Skip to main content

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

મોરારજી દેસાઈનો સ્વભાવ

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.

ટૂંકો જીવન પરિચય
  • ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ
  • પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા
  • માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈ સ્કૂલ, વલસાડ
  • ૧૫ વર્ષે  મેટ્રિક
  • કોલેજ વિલ્સન કોલેજ, મુંબઈ
  • ૧૫ વર્ષે પિતાનું અવસાન
  • નોકરી : ૧૯૧૮ થી ૧૯૩૦ નાયબ કલેક્ટરની નોકરી
  • મુંબઈ રાજ્યના ધારાસભ્ય, મંત્રી તથા મુખ્ય મંત્રી, ભારતના નાણાપ્રધાન, નાયબવડા પ્રધાન અને વડા પ્રધાન
  • ૧૦.૦૪.૧૯૯૫ મૃત્યુ સાબરમતી આશ્રમ અભયઘાટ
સ્વભાવ જાણવા માટે વ્યક્તિને દિનચર્ચા જાણવું અનિવાર્ય નથી શું?

દૈનિક કાર્યક્રમ  (જેલવાસ દરમ્યાન)
  • ૩.૦૦ કલાકે ઊઠવું, પ્રાર્થના પ્રાંત: ક્રિયાઓ સ્નાન
  • ૪:૧૫ કલાકે પુજા
  • ૫:૦૦ કલાકે પધાસન (૧ કલાક)
  • ૬:૦૦ કલાકે ચાલવું
  • ૭:૦૦ કલાકે દૂધ
  • ૯:૦૦ કલાકે કાંતણ વાંચન
  • ૧૦:૩૦ કલાકે સવારનું ભોજન, ગાયનું દૂધ, કેરી, સફરજન, ચીકુ જેવા ફળો.
  • ૧:૦૦ કલાકે આરામ પધાસન અને ગાયત્રીમંત્રનો જાપ (૧ કલાક)
  • ૨:૩૦ કલાકે કાંતણ અને વાંચન (રામચરિતમાનાસ)
  • ૫:૦૦ કલાકે ચાલવું
  • ૬:૦૦ કલાકે સાંજનું ભોજન દૂધ અને ફળ
  • ૬:૪૫ કલાકે પ્રાર્થના પધાસન (૧ કલાક)
  • ૯:૦૦ કલાકે શયન
  1. સતત સત્યની શોધ માટે આત્મનિરીક્ષણ
  2. અંતર શોધ અંતર યાત્રા
  3. પ્રભૂચિંતન ઈશ્વરનો સાક્ષાત્કારની ઝાંખની 
તુલસીદાસનું રામાયણનું પાંચ વખત વાંચન. ભક્તિ એટલે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણે સંપૂર્ણ અને નિ:શેષ સમર્પણ.

તો ચાલો, હવે મૂળવાત મુદ્દાસર માંડીએ. તેમના સ્વભાવના વિવિધ લક્ષણો એક પછી એક સમજી લઈએ તે યોગ્ય રહેશે.

જીવનશ્રદ્ધા
  • કર્મનો સિદ્ધાંત : જેવુ કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે.
  • માણસ જે કઈ સુખ, દુ:ખ કે શાંતિ અનુભવે છે એ પોતાના કર્મો પ્રમાણે જ અનુભવે છે અથવા ભોગવે છે. અને કારણભૂત એટલે કે સાધનરૂપ કાંઈક થઈ શકે.
  • કોઈપણ એક વ્યક્તિને કારણે બીજી વ્યક્તિ સુખી કે દુ:ખી થઈ શકતી નથી.
  • જન્મ અને પુર્નજન્મના સિદ્ધાંતમાંની શ્રદ્ધા કર્મના સિદ્ધાંતમાંથી આવિસ્કાર પામે છે. આ, માન્યતા કે શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની છે.
  • કયા કર્મોનું કયારે પરિણામ ભોગવવાનું હોય છે એનો પણ નિયમ હશે એમાં મને શંકા નથી. આપણે જાણતા નથી તેથી નિયમ નથી એવું નહીં કહી શકાય.
સંચિત કર્મો

પુર્નજન્મની માન્યતામાં એ પણ સિદ્ધાંત રહેલો છે કે માણસ જયારે સંચિત કર્મો ભોગવી લે અને નવા કર્મો ભોગવવાના ન થાય એવા જ કર્મો કરે તો તેનો પછી પુર્નજન્મ ન થાય.

