અનાવિલ સમાજ અને લગ્નો

લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ.

દેખીતાં કારણો:

1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ:40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે.

2. અભિપ્રાયોમાં નિરસતા: લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો.

3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન: દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે લગ્નની સમસ્યા ભારી બને છે.

4. વિરોધાભાષ (Paradox): આપણી અપેક્ષાઓમાં વિચિત્ર વિરોધાભાસ (Paradox) છે જેમકે, (1) માબાપ મોટી જમીનના માલિક હોવા જરૂરી છે, પણ યોગ્ય હોવા છતાં ખેતીવાડી વાળો ગામડાનો મુરતિયો ન ચાલે. (2) પૈસાદાર કુટુંબનો છોકરો જોઈએ, પણ વેપાર–ધંધાવાળો ન ચાલે–નોકરીવાળો જ જોઈએ. (3) કમાણી તો ઘણાબધા વ્યવસાયમાં છે, પણ ઉમેદવાર ડોક્ટર – એંજિનિયર જ જોઈએ. (4) મધ્યમ દેખાવનો બીજી રીતે યોગ્ય ઉમેદવાર ન ચાલે, દેખાવડો આકર્ષક વ્યક્તિત્વવાળો રૂપાળો જ જોઈએ.

5. આદર્શ યુવાનો છોકરીઓ સાથે મર્યાદા જાળવી રાખતા હોવાથી પોતાની પસંદગીની કે પ્રેમની વાત અવ્યક્ત જ રાખે છે–છોકરી પહેલની રાહ જોતી હોય ત્યારે પણ અસમંજસમાં રહી સ્પષ્ટ રજૂઆત કરતાં નથી, આથી નિષ્ફળ રહે છે ત્યારે અભણ તોફાની–અવિવેકી અને નફ્ફટ છોકરાઓ કન્યાઓને ફોસલાવી પોતાની લગ્નની ઈચ્છા બતાવી ફસાવી શકે છે અને છોકરીઓ એને પ્રેમ સમજી તૈયાર થાય છે,પછી પસ્તાય છે.


મા-બાપ દ્વારા ગોઠવાયેલ લગ્નોની પ્રથા યોગ્ય છે, પરંતુ તે એકદમ ચોક્કસ કે સંપૂર્ણ (Fullproof) નથી. માણસોને ઓળખવા–પારખવા સહેલા નથી–ત્યારે ભૂલનો અવકાશ હંમેશા રહે જ છે. લાંબા સામના ગાઢ મિત્રોના બાળકો વચ્ચે લગ્ન પણ નિષ્ફળ ગયા છે. તેવી જ રીતે બાળપણથી મિત્રતાવાળા પાત્રોના લગ્ન છ માહિનામાં તૂટતાં મેં જોયા છે. 

આમ, લગ્નની સફળતાની કોઈ ગુરૂચાવી નથી. પરસ્પર અનુકૂળ (Adjustment) અને બાંધછોડ (Compromise) દ્વારા લગ્ન સફળ બનાવી શકાય. ઓછી સહનશક્તિ અને વધારે પડતી અપેક્ષાઓ હાલના છૂટાછેડાના અગત્યના કારણો છે.

વાતનો સાર:

અંતે, લગ્નઉત્સુક આપ સૌને એક છેલ્લી અગત્યની વાત કહેવી છે. સમજશો–વિચારશો એવી નાની અપેક્ષા છે. 

મિત્રો, તમે યોગ્ય જ છો – લગ્ન માટે શક્તિમાન છો ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. લગ્નની આતુરતા જ હોય તો, કુંવારા રહેવાના, લગ્ન સિવાય, લગ્ન બાહ્ય શરીર સંબંધો કે લગ્ન વિના સાથે રહેવાના (Live-in-Relationship) વિચારો ન કરશો.


આપના સંપર્કમાં આવતા આડોશ-પડોશના, મિત્રમંડળના, આવજાવમાં મળતા કે વ્યવસાયના સ્થળે મળતા વિજાતીય પાત્રમાંથી કોઈ એકને પસંદ કરો – સંપર્ક વધારો – મિત્રતા બનાવો અને લગ્નની સહમતી બનાવો. મિત્રો ધારો એટલું ભારી નથી. તમારા લગ્ન આ વર્ષે થવાના જ છે.

મારી શુભેચ્છાઓ – આશીર્વાદ.

ડો. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો,

સાદર વંદન.

બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું.

મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું.

કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ.

1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન આપસર્વનો પ્રેમ, ભાઈચારો અને લાગણીનો હ્રદયસ્પર્શી અનુભવ માટે મને યોગ્ય શબ્દો મળતા નથી. આપ સૌએ મને સાચવ્યો છે.

2. મંત્રિશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ, સહખજાનચીશ્રી અને ક્લબના આધારસ્તંભ ગિરીશભાઈ દેસાઈ, સંગીત વિભાગના અધ્યક્ષ મારા ખાસમિત્ર સુરેન્દ્રભાઈ પારેખ, અશોકભાઈ રાય, અનંતભાઈ દેસાઈ, ગીતાબેન મહેતા અને કલ્પનાબેન વ્યાસ. ૯૩ વર્ષે સક્રિય પ્રમુખ માર્ગદર્શક પ્રો.બી.એચ.પટેલ, શ્રી બચુભાઈ જોશી, શ્રી બાબુભાઇ જોશી, દયાળજીભાઈ–ઈન્દુબેન, મારા બહેન કુસુમબેન ભગત, અરુણા, કૌશિકભાઈ, અવિનાસભાઈ ઉપાધ્યાય ઝવેરભાઈ કેવત, બલરામ છટવાણી, ભગવાનદાસ વટવાણી, કેશવભાઈ અને ઝીણાભાઈ અરુણાબેન વશી, રક્ષાબેન બક્ષી, પ્રિ. કુસુમબેન દેસાઈ - મેં કહ્યું તેમ “આપ સૌ મારુ કાર્યબળ છો – માનસબળ છો.” હા, શ્રીમતી સાવિત્રીબેન વશીનું અનાવિલ જાજરમાન વ્યક્તિત્વ મને હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. છેલ્લા રૂ. 25,000 ઉમેરતા રૂ. 71,000 દાન કોણ આપે? એવા જ બીજા વડીલ સુશિલાબેન નાયક દર વર્ષે તેજસ્વી તરલાઓને ઉપયોગી ભેટો અને પુસ્તકો આપે છે, જે તેમની દરિયાદિલી બતાવે છે.

ઘણા બધા સભ્યોનો આગ્રહ હતો કે, હું પ્રમુખપદે ચાલું રહું. આ તેમનો મારે માટેનો પ્રેમ–આદર અને કાર્યપ્રણાલી માટેની પ્રશંસા દર્શાવે છે. આ માટે આપ સૌનો હું ઋણી છું. પરંતુ મેં મેડિકલ એસો., લાયન્સ ક્લબ, ભારતીય વિચાર મંચ, એલાયન્સ ક્લબ, જેવી ઘણી સંસ્થાઓમાંથી આજ રીતે પ્રમુખ તરીકે સન્માનનિય કાર્યો કરીને યોગ્ય સમયે વિદાય લીધી જ છે. કારણ, પરીવર્તન – Change – અનિવાર્ય અને ફરજિયાત છે.


નવા પ્રમુખો, મંત્રીઓ, કાર્યકર્તા નવા વિચારો – નવા કાર્યક્રમો અને સંસ્થાનો વિકાસ તેમની મનનીય રીતે કરતાં જ હોય છે. અને તે આશાવાદ – ખાત્રી સાથે પ્રમુખપદ છોડું છું. આમ પણ હું તમારી સાથે અને બિલકુલ સક્રિય જ છું. હા, નવા પ્રમુખ અને તેમની ટીમની મર્યાદા અને સન્માન ની ખાસ કાળજી રાખીશ. ચાલો, ઊર્મિલાબેન, સુરેન્દ્ર્ભાઈ, બલરામભાઈ, ડો.ભાવના, પી.એ.પટેલ સાહેબ, અને પ્રો.બી.એચ.પટેલને બિરદાવીએ. 

કુટુંબનો સમય ક્લબને ફાળવવાની છૂટ આપવા પત્નીશ્રી ડો.ભાવનાબેનનો ખાસ ઋણસ્વીકાર કરું છું. મારા સાહસોનું એ પ્રેરણાબળ છે. 

આનંદી – સુખમય ભવિષ્યની પ્રાર્થના સાથે, જય હિંદ. વંદે માતરમ!

