Prime Minister Visits Saputara

Prime Minister Narendra Modi is fond of touring all around India and the world. Now, when a VVIP of his stature visits a place, security personnel don't allow others to be around. The place would become deserted and reserved for him only. So was the case when we - Dr Vijaybhai Desai, his wife Minaben, my wife Dr Bhavana, and I - visited Saputara last weekend on 19-21 March 2021. The whole place was appearing reserved for us - because almost all the hotels, restaurants, and tourist sightseeing places were empty, without many people around, making us experience a VIP status - something rare to find.

Family Reunion 2021

My daughter-in-law Shivani has seen many family get-togethers during the last decade at her paternal home town - Dungri. So she wanted a similar gathering with the family in Bilimora. We four i.e. Bhavana, Vaishali, Rahul, and I were reluctant to hold one without any cause. Ultimately, we thought of trying this at least once, and so we decided to hold our Sharada Mohan family's first "Family Reunion" on 24-25 January 2021, Sunday-Monday.

A family is a unit of people formed naturally by brothers and sisters of the same parents. A family can be extended by adding uncles and aunts (Kaka, Fui, Mama, Masi) with their offspring. Thus, a family comprises the people who love and support the members in good and bad times.

We tried to meet for two days and one night thinking it would be enough time - neither too short nor dragged. Yes,  we were happy and enjoyed ourselves all the while.

To finalise the venue, we initially Anaval Shukleshwar Dham and Saidham, Majigam. The cleanliness and furnishing of the rooms, the interiors, and the area outside at Saidham appealed to us. We just booked the rooms and started searching for the caterer. Maheshbhai Raval, chairman of the Saidham suggested Umesh from Gandevi. We finalised the menu with the timetable and ordered it accordingly. We invited all the members to confirm their presence and all replied accordingly.


For reasons unknown to us, our bond of family was not strong enough and emotional attachment was appearing weak. But to our pleasant surprise, we were found wrong. In two days, togetherness melts all the ice of wrong prejudices and misbeliefs. 

Get set and go! 

On Sunday morning, nearly all gathered at the venue before 10:00. They had a long journey of 390 km from Pune, 350 km from Ahmedabad, and 200 km from Mumbai to reach the venue.

We thought we would play, chat, eat, and enjoy all the available time. To our pleasure, the same could be done! Our family comprises the elderly averaging mid-60s, the young generation at 40s and children around 5-10 years of age. The youngest being at 5 and the eldest at 76! All of them mixed together to play the games like cricket, saat thikari (સાત ઠીંકરી), badminton, housie, musical chair, pass-the-ball game. I will say - 'seeing is believing'! Because the words can not describe the details and experience. During the game of cricket, a lady at 70 was running fast to take the runs! Everybody wanted to win the housie game. So not getting the required numbers and desired result was making them unhappy, even angry and very chirpy. It got loud in the calm late night in the temple campus. But that only reenergised everyone to play for longer.

While playing saat thikari, cracking down the seven stones piled up and then getting the members of the opposite team out was never easy. All were excited and enjoying. Same with the musical chair and pass-the-ball games! The challenging games brought out the competitive spirit in all.


Food: The arranged meals such that at regular two hours' intervals some food was served. Breakfasts, three Gujarati Thalis, and a non-stop serving of tea-coffee made the show. The menu was of Anavil taste including walnut halva (અખરોટનો હલવો), shrikhand (શ્રીખંડ), and jalebi (જલેબી) as sweets; Jalaram sev-khaman (સેવ ખમણ), upama (ઉપમા), undhiyu (ઉંધીયું), banana-methi pakoda (કેળા-મેથીના પકોડા), batata-vada (બટાકા વડા) as farsaan (ફરસાણ) with two vegetables and rice-daal to complete the menu. All loved moong shaak (મગનું શાક) and hot fried puris (પુરી) for the breakfast on the last morning. The concluding event was high tea! Tea-coffee with biscuits and home-made chocolates Vaishali had prepared.


We had a nice jogging track of about a kilometre to walk around the pond full of greenery with lotus flowers all around. Most of us went for a walk there with ones' own group and enjoyed the sunrise and/or sunset as a bonus! Only lucky people get a chance of long walks in nature these days.


 The meeting - getting together - is itself a great pleasure. Just imagine a family gathering without any agenda and just with the desire to be with one another. 

We could realise that being together itself creates great emotions of love, respect and brotherhood.  Just talking without subject and making a presence at the sight gives a sense of well-being, happiness and satisfaction. 

At the end of the day, we have learnt to keep meeting again and again. Our craving to be together again at the earliest has begun!


--Map directions to Sai Dham, Majigam

ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.
  

Indian Customs And Traditions

If someone dared to ask you a simple question - "Do you follow Indian customs and traditions?" Most of the time the response would be negative. Because of being impressed by (and obsessed with) the Western styles and traditions seen during the British rule and afterwards, we follow them blindly and ultimately start ignoring our rich traditions. Many of us even feel shy to observe them. We have not bothered to understand our Indian culture at all. Our traditions have a scientific, logical, historical, social, and spiritual significance.

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે.

હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે.

કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે.

કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞાન (રૂહાની), ખગોળશાસ્ત્ર અને આધ્યાત્માનો સંપૂર્ણ સમન્વય છે. કુરાન હઝરત મુહમ્મદની હયાતીમાં જ લખાય ચૂક્યું છે અને ત્યારબાદ લગાતાર પાબંદીથી સંપૂર્ણ અમાનતદારી સાથે સુરક્ષિત કરવામાં આવ્યું છે. તેથી તેની ભરોસાપાત્રતા વિષે બિલકુલ લેશમાત્ર શંકા નથી. કુરાનને ખુદાઈ સંદેશ વહી જ સમજવામાં આવે.

અહી આપેલ વિચારો “પવિત્ર કુરશ સારાંશ” પુસ્તકમાંથી લીધેલા છે અને તે પુસ્તકમાં જે પાને આ માહિતી છે તે કૌસમાં આપેલ આંકડા દ્વારા નોંધાવ્યું છે- તે ખાસ જાણખાતર નોંધ.

કુરાનના વિષયો ચાર વિષયો માં વહેંચેલા છે.


૧.      અકાઈદ = માન્યતાઓ
  • ૧) તોહીદ = એકેશ્વરવાદ
  • ૨) રિસાલત = મે.પેગમ્બરની વાતમાં વિશ્વાસ અને મે. પેગમ્બરમાં સંપૂર્ણ વિશ્વાસ.
  • ૩) આખિરત = મરણ પછી મળતા જન્નત/જહન્નમ પરલૌકિક જીવનનો વિચાર સદ્કાર્યો કર્યા હશે તો જન્નતમાં કાયમી રહેવાશે અને બુરા કર્મો કર્યા હશે તો નર્ક (જહન્નમ) ની આગમાં હંમેશા બળતો રહેશે.

૨.      અહકામ = હુકમો


જીવનમાં બધાજ ક્ષેત્રોને લગતા હુકમો કરવાના કર્મો અને ન કરવાના કર્મોની માહિતી.
  • ૧) ઈબાદતો (ઉપાસના) = અલ્લાહપાક સંબંધી નિયમો-હુકમો : નમાઝ, રોઝા, ઝકાત, હજ અને કુરબાનીની માહિતી.
  • ૨) હક્કો = વ્યવહાર સંબંધિત = વેપાર વાણિજ્ય, ન્યાયાલય, સાક્ષીઓ, અમાનત, ગીરો, વસિયત, અને વારસાની વહેંચણી તથા ખાવા-પીવાની વસ્તુઓનો વપરાશ.
  • ૩) ઈબાદતો અને વ્યવહારના ભેગા કરેલા કાયદા = નિકાહ, તલાક, સજાઓ, સોગંદ અને ભાગીદારી.

૩.      કિસ્સાઓ = આ વિષય કિસ્સાઓ અને બનાવોનું વર્ણન છે.

  • ૧) ભૂતકાળ સંબંધિત કિસ્સાઓ અને
  • ૨) ભવિષ્ય સંબંધિત કિસ્સાઓ
અહી ઈબ્રત = બોધ, તાલીમ (શિક્ષા), નસીહત, ધર્મપ્રચાર (દાવત), અડગતા (સબ્ર), સાથે ઇલમ (જ્ઞાન), સમજદારી અને ડાહ્યપણ ને લાગતું ફરમાબરદાર – આજ્ઞાંકિત.


૪.     ઉદારહણો = દાખલાઓ

લોકો વાતને જલ્દીથી સારી રીતે સમજી શકે અને વાત બુદ્ધિમાં જલ્દીથી આવી જાય. ૧૯ જાતના વિવિધ વિષયોના ઉદાહરણો આપ્યાં છે.
  • કુરાન શરીફનો બુનિયાદી હેતુ માનવઘડતર – સુધારણા અને એક અલ્લાહપાકની સાથે સંબંધો મજબૂત બનાવી તેના દરેક હુકમોનું પાલન કરવાનો છે. તે ઉચ્ચ સંસ્કાર, સદભાવ, આત્મશુદ્ધિ, અને શિષ્ટાચાર શીખવે છે.
  • કુરાન આખિરતની માન્યતાનું પુનરાવર્તન કરી અલ્લાહપાકના ખોફ અને ડરનું વર્ણન કરી દુર્ગુણો, દુષ્કાર્યો અને ગુનાહિત પ્રવૃત્તિ થી રોકે છે.

