Skip to main content

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું.

બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા.

૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આંખના ડૉકટર હોવાથી ખૂબ કામ રહેતું. મોટા ભાગની સારવાર થતી. ડૉકટર - દર્દીનો સંબંધ સન્માનનીય અને વિશ્વાસનો હોવાથી દર્દી ડૉકટરને ભગવાન માનતા - તો ડૉકટર તરીકે હું કમાવા કરતાં સેવાભાવના વધારે રાખતો.


તો ચાલો, નેત્રયજ્ઞોનો હિસાબ તપાસીએ.

લાયન્સ કલબ, બીલીમોરા - ચીખલી - ગણદેવી આયોજીત નેત્રયજ્ઞ

૧૯૭૮માં બીલીમોરા ખાતે મૈ આંખની હોસ્પિટલ શરૂ કરી. ત્યારે આખા ગુજરાતમાં ફકત ત્રણસો આંખના ડૉકટરો હતો, તેમાંથી પણ નવસારી પછી બીલીમોરા, વલસાડ, વાપી, ઉમરગામ, વાંસદા અને આહવા ખાતે પૂર્ણ સમયના આંખનું વ્યવસ્થિત ભણેલા ડૉકટરો બિલકુલ ન હતા. મેં અભ્યાસપૂર્ણ કયો ત્યારે શિક્ષક (Teacher / Academician) થવાની તીવ્ર ઇચ્છા હતી, પણ ગરીબોની સેવા કરવાની ભાવનાએ તેની ઉપર વિજય મેળવ્યો અને હું બીલીમોરા સ્થાયી થયો. સદ્નસીબે તે જ સમયે વલસાડ ખાતે કસ્તુરબા હોસ્પિટલમાં ડૉ.ભૂષણ શુકલ અને વાપી ખાતે ડૉ. ઉપેન્દ્ર રાવલે નેત્રરોગીઓની સેવા શરૂ કરી (હાલમાં આ જ વિસ્તારમાં પચાસથી વધુ નિષ્ણાતો છે, તે જાણખાતર). લગભગ પચાસ વર્ષ પહેલાં ડૉકટરોને ભગવાનનો દરજ્જો લોકો આપતા ઉપરાંત ડૉકટરો પણ કમાવા કરતાં વધારે લોકસેવાને પ્રાધાન્ય આપતા અને સાદું સંતોષી જીવન જીવતા.


રોટરી ક્લબો પોલિયો નાબુદી માટે વિશ્વમાં પ્રખ્યાત છે, એમ લાયન્સ કલબો નેત્રરોગોઓનાં અંધત્ત્વ નિવારણ માટે નેત્રયજ્ઞો માટે પ્રખ્યાત છે. બીલીમોરા લાયન્સ કલબના પ્રમુખ હરગોવિંદ ઈટવાલા અને ઝોન ચેરમેન ડૉ.ઈશ્વરચંદ્ર દેસાઇએ ખારા અબ્રામાના નિવાસ સ્થાને વાંસદાના નેત્રયજ્ઞમાં સેવા આપવા પ્રથમવાર આમંત્રણ આપ્યું અને ત્યાંથી મારી નેત્રયજ્ઞમાં સેવાની શરૂઆત થઇ. હકીકતમાં ૧૯૭૯ હું લાયન્સ કલબ, બીલીમોરામાં જોડાયો પણ ખરો.

બીલીમોરા ખાતે નેત્રયજ્ઞો

ત્યારે નેત્રયજ્ઞો હાઇસ્કુલ જેવા સ્થળે સાધારણ રીતે દીવાળી વેકેશન કે નાતાલ વેકેશનમાં યોજાતા. શનિવારે નિદાન કરી જરૂરી સારવાર - ચશ્મા આપી મોતીયા - ઝામર - વેલના ઓપરેશનો હાઇસ્કુલમાં અઠવાડિયું રાખીને કરવામાં આવતા. રહેવાની - ખાવા પીવાની તથા દવા વગેરેની વ્યવસ્થા હાઇસ્કુલના રૂમમાં ગાંદલા પાથરી અને રસોડું કરી કરવામાં આવતી. આપરેશન માટે એક રૂમ ચુનો લગાવી વ્યવસ્થિત સાફસૂફ કરીને જરૂરી લાઇટો મુકીને (અથવા મોટી બેટરી દ્વારા) તૈયાર કરવામાં આવતી. ઓપરેશનના ત્રણ ચાર સેટ રાખીને, પાણીમાં ઉકાળીને વારાફરતી ઉપયોગમાં લેવાતા. આપરેશન પહેલાં બી.પી. - ડાયાબિટીસ અને બીજા રોગોની તપાસ કરવામાં આવતી.


મારી સાથે ધર્મપત્ની ડૉ. ભાવના દેસાઇ સહાયક તરીકે સેવા આપતી. મારી હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ ઓપરેશન સમયે મદદરૂપ થતો. સહાયક નિષ્ણાત સર્જનો તરીકે કોઇવાર ડૉ.સુતરીયા (નવસારી) તો કોઇવાર ડૉ. એ.જે.ભટ્ટ (વલસાડ) જોડાતાં. લગભગ ૫૦-૬૦ દર્દીઓના ઓપરેશન થતાં.


