Skip to main content

લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો

છૂટાછેડા (Divorce): છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage)
  1. Without marriage, there is no divorce
  2. Marriage can be easily done but not divorce
  3. Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake
  4. Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life.
કારણો
  • Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ
  • Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન
  • Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ
  • Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ
  • Lack of Love: પરસ્પર પ્રેમ
  • Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ
આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો
  • ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ્નજીવનનો અંત લાવવા તૈયાર થઈ જાય છે.
  • Communication gap and Ego: પોતપોતાના સ્વભાવના અહંકારને લીધે અને પરસ્પર વાતચીતના સમયના અભાવે વાર્તાલાપ કે ચર્ચા બંધ થઈ જતાં-પ્રશ્નોના કારણો અને નિરાકરણની ચર્ચા થતી નથી, તેથી પણ છૂટા પડી જવાય છે.
  • Lack of Commitment: લગ્નજીવનમાં ભંગાણ અને છૂટાછેડા સમાજમાં હવે ખરાબ ન ગણાતા હોવાથી છૂટાછેડાની સ્થિતિ ને સમાજે સ્વીકારી લીધી છે, જેથી હવે છૂટાછેડાનો કોઈ છોછ રહ્યો નથી તેથી લગ્નજીવનની વીધીમાં આપેલા વચનોની ગંભીરતા રહી નથી (No Social Taboo). પરસ્પર માટે પ્રેમ કે લાગણી અને પરસ્પર માટે બધુ જ કરી છુટવાની ભાવના જતી રહી છે-મરી પરવારી છે.
  • Family Interference: સંયુક્ત કુટુંબની ભાવના અને સંયુક્ત રહેવાનું ન હોવાથી પતિ-પત્નીનું એકલા રહેવું જોખમી બન્યું છે. નાનામોટા ઝગડાઓએ કાયમી સ્વરૂપ પકડ્યું છે અને સમાધાન શક્ય રહ્યું નથી.
  • Mobile Connectivity and Parents Interference. મોબાઈલ ફોને મોકાણ મંડી છે. કે ડાટ વાળ્યો છે એમ કહીયે તો ચાલે એ ખોટું નથી. સવાર-સાંજ ફોન દ્વારા માબાપની ચર્ચા લગ્નજીવનમાં ખલેલ પહોંચાડે છે અને વખત જતાં લગ્નો તોડે છે.
  • Dowry - વાંકડો
  • Modern Lifestyle: Hectic complex lifestyle causing high ambitions, expectations leading to anger, frustrations and confrontations.




છૂટાછેડાની અસરો

  • કૌટુંબિક અસર: છૂટાછેડા જીવનનો અકુદરતી વણાંક છે તેથી છૂટા પાડનાર પાત્રો પતિ- પત્ની, તેના માબાપો, ભાઈબહેન અને કુટુંબીજનો માટે એક અસહ્ય આઘાત અને માનસિક હતાશા-નિરાશા લાવે છે. લગ્નજીવનની આ નિષ્ફળતા વૈવાહિક જીવનનો અંત તો લાવે જ છે પણ સાથે સાથે અસહ્ય વેદના અને સાધારણ દૈનિક જીવનને પણ ખલેલ પહોંચાડે છે. આ નામોશીને કારણે તેઓ બધા સાથે કુદરતી રીતે હળીમળી શકતા નથી અને જીવનની નિષ્ફળતાના વિચારોને લીધે આરોગ્યની સમસ્યા પણ લાવે છે.
Judicial Separation
  • એકબીજાથી છૂટા પડવું લગ્નનો અંત લાવી એકબીજાથી જુદા રહેતા પાત્રોને છૂટાછેડા સહેલાઈથી મળતા નથી. આથી ફરીથી લગ્ન શક્ય બનતા નથી ઉપરાંત ન કુંવારા-ન પરણેલા જેવી વિપરીત સ્થિતિમાં આ પાત્રો લાંબા સમય સુધી જીવન જીવવા ધકેલાઈ જાય છે.
થોડી છૂટાછેડાની અસરો વિષે

ભારતીય ન્યાયાલયોમાં છૂટાછેડા બહુ સહેલાઈથી મળતા નથી. બન્ને પક્ષોએ માનસિક ત્રાસ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. જેને કારણે આર્થિક શારીરીક તેમજ માનસિક રીતે ખૂબ મોટું નુકશાન ભોગવે છે.