કરવાના કામો

  • બોલચાલ - ઉઠવા બેસવામાં વિનમ્રતા અને સદ્દવર્તાવ
  • બેકાર અને વ્યર્થ વાતોથી દૂર રહેવું
  • અભણ અને ઉજ્જડ લોકો સાથે નરમી
  • અમાનતદારી અને વાયદાઓનું પાલન
  • મુલાકાતમાં પ્રથમ સલામ કરવું
  • કંજુસાઈ અને ખોટા ખર્ચા બન્ને વચ્ચેની ભેદરેખા સમજી ખર્ચ કરવું
  • સ્ત્રીઓ પર વ્યાભિચારનો આક્ષેપથી દૂર રહેવું
  • બળાત્કાર, નગ્નતા અને અષ્લિલતાથી દૂર
  • પોતાની આંખ અને ગુપ્તાંગોની હિફાઝત
  • જૂઠી સાક્ષી ન આપે
  • સ્ત્રી, બાળકો, સગાસંબંધી, જેની જવાબદારી હોય તેના સંસ્કાર પર ધ્યાન
  • સફાઈનો ખ્યાલ - ગંદકી અને અસ્વચ્છતા થી દૂર
  • ભૂખ્યા - તરસ્યા મુસાફિર - મહેમાનોની કાળજી, ન્યાત-જાતના કે ધર્મના ભેદભાવ વગર
  • હસતાં આવજો ધીમેથી વાત કરવું

કોઈના ઘરમાં પ્રવેશવાના નિયમો

  • ખાવા-પીવાની વસ્તુમાં હલાલ-હરામ ના ખ્યાલ
  • બેકારી ને બિલકુલ પસંદ ન કરવી
  • ગ્રાહક સાથે નરમીનો વ્યવહાર
  • ગરીબ-જરૂરિયાતમંદની જરૂરત પૂરી કરવી
  • સુલેહ-શાંતિ રાખવી ફિત્ના કે ઝગડા થી દૂર રહેવું
  • નોકરોના હક્કોનું રક્ષણ
  • સમસ્ત માનવજગતને સારા આદેશોનું શિક્ષણ
  • સન્યાસી જીવનને ઇસ્લામ પ્રોત્સાહન નથી આપતું

ન કરવાના કામો - ૬૩

  • અપશબ્દો
  • ગોબિત = કોઈની પીઠ પાછળ બુરાઈ કરવું, જાસૂસી ગાળો ભાંડવી, ગુસ્સો કરવો લાલચ રાખવી, ધોકાબાજી, ષડયંત્ર રચી લોકોને છેતરવા, ઓટલા કે ચોરા પર બેસી બેકાર-વ્યર્થ બકવાસ અને ગપ્પાં મારવાની સખ્ત મનાઈ છે.
  • પત્થર દિલ હોવું
  • કરણી - કથનીમાં વિરોધાભાસ હોવું
  • ગફલત, સુસ્તી, આળસ કરી રોઝી-રોટી કમાવવાના પ્રયત્નો ન કરવા
  • સજાતીય સંબંધો બાંધવા
  • પોતા માટે સારી અને બીજા માટે ખરાબ વસ્તુ પસંદ કરવું
  • આતંક, ફસાદ, લૂંટફાટ, ઝૂલ્મ કે ભયભીત કરનાર વાતાવરણ સર્જવું
  • લોકોમાં વાહ-વાહ માટે કામ કરવું
  • લોકો ને તુચ્છ સમજવા
  • અપશુકન કે જ્યોતિષશાસ્ત્ર ને માનવું
  • જરૂરત વગર ફોટા પાડવા-પડાવવા
  • વ્યાજુ વ્યવહાર કરવો
  • ચોરી-ભ્રષ્ટાચાર કરવું
  • ગેરલાયક વ્યક્તિને મત આપવો
  • ગરીબોની મદદ કરી ઉપકાર જતાવવો
  • અફવાઓ ફેલાવવી
  • જાદુ મારફતે કોઈને સતાવવું
  • દ્વિમુખી વાતો કરી ઝગડો કરાવવું
  • જ્ઞાન અને શિક્ષણની વાત છુપાવવું
  • ખોટી રીતે ધર્મના નામે પૈસા પડાવવું
  • સ્વ્વર, મડદા, લોહી, તથા દારૂ વગેરે નશા અને કેફી દ્રવ્યો વેચવું

સામાજિક બાબતો –
૬૫
  • સ્ત્રીના હક્કો
  • નિકાહમાં સ્ત્રીની પસંદ અને રજામંદીનો ખ્યાલ રાખવું
  • જબરજસ્તી કરાવવામાં આવેલ નિકાહ રદ કરવાનો સ્ત્રીનો અધિકાર
  • ઓલાદની સાર-સંભાર, સારા સંસ્કાર, સારું જ્ઞાન, અને શિક્ષણ આપવું
  • વારસાઈમાં સ્ત્રીઓના હક્કો આપવાની તાકીદ
  • સ્ત્રીની મહેર આપવામાં ખોટો વિલંબ ન કરવું
  • સગા-સંબંધીઓ સમગ્ર મખ્લુક સાથે સદ્દ્વર્તાવ
  • કામના સમયે કોઈના ઘરે ન જવું- જતાં પહેલાં પરવાનગી લેવી
  • માનવીની કદર-મહત્વતા, ભાઈચારો, બંધુત્વનો અમલ કરવું
  • શત્રુ સાથે ન્યાય, દરગુજર, માફી, રહેમ, સુલેહ, સમાધાન, વગેરે બાબતમાં આગળ પડતો ભાગ ભજવવું.
  • સારા કૃત્યોમાં મદદ કરવું, ખરાબ કૃત્યોથી દૂર ભાગવું
  • પાડોશી કાયમના હોય કે સફરમાં, સદ્દવર્તાવની તાકીદ
  • દરગુઝર એટલે ભૂલથી પણ ગુનેહગાર સમક્ષ તેના આગલા ગુનાહનું વર્ણન ન કરવું
  • રસ્તામાં આવતા-જતાં નજરો નીચી રાખવું
  • પારકી સ્ત્રીઓને માં-બહેન સમજી તેમની સાથે વર્તન કરવું
  • અન્ય ધર્મીઓ પ્રત્યે આદર-માન રાખવું

જાનવરોના હક્કો – ૬૭

  • તેમનાંથી તાકાત પ્રમાણે કામલેવું
  • ખાવા પીવામાં ભૂખ્યા ન રાખવા
  • પક્ષીઓના બચ્ચઓને તેમનાથી અલગ ન કરવા
  • ઝુબહ (વધ) કરવામાં ઓછામાં ઓછી તકલીફ આપવું
  • મૂંગા જાનવરોને ખવડાવવા-પીવડાવવામાં સ્વર્ગ અને ભૂખ્યા રાખવામાં નર્કની સજા મળે છે

નિકાહ. ૯૮-૧૪૮

નિકાહ એટલે ઈસ્લામમાં લગ્નવિધિ જેમાં બન્નેની સંમતિ હોય અને તેનું લખાણ કરી સહી કરવામાં આવે છે.
  • મજબૂત બંધન-જાણે કે કોઈ સાંકળ હોય
  • મુહબ્બતનું નીમિત્ત.
  • મજબૂત કરાર
  • એક બીજા ના વસ્ત્ર- સ્ત્રી પુરુષ એકબીજાના વસ્ત્રો છે. જેમ વસ્ત્રો માણસના ગુપ્ત અંગો ઢાંકી દે છે, તેમ મિયાંબીબી એકબીજાની ગુપ્ત બાબતો ઢાંકી દે છે-જેથી બન્નેને સુરક્ષા અને સુંદરતા મળે છે.
  • લગ્નની વિધિ વખતે વર-વધુના વાલીઓ અને કન્યા લગ્નના કાગળ ઉપર સહી કરે છે.

પતિ-પત્ની દરમ્યાન શાંતિથી જીવવા માટે સમાધાન - ૧૫૨

  • પત્નીને પતિ તરફથી કજિયા-કંકાસ- બેપરવાઈનો ડર હોય તો, સુલેહ કરવી જ બહેતર છે.
  • એકથી વધુ પત્ની હોય તો, તમે એક તરફ એવા ઢળી ન જાઓ કે એક પત્નીને અદ્ધર લટકતી છોડી મૂકો. અહી પણ સમયસર સમાધાન કરી લો. તેની પર ઝૂલ્મ ન કરો.
  • અલ્લાહપાકે પુરૂષને સ્ત્રી ઉપર સ્વાભાવિક શ્રેષ્ઠતા આપી છે.
  • પુરૂષ સ્ત્રીઓ પરનો સરદાર છે. તે સ્ત્રીઓ માટે પોતાનો માલ ખર્ચ કરે છે.

સ્ત્રી પુરૂષ સંબંધો અને તલાક - ૧૪૮

જો સ્ત્રીની નાફરમાની કે ગેરવર્તન હોય તો,
  • ૧) પુરૂષે તેણીઓને નરમીથી સમજાવવી.
  • ૨) ન માને તો, બિછાનાથી જુદી કરી દો.
  • ૩) છતાં ન માને ત્યારે સહેજ મારો પછી જો માની જાય તો તેની સતામણી ન કરો.
  • ૪) અણબનાવ ચાલુ રહે તો, એક લાયક લવાદ પતિ ના કુટુંબ તરફથી અને એક લવાદ પત્નીના કુટુંબ તરફથી નક્કી કરો. બન્ને લવાદ અંત: કરણપૂર્વક સુલેહ કરાવવા ચાહશો, નહીં તો છેલ્લે તલાક કરો.

