Skip to main content

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં (Before memory fades... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે.

જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે.

૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય.

આ અનાવિલની આત્મકથા છે એમ મેં કહ્યું ત્યારે મારે જણાવવું જોઈએ કે અહીં પ્રામાણિક્તા-સાક્ષીભાવ-સ્પષ્ટવક્તાપણું અને નીડર રજૂઆત સ્વાભાવિક જ છે. ૬૫ વર્ષ પહેલાં મોટા ભાગના અનાવિલો નિમ્ન-મધ્યમવર્ગમાં આર્થિક રીતે આવતા-પણ ગરીબી તેમની આગળ વધવાની ધગશમાં ક્યાંય આડખીલીરૂપ નથી હોતી. સમાજને અને તેથી જ તેમને ભણેલા મોટાબેન ડો. પ્રવિણાબેન માટે ખૂબ અહોભાવ-સન્માન અને તેથી જ આત્મકથા જયંતભાઈએ એમને અર્પણ કરી છે.

B.Sc., LL.B., LL.M., અને Ph.D. ભણેલા લેખક-સફળ વકીલાત કરીને અઢળક ધનના સ્વામી બન્યા હોત-તેમણે શરૂઆત નવસારીમાં વકીલાતથી કરી પણ ખરી. પણ અનાવિલ વારસાગત શિક્ષકનો જીવ તેમને શિક્ષક-પ્રોફેસર-આચાર્ય અને યુનિવર્સિટી ના ‘કાનૂની’ શાખાના ડિન બનાવીને જ જંપ્યો.

મેં ગયા વર્ષે બીલીમોરા ખાતે ‘વરિષ્ઠ નાગરિકો’ માટે “મારી આત્મકથા” વિષય ઉપર નિબંધસ્પર્ધા રાખી હતી-ત્યારે કુટુંબજીવન, અભ્યાસ, વ્યવસાય, અને જીવનનાં અનુભવોને આધારે માર્ગદર્શન એમ ચાર મુદ્દા પર લખવા કહ્યું હતું. મારી અપેક્ષાનાં બધા વિષયો અહીં એમણે વિગતવાર આવરી લીધા છે.

ઘડપણમાં યાદશક્તિ જતી રહેવા છતાં ભૂતકાળની બધી વાતો-વિગતો સંપૂર્ણ યાદ રહે છે-પણ આપના આ યુવાન લેખક માનસિક સ્વસ્થતા સાથે વિગતવાર નામઠામ સાથે વાત કરતાં હોય ત્યારે એ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું.

પુસ્તક પરિચયના લંબાણની ચિંતા મને વાતને ટૂંકાવીને મુદ્દાની વાત કહેવા સૂચવે છે.

