Skip to main content

વિજયનગરનું સામ્રાજ્ય

હરીહર અને બુકકા નામના બે યાદવવંશી ભાઈઓ વરંગલના રાજા પ્રતાપરુદ્ર કાક્તિયા રાજ્યમાં નોકરી કરતા હતા. 1323 માં મુસલમાનોએ વિનાશ સર્જાતા હૈદરાબાદ રાજ્યમાં રાયચૂર જિલ્લામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું ગુંદીના હિન્દુ રાજ્યમાં પહોંચ્યા- ત્યાં ધીરે ધીરે પ્રધાનો બનવા સુધી પહોંચ્યા-1327 માં સુલતાન મોહમ્મદ તુઘલકે તે જીત્યું ત્યારે, બંનેને કેદી તરીકે દિલ્હી લઈ ગયો.

- દિલ્હીની મહંમદ તુઘલકની જેલમાં તેમણે જોયું કે “બહારથી આવેલ તેમના માલિક થઈ બેઠા છે અને ઘરના મૂળ માલિકોએ તેમની દયા પર જીવવું પડે છે.” ત્યારે હિન્દુઓની આ દશા માંથી મુક્તિ માટે અનેક યોજનાઓ તેમણે વિચારી. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરતા મહમદ તુઘલકે તેમને મુક્ત કરી, ગુંદીના ખંડિયા શાસક તરીકે વહીવટ સોપ્યો.

- ત્યારે તેમને શંકરાચાર્યના સૂંગેરી મઠના અધિપતિ વિધ્વાન સન્યાસી માધવ વિદ્યારણ્ય મળ્યા – પરદેશીઓની ઘુંસરી નીચે છુંદાતા, હડધૂત તથા ક્ષીણ થતા હિન્દુઓ માટે વિદ્યારણ્યે દેશને પરદેશીઓની ઘુંસરીમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપી.

1336 માં વિદ્યારણ્યે બંને ભાઈઓ હરીહર અને બુકકાને ધર્મ પલટો કરવી હિન્દુ ધર્મમાં પાછા લેવાની વિધિ કરાવી. તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે ગૂંદી કિલ્લાની સામે વિજયનગરની સ્થાપનાનો પાયો નાખ્યો. તેનું નિર્માણકાર્ય 1343માં પૂર્ણ થયું. વિજયનગર નામે ઓળખાવ્યું 60 માઈલનો ઘેરાવો ધરાવતું નગર સ્થપાતા નવા શાસકવંશ સંગમ વંશનો હરીહર પ્રથમ સ્થાપક બન્યો. ( 1336- 1357 ) ભાઈ બુકકાને યુવરાજ અને સહસ્થાપક નીમ્યો.

વિજયનગરનું સામ્રાજ્ય –કૃષ્ણદેવ રાય (૧૩૩૬-૧૫૬૭) 
(Vijaynagar Empire)

સંગમવંશ

યાદવવંશનો કોઈ એક સંગમના પુત્રો હોવાથી હરિહર અને બુક્કાએ સ્થાપેલ વંશ-સંગમ વંશ કહેવાયો.

૧. હરિહર પહેલો ૧૩૩૬-૧૩૫૭
રાજ્ય વિસ્તાર વિજયનગર –તુંગભદ્રાની ખીણ- કોકણ-મલબાર.
ઉત્તરે કૃષ્ણાનદીથી દક્ષિણમાં કાવેરી નદી સુધીનો અને પૂર્વ-પશ્ચિમમાં સમુદ્રતટ સુધી.
મિત્રસંઘ: વરંગલના પ્રતાપ રૂદ્રદેવના પુત્ર કૃષ્ણનાયકે દક્ષિણમાંથી મુસલમાનોને હાંકી કાઢવા રચેલ મિત્રસંઘમાં હરિહર જોડાયો હતો (૧૩૪૪)

૨. બુક્ક પહેલો (૧૩૫૭-૧૩૭૭)
તામિલ પ્રદેશ જીત્યો .
બહમની સુલતાન મોહમ્મદ શાહ પહેલાં સાથે લડ્યો અને જીત્યો પછી સંધિ કરી.
મદુરા (માબર) વિજય ૧૩૭૦
પુત્ર કમ્પન ભરયુવાની માં મૃત્યુ પામ્યો
બુક્ક પહેલો: મહાન રાજા –વિજયનગર રાજ્યનો સ્થપતિ, વેદમાર્ગ પ્રતિષ્ઠાપક અને વૈદિક ધર્મનું પુનર્જીવન કરનાર તરીકે ઓળખાયો.

