Skip to main content

મારી આત્મકથા - ડો. ભાવના દેસાઈ

આત્મકથા લખવી મતલબ આપણને આપણા જન્મથી અત્યાર સુધીની દરેક હકીકતો તથા પ્રસંગો, અનુભવોની ખબર હોવી જોઈએ. મારી (સંક્ષિપ્ત) આત્મકથા જરાક જુદી લખાશે એવું મને જણાય છે.

શરૂઆત મારા જન્મથી કરીશ. મારો જન્મ ૨૧/૧૧/૧૯૫૦ દિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં થયો. મારી માતા ૨૪ વર્ષના હતા. મારા મોટાભાઈ મારાથી ૬ વર્ષ મોટા અને મારી મોટીબેન ત્યારે ૩ વર્ષના. મને ધરાઈને રમાડે અને જોઈને ખુશ થવાના સમયે જ મારા પિતાનું અવસાન થયું. હાર્ટ અટૈક થી. મારી માતા સ્ટ્રોંગ - હિંમતવાળા - સમજી ગયા હતા કે કઈક ગડબડ છે. કારણ હોસ્પીટલમાં લિમિટેડ સગાઓની આવનજાવન અને દીકરીના પપ્પા કેમ આવ્યા નથી એનો અણસાર આવી ગયો હતો. સમાચાર સાંભળી દુ:ખી થયા. રડાય એટલું રડી લીધું. પછી મારા પિતાના વાક્યને સાર્થક કરવા કમર કસી.

મારુ મોસાળ વલસાડમાં નાની મહેતવાડ ફળિયામાં. મારા આજાબાપા ડોક્ટર. મારા દાદાનું ઘર સુરત - કાળામાતાની શેરી. મારા દાદી, મારા નાનાકાકા તથા કાકી બધા જ ઘણા સારા અને પ્રેમાળ, છતાં અમે ત્રણેય બાળકો મોસાળમાં મોટા થયા. કારણ જણાવું - મારા મામા મારી માતાથી ૧૦ વર્ષ નાના. તેઓ મેટ્રીક પાસ થયા બાદ ડોક્ટરી કરવા ઇચ્છતા હતા. એમણે જાતે જ નિર્ણય લીધો કે મારી બેનને (માતાનું નામ ડો. ઈન્દુમતી) મને જે કોઈ મેડિકલ લાઈનમાં એડમીશન મળશે તેમાં જ હું મારી બેનની સાથે જ ભણીશ અને મારી સાથે જ ડોક્ટર બનાવીશ. મારા આજાબાપાને સમજાવી મારા આજીબાએ દાદીને મળવા મોકલ્યા. એમને સમજાવી લીધા અને વિનંતી કરીને અમને ત્રણેય બાળકોને મોસાળમાં ઉછેરવાની તૈયારી બતાવી. વલસાડ લઈ આવ્યા. હું ત્યારે ૬ માસની, મારા ભાઈ બહેન સમજણા એટલે મારા કાકા મારી માતાને ભાભી કહેતા, એટલે તેઓ પણ ભાભી કહેતા. મારી વાત કરું તો હું ૬ માસની હતી ત્યારથી જ મોસાળમાં રહેતી એટલે મામા-મામી-અડોશપડોશ ઈન્દુબેન કહેતા એટલે હું સમજણી થઈ ત્યારે મારી માતાને હું પણ ઈન્દુબેન કહેતી.