ડો. ભરત દેસાઈ
૧૯/૦૩/૨૦૨૩

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605)
જલાલુદ્દીન મુહમ્મદ અકબર 

લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે. 

  • જન્મ: 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે
  • રાજ્યાભિષેક: 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે
  • મૃત્યુ: 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે

63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું.

અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી રાજ્યો તેની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવે. સેનાને પણ હંમેશા યુદ્ધમાં રોકાયેલી રાખવી જોઈએ કારણ યુદ્ધોની તાલીમ વગર સૈનિકો વિલાસી અને પ્રમાદી બને છે.”

ભારતનો ઈતિહાસ (મોગલયુગ 1526–1707) (લેખક : જશુભાઈ બી. પટેલ) દ્વારા 1978માં લગભગ 700+ પાનાંના પુસ્તકમાં અકબરને 220 પાના ફાળવ્યા છે, તેમાંથી સારરૂપે અકબરની છબી મારે ટૂંકાણમાં ઉપસાવવું છે. 

ઇતિહાસના અભ્યાસીએ યુદ્ધોનો ચિતાર તો આપવો જ પડે અને રાજા દ્વારા થયેલા કાર્યોની નોંધ લેવી જ પડે અને પોતાની છાપ–સારાંશ રજૂ કરવું પડે. હું આટલું તો કરીશ જ.

ચારિત્ર્ય અને વ્યક્તિત્વ

અકબર વિષે લેખક કહે છે તે હિન્દુનું એકીકરણ કરનાર મુત્સદ્દી સમ્રાટ હતો. અક્ષરજ્ઞાનની રીતે અભણ હોવા છતાં પ્રભાવશાળી અને રૂઆબદાર હતો. તેને પરિવારપ્રેમી અને આનંદી કહી શકાય, પણ રાણીવાસમાં 500 થી વધારે સ્ત્રીઓ રાખતો હોવાથી વ્યભિચારી અને ભોગવિલાસી તો કહેવો જ પડે.

વહીવટીતંત્ર

રાજ્ય વહીવટ ‘મધ્યસ્થ’ અને ‘પ્રાંતિય’ એમ ભાગ પાડીને કરતો. મધ્યસ્થ અધિકારીઓમાં રાજા, પ્રધાનમંત્રી, દીવાન, મિરબક્ષી, અને કાઝી વિગેરેનો સમાવેશ થતો. પ્રાંતિય વહીવટ જિલ્લા–પરગણા–નગર અને ગામ એમ ઉતરતા ક્રમના એકમો દ્વારા થતો.

ન્યાયતંત્રની દંડ વ્યવસ્થા ચાર વિભાગોમાં હતી. 
  • હદ: કુરાનના નિયમો પ્રમાણે સજા જેવી કે હાથ કે પગ કાપવા, કોરડા કે પથ્થર મારવો અથવા મૃત્યુદંડ કરવો 
  • કિસાસ: બદલાની માંગણી કરાવવી – Retaliation
  • તાજીર: ન્યાયાધીશ પોતાની રીતે નક્કી કરે તે સજા
  • તશહિર: સાર્વજનિક અપમાન કે નિંદાની સજા

અકબરની હિન્દુઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ નીતિ
  • 1563: યાત્રાવેરો નાબુદી 
  • 1564: જજિયાવેરો નાબુદી–ઈસ્લામ ધર્મ સ્વીકારવા ઈનકાર કરનાર હિન્દુ પાસે લેવાતો વેરો
  • 1591: ગૌવધ નિષેધ 
  • 1562: રાજ્યના વિવિધ પદો ઉપર ભેદભાવ વિના હિન્દુઓની નિમણૂંક 
  • ધાર્મિક સ્વતંત્રતા: બળજબરીથી મુસ્લિમ બનાવેલ હિન્દુઓને ફરીથી ધર્માંતરણ કરવાની છૂટ
  • સામાજિક સુધારા: સતીપ્રથા નાબુદી, બાળલગ્ન પ્રતિબંધ વિધવાવિવાહ કરાવ્યા ને ઘરડી સ્ત્રી સાથે યુવાના લગ્ન રોક્યા

સાહિત્ય

  • અકબરનામા પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં
  • ગ્રંથો અનુવાદિત: આઈન – એ – અકબરી – કરાવ્યાં, હિન્દી, સંસ્કૃત, ફારસી, 
  • તારીખે – એ – અલફી – સાહિત્યને પ્રોત્સાહન 
  • તનકાત – એ અકબરી 

સ્થાપત્યો
  • દિલ્હી હુમાયુનો મકબરો
  • અજમેર, આગ્રા, લાહોર, અલાહાબાદ, ખાતે કિલ્લા નિર્માણ
  • ફતેપુરસિક્રી ખાતે વિશાળ કિલ્લો ઉપરાંત 55 મીટર ઊંચાઈનો બુલંદ દરવાજો, જામા મસ્જિદ, શેખ સલિમ ચિષ્ટિનો મકબરો, જોધાબાઈ – મરિયમ શેખ અને સુલતાના મહેલ, હવામહલ, બિરબલની કોઠી જેવા અસંખ્ય નમૂનેદાર બાંધકામો

યુદ્ધો


અકબરે રાજયકાળ દરમિયાન શાંતિથી બેસવા કરતાં યુદ્ધમાં વ્યસ્ત રહી સામ્રાજ્ય વિસ્તાર વધારવાનું જરૂરી માન્યુ હોવાથી 50–60 થી વધારે યુદ્ધો લડ્યો છે. તેમાંથી થોડા યુદ્ધો હાર્યો છે, ઘણી વખત વિજયી થયો છે અને ગભરાટિયા–નમાલા રાજાઓએ વગર યુદ્ધે શરણગતિ સ્વીકારી નાલેશીભરી સંધિ સ્વીકારી છે. દિલ્હી–આગ્રા, મેવાડ, પંજાબ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, કંધહાર, કાબુલ, સિંધ, કશ્મીર,અહમદનગર, જેવા દરેક યુદ્ધોની વિગતો લખીને ફક્ત શૈક્ષણિક (academic – theoretical) ચર્ચા કરવાનું અહીં ટાળ્યું છે. હા, અકબરે વિશાળ સામ્રાજ્ય જહાંગીરને સોંપ્યું હતું, એટલુ જ જાણવું યોગ્ય છે.

દિને – ઈલાહી ધર્મ (1582) 

અકબરની વાત તેના દ્વારા સ્થાપિત ધર્મ દિને-ઈલાહી વિષે વાત ના કરીએ તો અધૂરી લાગે. બધાજ ધર્મો શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, ના સારા તત્વો સમાવીને બનાવેલ નવો ધર્મ ‘સર્વેસ્વર વાદી’ હતો. ધર્મ સ્વીકારનારને અકબર અંગૂઠી જેવી સોનાની વસ્તુનું પ્રતિક ‘શસ્ત’ આપી દિને ઈલાહી ધર્મનો ‘મુરાદ’ (શિષ્ય) બનાવતો અને શરત સ્વીકારનાર ઈશ્વરની સેવામાં આધ્યાત્મિક કાર્ય કરનાર કાર્યકર્તા બનતો.

હકીકતમાં અકબર વ્યક્તિગત જીવનમાં કટ્ટર સુન્ની મુસ્લિમ રહ્યો હતો અને કોઈ પરીવર્તન કર્યું નહોતું. દાખલા તરીકે બનારસનું પ્રાચીન મંદિર તોડી તેણે મસ્જિદ બાંધવી હતી. (1572)


દિને ઈલાહી ધર્મના સિદ્ધાંતો:

  • જીવનમાં ઉદારતા અને દાનશીલતનું પાલન કરવું
  • દુષ્કર્મો કરનારને માફ કરવું
  • દુન્યવી ઇચ્છાઓથી દૂર રહેવું
  • પરલોક માટે શાશ્વત અને પુણ્ય કાર્યો સંચિત કરવા
  • કાર્યના પરિણામો ઉપર ગહન ચિંતન–મનન કરવું
  • ઉત્કૃષ્ટ કાર્યો કરવાની ઈચ્છા રાખવી
  • બધા માટે નમ્ર અવાજ, મૃદુ વ્યવહાર, ઉમદા શબ્દો, અને આનંદદાયક વાણી વાપરો
  • બિરાદરો સાથે સારો વ્યવહાર કરવો
  • પ્રભુ તરફ અભિમુખ થવું. જીવોમાંથી સંપૂર્ણ વિરક્ત થવું
  • એકેશ્વરવાદ માં વિશ્વાસ કરવું. પ્રભુપ્યારમાં આત્મા પરોવવો. પ્રભુ સાથે આત્માનું ઐક્વ સાધવું

હિન્દુ–મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને આ ધર્મ પસંદ ન આવ્યો. વાસ્તવમાં યુગથી બસો વર્ષ આગળ હોવાને કારણે–રાજ્યાશ્રય અને જોરજુલમના અભાવે, રાજ્યવ્યાપી પ્રચારના અભાવે અને ઉદારતાને કારણે આ ધર્મ ફેલાયો નહીં અને નિષ્ફળ રહ્યો.