૩. હરિહર બીજો (૧૩૭૭-૧૪૦૪)- મહાધિરાજ-રાજરાજેશ્વર
રાજ્યવિસ્તાર: ગોવા , સપ્તકોકણ (સાત કોકણો)
ગુંડે કેરલ, ત્રિચિનાપલ્લી, કાંચી ઉમેરી વધાર્યો.

૪. વિરુપાક્ષ પહેલો (૧૪૦૪-૫)

૫. બુક્ક બીજો (૧૪૦૫-૬)

૬. દેવરાય પહેલો (૧૪૦૬-૨૨) 
તેણે તુંગભદ્રા નદી પર બંધ બાંધીને નહેરોનું નિર્માણ કર્યું હતું.
સુલતાન તાજુદ્દીન ફિરોઝશાહ સાથે શાંતિ માટે સંધિ કરી. તેમાં કેટલાક પ્રદેશો ઉપરાંત પોતાની રાજકુમારી પરણાવીને અપમાનિત થવું પડ્યું.
લશ્કરમાં ઈરાન –અરબસ્તાનના ઘોડા અને તુર્ક તીરંદાજોની ભરતી કરી.

૭. રામચંદ્ર (૧૪૨૨-થોડા મહિના)

૮. વિજયરાય પહેલો (વીર વિજય) (૧૪૨૨-૧૪૨૬)

૯. દેવરાય બીજો (૧૪૨૬-૧૪૪૬)
ઇન્દ્રનો અવતાર માનવામાં આવતો.
છ લાખ (૬૦૦૦૦૦) તીરંદાજ મુસલમાન ઘોડેસવારોનું લશ્કર ઊભું કરાવ્યું.
મહાન શાસક – એક હજાર લડાયક હાથી અને નૌકાખાતું સાથે –અગિયાર લાખનું સૈન્ય હતું.

૧૦. મલ્લિકાર્જુન (૧૪૪૬-૬૫)

૧૧. વિરુપાક્ષ બીજો (૧૪૬૫-૮૫) સંગમ વંશનો અંતિમ શાસક

સંગમ વંશનો અંત

સાલુવ વંશ

૧૨. વીરનરસિંહ નામનો સાવંત સાલુવ (૧૪૮૬-૯૧)

૧૩. નરસ નાયક સેનાપતિ રાજરક્ષક બન્યો(૧૪૯૧-૧૫૦૫) અને પછીથી શાસક (૧૫૦૫-૯) બન્યો

૧૪. તિમ્મ

૧૫. ઈમ્માડે નરસિંહ (૧૪૯૧-૧૫૦૫) 
અંતિમ શાસક

તુલુવ વંશ

૧૬. સ્થાપક વીરનરસિંહ (૧૫૦૫-૧૫૦૯)

૧૭. કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)- સર્વશ્રેષ્ઠ શાસક

૧૮. અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨)

૧૯. વેંકટ પહેલો (૧૫૪૨)

૨૦. સદાશિવ (૧૫૪૨-૬૭) વિજયનગર સામ્રાજ્યનો અંતિમ શાસક હતો.તેને કઠપુતલી બનાવી પ્રધાનમંત્રી રામરાય સંપૂર્ણ શાસન સંભાળતો હતો. તાલીકોટાનું યુદ્ધ વિજયનગરના શાનદાર સામ્રાજ્યનો અંત લાવનારું ગણાય છે.

કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)
શ્રી કૃષ્ણ દેવરાય 

તુલુવ વંશનો સૌથી શક્તિશાળી- નામાંકિત શાસક હતો.

તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાવથી સંપર્કમાં આવનાર પ્રતિભાથી અંજાઈ જતા.

તેઓ યુદ્ધમેદાનમાં લશ્કરી વ્યૂહ રચનામાં કુશળ –વિશાળ સેનાનું સંચાલન જાતે કરતો.

તેઓ આંધ્રભોજ તરીકે ઓળખતો-કવિ હતા.