બીલીમોરા ખાતે (૧) જવેર જીવણ હાઈસ્કૂલ, ફીડર રોડ, (૨) ટાટા હાઇસ્કુલ જવાહર રોડ, (૩) એલ. એમ. પી. હાઇસ્કુલ, મોરારજી માર્ગ, (૪) બીલી પાઠશાળા જેવા સ્થળોએ ઓપરેશન થતાં. કલબ દ્વારા બે વાર સરીખુરદ હાઇસ્કુલ અને ત્રણવાર અનાવલ વલ્લભ - રમુજીમંદિર ખાતે નેત્રયજ્ઞો યોજાયેલાં.

લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે એકવાર નેત્રયજ્ઞ યોજાતો અને દર્દીઓ ત્યાં સુધી ઓપરેશન માટે રોકાતા. દાખલ દર્દીને આંતરે દિવસે ડ્રેસિંગ કરીને છેલ્લે અઠવાડિયાં પછી દવા - ચશ્મા વગેરે આપી રજા આપવામાં આવતી.

તે સમયે સીવીલ હોસ્પિટલો નવસારી - વલસાડ ખાતે અને વલસાડ આર. એન. સી. આંખની ધર્માદા હોસ્પિટલ ખાતે સારવારમાં લોકોને શ્રધ્ધા ન હોવાથી જતાં નહીં, પરંતુ પાછળથી કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ, આર. એન. સી આંખની હોસ્પિટલ, વલસાડ ઉપરાંત નવસારી - વલસાડની સીવીલ હોસ્પિટલોમાં વ્યવસ્થિત ઓપરેશનો ભણેલા સેવાભાવી ડૉકટરો દ્વારા થવાનું શરૂ થતાં લોકો ત્યાં જવા લાગ્યા અને નેત્રયજ્ઞોની અનિવાર્યતા ન રહેતાં, નેત્રયજ્ઞો બંધ થયા.

લાયન્સ ક્લબ, ચીખલી, આયોજીત નેત્રયજ્ઞ

બધી કલબોમાં લાયન્સ કલબ, ચીખલીનું આયોજન સૌથી સુંદર રહેતું, કારણ તેમાં દરેક કાર્ય માટે કાયમી નિશ્ચિત સ્વયંસેવકો રહેતા. દા.ત.,

૧. મેડીકલ તપાસ અને કાળજી:
ડૉ. ધીરૂભાઇ દેસાઇ
નલીનીબેન દેસાઇ
અરવિંદ ગાંધી
દીલીપ મોદી

૨. દવા સાચવવી અને આપવી:
નવનીતભાઇ દેસાઇ
પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ

૩. ભોજન વ્યવસ્થા:
જયંતિભાઇ એમ. દેસાઇ
સાદકયેરરના ખેડૂત કાલીદાસ પટેલ

૪. નેત્રયજ્ઞના આયોજકો તરીકે મને યાદ છે તે પ્રમુખો નવનીતલાલ કાપડીયા, રજનીકાન્ત એમ. ગાંધી, પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ, દલીચંદ એફ. શાહ, સન્મુખલાલ જી. કાપડીયા, ડૉ. દીલીપભાઇ મોદી, ડૉ. અરવિંદભાઇ સી. ગાંધી.

ડી. એ. ઇટાલીયા હાઇસ્કુલ, ચીખલી ખાતે દર વર્ષે યોજાતા નેત્રયજ્ઞમાં શનિવારે આંખની તપાસ અને રવિવારે દર્દીના ઓપરેશનો યોજાતા.

જે તે વર્ષના ચીખલી લાયન્સ કલબના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ખજાનચીશ્રી બદલાતા. તેઓ આયોજન અને તે પહેલાં પ્રચારમાં મદદગાર થતા. દાતાઓ રોકડ-સીધું સામાન કે બીજા સ્વરૂપે ખર્ચને પહોંચી વળતા મદદરૂપ થતા.

હું, ડૉ. ભાવના દેસાઇ (મારા ધર્મપત્ની) તેમજ મારી દેસાઇ આંખની હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશન કરતો. અનુકૂળતા હોય તો વલસાડથી ડૉ. એ. જે. ભટ્ટ કે નવસારીથી ડૉ. કે. સી. સુતારિયા તેમની ટીમ સાથે ઓપરેશનમાં જોડાતા. ચીખલીના સ્વયંસેવકો (કાલીદાસ) પીયુષ દેસાઇ, પંકજ દેસાઇ, વીપીન દેસાઇ, હોમગાર્ડના ભૂપેન્દ્ર એ. દેસાઇ અને બીજા સેવાયજ્ઞમાં મદદરૂપ થતા.

આમ, અઠવાડિયું ચાલતો કાર્યક્રમ ૧૯૮૦ થી લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે નિયમીત ચાલ્યો. પછી ચીખલીમાં કોટેજ હોસ્પિટલ અને રોટરી આંખની હોસ્પિટલ ચાલુ થતાં નેત્રયજ્ઞની જરૂરિયાત ન રહેતાં બંધ થયા.

