Skip to main content

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

મોરારજી દેસાઈનો સ્વભાવ

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.

ટૂંકો જીવન પરિચય
  • ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ
  • પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા
  • માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈ સ્કૂલ, વલસાડ
  • ૧૫ વર્ષે  મેટ્રિક
  • કોલેજ વિલ્સન કોલેજ, મુંબઈ
  • ૧૫ વર્ષે પિતાનું અવસાન
  • નોકરી : ૧૯૧૮ થી ૧૯૩૦ નાયબ કલેક્ટરની નોકરી
  • મુંબઈ રાજ્યના ધારાસભ્ય, મંત્રી તથા મુખ્ય મંત્રી, ભારતના નાણાપ્રધાન, નાયબવડા પ્રધાન અને વડા પ્રધાન
  • ૧૦.૦૪.૧૯૯૫ મૃત્યુ સાબરમતી આશ્રમ અભયઘાટ
સ્વભાવ જાણવા માટે વ્યક્તિને દિનચર્ચા જાણવું અનિવાર્ય નથી શું?

દૈનિક કાર્યક્રમ  (જેલવાસ દરમ્યાન)
  • ૩.૦૦ કલાકે ઊઠવું, પ્રાર્થના પ્રાંત: ક્રિયાઓ સ્નાન
  • ૪:૧૫ કલાકે પુજા
  • ૫:૦૦ કલાકે પધાસન (૧ કલાક)
  • ૬:૦૦ કલાકે ચાલવું
  • ૭:૦૦ કલાકે દૂધ
  • ૯:૦૦ કલાકે કાંતણ વાંચન
  • ૧૦:૩૦ કલાકે સવારનું ભોજન, ગાયનું દૂધ, કેરી, સફરજન, ચીકુ જેવા ફળો.
  • ૧:૦૦ કલાકે આરામ પધાસન અને ગાયત્રીમંત્રનો જાપ (૧ કલાક)
  • ૨:૩૦ કલાકે કાંતણ અને વાંચન (રામચરિતમાનાસ)
  • ૫:૦૦ કલાકે ચાલવું
  • ૬:૦૦ કલાકે સાંજનું ભોજન દૂધ અને ફળ
  • ૬:૪૫ કલાકે પ્રાર્થના પધાસન (૧ કલાક)
  • ૯:૦૦ કલાકે શયન
  1. સતત સત્યની શોધ માટે આત્મનિરીક્ષણ
  2. અંતર શોધ અંતર યાત્રા
  3. પ્રભૂચિંતન ઈશ્વરનો સાક્ષાત્કારની ઝાંખની 
તુલસીદાસનું રામાયણનું પાંચ વખત વાંચન. ભક્તિ એટલે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણે સંપૂર્ણ અને નિ:શેષ સમર્પણ.

તો ચાલો, હવે મૂળવાત મુદ્દાસર માંડીએ. તેમના સ્વભાવના વિવિધ લક્ષણો એક પછી એક સમજી લઈએ તે યોગ્ય રહેશે.

જીવનશ્રદ્ધા
  • કર્મનો સિદ્ધાંત : જેવુ કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે.
  • માણસ જે કઈ સુખ, દુ:ખ કે શાંતિ અનુભવે છે એ પોતાના કર્મો પ્રમાણે જ અનુભવે છે અથવા ભોગવે છે. અને કારણભૂત એટલે કે સાધનરૂપ કાંઈક થઈ શકે.
  • કોઈપણ એક વ્યક્તિને કારણે બીજી વ્યક્તિ સુખી કે દુ:ખી થઈ શકતી નથી.
  • જન્મ અને પુર્નજન્મના સિદ્ધાંતમાંની શ્રદ્ધા કર્મના સિદ્ધાંતમાંથી આવિસ્કાર પામે છે. આ, માન્યતા કે શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની છે.
  • કયા કર્મોનું કયારે પરિણામ ભોગવવાનું હોય છે એનો પણ નિયમ હશે એમાં મને શંકા નથી. આપણે જાણતા નથી તેથી નિયમ નથી એવું નહીં કહી શકાય.
સંચિત કર્મો

પુર્નજન્મની માન્યતામાં એ પણ સિદ્ધાંત રહેલો છે કે માણસ જયારે સંચિત કર્મો ભોગવી લે અને નવા કર્મો ભોગવવાના ન થાય એવા જ કર્મો કરે તો તેનો પછી પુર્નજન્મ ન થાય.