આમ અકબરને મહાન કહેવું કે નહીં એ વિષયને ઉપરોકત વર્ણન પછી વાચક ઉપર છોડું છું.

ધર્માંધતા–કામુકતા–અપમાનજનક વર્તન અને લૂંટફાટ તો દરેક મુઘલ રાજામાં ટેવો હતી. ભારતની હિન્દુ પ્રજામાંથી ઘણાએ ધર્માંતરણ કર્યું, ઉપરાંત ગુલામી અને જુલમો સહન કર્યા ત્યારે, આપણે ઈતિહાસમાં બોધપાઠ લઈ બળવાન – હિંમતવાન અને નિર્ભય ક્યારે બનીશું?
 



મહાન અકબર? (Akbar the great?)

અકબરના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની છણાવટ બીજી દ્રષ્ટિએ જોઈએ.
  • મહાન: “અકબર શ્રેષ્ઠ” આમ અકબરનો અર્થ જ શ્રેષ્ઠ હોય તો “અકબર The great” કહેવું યોગ્ય નથી. 
  • વારસો: અકબરના પિતૃપક્ષે સાતમી પેઢી એ તૈમુરલંગ અને માતૃપક્ષે ચંગેઝ ખાનના વરસ હતા. સ્વાભાવિક છે અતિક્રૂર, રાક્ષસીપ્રકૃતિના અને વ્યભિચારીના વારસો તેવા જ હોય. અકબરને દારૂ પીવાની અને અફીણ ખાવાની કુટેવો પણ હતી. દારૂ–તાડી અને અફીણનો વ્યસની અકબર મુલાકાત આવનાર સાથે વાતચીત દરમ્યાન ઊંઘી જતો હતો. 
  • અભણ: અકબર અભણ હતો. તેને વાંચતાં – લખતાં આવડતું નહીં, પણ વિદ્વાન હોવાના ડોળ કરતો હતો. 
  • વ્યભિચારી: અકબર વ્યભિચારી હતો તેના હરમમાં 5000 થી વધારે સ્ત્રીઓ હતી. ઉમરાવ અને દરબારીઓની પત્નિઓનું કહેવાતું સન્માન કામુક્વૃતિના ભાગરૂપે હતું. બહેરામખાંની પત્નીને ભોગવવા, બહેરામખાં જેવા વડીલ માર્ગદર્શક નું ખૂન કરીને તેની પત્ની સાથે લગ્ન કર્યું હતું. માંડવખડકના શાસક બાજબહાદુરની પત્ની અને પરિવારની સ્ત્રીઓ મેળવવા કામુક અકબરે 27-04-1561 આક્રમણ કરી હરાવ્યો. રાજા ભગવનદાસના સંબંધી જયમાલને દૂર વિસ્તારની ફરજ સોંપી મારી નાખ્યો અને તેની વિધવા પત્નીનો કબ્જો કર્યો. આમ મહિલાઓ ઉપભોગનું સાધનમાત્ર હતી. ઇન્દ્રિય લોલુપ અકબર યુદ્ધમાં હારેલા રાજાને તેની સ્ત્રીઓ, પત્ની – દીકરી, કે બહેન ને પોતાને સોંપવા ફરજ પાડતો. અકબર પોતાના રાજ્યને જનનખાનું માનતો હતો. આક્રમણ પછી હારેલા રાજાની પત્ની અને બીજી સારી દેખાતી સ્ત્રીઓથી પોતાનું જનનખાનું ભરી દેતો. સંધિ દ્વારા કે બળજબરીથી સ્ત્રીઓને પોતાને આધીન કરતો. જયપુરના રાજા ભારમેલના ત્રણ ભત્રીજાઓને રાજકુમારી આપવાની શરતે છોડ્યા હતા. 
  • ક્રૂરતા: શત્રુ ઉપર ક્રૂરતા પૂર્વક નિર્દયી રીતે પ્રહાર કરનાર 1565 ગ્વાલિયરમાં કાકા કામરાનના પુત્રને અકબરે જાતે મારી નાખ્યો. 1556માં 14 વર્ષના અકબરેપાણીપતના યુદ્ધ પછી અર્ધબેભાન હેમુનું ગર્દન પર તલવારથી ખૂન કર્યું ત્યાર પછી તેના વૃદ્ધપિતા અને કુટુંબીઓની હત્યા કરી ખોપરીનો સ્તંભ બનાવ્યો. મોહમ્મદ મીરક જેવા અંગત માણસને પાંચ દિવસ ભયંકર ત્રાસ આપીને માર્યો. ચિતોરગઢ વિજય બાદ કીલ્લામાં રહેલા લશ્કર અને પ્રજાજનોને નિર્દયી અને ક્રૂર રીતે માર્યા. કત્લેઆમના આદેશને કારણે 30,000 લોકો મરી ગયા. 1572માં  અમદાવાદનાં શાસક મુઝફરશાહને હરાવ્યા બાદ હાથીના પગતળે ચકદિને મરાવ્યા. વિરોધ કરનાર અકબરનો સગો મસુદહુસેન મિર્ઝાની આંખો સોયથી સિવિ દીધી. અમદાવાદ યુદ્ધના 2000 વિદ્રોહીઓને મારીને તેમની ખોપરીનો સ્તૂપ બનાવ્યો. હાથ કાપવાની સજા અને કોરડા મારવાની સજા અવારનવાર કરતો. મૃત્યુદંડ સુળીએ લટકાવીને હાથીના પગતળે દબાવીને કે ગર્દન તલવારથી કાપીનેક્રુરતથી આપતો. 
  • મૂર્તિભંજક: ચિત્તોડમાં એકલિંગજી (રાજપુતોના પિતૃદેવ) મહાદેવની મુર્તિ તોડી અને ત્યાં કુરાન વાંચવાનું આસન બાનવ્યું.
  • ધાર્મિકતાનો દંભ: અકબર પોતાને સર્વોચ્ચ લૌકિક તથા આધ્યાત્મિક સત્તામાનતો હતો. તેથી બીજા કોઈ તરફ સન્માન કે પૂજ્યભાવ બતાવવાનો વિરોધી હતો. “દિને – ઈલાહી” ધર્મની સ્થાપના પોતાની સત્તા બીજા ધર્મો પર અને લોકો પર પ્રદર્શિત કરવાની એકમાત્ર ચાલ હતી. અકબર પોતાને જ અલ્લાહ – ભગવાન માનતો. તેથી ‘અલ્લા–હો–અકબર’ = ઈશ્વર શક્તિમાન છે – બોલવાની મનાઈ ફરમાવી હતી. આવા મિથ્યાભિમાની અને નિરંકુશ અકબર દ્વારા સ્થાપેલાં “દિને – ઈલાહી” બધી રીતે નિષ્ફળ રહ્યો અને પોતાને ભગવાન બનાવવાની યોજના હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ નીવડી.
  • દુકાળ: 1555-56માં દિલ્હી ખાતે અને 1573-74માં ગુજરાત ખાતે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાર પછી રોગચાળો ફેલાયો હતો. માણસો, માણસોને મારીને ખાતા હતા. લોકો પ્રદેશ છોડીને બીજે ભાગતા હતા. અકબર દુકાળમાં મદદરૂપ થયો ન હતો. 
  • ગુલામ: રુસી, અંગ્રેજ સહિત વિભિન્ન રાષ્ટ્રના અસંખ્ય લોકોને પોતાના ગુલામ તરીકે રાખતો હતો.
  • સર્વનાશ: અકબરે પ્રયાગ (અલહાબાદ) અને કાશી (બનારસ) ખાતે આખા શહેરોનો નાશ કરાવ્યો હતો અને એકદમ ઉજ્જડ બનાવ્યા હતા. 
  • વિદ્રોહ: અકબરના વિચિત્ર સ્વભાવથી ત્રાસેલા તેના સગાઓએ જેવા કે, બૈરામખાં, ખાનજમન, આસફ્ખાં (નાણાં મંત્રી), શાહ મન્સૂર તથા મિર્ઝા, ઘૃણા પૂર્વક અકબર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. 

આમ, અકબર સૌથી વધુ તિરસ્કારને લાયક વ્યક્તિ હતો. અકબર મહાન તો કઈ રીતે ન હતો ફકત નિંદનીય, ક્રૂર, પાપી હતો. 

અનુસંધાન: Some Blunders of Indian Historical Research by P N Oak (2010)
અનુવાદ: ‘ભારતીય ઈતિહાસની ભયંકર ભૂલો’ લે. પુરુષોત્તમ નાગેશ ઓક

અકબર વિષયક ઈતિહાસના બે પુસ્તકો વાંચી લખેલા બે લેખો આપની વિચારશીલતા અને સત્ય સમજવાની શક્તિ ઝંઝોળવા માટે છે. કારણ કે ઈતિહાસના અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિ તીક્ષ્ણ રાખવું ફરજિયાત છે. ઈતિહાસલેખકો તદ્દન જુટ્ઠી માહિતીથી કોઈને મહાન–કે– કોઈને નાલાયક ચીતરી શકે છે. 75 વર્ષની આસપાસ ઉમરના વ્યક્તિઓએ પોતે ભારતની આઝાદી, 1962 ચીનનું યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ,1971 બાંગ્લાદેશ વિજય, 1975 કટોકટી, 1985 દિલ્હી શીખ હત્યાઓ, 1992 બાબરી મસ્જિદ, અને 2002 ગોધરા ટ્રેન કાંડ, આ ઈતિહાસ જોયો છે તેઓ ઈતિહાસના સાક્ષી છે ત્યારે આ બાબતે ઈતિહાસના પુસ્તકોમાં જૂઠાણું અને અર્ધ સત્ય વાંચવા છતાં તેઓ મૌન રહે છે અને તેથી વિકૃત ઈતિહાસ સ્થાપિત થઈ રહે છે. 

સમાજનો મોટોભાગ ‘બહુક્ષૃત’ સાંભળનાર બનીને અટકી ગયો છે. અધોગતિને પંથે લઈ જઈ સર્વનાશ કરનાર બળોનો વિરોધ કરતો નથી. અધ્યયનશીલ બની સક્રિય રચનાત્મક પુરૂષાર્થની અપેક્ષા તદ્દન અસ્થાને છે. ત્યારે ઈતિહાસ વિવેચન કે ઈતિહાસ લેખન તો બહુ દૂર ની વાત છે. 


સત્ય સક્રિયતા માંગે છે. 
નહીં તો અકબર મહાન જ છે.


ડો. ભરત દેસાઈ
બીલીમોરા

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન

સ્નેહી-સ્વજનો,
મહાન સૃષ્ટિના સર્જનહાર,
સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા,
ત્રિએક પરમેશ્વર,
બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા,
સ્તુતિની આરાધના કરતાં કરતાં, 
આનંદ અને આનંદ,
ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

અનાદિકાળથી,
સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, 
અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, 
તથા
તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે.

આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. 
આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. 

મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણહારના આશીર્વાદોથી ઊભો થયો-હિંમતથી ઊભો થયો અને સર્વશક્તિમાન જેને મેં જોયો નથી પણ અનુભવ્યા છે તેની કૃપાથી તમારી સમક્ષ ઊભો છું. 

મારા માતા-પિતાની શિખામણ પ્રમાણે બાયબલના જૂના કરાર અને ત્યાર પછી પ્રભુ-ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત નવા કરારને અનુસરી મારૂ જીવન વિતાવી રહ્યો છું. કોઈક તજજ્ઞે લખ્યું છે:

Behind every successful man stands a woman telling him that you are wrong.

મારા જીવનની કોઈ પણ અર્થાત તમામ સફળતાનો યશ મારી સ્વ. માતાશ્રી અને ત્યાર પછી મારી વહાલી પત્ની ડોલીને જાય છે.




આજે મારા પરિવારના વટવૃક્ષને તમામ ક્ષેત્રે પોષણ આપનાર અમારા - મારા અને મારી વહાલી પત્નીના માતા અને પિતા, માસા અને માસી, અમારા તમામ ભાઈઓ અને બહેનો સરકારી પરિવાર અમદાવાદ અને વલસાડના સોલંકી પરીવાર તથા શાહ પરિવાર છે. 

ત્યાર પછી સમયાંતરે વડીલો અને મિત્રો 
- સ્વ. શિવાજી રાવ 
- સ્વ. મધુભાઈ મિસ્ત્રી 
- સ્વ. નાનુભાઈ દેસાઈ 
- સ્વ. પ્રમોદભાઈ પટેલ વગેરે  

વળી વડીલોમાં મુખ્યત્વે સર્વશ્રી કમુબેન લાકડાવાળા અને ડોલીબેન વાસણીયા વગેરે,

તદુપરાંત, તમામ સ્થાનિક, જિલ્લા તથા અમદાવાદની કોર્ટના કેશો દરમિયાન ચટ્ટાનની જેમ-આજે પણ ઊભા રહેનાર વી. વકીલ શ્રી અનિલભાઈ (ક્રિશ્ચિયન) સુરત, શ્રી હલદીવાલા, શ્રી ભાવિનભાઈ તથા શ્રીમતી મારથા હતા, છે, અને રહેશે. 

અને, તમામ ક્ષેત્રે સર્વશ્રી દિલીપભાઈ, દમયંતિબેન, અજીતભાઈ દીક્ષિત, સ્મિતાબેન, ચંદ્ર્ભાન ગુપ્તા, શશિ મિસ્ત્રી, અનિશ મેમન વગેરે...

અને......અને.... વ્યક્તિ વિશેષ ડો. ભાવનાબેન, ડો. ભરતભાઈ દેસાઈ તથા જાલનગર સોસાયટીના પ્રમુખશ્રી હર્ષદભાઈ દેસાઈ તથા અન્ય નામી-અનામી વ્યક્તિઓ તમામ આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત થયા માટે આપ સૌના આભાર....આભાર. 

જય હિન્દ.   જય ભારત.

આભાર દર્શન - પુત્રી શીતલ સોલંકી

મારા પાપા પરિમલ ૮૦ વર્ષ પૂરા ૮૧ વર્ષમાં પ્રવેશે છે તે નિમિત્તે આ આયોજન છે. સૌ પહેલા પિતા પરમેશ્વરને માન, મહિમા અને ગૌરવ મળે માટે મારા મમ્મી ડોલીબેન બાઈબલમાં થી ઈશ્વરના વચનો વાંચશે; જેનો મુખયાંશ છે :

“હું અને મારા ઘરના તો ઈશ્વરની જ સેવા કરીશું, કારણ કે તે પેઢી દર પેઢી અમારો આશ્રય તહયો છે, તે માટે પ્રભુના સ્ત્રોતો ગાવાં તે સારું છે.”

બાઈબલ વાંચન પછી ગીતો/સ્ત્રોત્રો ગાવામાં આવ્યા જેના શબ્દો હતા: 
  1. આશીર્વાદો ઘણા મળે નિત નિત માટે આભાર માનતા ગાઓ હોશથી ગીત, શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી; સાંભળે છે તમને શાંતિમાં સ્થાયી, આશીર્વાદો મળ્યા તમને સાંભળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજયલ બહુ લાગશે, થશે મન ખુશી વગેરે.
  2. ખુશી ખુશી માનવ, ખુશી ખુશી બુલાવ બોલો બોલો સહિયાકિ જય,જય,જય... વેગેરે સંક્ષિપ્તમાં 



દીકરી શીતલ દ્વારા પરિચય

મારા પપ્પા, strict પપ્પા, અમારું ખોટું ચલાવી ન લે. આટલા મોટા થઈ ગયા મારે પણ બાળકો છે તેમનું પણ ખોટું ચલાવી ન લે. પપ્પાનું આ વાક્યને હું હંમેશા યાદ રાખીશ, ને એ છે “દીકરી કોઇનું સારું ન થાય તો ના કરીશ પણ ખરાબ ન કરીશ” આ શિખામણને જીવનભર નિભાવીશ. 

