Skip to main content

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન 




આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન.

આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.

આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.

2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.

મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?

મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.

આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.

કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.

હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-

વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?

ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
  • સહજતા- Naturality
  • સરળતા- Straightforwardness
  • સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
જીવનના અંતિમ પાડવામાં મિત્રો અવારનવાર મળવા માટે અવારનવાર નવા પ્રસંગો યોજાવા જરૂરી છે. આ મહાસંમેલન પછી શું? સાદો જવાબ- વહેલી તકે આવું જ બીજું અધિવેશન- મિત્રો, ૨૫૦ રૂપિયા સભ્યફી રાખીને ₹700 નો વ્યક્તિ દીઠ ખર્ચ કરવાનો હોય ત્યારે સમાજ પાસે દાનની ટહેલ નાંખવી પડે-

એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-

તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.

  1. મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
  2. પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
  3. લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
  4. સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
  5. ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
  6. આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.

શ્રીમતી નલીનીબેન, શ્રી કિરણભાઈ શ્રી આર.જે. પટેલ ડૉ. ઉમાકાન્ત શેઠ, શ્રી અજીતભાઈ ચૌહાણ તથા શ્રી ભાણાભાઈ તલાવીયાને અને આવકારું છું.

ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ. 

જય હિન્દ!




31 ડિસેમ્બર, 2023
બીલીમોરા 

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028