કર્મો:
  1. પુણ્યકર્મ : બીજાનું ભલું કરવું
  2. પાપકર્મ : પોતાના ફાયદા માટે બીજાને નુકશાન કર્તા કર્મ
  3. પાપ પુર્ણ્યકર્મ : નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ
માણસને સત અને અસત એવી બંને પ્રકારની વૃત્તિ મળેલી હોય છે. તે પ્રમાણે સારું અગર ખોટું નવું કર્મ કરવા પ્રેરાય છે. મૂળતત્વ એટલે કે સત્યની ખોજમાં વિચારપૂર્વક અને વિવેકપૂર્વક મંડ્યા રહે તો માણસને સત્યનું દર્શન થાય છે અને આખરે પુર્નજન્મના ફેરામાંથી બચી જાય છે અને મૂળતત્વમાં આવે છે. ઈશ્વરદર્શન કે સત્ય દર્શન આ સૃષ્ટિની સેવા સિવાય થઈ શકતું નથી. તેથી જ જનસેવા એ પ્રભુસેવા દ્વારા પ્રભુદર્શન અને અનાશક્તિ મળે છે. કર્મ માર્ગ છે. હવે ભક્તિમાર્ગમાં ઈશ્વરની સતત ભક્તિ કરતાં કરતાં પણ માણસ અનાસક્ત કર્મ કરતાં શીખે છે. આમ જોતાં કર્મમાર્ગ લગભગ એક જ છે.