લાયન્સ ક્લબ, ગણદેવી, આયોજીત નેત્રયજ્ઞ

લાયન્સ મેમ્બરો દર વર્ષે નેત્રયજ્ઞ અને મોતીયા ઓપરેશન કેમ્પનું આયોજન કરતા. તેઓ હાલની દમણીયા હોસ્પિટલની પાછળ આવેલ “વિવેકાનંદ હોલ” ખાતે કાયમ આયોજન કરતા- ભોજન અને રહેવાની સગવડની ગોઠવણ કરતા. પ્રાથમિક શાળા દેવધાના સેવાભાવી ખાદીધારી આચાર્ય પટેલ ભીખુભાઇ અને અમલસાડના દેસાઇ અહી, વર્ષો સુધી સેવા આપતા - તેઓ બન્ને દિવસ-રાત ચોવીસ કલાક ત્યાં રહી સેવા આપતા.

૧૯૭૯ થી લગભગ દસ વર્ષ સુધી આયોજનો દર વર્ષે થતાં રહ્યાં. કોઇ વાર સુરતથી ડૉ.ઉપેન્દ્ર કલાઇગર તો કોઇ વાર નવસારીથી ડૉ. કે. સી. સુતરિયા મારી સાથે ઓપરેશનમાં જોડાતા પણ મોટેભાગે હું એકલો જ મારા પત્ની ડૉ. ભાવના દેસાઇ અને મારી હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશનો પાર પાડતો. દર્દીઓને અઠવાડિયું રાખતા - તે દરમ્યાન આંતરે દિવસે જઇ ડ્રેસિંગ કરી છેલ્લે દ્વિસે કાળજી રાખવાની સૂચનાઓ દવા ગોગલ્સ આપી વિદાય આપતા.

શનિવારે: લગભગ ૨૦૦ દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા-ધવા મફત આપી ૫૦-૬૦ મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે વિવેકાનંદ હોલ ખાતે દાખલ કરતા. દોઠ મહિના પછી ફરીથી ગણદેવી ખાતે વિવેકાનંદ હોલમાં બોલાવી. ચશ્મા વિતરણ કરતા.

ગણદેવીના નેત્રયજ્ઞો માટે દર્દીઓ વર્ષ સુધી રાહ જોઇ, ત્યાં જ ઓપરેશન કરાવતો - સંપૂણપણે મફત હોવાથી અને ઓપરેશન પછી કોઇ તકલીફ વગર સંપૂર્ણ દષ્ટિ મળવાથી દર્દીઓને કોઇ ફરિયાદ રહેતી નહીં.

નેત્રયજ્ઞમાં સક્રિય ગણદેવીના લાયનો: મધુસુદન વૈદ્ય, મુકુન્દભાઇ દેસાઇ,શ્રી હરિભાઇ દેસાઇ, શ્રી અક્ષયભાઇ દેસાઇ, ઠાકોરભાઇ જોષી, ડૉ. સુરેશભાઇ નાયક, ડૉ. રાજેષ વૈદ્ય, ડો.શરદભાઇ વૈદ્ય, મહેન્દ્ર ગાંધી, બચુભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ નાયક, જીતેન્દ્રભાઇ ચોકસી, વગેરે.

લાયન્સ કલબ કિલ્લાપારડી નેત્રયજ્ઞો

૧૯૮૨ થી ૧૯૮૫ના ત્રણ વર્ષો દરમ્યાન દર વર્ષે પારડી ખાતે ચૌહાણ પ્રાથમિક શાળામાં ત્રણ નેત્રયજ્ઞ કર્યા.

લા. પીરોજશા પારડીવાલા, લા. દશરથ વશી - નીલીમા વશી - લા. ડૉ. પ્રતાપ ઠોસર - ડૉ. રાજેશ્રી ઠોસર, ડૉ. પ્રભાતસિંહ ઠાકોર, ડૉ. ગીતા ઠાકોર, લા. ગીરધરલાલ રાણા, લા. નરીમાન વાઘ છીપાવાળા, ડૉ. કુલકર્ણી વગેરે લાયનમિત્રો ત્યારે સક્રિય હતા.

લા. દશરથ વશી મેડિકલ લાઇનના જાણકાર અને સેવાભાવી હોવા ઉપરાંત મારા હાઇસ્કુલના મિત્ર હોવાને નાતે નેત્રયજ્ઞ આયોજનમાં સક્રિય રહેતા. મુખ્ય નેત્રયજ્ઞના આગળના પાંચ રવિવારે રોહીણા, વાઘછીપા, પરીઆ જેવાં પાંચ સ્થળે નેત્રયજ્ઞો યોજી તેમને પારડી ઓપરેશન માટે આવવાની તારીખ આપતા.

ઉપરાંત શનિવારે કિલ્લાપારડી ખાતે નિદાનયજ્ઞ અને રવિવારે ઓપરેશનનું આયોજન કરતા. દર વર્ષે ૭૦-૧૦૦ જેટલાં ઓપરેશનો થતાં.

