં અકળાટ ન અનુભવો. વધારે પડતા આકરા પ્રતિભાવો ન આપો.
- ખાસ કરીને દિકરી અને જમાઈ વિષે બીન જરૂરી ખરાબ ટીકાથી દૂર રહો. તે અનિવાર્ય છે. તમારા અનિચ્છીય વિચારો પ્રગટ ન કરો.
- મૌન રહો. શાંતિ જાળવો. શાંત થાવ.
- ના, બિલકુલ શોકાતુર ન બનો. કદીપણ જાત માટે ખોટું ન વિચારો.
- સમયને સમયનું કામ કરવા દો.
દિવસો, સપ્તાહો, વર્ષો, રસ્તો તૈયાર જ છે. કહેવાયું છે દુ:ખનું ઓસડ દહાડા.
દીકરીના પક્ષકાર બનો
- દિકરી-પુત્રીને તમારા અણગમાના કારણો ભયસ્થાનો તમારી આ લગ્નના કારણો થતી લાગણી જણાવો. ગુસ્સો, અહંકાર, અણગમો કે સામાજીક ભયને ઓગાળીને પ્રેમથી તમારા વિચારો ફક્ત પ્રદર્શિત કરો. સલાહ સૂચનો કે આગ્રહથી દૂર રહો.
- સંપર્ક જાળવી રાખો. રૂબરૂ, ફોનથી કે મોબાઈલ જેમ ઠીક લાગે તેમ, પુત્રીના સંપર્કમા રહો. આ ફરજીયાત છે.
- પુત્રીના દુશ્મન બનીને અણઘટતો વ્યવહાર અચુક ન કરો. તેની જીવનની એકમાત્ર ભૂલને કારણે માતપિતા અને પુત્રીના સંબંધનોનો અંત ન આણો. ભૂલ એ ભૂલ છે. ફક્ત ભૂલ જીવનનો અંત નથી. આ ભૂલને બાદ કરો તો બાકીનું બધુ જ યથાવત છે અને રાખો.
- આ ઘટના મા બાપ પુત્રી પુરતી મર્યાદિત છે. તેનો રસ્તો પણ તમારે ત્રણે ભેગા જ કાઢવો પડશે. ધીમા પડો, ધીરજ રાખો, સારો રસ્તો ચોક્કસ નીકળશે.
આ વાતમાં તમારા પોતાની ઈચ્છા-શક્તિ પોતાની લાગણીના માર્ગદર્શન મુજબ કામ કરો-મિત્રો, સગાસંબંધી, વકીલોની વાતોથી ગેરમાર્ગ દોરાશો નહિ. તેમને તમારી લાગણીની વાતો કરશો તો ચાલશે. તેમની ખોટી વાતથી ગેરમાર્ગે દોરાશો નહિ. કારણ કે ખરો-યોગ્ય રસ્તો તમને જ દેખાશે. તે મુજબ જ અનુસરો.
મારી બધી જ શુભેચ્છાઓ, આશીર્વાદો અને પ્રાથનાઓ આપ સૌ માં-બાપો-પુત્રી માટે છે. શુભ દિવસો આવવાના જ છે. ફક્ત થોડી ધીરજ, પ્રેમ જરૂરી છે.
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
bharat@desaieyehospital.com
Read this article in English:
