Skip to main content

મારું વસિયતનામું - My Medical Will

માંદગીમાં સારવાર અને મરણ વખતની ક્રિયાઓને લાગતું વસિયતનામું 

મારી સાંઠ વર્ષની ઉંમરે મે મારી આત્મકથા લખેલી તેમાં મારી માંદગીની સારવાર અને મૃત્યુ પછીની વિધિઓ મારા પત્ની અને બાળકો જેમ કરશે તે મને મંજુર રહેશે-એવું વિધાન મે કર્યું હતું. હા, તે વાત હું હજીપણ એમની એમ જ સ્વીકારું જ છું પરંતુ, હવે દસ વર્ષ પછીના મારા વિચારોનો ખ્યાલ આવે એટલા પૂરતું આ પત્ર લખું છું. 

મારી શારીરિક તકલીફોનો ઈલાજ કઈ રીતે કરાવવું તે બાબતે કમસેકમ મારા પોતાને લગતા કેટલાક ખ્યાલો મે નક્કી કર્યા છે, તેનું વિગતવાર વર્ણન હું કરીશ.


જો બેભાન ન હોઉ અથવા કહો કે માનસિક રીતે નિર્ણયશક્તિ ગુમાવી ન ચુક્યો હોઉ તો, મારી ઉંમરને લગતી કોઈપણ માંદગીની કેવી-કેટલી અને ક્યાં સારવાર કરાવવી તેનો નિર્ણય હું લઈશ. પણ હું બોલીને કે બીજીરીતે કહી ન શકું એમ બને તો માર્ગદર્શક બને એ રીતે સારવારની વાતો કહીશ. 

બેભાન અવસ્થા

સાધારણ રીતે થતી નિદાન પ્રક્રિયાઓ દ્વારા રોગ સારવાર યોગ્ય છે કે કેમ તે જાણ્યા પછી-જો સારવારથી સારા થવાની ઓછી શક્યતાઓ હોય તો સારવાર નહીં લેવી ઘરે ફક્ત સ્નાન-ઝાડા-પેશાબ-ચોખ્ખાઈ વિગેરે કાળજી લેવી અથવા લેવડાવવી. દમણીયા હોસ્પિટલ, ગણદેવી ના અંતાશ્રમ વિભાગમાં દાખલ કરી અથવા એવી કોઈ જગ્યાએ રાખી અથવા ઘરે માણસ રાખી કાળજી લેવી, આ વાતને કોઈ રીતે નાનમ વાળી કે અયોગ્ય માનવી નહીં. ખાલી બતાવવા માટે કે ખાલી સામાજિક મોભ્ભા માટે કઈ જ ન કરવું. હ્રદય રોગ-મગજના રોગ-કે કેન્સરની પ્રાથમિક અવસ્થા હોય તો પ્રાથમિક સારવાર કરાવવું પણ હ્રદયના-મગજના-કે કેન્સર ના ઓપરેશનો કે એવી કોઈપણ સારવારમાં પડવું નહીં. આ આ સિવાયની કોઈપણ માંદગીમાં સારા થવાનું કોકટર અશક્ય જણાવે તો, સીધા ઘરે પરત લાવી સાધારણ સાર-સંભાર કરવું. 

I.C.U.

કોઈ સંજોગમાં તાત્કાલિક સારવાર તરીકે ICU માં દાખલ કરવાનું બને તો, ત્રણ કે વધુમાં વધુ ચાર દિવસ દવા-ઈંજેકશન-ઓક્સિજન વિગેરેથી સુધારો ન થતો હોય તો આ પત્ર દ્વારા મારી એટલે કે તે સમયના દર્દી ની ઈચ્છા ન હોવાનું જણાવી રજા લઈ ઘરે પરત લાવી દૈનિક જરૂરી કાળજી કરાવવી. 

Euthanasia

પીડારહિત મૃત્યુ હજી આપણાં સમાજમાં અને કદાચ કાનુની રીતે આ સ્વીકાર્ય નથી એટલે મૃત્યુ દવા-ઈંજેકશનથી લાવવાની અપેક્ષા રાખતો નથી. પરંતુ સારવાર બંધ કરાવીને - કરીને પોતાના ઘરે ઘરગથ્થું કાળજી લઈ મૃત્યુની રાહ જોઈ શકાય વધુ ઉંમર + માંદગી અને સારવાર વિના મૃત્યુ જ્યારે આવે ત્યાં સુધી દૈહિક સાધારણ કાળજી રાખવી. 

Organ Donation (અંગદાન)

આપણે ત્યાં જીવન દરમાયન એક ગુર્દો (Kidney) અને યકૃત (Liver) નો ભાગ દાન કરી શકાય છે તે બાબતે વિચારવું - આયોજન કરવું. બેભાન અવસ્થામાં (Coma) જ્યારે મગજનું મૃત્યુ એવું નિદાન (Brain Death) થાય ત્યારે તાત્કાલિક શરીરના લઈ શકાય એટલાં બધાં અંગો Kidney, Liver, Heart, Skin, Eyes, વિગેરે બધુજ આપવાની કોશિષ કરવી જોઈએ. 

