Skip to main content

આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદીનો અમૃત મહોત્સવ
પ્રવચક: ડો. ભાસ્કર આચાર્ય, સુરત

બીલીમોરા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ અને મારા અત્યંત નજીકના સ્નેહલ મિત્ર ડો. ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી ઉર્મિલાબેન દેસાઈ અને વરિષ્ઠ નાગરિક મંડળના સજ્જનો અને સન્‍નારીઓ.

શુભ સવાર. સૌને નમસ્કાર.


આઝાદીના અમૃતમહોત્સવ વિશે ઘણાં બધાં પાસાંઓને આવરીને હું માટું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરીશ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવ ઉપરાંત ભારતની આઝાદીના સંઘર્ષમાં ગાંધી, જવાહરલાલ નહેડું, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ગોપાળકૃષ્ણ ગોખલે, ખાન અબ્દુલગફાર જેવા લડવૈયાઓને યાદ કરવા જ પડે. સાથે ૧૮૫૭નાં પ્રથમ બળવાના નાયક મંગળ પાંડે, ભગતસિંહ, સુખવીર અને રાજબીર જેવા નવલોહિયા શહીદોએ એમના પ્રાણની આહુતિ આપી છે. તેમને પણ શ્રદ્ધાંજાલે આપવી ઘટે. બ્રિટીશરો સામે લડવામાં ગાંધીજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. સત્ય, અહિંસા, ઉપવાસ, અસહકાર જેવાં આયુધો લઈને ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હતો.

કદાચ મોહંમદઅલી જિન્હા ન હોત અને ધ્રિટીશરોની ભાગલા પાડો અને લડો એવી નીતિ ન હોત તો દેશ કદાચ વહેલો આઝાદી પામ્યો હોત.

એક મુઠીભર ધ્રિટીશરો સામે તે વખતના ભારતના લોકો ભેગા «ન થયા તે લડત ના આપી, પરિણામ અંગ્રેજોએ ફૂટનીતિ વાપરીને દેશને દુર્દશની ગતિમાં ધકેલી દીધો. દેશનું અમૂલ્ય નાણું, સંપત્તિ તેમજ યુદ્ધમાં વાપરવામાં આવતાં માનવધનનો ધ્રિટીશરોએ ખૂબ જ દુરુપયોગ કર્યો.

અહીં સામે ઉપસ્થિત વરિષ્ઠ મિત્રો, અભ્યાસુ, તજૂજ્ઞ અને અનુભવથી ઘડાયેલા છે. તેમની સમક્ષ હું આઝાદીનો ઈતિહાસ, ભારતની સિદ્ધિઓ, ભારતની નાલેશીઓ અને ભારતના આજના પડકારો વિશે થોડી વાતો કરીશ.

આ ઇતિહાસ અને તેની ઘટનાઓને તમે પાછા યાદ કરશો અને માણશો. આ બધી સાચી માહિતીઓ અને સત્ય કથાઓ પર આધારિત પ્રવચન છે. એમાં કદાચ રોમાંચ ના પ્રકટે, રસ ન પડે, પણ માહિતીનું આદાનપ્રદાન જરૂર થશે.

'દે દો હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ' એવું કવિ પ્રદીપજી ગાંધીજીની અહિંસાને અંજલિઆપવા લખે, એ બરાબર છે. પરંતુ આઝાદી માટે દાયકાઓથી ચાલતો સંઘર્ષ પૂર્ણાહૂતિ સુધી શી રીતે પહોંચ્યો તે સમજવા કવિતાઓ કે દંતકથાઓ કામ ન લાગે, કારણ કે તે પ્રક્રિયામાં સંકળાયેલા છે : અણગમતાં સમાધાન, કારમા આઘાત, ભોગ-બલિદાન, વ્યૂહ રચના, શતરંજ, દેશપ્રેમ સાથે કુનેહની આકરી કસોટી, વાટાઘાટો અને આઝાદીને ગજવામાં ગણતાં લોકોને અંદાજ પણ ન આવે એવા પડકાર.

૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારત પરથી અંગ્રેજ સત્તાનો સકંજો દૂર થયો, ત્યાર પહેલાંનો સમય ફિલ્મી લાગે એવાં વળાંકો - પ્રસંગોથી ભરપૂર છે, પણ તે મોટાભાગના લોકોથી મહદઅંશે અજાણ્યો રહ્યો છે.

૧૯૧૫માં ગાંધીજી ફિનિક્સ-સાઉથ આફ્રિકાથી તેમના પંદર શિષ્યોને લઈને મુંબઈ બંદરે ઉતરે છે. ત્યાંથી થોડોક સમય કાંગડી ગુરૂકુલ જઈ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અને કાર્યપ્રણાલિઓનો અભ્યાસ કરી ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિન્તિકેતન કલકત્તા જાય છે.

રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીથી ૮ વર્ષ મોટા હતા. રવિન્દ્રનાથના 'એકલો જાને રે, તરી હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે! ગીતથી ગાંધીજી બહુ જ પ્રભાવિત થયા હતા. રવિન્દ્રનાથનાં બીજા બંગાલી ગીતો અને 'ગીતાંજલિ'નાં ભાવવાહી ગીતો ગાંધીજીને ગમ્યાં હતાં. રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં થોડાક મહિના ત્યાંનુ માળખું અને બીજું ઘણું બધું શીખવા રહેવા માટેની ફિનિકસથી પરવાનગી માંગી હતી.

રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના ફિનિક્સનાં કામોથી ન્યૂઝ પેપરતાં અહેવાલોથી જાણીતા હતા. વળી તે બંને વચ્ચે ઘણાં પત્રવ્યવહાર પણ થતા હતા. રવિન્દ્રનાથ ગાંધીજીને “મહાત્મા નાં સંબોધનથી બોલાવતા હતા અને ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને 'ગુરૂદેવ' કહી સંબોધતા હતા.

ગાંધીજી એમના શિષ્યવૃંદ સાથે શાંતિનિકેતન જાય છે. ત્યાં રવિન્દ્રનાથને ત્યાં રહેતા તેમના એક ચાહક કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મળે છે.