કર્મો:
  1. પુણ્યકર્મ : બીજાનું ભલું કરવું
  2. પાપકર્મ : પોતાના ફાયદા માટે બીજાને નુકશાન કર્તા કર્મ
  3. પાપ પુર્ણ્યકર્મ : નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ
માણસને સત અને અસત એવી બંને પ્રકારની વૃત્તિ મળેલી હોય છે. તે પ્રમાણે સારું અગર ખોટું નવું કર્મ કરવા પ્રેરાય છે. મૂળતત્વ એટલે કે સત્યની ખોજમાં વિચારપૂર્વક અને વિવેકપૂર્વક મંડ્યા રહે તો માણસને સત્યનું દર્શન થાય છે અને આખરે પુર્નજન્મના ફેરામાંથી બચી જાય છે અને મૂળતત્વમાં આવે છે. ઈશ્વરદર્શન કે સત્ય દર્શન આ સૃષ્ટિની સેવા સિવાય થઈ શકતું નથી. તેથી જ જનસેવા એ પ્રભુસેવા દ્વારા પ્રભુદર્શન અને અનાશક્તિ મળે છે. કર્મ માર્ગ છે. હવે ભક્તિમાર્ગમાં ઈશ્વરની સતત ભક્તિ કરતાં કરતાં પણ માણસ અનાસક્ત કર્મ કરતાં શીખે છે. આમ જોતાં કર્મમાર્ગ લગભગ એક જ છે.

સુખ દુ:ખ પ્રત્યે સમભાવ
  • સુખ દુ:ખ ભોગવવાનું રહે છે અને એને ટાળી શકાતું નથી. પરંતુ એ બંનેમાં માણસ જો સમભાવે રહી શકે તો એ દુખની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે. એનો અર્થ કે બંનેને સરખી રીતે ભોગવે અને બંનેમાં શાંતિ રાખે. કોઈપણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં એ શાંત, સંતોષી અને નીવિર્રકારી રહે તો, એ દુ:ખ અનુભવવાની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે.
  • બીજાના દુ:ખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વ્યક્તિને દુ:ખ સહેલાઈથી ભોગવવામાં મદદગાર થઈ શકાય છે અને આ રીતે એ માણસ નમ્ર અને અનાસક્ત બની શકે છે. એ પણ એક નિસ્વાર્થ સેવા બને છે.
  • જ્યાં બદલાની આશા રહે છે, ત્યાં નિરાશાને સ્થાન રહે છે. તેમાંથી અનેક ખોરી પ્રવુતી જન્મે છે. તેથી કોઈપણ સંજોગો સમજણ અને શાંતિ મેળવવાનું મારે માટે સહજ અને આસાન થઈ ગયું છે. આમ દુ:ખ ભોગવવાની વખતે બીજાને દોષ દેવાનું કે રાગદેષ રહેતો નથી.
  • ઈશ્વરનો નિયમ સદા કલ્યાણકારી જ હોય છે. એ નિયમ પ્રમાણે ચાલવાથી હંમેશા કલ્યાણ જ થાય છે.
  • મારા જીવનમાં ખટપટ કરવાનું મે કદી ઉચિત માન્યું નથી. જીવનમાં જે મળે એ ઈશ્વરની પ્રસાદી છે એમ સમજી છું.
  • કોઈને હું મારા કરતાં ઊતરતો ગણતો નથી અને મારી જાતને હું કોઈનાથી ચડિયાતી માણતો નથી.
  • મારા પર જિદ્દી પણાનો ખોટો આરોપ છે. મારો મત ખોટો સમજાય છતાં તેને વળગી રહું તો જિદ્દી કહેવાય, તેવું હું કરતો નથી.
  • માણસે સત્યની ટેવ સિવાય બીજી કોઈ ટેવોમાં પડવું નહી, કારણ ટેવની આદત પરાધીન અને કમનીય બનાવે છે.
  • સત્ય પ્રાપ્તિની એષણા અને જનસેવાની ઇચ્છામાં બાકીની બધી ઈચ્છા લય પામે તો જ માણસ નિર્ભય બની શકે.
ચિંતા
  • હું જાણું છું કે ચિંતા કરવાથી કશો અર્થ સરતો નથી. ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગુંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્ય ને સહાયભૂત થતો અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાખે છે. સંપૂર્ણપણે પ્રભુને સમર્પણ કરવાને પરિણામે મારી સઘળી માનસિક યાતનાઓથી હું ઉંચે ઉઠી આવ્યો છે.
  • પરમાત્મા કાનૂન અનુસાર જ સઘળું થતું હોય છે. એવી મારી માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કદીએ નુકશાન કારક નથી, પણ ફાયદાકારક જ હોય છે.
  • વ્યક્તિના જીવનમાં જે કંઇ બને છે તેને પરમ કૃપાળુ પરમાત્માના કાયદા કે ઈચ્છા તરીકે ઘટાવવી જોઈએ. આમ થાય તોજ વ્યક્તિ દરેક પરિશ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહી ચિંતામુક્ત બને છે.
ગુસ્સો
  • કોઈ ખોટું બોલતું કે અનીતિ કરતું દેખાય તો એ પ્રત્યે મને ભારે ગુસ્સો આવતો હતો અને એવું કરનાર તરફ હું સખતાઈથી બોલતો અને વર્તતો હતો. અને કેટલીક વખત એ બધાને શારીરિક શિક્ષા પણ કરતો હતો.
  • વહેવારમાં જો વ્યવસ્થા જાળવવી હોય તો ખોટું થાય ત્યાં સખતાઈથી કામ લેવાની જરૂર છે એમ મનમાં રહેતું.
  • ૧૯૫૨માં આ વિશે કોઈ વધારે વિચારતાં મને ખાત્રી થઈ કે માણસ જયારે એની દલીલ ખૂટે છે ત્યારે જ ગુસ્સો કરે છે. અગર પોતે કંઈ ખોટું કર્યું હોય વિશે કોઈ કહે ત્યારે સ્વીકારવાને બદલે ગુસ્સાથી બોલનારને દબાવે છે.
  • ગીતાના અભ્યાસ પછી ગુસ્સો કેમ જન્મે છે અને તેનાથી બુદ્ધિનાશ થાય છે એમ સમજ્યા પછી ગુસ્સો અક્ષમ્ય છે એમ મને ખાતરી થઈ. આમ અધ્યાત્મિક રીતે વિચારમાં ગુસ્સા વગર માણસ કામ કરે તો એની સારી અસર જલદી થાય છે. તે સમજ્યો.
ઉપવાસ
  1. ૧૯૫૬ મહાગુજરાત આંદોલનના નેતાઓએ અજમાવેલ હિંસાના પ્રતિકારમાં, અમદાવાદ.
  2. ૧૯૬૯ કોમી હુલ્લડો સામે અમદાવાદ
  3. ૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં ભળેલી હિંસાના વિરોધમાં બેજવાબદાર પોલીસ ગોળીબારમાં ૧૨૦ ૧૩ થી ૨૫ વર્ષના નિર્દોષ યુવકોની હત્યા થઈ હતી.
હેતુ
  1. હિંસા અટકાવવા
  2. વિધાનસભનું વિસર્જન(ગુજરાત)
  3. ૧૧ માર્ચથી ૧૫ માર્ચ ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદ ખાતે
  4. ગુજરાત વિધાનસભનું વિધાનસભાની ચૂટણી યોજવા અને (મિસા) કાયદો રાજકીય કાર્યકર સામે ન વાપરવા બાબતે બંને માંગણી સ્વીકાર
અહંભાવ
  • મારું નામ કોઈ સંસ્થા, માર્ગ કે સ્થાન વગેરે માટે ન આપવા દેવાનો નિયમ મેં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી જ રાખ્યો છે. અને એ વિશે કોઈ અપવાદ કર્યો નથી.
  • આ નિયમ કરવા પાછળ મારો એક હેતુ સ્પષ્ટ છે અને તે એ કે અહંભાવ છોડવાનો. માણસ અહંભાવ ન છોડે ત્યાં સુધી સત્યદર્શન થઈ શકતું નથી. અને સત્યદર્શન સિવાય બીજી કોઈ અભિલાષા મેં જીવનમાં પોષી નથી.
  • ૧૯૫૬ ની ૨૯ ફેબ્રુઆરીએ ૬૦ વર્ષ પુરા થયા ત્યારે પણ મેં હિરકજયંતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવા દીધી નહોતી.
ઇશ્વરી નિયમ

