Skip to main content

અનાવિલ સાહિત્ય

વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. 

બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.

‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.


અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
  1. કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭) 
  2. અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦) 
  3. Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ) 
  4. Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા) 
  5. દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ 
  6. સંભારણું – ૧ (૨૦૦૪) 
  7. સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
  8. અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪) 
  9. ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન) 
  10. Anavils (Then, Now and …) 
  11. અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯) 
  12. અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦ 
  13. અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨) 
  14. History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭) 
અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
  1. વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  2. વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
  3. અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક. 
  4. શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
  5. Anavil Samaj of Canada Directory (2016) 
  6. અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત) 
  7. ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
  8. ‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર 
  1. મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪) 
  2. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨) 
  3. મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪) 
  4. વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક 
  5. શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮) 
  6. કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક) 
  7. દિલનું સ્મિત – એક સફર 
  8. પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬) 
  9. પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫) 
  10. શ્રી યોગેન્દ્ર 
  11. શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯) 
  12. કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪ 
  13. પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯ 
  14. શહીદ બાપુભાઈ વશી 
  15. કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક 
  16. શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭) 
  17. મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫) 
  18. મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦) 
  19. શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી) 
  20. ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
  21. ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫) 
  22. માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ 
  23. રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬) 
  24. યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ) 
મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.

નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા
૨૮/૦૧/૨૩

Comments

  1. ભરતભાઈ તમે આ પુસ્તકો વિશે ની માહિતી આપી અનાવિલ સમાજ પર ઉપકાર કર્યો છે. ખુબ ખુબ આભાર 🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. Thank you, Mamataben. Bharatbhai

      Delete
  2. Dr. ભરતભાઈ ,ખૂબ ખૂબ આભાર.. અનાવિલ પુસ્તકોની માહિતી આપવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ

    ReplyDelete
  3. કલ્પેશ દેસાઈ - કુકોWednesday, 01 March, 2023

    અનાવિલ પુસ્તકોની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ભરતભાઈ.

    ReplyDelete
  4. Thank you very much for providing the information about Anavil Books

    ReplyDelete
  5. ખૂબ સરસ આભાર સાહેબ. આપેલા લિસ્ટમાં ઉમારસાડીનાં "મોનજી રૂદર" પુસ્તક જણાતું નથી..

    ReplyDelete
    Replies
    1. Send me the book on MONJI RUDAR to add to my collection!

      Delete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?

[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન   ૨૬ મે, ૨૦૨૪  સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા 'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો   અને   વક્તવ્યો

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....