સુખ દુ:ખ પ્રત્યે સમભાવ
  • સુખ દુ:ખ ભોગવવાનું રહે છે અને એને ટાળી શકાતું નથી. પરંતુ એ બંનેમાં માણસ જો સમભાવે રહી શકે તો એ દુખની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે. એનો અર્થ કે બંનેને સરખી રીતે ભોગવે અને બંનેમાં શાંતિ રાખે. કોઈપણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં એ શાંત, સંતોષી અને નીવિર્રકારી રહે તો, એ દુ:ખ અનુભવવાની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે.
  • બીજાના દુ:ખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વ્યક્તિને દુ:ખ સહેલાઈથી ભોગવવામાં મદદગાર થઈ શકાય છે અને આ રીતે એ માણસ નમ્ર અને અનાસક્ત બની શકે છે. એ પણ એક નિસ્વાર્થ સેવા બને છે.
  • જ્યાં બદલાની આશા રહે છે, ત્યાં નિરાશાને સ્થાન રહે છે. તેમાંથી અનેક ખોરી પ્રવુતી જન્મે છે. તેથી કોઈપણ સંજોગો સમજણ અને શાંતિ મેળવવાનું મારે માટે સહજ અને આસાન થઈ ગયું છે. આમ દુ:ખ ભોગવવાની વખતે બીજાને દોષ દેવાનું કે રાગદેષ રહેતો નથી.
  • ઈશ્વરનો નિયમ સદા કલ્યાણકારી જ હોય છે. એ નિયમ પ્રમાણે ચાલવાથી હંમેશા કલ્યાણ જ થાય છે.
  • મારા જીવનમાં ખટપટ કરવાનું મે કદી ઉચિત માન્યું નથી. જીવનમાં જે મળે એ ઈશ્વરની પ્રસાદી છે એમ સમજી છું.
  • કોઈને હું મારા કરતાં ઊતરતો ગણતો નથી અને મારી જાતને હું કોઈનાથી ચડિયાતી માણતો નથી.
  • મારા પર જિદ્દી પણાનો ખોટો આરોપ છે. મારો મત ખોટો સમજાય છતાં તેને વળગી રહું તો જિદ્દી કહેવાય, તેવું હું કરતો નથી.
  • માણસે સત્યની ટેવ સિવાય બીજી કોઈ ટેવોમાં પડવું નહી, કારણ ટેવની આદત પરાધીન અને કમનીય બનાવે છે.
  • સત્ય પ્રાપ્તિની એષણા અને જનસેવાની ઇચ્છામાં બાકીની બધી ઈચ્છા લય પામે તો જ માણસ નિર્ભય બની શકે.
ચિંતા
  • હું જાણું છું કે ચિંતા કરવાથી કશો અર્થ સરતો નથી. ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગુંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્ય ને સહાયભૂત થતો અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાખે છે. સંપૂર્ણપણે પ્રભુને સમર્પણ કરવાને પરિણામે મારી સઘળી માનસિક યાતનાઓથી હું ઉંચે ઉઠી આવ્યો છે.
  • પરમાત્મા કાનૂન અનુસાર જ સઘળું થતું હોય છે. એવી મારી માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કદીએ નુકશાન કારક નથી, પણ ફાયદાકારક જ હોય છે.
  • વ્યક્તિના જીવનમાં જે કંઇ બને છે તેને પરમ કૃપાળુ પરમાત્માના કાયદા કે ઈચ્છા તરીકે ઘટાવવી જોઈએ. આમ થાય તોજ વ્યક્તિ દરેક પરિશ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહી ચિંતામુક્ત બને છે.
ગુસ્સો
  • કોઈ ખોટું બોલતું કે અનીતિ કરતું દેખાય તો એ પ્રત્યે મને ભારે ગુસ્સો આવતો હતો અને એવું કરનાર તરફ હું સખતાઈથી બોલતો અને વર્તતો હતો. અને કેટલીક વખત એ બધાને શારીરિક શિક્ષા પણ કરતો હતો.
  • વહેવારમાં જો વ્યવસ્થા જાળવવી હોય તો ખોટું થાય ત્યાં સખતાઈથી કામ લેવાની જરૂર છે એમ મનમાં રહેતું.
  • ૧૯૫૨માં આ વિશે કોઈ વધારે વિચારતાં મને ખાત્રી થઈ કે માણસ જયારે એની દલીલ ખૂટે છે ત્યારે જ ગુસ્સો કરે છે. અગર પોતે કંઈ ખોટું કર્યું હોય વિશે કોઈ કહે ત્યારે સ્વીકારવાને બદલે ગુસ્સાથી બોલનારને દબાવે છે.
  • ગીતાના અભ્યાસ પછી ગુસ્સો કેમ જન્મે છે અને તેનાથી બુદ્ધિનાશ થાય છે એમ સમજ્યા પછી ગુસ્સો અક્ષમ્ય છે એમ મને ખાતરી થઈ. આમ અધ્યાત્મિક રીતે વિચારમાં ગુસ્સા વગર માણસ કામ કરે તો એની સારી અસર જલદી થાય છે. તે સમજ્યો.
ઉપવાસ
  1. ૧૯૫૬ મહાગુજરાત આંદોલનના નેતાઓએ અજમાવેલ હિંસાના પ્રતિકારમાં, અમદાવાદ.
  2. ૧૯૬૯ કોમી હુલ્લડો સામે અમદાવાદ
  3. ૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં ભળેલી હિંસાના વિરોધમાં બેજવાબદાર પોલીસ ગોળીબારમાં ૧૨૦ ૧૩ થી ૨૫ વર્ષના નિર્દોષ યુવકોની હત્યા થઈ હતી.
હેતુ
  1. હિંસા અટકાવવા
  2. વિધાનસભનું વિસર્જન(ગુજરાત)
  3. ૧૧ માર્ચથી ૧૫ માર્ચ ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદ ખાતે
  4. ગુજરાત વિધાનસભનું વિધાનસભાની ચૂટણી યોજવા અને (મિસા) કાયદો રાજકીય કાર્યકર સામે ન વાપરવા બાબતે બંને માંગણી સ્વીકાર
અહંભાવ
  • મારું નામ કોઈ સંસ્થા, માર્ગ કે સ્થાન વગેરે માટે ન આપવા દેવાનો નિયમ મેં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી જ રાખ્યો છે. અને એ વિશે કોઈ અપવાદ કર્યો નથી.
  • આ નિયમ કરવા પાછળ મારો એક હેતુ સ્પષ્ટ છે અને તે એ કે અહંભાવ છોડવાનો. માણસ અહંભાવ ન છોડે ત્યાં સુધી સત્યદર્શન થઈ શકતું નથી. અને સત્યદર્શન સિવાય બીજી કોઈ અભિલાષા મેં જીવનમાં પોષી નથી.
  • ૧૯૫૬ ની ૨૯ ફેબ્રુઆરીએ ૬૦ વર્ષ પુરા થયા ત્યારે પણ મેં હિરકજયંતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવા દીધી નહોતી.
ઇશ્વરી નિયમ