જે બનવાનું હોય છે તે અને છે. અને કોઈ અટકાવી શકતું નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી તે સ્વીકારવું જોઈએ. માણસે બુદ્ધિનો સદુપયોગ કરીને જે કર્મ કરવું જોઈએ તે સતત કર્યા કરવું જોઈએ. એનું પરિણામ ઇશ્વરી નિયમ પ્રમાણે જે આવે તેમાં સંતોષ મને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ મને તો માણસની શાંતિનો કદી ભંગ નહી થાય અને એ દુ:ખી પણ નહીં થાય.

અપ્રિય સત્યવચન

કોઈને સતી કડવું લાગે તો પણ સત્ય બોલતાં અચકાવું નહીં એવી મારી માન્યતા હતી. સત્ય બોલો પણ પ્રિય બોલો. વળી ઋષિમુનિઓની સલાહ પછી મને તુરંત જ સમજીસુ કે આ પહેલી વિચારસરણી ભૂલભરેલી હતી.

સત્ય અપ્રિય કેમ લાગે તે વિચારતાં લાગ્યું કે (૧) કોઈની કહેલી વાત કદાચ અસત્ય પણ હોઈ શકે, તેથી બીજાને તે ચોક્કસ અપ્રિય થાય અને (૨) કોઈપ્રત્યે મને અણગમો હોય તો વાતમાં તે આવતા સત્ય પણ અપ્રિય લાગી શકે. એનાથી મારામાં સારું સરખું પરીવર્તન આવ્યું. મે વિચાર્યું કોઈને વિશે પણ અણગમો ન રાખવું. આ રીતે અપ્રિય બોલવાનું ટાળવા પ્રયત્નપૂર્વક શીખ્યો.

મૃત્યુ

બોમ્બે હોસ્પિટલ ખાતે ડો. શાંતિલાલ મહેતા પાસે, ૧૯૫૮ માં: ૧૯૫૮માં મુત્રપિંડની પથરીના ઓપરેશન વખતે, ઓપરેશનમાં મૃત્યુનો ભય જ ચિંતા ઉપજાવે છે. પણ મને પોતાને મૃત્યુનો ભય નથી કારણ કે મૃત્યુ અનિવાર્ય છે અને એની ઘડી નિશ્ચિત છે એમ હું માનું છું. અને કોઈ ટાળી શકતું નથી કે આગળ ઠેલી શકતું નથી. એથી મૃત્યુ દુ:ખ માનવનું કોઈ કારણ નથી. એટલે જે અનિવાર્ય છે એની ચિંતા કરવી નકામી છે.

૧૯૫૮માં પ્રથમ બોમ્બે હોસ્પીટલમાં કિડની સ્ટોન અને ત્યાર પછી હરકિસનદાસ હોસ્પીટલમાં હર્નિયા ઓપરેશન કરાવ્યું હતું.

સલાહ

હું હંમેશા એમ માણતો આવ્યો છું કે સલાહ, પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ સલાહ માગનારને માટે તે કદી આજ્ઞાન ન બનવી જોઈએ. (સરદારના અવસાન પછી ગુજરાતના વહીવટમાં ગુજરાત વિષયક સલાહ તથા ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી સલાહો બાબત)

સ્વમાન

મારા સ્વમાનને જતન કાજે શ્રીમતી ઈંદિરા ગાંધીના પ્રધાન મંડળમાંથી રાજીનામું નાયબ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મારા સ્વ્મનને હું મહામૂલી મૂડી સમજું છું. ભયની સામે એજ માત્ર મને હિંમત અને સ્વાતંત્રય બક્ષે છે. મારો જેલવાસ ૨૬.૦૬.૭૫ થી ૧૯ મહિના કટોકટી દરમ્યાન – પહેલાં સોહના પછી તાઓરું ખાતે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને ઘર જ લાગે છે.