ગાંધીજીની અહિંસાથી આઝાદી મેળવવાની વાતોથી કાકાસાહેબ પ્રભાવિત થતા નથી. "મને  તમારી અહિંસાના આંદોલનથી આઝાદી મેળવી શકાય એ બાબતનો વિશ્વાસ નથી."

ગાંધીજી કહે, "હમણાં થોડોક સમય હું અહીં રહેવાનો છું. થોડાક મહિના પછી હું નવો આશ્રમ ચાલુ કરવાનો છું. ત્યાં તમે મારી સાથે રહો. ફાવે તો ઠીક, નહીં તો પાછા ચાલ્યા જવાનું."

ગાંધીજીની સાદગી, સુતરાઉ જાડાં કપડાં, કાઠિયાવાડી જેવો ફળિયાવાળો ડ્રેસ, જાતે મહેનત કરી બીજાની વાત ધ્યાનથી સાંભળવી એ કાકાસાહેબને ગમ્યું. એમણે મુઝફરનગરમાં રહેતા એમના એક પ્રોફેસર મિત્ર કૃપલાણીને તાર કર્યો “તમે અહી કલકત્તા શાંતિનિકેતનમાં આવી જાઓ. મોહનદાસ ગાંઘી કરીને એક આદર્શવાદી વ્યક્તિને તમને મળવાનો આનંદ થશે. દેશ માટે મરી કીટે અને અહિંસામાં માનનારો આવો વ્યક્તિ જોવા નહીં મળે.

કુપલાણી શાંતિનિકેતન આવે છે. તેઓ ગાંધીજી માથે ચર્ચા કરે છે. ગાંધીજીને કહે છે "મેં કોલેજમાં ઇતિહાસ ભણાવ્યો છે અને ભણાવું છું. કોઈ પણ દેશની કાંતિ અને આઝાદી માટે હિંસા વગર કશું શક્ય નથી. હું તમારી વાત કેવી રીતે માનું?”

ગાંધીજી કહે, "તમે ભાઈ, ઈીતેહાસ ભણાવો છો, હું તો ભારતની આઝાદી માટે ઈીતેહાસ રચવાનો છું, કે જેમાં અહિંસક આંદોલન, અસહકાર, અન્યાય સાથે ઝઝુમવાનું, સત્યનું આચરણ કરવાનું, ને ઉપવાસથી સામેવાળાનું મનોબળ તોડી નાંખવાનું, એવું કરીશ."

કૃપલાણી આ વાતો થોડા સમય દરારોજ સાંભળે છે. અને ગાંધીજીની સાદગી, શ્રમ, જાતમહેત્તત, વગેરે જોઈને, તેમના અનુયાયી થઈ જાય છે. કાકાસાહેબ કાલેલકરે આ વાત તેમની સ્મરણકથામાં લખી છે. થોડાંક મહિનાઓ પછી, આખા ભારતમાં થોડીક થોડીક જગ્યાઓએ ફરી, લોકોની સાથે ગાંધીજી વાત-ચીતો કરે છે.

પછી, અમદાવાદમાં સાબરમતીમાં કોચરવ આશ્રમમાં ગાંધીજી એક એવો આશ્રમ સ્થાપે છે જ્યાં કોઈ પણ વ્યવસ્થા ન હોય, જ્યાં જાતે જ બધું કામ કરવાનું હોય, જ્યાં એક જ રસોડું હોય, જ્યાં સાદગી હોય, જ્યાં અહિંસાનું આચરણ થતું હોય, જ્યાં હંમેશાં સત્યની જય થતી હોય.

સાબરમતીમાં આશ્રમ સ્થાપવાનું અને ગુજરાતમાં રહેવાનું સૌથી મોટું કારણ ગાંધીજી ગુજરાતીના મતે ગુજરાતી ભાષામાં પહેલા મારા ગુજરાતી બંધુઓને મારા આ આંદોલનને સમજાવું, તેમના પ્રશ્નો સમજું, બીજું ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. તે માટે પૈસાની જરૂર પડે તો મદદ કરે. અને ગાંધીજીની આ વાત સાચી જ રહી.

થોડા જ વર્ષોમાં સાબરમતી આશ્રમમાં ગાંઘીજીને એક-એકથી ચઢિયાતા માનવરત્નો મળે છે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવ દેસાઈ, ત્તરહરિભાઈ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપલાણી, ઠક્કરબાપા, અને પ્યારેલાલ ભાઈ. આ બધાઓ સાથે ગાંધીજીનું સરસ મજાનું ટયુનિંગ થઈ જાય છે.

૧૯૧૮માં ચંપારણમાં ગળી પકવતા ખેડૂતોનાં આંદોલનમાં ગાંધીજી જોડાયા. આચાર્ય કૃપલાણીનો તેમને સાથ મળ્યો. રાજેન્દ્ર પ્રસાદનો પણ સાથ મળ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટનને ગળીની બહુ જ જરૂર પડી. બિહારમાં ચંપારણમાં ગળીનું ખાસ્સું વાવેતર થતું હતું. પણ બ્રિટેશ અમલદારો, જબરદસ્તી ખેડૂતોને ગળીનું વાવેતર કરવા ફરજ પાડવા માંડયા. અને જે પાક ઉતરે તેની કિંમત પણ જીવી રાખતા, પરિણામે અમલદારોને ઝાઝો નફો થતો અને ખેડૂતોને નુકશાન થતું હતું આના વિરોધમાં ચંપારણમાં ગાંધીજીએ આંદોલન કર્યું. લાંબી લડતને અંતે ગાંધીજીની અને ગળી પકવતા ખેડૂતોની જીત થઈ.

૧૯૧૮માં આવું જ ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં ખેડામાં થયું. આ આંદોલનમાં પણ ગાંધીજી જોડાઈ ગયા. અને તેમણે ખેડૂતોને જીત અપાવી. આ આંદોલન થકી વલ્લભભાઈ પટેલની શોધ થઈ. ગાંધીજીએ તેમને 'સરદાર'નું નામ આપ્યું.

૧૯૧૮ના ચોમાસામાં ખેડામાં ૭૦ ઈચ વરસાદ પડયો. ખેડૂતોને ઝારું નુકશાન થયું. બ્રિટિશ સરકાર આ તોફાની ખેડૂતો કે જેમણે તેમની સામે આંદોલન કર્યું હતું, તેમને મદદ કરવાની ના પાડી. ગાંધીજી બ્રિટિશ સરકાર સામે લડયાને ખેડૂતોને મદદ અપાવી.

