Skip to main content

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III 
356-323 BC
Macedonia

વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.”

ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે:
  1. જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે.
  2. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે.
  3. શબપેટીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખશો, લોકો જે જોઈને સમજશે કે 32 વર્ષે સમગ્ર વિશ્વ જીતનાર સિકંદર પણ કંઈ પણ લીધા વગર ખાલી હાથે જાય છે. અરે, વૃદ્ધમાંને મળવાની નાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકતો નથી.
આ પૂર્વભૂમિકા લઈને, ચાલો, મહાન સિકંદરના પરાક્રમો અને યુદ્ધોના વિજયોને સમજીએ. જેથી છેલ્લે, કંઇક આત્મનીરીક્ષણ કરવાની પ્રેરણા મળશે કે?

પિતા રાજા ફિલિપ II અને માતા ઓલમ્પિયાનો પુત્ર સિકંદર મેસૉડૉનિયામાં જનમ્યો હતો અને ફક્ત 33 વર્ષની વયે બેબીલોનમાં ટાઈફોઈડ, મેલેરિયા કે ખોરાકમાં ઝેર આપવાને કારણે મૃત્યુ પામ્યો હતો. તે 16 વર્ષના અભ્યાસ પછી, 12 વર્ષના યુદ્ધો દ્વારા વિશ્વ વિજેતા બન્યોહતો. તેથી મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે પ્રખ્યાત થયો હતો. ઇતિહાસમાં પ્રાચીન સમયમાં સિકંદરના રાજ્યનો વિસ્તાર સૌથી વધારે હતો જેમાં વર્તમાન સમયના ગ્રીસમેસેડોનિયા તુર્કિસ્તાન, સીરિયા, આફ્રિકા, ઇજિપ્ત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ભાગો જીત્યા હતા. કદાચ વર્ષો પછી માત્ર ચંગીઝખાન અને ત્યારપછી બ્રિટિશરોએ એટલો વિસ્તાર કબજે કર્યો હતો. સિકંદર ગ્રીક ભગવાન Zeus નો પુત્ર માનતો હતો, તેથી તેનામા દેવી શક્તિ હોવાનું પણ મનાતું.

સિકંદરના પિતા રાજા ફિલિપ્સને સિકંદરમાં બાળપણથી મહાન રાજા બનવાના લક્ષણો દેખાયા હતા તેથી તેને મહાન વિદ્વાન ફિલસુફ અને રાજકારણના નિષ્ણાંત એરિસ્ટોટલ, પ્લેટોઅને સેક્રોટીસ પાસે ભણાવ્યો હતો, બાળપણમાં 12 વર્ષના બાળક સિકંદરે “બેસેફેલેસ”નામના તોફાની ઘોડાને કાબુ કરી બતાવ્યો હતો, ત્યારથી ઘોડો “બેસેફેલેસ” તેનો કાયમી સાથી બન્યો હતો. યુદ્ધમાં સાથે લડતા લડતા ભારત સાથે લડાઈમાં માર્યો હતો.

16 વર્ષના સિકંદરને યુદ્ધમાં લડવા મોકલ્યો હતો અને તે જીત્યો હતો.

18 વર્ષે હરાવવું મુશ્કેલ એવું કોરોનીયા યુદ્ધ જીત્યો.

20 વર્ષે રાજા ફિલિપિન્સનું ખૂન કરનાર વિદ્રોહીઓને મારી હટાવ્યો. કારણ પિતાનું તેના રક્ષકોએ ખૂન કર્યું હતું, 20 વર્ષે જ માતા ઓલમ્પિયની ઈચ્છા મુજબ રાજા બન્યો.


રાજા તરીકે વિશ્વ વિજેતા બનવાની મહાત્વાકાંક્ષાને કારણે પૂર્ણસમયે યુદ્ધોમાં રમમાણરહ્યો.
  1. પહેલા સંપૂર્ણ ગ્રીક વિસ્તાર જીત્યો
  2. ઈરાન = પર્શિયા જીત્યું - રાજા ડરાયસ III ને ટર્કીમાં ઇસુસના યુદ્ધમાં (Battle of Issus) હરાવ્યો. હારેલ રાજા ભાગી જાય છે ત્યારે ગુસ્સે થયેલ લોકોએ પકડીને તેનું ખૂન કર્યું. સિકંદરે ઇરાનના રિવાજો પ્રમાણે વર્તન કર્યું અને તેવા કપડાં પહેર્યા જોકે ઈરાના લોકોએ તે ગમ્યું નહીં (331 BC)
  3. ટાયરેના યુદ્ધમાં(Seize of Tyre) 332 BC માં ઇઝરાયેલ નો ટાપુ જીત્યું 8000 લોકો મરાયા અને 30,000 લોકો ગુલામ તરીકે પકડાયા.
  4. ઈજિપ્ત વિના યુદ્ધે જીત્યો. લોકોએ તેને આવકાર્યો. ઇજિપ્તના રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરી રાજા બન્યો.
  5. ભારતની સમૃદ્ધિને કારણે આકર્ષાયેલ સિકંદર 327 BC માં હિન્દુકુશ પર્વતો વટાવી જેલમ નદીને કિનારે યુદ્ધ માટે આવ્યો.
સિકંદરની ભારતની ચડાઈઓ (મેસોડનીયા ના આક્રમણો)