બાંધકામ – નવી રાજધાની બનાવવા શ્રી કૃષ્ણદેવરાયે નાગલાપુરનું નવું નગર વિજયનગર નજીક બંધાવ્યું. 
  • દક્ષિણ ભારતમાં સહસ્ત્ર –સ્તંભિ મંડપો, હઝારા રામસ્વામી મંદિર અને રાય-ગોપુરમો બંધાવ્યા. 
  • સામ્રાજ્યની વ્યવસ્થા ધર્મ અનુસાર કરતો. 
  • સામ્રાજ્ય છ પ્રાંતોમાં વિભક્તિ –મોટા થતા એકમો તે –પરુ- સ્થળ –ગ્રામ –નાડું –વેઠે-પ્રાંત તરીકે ઓળખાયા. 
  • ન્યાયતંત્ર –રાજા ન્યાયાધીશોની નિમણુક કરતો અને રાજા પોતે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. 
  • અર્થવ્યવસ્થા- આવકનું સાધન જમીન મહેસુલ. 
જમીન મહેસુલ આવકના છટ્ઠા ભાગ કરતા થોડું વધારે હતું.

ગોચરવેરો ,લગ્નકર, જકાત, ઉદ્યાન, પર અને ઉદ્યોગો પર પણ કર હતા. 
  • સામાજિક જીવન – સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચસ્થાન- રાજમહેલમાં સ્ત્રી હિસાબનીસ, કર્મચારી, અંગરક્ષક પહેલવાન અને જ્યોતિષની નોકરી કરતી હતી. બ્રાહ્મણોનું વહીવટી અને રાજકીય બાબતોમાં વધારે મહત્વ હતું. ધનવાન લોકો બહુપત્ની ધરાવતા –બાળલગ્નો હતા. 
વેશ્યાઓની સંસ્થાનું બાહુલ્ય હતું- સતીપ્રથા અમલમાં હતી.

વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયને ૧૨૦૦૦ પત્ની હતી. જેમાં ૩૦૦૦ સતી થવા તૈયાર હતી – “નિકોલો કોન્ટી”.

વિજયનગર શહેર પહાડોની ટોચે સાત કોટોથી સુરક્ષિત હતું. 
  • ચાંદી, તાંબુ, અને સોનાના સિક્કા પ્રચિલત હતા.
  • વિજયનગર દુનિયાનું સૌથી સાધન સંપન્ન નગર ગણાતું. 
  • (ઈરાનનો એલચી અબ્દુલરઝાક) એક જ ધંધાના લોકો એક જ લત્તામાં વસે છે. 
  • વેપાર- જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે સિલોનના મોતી, ચીનનું રેશમ, મલબારના દેશી હીરા, પેગુ, કપૂર, કસ્તુરી, પીપર અને સુખડનો રક્તપારદનો ધિકતો વેપાર હતો 

કલા સંસ્કૃતિ: વેદોના મહાન ભાષ્યવેત્તા સાયણ અને વિદ્યારણ્ય સંગીત, નૃત્યકળા, ઈતિહાસ, આકાશ વિજ્ઞાન, નાટક, વ્યાકરણ, હેતુવિદ્યા અને દર્શનના વિષયોના ગ્રંથો હતા અને ભણાવાતા હતા. સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ વિજયનગરમાં “હઝારા રામસ્વામી મંદિર” હતું.

ચાર ભાષાઓ સંસ્કૃત, તેલુગુ, તામિલ અને કન્નડા ભાષાના વિદ્વાનો હતા અને ભાષાનું સાહિત્ય રચાયું હતું.

કૃષ્ણ દેવરાયના દરબારમાં આઠ પ્રસિદ્ધ વિદ્યાનો હતા –તે “અષ્ટ દિગ્ગજ” તરીકે ઓળખાતા.

રાજ્યનો વિસ્તાર: લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત 
  • કર્ણાટક, તેલંગાણા(થોડો ભાગ), આંધ્રપ્રદેશ, તામિલનાડુ ,કેરાલા, ગોવા, મહારાષ્ટ્ર(થોડો ભાગ) 
  • ઉમ્મતુર (દક્ષિણ માયસોર) 
  • ઓરિસ્સા- ઉદય ગિરિનાર કિલ્લો 
  • ઓરિસ્સા –કોંડવીડું કિલ્લો 
  • કોંડપલ્લીદુર્ગ 
  • બીજાપુર –રાયચુરનો કિલ્લો

પશ્ચિમમાં કોકણ સુધી –પૂર્વમાં વિશાખાપટ્ટનમ સુધી, દક્ષિણમાં કન્યાકુમારી સુધી ઉપરાંત હિંદ મહાસાગર કેટલાક ટાપુઓ લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત –કારણ કે બંગાળથી-મલબાર અને સરદ્વીપથી ગુલબર્ગનો સંપૂર્ણ વિસ્તારનો રાજ્યમાં સમાવેશ હતો.