૧૯૧૯માં વિશ્વભરમાં ચાલી રહેલા ખિલાફત આંદોલનમાં ભારતીય મુસ્લિમોને ટેકો આપ્યો. બ્રિટન અને તુર્કીના ઝઘડામાં તુર્કીવાદી જતાં તુર્કીના અમુક વિસ્તારો બ્રિટને કબજે કર્યા. અને તુર્કીના ખલીફાની મદદમાં આરંભાયેલા ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ ભારતીય મુસ્લ્મોને ટેકો આપ્યો. એક બિન મુસ્લિમ નેતા તરીકેનું ગાંધીનું કામ બ્રિટીશ અખબારો અને પત્રકારોએ વખાણ્યું.

૧૯૨૦ થી ૧૯રર અસહકારના આંદોલનમાં ગાંધીજીએ અસહકારની લડત ચાલુ કરી. બ્રિટીશ સરકારના કામકાજમાં સહકાર આપ્યો નહીં. લોકોએ સરકારી નોકરીમાંથી રાજીનામાં આપ્યાં. પોતાનાં બાળકોને અંગ્રેજી સરકારની શાળામાંથી ઉઠાડી મુક્યાં. સરકારી કચેરીઓમાં લોકાએ કામકાજ માટે જવાનું બંધ કર્યું. આમ, અસહકારના આંદોલનની ભારતભરમાં એક હવા ઊભી થઈ. એક મુઠ્ઠીભર અંગ્રેજો ભારતને કાબૂમાં ના રાખી શકે, તેવી અસર આવી ભારતમાંથી.

માર્ચ-ર૦, ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચની ચળવળ ચાલુ કરી. બ્રિટીશ સરકારને મીઠા પરથી ટેક્સ હટાવવા ર૪ દિવસની ર૪૦ માઈલની ૭૯ પદયાત્રીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી દરિયાકીત્તારા સુધીની કૂચ કરી. આ દાંડીકૂચની બ્રિટીશરો પર ખૂબ અસર થઈ.

૧૯૪૨માં “ભારત છોડો' આંદોલન અને કરેંગે યા મરૅંગે' આંદોલનમાં ભારતની પ્રજા સામૂહિક રીતે જોડાઈ અને બ્રિટીશ સલ્તનત હચ-મચી ગઈ. ગાંધીજી બ્રિટીશ લેખક આલ્ડસ હકસણે અન્ય અજ્ઞાની અંગ્રેજોની માફક લખ્યું હતું કે મહાત્મા ગાંધી પોતડી પહેરીને સાધુનું નાટક કરે છે' પરંતુ જેમજેમ એમને સમજવાનો પ્રયત્ન કર્યો પછી ૧૯૪૫માં લખેલી એમની એક કિતાબ સાયન્સ લિબર્ટી અને પીસમાં લખ્યું હતું કે, ગાંધીજીના સામાજિક અને આર્થિક વિચારો વ્યવહારું છે અને માનવ સ્વભાવને અનુડૂળ છે. વૈજ્ઞાનિકોએ હવા પાણી જેવી પ્રાકૃતિક સંપદા પર સહકારી ધોરણે કામ કરવું જોઈએ.

૧૯૩૧માં ગાંઘીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા ત્યારે રોઈટર સમાચાર સંસ્થાના પ્રતિનિધિએ પૂછયું હતું કે “તમારો શું પ્રોગ્રામ છે?” ત્યારે અળવીતરા ગાંધીએ કાગળમાં લખીને જવાબ આપ્યો હતો 'ભારા સ્વપ્નનું ભારત, જે સ્વતંત્ર હોય, જે લોકોનું હોય, જ્યાં ઊંચ-નીચ જાત « હોય, જ્યાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ «ત હોય, જ્યાં નશીલી ચીજો ન હોય, જ્યાં નાનામાં નાનું લશ્કર હોય.

૧૯૪૭ની ૧૪ ઓષ્ટની મધરાતે વડાપ્રધાન નહેરુ સંસદમાં એમાના ખાસ મિત્રો સાથે પ્રવચન આપી સમજાવતા ત્યારે ગાંધીજી- નોઆબલીમાં તોફાનો અટકાવવા ઉપવાસ પર ઉતર્યા હતા. ગાંધીજીને સત્તાનો કે પદ મેળવવા કોઈ લોભ કે મોહ ન હતા. ગાંધીજીમાં ગ્રામસ્વરાજ્ય કેન્દ્રિત બંધારણની બે યોજનાઓ ૧૯૪૬ અંને ૧૯૪૭માં પેશ કરી હતી.

બીજી દરખાસ્ત તો એ જ દિવસે કરી હતી, જે દિવસે એમને ગોળી મારવામાં આવી હતી. કોંગ્રેસને વિખરી નાંખવામાં ગાંધીનો 'પ્રસિદ્ધ' વિચાર આ બીજી પેશકશમાં હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે રાજકીય વેશભૂષા ત્યજીને સામાજિક સંગઠન બની જવું જોઈએ અને પંચાયતોના દેશવ્યાપી તેટવર્કનું સંચાલન કરવું જોઈએ. કોંગ્રેસી નેતાઓએ આ સૂચન ફગાવી દીધું હતું.

ગાંઘીજી ૧૯૪૨માં કરેંગે યા મરેંગે વખતે દેશવ્યાપિ ખ્યાતિ મેળવીને લોકપ્રિય થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જર્મની સાથે યુદ્ધમાં માર ખાઈ ગયું હતું. હિટલરના આક્રમક વલણ સામે બ્રિટનના ચર્ચિલ બ્રિટનના લોકાને જાંઘ ચઢાવતા એ કહેતા હવે યુદ્ધના અંતિમ તબક્કામાં છીએ, અને આપણે યુદ્ધમો જીતી જવાના છીએ. તમે બધા મને મદદ કરો. તે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો પરાજય થયો. પત્રકારોએ જ્યારે ચર્ચિલને કહ્યું કે, તમે વિશ્વયુદ્ધમાં હિટલરથી ગભરાતા હતા ! તયારે ચર્ચિલે કહ્યું, દુનિયામાં હું માત્ર એક જ માણસથી ગભરાઉં છું, તે ભારતના મિ. ગાંધી. એમની સાથે વાત કરતાં મને તકલીફ થાય છે. તે અહિંસાના પૂજારી છે ને ભારતની આમજતતાનું સારું પ્રતિનિધિત્વ કરે છે.