જે બનવાનું હોય છે તે અને છે. અને કોઈ અટકાવી શકતું નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી તે સ્વીકારવું જોઈએ. માણસે બુદ્ધિનો સદુપયોગ કરીને જે કર્મ કરવું જોઈએ તે સતત કર્યા કરવું જોઈએ. એનું પરિણામ ઇશ્વરી નિયમ પ્રમાણે જે આવે તેમાં સંતોષ મને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ મને તો માણસની શાંતિનો કદી ભંગ નહી થાય અને એ દુ:ખી પણ નહીં થાય.

અપ્રિય સત્યવચન

કોઈને સતી કડવું લાગે તો પણ સત્ય બોલતાં અચકાવું નહીં એવી મારી માન્યતા હતી. સત્ય બોલો પણ પ્રિય બોલો. વળી ઋષિમુનિઓની સલાહ પછી મને તુરંત જ સમજીસુ કે આ પહેલી વિચારસરણી ભૂલભરેલી હતી.

સત્ય અપ્રિય કેમ લાગે તે વિચારતાં લાગ્યું કે (૧) કોઈની કહેલી વાત કદાચ અસત્ય પણ હોઈ શકે, તેથી બીજાને તે ચોક્કસ અપ્રિય થાય અને (૨) કોઈપ્રત્યે મને અણગમો હોય તો વાતમાં તે આવતા સત્ય પણ અપ્રિય લાગી શકે. એનાથી મારામાં સારું સરખું પરીવર્તન આવ્યું. મે વિચાર્યું કોઈને વિશે પણ અણગમો ન રાખવું. આ રીતે અપ્રિય બોલવાનું ટાળવા પ્રયત્નપૂર્વક શીખ્યો.

મૃત્યુ

બોમ્બે હોસ્પિટલ ખાતે ડો. શાંતિલાલ મહેતા પાસે, ૧૯૫૮ માં: ૧૯૫૮માં મુત્રપિંડની પથરીના ઓપરેશન વખતે, ઓપરેશનમાં મૃત્યુનો ભય જ ચિંતા ઉપજાવે છે. પણ મને પોતાને મૃત્યુનો ભય નથી કારણ કે મૃત્યુ અનિવાર્ય છે અને એની ઘડી નિશ્ચિત છે એમ હું માનું છું. અને કોઈ ટાળી શકતું નથી કે આગળ ઠેલી શકતું નથી. એથી મૃત્યુ દુ:ખ માનવનું કોઈ કારણ નથી. એટલે જે અનિવાર્ય છે એની ચિંતા કરવી નકામી છે.

૧૯૫૮માં પ્રથમ બોમ્બે હોસ્પીટલમાં કિડની સ્ટોન અને ત્યાર પછી હરકિસનદાસ હોસ્પીટલમાં હર્નિયા ઓપરેશન કરાવ્યું હતું.

