Skip to main content

મૃત્યુનું મનોમંથન

ભારતમાં જન્મને શુભ અને મૃત્યુને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે.


ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે!

કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ્પીટલમાં રિબાઈ રિબાઈને મારે છે.

કુદરતી ક્રમ મુજબ, જ્ન્મ, યુવાવસ્થા અને ઘડપણ આવે છે. ત્યાર પછી ઘડપણની દુર્બળતા અને મૃત્યુ નિશ્ચિત છે. આપણે મર્ત્ય છીએ, તો આપણે સમજવું રહ્યું કે વૃદ્ધત્વ નો કોઈ પણ ઈલાજ નથી. તેથી મૃત્યુથી ભાગી શકવાના નથી. તો ચાલો, મૃત્યુને સમજીએ, જાગીએ, તૈયાર થઈએ અને નક્કી કરીએ કે મૃત્યુને કઈ રીતે સ્વીકાર્ય અને બહેતર બનાવી શકાય. Being mortal is the truth.

વૃદ્ધત્વને કોઈ ઈલાજ નથી - ઘડપણમાં બહેરાશ આવે, દ્રષ્ટિ અને સૂંઘવાની શક્તિ ઘટે, કરચલી પડે, યાદશક્તિ-વિચાર શક્તિ ઘટે (Dementia), દાંત પડી જાય, સ્નાયુઓ પાતળા થાય કે સાંધાઓ સખત થાય જેવી ઘટનાઓ વહેલી-મોડી બને જ છે. અને છેલ્લે મૃત્યુ અવશ્યંભાવિ બને છે. Death can not be prevented. ત્યારે દરેક વ્યક્તિએ વૃદ્ધત્વની વિભાવના સમજી જાતે અંત સમયે કઈ રીતે વર્તવું તે સમજવાની જરૂર છે. હકીકતમાં ડૉક્ટરો પણ મરણાસન્ન વ્યક્તિને શું કહેવું કે કઈ રીતે કહેવું તે બાબતે સ્પષ્ટ નથી.

જીવનનો હવે કેટલો વખત બચ્યો છે? કે પછી હવે મરવાની કેટલી વાર છે? તે તદ્દન અનિશ્ચિત છે અને કોઈપણ કહી શકતું નથી.
વર્તમાન આધુનિક સમાજવ્યવસ્થામાં, મા-બાપ અને સંતાનો જુદા જુદા રહે છે – સાથે રહેતા નથી પણ બન્ને સ્વનિર્ભર છે અને સ્વતંત્ર છે અને બન્ને ને પરસ્પર જુદાઇ – એકલાપણું ફાવી ગયા હોય છે, ત્યારે કદાચ વૃદ્ધાવસ્થાની માંદગી જો સંતાન સાથે રહેવાની ફરજ પાડે તો, તે વૃદ્ધોની સ્વતંત્રતા અને મનપસંદ એકાકીપણાનો અનિવાર્યપણે ભોગ લે છે.
ડોક્ટરો અને હોસ્પિટલની સારવાર

મરણાસન્ન માંદગી (terminal illness)થી ગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલના વોર્ડમાં, ઘનિષ્ટ સારવાર કેન્દ્ર (ICU – intensive care unit) ખાતે કે ઘરે થઈ શકે છે.

હોસ્પીટલમાં દાખલ કરીને ઓપરેશન, રેડિઓથેરાપી કે કિમોથેરાપી જેવી રોગોને અનુલક્ષીને જરૂરી સારવાર કરી શકાય છે ત્યાર પછી, છેલ્લી સ્થિતિમાં (ICU) ઘનિષ્ટ સારવાર વિભાગમાં રાખી ઑક્સીજન, વેન્ટિલેટર કે ડીફિબ્રિલેટર જેવી વિવિધ સારવાર અપાતી હોય છે અને તે સિવાય દુખાવો દૂર કરી શકાય તેવા ઘરગથ્થું ઈલાજ સાથે ઘરે રાખી શકાય છે. આમ, 1) Hospitalk Nursing Home - હોસ્પિટલ, 2) ICU (ઘનિષ્ટ સારવાર વિભાગ) કે 3) ઘર વચ્ચે પસંદગી કરવાની હોય છે. છેલ્લા તબક્કામાં, સારવાર છતાં સારા થવાની શક્યતા ન હોય ત્યારે, ઘરે જ રહીને બચેલું જીવનના અંતિમ તબક્કામાં, સગાં સ્નેહી-મિત્રો સાથે રહે, પીડામુક્ત, માનસિક જાગૃતિ સાથે સામાજિક વાતાવરણ વચ્ચે રહી શકાય છે. ઘરે રાખવાના સાધનોમાં, પંપ (pain pump), નેબ્યુલાઈઝર (શ્વાસમાં લેવાની દવાયુક્ત સાધન), ઓક્સિજન અને દુખાવાનાશક દવાઓ (medicine box) છે. ઘરે ઈલેક્ટ્રિકલ બેડ રાખી ડૉક્ટર અને નર્સને જરૂરી સમયે બોલાવવાથી આવીને મદદરૂપ થાય (Doctor-on-call) એવી વ્યવસ્થા પણ કરી શકાય (Hospice pallaiative care). 

