[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન 




આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન.

આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.

આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.

2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.

મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?

મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.

આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.

કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.

હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-

વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?

ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
  • સહજતા- Naturality
  • સરળતા- Straightforwardness
  • સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
જીવનના અંતિમ પાડવામાં મિત્રો અવારનવાર મળવા માટે અવારનવાર નવા પ્રસંગો યોજાવા જરૂરી છે. આ મહાસંમેલન પછી શું? સાદો જવાબ- વહેલી તકે આવું જ બીજું અધિવેશન- મિત્રો, ૨૫૦ રૂપિયા સભ્યફી રાખીને ₹700 નો વ્યક્તિ દીઠ ખર્ચ કરવાનો હોય ત્યારે સમાજ પાસે દાનની ટહેલ નાંખવી પડે-

એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-

તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.

  1. મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
  2. પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
  3. લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
  4. સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
  5. ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
  6. આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.

શ્રીમતી નલીનીબેન, શ્રી કિરણભાઈ શ્રી આર.જે. પટેલ ડૉ. ઉમાકાન્ત શેઠ, શ્રી અજીતભાઈ ચૌહાણ તથા શ્રી ભાણાભાઈ તલાવીયાને અને આવકારું છું.

ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ. 

જય હિન્દ!




31 ડિસેમ્બર, 2023
બીલીમોરા 

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!