Skip to main content

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

  1. એકવીસમી સદીના બાળકોની નવી પેઢીને ઈલેક્ટ્રોનીક માધ્યમો – મોબાઇલ – ઈન્ટરનેટ,લેપટોપ, અને ટેલીવીઝન ભેટમાં મળેલ છે. એટલે તેમની હોશિયારી, સમજ, જ્ઞાન આકાશ આંબે તેટલાં ઉંચા ગયા છે. એટલે તેઓ પોતાને ખૂબ હોશિયાર અને માબાપને મૂર્ખ માને છે.
  2. માબાપને એક જ બાળક હોય છે. બે બાળકો તો ખૂબ ઓછા મા બાપને નસીબ હોય છે. તેથી ખૂબ વધારે પડતા લાડ લડાવે છે. ,આ બાપ બાળક માંગે તે બધી માગણીઓ મુજબ વસ્તુ લાવી આપે છે. (એમને પરવડે કે નહિ તો પણ) આમ બાળકને જોઈતી દરેક ચીજ- સાઈકલ, મોપેડ, મોબાઈલ, કપડાં, બૂટ મેળવીને જ જંપે છે. આ રીતે ત્યારે ના સાંભળવા ન ટેવાયેલું બાળક, લગ્નમાં પણ પોતાની મરજી મુજબ જ કરે છે.
  3. પુખ્ત લોકોને જોવાના ચલચિત્રો, ઈનટરનેટના શરીર સંબંધ દર્શાવતા પ્રસંગો અને ટેલીવીઝનમાં શીખવાને લીધે શારીરિક ઈચ્છાઓ વહેલી ઉમરે જાગૃત થાય છે. સંસ્કારી ભણવામાં મશગુલ અને વિવેક બુદ્ધિવાળો છોકરો છોકરી સાથે આ બાબતે ભેગો થતો નથી. ત્યારે બીનસંસ્કારી, નાલાયક, છોકરા શરીર સંબંધ બાંધવાની હરકત કરે છે. જેના શરીરની જાતિય ઇચ્છાથી આકર્ષાયને ખોટા પાત્ર સાથે ખોટી રીતે લગ્ન કરવાની ભૂલ કરી બેસે છે.
  4. માધ્યમિક શાળા : ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજોમાં ભણતી કન્યાઓ પુરુષમિત્ર (Boyfriend) હોવો ફરજીયાત ગણે છે અને તે ન હોવાને નાનમ સમજે છે, હીણપત અનુભવે છે ત્યારે, સામે આવેલા કોઈપણ નાલાયક છોકરા સાથે જોડી બનાવી દે છે. જેનો અંત ખોટા લગ્નમાં આવે છે.
આમ, માં બાપનું એકમાત્ર બાળક પોતે માં બાપને જણાવ્યા વગર, માં બાપની જાણબહાર અને એકદમ વહેલી ઉમરે લગ્નનો નિર્ણય લઈ લે છે. છોકરો ભલે અભણ હોય, કમાવવા સક્ષમ ન હોય,મોટો હોય કે જે હોય તે, છોકરી લગ્ન કરીને રહે છે. ત્યારે માં બાપે શું કરવું ?


મા બાપનો પ્રાતિભાવ

પુત્રીના લગ્નની જાણ મા બાપને સૌથી મોડી, છેલ્લે થતી હોય છે. જાણ થતાં તરત જ ખૂબ તીવ્ર પ્રત્યાઘાત મા બાપ આપતા હોય છે. ખૂબ ઊંડા આઘાત, હતાશા અને પીડાની લાગણી કદાચ સ્વાભાવિક છે. માનસિક અનુભૂતિ અને સામાજીક ભય તેમને અપમાન જનક અને નિરાશાની ખૂબ ઊંડી પરાકાષ્ઠાએ પહોંચાડે છે. તેમને ખૂબ ખરાબ લાગે છે કે અસામાજીક પ્રવુતિ કે સામાજીક રીતે અસ્વીકાર્ય વાત તેમના પોતાના ઘરમાં બની છે. એટલે આ વાત – સમાચાર, શક્ય હોય ત્યાં સુધી છુપાવવા માથે છે. અને તેથી તેઓ