તલાક -
૯૮
  • અલ્લાહતાલાની નજરમાં સૌથી વધારે નાપસંદ ચીજ છે.
  • દાંપત્ય જીવનમાં મુશ્કેલી હોય, મેળ પડવાની કોઈ ગુંજાઈશ બચી ન હોય તો લગ્નજીવનને વેંઢારવાનો આગ્રહ રાખવો નહીં.
  • અનિવાર્ય સંજોગોમાં જ ઈસ્લામે તલાકની છૂટ આપી છે. તેથી છૂટને અનિવાર્ય સંજોગોમાં જ વાપરવું.
  • સ્ત્રીઓમાં વ્યાપકપણે જોવાતી સ્વાભાવિક ખામીઓ અને નિર્બળતાને કારણે તલાક આપવી ન જોઈએ, ટૂંકી દ્રષ્ટિ છોડી ખામીઓ છોડીને બીવીઓની ખૂબી જોવાની ક્ષમતા કેળવવી જોઈએ.
  • શૌહર (કવ્વામ) = જવાબદાર છે. તેથી બીવી સાથે સમજદારીથી કામ લેવું જોઈએ. સ્ત્રીઓ સાથે ભલાઈ પૂર્વક સદ્દવર્તન કરો.

તલાકની અસરો

  • ૧) બાળકોની સાર-સંભાળની સમસ્યા
  • ૨) બન્ને-મિયાબીબીને-માનસિક ત્રાસ
  • ૩) બીવી માટે રોજી-રોટીની સમસ્યા
  • ૪) સ્ત્રીનું બીજું લગ્ન સરળ નથી.
  • તલાક આપતાં પહેલાં કે નિર્ણય કરતાં પહેલાં સમાધાનની એક કોશિશ કેટલાક મોભાદાર વ્યક્તિઓને વચ્ચે રાખી જરૂર કરવી જોઈએ.
  • તલાકે બિદ્દઅત : ત્રણ તલાક – પતિ ગુસ્સામાં આવીને ત્રણ વખત બોલી દે છે તલાક, તલાક, તલાક,
  • એક તલાક :- મતલબ “મે તને એક તલાક આપી” એટલું જ બોલવામાં આવે.
  • ૧) ઔરત ને માત્ર એક તલાક આપો. ફક્ત એકવાર તલાક – તને તલાક – બોલે
  • ૨) તલાક બે સાક્ષીઓ સમક્ષ આપવામાં આવે.
  • ૩) માસિકમાં હોય ત્યારે કે સંભોગ કર્યો હોય તો તલાક ન અપાય.
  • ૪) ઇદ્દ્ત (ત્રણ મહિના) – એક તલાક પછી ત્રણ મહિના પૂરા કરો. ઇદ્દત દરમ્યાન મર્દે પોતાની તલાક પાછી લઈ શકે છે એ માટે “મે રૂજુઅ કરી લીધું” અથવા “મે મારી તલાક પાછી લઈ લીધી” એટલું જ બે સાક્ષીઓની હાજરીમાં બોલવું જરૂરી છે.
  • ૫) તલાકે બાઈન (જુદાઈકારક તલાક) : ઇદ્દત પૂરી થતાં સુધીમાં તલાક પાછી ન લીધી હોય તો આપમેળે જ તલાક થઈ જશે.
  • મહેર: પતિ દ્વારા પત્નીને લગ્નસમયે ફરજિયાત અપાતી ફક્ત પત્ની માટેની નાણાકીય ભેટ. મહેરની રકમ ઓછામાં ઓછી એટલી હોવી જોઈએ કે પતિના મરણ પછી કે છૂટાછેડા પછી પત્ની પોતાનું જીવન ગુજારી શકે અને જો લગ્નમાં બાળકો હોય તો, તેમનું પણ જીવન નિભાવી શકે.

 રોજા - ૧૨૧/ ૯૧

રોજા એટલે રમઝાન માસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખવામા આવતા પ્રવાહી, ખોરાક, ધુમ્રપાન અને શરીર સંબંધનો ઉપવાસ. ઈસ્લામના પાંચ સ્તંભોમાં એક છે. રમઝાન માસમાં રોજા રાખવાનો હેતુ:
  • રોજા તમારા ઉપર ફર્જ કરવામાં આવ્યા છે.
  • રોજાને પ્રતાપે નઠારા કામોથી સદા દૂર રહો છે.
  • માનવીના નૈતિક ઘડતરમાં રોઝો ખૂબ ઉપયોગી છે.
  • રોઝાથી જે સદ્દ્ગુણો નો વિકાસ થાય છે તેને કુરાન “તકવા” શબ્દથી ઓળખે છે. રોઝા મન પર કાબૂ રાખવાની ટેવ પાડે છે. રોઝા આત્માને પવિત્ર કરે છે અને ઉચ્ચ હેતુ માટે બલિદાનની ભાવના વિકસાવે છે. રોઝા થી માણસમાં ફરિશ્તાઓના ગુણો વિકસે છે અલ્લાહપાકે કહ્યું છે રોઝા મારે માટે છે અને હું જ તેનું વળતર આપીશ.
  • રોઝા જન્નતમાં લઈ જાય છે. જન્નતમાં રટયાન નામનો દરવાજો રોઝેદારો માટે છે. રોઝેદારો દાખલ થઈ જતાં રટયાન દરવાજો જન્નતમાં બંધ થઈ જાય છે. રોઝા એક ઈબાદત છે. તેમાં (ઇખ્લાસ) = શુદ્ધતા છે. અને દેખાડો નથી.
  • રોજાનો હેતુ મનને તેની રોજિંદી ટેવોમાંથી મુક્ત કરવાનો છે.
  • રમઝાનના રોઝા ફર્ઝ થઈ ગયા પછી, દર મહિને રાખવાના ત્રણ રોઝા મરજીયાત બની ગયા છે.
  • જુઠ્ઠું બોલવું, લડાઈ-ઝગડો, ગાળાગાળી, બદબોઈ, કરવાથી રોઝાના હાર્દને નુકશાન પહોંચે છે.
  • રમઝાન મહિનો નેકી બરકતનો છે, આ માહિનામાં જેનું મન નેકીઓમાં ચોંટેલું રહેશે, તેનું મન આખું વર્ષ નેકીમાં પરોવયેલું રહેશે.
  • ફાયદા: આધ્યાત્મિક ઉપરાંત શારીરિક ફાયદાઓ પણ છે. રોઝા શરીરની ઉત્કટ ઈચ્છાઓ ઠંડી પાડે છે. શાદી ન કરી શકતા હોય તેને પણ રોઝાનું સૂચન છે. ઈમાન હોય + સવાબની નિયત હોય, ત્યાર પછી ભૂખ્યા તરસ્યા રહેવાથી રોઝો આકાર પામે છે.
  • અપવાદ: બીમાર જો રોજો રાખવા શક્તિમાન ન હોય, અને મુસાફિર (૭૮ કી.મી.) પણ રોઝો ન રાખે તો તેમણે બીજા દિવસોમાં તેની ફઝા કરવાની છે અને બીજા વધારાના દિવસોથી રોઝાની ગણતરી પૂરી કરવાની છે. રમઝાન મુબારક માસ છે, (જેમાં કુરાન શરિફ લોકોની હિદાયત માટે ઉતારવામાં આવ્યું છે.) રમઝાનમાં દરેક રોઝા અવશ્ય રાખવા જોઈએ. રોઝા વખતે અલ્લાહપાકની મોટાઈ બયાન કરતાં રહો અને તેનો આભાર માનો.
ROJA is fasting in Islam, Here, Muslims practice abstaining usually from food, drink, smoking, and sexual activity. During Ramadan, sawm is observed between dawn and nightfall when evening adhah is sounded.

મોરાજ

હઝરત મહંમદ પયગંબરે રજબ માસના અંતિમ તબક્કામાં મોરાજની ૨૭ તારીખે અમાસની સફર કરી હતી. ત્યાંથી જન્નત અને દોઝખ નો તાદ્દ્શ ચિતાર પ્રાપ્ત થયો હતો. જેનું વર્ણન કુરાને શરીફના પંદરમાં પ્રકરણમાં જોવા મળે છે.

હજ - ૧૨૧ / ૯૬

હજ એટલે દર વર્ષે મક્કા (સાઉદી અરેબીયા) માં થતો ધાર્મિક મેળાવડો, દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વખત જવું ફરજિયાત છે. હજ ઈસ્લામનો મહાન સ્તંભ (રૂકન) છે. હજ એટલે પોતાના દરેક અમલો (કાર્યો) અને ઈબાદતો સાથે આજ્ઞાપાલન-વિનાસંકોચે માની લેવું-દરેક આજ્ઞા પર મસ્તક નમાવી દેવું.
  • હાજના અમુક મહિના પ્રખ્યાત છે.
  • હજમાં સ્ત્રી મેળાપ અને કોઈપણ જાતનો ગુનો-ઝગડો-ફસાદ કરવો જોઈએ નહીં.
  • હજમાં મુસાફરીનો ખર્ચ સાથે લેવો-જેથી ભીખથી બચી જવાય.
  • હજમાં કદીક સફર તો કદીક નિવાસ, કાઇદ્ક મિલન તો કદીક જુદાઈ, ન ઈચ્છાની ગુલામી, ન અભિરુચિના કૈદી, ન તો કામવાસના સમક્ષ હથિયાર હેઠાં મૂકે છે.
  • હજ એ કોઈ ભેદભાવ નથી જાતિવાદ, ભાષાવાદ અને જુથવાદ વિરુદ્ધ બંધુત્વભાવના સમાનતા અને ઈસ્લામી એકતાનું પ્રતિક છે.
  • હજમાં જનાર ઈસ્લામનો કૌમી, પહેરવેશ-હજ-ઉમરહની-ભાષામાં “એહરામ” કહેવાય છે, તે ધારણ કરે છે.
અહી બધાજ નમ્રતા, વિનમ્રતા, લાચારી, કાકલૂદી અને રડી-રડી ને એકજ ભાષામાં એક સૂત્ર ઉચ્ચારે છે. “લબ્બયક અલ્લાહુમ્મ લબ્બયક” = અય મારા પરવાર દિગાર ! હું હાજર છું, સઘળી પ્રશંસાઓ અને નેમતો ફક્ત તને જ શોભે છે. અને સઘળી હકૂમત અને સત્તાઓ પણ. તારો કોઈ ભાગીદાર નથી. મીનામાં પણ એક સાથે રોકાણ, કુરબાની, માથું મૂંડાવવું, રમી (શેતાનને પથ્થર મારવા) બધાજ કામો એક સાથે કરવામાં આવે છે.