પપ્પાએ તો અમને ભણાવ્યા, મારા બાળકોને પણ ભણાવ્યા. નિર્મલના બાળકોને પણ ભણાવે છે અને ભણાવશે. અને તમે જાણતા હશો કે તમારા બાળકોને કે તમને પણ ગમે ત્યારે ભણવામાં કે ભણાવવામાં સહાયરૂપ થઈ પ્રેરણા આપી હશે : “ચલ દીકરા બરાબર ભણે છે ને, ભણશે તો તું આગળ વધશે કાઇપણ જરૂર પડે તો મને કહેજે.”

અમારા માટે ઘરનું કે બહારનું કોઈપણ કામ હોય, હંમેશા પપ્પા અમારી પાસે જ રહ્યા છે. શિખામણ આપવાની હોય તો પણ મારી અને નિર્મલની સાથે અને અમોને એકલા અટુલા ન પાડવા દઈ અમોને સપોર્ટ કરતાં હતા, કરે છે અને કરતાં રહેશે એની મને ખાત્રી છે.

મારા પપ્પાની નીતિ દૂરંદેશી છે. આ આયોજન, અમે તો થોડુક જ કર્યું છે, બીજું બધે જે જુઓ છો તે પપ્પાએ કર્યું છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું પપ્પાને કહું છું તમરી ઉંમરની હું થઈશ ત્યારે ચાલી શકીશ કે કેમ?

અહીં હાજર બધાં જ તમો જોતાં હશો, મારા પપ્પા બધુજ કામ સરસ અને વ્યવસ્થિત કરે છે. પ્રભુનો આભાર, તેઓ પોતાનું કામ તો કરેજ પણ બીજાને હંમેશા મદદરૂપ થાય છે.

મારી આપ સૌને એક જ વિનંતી કે મારા પપ્પા અને મમ્મીને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને ફરી પપ્પાને આ સમયે જન્મદિનની શુભેચ્છા પાઠવું છું. અને દીકરી બાપને આલિંગન આપે છે.

વ્યક્તિ ૮૦ વર્ષ પુરા કર્યા પછી કેવા વિચારો ધરાવે છે તેનો અરીસો બતાવતો આ લેખ વાંચવાથી ધન્ય ન થવાય તો જ નવાઈ.

ગુજરાત રાજયમાં ધાર્મિક વ્યવહારો

ધર્મ બાબતે સૌ નાગરિકો ખાસ સંવેદનશીલ હોય છે અને પોતાના ધર્મની ગરિમા જળવાય રહે તે માટે ખાસ સક્રિય હોય છે. તેથી પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવા તત્પર અને સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે. એટલે ઈસ્લામ – ખ્રિસ્તી – જરથોસ્તી કે હિન્દુ ધર્મની કોઈ સરખામણી શક્ય નથી. દરેક ધર્મ પોતાની રીતે અને પોતાની માન્યતા મુજબ મહાન છે.

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ગુજરાતમાં બહુમતી ધરાવે છે - ત્યારે તકલીફ સૌ હિન્દુઓની એકતાનો અભાવ છે. ઘણા બધા ભગવાનો શિવ - માતાઓ (અંબિકા, ઉમિયા, ચામુંડા, સરસ્વતી, લક્ષ્મી, વિગેરે) - શ્રી ક્રુષ્ણ - રાધા, શ્રી રામ - સીતા છે. રામાયણ, ચાર વેદો, મહાભારત, ભગવદ્દગીતા જેવા ધર્મગ્રંથો છે. આથી દરેકમાંથી કોઈ એક ભગવાન કે કોઈ એક ધર્મગ્રંથ પ્રત્યે વધારે આસ્થા હોવાથી એકરૂપતા નથી. આ બાબતે સૌએ સાથે મળીને સક્રિય બની એકતા લાવવી અનિવાર્ય છે. આ અશક્ય નથી.

હિન્દુઓ બુદ્ધિશાળી અને વિચારશીલ હોવાથી પોતે ધર્મનો અર્થ સમજી અને પોતાની રીતે ધાર્મિક જીવન જીવવા સક્ષમ હોવા છતાં વિવિધ વિચારશરણી અને આચાર શીખવતા ગુરુઓનું અનુસરણ કરવાની તેમને વધારે ફાવટ છે. એટલે ધર્મગુરૂઓ પોતાનો રસ્તો માનતા ઘણાબધા લોકોને ભેગા કરી વિશિષ્ટ આચરણ-માન્યતાઓ વાળો એક વિશાળ સંપ્રદાય બનાવે છે.

શ્રી રામ શર્મા પ્રેરિત ગાયત્રી પરિવાર, શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજ, શ્રી પાંડુરંગ આઠવલેનો સ્વાધ્યાય પરિવાર, શ્રી શ્રી રવિશંકર દ્વારા ચલાવાતો “આર્ટ ઓફ લિવિંગ” (Art of Living), સત્ય સાંઈ બાબા પરિવાર, શિવબાળા સ્થાપિત પ્રજાપિતા બ્રહમાકુમારી પરિવાર, હરે રામ હરે ક્રુષ્ણ (ISKCON) ઇસ્કોન માર્ગ જેવા અહીં આપેલ અસંખ્ય વિચાર પ્રવાહો ગુજરાતમાં સક્રિય રીતે ચાલે છે.

૧. ગુજરાતમાં વિવિધ ધર્મો:
  1. હિન્દુ ધર્મ: સનાતન ધર્મ (વૈદિક ધર્મ)
    • જૈન: શ્વેતાંબર , દિગંબર , સ્થાનકવાસી , વિસા પંથી , તેરા પંથી
    • બૌદ્ધ ધર્મ : હીનયાન, મહાયાન
    • શીખ ધર્મ
  2. ઈસ્લામ: સુન્ની, શિયા, વહોરા, પિરાણા (હિન્દુ મુસ્લિમ મિશ્ર)
  3. ખ્રિસ્તી ધર્મ: કેથલિક , પ્રોટેસ્ટંટ
  4. જરથોસ્તી ધર્મ
  5. બહાઈ ધર્મ - જગતમાં એકજ ધર્મ છે અને જગતમાં એક જ ઈશ્વર છે.

Photo Courtesy: ndtv.com

૨. હિન્દુ ધર્મના તેંત્રિસ કોટીમાંથી મુખ્ય ભગવાનો:
  • શિવ: 12 જ્યોતિલિંગો - શિવ – પાર્વતિ
  • શક્તિ માતા: અંબિકા, ઉમિયા, ભદ્રકાલી, ખોડિયાર, હરસિદ્ધ, ચામુંડા, સરસ્વતી, કમલા
  • શ્રી રામ-સીતા
  • શ્રી કૃષ્ણ-રાધા

૩. ગુજરાતમાં ચાલતા સંપ્રદાયો:

  • વૈષ્ણવ – શ્રી કૃષ્ણ ભક્ત
  • પુષ્ટિ માર્ગ – શ્રી કૃષ્ણ
  • સ્વામિ નારાયણ સંપ્રદાય
  • રાધા સ્વામી
  • શ્રી રામ શર્મા – ગાયત્રી પરિવાર
  • સંતોષી મા
  • દશા મા
  • સ્માર્ત સંપ્રદાય – શિવ ભક્તિ
  • (નાના-મોટાના ભેદભાવ વગર સૌને પ્રણામ કરતો) શ્રી ક્રુષ્ણ પ્રણામી સંપ્રદાય
  • આર્ટ ઓફ લિવિંગ - શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રંગ અવધૂત પરિવાર
  • કુબેર પંથ - સારસા ઉપરાંત ડેરા મંદિરો
  • રામદેવ પીર - રેણુજા
  • સત્ય સાઈ બાબા
  • આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ઓશો – રજનીશ

  • આનંદમયી મા સંઘ
  • શ્રી અરવિંદ કેન્દ્રો
  • ચિન્મયાનંદ મિશન
  • સદ્વિચાર પરિવાર - સંત પુનિત મહારાજ
  • સ્વાધ્યાય મંડળ - પાંડુરંગ આઠવલે
  • અક્રમ વિજ્ઞાન - દાદા ભગવાન
  • કબીર પંથ - સંત કબીર
  • ISKCON
  • રામકૃષ્ણ મિશન
  • દિવ્યજીવન સંઘ – શિવાનંદ
  • રાધા વલ્લભ સંપ્રદાય
  • ઉદાસી સંપ્રદાય
  • પૂજ્ય મોટાની સંસ્થા
  • શિરડી - સાઈ બાબા
  • બ્રહ્મો સમાજ
  • પ્રજાપિતા બ્રહ્મા કુમારી
  • અહીં આ ધાર્મિક પ્રવુતિની માહિતી આપી ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. પરંતુ આવા માર્ગે જવાથી હિન્દુ એકતા જોખમાય છે એવું લાગે છે. આસ્તિક અને નાસ્તિક વર્ગીકરણ પ્રમાણે આ વર્ગ આસ્તિક જ ગણાય છે - પણ દરેક ફાંટામાં માનનાર વિશાળવર્ગ પોતાની મહાનતા સ્થાપિત કરવાના કારણે કદાચ બીજી વિચારશરણી ધરાવતા વર્ગોથી જુદો પડે છે.