ડોક્ટરની ફરજ દર્દી માટે ત્રણ રીતે વહેંચી શકાય:
  1. વાલીપણું: ડોક્ટરને દર્દી માટે જે સારવાર યોગ્ય લાગી હોય તે દર્દી એ સ્વીકારવાની. વૃદ્ધ દર્દી નબળા હોય, ગરીબ હોય કે સ્વભાવે ડોકટરમાં વિશ્વાસ ધરાવતા હોય ત્યારે વાલીપણાનો સંબંધ ઝડપથી બંધાઈ જતો હોય છે. 
  2. માહિતી આપનાર: ટેકનિકલ એક્સપર્ટ તરીકે ડૉક્ટર બધું જ જણાવી દે છે. પછીથી દર્દીએ જાતે-પોતે સારવારનો નિર્ણય લેવાનો હોય છે. તમે ગ્રાહક છો, ડૉક્ટર સારવારને લગતી બધી શક્યતાઓ સમજાવી દે પછી વિગતો-વિકલ્પો જાણી સમજીને દર્દીએ પોતે નક્કી કરવાનું હોય છે. 
  3. માર્ગદર્શન: ડૉક્ટર અને દર્દી રોગ અને તેની સારવારની વિગતોની ચર્ચા કર્યા પછી ડૉક્ટર દર્દીને શું યોગ્ય રહેશે તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આમ દર્દી અને નિષ્ણાત સહિયારો નિર્ણય લે છે. 
ડૉક્ટરો સારવાર ન કરાવવાથી થતી સ્થિતિ વિષે દર્દીને ભયભીત કરી મુક્તા હોય છે, પણ જે ખાસ જરૂરી છે તે સારવાર આગળ વધારવાથી આવનાર ભયાનક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટપણે જણાવતા નથી.
ઓપરેશન, રેડીએશન કે કિમોથરપી જેવી સારવાર કરવાથી કે નહીં કરવાથી થતી તકલીફો-થનાર સ્થિતિની વિગતો દર્દીને વિગતવાર સમજાવવાની ખાસ જરૂર હોય છે. 

દર્દીને પોતાની સરવારને લગતી ઈચ્છાઓ (Break point discussion)
  1. હ્રદય અટકી જાય તો, કૃતિમ રીતે ચલાવવું કે નહીં? 
  2. અંતિમ સમયે, વેન્ટિલેટર + ઈન્ટયુબેશન (Ventilator + Intubation) કરાવવું કે નહીં? 
  3. ખાઈ ન શકો એવી સ્થિતિમાં નળી દ્વારા (Gastric tube) પોષણ લેશો કે નહીં? 
  4. જીવતા રહેવા માટે ક્યાં સુધી સારવાર લંબાવવી અને ક્યારે અટકવું તે અંગેના પોતાના નિર્ણયો શું છે? 
દરેક વૃદ્ધે આ બાબતે પોતાના નિર્ણયો નજીકના સ્નેહીઓને લેખિત અથવા મૌખિક વિગતવાર જણાવવા જોઈએ – જેથી તેને યોગ્ય ન્યાય આપી શકાય.

Death with dignity (Assisted suicide): ખાવાપીવાનું બંધ કરીને, કૃત્રિમ શ્વાસ ન લઈને અને નળીથી ખાવાનું ન લઈને માનપૂર્વકનું અકુદરતી મૃત્યુ લાવી શકાય છે.

સાધારણ રીતે, દરેક વ્યક્તિ મૃત્યુ ઘરમાં (at home), શાંતિથી અને સ્વજનો/મિત્રોના સમૂહ વચ્ચે ઈચ્છતો હોય છે. અંત સમયે, લાગતા-વળગતાઓને Good bye, I love you, I am sorry, Thank you, ફરી મળીશું, હું તમને પ્રેમ કરું છું, મને માફ કરશો કે ધન્યવાદ જેવા વચનો કહેવા માંગતો હોય છે.