કાફિર - ૨૬
  • ૧) કફ્ર = ઈન્કાર કરવું, ન માનવું (ન માને તે કાફિર)
  • છુપાવવું = સંતાડવું = આવરણ નાખવું. રાત્રિ - ખેડૂત (કારણકે તે જમીનમાં બીજ સંતાડે છે) સમુદ્ર- અંધકારમય વાદળો.
  • ૨) કાફિર = ઉપકાર કરનારના ઉપકારને ભૂલી જનાર.
  • ૪) પોતાને એક સર્વશક્તિમાન અલ્લાહપાક નો ફરમાબરદાર અને આજ્ઞાંકિત નથી માનતો-તે- કાફિર
  • ૫) હિન્દુ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે મલેચ્છ / ચંડાળ શબ્દો છે. તેવો શબ્દ ઈસ્લામમાં કાફિર છે. મક્કા વાસીઓ પોતાને કાફિર કહેતા- “હમો તમારી ઈસ્લામની દાવતને ઈન્કારીએ છીએ.
  • હકીકતમાં કાફિર શબ્દ અપમાનજનક નથી, ગુણવાચક છે.
  • આદેશ છે કે જો કોઈને ‘કાફિર’ શબ્દના સંબોધનથી તકલીફ પહોંચતી હોય તો તેને એ પ્રમાણે સંબોધવામાં ન આવે. અને જો તે છતાં સંબોધશે, તો ગુનેહગાર થશે.
Kaafir means unbeliever - denier - rejector of Islam or the tenets of Islam.

જિહાદ - ૨૨૦ / ૧૯૮

ધાર્મિક બાબતે વિરોધીઓને ઈસ્લામમાં લાવવા માટેનું પવિત્ર યુદ્ધને જિહાદ કહે છે.
  • જિહાદ માટે સઘળા જ મુસલમાનો નીકળી પડે તે પણ યોગ્ય નથી. એક નાનું જુથ જિહાદમાં જાય અને બાકીના લોકો દિનનું જ્ઞાન મેળવતા રહે.
  • જિહાદ દરેક યુગમાં હતો.
  • અલ્લાહપાકને વિરુદ્ધતા કરનારને કચડી-અને દબાવી દેવાના જે પ્રયાસો કરે છે, તેની સામે મરણિયા બની મુકાબલો કરી તેઓને નિષ્ફળ અને અલ્લાહપાકના બોલને ઊંચો કરવો એ જિહાદનો મૂળ હેતુ છે.
  • જિહાદ ત્રણ જાતના હોય છે.
      • ૧) પોતાની સામે
      • ૨) સેતાનની સામે અને
      • ૩) દેખીતા ખુલ્લાદુશ્મન સામે
પોતાની સામેની લડાઈને મોટું જિહાદ અને બહારના દુશ્મન સામેના જિહાદ ને નાનું જિહાદ કહ્યું છે. LOVE JIHAD ગેરમુસ્લિમ યુવતી સાથે મુસ્લિમ લગ્ન કરે અને તેને ઈસ્લામમાં લાવે તેને લવ જિહાદ કહે છે.

જિહાદનો અર્થ મુહંમ્મદ પેગંબરની શિક્ષા-કાર્ય અને કહેવામાં (TEACHINGS) હદીશમાં કહ્યા મુજબ પણ યુદ્ધ-ભલે પવિત્ર-પણ યુદ્ધ જ થાય છે.
  • Jihad means holy war (crusade) against the infidels, as a religious duty. It is a fight/battle/warfare.
  • Jihad was to continue until all mankind either embraced Islam or submitted to the authority of the Muslim state.
  • Later, Jihad became an armed struggle (war) against Western Colonial forces.
  • Jihad is a spiritual war against inner impurities - it means reforms neither violence nor bloodshed.
વિશ્વની દરેક વ્યક્તિ ઈસ્લામ ન સ્વીકારે ત્યાં સુધી, ઈસ્લામ ધર્મના લોકો દ્વારા સમજાવટ કે લશ્કરી યુદ્ધને જિહાદ કહ્યું છે.
  • હા – માબાપ ની કાળજી પણ જિહાદ છે.
  • તો – મહિલાઓની હજયાત્રા પણ જિહાદ કહેવાય છે.
  • ધર્મપરીવર્તનના કાર્યમાં-યુદ્ધમાં-મરણને પવિત્ર કહ્યું છે. મારનાર જન્નત-સ્વર્ગમાં જતાં હોવાનું કહેવાયું છે.
  • ઈસ્લામમાં સ્ત્રીઓ અને બાળકોને ન મારવાનું કહ્યું છે. પણ ધર્મગુરુઓના આ આદેશનું જિહાદી પાલન કરતાં નથી.
  • અબ્દુલ્લા આઝમ (વૈશ્વિક આધુનિક જિહાદના પિતા) પહેલા રશિયાને અફઘાનિસ્તાનમાંથી હરાવ્યા બાદ ફતવો બહાર પડી વિશ્વમાં જિહાદ ફેલાવ્યું-બોસીન્યા, ફિલિપાઈન્સ, કાશીમર, સોમાલિયા, ઈરિટ્રી, સ્પેન અને પેલેસ્ટાઈન માં આતંક ફેલાવ્યો.
  • ઓસામા-બિન-લાદેન ૯/૧૧ (૧૧ સપ્ટે.૨૦૦૧) માં વર્લ્ડટ્રેડ સેન્ટર નો નાશ કરીને અને પેન્ટાગોન ને નુકશાન પહોંચાડી-જિહાદ-ફેલાવ્યો-જિહાદી આતંકવાદ વિશ્વને બતાવ્યો.
  • આયાતોલ્લા ખૌમેની-ઈરાન-ના સ્થાપકે પણ ઈસ્લામ માટે જિહાદનો ઝંડો ફરકાવ્યો.
  • શિયા-સુન્ની- ઝગડાઓ પણ જિહાદીઓએ કર્યા અને ભાગલા પડેલ બે મુસ્લિમ કોમો પણ લડી.
  • અલ-કાયદા, ISIS- જેવા મંડળો પણ યુદ્ધ અને આતંકવાદના ફેલાવવામાં લાગ્યાં.
  • હાલમાં જિહાદ વૈશ્વિક સ્તરે ખૂબ મોટા પાયે આતંકવાદી બની ફેલાયું છે. દા.ત. રોહિંગ્યા, ઈરાન-ઈરાક યુદ્ધ, લશ્કરે તૈયબા, અને કાશ્મીર, બાંગલાદેશ, અલ્જેરિયા, સોમાલી, મોરો, અફઘાન, યેમન, નાઈજીરિયા, વિગેરે.
  • આશા રાખીએ, કોઈ ધર્મગુરુ જેહાદીઓને ઈસ્લામ ધર્મ સમજાવે.

ઈસ્લામી અર્થ વ્યવસ્થાના નિયમો - ૪૬૮
  • સમાજ છોડી સન્યાસી જીવનને ઈસ્લામ પસંદ કરતો નથી.
  • માણસની આર્થિક પ્રગતિને ઈસ્લામ પસંદ કરે છે. પણ ઇસ્લામની નજરમાં માણસનો બુનિયાદી હેતુ ફક્ત રોઝી કમાવું નથી.
  • સૌ પ્રથમ એ દર્શાવ્યું કે માલ-મિલકત દૌલત પર પહેલી અલ્લાહપાકની માલિકી છે. માલ દૌલત તમારી માલિકી નથી, બલ્કે તમારી પાસે અમાનત છે. કોઈ માણસ પોતાની જાત મહેનતથી કમાઈને જે ખાવા જાય છે, તેનાથી વધુ સારું કોઈ ખાણું નથી.
  • ૧) વ્યાજ વહેવાર માટે ઇસ્લામમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપી નથી.
  • ૨) સટ્ટો પણ ઇસ્લામમાં મોટો ગુન્હો છે.
  • ૩) જુગાર, સટ્ટો, દારૂ, સ્વાર્થ, દગો, છેતરપિંડી, શોષણ, મિલાવટ, ખોટી અફવાઓ, જુથ, સંગ્રહખોરી, ધોકાબાજી, ખિયાનત અને કબજા વગરની વસ્તુનું સીધું વેચાણ- મનાઈ ફરમાવી છે.
  • ૪) લાંચ, રૂશ્વત, ચોરી, ધાડ, લૂંટ, અત્યાચાર, મજબૂરીનો સોદો, અને અનીતિના બધા જ પ્રકારના સોદાઓથી મનાઈ ફરમાવવામાં આવી છે.
  • ૫) વ્યજ, સટ્ટો, ધોકાબાજી, તથા જુઠ ઈસ્લામના નિયમોની વિરુદ્ધ છે.
  • ૬) મજૂર વર્ગને પસીનો સુકાતા પહેલા મજૂરી અને યોગ્ય વળતર આપવાની તાકીદ કરી છે.
  • ૭) સંગ્રહખોરી પણ સખ્ત નાપસંદ ફરમાવી છે.