    “વિવિધતામાં એકતા” સૂત્ર ખોટું નથી – છેલ્લે તો આ બધા હિન્દુઓ જ છે એમ કહેવું અર્ધસત્ય છે. શ્રી શ્રી રવિશંકર, શ્રી અરવિંદ, શ્રી રામ શર્મા કે સત્ય સાઈ બાબા જેવા ઘણા બધા વિચારકોના શિષ્યો વેશભૂષા–આચરણ–ધાર્મિક વલણો અને ઉત્સવો જુદી–જુદી રીતે ઉજવે છે. આમ કદાચ ધર્મમાં વિવિધ ફાંટા–ભાગલા પડે છે.

    ભગવાને દરેક મનુષ્યને બુધ્ધિ શક્તિ, વિવેક અને વિચાર સાથે મોકલ્યો છે. ત્યારે પોતાનો જીવનમાર્ગ જાતે જ નક્કી કરી શકાય અને તે માટે ગુરૂ બનાવવું કે ખોટા વિધિવિધાન જરૂરી નથી.

    આ ખોટી ઘેલછા નથી તો શું? શ્રધ્ધાળુઓ, ભક્તો, આસ્તિકોનું ઝૂંડ દલીલ, શંકા, ટીકા, સવાલ વગર, આંખ બંધ કરી, બુધ્ધિ બંધ કરી ગુરૂ જે કહે તે સ્વીકારવા તૈયાર હોય તો ધર્મોના વેપારીઓ ન વધે તો શું?
    રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતા ન જોખમાય એવું કઈ “સર્વસ્વીકાર્ય” ધાર્મિક સરખું (Uniform) વલણ જરૂરી નથી શું?


    ડો. ભરત દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    અનાવિલ સાહિત્ય

    વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે. 

    બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.

    ‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.


    અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
    1. કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭) 
    2. અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦) 
    3. Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ) 
    4. Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા) 
    5. દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ 
    6. સંભારણું – ૧ (૨૦૦૪) 
    7. સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
    8. અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪) 
    9. ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન) 
    10. Anavils (Then, Now and …) 
    11. અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯) 
    12. અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦ 
    13. અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨) 
    14. History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭) 
    અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
    1. વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
    2. વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ 
    3. અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક. 
    4. શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
    5. Anavil Samaj of Canada Directory (2016) 
    6. અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત) 
    7. ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
    8. ‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
    અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર 
    1. મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪) 
    2. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨) 
    3. મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪) 
    4. વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક 
    5. શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮) 
    6. કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક) 
    7. દિલનું સ્મિત – એક સફર 
    8. પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬) 
    9. પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫) 
    10. શ્રી યોગેન્દ્ર 
    11. શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯) 
    12. કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪ 
    13. પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯ 
    14. શહીદ બાપુભાઈ વશી 
    15. કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક 
    16. શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭) 
    17. મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫) 
    18. મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦) 
    19. શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી) 
    20. ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
    21. ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫) 
    22. માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ 
    23. રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬) 
    24. યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ) 
    મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.

    નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.

    ડો. ભરત દેસાઈ 
    બીલીમોરા
    ૨૮/૦૧/૨૩

    Brain Power Sharpeners

    Windy Suzuki (Professor of Neural Science at New York University), 55, did research on the brain and found out that you can grow a bigger and happier brain with meditation and exercise. This neuroplasticity of new brain cells sprouting new connections and new blood vessels feeding more oxygen (fuel) to neurons could be done with food, exercise, focus, sleep care, games, and meditation at any age from childhood to even the elderly. Using advanced brain imaging techniques, researchers found out how wonders are done with the above six factors in improving memory, thinking skills, creativity, and reducing the risk of dementia. Avoid brain toxic agents like reduction in sleep hours, lack of activity, and multitasks. Nutritional Supplements and electrical stimulation of brain training programs are hardly of any help.

    Simple techniques to build a better brain.


    Food 

    Eating the right food and skipping the wrongs increases memory and thinking skills.
    • Right Food: Fruits, plant-based diets – Green leafy vegetables – Salad – Spinach, Grilled fish, Carrot, kale, or Collards
    • Wrong Food: Fried food – Potato chips – burgers – soft drinks – red meat and sausage
    Exercise

    Activeness / Move improves the birth and growth of new brain cells increasing memory and alertness. A daily walk of 7500+ steps is a minimum. Doing housework like shopping, gardening, and walking the dog are worth trying. Sedentary life reduces memory.

    Sleep

    It is the watchman cleaning the brain at night and washing away toxins of overthinking. VIII (eight) hours of sleep is a must. Try to stick to eight hours. Regular sleep schedule with sleep quality. Sleep deprivation leads to a decrease in mental focus, recall, and reaction time. They do not forgive each other. Make eight hours regular sleep schedule.

    Activeness

    Don’t do things you don’t like. Pick something you love. Keep learning about it and doing it. People who keep their minds active have slower declines in memory and thinking.

    Playing old-fashioned games like cards, bingo, and chess several times a week, sharpen memory skills and thinking.

    Arts and crafts such as sewing, woodworking, and painting improve brain power.

    Focus

    Focus counts too. Allow yourself to focus on just one thing and go deep. Multitasking and switching your attention from one thing to another disrupts your memory.

    Meditation and Countdown

    Do yoga daily – sit still, breathe deeply, and do Hatha Yoga – Shavasan & Pranayam.

    Yes, the brain can be built to be stronger without dementia at any age.

    Ref. Article: Build a better brain – by Sari Harrar (Reader’s Digest) 

    Dr. Bharat Desai, Bilimora 
    07-Dec-2022

    તાઓ ધર્મ

    વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ.

    તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે.

    તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે.

    તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો
    • સાદાઈ – Simplicity - Patience and Compassion 
    • અકર્મણ્યતા – Inaction 
    • સંવાદીતા – Harmony 
    • મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું. 
    તાઓ 


    જેને કહી શકાય તે પરમ તાઓ નથી.

    • સામાન્ય બનવું, ખરેખર સાચું અસામાન્યપણું છે-સાધારણપણું છે. 
    • સત્સંગનો અર્થ છે – તેની સાથે હોવું. 
    • સૂર્ય ઊગે છે અને સુંદર છે તો બોલવાનો શું અર્થ ? સૌંદર્ય માટે અનુભૂતિ જરૂરી છે – અભિવ્યક્તિ નહીં. જરૂરી છે – નિર્વિચાર – ની : શબ્દતા – મૌન. 
    • પસંદગી કર્યા વગર – પસંદગી વિહોણા – બની જાવ – અને જિંદગીને વહેવા દો. 
    • વિરોધી હોવાનું સૌંદર્ય. 
    • વિરોધી તત્વો વાસ્તવમાં વિરોધી નથી – પણ પૂરક છે. તેઓ સ્વતંત્ર કે પરતંત્ર નથી – પરસ્પરાવલંબી છે – આમ જીવન ન તો સ્વાવલંબી તેઓ સાથે મળીને સંપૂર્ણતા કરે છે. દા.ત. પ્રેમ-ઘૃણા, અંધકાર-પ્રકાશ, કામ-આરામ, જિંદગી-મૃત્યુ, 
    • લાઓત્સે કહે છે – જો તમે દાવો કરો છો તે દાવો નામંજૂર થઈ શકે – પણ દાવો જ ન કરો તો ? – તે જ રીતે – માંગો નહીં અને મળશે – વિજેતા બનવાની કોશિશ ન કરો, તમને કોઈ હરાવશે નહીં. 
    સહજતા = પ્રબુદ્ધતા એટલે કુદરતી સહજતા, સરળતા અને શૂન્યતા