પરસ્પર સંમતિ (Mutual Consent) એ સહેલાઈથી છૂટાછેડા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જે માટે બન્ને પક્ષ (થાકયા સિવાય, હાર્યા સિવાય) વહેલા તૈયાર થતાં નથી. અને ભારતીય ન્યાયાલયોમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવું અશક્ય છે. તે સમજે છે.

કાયદાકીય પ્રશ્નો
લગ્નને કારણે ઊભી થતી સમસ્યાઓ આ પ્રમાણે છે:
  1. ભરણપોષણ: Code of criminal procedure 1973 મુજબ લગ્નજીવન પર આધારિત વ્યક્તિ કોઈ પણ પુરુષ, સ્ત્રી અને બાળક ઉપરાંત તેના માતા-પિતા ભરણપોષણનો હક્ક મેળવે છે. તે આવક રજુઆત અને ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પ્રમાણે મળે છે. ઉંમર, આવક, માંદગી વગેરે પ્રમાણે નક્કી થાય છે. આવક ન ધરાવતો પતિ પણ પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે.
  2. બાળક: બાળકનો કબ્જો, તેનું લાલનપાલન અને તેની સાથે બન્નેના સંબંધો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરસ્પરની સમજુતી પછી કોર્ટના હુકમને આધારે તેને દર મહિને ભરણપોષણ અને તેની સાથે મુલાકાત ગોઠવી શકાય છે.
  3. માલમિલકતમાં ભાગ: પત્નીને ભરણપોષણ સિવાય કોઈ જાતનો ભાગ મળતો નથી. પત્નીનો પતિની મિલકતમાં સીધી રીતે કોઈ ભાગ હોતો નથી.
  4. સીધેસીધા છૂટાછેડા: સાત વર્ષ કે સિત્તેર વર્ષ (!) છૂટા રહેવાથી છૂટાછેડા મળતા નથી. પાત્રનું મરણ સાબિત કરવું અનિવાર્ય છે.
છૂટાછેડા બાબતે આપની ફરજો
  1. દંપતી: છૂટાછેડાની નાની નાની બાબતોમાં ધમકી આપતા પાત્રોએ ગંભીરતા કેવળવી જરૂરી છે. લગ્ન એ સંપૂર્ણ જીવન દરમ્યાન સુખમાં, દુ:ખમાં, તકલીફમાં, આનંદમાં પરસ્પર સમજુતીથી (Compromise) અને એકબીજાની સાથે અનુકુળતા (Adjustment) સાધી જીવવાની પ્રક્રિયા છે. તે બન્ને માબાપોએ, કુટુંબીઓએ અને મિત્રોએ લગ્ન પહેલા લગ્ન જીવન દરમ્યાન અને છૂટા પડ્યા બાદ વિગતે સમજવાની જરૂર છે. Compromise and adjustment are the keys to success of marriage and life.
  2. સગાસંબંધી: લગ્નના ભંગાણને આરે આવી છૂટા રહેતા પત્રોને ગંભીરતાથી લેવાની જરૂર છે. માબાપો લગ્નમાં લાગત્ય વળગતા દરેક સગઓ અને મિત્રમંડળોએ સામૂહિક રીતે ભેગા મળી પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવાની કોશિષ કરવી જોઈએ. અંગત રીતે બન્નેને મળીને તકલીફો સમજી નાના નાના કારણોથી છૂટાછેડા ન થાય તે જોવાની આપણી ફરજ છે. કારણ જો બીજા લગ્નની ઈચ્છા હશે તો આનાથી પણ ખરાબ પાત્ર મળી શકે એ શક્યતા પણ ધ્યાન પર લાવવાની જરૂર છે.
લગ્ન માટે ‘હા’ કહેતા પહેલા... (Before saying ‘yes’ for marriage...)

આપણે વાત કરી તે મુજબ છૂટાછેડા કે લગ્નજીવનની તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય લગ્ન પહેલાની સાવચેતી અને કાળજી છે.

લગ્ન ન થતાં હોવાથી અથવા લગ્નની ઉતાવળમાં, જે કોઈ પહેલી લગ્નની ઓફર આવે તેને આંધડુક્રિયા કરીને હા પાડવું ભયજનક-ખતરનાક છે. ચાલો, સમજીએ.