  1. શાંત, આઘાતમય, મૂઢ બની જાય છે.
  2. મૂક-મૌન કે મૂંગાપણું જાળવે છે.
  3. આંસુ સારે છે. રડે છે.
  4. દિવસો – મહિનાઓ સુધી નિસાસો નાંખે છે.
  5. નિંદ્રાહીન – ઊંઘતા નથી.
  6. ચિંતાતુર – ખૂબ ભારે ચિંતામાં પડે છે.
  7. ભૂખ્યા રહે છે – ખાતા નથી – ખાવાનું ભાવતું નથી.
  8. કામકાજ નોકરી – વેપારધંધો કરતા નથી.

આ બધા લક્ષણોને સાથે કહીએ તો, તેઓ ખૂબ મોટી મનોવૈજ્ઞાનિક હતાશામાં પડી જાય છે. આ પછી દિલાશો, આશ્વાસન કે મદદ માટે સગાસંબંધી અને મિત્રો ઝંપલાવે છે. તેઓને લીધે – ઘણીવાર મા બાપ અવિવેકી – બુદ્ધિ વગરનું કે અકુદરતી પગલું ભરી બેસે છે. તેઓ દીકરીનો સંપર્ક છોડી દે છે, ધમકી આપે છે અથવા મારી મારીને દીકરીને શારિરીક પીડા આપે છે – કોઈ વાર મોત પણ લાવે છે. (સ્વમાન માટે હત્યા Honour Killing)

મા બાપ એટલેથી અટકતા નથી. થયેલા જમાઈને,

  • ચરિત્રહીન,
  • અભણ-ઓછું ભણેલો,
  • ઓછો દેખાવડો-કદરૂપો,
  • ગરીબ-ઓછું કમાતો-ગરીબ કુટુંબનો,
  • સિદ્ધાંત વગરનો અને શું શું ?

જમાઈ વિષે ન કહેવાનું - સાચું ખોટું - બધું જ ગાઈ વગાડીને, ઢંઢેરો પીટી-પીટીને જાહેર કરે છે.

  • વસિયત નામું: નવેસરથી વસિયત (Will) બનાવી લાભકર્તા તરીકે કન્યાનું નામ કાઢી નાંખે છે.
  • ઘરબાર, જમીન વેચીને બીજે ગામ કે શહેર રહેવા જાય છે.
  • પોતાના વિસ્તારમાં આવતા સમાચારપત્રોમાં જાહેરાત આપી પુત્રી સાથે સંબંધ નથી, એમ છપાવી સંબંધનો અંત આણે છે.
  • લગ્ન ભાગીને થવાથી પૈસા બચ્યા હોવાનો કરુણ આનંદ અનુભવે છે.
આ અને ઘણી બાબતો આપે જોઈ હશે તો તે જણાવશો.

આમ વધારે પડતી ઘૃણા - તિરસ્કાર અને નકારાત્મક લાગણીથી આઘાત પામેલા માં બાપ પુત્રી ના સંબંધ વખત જતાં એટલા ખરાબ રહેતા નથી. સુધરે છે. સમાધાન થાય છે. તે સારું પણ છે. અને આવકાર્ય પણ છે. આમ તો, જન્મથી પ્રેમ પામેલી દીકરીને ભૂલવું સહેલું પણ નથી અને જરૂરી પણ નથી. ખરું ને?

ચાલો, હવે આપણે નક્કી કરીએ, હવે શું કરીશું?

સંક્ષિપ્તમાં અમલમાં મુકવા જેવાં સૂચનો કહીશ.

