Skip to main content

ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.
  
ભારતીય સંસ્કૃતિ-ભારતની અસ્મિતા એક છે એ કેંદ્રવર્તી વિચાર સંસ્કૃતિની દરેક બાબતોમાં પ્રાણશક્તિની જેમ વ્યાપેલો છે. આ વિચાર વૃક્ષના બીજ જેવો છે. આ વિચાર જ પ્રજાનું માનસ ઘડે છે. આ વિચાર જ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રભાવિત કરે છે. આમ ભારતીય વિચાર - એ નીતિ, રાજકારણ, ધર્મ, મર્યાદા, વ્યક્તિ અને સમાજનો સંબંધ, પરસ્પર વ્યવહાર જેવી દરેક બાબતમાં નિશ્ચિત સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણેની જીવનપદ્ધતિ દર્શાવે છે. 

આ ભારતીય વિચારનો પ્રચાર-પ્રસાર કરનાર વૈચારિક આંદોલન તે “ભારતીય વિચાર મંચ.” 


ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ હોવા છતાં એકતાનો અભાવ, પરસ્પરને મદદરૂપ થવાની ભાવનાનો હ્રાશ, સદ્દગુણોનો વિવેકહીન અતિરેક અને સ્વાભિમાનવિહીન વર્તનને કારણે છેલ્લાં હજાર વર્ષ મુગલ અને બ્રિટીશ લોકો આપણને ગુલામ-પરાધીન બનાવી રાજ અને લૂંટ ચલાવી શક્યા. હિન્દુ સમાજની વિકૃતિ અને સારાસારના વિવેકના અભાવે અસહ્ય પીડ પરતંત્રતા-ગુલામી-અપમાન સહેવાનો વખત આવ્યો. કમસેકમ હવે જાગવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિના કેન્દ્રવર્તી વિચારો જાણીએ.

આપણે ત્રણ ઘટકો સ્વીકાર્યા છે.
  • ૧. સ્વહિત 
  • ૨. સર્વહિત અને
  • ૩. સ્વહિત અને સર્વહિતનો સાપેક્ષ સંબંધ
સ્વહિત:

ગમે તે મેળવવું અને તે ભોગવવું તે સુખ છે. આ પ્રક્રિયામાં બાકીના સૌના વિચારને જોડવું તે અને તેને અનુકૂળ ઉપાય યોજવો તે હિત છે.

સર્વહિત:

કેવળ માનવ જાતિની જ નહીં, સમગ્ર પશુસૃષ્ટિ, વૃક્ષો અને પર્યાવરણ સહિતના વાતાવરણના હિતની વાત કરવું તે સર્વહિત કહેવાય છે. સ્વહિત અને સર્વહિત વચ્ચેનું સામંજસ્ય જેટલું સારું રહે એટલો સમાજ સ્વસ્થ રહે છે.

આ વિચાર ભૂલાયો ન હોત તો, મુસ્લીમો ભયથી અને અંગ્રેજો લાલચથી આપણને હરાવી શક્યા તે ન બન્યું હોત.

સ્વતંત્રતા પછી પણ, મુડીવાદ, ઉપભોગતાવાદ, સામ્રાજ્યવાદ, અને સામ્યવાદને કારણે રાષ્ટ્રવાદનો મૂળભૂત વિચાર વિસારે પડ્યો છે. અનૈતિક ઉપરાંત જીવનમૂલ્યોના અપમાન ધરાવતી વિચારધારા કહેવાતા બુદ્ધિજીવીઓ અને સર્વસામાન્ય ભારતીયને આકર્ષી ગયા. તેથી ફરીથી અધ:પતન લાવનારી સ્વકેન્દ્રી જીવનશૈલી વિકસી છે. ભારતીય વિચાર મંચ આ દિશામાં સુધારા માટે પ્રવૃત્તિશીલ છે.

ચાર અગત્યના માર્ગદર્શક સિદ્ધાંતો:

૧. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી

ભારત દેશની ભૂમાતા એ જ આપણું સ્વર્ગ છે, આ સાદી વાત સમજીને સ્વીકારવું અનિવાર્ય છે. માતૃભૂમિના ચરણે સર્વસ્વ સમર્પણનો સંકલ્પ કરનારા લાખો દેશભકતોની સાથે આપણી કર્મયાત્રા જોડીને ભારતભક્તિ જગાવવાની છે.

૨. આ નો ભદ્રા: ક્રત્વો યન્તુ વિશ્વતઃ

વિશ્વભરમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત છે. આ રીતે વૈચારિક વિવિધતાને સ્વીકારી, અંતે સર્વદેવ નમસ્કાર કેશવ પ્રગતિ ગચ્છતિ કરીને ઈશ્વરના કોઈપણ સ્વરૂપને નમસ્કાર છેવટે તે પરમતત્વના ચરણોમાં પહોંચે છે. આમ એકાત્મદ્રષ્ટિ અને એકત્વને સ્પષ્ટ કરી અજ્ઞાનને કારણે થતાં સંઘર્ષો ટાળવાની સમજ કેળવો.