આઝાદીનાં આંદોલન વખતે ભાવિભારતની જે કલ્પના કરવામાં આવી હતી તેનો બહુબધાએ વિરોધ કર્યો હતો. લોકમાન્ય તિલક જેવા અનુયાયીઓએ ક્યું હતું કે હવે માત્ર બે વિકલ્પ બચ્યાં છે કાં ગાંધીને સ્વીકારો કાં જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. તેમણે કહ્યું કે આપણે બધાંએ ગાંધીજીને સાથ આપવો જોઈએ. આ માણસ જ આપણને આઝાદી અપાવી શકે છે.

૧૯૧૯માં બ્રિટનની સંસદે ભારતને થોડા વહીવટી સુધારા આપ્યા, તેના દસ વર્ષ પછી ૧૯૨૯માં કેટલાક વધુ સુધારાઓ આપવા માટે બ્રિટનની સરકારે 'સાયમન કમિશન'ની નિમણૂંક કરી. પણ તેનો વિરોધ થયો. કારણ કે એમાં એક પણ ભારતીય સભ્ય « હતો. અંગ્રેજ સરકારને લાગતું હતું કે ભારતીયો પોતાનું બંધારણ જાતે બનાવી શકે તેમ તથી. જવાબમાં મોતીલાલ ગહેરુતા વડપણ હેઠળ રચાયેલી સમિતિએ નહેરુ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો. તેમાં સંપૂર્ણ સ્વતંત્રતાને બદલે ડોમિનિયિમ સ્ટેટ્સની માંગણી કરવામાં આવી હતી. આનો અર્થ થતો હતો કે ભારતને ઘણી બધી બાબતોમાં સ્વતંત્રતા મળે પણ તેની વફાદારી બ્રિટીશ તાજ પ્રત્યે છે.

નહેરુ સમિતિની જોગવાઈ જવાહર અને સુભાષચંદ્ર બોઝ જેવા નવી પેઢીના નેતાઓને મંજૂર ન હતી. એટલે કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરૂના અધ્યક્ષપણામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. એમાં બ્રિટીશરો પ્રત્યે કોઈ વફાદારી પ્રકટ કરવાની ન હતી.

ત્યારથી આઝાદી આંદોલનના બીજા તબક્કામાં દાંડીકૂચથી સત્યાગહને આંદોલનનો જુસ્સો વ્યાપી ગયો.

૧. દાંડીકૂચ પછી ગાંધીજી જેલમાં હતા ત્યારે બ્રિટનમાં પહેલી ગોળમેજી પરિષય યોજાઈ. તેનો હેતુ ભારતને કેવું બંધારણ આપવું, તેની ચર્ચા કરવાનો હતો. પણ ગાંધીજી જેલમાં હોવાથી કોંગ્રેસે પરિષદમાં ભાગ લીધો નહીં.
ર. બીજી ગોળમેજી પરિષદમાં અંગ્રેજ સરકાર ગાંધી અને કોંગ્રેસને બરાબરનો દરજ્જો આપીને કરાર કરે છે. પણ બંધારણના સુધારા તેમજ ભારતની અલગ અલગ કામોમાં અલગ પ્રતિનિધિત્વ જેવા મહત્વના મુદ્દે સમજૂતી થઈ નહી. આ વખતથી ઝીણાએ ઈંગ્લેન્ડમાં વકીલાત ચાલુ કરીને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં ભાંગફોડ ચાલુ કરી.
૩. ૧૯૩૫માં ભારતના જુદા જુદા પ્રાંતોની ચૂંટણીમાં, ગાંધીજીવી આભા અને પ્રચંડ લોકપ્રિયતા ઉપરાંત સરદાર પટેલના પ્રબળ આયોજનથી ચૂંટણીમાં કોંગ્રેસનું પલ્લુ ભારે થયું. આ તબક્કે ૧૯૩૦માં બ્રિટનથી પાછા આવીને ઝીણાએ ભારતમાં મુસ્લિમ લીગની તેતાગીરી સંભાળી.
૪. ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ૧૧ માંથી પાંચ પ્રાંતમાં કોંગ્રેસને ચોખ્ખી બહુમતિ અને ચાર પ્રાંતમાં સૌથી વધારે બેઠકો મળી. મુસ્લિમ લીગને ક્યાંય બહુમતિ મળી નહી. આઠ પ્રાંતમાં

જવાહરલાલ નહેરૂ આપણા સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા.

આઝાદી મળ્યા પછીના થોડા સમય પછી બાદ લાલકિલ્લા પરથી સંબોધના જવાહરલાલ નહેરૂ વક્તવ્યના થોડા અંશ સાંભળવા ગમશે.

તુઝે હિન્દુસ્તાન સે યકીન હૈ, ઔર મુઝે ઈસ ભારત કે ભવિષ્ય સે ભરોસા હૈ કિ આઈન્દા ઈસ કી શક્તિ બઢેગી ઔર શક્તિ ખાલી ઈસ તરહસે નહીં બઢેગી કિ વહ શક્તિ એક ફોજી શક્તિ હો. ઠીક હૈ, એક બડે દેશ કી ફૌજી શક્તિ ભી હોની ચાહિયે. લેકિન અસલ તાકત હોતી હૈ ઉસકી કામ કરનેકી શક્તિ, ઉસ કી મહેત્તત કરતે કી શક્તિ, અગર હમ ઈસ દેશ કી ગરીબી કો દૂર કરેંગે, તો કાનૂનો સે નહીં, શોરગૂલ મચાકે નહી. શિકાયત કરકે નહીં બલ્કે મહેનત કરકે. એક એક આદમી-બડા ઔર છોટા, મર્દ-ઓરત ઔર બચ્ચા મહેનત કરેગા.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.