વ્યવસ્થિત પ્રચાર અને ખરેખર ઓપરેશનની જરૂરિયાત જ હોવાથી દર્દીઓ વ્યવસ્થાનો લાભ લેતા.

જીલ્લા અંધજન સહાય મંડળ અને દાતાઓને કારણે ખર્ચની વ્યવસ્થા થઇ જતી.

મે ૧૯૬૩-૭૦ના સાત વર્ષ બાલાખાડી, કિલ્લાપારડી રહીને અભ્યાસ કર્યો હોવાથી લગભગ બધા લાયનમિત્રો મારા પરિચિત હતા. ઉપરાંત નિસ્વાર્થ સેવાભાવના અને ઓપરેશનમાં નિપુણતા નેત્રયજ્ઞોને સફળતા બક્ષતા.

બીલીમોરાથી શનિ-રવિ-મંગળ-બુધ-શનિ એમ પાંચ વખત જઇ કામ કરવાનું તફલીફવાળું હોવા છતાં ઉત્સાહ અને સેવાભાવનાને કારણે કામકાજ સફળ અને સુંદર રહેતું. દર્દીને યોગ્ય ન્યાય મળી રહેતો.

લાયન્સ કલબ, ધરમપુર, આયોજીત નેત્રયજ્ઞ

૧૯૯૦ની આસપાસ સ્થપાયેલ નવી લાયન્સ કલબ, નેત્રયજ્ઞો યોજાતી હતી. તેઓ મને આમંત્રી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં નેત્રરોગનું નિદાન - ચશ્મા વિતરણ અને ધ્વાની સારવાર કરતા. પરંતુ ઓપરેશન એસ. એમ. અને એસ. એમ. હાઇસ્કુલ ખાતે કરતા. લગભગ ૪૦-૫૦ ઓપરેશનો કરતા. મારા બે મિત્રો ડૉ. બાબુભાઇ સી. પટેલ અને ડૉ. વિક્રમસિંહ પરમાર. આ કલબમાં હોવાથી તેઓ બાકીની સંભાળ રાખતા. દર્દીઓને અઠવાડિયું રાખતા તે દરમ્યાન બે વખત જઇ હું ડ્રેસિંગ વગેરે કરી શનિવારે વિદાય આપતા. આમ લગભગ બે - ત્રણ વર્ષ નેત્રયજ્ઞો યોજાતા. - પછી ધરમપુર લાયન્સ કલબ બંધ થવાથી આ કાર્યકમ આગળ થઇ શકયો નહીં.

આહવા ડાંગમાં નેત્રયજ્ઞો

શામગહન, હડકાઇ ચોંધ, વઘઇ અને આહવા જેવા સ્થળે દર વર્ષે સુરતનું ટ્રસ્ટ આવીને સર્વરોગ નિદાનકેમ્પ કરતા. તેમાં હું નેત્રરોગ નિષ્ણાત તરીકે આંખના દર્દીઓને સારવાર આપતો. પાછળથી મારા સ્નેહીશ્રી સ્વરાજ આશ્રમના નિયામક શ્રી છોટુભાઇ નાયક અને શ્રી ઘેલુભાઇ નાયકના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં આહવા ખાતે હું સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરતો. રેડકોસ સોસાયટી અને તેના પ્રમુખ મારા સહાધ્યાયી મિત્ર ડૉ. એ. જી. પટેલ અને મારા અમદાવાદના સહાધ્યાયીઓ જે આહવાના સિવિલ સર્જન બન્યા હતા, તેવા ડૉ. નીનામા, ડૉ. સિંઘવ અને ડૉ. રમેશ પટેના સહકારશ્રી ત્રણેક સર્વરોગ નિદાન અને ઓપરેશન શિબિર યોજાયા. આહવા ડાંગ જિલ્લાના જંગલખાતા દ્વારા અને રેડકોસ સોસાયટી દ્વારા આર્થિક સહકાર અને પ્રચારમાં મદદ મળતી.

આંખના ઓપરેશનમાં ડૉ. દર્શના નાયક અને ડૉ. હિરેન નાયક પણ મદદરૂપ થતા. આમ હું - ડૉ. ભાવના દેસાઇ (ધર્મપત્ની) અને બીજાની સહાયથી મોતીયાના ઓપરેશન પાર પાડતા. પછી ડ્રેસિંગ માટે ત્રણ વાર જવાનું રહેતું. આવા ત્રણ-ચારથી વધારે મોતીયાના ઓપરેશન કેમ્પ મેં આહવા ડાંગમાં વારંવાર યોજયા.