વકફ = નિષેધ, રોકવું કે બાંધવું.

વકફ એટલે ઈસ્લામમાં ઈમાન રાખનાર કોઈપણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદ્દેશ માટે પોતાની સંપતિનું સ્થાયી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું. આમ એકવાર વકફ થયેલી સંપતિનું સ્વામીત્ત્વ ખુદાને નામે રાખવું.- એકવાર વકફ થયેલી સંપતિ પુન:પ્રાપ્ત થતી નથી. વકફ સંપતિના વહીવટમાં વકફ બોર્ડ અસ્તિત્વમાં છે.

જકાત - ૨૧૨ / ૨૧૫ / ૪૭૨

હેતુ: જકાતના સામૂહિક હેતુઓથી સમાજમાં ગરીબી દૂર થાય છે. જકાતથી ગરીબો, મોહતાજો, ગુલામો, કર્જદારો, અને મુસાફિરોની મદદ થાય છે. જકાત સંરક્ષણ, રાજકારણ, નૈતિકતા, ઈબાદતો =(ઉપાસના) સંસ્કૃતિ અને અર્થતંત્ર માટે મદદરૂપ થઈ બધી જ બાબતોએ પગભાર થવા અને સ્વાવલંબી બનવા સહયોગ આપે છે. જકાતનો આધ્યાત્મિક (રૂહાની) ફાયદો પણ છે તેનાથી:
  • ૧) ગુલામી નાબૂદ થઈ શકે.
  • ૨) વ્યક્તિ પોતાનો માલનો ખર્ચ સમાજ માટે કરવા તત્પર બને છે અને
  • ૩) માન્યતાઓ (અકીદાઓ), ઈબાદતો (ઉપાસના), અને અખલાક (નૈતિકતા), ની રક્ષા થાય છે.
આમ જકાત સમાજમાંથી ગરીબી દૂર કરી સમાજને માલદાર બનાવે છે.

જકાત ન આપનાર ની સજા

જકાત ન આપનાર અને સંગ્રહ કરનારને જહન્નમની આગ તપવામાં આવશે ત્યારે તેઓની પરેશાનીઓ, પડખાઓ, અને પીડાઓને ડામવામાં આવશે.

જકાતના પ્રકારો
  • ૧.      જકાત: ૨.૫% દરેક તે વ્યક્તિ જે સોનું, ચાંદી, પશુઓ અને વેપારનો માલ ઈસ્લામી પ્રમાણે જાયદાદ વગેરેનો માલિક હોય તેણે પોતાના માલમાંથી ૨.૫% જકાત આપવી ફર્જ છે.
  • ૨.      ઉશર: ૧૦% જમીનથી પેદા થતી વસ્તુઓની જકાત. ખેતીવાડીની કુલ પેદાઈશનો દસમો ભાગ આપવો જરૂરી છે.
  • ૩.      સદક એ ફિત્ર: શરઈ દ્રષ્ટિએ દરેક માલદાર વ્યક્તિ ૧.૭૫/- kg. ઘઉં અથવા તેની કિમત ગરીબો, બેવાઓ, યતિમો, ઉપર ખર્ચ કરે. આ રકમ પોતાના તરફથી અથવા ઔલાદ (નાના બાળક) તરફથી પણ આપવામાં આવે.
  • ૪.      કુર્બાની: કુર્બાની ના ગોસ્ત અને ચામડું ગરીબોને આપવું.
  • ૫.      કફફારો: ગુનાહિત વ્યક્તિએ દંડ તરીકે ગરીબોને, નાદારોને, રૂપિયા-ખાવાનું કે કપડાં આપવાના હોય છે તે ગુનાઓ.
      • ૧. રમજાનના રોજા તોડી નાખે,
      • ૨. ઈરાદા વગર કત્લ કરી દે,
      • ૩. પત્નીને ઝિહાર કરે – હરામ કહે,
      • ૪. સોગંદ (કસમ) ખાઈ પૂરી ન કરે.
  • ૬.      નફકહ (ખાધા ખોરાકી નો ખર્ચ): પોતાના પત્ની-બાળબર નાદાર સગા-સંબંધીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો.
  • ૭.      વારસા વહેંચણી: મૃત્યુ પામનાર (ફક્ત ૧/૩) માલની વારસદારો સિવાય માટે વસિયત કરી શકે છે. કોઈ વારિસને વંચિત નથી કરી શકતો, કોઈ વારિસ માટે ભાગ સિવાય વસિયત કરવાની મનાઈ છે.
      • દરેક સગા સંબંધીને હક મળે છે.
      • સ્ત્રીને માં, પત્ની, બહેન, પુત્રી, દાદી, તરીકે અલગ અલગ ભાગ મળે છે.
      • નાની, મોટી ઓલાદનો કોઈ ફર્ક નથી.

વારસો. ૧૪૭
  • ૧.      એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે.
  • ૨.      ઓલાદમાં એકલી છોકરી હોય તો, એક જ છોકરી હોય તો અડધી માલ મિલકત મળશે.
      • બે છોકરી હશે, તો બન્ને થઈ ૨/૩ બેતૃતિયાંશ ભાગ મળશે.
      • બાળક જ ન હોય તો, માં-બાપ જ વારીશ હોય તો માને ૧/૩ ભાગ અને બાકીનું બાપને મળશે.
  • ૩.      જો મરનારને એક થી વધુ ભાઈ/બહેન હોયતો જે વસિયત કરી હોય ને અને દેવું ચુકવ્યા પછી, માને છઠ્ઠો ૧/૬ ભાગ મળશે. બાકીનું બાપને મળશે.
  • ૪.      જો તમારી ઓરતને કઈ ઓલાદ ન હોય અને તે જે મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. (દેવું ચુકવ્યા પછી અને વસિયત પ્રમાણે વહેંચયા પછી) જો પુરુષ ઓરત વગર મરે તો, ઔરત ને ૧/૪ ચોથો ભાગ મળશે. અને ઔલાદ હોય તો ૧/૮ આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ ભાગ છે.
  • ૫.      જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેક ને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે.
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનુનો છે.

સખાવત - ખૈરાત

પોતાની કમાણી માંથી ચોખ્ખી પવિત્ર વસ્તુ અને જમીનમાંથી જે ચીજો તમારા માટે ઉત્પન્ન કરી છે, તેમાંથી નેક કામમાં આપ્યા કરો.

વ્યાજ

અલ્લાહપાકે વ્યાજ ને હરામ કહ્યું છે. જો દેણદાર નાદાર હોય તો, તેને હાથ છૂટો થતાં સુધીની મહોલત આપવું. અને જો તમે સમજતા હોય તો દેવું માફ કરવું બહેતર છે.

લેવડ-દેવડ
  • લખાણ: માહેમાહે અમુક મુદ્દત સુધીનો ઉધારનો મામલો કરો તો તેને લખી લો.
  • સાક્ષી: આ ઉપરાંત તમારામાના મુસલમાન પુરુષો બે પુરાવામાં રાખો જો પુરુષ ન મળે તો એક પુરુષ અને બે સ્ત્રીઓને સાક્ષી માં રાખો. જેનો ભરોસો કરવામાં આવ્યો છે, તેણે બીજાનો હક પૂર્ણપણે આપી દેવો જોઈએ અને પોતાના પરવરદિગાર અલ્લાહપાકથી ડરવું જોઈએ.
  • ગીરો: કોઈ જગ્યાએ સાક્ષી કે લખાણ શક્ય ન હોય તો કોઈ વસ્તુ ગીરો મૂકો. લેણ વસૂલ થતાં જ તે જ વસ્તુ માલિક ને પછી આપવી જોઈએ.

સબ્ર (ધીરજ) - ૨૦૪
  • પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો.
  • સબ્ર (ધીરજ) નપુંશક્તા નથી, સબ્ર બહાદુરી છે.
  • સબ્ર દ્વારા કમજોર પરિસ્થિતી ને મજબૂત સ્થિતિ માં ફેરવવાનો સમયગાળો મળી રહે છે.
  • સબ્ર ને કારણે કપરો સમય પસાર થઈ અનુકૂળતા મળી જાય છે. સબ્ર બહુ મોટી શક્તિ છે.
 
શાંતિ - ૨૦૫
  • શાંતિ ને ચોક્કસ કરવા ઈસ્લામે હકારાત્મક સાધનો અને યુક્તિઓ, અખત્યાર કરી છે.
  • શાંતિભંગ માટે આર્થિક અસમાનતા પણ જવાબદાર છે. તેથી જ ગરીબો માટે જકાત ફરજિયાત દાન છે.
  • ધર્મઝૂનૂન પણ શાંતિભંગ નું કારણ હોય શકે.
  • કુરાન શરિફ માટે બળજબરી કરવાનું તમારું કાર્ય નથી.