હમે અપને મુલ્કકો બઢાના હૈ, સિર ઉઠાકર મજબૂત કદમ કર, હાથ મિલાકર હમ આગે બઢે. લેકિન યહ મેરે હાથમેં તો નહીં હૈ આપને મુઝે ચંદ દિનોંકે લિયે, પ્રધાનમંત્રી બનાયા,. મેં આયા, ગયા, ઔર મુઝમેં હજારો કમજોરી હૈ. અસલ ચીજ હિન્દુસ્તાન કી તાકત હૈ, જો હિન્દુસ્તાન કી જનાતા હૈ, આપ લોગોં મેં હૈ, આપકો ઈસકો સમજના હૈ કિ, આપકા સબ લોગાં હમારા ક્યા કર્તવ્ય હૈ?

જો એક અમૂલ્ય ચીજ હમારે હાથમેં આઈ વો હે, હિન્દુસ્તાન કી આઝાદી. કહીં હમારે હાથ સે ફિસલ ના જાયે, કહી નિકલ ના જાયે, હમારી કમજોરી સે. યહ કુછ એક ચંદ અફસરો, પ્રધાનમંત્રીઓ કી બાર્તે નહી હૈ, જો મેં આપસે કહ રહા હું, યહ હિન્દુસ્તાન કે કરોડો આદમિ્યો કી બાત હૈ, એક એક ગાંવ કી બાત હૈ.

હમને કુછ દિન ખિદમત કી, કભી ગલત, કભી સહી, હા એક સાફ દિલસે કોશિષ કી. લેકિન જો કામ હમને ઉઠાયા, વો લંબસે લંબા આદમી નડી ઉઠા સકતા હૈ, અપને આપ બગૈર આપકી મદદ સે અપને આપ.




૭૫ વર્ષની સિદ્ધિઓ પર એક નજર
  • - ૧૯૪૦માં ૫૦૭ થી વધારે દેશી રજવાડાંઓનું વિલનીકરણ એ સરદાર વલ્લભભાઈ પટેલની મહાત સિદ્ધિ હતી.
  • - ૧૯૫૦માં ૨૪મી જાન્યુઆરી બંધારણ લાગુ થયું અને મહિલાઓએ પ્રથમવાર મતાધિકાર મળવો શરૂ થયો.
  • - ૧૯૫૧ લોકસભાની પ્રથમ ચૂંટણી ખડગપુરમાં હવેથી પ્રથમ આઈ.આઈ.ટી.ની સ્થાપના
  • - ૧૯૫૨ રાજ્યસભાની સ્થાપના. ગૃહનું પ્રથમ સત્ર.
  • - ૧૯૫૩ ઈન્ડિયન એરલાઈઝસની સ્થાપના થઈ.
  • - ૧૯૫૪ સ્ટેટ બેંક ઓફ ઈીન્ડયાની સ્થાપના થઈ.
  • - ૧૯૫૬ એલઆઈસીની સ્થાપના થઈ.
  • - ૧૯૫૭ માં “મધર છીન્ડિયા' પ્રથમ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ.
  • - ૧૯૬૩ ભાખરાતાંગલ બંદા તૈયાર થયો.
  • - ૧૯૬૫ હિન્દી દેશની સત્તાવાર ભાષા બની.
  • - ૧૯૭૧ બાંગલાદેશને ભારતે આઝાદ કર્યું.
  • - ૧૯૭૪ પોખરણ સફળ પરમાણું પરીક્ષણ
  • - ૧૯૮૩ ટીમ છીન્ડિયા કપિલદેવના કેપ્ટનશીપ હેઠળ વિશ્વવિજેતા ટીમ બની.
  • - ૧૯૯૦ કુવૈતમાંથી સૌથી મોટુ એર લિફ્ટ થયું
  • - ૧૯૯૨ સત્યજીત રાયને ઓસ્કારનો લાઈફટાઈમ એચ્ડીવમેન્ટ એવોર્ડ મળ્યો.
  • - ૨૦૧૪ દેશ પોલિયો મુક્ત થયો.
  • - ૨૦૧૭ વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી લાગુ કરાયો.
  • - ૨૦૧૮ સ્ટેચ્યુ ઓફ યુનિટિ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
  • - ૨૦૧૯ ૩૭૦ મી કલમ નાબૂદી
  • - ૨૦૨૦ અયોધ્યા રામમંદિરનો પાયો નંખાયો
  • - ૨૦૨૧ સ્વદેશી કોરોના વેક્સીન ર૦૦ કરોડ લોકોને ડોઝ અપાયા.
  • - ૨૦૨? સૌપ્રથમ પ્રાઈવેટ ટ્રેન કોઈમ્બતૂરથી શીરડી વચ્ચે ચાલુ થઈ.
૭૫ વર્ષની કેટલીક ભારેખમ યાદો

સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ર૪ ઘટના જેની છાપ દેશના માનસ પર હજી ભૂલાઈ તથી.
  • ૧) ૧૯૪૭ ભારત-પાકિસ્તાન ભાગલા - ૨ કરોડ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ગયા. ૧૦ લાખ લોકોના મોત થયા.
  • ૨) ૧૯૬ર ભારત-ચીન યુદ્ધ. ભારતને યુદ્ધમાં ખાસુ નુકશાન થયું. ભારતીય સેનાની ભારે ખુવારી થઈ.
  • ૩) ૧૯૬૫ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું બન્ને પક્ષે ખાસી ખુવારી થઈ. ભારત યુદ્ધ જીત્યું.
  • ૪) ૧૯૭૧ બાંગ્લાદેશની પ્રજાને સમર્થન આપવા ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યુ. ૨૪ માર્ચ ૧૯૭૧માં બાંગ્લાદેશની સ્થાપના થઈ.
  • પ) ૧૯૭૪ જયનારાયણની છીદેરાગાંધી સરકાર સામે પ્રજાએ ગુસ્સો બતાવ્યો.
  • ૬) ૧૯૭૫ છીદેરાગાંધીએ ર૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી નાંખી
  • ૭) ૧૯૮૪ ઓપરેશન બ્લ્યુ સ્ટાર : અલગ ખાલિસ્તાની માંગ કરનાર આતંકિઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી.
  • ૮) ૧૯૮૪ ૧ નવેમ્બર ૧૯૮૪માં ઈીદેરાગાંધીની હત્યા થઈ. બીજા દિવસ શીખ વિરોધી રમખાણો થયાં. ૧૫૦૦૦ લોકો માર્યા ગયા.
  • ૯) ૧૯૮૪ ભોપાલ ગેસ દુર્ઘટના- યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ર૫ હજાર લોકો મરી ગયા.
  • ૧૦) ૧૯૮૫ શાહબાનો કેસ: પચ બાળકોની માતા શાહબાનોને છૂટાછેડા પછી પતિ પાસે ભરણપોષણનો ચુકાદો આપ્યો. સુપ્રિમકોર્ટના ચુકાદાને અવગણીને પતિને સરકારે કાયદો બનાવી જવાબદારીમાંથી મુક્ત કર્યા. ખરેખર ખોટું પગલું ભરવામાં આવ્યું.
  • ૧૧) ૧૯૯૨ રાજીવગાંધીની હત્યા
  • ૧ર) ૧૯૯ર બાબરી મસ્જિદ ધ્વંસ
  • ૧૩) ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ
  • ૧૪) ૧૯૯૯ કારગીલ યુદ્ધ ભારતની જીત
  • ૧૫) ૧૯૯૯ કંઘહાર હાઈજેકીંગ
  • ૧૬) ર૦૦૦ મોહંમદ અઝરૂદીન અને અજય જાડેજા મેચ ફિક્સીંગમાં ગુનેગાર થયા. ભારતીય ક્રિકેટનું કાળું કૌભાંડ
  • ૧૭) ૨૦૦૧ ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ
  • ૧૮) ર૦૦૧ સંસદ પર હૂમલો
  • ૧૯) ૨૦૦૧ ગોધરાકાંડ એક હજાર લોકોના મોત
  • ૨૦) ર૦૦૪ દક્ષિણ ભારતમાં 'સુનામી' ૧૬,ર૭૯ લોકોએ જાન ગુમાવ્યા.
  • ૨૧) ૨૦૦૮ મુંબઈમાં તાજ હોટલ પર આતંકવાદી હુમલો
  • રર) ર૦૧૦ દંતેવાડા હત્યાકાંડ નકસલવાદી હુમલો
  • ૨૩) ર૦૧૨ તિર્ભયા ગેંગ રેપ કેસ
  • ર૪) ૨૦૧૩ ઉત્તરાખંડમાં પુર પૌચ હજાર લોકો મૃત્યુ પામ્યા
  • ૨૫) ર૦૨૦ કોરોના : લાખો લોકો કારોનામાં મોતને શરણ થયાં.

ભારતના આજના પ્રશ્વો
  • ૧. વસ્તીવધારો
  • ૨. હિન્દુ મુસ્લીમ તણાવ
  • ૩. ભારતના પડોશી ચીન અને પાકિસ્તાન સાથે વારેઘડી છમકલાં
  • ૪. નિરક્ષરતા
  • પ. બેકારી, અભ્યાસક્રમ પછી જીવન જીવવાનું શીખાડવાતું નથી.
  • ૬. ન્નોકરી અને ધંઘો મેળવાની તિષ્ફળતા
  • ૭. ડ્રગ્સ અને દારૂનું સેવન
  • ૮. આપઘાત અને માનસિક રોગોના આક્રમણ
  • ૯. મોબાઈલનું વળગણ- કલાકો મોબાઈલ સાથે જોડાઈ રહેવું અને અણગમતી સાઈટ જોઈ મગજ બગાડવું.
  • ૧૦. બળાત્કાર અને સ્ત્રી હત્યા
  • ૧૧. આર્થિક લેવડ-દેવડના ગુનાઓ વધી રહ્યા છે.
  • ૧ર. હરામનું અને મફતનું ખાવાવાળા લોકોની વધતી સંખ્યા.
  • ૧૩. કામચોરી અને અપ્રમાણિકતાથી જીવન ગુજારવું.
  • ૧૪. ૨૧મી સદીમાં પાણીનો સૌથી મોટો પડકાર- આ દેશમાં થયો. એના માટે રમખાણો થશે.
  • ૧૫. એટલા બધાં વ્ડીકીલ થઈ ગયાં છે કે પાર્કિંગ માટે જગ્યા મળશે નહી. બીલીમોરાની અંદર આવવું હશે તો ચીખલી આગળ ગાડી પાર્કિંગ કરવું પડશે.
આઝાદીના ૭૫ વર્ષમાં પત્રકારત્વ, સાહિત્ય, નાટક, કવિતા, નવલકથા, ફિલ્મો રમતગમતોમાં પણ ઘણો નવો અને સરસ વળાંક આવ્યો.

રવિન્દ્રનાથ ટાગોરની 'ગીતાંજલી' અને સત્યજીત રાયની ફિલ્મો એ કદાચ એક જમાનામાં ભારતની ઓળખ હતી.

પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, દેશપાંડે, ઉમાશંકરભાઈ જોષી, કનૈયાલાલ મુન્શી, કાકા કાલેલકર જેવા અસંખ્ય લેખકોએ વિશ્વભરમાં તેમના સમકાલીન બીજી વિદેશી ભણતા લેખકો સાથે બરાબરી કરી.

શાસ્ત્રીય સંગીતકારોમાં પંડિત રવિશંકર, બિસ્મિલ્લાખાન, ઝાકિર હુસેન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ આખા યુરોપ - અમેરિકાને મંત્રમુગ્ધ કરી દીધા.

આ આપણી સાંસ્કૃતિ ભવ્યતાની એક કહાની છે.