૨૦૦૦ - ૨૦૦૧

ગણદેવી - ચીખલી તાલુકા ખાતે નેત્રયજ્ઞો

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) અને લાયન્સ કલબ, ગણદેવીના સંયુકત ઉપક્રમે જુન, ૨૦૦૦માં નડિયાદ ખાતે ડૉ. ભાવના - હું - ડૉ. વિજયભાઇ દેસાઇ અને દીલીપભાઇ મહેતા લાયન્સ ડીસ્ટ્રીકટ સ્કુલીંગ માટે ગયા હતા. પરત આવતાં ભરૂચ ગોલ્ડન બ્રીજના અંત ભાગે મારી ઝેન મારૂતિ કાર સામે આવતી જીપ સાથે ધડાકા સાથે અથડાઇ હતી. કારને જેમ તેમ ચલાવીને અંકલેશ્વર તરફ હું અને ડૉ. વિજયભાઇ દેસાઇ અંકલેશ્વર ફાટક આગળના ગાયત્રીમાતા મંદિર સુધી લાવ્યા હતા. બીલીમોરાથી અમને મદદરૂપ થવા - લેવા આવનારને ત્રણ ચાર કલાક લાગ્યા તે દરમ્યાન અમે ચારે ભયંકર અકસ્માતમાં કારને નુકસાન થવા છતાં અમે સૌ સુખરૂપ ઇજાવગરના બહાર આવ્યા. તેને ઇશ્વરકૃપા માની વર્ષ દરમ્યાન નેત્રયજ્ઞો દ્વારા ૧,૦૦૦ મોતીયાના ઓપરેશન કરવાનો સંકલ્પ કર્યો.

“સારા કામમાં સૌ સાથી” એમ અમારી કલબના પ્રમુખ ડૉ. વિજયભાઇ દેસાઇ સાથે ગણદેવી લાયન્સ કલબના પ્રમુખ લા. ગોપાળભાઇ ગોહિલની ટીમ પણ જોડાઇ. લા. દીલીપભાઇ મહેતા વસુધારા ડેરીમાં કામ કરતા હોવાથી આ વિસ્તારની સહકારી મંડળીઓ - ગણદેવા - દેગામ - અમલસાડ - ગણદેવી - ચીખલી ઉપરાંત બીગરી - બીલીમોરા એમ ઇસ સ્થળે દર શનિવારે ર થી ૪ નેત્રયજ્ઞ કરવાનું ઠરાવ્યું. બીલીમોરા જયોતિકેર હોસ્પિટલના સર્જન ડૉ. દર્શના નાયક (અમારી કલબના લાયન મેમ્બર) સાથે જોડાયા. સોમવારે બીલીમોરા ખાતે જયોતિકેર આંખની હોસ્પિટલ અને મારી દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે મોતીયાના ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

સિવિલ સર્જન, નવસારી, જીલ્લા આરોગ્ય અધિકારી વલસાડ અને અંધજન સહાય સમિતિની યોગ્ય મંજુરી મેળવી કાર્યક્રમ શરૂ કર્યો.

પહેલાં બીગરી, પછી બીલીમોરા એમ દરેક સ્થળે શનિવારે નિદાન અને સારવાર માટે નેત્રયજ્ઞો કર્યા. બીલીમોરા ખાતે સોમવારે બન્ને હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન ડર્યા.

આમ, ત્રણ મહિના ચાલેલો બે કલબનો સંયુકત સેવાયજ્ઞ સુખરૂપ પાર પાડયો.

૨૦૦૯-૨૦૧૦

વૃધ્ધાશ્રમ ખાતે નેત્રયજ્ઞો

ડૉ. ભાવનાબેન દેસાઇ પ્રમુખ થતાં એમને દષ્ટિકોણથી પિડાતા વૃધ્ધોને સહાયરૂપ થવા ચાર વૃધ્ધાશ્રમો ખાતે નેતાયજ્ઞો ગોઠવ્યા.

હું અને લા. ડૉ. દર્શનાબેન નાયક દર શનિવારે વારાફરતી એક એમ ચારે વૃધ્ધાશ્રમોની મુલાકાતે ગયા.

દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા અને દવાઓ અમે મફત પહોંચાડી અને મોતીયાના ઓપરેશનની જરૂતિયાતમંદ લોકોને ઓપરેશન મારી દેસાઇ આંખની હોસ્પિટલ, બીલીમોરા ખાતે કર્યો.

૧. મહાવીર વૃધ્ધાશ્રમ, બીલીમોરા
ર. સોલંકી વૃધ્ધાશ્રમ, ગણદેવી
૩. લા. રેખાબેન પરમાર અને લા. રમણભાઇ પરમારની ઈચ્છાથી મોચી સમાજ વૃધ્ધાશ્રમ, નવસારી
૪. વૃધ્ધાશ્રમ, અતુલ નજીક મગોદ.


નવસારીના નેત્રયજ્ઞમાં જતો વખતે ભયંકર વરસાદને કારણે સાલેજ આગળ રસ્તા ઉપર પાણી હોવાથી કાર બંધ થઇ ગઇ. છતાં અમે ઉત્સાહપૂર્વક નવસારી ગયા. આમ, નવતર પ્રયોગ દ્વારા અંધત્ત્વ નિવારણ માટે વૃધ્ધોને મદદરૂપ થયા.

નેત્રયજ્ઞ

ચીખલી તાલુકા મોતીયા નાબુદી અભિયાન

તા. ૧૩-૧૦-૧૯૯૬ના રોજ ૩૨ સભ્યો સાથે બીલીમોરા ખાતે લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના સ્થાપક પ્રમુખ તરીકે મારા (ડૉ. ભરતચંદ્ર દેસાઇ) નેતૃત્વમાં શરૂ થઇ. લાયન્સ કલબો નેત્રયજ્ઞમાં દુનિયામાં પ્રખ્યાત હોવાથી અમે પણ એ બાબતે કાર્ય કરવાનું વિચાર્યું.