સલાહ

હું હંમેશા એમ માણતો આવ્યો છું કે સલાહ, પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ સલાહ માગનારને માટે તે કદી આજ્ઞાન ન બનવી જોઈએ. (સરદારના અવસાન પછી ગુજરાતના વહીવટમાં ગુજરાત વિષયક સલાહ તથા ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી સલાહો બાબત)

સ્વમાન

મારા સ્વમાનને જતન કાજે શ્રીમતી ઈંદિરા ગાંધીના પ્રધાન મંડળમાંથી રાજીનામું નાયબ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મારા સ્વ્મનને હું મહામૂલી મૂડી સમજું છું. ભયની સામે એજ માત્ર મને હિંમત અને સ્વાતંત્રય બક્ષે છે. મારો જેલવાસ ૨૬.૦૬.૭૫ થી ૧૯ મહિના કટોકટી દરમ્યાન – પહેલાં સોહના પછી તાઓરું ખાતે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને ઘર જ લાગે છે.

આ વાતો જાણ્યા, સમજ્યા પછી મને લાગે છે કે વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્ક વગર – બહારથી મળેલી માહિતીઓને ભેગી કરીને આપણે નિર્ણાયક બની જતાં હોઈએ છીએ. અને તેથી વ્યકતીને અજાણતા અન્યાય કરી બેસતા હોઈએ છીએ.

અહી શ્રી મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંત ના ૭૨૪ પૃષ્ઠો વાંચીને તેમને ઓળખવાનો સંન્નિષ્થ પ્રયત્ન મેં કર્યો છે. તે પુસ્તકનાં આધારે એમના સ્વભાવના લક્ષણો મેં વાગોળ્યા છે. તેમનો અપ્રિય કઠોર સત્યવચન કહેવાનો સ્વભાવ હતો, તે એમણે સ્વીયાર્યું છે, પરંતુ તેની ભૂલ સ્વીકારી, તેમણે આવું ટાળવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. તે રીતે જ, જીદ્દીપણાના આરોપને પણ ખોટો સાબિત કર્યો છે. પોતાના મતને વળગી રહેવું ખોટું નથી, પણ તે ખોટો છે એમ સમજ્યા છતાં ન સ્વીકારવું અને ન બદલવું તે જિદ્દીપણું તેમનામાં ન હતું. તેઓ ગુસ્સાવાળા હતા એમ કહેવાતું પણ તેઓ અધ્યાત્મિક વિકાસને માર્ગે જઈને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકયા હતા, પરતું પોતાના સ્વાર્થનું ખોટું કામ ન કરતાં હોવાથી, ઘણાએ તેમને ખોટી રીતે વગોવ્યા છે.

આમ શ્રી મોરારજી દેસાઈનો આત્મકથા દ્વારા મળતો પરિચય તેમને અધ્યાત્મિક પુરુષ, જેઓ ઇશ્વરી શક્તિમાં વિશ્વાસ ધરાવનાર અને આસ્તિક બતાવે છે. તેઓ સત્યવક્તા હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા હતા, જે સદગુણ કેળવવો ખૂબ મુશ્કેલ છે. તેઓ નિર્ભય હતા અને તે માટે આપણને પણ નિર્ભયતા સમજાવતા રહ્યા હતા. છેલ્લે તેમને સ્વમાની અને ની:સ્પૃહી કહેવા પડે, કારણ નાયબ વડાપ્રધાન અને વડાપ્રધાનપદેથી તેમણે શાંતિથી રાજીનામું આપી દીધું હતું.

આવા આપણાં શ્રી મોરારજી દેસાઈને વંદન.


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
bharat@desaieyehospital.com





શ્રી. મોરારજી દેસાઈની આત્મકથા 
  • “મારું જીવનવૃતાંત” - ભાગ ૧, ૨ અને ૩
  • લેખક : મોરારજી દેસાઈ
  • પ્રકાશન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
  • કિમત : નવસો રૂપિયા
  • પાનાં : ૭૧૦ + ૧૪
  • પ્રકાશન: ૧૯૮૪ (સંયુક્ત)


Comments

  1. He betrayed the nation by revealing the details of RAW spies Pakistan .

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?

Karmic Theory (Law Of Karma)

“Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...