આ વાતો જાણ્યા, સમજ્યા પછી મને લાગે છે કે વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્ક વગર – બહારથી મળેલી માહિતીઓને ભેગી કરીને આપણે નિર્ણાયક બની જતાં હોઈએ છીએ. અને તેથી વ્યકતીને અજાણતા અન્યાય કરી બેસતા હોઈએ છીએ.

અહી શ્રી મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંત ના ૭૨૪ પૃષ્ઠો વાંચીને તેમને ઓળખવાનો સંન્નિષ્થ પ્રયત્ન મેં કર્યો છે. તે પુસ્તકનાં આધારે એમના સ્વભાવના લક્ષણો મેં વાગોળ્યા છે. તેમનો અપ્રિય કઠોર સત્યવચન કહેવાનો સ્વભાવ હતો, તે એમણે સ્વીયાર્યું છે, પરંતુ તેની ભૂલ સ્વીકારી, તેમણે આવું ટાળવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. તે રીતે જ, જીદ્દીપણાના આરોપને પણ ખોટો સાબિત કર્યો છે. પોતાના મતને વળગી રહેવું ખોટું નથી, પણ તે ખોટો છે એમ સમજ્યા છતાં ન સ્વીકારવું અને ન બદલવું તે જિદ્દીપણું તેમનામાં ન હતું. તેઓ ગુસ્સાવાળા હતા એમ કહેવાતું પણ તેઓ અધ્યાત્મિક વિકાસને માર્ગે જઈને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકયા હતા, પરતું પોતાના સ્વાર્થનું ખોટું કામ ન કરતાં હોવાથી, ઘણાએ તેમને ખોટી રીતે વગોવ્યા છે.

આમ શ્રી મોરારજી દેસાઈનો આત્મકથા દ્વારા મળતો પરિચય તેમને અધ્યાત્મિક પુરુષ, જેઓ ઇશ્વરી શક્તિમાં વિશ્વાસ ધરાવનાર અને આસ્તિક બતાવે છે. તેઓ સત્યવક્તા હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા હતા, જે સદગુણ કેળવવો ખૂબ મુશ્કેલ છે. તેઓ નિર્ભય હતા અને તે માટે આપણને પણ નિર્ભયતા સમજાવતા રહ્યા હતા. છેલ્લે તેમને સ્વમાની અને ની:સ્પૃહી કહેવા પડે, કારણ નાયબ વડાપ્રધાન અને વડાપ્રધાનપદેથી તેમણે શાંતિથી રાજીનામું આપી દીધું હતું.

આવા આપણાં શ્રી મોરારજી દેસાઈને વંદન.


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
bharat@desaieyehospital.com





શ્રી. મોરારજી દેસાઈની આત્મકથા 
  • “મારું જીવનવૃતાંત” - ભાગ ૧, ૨ અને ૩
  • લેખક : મોરારજી દેસાઈ
  • પ્રકાશન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
  • કિમત : નવસો રૂપિયા
  • પાનાં : ૭૧૦ + ૧૪
  • પ્રકાશન: ૧૯૮૪ (સંયુક્ત)


Comments

  1. He betrayed the nation by revealing the details of RAW spies Pakistan .

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Chakravarti Samrat Vikramaditya

Chakravarty Samrat Vikramaditya (102 BC – 15 AD) We are discussing a king who was Chakravarty  - which literally means the ruler of the kingdom in all four directions without any other king challenging him. His name Vikramaditya means ‘Vikram’ – one who is wise, brave, moral, and victorious + ‘Aditya’ meaning ‘of Aditi’, Newly rising sun, sun God. So he was “mighty as Sun”. There was no other emperor comparable to him. Fourteen Indian kings gave him the title of Vikramaditya. This legendary king started his rule at the age of 20 at the coronation at Ujjain (Madhya Pradesh) India. He was the son of parents Gandharvasen and Virmati. He had one elder sister Menavati and elder brother Bharthuhari. His elder brother became a saint and went to the forest under teacher Gorakhnath, who later guided King Vikramaditya as well. He was the father of his son Vikramsena. Historian Abhijit Chavada says: Old historians tell this story of Vikramaditya as a myth and do not agree. In fact, they are ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....