જીલ્લા અંધત્ત્વ નિવારણના પ્રમુખ અને કલેકટર કુ. એસ. અર્પણા, વલસાડ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ચીખલી તાલુકા શિક્ષણ વિભાગ પાસે જરૂરી મંજૂરી મેળવી. “ચીખલી મોતીયા નાબુદી અભિયાન” નામનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવ્યો.

હું પોતે આંખના નિષ્ણાત તરીકે સેવા આપવા તૈયાર હોવાથી અને મારી હોસ્પિટલમાં ઓપરેશનની સગવડ પૂરી પાડવાની તત્પરતાને લીધે કામ ખૂબ જ સહેલું થઇ ગયું.



ચીખલી તાલુકા ખાતે મારા પડોશી અને વાડેલ શ્રી રમેશભાઇ રાવલ બીટ નિરિક્ષક તરીકે કાર્યરત હોવાથી શાળાઓમાં પ્રચારની જવાબદારી એમણે ઉપાડી. ત્યારપછી મારા બીજા મિત્ર વસુધારા ડેરીના મેનેજર (હાલમાં મેનેજીંગ ડિરેકટર) શ્રી નરેન્દ્ર દેસાઇએ દરેક દૂધ મંડળી ખાતે પ્રચારનું પોષ્ટર ચોટાડી. આખા વિસ્તારની દૂધ મંડળી અને તેના ગ્રાહકો મળી પ્રચારકાર્ય સરળ અને સફળ બનાવ્યું. આરોગ્ય અધિકારીશ્રીએ ચીખલી તાલુકાના બાર (૧૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નેત્રયજ્ઞ (નિદાન પૂરતો) રાખવાની મંજૂરી આપી. આમ, લાયન્સ કલબે કરવા ધારેલ મહાનેત્રયજ્ઞનું આયોજન કલેકટરશ્રી, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચીખલી તાલુકા શિક્ષણાધિકારીશ્રી અને લાગતા વળગતા ગામના સરપંચ - પંચાયત સભ્યો અને હાઇસ્કુલના આચાર્યોની મદદથી નવી સ્થપાયે લાયન્સ કલબે ઉપાડયું.

દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે દર સોમવારે સવારે ૧૧ થી ૧ મફત આંખની તપાસની જાહેરાત કરી.

દર અઠવાડિયે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ચીખલી તાલુકા) એમ ૧૨ ગુરૂવારે બાર જગ્યાએ નેત્રનિદાન દર ગુરૂવારે સવારે ૧૨ થી ર દરમ્યાન યોજયો.

તા. ૨૧-૧૧-૧૯૯૬ થી શરૂ થયેલ નેત્રયજ્ઞ તા. ૩૦-૦૧-૧૯૯૭ સુધી ચાલ્યો. તે સમયે આંખના ડૉકટરો ખૂબ જ ઓછા અને મફત આંખની હોસ્પિટલ ખાસ ન હોવાથી લોકોની જરૂર ખૂબ જ હતી. ગુરૂવારે કેમ્પમાં અને સોમવારે આંખની હોસ્પિટલ બીલીમોરા ખાતે નિદાન કરીને દર્દીઓને શુકવારે બોલાવી બીલીમોરા ખાતે ઓપરેશન કરતા. સારવાર - ભોજન - દવા - ચશ્મા સંપૂર્ણ મફત હોવાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા.


દરેક આયોજન પહેલાં, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, ગ્રામપંચાયત, દૂધમંડળી અને બસ સ્ટેન્ડ ઉપર પોષ્ટરો લાગી જતાં અને દરેક સંસ્થાનો સહકાર ખૂબ હોવાથી સેવાકાર્ય સફળપૂર્વક પાર પડાતું.

દર વખતે ૮૦ થી ૧૨૦ દર્દીઓની તપાસ, દવા અને ચશ્મા વિતરણ કરી લગભગ ૧૫ થી રપ દર્દીઓના મોતીયાના ઓપરેશન થતા.


લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના વર્ષમાં નેત્રયજ્ઞો દ્રારા લગભગ ૨,૦૦૦ દર્દીઓની તેમના ઘરે જઇ સારવાર થઇ શકી.

ડૉ. આર. એન. માથુર સ્મૃતિ નેત્રયજ્ઞ - ધરમપુર

મારા ગુરૂજી અને પથદર્શક માથુર સાહેબ સેવામૂર્તિ હતા. પોતાની માતા અને માતૃભૂમિની સેવા કરવા, તેઓ અપરિણિત રહ્યા હતા. જામનગરના લોકો તેમને નેત્ર રોગોના ધર્દીઓની સેવા માટેના ભગવાન માનતા હતા. તેઓ વિષય નિષ્ણાત - દરેક ઓપરેશન અને આંખના રોગોને સર્વોચ્ચ જાણકાર હોવા ઉપરાંત નમ્રતા - સાદાઇ અને સેવાભાવનામાં અદ્વિતીય હોવાને કારણે દર્દીઓ ઉપરાંત સર્વ વિદ્યાર્થીઓમાં પૂજનીય હતા. આવા ડૉ. આર. એન. માથુર સાહેબના દેહવિલય સમયે મેં કંઇક સમાજસેવા ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં કરવાનું વિચાર્યું.