મારી બાળપણની ઘણી બધી વાત લખવા માંગુ છું. પરંતુ એવું કઈ બાળપણ મને યાદ જ નથી. પાંચ વર્ષની થઈ ત્યાં સુધીનું કાઈ ખબર નથી. ઘરની નજીક જ બાલમંદિર એટલે મૂકવા લેવા માટે અમારો નોકર વલભો (વલ્લભ) આવતો. મને બરાબર યાદ છે બાલમંદિરમાંથી બાળકોને નજીકની સ્કૂલમાં ૧૫મી ઓગષ્ટના પ્રોગ્રામમાં ગીત ગાવા લઈ જવાના હતા. મારા આજાબાપા પ્રમુખપદે આવવાના હતા એટલે બાપાએ મને સમજાવેલું કે તું સરસ ગાઈને એકશન કરશે તો ઘરે પણ બીજું ઈનામ આપીશ. અરે જવા દો, બાપાના સમજાવ્યાં છતાં ગીતની પહેલી જ પંક્તિની એક્શન કરીને બાપાને બૂમ પાડી સ્ટેજ ઉપર વળગી પડી. મને યાદ છે મારી આજીબાને બાપાએ વાત કરી ત્યારે બા મને વળગીને ખૂબ રડેલા.

ત્યાર પછી તો ૬ વર્ષની થઈ એટલે મને બાજુની જ પ્રાથમિક શાળામાં ભણવા દાખલ કરી. બાજુવાળા માસી એ જ સ્કૂલમાં હતા એટલે શાળામાં મને ગમતું. ઘર જેવુ લાગતું. આજીબા મારી ખૂબ જ કાળજી રાખતા. કારણકે નાનપણમાં જન્મ સમયે મારી તબિયત ખૂબ જ નબળી રહેતી તેથી મારી બાએ મારા દૂધ માટે ગાય રાખી હતી, જાતે જ દોહતા.

સમય જતાં માતા-પિતા વગર હું મોસાળમાં રહી તો બાળમાનસમાં એવું જ અંકિત થયેલું કે મારા સગા જ મારા-બા-બાપા-મામા-મામી. સમજણી થઈ ત્યાં સુધી ઈન્દુબેન મારા માતા એવી સમજ જ નહીં.

Dr Indumati and Children

૮ વર્ષની થઈ ત્યારે મામાના લગ્ન થયા. મારા ભાઈના જનોઈ ત્યારે જ થયા. ત્યારે અમારા ત્રણનો ફોટો સોફામાં બેસીને પળાવેલો. એ ફોટો મારી પાસે હમણાં યાદગીરી રૂપે છે. આ સાથે અગત્યની વાત જણાવું, મારા મામા જયારે મામીને જોવા મુંબઈ ગયેલા ત્યારે વાતચીત દરમ્યાન મામીને જણાવેલું મારા ત્રણ બાળકો છે. તેમને સંભાળવાની તૈયારી હોય તો લગ્ન માટે સમજીને “હા” જવાબ આપશો. મારા મામી મુંબઈના પ્રખ્યાત ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર ધીરુભાઈ દેસાઈના પુત્રી. ઘરના સભ્યોને આશા ના હતી કે મામા આવી વાત કરીને આવ્યા છે તો ફિલ્મવાળાની દીકરી રાજી થશે નહીં. પરંતુ મારા સારા નસીબ ને મારા બા-બાપાના સારા નસીબ કે મને ઘણાંજ પ્રેમાળ અને સમજુ મામી મળ્યા. લગ્નની વાત જણાવું તો ત્યારે પહેરામણીનો રિવાજ માટે મામાના સાસરેવાળા વલસાડ આવ્યા હતા. રામજી ટેકરાના ઘરમાં પહેરામણીનો પ્રોગ્રામ રાખેલો. મારા નાનામાસી (વલસાડના જાણીતા ડો. હીરક દેસાઈના મમ્મી) અને હું બે ગયેલા. અરે હું તો ૮ વર્ષની, પણ જલસો થઈ ગયેલો. બે જ જણા જમતા હોય પાટલા પર બેસીને અને સામે પાટલા ઉપર મોટી થાળી અને માથા ઉપર ૧૦ જણા હાજર, ઉપરા ચાપરી સવાલ! મારું પિયરનું નામ દેવયાની. બધા દેવયાનીબેન-દેવયાનીબેન કરે અને આપણે ખુશખુશાલ!