Body Donation (દેહદાન)

મરણની આવવાની સ્થિતિમાં આ બાબતે કાર્યવાહી શરૂ કરવું જેથી મરણ પછી તરત જ ચક્ષુદાન (Eye Donation) કર્યા પછી દેહદાન થઈ શકે. અકસ્માત કે શરીરના બીજા કારણોસર દેહદાન ન થઈ શકે તોજ અગ્નિસંસ્કાર કરવું. 

મરણ સમયે કે મરણ પછીની કોઈ વિધિની અપેક્ષા નથી. 

આમ આ બાબતે કોઈ જાહેરાતો સમાચારપત્રમાં આપવાની જરૂર નથી બારમું-તેરમું-વર્ષી કરવું નહીં બેસણું-ઉઠમણું-શોકસભા જેવા કાર્યક્રમો બિલકુલ ન કરવા, લગ્ન-જન્મદિન કે કોઈપણ પ્રસંગો ને જેમના તેમ કાર્યક્રમ મુજબ જ કરવા. 

હા, મરણ એક અંતિમ પડાવ છે - તેને સ્વીકારી-આવકારી પોતાનું જીવન પહેલાની જેમ જીવવાનું શરૂ કરી દેવું. 

મરણને લગતા કોઈ દાન કરવા નહિ. હા, પોતાને ગમતી સમાજસેવા કે આર્થિક મદદ યોગ્ય લાગે તે રીતે યોગ્ય લાગે તેને કાયમ જ કરવી. 
આમ, સિત્તેર વર્ષે – 41 વર્ષની આંખની ડોક્ટર તરીકેની જિંદગી – 43 વર્ષનું લગ્નજીવન, સિત્તેર વર્ષનું આરોગ્યમય જીવન અને બે જવાબદાર લાગણીશીલ બાળકોના પિતા હોવામાં મને જીવનની સંપૂર્ણ સફળતા ધન્યતા અને સુખ અનુભવાય છે ત્યારે વિદાય એ આનંદપૂર્ણ જ હોય શકે.
ડો. ભરત એમ. દેસાઈ 
બીલીમોરા 
તા. ૨૩-૦૭-૨૦૧૯ 


સંપર્ક

સારવાર: ડો. વિજય દેસાઈ 99280 20522, ડો. હિતેન્દ્ર પટેલ 98251 28876
દેહદાન: ડો. પ્રફુલ્લ સીરોયા 98250 34591
અંગદાન: ડો. નીલેશ માંડલેવાલા 98256 09922
ચક્ષુદાન: રોટરી, નવસારી. 02637-258920, 02637-258931

Comments

  1. Frank as always, Saheb.����

    ReplyDelete
  2. Nice commendable declaration.
    Except one point.
    I think,declaration in news paper should be there.Reason being,
    the people (who have been helped , in their difficult times)have right to know & react with your closest relatives.The relatives go through following stages after the death:
    1.stage of shock.feeling of total loss.
    2.stage of realisation. accepting the truth.
    3.stage of idealisation. people praising the virtues of deceased.
    4.stage of rehabilitation.start learning to leave under changed circumstances.
    Sir,
    the stage 3 & 4 are helped by the people who have been helped by you & who only can know through obituary.
    When one dies,one goes alone,but never forget one is leaving behind live stock .And they need support system.

    ReplyDelete
  3. Worth saluting your views and planning Dr Bharatbhai Desai . Perfect example of what should be done in geriatric phase of life and after death .
    Anavils are great leaders with advance thinking .����

    ReplyDelete
  4. I’m highly impressed by your clear thinking. Everyone should follow this.
    Perfect

    ReplyDelete
  5. I know that no "will" is a last "will" till it is a last "will".
    It needs revision from time to time.
    Well, I would like you to add to a nearly perfect "will" following point, if you think it worthwhile.
    Sir, I observed while touring China that every foreyard of the house has a little stone structure like (Tulsi-kyara), and I saw people coming out of house, bowing down, before going to office work. I inquisitively asked the guide about it. and he replied that they keep the ashes of their beloved ones who have gone to heavenly abode. By bowing down on daily basis,before they start their day, they pay respect to the dead and pray for their blessings.great spirituality.
    We, instead, can ask our children to plant a tree, putting our ashes and nurture the plants. That is how we can be remembered forever. It is a legacy which can help our green environment dream also.

    ReplyDelete
  6. આટલી સહજતાથી મૃત્યુ વિષે લખવું એ કઈ જેવા તેવા માણસનું કામ નથી. જિંદગીની સૌથી મોભાદાર ઘટનાનું આટલું સીધું અને સરળ અર્થઘટન અને સેવા-દાનને છેલ્લા શ્વાસ સુધી જીવનમાં સાંકળવું એ મને આપની આત્મકથા વાંચવા માટે આકર્ષે છે.

    ReplyDelete
    Replies
    1. Thank you, Shreya, for reading and responding positively.
      I have been lucky to live my life at my terms and so I can easily spell out all about death.
      My mini-autobiography is part of this blog as ""Life at 60" pubblished around 10 yeas back. do have a look when possible.
      Blessings.

      Delete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028