    • તમે તમારા પ્રત્યે સાચા બનો – તમે તમે જ બની રહો
    • જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે – જિંદગી કોઈ ઉપયોગિતા માટે નથી. જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવી છે – ફૂલ કોઈને ધ્યાનમાં રાખી નથી ખીલ્યું – તે સુવાસ પવન સાથે ફેલાવે છે – સરનામાને ધ્યાનમાં રાખ્યા સિવાય – તે તેનો પોતાનો નિજાનંદ છે – પોતાનું હોવાપણું છે. 
    • તીવ્ર આકાંક્ષાની મૂર્ખામી છોડો – આકાંક્ષા જ અવરોધ છે. 
    • જ્યાં સુધી તમારી અંદર એક ખાલીપણું, એક શૂન્યતા ઊભી ન થાય ત્યાં સુધી તમારી વચ્ચેનો અવરોધ કેવી રીતે દૂર થાય ? જો ખરેખર પ્રેમ કરવા અને મેળવવા માંગતા હોય તો, તમારે અદ્રશ્ય થવું પડશે – જેથી તમારી શુદ્ધ અને તાજી શૂન્યતા બને. પછી ફૂલની જેમ પ્રેમ ખીલી શકે. 
    • મહત્વાકાંક્ષાની કડી પૂર્ણતા થતી નથી – કારણ મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી – તમે એક ઈચ્છા પૂરી કરો ત્યાં બીજી હજારો ઈચ્છાઓ તરત પેદા થાય છે. 
    • જ્યારે તમે તમારા ખાલીપણામાંથી આપતા હો છો ત્યારે તમે આપવાથી ભયભીત થતાં નથી – કારણ ખાલીપણું કદી ખૂટતું નથી – તમે આપ્યે જ જાવ છે. 
    • અસ્તિત્વ સહેતુક અને અર્થસભર છે. 
    • લાઓત્સે અપ્રદુષિત અને શુદ્ધ રહી શકે છે કારણ કે તે સમાધાન કરતો નથી. તેની સમગ્રતા જ રહસ્યમય છે. કારણ કે તે જંગલ જેવો, નિયમો વિનાનો, બિન્દાસ વિકાસતો હશે – એ જ સુંદરતા છે – મહાનતા છે. 
    તાઓના લક્ષણો
    • ધાર્મિક વ્યક્તિ હંમેશ અહીં અને અત્યારે હોય છે. તે વર્તમાનમાં હોય છે. તે સંપૂર્ણતામાં જીવતો હોય છે. 
    • ધર્માચાર્યોએ તમારા ભગવાનને મોટામાં મોટા અત્યાચારી તરીકે ચીતર્યા છે. તે ભગવાન જાણે કે લોકોને નર્કમાં નાખવા ઉકળતા તેલમાં નવડાવવા કે અગ્નિમાં નાખવા નવરો ન હોય ! 
    • તમે મૃત્યુથી એટલા માટે ભયભીત છો, કારણ તમે જિંદગીને સંપૂર્ણતાથી જીવ્યા નથી – ડર ન જીવાયેલી જિંદગી સાથે છે. જ્યારે કોઈ વસ્તુ પૂરેપુરી બને છે ત્યારે તમે તેનાથી મુક્ત થાવ છો – જો જિંદગી ખરેખર જિવાઈ હોય તો કોઈપણ તેનાથી મુક્ત થઈ શકે છે. 
    • ઈશ્વર એટલે ખાલીપો – ખાલીપણું અને શૂન્યતા. તમે ખાલીપણાથી શૂન્ય સાથે જન્મો છો અને તેમાં રહો છો અને ઓગળી જવા છો. ઈશ્વર અગાધ છે, તેની કોઈ સીમા નથી. ખાલીપણા સાથે ફરો – ખાલીપણા સાથે જીવો. 
    • અસ્તિત્વનો સ્વભાવ સ્ત્રી જેવો વધુ છે. 
    • જગત સમયના ભાન વિના જ ચાલે છે. ઘડિયાળો – વૃક્ષો, નદીઓ અને પહાડો માટે નથી. તેમ સમય વિનાનું જગત છે. 
    • અસ્તિત્વને સંઘર્ષની જેમ નહીં પણ આનંદની જેમ જુઓ. અસ્તિત્વને ઉત્સવની જેમ જુઓ અને અનંત ઉજવણી કરો. 
    ચાલો, ઉપરોક્ત માહિતી દ્વારા ‘તાઓ’ ધર્મને જાણીએ. તાઓ ધર્મની આ વાતો હું ફરીથી કહીશ.
    ‘તમારી મિલકત નાની રાખો,
    ઇચ્છાને ગરીબ રહેવા દો.
    વિદ્વાન હોવાનું મિથ્યાભિમાન છોડો.
    પોતાને જીવો – મહાસમર્થ બનો.’
    ડો. ભરત દેસાઈ
    તા. ૦૮-૧૨-૨૦૨૨

    Doctor Patient Relationship

    An individual professionally trained to treat an ill and suffering person (patient) is a doctor. And their natural relationship is a bilateral one.

    When a doctor is sincere, focused, patient, persistent with ethical conduct, a continuous learner, and doing keen observation – it is certain that doctor–patient relationship is the most enduring and satisfying relationship where the doctor learns to hear and see with heart and mind. This healthy and strong relationship will survive forever. (A)

    Doctors and patients are the two sides of the same coin fighting their common enemy: disease. In fact, medicine is not a mere profession, it is a calling, a mission, or perhaps even devotion. (C)

    During sickness, the patient and his entire family look up to only one person after God and that is the doctor. In the old days, when doctors relied more on their clinical skills than on investigation, patients trusted them with full faith. In those old days doctor was a healthcare giver, philosopher, guide, and teacher – a member of the family while considering this complicated doctor–patient relationship we will have to consider the factors related to their relationship.

    Machines: Modern-day medical practice is full of technology bringing modern machines – diagnosing the disease with pathological, radiological, and other aids. They are meant to augment Doctor’s ability to diagnose and not replace them totally. The “S” singularity of machines tries to replace a doctor but that is not possible. (E)

    The corporatization of medical treatment has given all the seriousness under one roof with all the modern medical instruments and highly trained doctors. But sadly it took away the human touch. Compassion became a victim of greed on one side (doctor) and unfulfillable demands of the patient on the other. Ultimately strange bitterness invaded the holy patient-doctor duo. (F)

    Media: Print, electronic and social media also played a hoax. In hunger for sensationalization and increasing viewership, the media failed to paint the true picture: “especially from the doctor’s point of view” leading to doubt and low regard for the humble profession of doctors. (G)

    Google: Huge influence of knowledge given via youtube – Wikipedia – WhatsApp group – made patients think, “they know everything”. They understand the disease and treatment. In fact, details on Google are neither right nor authentic. Patients trust all they read there, putting doctors on backfoot. (H)
    Doctors are not God, but merely an instrument of God. Not everyone can and will be cured. (I)
    Complications are bound to happen in the best of hands with almost care. Doctors should seek another colleague's opinion to seek support and involve as many other doctors as possible.

    Mob Violence: Unending patients’, expectations and politically supported gangs who exploit doctors lead to mob violence. Arrogant, ill-behaved, and threatening relatives do violence leading to physical assault on doctors, damaging hospital premises, and destroying precious instruments. Though few patients are troublemakers, all are not. They make doctors monsters from demigods. Mob violence makes doctors feel timed, gutless, and easily terrified. Doctors become zero from heroes. 75% of doctors in India have faced violence once or more times. (Y)

    Medicine is not mathematics and so no single formula can be applied to one and all. Every patient is different and multiple factors play a role in the end result. But without understanding all these details, a judge with little knowledge of medicine and overcharging exploiting lawyers decides the amount of compensation. With the fear of this law, doctors give defensive treatment, advise detailed investigation and refer the patient to a higher center for treatment.

    So, present day, three requirements are medically trained judges, legal media restrictions, and appropriate remuneration to doctors.

    The remuneration of doctors is always expected to be low telling it to be the profession of human service. Everyone expects discounts when it comes to the payment for health. Medicine is a noble profession, but it is still a business and so doctors need to be paid fairly for their talent. This expectation of low charges, generous, and charity doers can not be satisfied, because expenses for medical education, hospital premises & staff salaries, modern-day costly instruments, and government taxes demand a big amount of money.

    The life of a doctor is worth studying before discussing anything. Doctors never refuse a call from the patient. Sleep deprivation and stress are the killing factors leading to five to six years less life for a doctor than the general public. All are allowed to fail, but doctors do not have that luxury. When complications arise, doctors become sleepless, tense, stressed, and has the feeling of anger, shame, and humiliation. Remember, doctors, too, are human and doctors too are only human. Doctors miss numerous family dinners, birthdays, marriage and even visiting their dying relations. They have no family life and sometimes face failed marital relations leading to divorce. Female doctors have more problems because they have to look after domestic work settings, husbands- children, elderly, and sometimes they have to cook in addition to days work of medical practice.