બા, બાપા, મામા, મામી મારી બધી જ માંગ પૂરી કરતાં. બાપાની પારડીમાં મોટી વાડી - 'દુર્લભજી ની વાડી' કહેવાતી. કેરી, ચીકુ, જાંબુ, દેશી-વિલાયતી આંબલી થતી. હું વાડીએ જવા તૈયાર થતી પરંતુ હંમેશા ના કહેતા કારણે બાપાએ મને સાચવવાની. કારણ રાત્રે વાડીમાં જ રહેતા.

શનિવારે બાપા ચુપચાપ વાડી નીકળી જતાં. પરંતુ કોઈવાર હું બાપાના સેન્ડલ સંતાળી દેતી એટલે મને ફરજિયાત લઈ જવી પડતી. જોકે હું એમને બિલકુલ હેરાન નહોતી કરતી.

સમય જતાં મામાના ઘરે દીકરીનો જન્મ થયો. ૧૯૬૦ માં. ત્યારે પણ મે બાપા સાથે મુંબઈ જવાની જીદ કરી તો બાએ મને કહ્યું કે નાની બહેન માટે કઈંક રમકડું લઈ જવું પડે તો મે મારી અક્કલ પ્રમાણે શો કેસમાં નાની ડિઝાઈન વાળી રંગીન ૨કુલડી હતી તે બાને બતાવીને બાપા સાથે ગઈ જ. મામી ખૂબ ખુશ થયેલા.

ત્યાર બાદ મોટા થતાં ધો. ૮ માં જમનાબાઈ હાઈસ્કૂલ માં ભણવાનું શરૂ કર્યું. બાપા-મામા ડોક્ટર એટલે મને સ્કૂલમાં સારું માન મળતું. બધા જ શિક્ષકો બાપા-મામાને ઓળખાતા.

ઇન્દુબેને ડોક્ટર થયા બાદ મુંબઈ-થાણામાં પણ નોકરી કરી. મારા મમ્મીએ ખૂબ જ મહેનત કરીને બધી પરીક્ષા First Trial માં પાસ કરી. વિચિત્ર સાહેબો સાથે internship કરવી પડી. શરીર કાયમ જ એકવડિયું રહ્યું. જિંદગીમાં એમનું વજન ૩૨ કિલો ઉપર ગયું જ નહીં. થાણા પછી સરકારી નોકરી ઈડર તથા ડભોઈમાં કરી. સાહેબ તરીકેની નામના મેળવી. મારા બાપા-મામાને યોગ્ય ન લાગવાથી સરકારી નોકરી છોડાવી દીધી અને વાપીમાં Lady Doctor તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી.

મે ૧૯૬૭ માં મેટ્રિક પરીક્ષા પાસ કરી. First Class ૬૮% બાપાએ પેંડા વહેંચ્યા. First Class આવી એટલે, બાકી Center Firstના તો ૭૨% હતા. મારા પિતાએ ઇન્દુબેનને આ મારી દીકરીને ડોક્ટર બનાવીશું એવું કહેલું એટલે મામાએ નિર્ણય કરેલો કે બહાર દૂર મૂકવી પડે તો પણ દેવયાનીને ડોક્ટર બનાવવી જ. કારણ ઇન્દુબેનને ૧૮ વર્ષની ઉંમરે મેડિકલમાં ભણવા જવા માટે સામાન બાંધેલો અને સારું માંગુ આવેલું - સરભોણનો ઊંચા ગામનો દીકરો. એટલે સામાન છોડી દીધો, લગ્ન થઈ ગયા. પરંતુ મારા પિતાએ કહેલું કે તારા (ઇન્દુબેન) નસીબમાં ડોક્ટર થવાનું છે. એટલે મારા જન્મ વખતે ઇન્દુબેનને કહેલું કે અમારી દીકરીને ડોક્ટરી ભણાવજે.