  1. ધીરજ ધરો, ઉતાવળા ન થાવ. આવી ગંભીર પરિસ્થિતિમાં અકળાટ ન અનુભવો. વધારે પડતા આકરા પ્રતિભાવો ન આપો.
  2. ખાસ કરીને દિકરી અને જમાઈ વિષે બીન જરૂરી ખરાબ ટીકાથી દૂર રહો. તે અનિવાર્ય છે. તમારા અનિચ્છીય વિચારો પ્રગટ ન કરો.
  3. મૌન રહો. શાંતિ જાળવો. શાંત થાવ.
  4. ના, બિલકુલ શોકાતુર ન બનો. કદીપણ જાત માટે ખોટું ન વિચારો.
  5. સમયને સમયનું કામ કરવા દો.

દિવસો, સપ્તાહો, વર્ષો, રસ્તો તૈયાર જ છે. કહેવાયું છે દુ:ખનું ઓસડ દહાડા.

દીકરીના પક્ષકાર બનો

  1. દિકરી-પુત્રીને તમારા અણગમાના કારણો ભયસ્થાનો તમારી આ લગ્નના કારણો થતી લાગણી જણાવો. ગુસ્સો, અહંકાર, અણગમો કે સામાજીક ભયને ઓગાળીને પ્રેમથી તમારા વિચારો ફક્ત પ્રદર્શિત કરો. સલાહ સૂચનો કે આગ્રહથી દૂર રહો.
  2. સંપર્ક જાળવી રાખો. રૂબરૂ, ફોનથી કે મોબાઈલ જેમ ઠીક લાગે તેમ, પુત્રીના સંપર્કમા રહો. આ ફરજીયાત છે.
  3. પુત્રીના દુશ્મન બનીને અણઘટતો વ્યવહાર અચુક ન કરો. તેની જીવનની એકમાત્ર ભૂલને કારણે માતપિતા અને પુત્રીના સંબંધનોનો અંત ન આણો. ભૂલ એ ભૂલ છે. ફક્ત ભૂલ જીવનનો અંત નથી. આ ભૂલને બાદ કરો તો બાકીનું બધુ જ યથાવત છે અને રાખો.
  4. આ ઘટના મા બાપ પુત્રી પુરતી મર્યાદિત છે. તેનો રસ્તો પણ તમારે ત્રણે ભેગા જ કાઢવો પડશે. ધીમા પડો, ધીરજ રાખો, સારો રસ્તો ચોક્કસ નીકળશે.

આ વાતમાં તમારા પોતાની ઈચ્છા-શક્તિ પોતાની લાગણીના માર્ગદર્શન મુજબ કામ કરો-મિત્રો, સગાસંબંધી, વકીલોની વાતોથી ગેરમાર્ગ દોરાશો નહિ. તેમને તમારી લાગણીની વાતો કરશો તો ચાલશે. તેમની ખોટી વાતથી ગેરમાર્ગે દોરાશો નહિ. કારણ કે ખરો-યોગ્ય રસ્તો તમને જ દેખાશે. તે મુજબ જ અનુસરો.
મારી બધી જ શુભેચ્છાઓ, આશીર્વાદો અને પ્રાથનાઓ આપ સૌ માં-બાપો-પુત્રી માટે છે. શુભ દિવસો આવવાના જ છે. ફક્ત થોડી ધીરજ, પ્રેમ જરૂરી છે.

ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
bharat@desaieyehospital.com


Read this article in English: 

Comments

  1. Salute to writer respected Desai Saheb.
    Best article I ever read for any touring place. Expression of words fom observations made minutely. with perfection that too from bottom of the heart reaching to heart of readers. Covering each day's every activity with remembering every member in respectful language.

    ReplyDelete
  2. Impressive thinking.
    Sign of maturity to understand the piece of our own blood and support her.
    . Heard of honour killing and an unnecessary waste of precious life for ego’ s sake.
    Admire your article.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1)  ભગવદ્દગીતામા...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...