    So medicine is an art of healing. Doctors can cure the patient with empathy, meaningful conversation, and sometimes with just a reassuring smile. If a doctor can communicate effectively with the patient and his family and take time to explain the disease, its prognoses, limitations of the doctor himself, and probable charges of the bill, the patients are ready to accept even the most.

    Black sheep: However for every failing guilty doctor, thousands are honest, treat countless patients tirelessly and make their life better.

    Similarly, for every inconsiderate patient, thousands are grateful and make the doctor's life journey worthwhile.

    Corruption and greediness are related to society in general and are reflected in both doctors and patients.

    I will summarise the long story short telling a few more things.

    Healing touch: Some doctors have a healing touch that works wonders and transforms the patient’s life.

    Faith: 100% faith is a must. 1% fear with faith means fraud! Faith infuses positive thoughts, expectations, and communication in the patient.

    Law of attraction: Here one says that you can attract whatever you wish.

    Law of acceptance: Death is inevitable. Doctors can only do their best to postpone it. Doctors can treat, but can not decide the outcome (end result).

    Be non-judgemental: Sometimes there is an end of life. It is time for people to go and they do. The doctor must never feel that he can confer immortality to any patient.

    Spirituality is an individual's search for the ultimate meaning of life mixed with humanism, rationalism, and naturalism. It plays a major role in healing. Spiritual dimension showing prayer with great faith in God, chanting mantras repeatedly and meditation do have a great role in healing. Cultivating optimism and positive emotions can counter depression and make healing faster.

    Ralph Waldo Emerson said:
    The purpose of life is not to be happy, it is to be useful, to be compassionate, and to make some difference that “you have lived and lived well.”
    Take home message:
    Despite longanimity of life, eradication of many diseases by vaccines and cure by transplanting vital organs, nobody is going to live a healthy life forever. So doctor’s help in curing physical illness is a must and doctors have voluntarily chosen to be a healer by profession. Thus doctor – patients relationship is compulsory.
    Present-day society: “full of stress, hurry, corruption, infighting and having suspicion all around” has to be accepted as a reality. Few of the doctors and patients may not be honest and well behaved respectively. Both have to rationalize the relationship. Patients should find out a reasonably clever – honest and compassionate doctor around. Afterward, the patient should trust the doctor, have full faith, and tell him the details of illness and addictions. Doctors should be cautious regarding treatment, charges, and their own safety against violence.

     
    Dear People, with Love and Care, Your Doctors
    • Book Title: Dear People, with Love and Care, Your Doctors: Heartfelt Stories about Doctor-Patient Relationship
    • Author: Debraj Shome and Aparna Govil Bhaskar
    • Book Review: by Dr. Bharat Desai, Date: 07-Dec-2022
    • Price: ₹ 389
    • Pages: 298+22
    • Publisher: Bloomsbury, New Delhi (2019)

    On My Brother's Demise - Bhupatrai Desai

    After two days of hospital treatment for high Pneumonia (or Corona?), my brother Bhupat could not be cured and he passed away at the age of 73.

    In our family, we are two brothers and four sisters. Of them, we have a sister three years older than us - Sudhaben, me, and then Bhupat. Then two years younger Mina and ten years younger Alka and Aruna (twins).

    We are twin brothers – I was born two hours earlier than Bhupat. So I was called to be the elder of the two, but he was not in agreement with this. He used to quote religious base making him the elder. Well, he proved it tragically true by making an early exit. 

    News anchors like formal persons may ask me, 'How do you feel?' The straightforward and true answer is “sad and sorry for the loss” - because he was my companion nine months before our birth, being a twin from the womb of our mother. 


    We do weep and tears roll down. It is a natural reaction to a departed brother – but being elderly and even otherwise, we can accept the fact and be normal very soon. So formalities of consolations are hardly needed or say out of question. While showing any gesture, concerned relatives must remember this and avoid being too much formal. The shock wave is created and at the earliest, it is neutralized.

    Bhupat was a higher secondary school teacher in Hindi after his M.A., B.Ed. education. After retirement and even much before that from 1976 onwards, he was a very active devotee and worker of Gayatri Parivar. He is survived by his wife Bharati (alias Hemlata), son Deval, daughter-in-law Shivani, and grandson Devansh. So his family is well-settled in social and financial matters.

    Death 

    We are sure about one thing after birth and that is death. The only problem is we don’t know the time. We do not know for sure how long one is going to live and still, we keep on living in a way as if we are never going to die and live a very long life. We forget about our exit – death and so we go on behaving self-centered and selfishly, even saving (hoarding) all we have. We just do not share our means to help the needy or donate – I have seen people being crude enough and not helping even their close ones. As death is certain, so another certain fact is about leaving everything including one’s own body, own house, and all the possessions like money, land, and other materialistic properties. So can we think of planning to share and donate? Let us think.

    Condolence Meeting (બેસણું)

    It is a fixed time appointment to meet the persons whose family member has passed. Earlier, a few decades ago, it was informed by postcards. Nowadays, newspaper advertisements in one or more newspapers with photos of the departed person is a common practice. The place and time are informed. It can be at home or in a rented community hall. So during this fixed duration of time, the place is arranged with a big photo of one who is no more, and close relatives like parents, sons, daughters, grandchildren, etc. sit in a row in a formal white dress. Visitors are asked to sit in front of them. Visiting relatives/friends first join hands in front of the photo, show respect by offering petals of flowers put there and then meet the relatives sitting in a row. The visitors are plenty, so except for meeting for a minute or so, there is hardly much time for them. After initial formality, they sit in the crowd and chit-chat about everything like political, and social events around or share market. Usually, there is hardly any concern for the demised. For this half-a-minute meeting of showing their concern/presence, people often travel up to 500-800 km distance.
    Condolence is an expression of how sorry you feel for somebody whose relative or close friend has just died.
    Your words can be:
    • My sincerest condolences to you at this time. You have my deepest sympathy and unwavering support. 
    • Wishing you peace, comfort, courage where, and lots of love at this time of sorrow. 
    • My heart goes out to you at this difficult time. 
    So condolence is sympathy and sadness with another in sorrow. Condolence applies chiefly to the formal expression of grief to one who has suffered a loss. Generally, it is said for death in the family.

    Messages of condolence:
    • My heart goes out to you for the loss of your dear one. 
    • I can not imagine the pain and heartache you are feeling. 
    • Losing someone so close is so hard. 
    • Be kind and gentle with yourself in such a testing time. 
    • I recall how much time you spent together. 
    All in all, condolences are an expression of sympathy to someone who is experiencing pain arising from death, misfortune, or deep mental anguish. Condolence is an active conscious support of that person or activity.

    During this condolence, meeting, bhajans by an orchestra or sound system are arranged. In very few places there is a commentary by the compeer about the life of a departed person and even PowerPoint presentation showing their life. Sometimes, it is converted into a meeting with lectures about the departed.

    I want to write my own experiences about condolence meetings.

    It is a formal program showing concern about the deceased and intimacy with the remaining relatives. In reality, because of the big gathering in a short period, the concerned parties cannot spare anytime for one another. It becomes more a 'show business' and less an exchange of emotions.

    In spite of having a mourning mood and sorrowful faces, people make it a social gathering to chitchat with friends and relatives. For organizing individuals it becomes an insult more than anything else.

    The inconvenience caused to visitors of long travel and its expenses, do not justify the purpose.

    Money and Time as a Help

    Nowadays medical treatment is getting so costly, anybody will find the end of their savings. So, politely, but firmly, offer money as a help - as big amount as possible. It is of great help.

    Second, is an offer to do night duty or day duty even for a few hours to stay at the hospital. Relieve your relative for getting fresh and/or doing their job. This offer of time is a must because people do not find a person to relieve them from the hospital duty.

    WhatsApp Messages and Phone Calls

    The message, without even knowing to whom and about whom it is written on WhatsApp, writing "RIP" or "Om Shanti" hardly serves any purpose. Better such formality is avoided.

    I do not appreciate long-duration phone calls, consoling the relative. Sometimes, it irritates me. It’s okay to talk on the phone for physically debilitated persons or persons staying far away - abroad.

    I will summarize the total story in short:
    If the concerned person is close and intimate, visit them immediately and just meet. Your facial expression and mannerisms will suffice to console. Words are hardly necessary.
    - Dr. Bharat M. Desai, Bilimora 
    12-Nov-2022