પાક મુસલમાન - ૩૩૩ / ૩૪૯
  • ઈમાનવાળા 
  • નમ્રતા
  • પોતાની નમાઝમાં ડરનાર 
  •  લડાઈ થી દૂર રહેવું
  • નકામી બાબતથી અળગા 
  • માફી
  • જકાત આપતા રહે 
  •  સદાચાર
  • શર્મગાહની સંભાળ રાખે છે 
  •  રાત્રિ ઈબાદતો
  • સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતાં નથી 
  •  ગુનાહો થી તૌબા
  • પોતાની અમાનતો અને કરારો જાળવે છે 
  •  સખાવત
  • ફર્ઝ નમાજોની કાળજી રાખે છે
  • વ્યભિચાર, ખૂન અને બેહુદા કામો થી દૂર
  • નકામો ખર્ચ કરતાં નથી
  • અલ્લાહપાક ના હુકમો ધ્યાન દઈ સાંભળે છે

આખિરત - ૬૨૫

મરણ પછીના હિસાબ-કિતાબ માટે અલ્લાહ તાલાની અદાલતની સ્થાપના કરવામાં આવશે. જે માણસ ના નેકીઓના પાલ્લા ભારે થશે, તોતે મનમાન્યા આરામમાં રહેશે. જે માણસના પલ્લાં હલકાં થશે તેનું સ્થાન દોઝખનો ખાડો છે, જ્યાં કાયમી ધગધગતી આગ છે. આખિરતમાં તમારે કાર્યોનો જવાબ આપવો પડશે. જે માણસ ધન એકઠું કરે છે, ગણીગણીને રાખે છે તે ધારે છે કે તેનો માલ તેની પાસે સદા રહેશે તો હરગિઝ રહેશે નહીં અને તે માણસને ભાંગી તોડી નાખનારી આગમાં ફેકવામાં આવશે. (૬૨૫) આમ, આખિરત માં અલ્લાહ ન્યાય કરી મરનારને જન્નત કે દોઝખ આપશે.

(Al Akhirah – a Muslim term for the afterlife in Quran, explaining fate after death as judged by Allah.)

સત્કર્મો કરનારને જન્નત મળશે – જ્યાં બગીચાઓ હશે, છોકરાઓ સેવા કરશે + સ્વ્છ શરાબના પ્યાલા આપશે, મન ચાહયા પક્ષીનું ગોશ્ત ખાવા મળશે, પસંદગીના મેળા મળશે, મોટી-મોટી આંખોવાળી સુંદરીઓ મનમોહક અદા કરતી મળશે અને વ્યક્તિ રત્નજડિત તખ્તો પર બેસશે. (૫૩૭) ગુનેહગારોને સજા અને નેક લોકોને મજા. (૫૨૫)

વ્યાભિચાર ૩૪૦ / સ્ત્રી ના પડદાના નિયમો ૩૪૩ / મુસલમાન સ્ત્રીના ગુણો ૫૪૮
  • વ્યભિચારને ફોજદારી ગુનો ઠરાવીને તેની સજા ૧૦૦ સો કોરડા ઠરાવવામાં આવી.
  • જે વ્યક્તિ બીજા પર વ્યભિચારનો આરોપ મૂકે પછી પુરાવામાં ચાર સાક્ષીઓ ન લાવે, તેની સજા ૮૦ એંસી કોરડા ઠરાવવામાં આવી.
  • એકબીજાને ધારીધારીને કે છૂપી નજરોથી જોવાની સ્ત્રીઓ કે પુરૂષોને મનાઈ કરી દેવામાં આવી છે.
  • સ્ત્રીઓને બહાર નીકળે ત્યારે પોતાના સાજ-શણગાર છુપાવે અને અવાજ ઉત્પન કરે તેવા ઘરેણાં ન પહેરે.

ફરજિયાત લગ્ન 

સમાજમાં સ્ત્રીઓ-પુરુષો-ગુલામો સર્વે ને અપરિણીત કૂંવારા રહેવા દેવામાં ન આવે. કુંવારા થી નિર્લજ્જતા પેદા થાય છે. જેમના લગ્ન ન થયા હોય તેના કરાવે.

સ્ત્રીઓના પરદાના નિયમો - ૩૪૩

પોતાની નજર નીચી રાખે, પોતાના ગુપ્ત ભાગો સંભાળે અને પોતાના શણગાર જાહેર ન થવા દે. પોતાની ઓઢણી છાતી પર નાખી રાખે. ધીમે-ધીમે ચાલે, જેથી છુપા ઘરેણાં જણાઈ ન આવે.

મુસલમાન સ્ત્રીઓના ગુણો

ન કોઈ વસ્તુને શરિક ઠેરવશે. ન ચોરી કરશે, ન વ્યભિચાર કરશે, ન જૂઠી તોહમત લાવશે ન પોતાના બાળકોની હત્યા કરશે.

કત્લનો બદલો – કિસાસનો હુકમ - ૧૨૦

ઈરાદાપૂર્વક કતલ કરવામાં આવેલ સંબંધમાં બદલો (કિસાસ) લેવો ફર્ઝ કરવામાં આવ્યો છે. એટલે,
  • ૧. દરેક આઝાદ પુરુષને બદલે આઝાદ પુરુષ
  • ૨. ગુલામને બદલે ગુલામ
  • ૩. સ્ત્રીને બદલે સ્ત્રીની
- કત્લ કરવામાં આવે.

માફી (દિય્યત): જો હત્યા કરનારને હત્યારાને માફી આપવામાં આવે તો, યોગ્ય રીતે માલની માંગણી કરવી જોઈએ. અને હત્યા કરનારે ખૂનના બદલાને ભલાઈ સાથે તે હકદારો પાસે પહોંચાડવો જોઈએ. ખૂની ને બદલે બીજાની કત્લ કરવી યોગ્ય નથી. (દિય્યત : ખૂનના બદલા તરીકે માલ-મિલકત લેવા રાજી થવું તે.)

ફત્વા

ફત્વા એટલે ધાર્મિક હુકમ કે આદેશ. ફત્વા કુરાને શરિફની આયતોના સામાજિક કે આધ્યાત્મિક અર્થઘટનો સમજવા-મસ્જિદના ઈમામ (નમાઝ પઢાવનાર વ્યક્તિ) દ્વારા કે આલીમો (જ્ઞાની) દ્વારા-બહાર પડતાં આદેશો કે હુકમોને ફત્વા કહે છે.

ફત્વા રાજકારણ કે ચોરી કે વિવિધ વર્તનો બાબત હોતા નથી. આવા આદેશો કોઈ ગૂઢ ઈસ્લામિક બાબતોનું અર્થઘટન ન હોવાથી ફત્વા કહેવાતા નથી. ઈસ્લામનો ખોટો અર્થ છે. ફત્વાનું આ રીતે અવમૂલ્યન ન કરીએ. (પ્રો, મહેબૂબ દેસાઈ)



આ બધા વિષયો વિગતે વાંચ્યા પછી કહી શકાય કે કુરનનો સાર આ મુજબ છે. આ સાર સન્માનનીય ઈતિહાસકાર પ્રો. ડો. મહેબૂબ દેસાઈ એ આપણને લખી જણાવ્યો છે.


ઈસ્લામ ધર્મ ના લક્ષણો

૧. જકાત - ૨.૫%

૨. ખેરાત - મરજિયાત દાન.

૩. રમઝાન - રોજા ઉપવાસ.

૪. દીકરીનો જન્મ ખુદાની કૃપા.

૫. સ્ત્રીઓ સાથે વિવેક પૂર્ણ વ્યવહાર.

૬. વિધવા અને તેના બાળકોને મદદ

૭. ઊંચનીચના કોઈ ભેદો નથી.

૮. બીજા ધર્મી સાથે હંમેશા સદ્દવ્યવહાર.

૯. શરાબ (દારૂ) અને જુગાર ની મનાઈ.

૧૦. મજૂરનો પસીનો સુકાઈ એ પહેલાં મહેનતાણું ચૂકવો.

૧૧. ઈર્ષા અને ગીબત (કોઈની ટીકા ટિપ્પણી કરવું) મોટા ગુનાહ છે.

૧૨. તમારાથી આમિરને ન જુઓ- ગરીબને જુઓ.

૧૩. નૈતિક અર્થાત હલાલ કર્યો જ આચરણ માં મૂકો.

૧૪. પાણીનો નિર્થક વ્યય ન કરો.

૧૫. રસ્તે અડચણરૂપ વસ્તુ જાતે જ દૂર કરો.

૧૬. સ્ત્રી સન્માન. અજાણી સ્ત્રી પર નજર ન કરો.

૧૭. નાપતોલમાં બેઈમાની ન કરો.
 





પવિત્ર કુરાન સારાંશ 
  • પુસ્તકનું નામ: પવિત્ર કુરાન સારાંશ 
  • સંપાદન : (અવ.) ઈકબાલ મુહમ્મદ ટંકારવી (સા.), ઈદગાહ રોડ, ભરુચ - ૧ 
  • પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 18-Nov-2020
  • પાનાં : ૬૪૯  
  • પ્રકાશન વર્ષ : ૨૦૧૧ 

Jealousy

My friend Dr Ashwinbhai Naik  asked me to share my views on the topic 'jealousy' and that created this viewpoint article.

Jealousy is an emotion inherited by all of us. It has nothing to do with age, sex, intellectual level or financial status. This emotion is a negative one expressed according to the intensity of the feeling, and that is why some people can hide it even though they have it in the back of their minds.

Three Decades Of My Nomadic Experience

I recently read the novel "Pyramid of Virgin Dreams" by Vipul Mitra. He affectionately described the pains and pleasures of multiple transfers because of his father’s job as DSP and later himself as an IAS officer. While reading it occurred to me, I have had a similar life of changing a place many times nearly every alternate year. So why not narrate my story and the article is here!
A nomad means someone who lives by travelling from place to place - moving around all the while.
I was a nomad for the initial 28 years of my life, staying and studying at more than 15 places. A year or two and change of the place again! 

વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!  

“વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે.

કોઈ જાતની કટુતા, ટીકા કે ડંખ વગર નિર્ભેળ પ્રેમ-સરળતા-લાગણી બતાવતા પત્રો અને મુલાકાતો દ્વારા પરિચય આપતી જીવનકથા વાંચવી જ રહી.

ચાલો, પહેલાં આપણે હરેશભાઈ ધોળકિયા સાહેબનો પરિચય મેળવીએ.
  • જન્મ: તા. 30 જૂન 1946
  • પિતા : ચમનલાલ 
  •  માતા : રસિકબાળા
  • મોટાભાઈ : સુધાકર 
  • નાની બહેન : દર્શના
  • પત્ની : વંદનાબહેન - લગ્ન : 1972
  • વ્યવસાય : શિક્ષક, આચાર્ય
  • નિવૃત્તિ : 45 વર્ષે 31 જુલાઈ, 1991 સ્વૈચ્છિક નિવૃત્તિ
  • પ્રિય સ્થળો : જ્યાં હોઉ ત્યાં, મહ્દ અંશે ઘર, સમુદ્રકિનારો
  • પ્રિય વ્યક્તિઓ : સમગ્ર જગતની
  • કુદરતી ઉપચાર (1983થી) અને શીવામ્બુ ચિકિત્સા (1981થી) સક્રિય
  • મુખ્ય શોખ : વાંચન, લેખન, પ્રવચનો, શિબિરો, સંગીત, વિચરવું, અનેક વિષયોમાં જિજ્ઞાસા
પુસ્તકવાંચન મિત્રો શોધી આપે છે, એવું પહેલીવાર જાણ્યું-અનુભવ્યું. મારા સ્નેહી આચાર્યા શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ મને “અંગદનો પગ” પુસ્તક વાંચવા આપ્યું. મે સ્વભાવવશ વાંચીને પ્રતિભાવ એમને અને આપશ્રી ને લખી મોકલ્યો. તેનું પરિણામ તે મારા નવા મિત્ર વડીલ શ્રી હરેશભાઈ! (આવા અકસ્માતો ઓછા થતાં હોય છે. કારણ કે સાહિત્યકારો કદાચ આપના જેવા અપવાદ રૂપે જ સાદા રહેતા હોય છે. બાકી તો, થોડુંક નામ થવાથી તેઓ વાચકોના પત્રો વાંચતાં નથી - જવાબ તો બહુ દૂરની વાત થઈ.)

પુસ્તક દ્વારા આપનો પરિચય થયો, પણ ઉંમર સિવાય વધુ વિગતો ન હતી. ત્યારે આપના વિદ્યાર્થીઓ - વિરેન શેઠ અને જીના શેઠ - દ્વારા લખેલ “વ્હાલનું અક્ષયપાત્ર” પુસ્તક દ્વારા વિગતવાર અને સંપૂર્ણ પરિચય થયો.

મારા જીવનમાં ભણતર દરમ્યાન અમિટ છાપ છોડનાર પાંચ ગુરુજીઓને ટેલિગ્રામ, ટેલિફોન કે તે પહેલાં પત્ર દ્વારા હું દર ગુરુપૂર્ણિમાએ પ્રણામ પાઠવતો. તેમના પ્રતિભાવો પણ નિયમિત મળતા. તેઓ ધીરેધીરે વિદાય થયા ત્યારે આપના પુસ્તક પછી આપના વિદ્યાર્થીઓ પ્રત્યે આપે દાખવેલ પ્રેમ જોઈ મને તેમની યાદ તાજી થઈ.

ચાલો હરેશભાઈ વિષેના મંતવ્યો મમળાવીએ!
 
વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, સગા સંબંધીઓ અને સાહિત્યકારો દ્વારા હરશેભાઈના જીવનની વિશેષતા જ એ કે - એમની પોતાની આગવી શૈલીથી જીવન જીવે. એમનું જીવન બધાથી તદ્દન અલગ. એમની જીવનશૈલી ફક્ત તેમણે જાતે લીધેલા નિર્ણય પર આધારિત. કોઈની સલાહ કે કોઈના આદર્શ કે કોઈના નિર્ણયથી પ્રભાવિત નહીં. એક વખત નિર્ણય લીધો પછી એમાં કોઈ ફેરફારની શક્યતા નહીં. (૭૭, નાના બહેન ડો.દર્શના

તેમને હું ‘મિનિ ગાંધીજી’ કહું, કારણકે એમણે એમની સમાજલક્ષી પ્રવૃત્તિ, વિચાર લેખન અને શિક્ષણ, ભલે કૌટુંબિક જીવનના ભોગે પણ ચાલુ રાખી છે. અને તે પણ જિંદગીના આઠમાં દાયકા સુધી જરાપણ ચલિત થયા વિના. (૭૭

મરતી વેળા હું કશી બચત ધરાવતો ન હોઉં તેથી શું? કદાચ કફન જેટલા રૂપિયા મારી પાસે ન હોય તો તેની ઉપાધિ પણ મારે શા માટે કરવી? (૩૯૮

૪૫ વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારનાર હરેશભાઈ-સવેતન શાળા-શિક્ષક મટીને અવેતન લોકશિક્ષક તરીકે અનૌપચારિક શિક્ષણમાં મસ્ત. (૩૯૯

સ્વભાવે શરમાળ અને ભણતરમાં સાધારણ પણ બાળપણથી વાચન ઝનૂન એવું કે રોજની એક ચોપડી તો વાંચે જ વાંચે. (૩૯૯

અલીયાબાડાની દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિધ્યાલયમાં પ્રખર પૃચ્છક (પ્રશ્ન કરનાર) તરીકે પંકાયા. (૪૦૧

વિદ્યાર્થીઓ અને પ્રૌઢોને જાતીય શિક્ષણ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે આપ્યું. 

સ્વભાવે નાળિયેર જેવા કઠોર અને કોપરાં જેવી મીઠાસ ધરાવતા હરેશભાઈ આનંદના ભાવ ઉછળીને ન બતાવે, જેથી કોઈવાર લાગણીશૂન્ય લાગે. 

Crystal Clear Personality - પારદર્શી વ્યક્તિત્વ: એમને તમે સોંસરવા જોઈ શકો અને છતાં કહી પણ ન શકો એવા અભેધ. 

વસ્તુને અને વ્યક્તિને ખુલ્લા દિલથી સ્વીકારે, પૂર્વગ્રહ થી નહીં. તેમણે પોતાની શાલીનતા-તાજગી કદી છોડી નથી. (૭૯

એ ટોળાંના માણસ નથી, પણ one-to-one સંબંધોના માણસ છે. 

સંબંધોની વ્યાખ્યાની બહાર જીવનારો માણસ છે અને ચોકઠાની બહાર (Out of Box) વિચારનારો માણસ છે. (૭૯

હરેશભાઈ તેમની તર્કશીલ બાહ્યપ્રતિભા નીચે એક સંવેદનામય લાગણીઓ ધરાવતો વ્યક્તિ છે. (૮૨

પરિવારમાં સૌ એકબીજાને મૂક રીતે ચાહતા. કોઈ દેખાડો નહીં. બસ માત્ર ચાહવું એજ પરસ્પરનો એકમાત્ર સ્વધર્મ. ટાંચા સાધનો, આર્થિક સંક્રામણ, સંયુક્ત પરિવાર, અને જીવનની ગુંચો- આ બધા વચ્ચે અમારું બાળપણ વીત્યું. (૮૫, બહેન દર્શના)

હરેશનું જીવન તદ્દન અંતર્મુખી, નીરવ, અવધૂત સમું રહ્યું. સંસારની ભરમારોથી દૂર, એકલપંડ, પણ તેમનું શિક્ષકત્વ પ્રભાવક રહેવાથી તેનો પ્રભાવ ખૂબ વિસ્તર્યો. (૮૭

કાકા કહે કે કોઈપણ બાબત માટેનું કારણ હોય જ. એ શોધી લેવું તો કોઈ નકારાત્મક લાગણી નહીં અનુભવાય. પછી એ કોઈ બીક હોય કે કોઈ માટેનો પૂર્વગ્રહ. (૮૧, ભત્રીજી ઉત્કંઠા

હરેશભાઈ ક્યાંય બંધાતા નથી. કોઈ ગુરુની કંઠી પહેરી નથી. પણ અનેક ગુરુઓની સાધના જાણી છે – સમજી છે અને સમાજમાં લેખો દ્વારા પહોંચાડી છે. (૧૦૫

“કચ્છમિત્ર” દૈનિકમાં કચ્છ વિષે ૪૦ વર્ષથી અભ્યાસપૂર્ણ લેખોનાં લેખક. (૧૦૭

તેઓ ચિંતકની ચિત્તવૃત્તિને પણ મઠારે એવા વિચારક છે. (૧૧૦

ધર્મમાં શ્રદ્ધા માનવું-ન-માનવું વગેરેમાં ફસાયા વગર પોતાની આંતરિક વૃતિઓને જ હંમેશા ચકાસવાનુ કહે. ગમે તે કરીને મૂળ ઉદ્દેશ્ય “જાગૃતિપૂર્વક જોવું” જ હોવો જોઈએ. (૧૪૭, Awareness)

શ્રી શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાભાવે, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, જેવા અનેક મહાપુરૂષોએ હરેશભાઈને ગૃહસ્થાશ્રમી સાધુ બનાવ્યા. શિક્ષણ માટેનો ભેખ લેવડાવ્યો અને સમાજના બાળકોને જ પોતાના સંતાન બનાવ્યાં. (૧૫૧

મૌજ કરો નહીં - મોજ માં રહો! (૧૪૩

સાલું આમને આંખમાં ક્યાક વાંધો હશે કે શું? બધામાં સારું જ દેખાય છે. ખરો માણસ છે, નહીં? 