હું મેટ્રિક પછી બરોડા Pre-Science ભણવા ગઈ. મહેનત ઘણી જ કરવી પડી કારણ કે પહેલીવાર ઘરથી દૂર અને ગુજરાતી મીડિયમમાંથી સીધા અંગ્રેજી મિડિયમમાં ભણવાનું. ૫૫% થી પાસ થઈ એટલે મેડિકલનો ચાન્સ જ નહીં. તે વખતે ઇન્દુબેન વાપીમાં પ્રેક્ટીસ કરતાં અને દર ગુરુવારે સવારે ૯ થી ૧૨ દમણ દવાખાનું ચલાવતા. એટલે એમને સમાચાર મળ્યા હતા કે ગયા વર્ષથી દમણમાં કોલેજ શરૂ થઈ છે અને દીવ-દમણ-ગોવાની કોલેજમાંથી પાસ થનાર વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. Inter-Science દમણમાં કર્યું. વાપી ઇન્દુબેન સાથે રહી. સવારે મારા માટે ચા-નાસ્તો કરે, ડબ્બો કરે અને પછી હું ૮:૨૦ ની બસમાં જવા માટે નિકળું. થોડી રસોઈ બનાવી દવાખાને જતાં. બપોરે દાળ-ભાત શાક ઢાંકી જતાં. હું આવીને જમીને અભ્યાસ કરતી. રાત્રે જ્યારે ઇન્દુબેન દવાખાનું બંધ કરીને આવતા ત્યાર પછી જ ભાખરી-શાક બનાવતા અને અમે સાથે જમતા. દેસાઈવાડમાં ભાડેથી રહેતા તે ઘરના માલિક પણ સારા હતા. મારી કાળજી રાખતા. ઇન્દુબેનને ધરપત આપતા કે અમે છીએ ફિકર કરશો નહીં. મહેનત તો કરી પણ ૬૨% માર્કસ જ આવ્યા. જો કે ક્લાસમાં બીજા નંબરે હતી. મામાએ બધી જ કોલેજ માં ફોર્મ ભરાવેલા. ત્યારે મારા Result બાદ મારા કાકાના મોટા દિકરા વલસાડ આવેલા અને મને ફોર્મ ભરવામાં ખૂબ જ મદદ કરેલી. રાહ જોઈ-જોઈને થાક્યા ત્યારે જુલાઈમાં એડમિશનનો તાર આવેલો. મારા મામી તે સમયે pregnant – ૩૨ weeks. મામી બધી જ ગાડીઓ ચલાવતા. એમની સુજબુજ અને ત્વરિત નિર્ણયથી તે જ દિવસે હું મારા મામાના મિત્ર મુંબઈ રહેતા હતા તેની સાથે પ્લેનમાં ગોવા પહોંચી ગઈ. બે દિવસ પછી મામાના friend મને ગોવા મૂકીને પરત મુંબઈ ગયા. રડવું આવતું ખૂબ જ. ઘરની યાદ આવતી. ભાષાની તકલીફ - ખાવાની તકલીફ - હોસ્ટેલમાં રહેવાનુ. જાતે પોતાનું કામ કરવાનું, આકરું લાગતું એટલે ઘર ખૂબ જ યાદ આવતું. ઘરનો કોંટેક્ટ કરવો હોય તો call book કરાવી exchange માં માંગવો પડતો. રવિવારે 2-3 કલાક ફોન પાસે બેસી રહીએ ત્યારે વાત થાય. પહેલીવાર 6 મહિના પછી ઘરે જવા મળ્યું. વધારે સમય વલસાડ અને 2-3 દિવસ પછી વાપી રહેતી. મેડિકલના કોલેજકાળ દરમ્યાન friends બન્યા તે ડો. ભુપેન્દ્ર પાંચાલ (બીલીમોરા), ડો. નયન ચોક્સી (અમેરિકા), ડો. જ્યોતિ શુક્લ (ગોંડલ) અને ડો. રમેશ (સંજાણ- ડો. સૂર્યકાંત બીલીમોરાના વેવાઈના-વેવાઈ).
 