૩. ગુણા પૂજાસ્થાન મ ગુણિષુ, ન ચ લિંગ ન વયં 

જાતિ, ફળ, લિંગભેદને બદલે જ્ઞાન, તપ, યોગ્યતા જ પૂજનીય માન્યા છે.

૪. ન ત્વહં કામયે રાખ્યા ન સ્વર્ગ ન પુનરભવ કામયે દુ ખ ત પત્તાના પ્રાણીનામરતી નાશનમ

મને રાજ્ય, સ્વર્ગ કે પુનર્જન્મની આકાક્ષાં નથી. હું તો માત્ર દુ:ખિત, પીડિતજનો ના દુ:ખ-દર્દ દૂર કરવા માંગું છું. આમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેવા ચાર પુરુષર્થો ને આધારે સર્વસ્પર્શી એકાત્મક વિચાર પ્રસ્થાપિત કરો.

આ રીતે, ભારતીય વિચાર મંચમાં જોડાઈ વિશ્વકલ્યાણ, વિશ્વબંધુત્વ અને વિશ્વપરિવારની ભાવનાને ચરિતાર્થ કરવા લાગી પડીએ.

ભારતીય વિચાર મંચ - પરિચય

ભારત નવોત્થાન અને સર્વક્ષેત્રોમાં ભારતીયતાની પુન:પ્રતિષ્ઠા જ મંચનું જીવનકાર્ય છે. તે સિવાય મંચની કોઈ સંસ્થાગત મહત્વકાંક્ષા નથી.

મંચ સાથે જોડાવા માટે કોઈ ઔપચારિક સદ્દસ્યતા કે સદ્દસ્યતા શુલ્ક (સભ્ય ફી) નથી.

કોઈ ચોક્કસ સંસ્થા કે વિચારધારા સાથેનું જોડાણ પણ અનિવાર્ય નથી. દરેક બાબતે સો ટકા સહમતી પણ આવશ્યક નથી.

પ્રશિક્ષણ, પ્રબોધન, જાગરણ, પ્રકાશન, અને સંશોધનતા ના આધારે આવશ્યક સાહિત્યનું પ્રકાશન અને કાર્યકર્તા પ્રશિક્ષણ એ મંચની પ્રવૃત્તિ છે. પરિસંવાદ (Seminars), વિચારગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પ્રકાશનો વિગેરે મંચના ઉપકરણો છે.

આપણે શું શું કરી શકીએ?
  • ૧. ભારતીયતા વિષયક સંશોધન કાર્ય કરી શકીએ
  • ૨. વિચારપ્રવર્તક લેખન અને પ્રકાશનમાં સહયોગી થઈ શકીએ
  • ૩. ઉપલબ્ધ સાહિત્ય આપણાં મિત્રો, પરિચિતો, અને સ્વજનો સુધી પહોંચાડી શકીએ
  • ૪. પોતે વ્યાખ્યાન દ્વારા જ્ઞાન આપી શકે
  • ૫. શક્ય આર્થિક સહાય કરી કે કરાવી શકાય
આમ સહિયારા પ્રયાસોથી સાચો, પાકો, આગ્રહી જાગ્રત ભારતીય તૈયાર કરી ભારતનો સાંસ્ક્રુતિક દિગ્વિજય કરી વિશ્વમાનવતાનો વિનાશ રોકીએ. 


તા. ૦૧-૦૧-૨૦૨૧ 

ડો. ભરત દેસાઈ
અધ્યક્ષ, ભારતીય વિચાર મંચ બીલીમોરા 
મો. : ૯૯૨૪૦ ૬૩૦૪૫ 

Popular this week

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605) જલાલુદ્દીન મુહમ્મદ અકબર  લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે.  જન્મ : 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે રાજ્યાભિષેક : 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે મૃત્યુ : 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે 63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું. અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી ર...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું. બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા. ૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આં...

પારસીઓ તથા પારસીઓનો ધર્મ ”જરથોસ્તી ધર્મ”

પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા. પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી. આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ. આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું. જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion) સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦) સ્થળ: ઈરાન મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા મુખ્ય દેવ : અહુરમજદ મુખ્ય પ્રાર્થના: અહૂનવર ધર્મગુરુ: મોબેદ , દસ્તૂર ધર્મસ્થાન: અગિયારી પ્રથમ કક્ષા: આતશ બહેરામ બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ ધર્મચિહ્ન: અગ્નિ , અગ્નિકુંડ મુખ્ય પંથો...