જેમના સુખનો આધાર વ્યક્તિ, ઘટના કે સ્થળ પર ન હોય તે સુખી વ્યક્તિ. 

જેનું તંત્ર “સ્વ” પર હોય તે સ્વતંત્ર. સ્વતંત્ર વ્યક્તિ જ સુખી. (૧૮૦

હરેશભાઈ એક હરતી ફરતી યુનિવર્સિટી છે, એમ કહીએ તો ખોટું નથી. તેઓ જે કામ ઉપડે તેમાં મંડ્યા રહે અને પૂર્ણતાને પ્રગટાવે. (૧૩૪

ઘણાબધા સાહિત્ય પ્રકારો એમણે ખેડયા છે, અનેક ક્ષેત્રોમાં એમની સેવાની સુગંધ પ્રસરી છે. વિવિધ વિધ્યાઓમા ચાંચ ડુબાડી છે. અને કંઈકેટલાના પથદર્શક બન્યા છે. તેથી હરફનમૌલા સાબિત થયા છે. (૧૩૬

હરેશભાઈ હંમેશા કહે, લખતા રહો. લખતા રહો, એક દિવસ તમારું નામ પણ આગળ હશે, હશે અને હશે જ. (૧૨૫

વડોદરાની બાજુના મુનિ આશ્રમ, ગોરજમાં અનુબેનને તેમના બ્રહ્મચર્ય અને સેક્સ વિષે સવાલ પૂછેલા. (૧૧૮

હવે પછીની તેમની યાત્રા - પ.પૂ.ધ.ધુ.(પરમપુજ્ય ધર્મ ધુરંધર) બનવા તરફની દેખાય રહી છે. (૧૧૮)

હરેશભાઈ ધોળકિયાનો સ્વ-પરિચય
: (પોતે આપેલો પરિચય)
  • ભણવામાં હું તદ્દન નબળો હતો. મારા બધા મિત્રો અતિ હોંશિયાર. માત્ર હું જ ભયંકર ઠોઠ. (સફળ શિક્ષક, આચાર્ય, પ્રસિદ્ધ લેખક, અને પ્રભાવશાળી વક્તા તરીકેની નામના થયા પછી હરેશભાઈની નમ્રતા જ આવું સ્વીકારી શકે.)
  • છોકરીઓ ખૂબ ગમતી. તે સન્યાસી થવા દે એમ ન હતું. એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. (પારદર્શક પ્રમાણિક્તા - નિર્દમ્ભ ખુલ્લાપણું હોય તો જ આ વાત કારણ સ્વરૂપ પ્રદર્શિત કરી શકાય.)
  • શિક્ષક તરીકે “ચારસો ટકા આનંદ”! આજનાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે એવો જ પ્રેમ તેમના પ્રત્યે ઉભરાઈ આવે છે. વિદ્યાર્થીઓ જ મારા સંતાન રહ્યા છે અને આજે પણ છે. (આદર્શ શિક્ષક અને ગુરુ-શિષ્યના સંબંધની આ ઊંચાઈ વિદ્યાર્થીઓને નસીબથી જ મળે. આવા આદર્શ શિક્ષકને રાજ્ય કે રાષ્ટ્રીય સન્માન એટલે વિદ્યાર્થીઓનો પ્રેમ.)
  • નિવૃત્તિ પછી ૨૯ વર્ષથી મોટા ભાગે ઘરે રહીને જ કામ કરેલ છે. મુખ્ય પ્રવૃત્તિ લખવું-વાંચવું જ રહી છે. ઉપરાંત પોતા સાથે સમય ગાળું છું. હરું છું. ફરું છું. મજા કરું છું. (વરિષ્ઠ નાગરિક ૭૪ માં વર્ષે આનંદપૂર્વક પ્રવુત્તિમય દિવસ અને તેથી જીવન જીવે - એજ એમનો ઉપદેશ.)
  • If You Love What You Are Doing, You Will Be Successful. તેમણે આ વાક્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને નેત્રદિપક સફળતા મેળવી છે.
૪૨૨ પાનાનાં પુસ્તકનો સાર અથવા પુસ્તક પરિચય ટૂંકમાં લખીએ તો પણ લાંબો જ થઈ જાય એટલે કથાવસ્તુની વિગતો સમાવી શકાય. જીવન ઝરમરમાંથી વ્યક્તિનો પ્રાથમિક પરિચય થઈ જાય – પછી વધુ સમાવવાના લોભને મેં છોડીને કલમને વિરામ આપવાનું નક્કી કર્યું. આશા છે હરેશભાઈ ધોળકિયાનો ઓછો પરિચય મેં અહી સમજાવ્યો છે – વધુ ઉત્કંઠા જાગે તો પુસ્તક વાંચવા સિવાય છૂટકો નથી.





વહાલનું અક્ષયપાત્ર
  • પુસ્તકનું નામ: વહાલનું અક્ષયપાત્ર
  • સંપાદન : જીના શેઠ, વિરેન શેઠ
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૦૮-૦૮-૨૦૨૦
  • વર્ષ : ૨૦૧૯
  • પાનાં : ૪૨૨
  • પ્રકાશન : સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

Why Elderly People Don't Spend

This is the story of senior citizens, say, old-aged people, above the age of 60 and their habit of minimum spending or not spending at all. They want to save a big amount of money till the last day of their lives and make a big heap of money to be left behind. Before I discuss the details, let me give you certain real-life examples without their names. Yes, all of these are true stories of senior citizens.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે. 

ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે. 

ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે. 

પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ અંગદનો પગ!

વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ. 

“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાન ના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે. રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે  છે, પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? આવા પ્રતિભાશાળી પાત્રની વાત હોય તો નવલકથા “અંગદનો પગ” શા માટે નહીં? કથાવાર્તાનો પરિચય હું કરાવીશ પણ બધી વિગત અને અંત ન કહીને આપણી ઉત્કંઠા અને વાંચવાની આતુરતા જાળવી રાખીશ. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહ ની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે. એ બન્નેના પ્રિય વિદ્યાર્થી જે ભણીને હાર્ટ સર્જન બને છે-તેના બન્ને ગુરુજીઓ સાથેના સહવાસથી થતી અસરોનું વર્ણન છે. આ નવલકથામાં વિચારોના વલણોમાંથી નીકળતું અમૃત હું આપને બતાવીશ.

  • પ્રતિભાશાળી (First Raters) અને સામાન્ય (Secid Raters) ના સંઘર્ષની અહી ચર્ચા છે.
  • આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધારી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી.
  • મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. અહી કિશોર દવેને તેની માં, પ્રો. રાઠોડ અને સાથી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ તેની મર્યાદા બતાવે છે અને તેથી તેઓને તે દુશ્મન બનાવે છે.
  • અનુભૂતિ (Awareness), આંતર પ્રજ્ઞાનો અવાજ (Spark), જીવવાની ઈચ્છા (Willpower), અને માધુર્ય (Grace) થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ મહત્વાકાંક્ષા, ધારદાર પૃથક્કરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન છે.
  • જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ (અંદરનું અનંત જગત જે પૂર્ણ છે) ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે. તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી (મિશન એટલે ચોક્કસ નિર્ધારિત હેતુ માટે કાર્યરત રહેવું) તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
  • શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
  • એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે. આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
  • સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
  • પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે. ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ (Awareness)નું જ્ઞાન આપે છે.
  • સરાસરીપણું અને સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે – તેઓ સ્વીકાર (Confessions) – કબૂલાતનામું વર્ણવે છે – તેઓ સમાન્યપણાના અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન (Catharsis) કરે છે. તેઓ પોતાને સિંહનું ચામડું પહેરેલ ગધેડો- કાયર – કહે છે. વધુ માટે “અંગદનો પત્ર” વાંચવું પડે.
  • માનવસ્વભાવ નિશ્ચિત છે – તે અમુક રીતે જ વર્તે છે – જન્મની પળે બુદ્ધિશક્તિને એક ગતિ (Momentum) મળે છે – પછી લઘુતાગ્રંથિ- આળસ- ઈર્ષ્યા કે ઝેરીવલણ સામાન્યતા તરફ દોરે છે – તો પ્રજ્ઞા – જ્ઞાનીપણું – પ્રતિભા મહાન બુદ્ધિશાળી બનાવે છે. આપણે શું કરવું છે?
આમ ગુજરાતની બધી શિક્ષણ સંસ્થાઓ માં વંચાયેલું M.Phil ના સંદર્ભ પુસ્તક તરીકે ખેડાયેલા M.Ed ના વિધ્યાર્થીઓ દ્વારા શોધ-નિબંધ માં વર્ણવાયેલ અને નાટ્યરૂપાંતર પામેલ આ નવલ આપણે વાંચીશું ને?

      



અંગદનો પગ
  • પુસ્તકનું નામ: અંગદનો પગ
  • લેખક : હરેશ ધોળકિયા
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 23-Jul-2020
  • કિમત : ₹150
  • પાનાં : 184 + 16 પાનાં
  • પ્રકાશન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (2006)