Skip to main content

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

Comments

  1. અનાવિલ જ્ઞાતિ નું સચોટ વિશ્ર્લેષણ.
    અમુક વાતો તો અમુક લોકોને બંધબેસતી પાઘડી સમાન.વાલ આને મગની ખેતીનું રહસ્ય હસાવી ગયું.એકંદરે દુ:ખદ લાગણી નો એહસાસ .હા, આખરે સત્યને એક લાશની જેમ તરી આવવાની ટેવ છે.
    હું, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ બાબતો નો સાક્ષી છું ને તેથી આપના અવલોકનો સાથે સંપૂર્ણ પણે સહમત છું.આભાર.

    ReplyDelete
    Replies
    1. Thanks for reading and replying . Every opinion matters.

      Delete
  2. નમસ્તે સુરેશભાઇ ,
    સૂક્ષ્મ નિરીક્ષણ બાદ બધા જ દોષો ને આવરી લેતો લેખ. દોષો ને દુર કરવાનું પ્રથમ પગલું દોષો ને ઓળખવા જે તમે સરસ રીતે આલેખ્યું . મારું વતન વાપી એટલે કે પારડી તાલુકો .નાનપણ થી વિચાર આવે કે પારડી તાલુકા ના અનાવિલ શેષ સમાજ થી અળગો કેમ અને ક્યારે થઈ ગયો ?
    પારડી તાલુકા ના મુંબઈ માં રહેતા અનાવિલસમાજે ભણતર નું મહત્વ સમજી ને બાળકો ને શિક્ષણ માં સહાયક થવા માટે એક મંડળ બનાવેલું. આજે આ મંડળ કોલેજ ના મોંઘા અભ્યાસક્રમ માટે વિદ્યાર્થી ને વગર વ્યાજે લોન પૂરી પાડે છે જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરો થયા બાદ નોકરી મળે એટલે ચૂકવવા ની હોય છે. એક પણ વ્યક્તિ લોન ભરપાઈ કરવામાં ડીફોલ્ટ નથી થતી. હવે તો વિદેશ માં અભ્યાસ કરવા જનાર ને પણ લોન આપવા માં આવે છે. ફી ના અભાવે કોઈ એ અભ્યાસ છોડવો પડે એવું નથી બનતું .

    ReplyDelete
  3. અનાવિલ બ્રાહ્મણો અનાવલમાં રહેવા પહેલા ક્યાંથી આવેલા? તેઓ કાશ્મીરી પંડિત ના વંશ છે કે?

    ReplyDelete
  4. અનાવિલો વિશેનું લખાણ ખુબ સચોટ. હવે અનાવિલોએ અહમ અને આળસ નેવે મૂકી પોતાની જ્ઞાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા એકત્ર થવું પડશે

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1)  ભગવદ્દગીતામા...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.