Skip to main content

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.

Comments

  1. Heartiest thanks and congratulations too for taking keen interest in our family and true friendship relations. Really we have no words to appreciate your deep thinking, to prepare blog for us. It will be life time remembrance for us as well as our whole family. Great, great and great. A big Salute to you. We thank Dr. Bhavnaben too for accepting our invitation and taking part in our celebration. We pray to Almighty to keep you both healthy and bless you and your family abundantly. Parimal and Dolly

    ReplyDelete
  2. Dr .Bharat
    We are wholeheartedly grateful to you for writing an article on our Father's 80th birthday celebration. You are a keen observer and a fantastic blogger...
    You have penned every detail of the event and by putting it in black and white ...it will always be cherished by our family in our hearts and mind.
    God bless you for bringing smiles on our faces and joy in our hearts.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

Before Saying "Yes" For Marriage - II

Expectations from everything have gone high, be it any relation or life. And in that, marriage is no exception. So one has to be alert before saying "YES" for marriage or marriage may end suddenly without any chance of compromise. Though issues I am going to put forward may sound small and petty, they actually are of great importance.