સારા સંકલ્પને ભગવાનની સહાય મળતી જ હોય છે. મને ધરમપુર તાલુકાને સેવાક્ષેત્ર બનાવનાર વાલોડના શ્રી ભીખુભાઇ વ્યાસ અને શ્રીમતી કોકીલાબેન વ્યાસ મળ્યા. તેઓ ધરમપુરના લોકોના સ્વવિકાસ અને સહાય અર્થે સમર્પિત હતા. લોકોના શ્રમ દ્વારા પાણીની ખેંચ દૂર કરવા ગામેગામ ચેકડેમ અને કૂવા ખોદાવવાનો કાર્યકમ તેઓ કરતા હતા. ઉપરાંત વિવિધ સ્થળોએ ગરીબ વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાઓ ચલાવતા હતા. જયાં આશ્રમમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત આદર્શ જીવનના પાઠ ભણતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરી ડૉ. આર. એન. માથુરસાહેબની પૂણ્યયાદમાં છ મહિના માટે નેત્રયજ્ઞ (નિદાન - સારવાર અને ઓપરેશન) કરવાનું આયોજન કર્યું.

નેત્રયજ્ઞ (દર ગુરૂવારે)

૧. ધરમપુર - એમના તાલુકાના મુખ્યમથકે દર ગુરૂવારે બપોરે ૧ થી ર આંખની તપાસ કરવા માંડી.
૨. ધરમપુર તાલુકાના ચાર મથકો પિંડવળ - કપરાડા - તામછડી અને બિલપુડી જેવી ચાર આશ્રમશાળાઓ ખાતે મહિને એકવાર વારાફરતી ગુરૂવારે આંખની તપાસનું આયોજન કર્યું.
૩. આંખના ઓપરેશન બીલીમોરા ખાતે દર શનિવારે મારી “દેસાઇ આંખની હોસ્પિટલ”માં કરવાનું વિચાર્યું.

આશ્રમશાળાના શિક્ષકો - ગામના સેવાભાવી સ્વયંસેવકો અને શ્રી ભીખુભાઇ વ્યાસની સેવાસમિતિની મદદ મળતાં આ શકય બન્યું.

દર ગુરૂવારે બીલીમોરાથી નીકળી ધરમપુર જઇ પહેલાં ત્યાં ભેગા થયેલા દર્દીઓ બપોરે ૧ થી ૨ તપાસી સારવાર આપવાની હતી. ત્યાંથી વારાફરતી નક્કી કરેલા એક ગામે આશ્રમશાળામાં જઇ ભેગા થયેલા દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર - ચશ્મા - માર્ગદર્શન આપવાનું હતું. તપાસ - નિદાન - ઘ્વા - ચશ્મા અને સારવાર માટે જરૂરી સામગ્રી હું જાતે લઇ જતો હતો.

નક્કી થયેલા મોતીયાના ઓપરેશનના દર્દીઓને લઇ આશ્રમશાળાનો શિક્ષક બીલીમોરા “દેસાઇ આંખની હોસ્પિટલ” શનિવારે આવતો હતો. ત્યાં રહેવાની અને ઓપરેશનની સગવડ હતી. જાતે લાવેલ શાકભાજી - દાળ - ચોખામાંથી રસોઇ શિક્ષક બનાવી તેમને હોસ્પિટલના રસોડે જમાડતા.

આ આયોજન લગભગ છ મહિના દર ગુરૂવારે બીલીમોરાથી ધરમપુર અને ત્યારપછી અંતરિયાળ ગામડે જઇ નિસ્વાર્થ સેવાભાવનાથી ચલાવ્યું.

મારા ગુરૂજી ડૉ. આર. એન. માથુરસાહેબને આ રીતે એક શિષ્ય તરીકે મે શ્રધ્ધાંજલિ આપવાનો પ્રયત્ન ધરમપુર તાલુકાના આદિવાસીઓને નવી દષ્ટિ પ્રદાન કરી.

નંદિમ્રામ, વાંકલ (ધરમપુર) નેત્રયજ્ઞો - ૧૯૯૦

એકવાર સૂફી સંત - ઓલીયા - નિર્દોષ ભગવાનના માણસ એવા લેખક શ્રી મકરંદ દવેને એમના આશ્રમ ખાતે મળવાનું થયું. એમના જેવા માણસ લાખોમાં એક હોય છે અને તેમને મળ્યા પછી સર્વમાનવપ્રેમ, સરળતા અને સાદગી ન શિખાઇ તો જ નવાઇ. તેઓ આશ્રમમાં દર્દીઓ માટે સારવારની સુવિધા ધરાવતા હતા. ત્યારે તેમના આમંત્રણથી ચાર - પાંચ વખત ગુરૂવારે ૧ થી ૩ નેત્રયજ્ઞો મે ડર્યા હતા.