આઝાદીના ૭૫ વર્ષના મહોત્સવમાં ભારતીય ફિલ્મોમાં દેશભક્તિ વિશે તમારી સાથે વાત ન કરીએ તો આજનું વક્તવ્ય જરાક ફિકું લાગે.
  • દેશભક્તિની ભાવના જગાડતી ફિલ્મો આઝાદી મળ્યાં અને પછી અઢળક બની. આઝાદી પહેલાં લોકાને એક્ઝૂટ કરવા માટે તથા વિશ્વાસ ટકાવી રાખવામાં આ ફિલ્મો મદદરૂપ બની. તો બાદમાં દેશ પ્રત્યેનું ગૌરવ ધરાવતી ફિલ્મો બની છે.
  • ભારતમાં આઝાદી સાથે ગીત-સંગીતથી કેવો નાતો હતો, તેવી શ્રેષ્ઠ મનાતી હિન્દી ફિલ્મોમાં મળે છે. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ વર્ષમાં એવા બે દિવસ છે, જ્યારે દેશના શહેર-શહેર કે ગામડે-ગામડે દેશભક્તિનાં ગીતો વાગે છે. જો કે, આ હિન્દી ફિલોમોનાં દેશભક્તિનો પાનો ચઢાવે તેવા ગીત ગાવાથી દેશભક્તિની ખરેખર કોઈ લાગણી વહેતી નથી. કદાચ આ દંભ છે.
  • સૌપ્રથમ ૧૯૪૩માં અશોકકુમાર અને મુમતાઝ અભિનીત ફિલ્મ 'કિસ્મત'માં દૂર હટો યે દુનિયાવાલો, યે હિન્દુસ્તાન હમારા હે! ગીત લખીને એક તરખાટ મચાવી દીધો હતો. કવિ પ્રદીપે અંગ્રેજી અક્ષરથી બચવા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને તેના સાથી દેશોની જોરે જબરાઈ સામે આ ગીત લખ્યું હતું. પણ તેમાં અદ્રશ્ય દેખો ભારતીય સ્વાતંત્ર્ય અંગે લોકોમાં પાનો ચઢાવવાનો હતો. જો કે ર૦૨રમાં પણ આ ગીત કેમ જાણે એટલું જ લોકપ્રિય છે.
  • આઝાદી પછી ૧૯૪૮માં દિલીપકુમારની 'શહીદ' ફિલ્મ આવી હતી. મોહંમદ રફીએ રાજા મહેંદીઅલી ના શબ્દોમાં ગાયેલું વતન કી રાહમેં વતન કે નૌ જવાન શહીદ હો' દિલીપકુમાર સુભાષચંદ્ર બોઝના ઈન્ડિયન નેશનલ આર્મીમાં ભરતી થાય છે ને સંદર્ભમાં ફિલ્મની કથા હતી.
  • ૧૯૫૭માં બી.આર. ચોપરાની “નયા દોર' બની. તેમાં તેમણે નહેરૂ અને ગાંધીજીના ભારતનો હદ બતાવ્યો હતો. તેનો નાયક દિલીપકુમાર આઝાદ ભારતના યુવાન હતાં. પણ હૈયે ગાંધીના ભારતનો પ્રેમ હતો. સાથી હાથ બઢાના, એક અકોલા થક જાયેગા' આ થે દેશ હૈ વીર જવાનોં કા' આજે પણ આ ગીતો એટલા જ લોકપ્રિય છે.
  • યશ ચોપરાએ ૧૯૬૧માં શશીકપુર-માલાસિંહા સાથે ધર્મપુત્ર' ફિલ્મ બનાવી તેમાં 'સારે જહાં સે અચ્છ હિન્દોસ્તા હમારાં' ગીત હતું.
  • ૧૯૬૨માં મહેબુબખાનની (સન ઓફ છીન્ડિયા' ફિલ્મ આવી હતી. ફિલ્મમાં આઝાદી સંબંધી કોઈ વાત ન હોતી પણ “નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જયહિંદ, જયહિં, જયહિંદ!" ગીત આજે પણ આઝાદીની ઉજવણીમાં રંગેચંગે ગવાય છે.
  • ૧૯૬૪માં ફિલ્મ લીડરમાં અપની આઝાદી કો હમ હરગિઝ મીટા સકતેનહી' ગત દર્શકોમાં જોશ ભરી દીધો હતો. આજ સમયગાળામાં ૧૯૬૨-૬૩માં ભારતે ચીનના હાથે સિયાચીનમાં હાર ભોગવવી પડી હતી.
  • ૧૬૯૪માં ચીન સાથે યુદ્ધ પછી ફિલ્મે હકીકતે (કર ચલે હમ ફો જાન-ઓ-તન સાથિયો ગીત મોહંમદ રફીએ ગાઈને કમાલ કરી દીધી. કેફી આઝમી મરતે દમ સુધી લડતા સૈનિકોના ગોરવ અને પીડાને યાદગાર રીતે દર્શાવી હતી.
  • ૧૯૬૫માં મહેન્દ્રકુમારની શહીદ ભેરા રંગ દે બસંતી ચોલા' ગીતે ધૂમ મચાવી દીધી. આ ગીતમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના પાત્ર સાથે અઘતન ગીત વણી લેવાનું કે લોકોએ હસું ખાઈ લીધું.
  • ૧૯૬૭માં મહેન્દ્રકુમારની “ઉપકાર' ભેરે દેશકી ઘરતી સોના ઉગલે' ગીતે દેશભરમાં ડંકો બજાવી દીધો.
તો આ હતી ૧૯૭૦ની ફિલ્મો અને દેશપ્રેમની કહાની. ૧૯૭૦ થી ર૦૨૨ સુધીમાં બીજી ઘણી ફિલ્મો આવી. એમાં ગદર અને લગાન નોંઘપાત્ર હતી.

ગુલામીમાંથી કેટકેટલા સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી હોય અને એ આઝાદીને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં હોય ત્યારે આવી આ ભવ્ય ઉજવણી કરી, એમાં કશું ખોટું નથી. ઉજવણી કરવી જ જોઈએ અને કરી પણ ખરી. રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો આનાથી બીજો કોઈ રૂડો અવસર ના જ હોઈ શકે. દેશના યુવાનોમાં દેશપ્રેમનું પ્રાકટય થાય એ જરૂરી છે. જે દેશમાં રહીએ એ દેશને પ્રેમ કરવો જ જોઈએ. અને આ પ્રેમ નક્કર હોવો જોઈએ. માતૃભૂમિનો દરજ્જો મા થી પણ વિશેષ હોય છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. માણસના જીવનમાં મા અને માતૃભૂમિનું એક વિશેષ સ્થાન હોય છે.

ભક્તિ એ તો આંતરિક અનુભૂતિનો વિષય છે. એ પછી દેશભક્તિ હોય કે ઈશ્વરની ભક્તિ હોય. એમ પણ માતૃભૂમિ અને ઈશ્વર એ બંન્ને જણાં એકબીજાથી જુદા છે ? જ્યાં ભક્તિ હોય ત્યાં દંભ અને દેખાડો ઓછો અને હૃદયની સાત્વિક અનુભૂતિ વધુ હોય છે. પણ આપણી વાત સાવ અલગ છે. આપણે

ભલે વાત દરિયાની કરતા હોઈએ, પણ આપણી દેશભક્તિ ચમચીમાં સમાઈ જાય તેટલી ના હોવી જોઈએ.