Final M.B.B.S. દરમ્યાન લગ્નનું નક્કી થયું. રિવાજ મુજબ જોવાનું ગોઠવાયું. વાપીમાં અમારા ઘરે આ સમય દરમ્યાન મારી માતા ઇન્દુબેન ખૂબ જ મહેનત અને સારી પ્રેકટિસથી બંગલો બનાવી શક્યા. જોવાના પ્રોગ્રામ બાદ જવાબ આવ્યો નહીં એટલે અમે સમજ્યા ગોવામાં ભણી છે એટલે વિચાર કરતાં હશે. પરંતુ ડો.ભરતે અમારી મુલાકાત પછી પણ 2-3 છોકરીને chance આપ્યો હતો. હું નસીબદાર, અમારા લગ્ન થયા. મારી internship ચાલુ રહી અને ડો.ભરત ૧૯૭૬માં અમદાવાદ ખાતે D.O.M.S થયા.

૧૯૭૭ ની ૧૯ મેના દિવસે મારી દીકરી વૈશાલીનો જન્મ થયો અમદાવાદમાં. ડો ભરતનો અભ્યાસ ચાલુ હતો એટલે નવસારીમાં મારા સાસુ-સસરા સાથે રહીને ડો. રમાબેનની હોસ્પીટલમાં નોકરી કરી. કારણ મારી દીકરી એના દાદા-દાદી સાથે સારી રીતે રહી શકતી હતી. દીકરી મારે ઘરે લક્ષ્મી થઈને આવી. અમારી સારી પ્રગતિ થતી ગઈ. M.S. થયા બાદ ડો. ભરતે Rotary Eye Hospitalમાં job સ્વીકારી અને મેં પ્રાઈવેટ પ્રેક્ટીસ ચાલુ કરી.

વખત જતાં આંખની પ્રાઈવેટ પ્રેક્ટીસ શરૂ કરવાનો વિચાર આવતા બીલીમોરામાં ડો. ભરતે consulting ચાલુ કર્યું અને મારી અબ્રામા પ્રેક્ટીસ ચાલી.

૧૯૭૯ માં આંખની હોસ્પિટલ ચાલુ કરવાના ઈરાદાથી હું અને મારી દીકરી પણ બીલીમોરા રહેવા આવ્યા. બીલી પાઠશાળામાં રહ્યા અને હોસ્પિટલ પણ પાઠશાળામાં ચાલુ કરી. ખૂબ મહેનત કરી. આ સમય દરમ્યાન મારી friend ભાવિકાએ મને ઘણી મદદ કરી. સમય જતાં બીલી અનાવિલ મહોલ્લામાં રહેવા લાગ્યા.



વૈશાલી બાલમંદિર જવા લાગી ને એના નાના ભાઈ રાહુલનો જન્મ થયો ૧૯૮૧, ૧૬ મે. Complete family. દરમ્યાન ૪-૬ મહિના મેંગુષી માં half-day નોકરી કરી. Wood Polymer Clinicમાં થોડો સમય નોકરી કરી. બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. સમય જતાં ગૌહરબાગ વિસ્તારમાં હોસ્પિટલ માટે સારી જગ્યા મળતા આંખની હોસ્પિટલ ગૌહરબાગમાં ચાલુ થઈ અને હું પણ મદદનીશ તરીકે ડો. ભરતની સાથે કામ કરવા લાગી. બાળકોના અભ્યાસમાં મદદ કરતી. ખાવા-પીવાની કાળજી રાખતી સાથે સાથે ESISની તથા LIC ની Medical Officer બની. બાળકો થોડા મોટા થયા એટલે થોડો સમય ગૌહરબાગમાં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી.