દક્ષિણ ભારતને એકતાંતણે બાંધી હિંદુ રાજ્ય ફેલાવનાર આવા મહાન રાજા કૃષ્ણ દેવરાયની ભવ્યતા જાણ્યા પછી એટલા પ્રભાવશાળી નહી અને નિર્બળ રાજા વારસદારો ની વિગતો વાચકોને હતાશ કરશે –પણ ઈતિહાસ તો હકીકતોનું વર્ણન છે –તેમાં લાગણીશીલ થવું ન પાલવે. ચાર મુસ્લિમ રાજાઓ એક થઇ એક વિજયનગરનું પતન કરી શકતા હોય તો, ચાર હિંદુ રાજાઓ હુંસાતુંસી, અભિમાન અને વિસ્તારવાદથી ઉપર આવી એકતા કેમ ન કરી શક્યા? ઉલટું આપણામાંથી અમુકે તો તેમનો સહકાર લીધો, તેમને આમંત્રણ આપી મિત્રોને હરાવ્યા- તો પછી ગુલામી-પતન- ધર્મપરિવર્તન અને અપમાન સિવાય બીજું શું બચે? સલ્તનત –મોગલ સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ આપણી બુદ્ધિહીનતાનું પરિણામ નથી શું? 



વિજયનગરનો અસ્ત

ઈ.સ. ૧૫૬૫ માં ચાર મુસ્લિમ સુલતાનો વિજયનગર સામ્રાજ્ય સામે લડવા એક થયા. 
  1. બીજાપુર –આદિલ ખાન (તુર્ક) =આદિલ શાહી વંશ 
  2. અહમદનગર –નિઝામશાહી વંશ 
  3. ગોવલકોંડા- કુત્બશાહ(તુર્ક)= કુત્બશાહી વંશ 
  4. બીડર –મોહમ્મદશાહ કાસિમ બરીદ (તુર્ક ગુલામ)=બરીદશાહી વંશ 

કૃષ્ણા નદીની ઉત્તરે આવેલ તાલિકોટા પાસે રાક્ષસી તંગડી ખાતે યુદ્ધ થયું – કૃષ્ણ દેવરાયના મૃત્યુ (૧૫૨૯) પછી બિનઆવડતવાળા રાજા અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨) 

વેંકટ પહેલો (૧૫૪૨) અને સદાશિવરાય (૧૫૪૨-૬૭) ગાદીએ આવ્યા.

તેનો લાભ લેવા ચાર મુસ્લિમ રાજાઓ એક થયા –ભયંકર યુદ્ધમાં જીત મેળવી – પ્રધાનમંત્રી રામરાયે વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો –પરંતુ અહમદનગરના સુલતાને તેની કતલ કરી. 
  1. એ યુદ્ધમાં ૧૦૦૦૦૦ (એક લાખ) હિન્દુઓ મરાયા. 
  2. વિજયનગરની અઢળક સંપત્તિ લુંટાઈ ગઈ. 

વૈભવશાળી નગરનો એકાએક સદંતર વિનાશ થયો –અને દક્ષિણમાં હિન્દુ સામ્રાજ્યનો મૃત્યુઘંટ વાગ્યો –જીતેલા મુસ્લિમો અંદરોઅંદર ઝગડવા લાગ્યા અને મોગલ સલ્તનત નો ભોગ બન્યા. 

બસો સવા બસો વર્ષના વિજયનગરનો ઈતિહાસ આપણને આપણી શક્તિનો નમુનો આપે છે અને છેલ્લે નિર્માલ્યતા કેવી પડતી લાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ ગુલામી આપણને ખૂબ ફાવે છે શું? 

જય હિંદ! 

ડૉ. ભરત દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૩/૦૬/૨૩  

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.