લગ્નની હા પાડતા પહેલા નીચેના પ્રશ્નો વિગતે સમજો ચર્ચા કરો અભિપ્રાય જાણો પરસ્પર સંમત થાવ.
  1. બાળકો: લગ્ન પછી બાળકો લાવીશું? ક્યારે? કેટલાં? બાળકોને કોણ રાખશે, મા કે કામવાળી?
  2. આવક: બન્નેની આવકનો વહીવટ કેવી રીતે કરીશું? પૈસા ભેગા રાખીશું? સહિયારો વહીવટ કરીશું? 
  3. ઘરકામ કોણ કરશે? અડધા- અડધાકામો વહેચીશું કે કામવાળી?
  4. મા-બાપ: બન્નેના માબાપની કાળજી કઈ રીતે લઈશું? સાથે રાખીશું? પૈસા મોકળીશું કે પછી વૃદ્ધાશ્રમ?
વારસાગત રોગો

જન્માક્ષર જોવડાવતાં ન અચકાતાં આપણે મેડિકલ ચેકઅપ માટે તૈયાર થતાં નથી અને પછી લગ્નમાં ભેરવાયા છીએ AIDS, હ્રદય રોગ, કે ખેંચ જેવા લગ્ન પહેલાના રોગો લગ્નને નિષ્ફળ બનાવી શકે છે. બન્નેની વિગતવાર મેડિકલ ચેકઅપ કરાવી તંદુરસ્તીની ખાત્રી કરો. આંખના, લોહીના, માનસિક કે શરીરના વારસાગત રોગો બાળકોમાં આવતા જીવવું મુશ્કેલ બનાવી દે છે.
આપણે સૌ અનાવિલ સમાજ કંઈ વિચારીશું?

દીકરીના અવિચારી લગ્ન અને માબાપ

પુત્રી પોતાની મરજીથી માબાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, ત્યારે માબાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

કારણો
  1. એકવીસમી સદીમાં મળેલા ઈલેક્ટ્રોનિક સાધનો મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલીવિઝન ને કારણે બાળકો ખૂબ હોંશિયાર બની જાય છે. અને તેથી અજાણપણે માબાપને મૂર્ખ માને છે.
  2. માબાપ એક જ બાળક હોવાથી બાળકને જોઈતી, માંગેલી ચીજો પરવડે કે નહીં તો પણ લાવી આપે છે. આમ સાઈકલ, મોપેડ, કપડાં કે બૂટ કે કોઈપણ ચીજ મેળવીને જ જંપતું બાળક ના સાંભળવા ટેવાયું જ નથી. તેથી ખોટા લગ્ન પણ પોતાની મરજી થી જ કરે છે.
  3. ચલચિત્રો, ઇન્ટરનેટ, ટેલીવિઝન ના યુગમાં ઉઘાડે છોગ બતાવતા શારીરક સંબંધો ને કારણે શારીરીક ઈચ્છાઓ વહેલી ઉંમરે જાગતા ખોટા પાત્ર સાથે જોડાઈ જાય છે.
માબાપને સલાહ
  1. દુ:ખનું ઓસડ દહાડ ધીરજ ધરો સમયને સમયનું કામ કરવા દો. શાંતિ જાળવો. શોકાતુર ન બનો. ગુસ્સો ના કરો.
  2. દીકરીને તમારા અણગમાના કારણો સમજાવો.
  3. દીકરી સાથે સંપર્ક જાળવી રાખો.
  4. ભૂલ એ ભૂલ છે તે ભૂલીને, બાકીના સંબંધો અને જીવન યથાવત રાખો.
  5. આ પ્રશ્નનો ઉકેલ તમારે ત્રણે જ કાઢવાનો છે. સારો રસ્તો ચોક્કસ દેખાશે ગેરમાર્ગે દોરશો નહિ.


Comments

  1. NOW IN NEW GENERATION BIG GAPE BETWEEN FATHER& MOTHER NOW MARRIAGE LADY NOT DEPEND ON HER HUSBAND NEW GENRATION BOTH ARE EARN MONEY THEY ARE NOT DEPEND UPONEACH OTHER. FASHION. GROUP PARTY. KITTY PARTY. CLUB. COPLE DANCE. GARBA. I AM SOMTHING. NOT TAKE REASPONSIBILITY BOTH OF FATHER& MOTHER&THAT IS WHY PROBLEM CREATED

    ReplyDelete
    Replies
    1. Sir mera ek question he
      Agar pati ko divorce chahiye to uske liya kya karna padta he
      Aur kese court me sabit karna padta he ??

      Delete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

Before Saying "Yes" For Marriage - II

Expectations from everything have gone high, be it any relation or life. And in that, marriage is no exception. So one has to be alert before saying "YES" for marriage or marriage may end suddenly without any chance of compromise. Though issues I am going to put forward may sound small and petty, they actually are of great importance.