16 મહાજન પદોના રાજ્યોનું બનેલુ ભારતના, વાયવ્ય ભાગમાં અનેક જુદી જુદી રાજસત્તાઓ પ્રવર્તતી હતી. પણ એમની વચ્ચે કોઈ સંગઠન નહોતું.

કેટલાક રાજ્યોએ કાયરતાથી અને કેટલાકે પરસ્પરની ઈર્ષાથી એને આવકારવા સંદેશો મોકલ્યો.

હિન્દુકુશ, પુષ્કલાવતી, કાબુલ વગેરે પ્રદેશના રાજાઓએ સરળતાથી સીધી જ અધિનતા અંગિકાર કરી લીધી. ભારતના ઇતિહાસનો સૌપ્રથમ દેશદ્રોહીઓ એવા તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીને મોકલી, હિંદ પર ચઢાઈ કરે તો મદદ કરવાનું કહેણ મોકલ્યું. સરહદનો બીજો રાજા શશીગુપ્ત પણ સિકંદર ને સહાય કરવા દોડી ગયો.

આમ, ભારતના ઇતિહાસના કલંક એવા દેશદ્રોહીઓ તરીકે આંભી અને શશીગુપ્તને યાદ કરવા રહ્યા. 

સિકંદરનો ચડાઈએ ભરતીઓની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. પરદેશી આક્રમણનો સામનો કરવા નાના રાજ્ય અક્ષમ હોવાથી મોટું બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે સિકંદરમાં વિજેતા બનવાની ધૂનને કારણે જંગાલીયતનું પ્રદર્શન જોવા મળ્યું. મગધ સામ્રાજ્ય મદદે ન આવ્યુ. રાજ્યો સંગઠિત નહોતા, ઉપરાંત આંતરિક ખટરાગથી પ્રેરાય દેશદ્રોહનું વલણ અપનાવ્યું.

હાઇડાસ્પેશનું યુદ્ધ (Battle of Hydaspes): જેલમ નદી નું યુદ્ધ

જેલમ અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક=પૂરુ=પોરસે યુદ્ધમેદમાં મળવા સિકંદરને લલકાર્યો. 40,00૦ ના સિકંદરના ઘોડેસવાર સૈન્યે પ્રથમવાર યુદ્ધમાં પોરસના હાથીઓનું યુદ્ધ જોયું- હારવાનો ભય લાગ્યો પણ કપટી સિકંદરે ચૂપચાપ નદી ઓળંગી પાછળથી આવી આક્રમણ કર્યું, ઉપરાંત વરસાદ પડવાથી અને કાદવમાં રથ ખૂંપી જવાથી,ગજદળ અશ્વદળનો સામનો ન કરી શક્યું. 

પૂરું હાર્યો – સૈનિકોએ સિકંદર સમક્ષ પુરુને રજૂ કર્યો. સિકંદરે પૂછ્યું: તારી સાથે કેવો વર્તાવ કરું? પૂરુંએ કહ્યું: રાજા તરીકે (Treat me as a King) સિકંદરે પૂરુંને એનું રાજ્ય પરત કરી વિશ્વાસુ ઉપરાજ બનાવ્યો અને (Vessal State) સમાંતર રાજ્ય બનાવ્યું. 

ત્યાર પછી સિકંદરે ગ્લચૂકાયનોનાં ગણરાજ્યને અને સાકલના કઠ લોકોને હરાવી યુદ્ધ જીત્યા. 

મદક દેશના પૌરવ, સૌભૂતિ અને ભાગલના રાજ્યોએ યુદ્ધ વિના સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. 

સૈનિકોએ આગેકૂચ કરવાની સાફ ના પાડી દેતા, સિકંદર સંપૂર્ણ ભારત જીતવાની મહેચ્છા છોડી ભારે હ્રદયે પાછો ફર્યો. 

-પરત ફરતા રસ્તામાં બેબિલોન ખાતે 323 BC અકાળે સિકંદર અવસાન પામ્યો. ત્યાર પછી યુનાની સત્તા બે ત્રણ વર્ષમાં અસ્ત પામી.મહાન સિકંદર બાર વર્ષમાં એક પણ યુદ્ધ હર્યો નહીં. 

આમ, વિશ્વવિજેતા બનવા બાર વર્ષથી સતત યુદ્ધો કરતો સિકંદર ખાલી હાથે મૃત્યુ પામ્યો. (323 BC) 

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?