Skip to main content

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

Comments

  1. અનાવિલ જ્ઞાતિ નું સચોટ વિશ્ર્લેષણ.
    અમુક વાતો તો અમુક લોકોને બંધબેસતી પાઘડી સમાન.વાલ આને મગની ખેતીનું રહસ્ય હસાવી ગયું.એકંદરે દુ:ખદ લાગણી નો એહસાસ .હા, આખરે સત્યને એક લાશની જેમ તરી આવવાની ટેવ છે.
    હું, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ બાબતો નો સાક્ષી છું ને તેથી આપના અવલોકનો સાથે સંપૂર્ણ પણે સહમત છું.આભાર.

    ReplyDelete
    Replies
    1. Thanks for reading and replying . Every opinion matters.

      Delete
  2. નમસ્તે સુરેશભાઇ ,
    સૂક્ષ્મ નિરીક્ષણ બાદ બધા જ દોષો ને આવરી લેતો લેખ. દોષો ને દુર કરવાનું પ્રથમ પગલું દોષો ને ઓળખવા જે તમે સરસ રીતે આલેખ્યું . મારું વતન વાપી એટલે કે પારડી તાલુકો .નાનપણ થી વિચાર આવે કે પારડી તાલુકા ના અનાવિલ શેષ સમાજ થી અળગો કેમ અને ક્યારે થઈ ગયો ?
    પારડી તાલુકા ના મુંબઈ માં રહેતા અનાવિલસમાજે ભણતર નું મહત્વ સમજી ને બાળકો ને શિક્ષણ માં સહાયક થવા માટે એક મંડળ બનાવેલું. આજે આ મંડળ કોલેજ ના મોંઘા અભ્યાસક્રમ માટે વિદ્યાર્થી ને વગર વ્યાજે લોન પૂરી પાડે છે જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરો થયા બાદ નોકરી મળે એટલે ચૂકવવા ની હોય છે. એક પણ વ્યક્તિ લોન ભરપાઈ કરવામાં ડીફોલ્ટ નથી થતી. હવે તો વિદેશ માં અભ્યાસ કરવા જનાર ને પણ લોન આપવા માં આવે છે. ફી ના અભાવે કોઈ એ અભ્યાસ છોડવો પડે એવું નથી બનતું .

    ReplyDelete
  3. અનાવિલ બ્રાહ્મણો અનાવલમાં રહેવા પહેલા ક્યાંથી આવેલા? તેઓ કાશ્મીરી પંડિત ના વંશ છે કે?

    ReplyDelete
  4. અનાવિલો વિશેનું લખાણ ખુબ સચોટ. હવે અનાવિલોએ અહમ અને આળસ નેવે મૂકી પોતાની જ્ઞાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા એકત્ર થવું પડશે

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...