Skip to main content

ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.
  
ભારતીય સંસ્કૃતિ-ભારતની અસ્મિતા એક છે એ કેંદ્રવર્તી વિચાર સંસ્કૃતિની દરેક બાબતોમાં પ્રાણશક્તિની જેમ વ્યાપેલો છે. આ વિચાર વૃક્ષના બીજ જેવો છે. આ વિચાર જ પ્રજાનું માનસ ઘડે છે. આ વિચાર જ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રભાવિત કરે છે. આમ ભારતીય વિચાર - એ નીતિ, રાજકારણ, ધર્મ, મર્યાદા, વ્યક્તિ અને સમાજનો સંબંધ, પરસ્પર વ્યવહાર જેવી દરેક બાબતમાં નિશ્ચિત સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણેની જીવનપદ્ધતિ દર્શાવે છે. 

આ ભારતીય વિચારનો પ્રચાર-પ્રસાર કરનાર વૈચારિક આંદોલન તે “ભારતીય વિચાર મંચ.” 


ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ હોવા છતાં એકતાનો અભાવ, પરસ્પરને મદદરૂપ થવાની ભાવનાનો હ્રાશ, સદ્દગુણોનો વિવેકહીન અતિરેક અને સ્વાભિમાનવિહીન વર્તનને કારણે છેલ્લાં હજાર વર્ષ મુગલ અને બ્રિટીશ લોકો આપણને ગુલામ-પરાધીન બનાવી રાજ અને લૂંટ ચલાવી શક્યા. હિન્દુ સમાજની વિકૃતિ અને સારાસારના વિવેકના અભાવે અસહ્ય પીડ પરતંત્રતા-ગુલામી-અપમાન સહેવાનો વખત આવ્યો. કમસેકમ હવે જાગવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિના કેન્દ્રવર્તી વિચારો જાણીએ.

આપણે ત્રણ ઘટકો સ્વીકાર્યા છે.
  • ૧. સ્વહિત 
  • ૨. સર્વહિત અને
  • ૩. સ્વહિત અને સર્વહિતનો સાપેક્ષ સંબંધ
સ્વહિત:

ગમે તે મેળવવું અને તે ભોગવવું તે સુખ છે. આ પ્રક્રિયામાં બાકીના સૌના વિચારને જોડવું તે અને તેને અનુકૂળ ઉપાય યોજવો તે હિત છે.

સર્વહિત:

કેવળ માનવ જાતિની જ નહીં, સમગ્ર પશુસૃષ્ટિ, વૃક્ષો અને પર્યાવરણ સહિતના વાતાવરણના હિતની વાત કરવું તે સર્વહિત કહેવાય છે. સ્વહિત અને સર્વહિત વચ્ચેનું સામંજસ્ય જેટલું સારું રહે એટલો સમાજ સ્વસ્થ રહે છે.

આ વિચાર ભૂલાયો ન હોત તો, મુસ્લીમો ભયથી અને અંગ્રેજો લાલચથી આપણને હરાવી શક્યા તે ન બન્યું હોત.

સ્વતંત્રતા પછી પણ, મુડીવાદ, ઉપભોગતાવાદ, સામ્રાજ્યવાદ, અને સામ્યવાદને કારણે રાષ્ટ્રવાદનો મૂળભૂત વિચાર વિસારે પડ્યો છે. અનૈતિક ઉપરાંત જીવનમૂલ્યોના અપમાન ધરાવતી વિચારધારા કહેવાતા બુદ્ધિજીવીઓ અને સર્વસામાન્ય ભારતીયને આકર્ષી ગયા. તેથી ફરીથી અધ:પતન લાવનારી સ્વકેન્દ્રી જીવનશૈલી વિકસી છે. ભારતીય વિચાર મંચ આ દિશામાં સુધારા માટે પ્રવૃત્તિશીલ છે.

ચાર અગત્યના માર્ગદર્શક સિદ્ધાંતો:

૧. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી

ભારત દેશની ભૂમાતા એ જ આપણું સ્વર્ગ છે, આ સાદી વાત સમજીને સ્વીકારવું અનિવાર્ય છે. માતૃભૂમિના ચરણે સર્વસ્વ સમર્પણનો સંકલ્પ કરનારા લાખો દેશભકતોની સાથે આપણી કર્મયાત્રા જોડીને ભારતભક્તિ જગાવવાની છે.

૨. આ નો ભદ્રા: ક્રત્વો યન્તુ વિશ્વતઃ

વિશ્વભરમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત છે. આ રીતે વૈચારિક વિવિધતાને સ્વીકારી, અંતે સર્વદેવ નમસ્કાર કેશવ પ્રગતિ ગચ્છતિ કરીને ઈશ્વરના કોઈપણ સ્વરૂપને નમસ્કાર છેવટે તે પરમતત્વના ચરણોમાં પહોંચે છે. આમ એકાત્મદ્રષ્ટિ અને એકત્વને સ્પષ્ટ કરી અજ્ઞાનને કારણે થતાં સંઘર્ષો ટાળવાની સમજ કેળવો.

૩. ગુણા પૂજાસ્થાન મ ગુણિષુ, ન ચ લિંગ ન વયં 

જાતિ, ફળ, લિંગભેદને બદલે જ્ઞાન, તપ, યોગ્યતા જ પૂજનીય માન્યા છે.

૪. ન ત્વહં કામયે રાખ્યા ન સ્વર્ગ ન પુનરભવ કામયે દુ ખ ત પત્તાના પ્રાણીનામરતી નાશનમ

મને રાજ્ય, સ્વર્ગ કે પુનર્જન્મની આકાક્ષાં નથી. હું તો માત્ર દુ:ખિત, પીડિતજનો ના દુ:ખ-દર્દ દૂર કરવા માંગું છું. આમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેવા ચાર પુરુષર્થો ને આધારે સર્વસ્પર્શી એકાત્મક વિચાર પ્રસ્થાપિત કરો.

આ રીતે, ભારતીય વિચાર મંચમાં જોડાઈ વિશ્વકલ્યાણ, વિશ્વબંધુત્વ અને વિશ્વપરિવારની ભાવનાને ચરિતાર્થ કરવા લાગી પડીએ.

ભારતીય વિચાર મંચ - પરિચય

ભારત નવોત્થાન અને સર્વક્ષેત્રોમાં ભારતીયતાની પુન:પ્રતિષ્ઠા જ મંચનું જીવનકાર્ય છે. તે સિવાય મંચની કોઈ સંસ્થાગત મહત્વકાંક્ષા નથી.

મંચ સાથે જોડાવા માટે કોઈ ઔપચારિક સદ્દસ્યતા કે સદ્દસ્યતા શુલ્ક (સભ્ય ફી) નથી.

કોઈ ચોક્કસ સંસ્થા કે વિચારધારા સાથેનું જોડાણ પણ અનિવાર્ય નથી. દરેક બાબતે સો ટકા સહમતી પણ આવશ્યક નથી.

પ્રશિક્ષણ, પ્રબોધન, જાગરણ, પ્રકાશન, અને સંશોધનતા ના આધારે આવશ્યક સાહિત્યનું પ્રકાશન અને કાર્યકર્તા પ્રશિક્ષણ એ મંચની પ્રવૃત્તિ છે. પરિસંવાદ (Seminars), વિચારગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પ્રકાશનો વિગેરે મંચના ઉપકરણો છે.

આપણે શું શું કરી શકીએ?
  • ૧. ભારતીયતા વિષયક સંશોધન કાર્ય કરી શકીએ
  • ૨. વિચારપ્રવર્તક લેખન અને પ્રકાશનમાં સહયોગી થઈ શકીએ
  • ૩. ઉપલબ્ધ સાહિત્ય આપણાં મિત્રો, પરિચિતો, અને સ્વજનો સુધી પહોંચાડી શકીએ
  • ૪. પોતે વ્યાખ્યાન દ્વારા જ્ઞાન આપી શકે
  • ૫. શક્ય આર્થિક સહાય કરી કે કરાવી શકાય
આમ સહિયારા પ્રયાસોથી સાચો, પાકો, આગ્રહી જાગ્રત ભારતીય તૈયાર કરી ભારતનો સાંસ્ક્રુતિક દિગ્વિજય કરી વિશ્વમાનવતાનો વિનાશ રોકીએ. 


તા. ૦૧-૦૧-૨૦૨૧ 

ડો. ભરત દેસાઈ
અધ્યક્ષ, ભારતીય વિચાર મંચ બીલીમોરા 
મો. : ૯૯૨૪૦ ૬૩૦૪૫ 

Comments

  1. Deep process of Thinking.
    Spellbound!
    Thanks

    ReplyDelete
  2. Very good thought we are with you khud ke liye jie to kya khak jie jina use kehte hai jo auro ke liye jile jayshree
    A Desai

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

History Of India - For "No Time" Tagged Readers

Let’s first understand the word “history”. History is a social science with storytelling. History is discovery, collection and presentation of information about past events with its cause and effect. History is a record of past. Greek word ‘Historia’ means inquiry, judging and knowledge acquired by investigation. For learning history, it is compulsory to understand/know geography, economics and anthropology simultaneously. Now coming to India, ‘pre-independence’ Indian history had: 1.            Stone age: 30,000 BC to 3300 BC 2.            Bronze age: 3300 BC to 1500 BC 3.            Iron age: 1500 BC onwards. So here’s the History of India post-1500 BC, within my knowledge and research. The following sections are quite detailed and may appeal more to readers with academic interests. If you bel...