બાળકો મોટા થતાં ગયા. સમય જતાં વાર લાગતો નથી. દીકરી ૮૦% થી SSC pass થઈ અને સુરત Girls Polytechnicમાંથી આર્કિટેક્ટ થઈ. બાદમાં મુંબઈમાં Interior Designerનો અભ્યાસ કર્યો. દીકરો HSC pass કરી લાતુર થી BE (Electronics) અને પૂનાથી ME થયો.
 


દીકરીના લગ્ન કર્યા - હાસકારો થયો. મે અબ્રામા PHCમાં સરકારી નોકરી લીધી. દીકરાનો અભ્યાસ ચાલુ હતો. થોડો સમય અમારો ખરાબ ગયો. પણ અમે બિલકુલ હિંમત હાર્યા નહીં. દીકરાના લગ્ન કર્યા. એના જીવનમાં પણ થોડી તકલીફ આવી. દુ:ખનું ઓસડ દહાડા. સાચી કહેવત. આનંદના દિવસો આવ્યા. દિકરી બરાબર મુંબઈમાં સ્થાયી થઈ અને દિકરા-વહુ પુનામાં સ્થાયી થયા. વહુ M.Pharm થયા બાદ PhD કરીને D. Y. Patil College માં job કરે છે. સાથે એની research પણ ચાલુ છે. દરમ્યાનમા ઘણા publications કર્યા છે અને awards પણ મેળવ્યા છે.

૧૪ વર્ષની સરકારી નોકરી કર્યા બાદ નિવૃત થઈને private practice ચાલુ કરી છે. સમય સારો જાય છે. સેવા કર્યાનો આનંદ છે. બાળકો સુખી છે. પોતપોતાના કામમાં વ્યસ્ત છે ખુશ છે. આનંદથી જિંદગી જીવીએ છીએ. ડો.ભરત practice થી retired થઈ પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવે છે.

લાયન્સ કલ્બ, સિનિયર સિટીઝન્સ ક્લબ, તથા IMA માં કાર્યરત રહીએ છીએ એટલે લોકોના સંપર્કમાં રહેવાથી આનંદ મળે છે. અમારી બંનેની તબિયત સારી રહે છે એટલે અવાર-નવાર નાના- મોટા પ્રવાસો પણ કરીએ છીએ. લોકોને ઉપયોગી થવા પ્રયત્ન કરીએ છીએ.


મારુ કહેવું એટલું જ છે કે જો તમારી તબિયત સારી હોય, તો આપણે જેટલું જીવ્યા તેને ઇશ્વરી આશીર્વાદ સમજી બીજાને સહાય કરવી, મદદ કરવી કે બીજાને માટે જીવી જાણીએ એવું વિચારવું. આપણાં માટે, આપણાં કુટુંબ માટે, આપણાં સગાવાહલા માટે ખૂબ સારું જીવ્યા. હવે આપણે શક્ય હોય તો બીજાને માટે સારું જીવવાનું શરૂ કરીએ તો ખૂબ આનંદ થશે.
નમસ્કાર!

ડો. ભાવના "દેવયાની" દેસાઈ
વીરા ક્લિનિક, વંકાલ, બીલીમોરા




નોંધ : સીનીયર સીટીઝન ક્લબ, બીલીમોરા આયોજીત નિબંધ સ્પર્ધામાં દ્વિતિય ઈનામ વિજેતા ક્રૃતિ




Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના વિદાય થતા પ્રમુખ ડો. ભરતચંદ્ર દેસાઈનું સન્માન પ્રવચન

સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા દ્વારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના વિદાય થતા પ્રમુખ ડો. ભરતચંદ્ર દેસાઈ નું સન્માન  ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫  સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

Jainism: Simplified

I am introducing here world spread religion having 5.5 million followers, mainly in India and abroad like USA, UK, Canada, East Africa and many other countries in one of the six greatest religions. Word "Jain" is derived from "Jina" meaning conqueror. "Arihant" is one who has destroyed his inner enemies like anger, greed, passion and ego.