અંત સમયે, વ્યક્તિ દયામણા થયા વિના નિર્ભયતાથી, શાંતિપૂર્વક, ઈશ્વરની પ્રાર્થના કરતાં કરતાં, શ્રદ્ધાપૂર્વક વિદાય થવા માંગતો હોય ત્યારે વ્યક્તિને (હોસ્પિટલને બદલે) ઘરે શા માટે ન રાખી શકાય?
વિલુપ્ત થવાની ભૂમિકા (dying role) સમયે, મરણાસન્ન લોકો ગરિમાભેર, આનંદથી, પોતાનો અંત સંપૂર્ણ સંતોષપૂર્વક લાવે તે બાબતે આપણે મદદરૂપ થઈશું કે પછી ત્રાસદાયક વેન્ટિલેટર માં ગોંધી – કરૂણ મોતને હવાલે જ કરીશું?

Comments

  1. Well written
    Based on facts.
    Informative and useful.

    ReplyDelete
    Replies
    1. Thank you very much for words of appreciation.

      Delete
  2. Very nicely thought ,analyzed and written point to point in a systematic and easily digestible way .
    Words written are most appropriate .
    Command on language ,subject ,
    contents and expression of own views is excellent.
    Selection of important topic touching our life is really worth appreciating .
    Combination of medical and social aspects from the view point of a senior consultant makes your blogs very interesting and informative .
    વિવેચન મારો વિષય નથી અને મારો અનુભવ પણ તે ક્ષેત્ર માં ખાસ નથી..
    Dr Narendra Gajjar

    ReplyDelete
    Replies
    1. Dear Dr Narendrabhai,
      Thank you very much for reading the article word to word and sending your feedback. Your feedback means a lot for me, because, you write what you feel without being formal.
      In fact, your interest in all the subjects, curiosity and active learning have made you this great at the level of great intelligence. For us you are Dictionary, Wikipedia and round the clock help whenever we need. Bharatbhai Desai

      Delete
  3. Very well explained the concept of death
    Thats very true ..
    I appriciate doctor saheb ..well done

    ReplyDelete
  4. Very nicely written. How to take death with dignity, how to prepare family and oneself for death - Explained in very easy way.
    Keep writing ✍️
    Regards
    Vaishali

    ReplyDelete
  5. Death
    Sudden death:
    Accidental immediate death due to any physical cause like sudden cardiac or respiratory arrest or due to severe injury following accident.
    Slow death:
    A person having terminal illness with multi-organs failure due to cancer or old age dies gradully-slowly within days.. STAGES of slow death:
    1.Apathy towards food: Less hunger, inability to swallow food and decreased desire to eat at all.
    2. Gradual loss of consciousness: Loss of alertness, loss of attention, getting aloof of surrounding, inability to express/speak .It is accompanied by lowering of blood circulation, weakness of limbs with inability to control micturition and stools.
    3. Stage before imminent death: Unrecognisable sound, audible loud respiration, shallow and slow respiration, feeble pulse and sinking sound.
    4. Death: Final end of life.






    ReplyDelete
  6. Living will:
    End of life decisions showing steps regarding health care in advance.
    1. DNR
    ( Donot Resuscitate) Asking to do no attempt to revive life with CPR (Cardio-Pulmonary - resuscitation or any other method and just let one die one's natural death.
    2.DNI
    (Donot Intubate) Donot use endotracheal tube by intubating and introducing a tube via nose or mouth to deliver oxygen.
    3.DNS
    (Donot support via gastric tube) Refusing treating person to introduce gastric tube for supporting life by giving nutrition.
    4.DNH
    (Donot hospitalise) Let the person die at home without admitting into a hospital.
    Person has to tell and write down his desires regarding end-stage treatment protocol and inform concerned relatives well in advance.

    ReplyDelete
  7. HOSPICE SERVICES in US:
    Person having terminal end stage illness is given following four options of treatment in US by medical team comprising of doctor, nursing staff, physiotherapist, occupational therapist and social worker. It is known as end stage management or terminal illness treatment (Hospice Services)
    Level I : Routine home care: General care and nursing at home by Hospice team .with required medical management at home only as and when asked .
    Level II: Continuous home care.
    Level III: General nursing care at hospital as inpatient after admission in Nursing home /hospital,
    Level IV: Respite care: To relive the family members of the patient, a patient is admitted at hospital for doing routine home care .

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Karmic Theory (Law Of Karma)

“Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...