ચાલો, રક્ષિકાબેનના પતિ, જલપા, જલધિ અને હર્ષના પિતા- જીનસાના આજા ડો. જયંતભાઈ -વકીલ, ખેડૂત અને શિક્ષક - પાસેથી જીવનનો સાર જાણીએ.
  • 61 - God alone is the doer, we are mere instruments in HIS hands. 
  • 123 - For retirement brings repose and repose allows a kindly judgment of all things. - John Sharp Williams 
  • Retirement, a time to do what you want to do, when you want to do it, where you want to do it and how you want to do it. - Catherine Pulsifer  
  • As your life changes, it takes time to recalibrate, to find your values again. You might find that retirement is a time when you stretch out and find your potential. Sid Miramontes. 
  • 6 - Everyone’s life is a page in human history irrespective of the position he or she holds or the work he or she performs. - APJ Abdul Kalam 
જિંદગીએ શીખવેલી અગત્યની બાબતો – 137
  • પરમકૃપાળુ પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખો. 
  • નિયતિએ નક્કી કરેલી તમામ ઘટના કે પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનો. લાગણી અને તર્ક વચ્ચે સમતુલા જાળવો. 
  • ક્યારેય કોઈપાસે કોઈપણ બાબતની અપેક્ષા રાખવી નહીં. 
  • માણસોને ઓળખતા શીખો. 
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા શિક્ષણને જીવનમાં અગ્રતા આપો. 
  • નિયમિત પ્રાર્થના અને હિસાબ લખવાની ટેવ પાડો. 
  • પરિવારના સભ્યો વચ્ચે નિખાલસ ચર્ચા કરો. 
  • શક્ય હોય ત્યાં સુધી, કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. 
  • કપટી સગાસંબંધીઓથી દૂર રહો. 
  • કોઈને છેતરશો નહીં, તેમ કોઈથી છેતરાશો નહીં. 
  • વિવિધ શોખો કેળવીને જીવન આનંદમય બનાવો. 
  • શક્ય હોય તેટલું સામાજિક અંતર રાખવું. 
A reader lives a thousand lives before he dies. The man who never reads only one. - George RR Martin
અલગ અલગ બાબતો અંગે વિચારો, અવલોકનો સૂચનો અને અભિપ્રાયો - 138
  • સ્વાસ્થ્ય: ઉત્તમ સ્વાસ્થય માટે દરેક સાનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સમતોલ ખોરાક, નિયમિતતા, કસરત, યોગ-ધ્યાન, પ્રાર્થના, વાંચન, પ્રકૃતિદર્શન, રાષ્ટ્રપ્રેમ, વાલીઓનો નિયમિત જીવંત સંપર્ક અને સારા મિત્રો આવશ્યક છે. 
  • શિક્ષણ: ઔપચારિક ઉપરાંત મૂલ્યનિષ્ઠ અને વ્યવસાયલક્ષી શિક્ષણ ને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. ઉચ્ચશિક્ષણ મેળવતી વખતે પ્રત્યેક બાળકે જરૂર પડ્યે કાઉન્સેલિંગ દ્વારા પોતાના રસ અને ક્ષમતાનુસાર વિદ્યાશાખા પસંદ કરવી જોઈએ. વ્યવસાયલક્ષી અભ્યાસ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
  • અર્થતંત્ર: મજબૂત અર્થતંત્ર સર્વ માટેની અનિવાર્ય જરૂર છે. રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવું હોય તો સીધી આર્થિક મદદ માત્ર અનાથ, વિકલાંગ, બીમાર અને વૃધ્ધને જ મળવી જોઈએ. બાકીનાને સ્વયં નાણાં મેળવી શકે તેવી તક પૂરી પાડવી જોઈએ. તો જ જાપાન-ચીનની જેમ work culture નું સર્જન થઈ શકે. 
  • પારિવારિક જીવન: પ્રત્યેક પરિવારની સુખાકારી અને વિકાસ આવશ્યક છે. તે શીખવવા, પરિવારિક જીવન અંગેનો વિસ્તૃત વિષય 11 કે 12 ધોરણમાં ફરજિયાત હોવો જોઈએ. આજકાલ પરિવારિક જીવનને દુ:ખદ બનાવતા પરિબળોમાં બાહ્યઆડંબર, અસંતોષ, ઈર્ષ્યા, અયોગ્ય જીવનસાથી, સ્વાર્થ, કરકસરનો અભાવ, મહેનત અને સાદાઈનો અભાવ, ધીરજનો અભાવ, વિનમ્રતા-પ્રામાણિક્તા અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ અને અન્યો પાસે વધુ પડતી અપેક્ષા વિગેરે ગણી શકાય. 
  • સુ:શાસન (Good Governance): લેખક છ ભાગમાં પ્રસિદ્ધ કરેલા લંબાણ સંશોધનના સાર તરીકે કહ્યું કે સુશાસન અંગે ભાગ્યે જ કોઈ નવા કાયદાની જરૂર છે. જરૂર છે માત્ર નિષ્ઠાપૂર્વક્ન અમલીકરણની એટલે કે “It is the optimum utilization of all natural, financial and human resources for the welfare of whole society.” 
    • સરકાર આ બાબતે નિષ્ફળ નીવડેલ છે. 
    • વિશાળ માનવીયબળ, કહેવાતા સાધુ, સંતો, મૌલવી, મુલ્લા, ધર્મગુરુઓના રૂપે, ભિખારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ, કૈદીઓ, બેકાર શિક્ષિત યુવાનો સ્વરૂપે વેડફાય છે. બીજી બાજુ માનવીય બળની અછત છે. 
    • શહેરો ગેરકાયદેસર ઝૂપડપટ્ટીઓથી ખદબદે છે. 
    • અઢળક સંપત્તિ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારામાં, ભ્રષ્ટ રાજકારણી અને લાંચિયા અધિકારીઓએ પાસે પડેલી છે, બીજી તરફ અમુક વર્ગ ખોરાક કપડાં અને રહેઠાણથી વંચિત છે. 
    • સત્તા મેળવવા અને તેને જાળવવામાં સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. 
    • સારું કામ કરનારની પ્રશંસા અને ખોટું કરનારને ત્વરિત શિક્ષા કરવાની જરૂર છે. 
    • સલાહ: પ્રજાએ જ સામૂહિક રીતે જાગૃત થવું પડશે. કટોકટી કરતાં પણ વધુ કપરો કાળ છે. 
  • આધ્યાત્મિકતા: અલૌકિક શક્તિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થવો અત્યંત આવશ્યક છે. ધર્મપુસ્તકોનું વાંચન, નિયમિત ઘરે જ આત્મચિંતન અને આત્મનિરીક્ષણ ધરાવતી આધ્યાત્મિકતા કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ શાંતિ અર્પે છે. 
People are illogical, unreasonable and self-centred. Love them anyway. - Mr Kent M. Keith  
આત્મકથા પાસેથી અપેક્ષિત બધી જ વિગતો જન્મ-અભ્યાસ-કુટુંબ-વ્યવસાય-લગ્નજીવન-અને બાળકો-વાંચ્યા પછી સૌથી મહત્વનો ભાગ તે જીવનનો સાર અને જીવનનો અર્થ ફક્ત આ આત્મકથામાંથી જ મળે છે-તેનું વિગતવાર વર્ણન લંબાણ થતું હોવા છતાં મેં અહી આપ્યું છે.
પ્રિ. ડો. જયંતભાઈ, અભિનંદન – આભાર અને શુભેચ્છા સાથે વિરમીએ ત્યારે દરેક વાચકની ભવિષ્યમાં આપની બીજી આત્મકથા (આત્મકથા-2) વાંચવાની અપેક્ષા અસ્થાને નથી શું?
ડો. ભરત એમ. દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા









મારા સંસ્મરણો
  • લેખક : ડો. જયંત ટી. દેસાઈ B.Sc. LLB, LLM, Ph.D.
  • જન્મ : 09-06-1965 મોસાળ વકતાણા (જી. સુરત) ખાતે
  • લગ્ન : 10-05-1985 રક્ષિકાબેન સાથે (શિક્ષિકા)
  • બાળકો : દીકરી: જલપા - લગ્ન શિવકુમાર સાથે - બાળક જિનસા
    દીકરી: જલધિ - લગ્ન વિશાલકુમાર સાથે
    દીકરો: હર્ષ
  • વ્યવસાયમાંથી સંપૂર્ણ મુક્તિ FEB-2019
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 12-06-2021

Comments

  1. પુસ્તક પરિચય ઘણો સરસ. અભિનંદન લેખકને અને ધન્યવાદ આટલો વ્યવસ્થિત પરિચય આપવા બદલ.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

Are Old-age-homes Meant For My Parents?

Or if I may ask, are my parents worth sending and keeping in an old-age-home? The need for time demands more and more old-age-homes to be built. Because: Expense: No problem. Monthly payment amount: No problem. Servants, cook and other staff needed: No problem. Whatever has to be done: No problem!

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Why Do I Live?

When stress and anxiety level go high, one feels low and asks oneself - Why do I live? Or, why do I not leave? Answer to this question is not easy. A clear-cut and simple explanation is needed. “Ikigai” - a Japanese word - gives us the answer, explaining the reason for living. Let's find out more. 

Before Saying "Yes" For Marriage - II

Expectations from everything have gone high, be it any relation or life. And in that, marriage is no exception. So one has to be alert before saying "YES" for marriage or marriage may end suddenly without any chance of compromise. Though issues I am going to put forward may sound small and petty, they actually are of great importance.