૧૫ ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરી આવે ત્યારે આપણી અંદર દેશભક્તિનો જુવાળ ઉછળે છે અને બીજા દિવસે પાછું શમી જાય છે. ભ્રષ્ટાચાર કરતો માણસ ભ્રષ્ટાચાર કરતો જ રહે છે અને કરચોરી કરનાર કરચોરી કરતો જ રહે છે. યાદ રહે, ઘરે ઘરે ત્રિરંગા રાખવાથી કે વોટ્સએપ સ્ટેટ્સ કે ફેસબુક સ્ટેટ્સ ઉપર ત્રિરંગો ચોંટાડી દેવાથી દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી થતી નથી. દેશ પ્રત્યે આપણા સૌની અપ્રતિમ ફરજો છે. દેશપ્રેમ એ એક ફેશન બની જાય એ ૪ ચાલે, દેશ પ્રેમ એક પેશન-જુસ્સાભરી લાગણી-બનવી જોઈએ.

સરકારી કર્મચારી પોતાની નિષ્ઠાથી કામ બજાવે, ડૉક્ટરો અને શિક્ષક કે ઈજનેર પોતાના કામને રાષ્ટ્રધર્મ સાથે જોડીને કરે. જ્યારે દેશનો દરેક નાગરિક ઈમાનદારીથી ટેક્સ ભરે, દેશનો દરેક વિધાર્થી કોઈપણ પરીક્ષા ઈમાનદારીથી આપે, દેશમાં દારૂ મળતો બંધ થઈ જાય, ડ્રગ્સનું બેફામ સેવન થતું અટકે, બળાત્કારને સ્ત્રી હત્યાના કિસ્સાઓ દેખાતા બંધ થઈ જાય ત્યારે આઝાદીનું ખરેખર અમૃત પ્રકટ્યું હોય તેવું કડી શકાય. આપણને સૌને ઈમાનદારી અને નિષ્ઠાનું વળગણ ચોંટેલું રહે તે જ ખરેખર આ મહોત્સની ફળશ્રુતિ છે.

ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ફરજને વફાદાર બનીને કામ કરતો રહે, એટલે આપોઆપ ત્રિરંગો લહેરાતો થઈ જશે. રાષ્ટ્રપ્રેમ એ કોઈ પ્રોજેક્ટ તાથી. રાષ્ટ્રપ્રેમ એ વ્યવસ્થા છે. દેશના નાગરિકને નાગરિક ધર્મ અને ફરજની સમજણ પડવી જોઈએ. દેશને કઈ રીતે વફાદાર થઈ શકાય, તેનો પ્રોટોકોલ દરેક માણસે જાતે જ પાળવો જોઈએ.

રાષ્ટ્રીય ચેતના માટે અત્યંત ઉચ્ચકોટિની સંવેદનશીલતાની જરૂર હોય છે. આ ત્યાં સુધી આવતી નથી જ્યાં સુધી વ્યક્તિ નૈતિકતાના સોપાનની પ્રથમ સીડી ચઢતો નથી. આથી દેશપ્રેમના પ્રતિક તરીકે ત્રિરંગો ભલે લહેરાવજો, એમાં કશો વાંધો નથી, પણ તમે દેશ માટે એક આદર્શ પરિણામ મેળવી શકશો નહીં. જ્યાં સુધી ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવાનું અભિયાન શરૂ «ત થઈ જાય ત્યાં સુધી કશું નૈતિક રીતે મળવાનું થી.
મોટાભાગના આપણા નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે, પરંતુ વિચારોમાં નથી. રાષ્ટ્રભાવના પ્રદર્શન કે ભાષણબાજીનો વિષય નથી. એ એક આદર્શ જીવનશૈલી છે.
મહર્ષિ અરવિંદના પાંચ સપનાઓ હતા,
  1. સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું.
  2. ભારતની પ્રજાની જાગૃતિનું સંવર્ધન કરવું.
  3. ભારત પૂરા વિશ્વમાં વસુધૈવ કુટુંમ્બકમ્‌ની ભાવના દ્રઢ કરે.
  4. ભારત વિશ્વને આધ્યાત્મિક ભેટ આપે.
  5. ભારતમાં રહેતા પ્રત્યેક માનવમાં તેની આંતર ચેતનાનો વિકાસ થાય.

આઝાદીના પંચોતેર વર્ષ માટે મહર્ષિ અરવિંદના સપનાઓ પુરાં થાય ત્યારે લોકાએ, પ્રજાએ તેમની પ્રમાણિકતા અને એક અદ્દભૂત નવી પ્રણાલિ અને કાર્યશૈલીમાં જોડાવું જોઈએ. આશા છે આપને આ વક્તવ્ય ગમ્યું હશે.

કરે કોઈ આઝાદીની ચર્ચા,
કરે કોઈ ઉત્સવોની ચર્ચા,
ઉજવણી તો પુરી થઈ
બાકી રહી બેકારની ચર્ચા
ભૂખે મરતાઓને કહી દો,
જરા થોભે ને રાહ જોએ
હજી ચાલે છે એ પ્રશ્નો ઉપર
સરકારતી ચર્ચા
હતા જે ભાર ઉજવણીત્ના માથા પર
એ “નો? તુ થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરીએ ઉજવણીના ભારની ચર્ચા.
ગરીબી ભ્રષ્ટાચાર હટી જાશે તો
નેતાઓનું શું થશે ?
પછી કોણ કરશે અહીં
કૌના ભલા ઉદ્ધારની ચર્ચા?
વહે છે દંભ, આડંબર અને છલનાઓ
દેશભક્તિના પ્રવચનોથી
અમે કરતા રહ્યા કાયમ
ફક્ત માર્ગદર્શન-ઉપચારની ચર્ચા.

જય હિંદ!


ડો. ભાસ્કર આચાર્ય, સુરત
તા. : ર૮-૦૮-રર

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Karmic Theory (Law Of Karma)

“Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...