Skip to main content

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો

છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there is no divorce Marriage can be easily done but not divorce Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life. કારણો Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ Lack of Love: પરસ્પર પ્રેમ Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ...