Skip to main content

ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.
  
ભારતીય સંસ્કૃતિ-ભારતની અસ્મિતા એક છે એ કેંદ્રવર્તી વિચાર સંસ્કૃતિની દરેક બાબતોમાં પ્રાણશક્તિની જેમ વ્યાપેલો છે. આ વિચાર વૃક્ષના બીજ જેવો છે. આ વિચાર જ પ્રજાનું માનસ ઘડે છે. આ વિચાર જ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રભાવિત કરે છે. આમ ભારતીય વિચાર - એ નીતિ, રાજકારણ, ધર્મ, મર્યાદા, વ્યક્તિ અને સમાજનો સંબંધ, પરસ્પર વ્યવહાર જેવી દરેક બાબતમાં નિશ્ચિત સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણેની જીવનપદ્ધતિ દર્શાવે છે. 

આ ભારતીય વિચારનો પ્રચાર-પ્રસાર કરનાર વૈચારિક આંદોલન તે “ભારતીય વિચાર મંચ.” 


ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ હોવા છતાં એકતાનો અભાવ, પરસ્પરને મદદરૂપ થવાની ભાવનાનો હ્રાશ, સદ્દગુણોનો વિવેકહીન અતિરેક અને સ્વાભિમાનવિહીન વર્તનને કારણે છેલ્લાં હજાર વર્ષ મુગલ અને બ્રિટીશ લોકો આપણને ગુલામ-પરાધીન બનાવી રાજ અને લૂંટ ચલાવી શક્યા. હિન્દુ સમાજની વિકૃતિ અને સારાસારના વિવેકના અભાવે અસહ્ય પીડ પરતંત્રતા-ગુલામી-અપમાન સહેવાનો વખત આવ્યો. કમસેકમ હવે જાગવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિના કેન્દ્રવર્તી વિચારો જાણીએ.

આપણે ત્રણ ઘટકો સ્વીકાર્યા છે.
  • ૧. સ્વહિત 
  • ૨. સર્વહિત અને
  • ૩. સ્વહિત અને સર્વહિતનો સાપેક્ષ સંબંધ
સ્વહિત:

ગમે તે મેળવવું અને તે ભોગવવું તે સુખ છે. આ પ્રક્રિયામાં બાકીના સૌના વિચારને જોડવું તે અને તેને અનુકૂળ ઉપાય યોજવો તે હિત છે.

સર્વહિત:

કેવળ માનવ જાતિની જ નહીં, સમગ્ર પશુસૃષ્ટિ, વૃક્ષો અને પર્યાવરણ સહિતના વાતાવરણના હિતની વાત કરવું તે સર્વહિત કહેવાય છે. સ્વહિત અને સર્વહિત વચ્ચેનું સામંજસ્ય જેટલું સારું રહે એટલો સમાજ સ્વસ્થ રહે છે.

આ વિચાર ભૂલાયો ન હોત તો, મુસ્લીમો ભયથી અને અંગ્રેજો લાલચથી આપણને હરાવી શક્યા તે ન બન્યું હોત.

સ્વતંત્રતા પછી પણ, મુડીવાદ, ઉપભોગતાવાદ, સામ્રાજ્યવાદ, અને સામ્યવાદને કારણે રાષ્ટ્રવાદનો મૂળભૂત વિચાર વિસારે પડ્યો છે. અનૈતિક ઉપરાંત જીવનમૂલ્યોના અપમાન ધરાવતી વિચારધારા કહેવાતા બુદ્ધિજીવીઓ અને સર્વસામાન્ય ભારતીયને આકર્ષી ગયા. તેથી ફરીથી અધ:પતન લાવનારી સ્વકેન્દ્રી જીવનશૈલી વિકસી છે. ભારતીય વિચાર મંચ આ દિશામાં સુધારા માટે પ્રવૃત્તિશીલ છે.

ચાર અગત્યના માર્ગદર્શક સિદ્ધાંતો:

૧. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી

ભારત દેશની ભૂમાતા એ જ આપણું સ્વર્ગ છે, આ સાદી વાત સમજીને સ્વીકારવું અનિવાર્ય છે. માતૃભૂમિના ચરણે સર્વસ્વ સમર્પણનો સંકલ્પ કરનારા લાખો દેશભકતોની સાથે આપણી કર્મયાત્રા જોડીને ભારતભક્તિ જગાવવાની છે.

૨. આ નો ભદ્રા: ક્રત્વો યન્તુ વિશ્વતઃ

વિશ્વભરમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત છે. આ રીતે વૈચારિક વિવિધતાને સ્વીકારી, અંતે સર્વદેવ નમસ્કાર કેશવ પ્રગતિ ગચ્છતિ કરીને ઈશ્વરના કોઈપણ સ્વરૂપને નમસ્કાર છેવટે તે પરમતત્વના ચરણોમાં પહોંચે છે. આમ એકાત્મદ્રષ્ટિ અને એકત્વને સ્પષ્ટ કરી અજ્ઞાનને કારણે થતાં સંઘર્ષો ટાળવાની સમજ કેળવો.

૩. ગુણા પૂજાસ્થાન મ ગુણિષુ, ન ચ લિંગ ન વયં 

જાતિ, ફળ, લિંગભેદને બદલે જ્ઞાન, તપ, યોગ્યતા જ પૂજનીય માન્યા છે.

૪. ન ત્વહં કામયે રાખ્યા ન સ્વર્ગ ન પુનરભવ કામયે દુ ખ ત પત્તાના પ્રાણીનામરતી નાશનમ

મને રાજ્ય, સ્વર્ગ કે પુનર્જન્મની આકાક્ષાં નથી. હું તો માત્ર દુ:ખિત, પીડિતજનો ના દુ:ખ-દર્દ દૂર કરવા માંગું છું. આમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેવા ચાર પુરુષર્થો ને આધારે સર્વસ્પર્શી એકાત્મક વિચાર પ્રસ્થાપિત કરો.

આ રીતે, ભારતીય વિચાર મંચમાં જોડાઈ વિશ્વકલ્યાણ, વિશ્વબંધુત્વ અને વિશ્વપરિવારની ભાવનાને ચરિતાર્થ કરવા લાગી પડીએ.

ભારતીય વિચાર મંચ - પરિચય

ભારત નવોત્થાન અને સર્વક્ષેત્રોમાં ભારતીયતાની પુન:પ્રતિષ્ઠા જ મંચનું જીવનકાર્ય છે. તે સિવાય મંચની કોઈ સંસ્થાગત મહત્વકાંક્ષા નથી.

મંચ સાથે જોડાવા માટે કોઈ ઔપચારિક સદ્દસ્યતા કે સદ્દસ્યતા શુલ્ક (સભ્ય ફી) નથી.

કોઈ ચોક્કસ સંસ્થા કે વિચારધારા સાથેનું જોડાણ પણ અનિવાર્ય નથી. દરેક બાબતે સો ટકા સહમતી પણ આવશ્યક નથી.

પ્રશિક્ષણ, પ્રબોધન, જાગરણ, પ્રકાશન, અને સંશોધનતા ના આધારે આવશ્યક સાહિત્યનું પ્રકાશન અને કાર્યકર્તા પ્રશિક્ષણ એ મંચની પ્રવૃત્તિ છે. પરિસંવાદ (Seminars), વિચારગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પ્રકાશનો વિગેરે મંચના ઉપકરણો છે.

આપણે શું શું કરી શકીએ?
  • ૧. ભારતીયતા વિષયક સંશોધન કાર્ય કરી શકીએ
  • ૨. વિચારપ્રવર્તક લેખન અને પ્રકાશનમાં સહયોગી થઈ શકીએ
  • ૩. ઉપલબ્ધ સાહિત્ય આપણાં મિત્રો, પરિચિતો, અને સ્વજનો સુધી પહોંચાડી શકીએ
  • ૪. પોતે વ્યાખ્યાન દ્વારા જ્ઞાન આપી શકે
  • ૫. શક્ય આર્થિક સહાય કરી કે કરાવી શકાય
આમ સહિયારા પ્રયાસોથી સાચો, પાકો, આગ્રહી જાગ્રત ભારતીય તૈયાર કરી ભારતનો સાંસ્ક્રુતિક દિગ્વિજય કરી વિશ્વમાનવતાનો વિનાશ રોકીએ. 


તા. ૦૧-૦૧-૨૦૨૧ 

ડો. ભરત દેસાઈ
અધ્યક્ષ, ભારતીય વિચાર મંચ બીલીમોરા 
મો. : ૯૯૨૪૦ ૬૩૦૪૫ 

Comments

  1. Deep process of Thinking.
    Spellbound!
    Thanks

    ReplyDelete
  2. Very good thought we are with you khud ke liye jie to kya khak jie jina use kehte hai jo auro ke liye jile jayshree
    A Desai

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

Karmic Theory (Law Of Karma)

“Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?

ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને

અનાવિલ સમાજનો પરિચય વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે. અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે. આપણો ઈતિહાસ આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેન...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...