- જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
- રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
- મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે
63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.
અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”
ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે.
ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.
ચારિત્ર્ય અને વ્યક્તિત્વઅકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.
વહીવટીતંત્રરાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.
ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી.
- હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો
- કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
- તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
- તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા
અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
- 1563: યાત્રાવેરો નાબુદી
- 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
- 1591: ગૌવધ નિષેધ
- 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક
- ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
- સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા
સાહિત્ય- અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
- ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી,
- તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન
- તનકાત – એ અકબરી
સ્થાપત્યો- દિલ્હી હુમાયુનો મકબરો
- અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
- ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો
યુદ્ધોઅકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.
દિને – ઈલાહી ધર્મ (1582) અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.
હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)
દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:
- જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
- દુષ્કર્મો કરનારને માફ કરવું
- દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
- પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
- કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
- ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
- બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
- બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
- પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
- એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું
હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.
આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.
ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
મહાન અકબર? (Akbar the great?)
અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
- મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી.
- વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો.
- અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો.
- વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા.
- ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો.
- મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
- ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
- દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો.
- ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
- સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા.
- વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો.
આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો.
અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક
અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે.
સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે.
સત્ય સક્રિયતા માંગે છે.
નહીં તો અકબર મહાન જ છે.
ડો. ભરત દેસાઈ