ગ્રામ સેવા ટ્રસ્‍ટ, ખારેલ નેત્રરોગ નિષ્ણાત તરીકે સેવા

૧૯૯૪માં મારા સહાધ્યાયી અને મિત્ર ડૉ. અશ્વિન શાહ અને ડૉ. હર્ષા શાહે ખારેલની હોસ્પિટલને નવપલ્લવિત કરી નવેસરથી કારોબારીની રચના કરીને એમના સ્વપ્નની ગ્રામસેવા કરવા હોસ્પિટલ ચાલુ કરી. મૈ આંખના નિષ્ણાત તરીકે બુધવાર અને શુક્રવારે સેવા ચાલુ કરી. બન્ને દિવસે બપોરે ર થી ૪ આંખના દર્દીઓની સારવાર કરતો.

મારા ઉત્સાહના અનુરૂપ મારા તપાસના સાધનો અને ઓપરેશનના સાધનો હું બીલીમોરાની મારી આંખની હોસ્પિટલમાંથી લઇ જતો.


દર બુધવારે મોતીયાના ઓપરેશન કરી શુક્રવારે ડ્રેસિંગ કરી દર્દીને રજા આપતા. હોસ્પિટલમાંથી દવા - ચશ્મા વગેરે મફત આપતા.

બીલીમોરાની રોટરી કલબ અને બીજા દાતાઓની મદદથી દર બે 2ણ મહિને મફત મોતીયાના ઓપરેશન માટે નેમ્રયજ્ઞનું આયોજન કરતા. ઓપરેશનમાં બીજા આંખના સર્જન તરીકે ડૉ. દર્શના નાયક અને એનેસ્થેટીસ્ટ તરીકે ડૉ. હીરેન નાયક અથવા ડૉ. ભરત નાયક સેવા આપતા. દર વખતે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓપરેશન કરાવતા.

મારા બીલીમોરાના અને અમલસાડના દર્દીઓ ઉપરાંત ખારેલ પંથકના લોકો આ સેવાનો લાભ ઉઠાવતા.

૧૯૯૪માં શરૂ થયેલ સીલસીલો પાંચ વર્ષ ચાલ્યો.

ચીખલી , રોટરી આઇ હોસ્પિટલ ખાતે સેવા

ઓગસ્ટ, ૨૦૦૪ થી જુન, ૨૦૧૫

ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટમાં લગભગ પાંચ વર્ષ સેવા આપ પછી ધર્માદા આંખની હોસ્પિટલમાં સેવા કરવાની મહેચ્છા રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે પુરી કરી.

રોટરી કલબ દ્વારા નિર્મિત અને સંચાલિત આંખની હોસ્પિટલને સેવાભાવી ડૉકટરની જરૂર હતી તેવું ડૉ. કિરણભાઈ શાહ અને ધર્મેશ કાપડીયાએ મને જણાવી આમંત્રણ આપ્યું હતું. લગભગ નગણ્ય માનદ્વેતન નક્કી કરી. રોટેરીયન જયંતિભાઇ ઘેલાભાઇ પટેલ રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે સવારે બે કલાક અને સાંજે બે કલાક સેવા આપવાનું શરૂ કર્યું. ઓગસ્ટ, ૨૦૦૪ થી મારી વયમર્યાદા ૬૫ (પાંસઠ) વર્ષ થતાં જુન, ૨૦૧૫ સુધી સેવાઓ આપી.

આંખની તપાસ રૂ. ૧૫માં અને ઓપરેશન આશરે રૂ. ૧,૫૦૦માં (લેન્સ - ધ્વા - ઓપરેશન સહિત) કરતા હતા.

વર્ષ દરમ્યાન દાન મળતાં ઓછામાં ઓછા ચાર - પાંચ નેત્રયજ્ઞો કરી મફત તપાસ અને મફત ઓપરેશનનું આયોજન પણ કરતા હતા.

ઓટો - રિફેકટોમીટર, માઇકોસ્કોપ, ફેકો અને લેસર જેવા સાધનોથી સજ્જ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાની સારી મોકળાશ રહેતી.

બીલીમોરા - ચીખલી રસ્તો ખાડાથી સંપૂર્ણ રીતે ખરાબ થયો હતો. જે જાતે કાર ચલાવવા ત્રાસદાયક હતો. ઉપરાંત ચીખલી જવાને કારણે બીલીમોરાની મારી પ્રેકટિસને પણ ધક્કો લાગતો હતો - નુકસાન થતું હતું. પણ ગરીબોની સેવા કરવાની ધૂનને કારણે આ નેત્રસેવા લગભગ ૧૦ - ૧૧ વર્ષ કરી શક્યો હતો.

ભણસાલી ટ્રસ્‍ટ આયોજીત બોધિગયા, બિહાર નેત્રયજ્ઞ

મારા મિત્ર ડૉ. સુનિલ ઠક્કરની પુત્રીના લગ્નમાં અમે ડીસા (૨૦૦૦) ગયા હતા. ત્યાં ડૉ. કિશોર અસ્નાનીએ બોધિગયામાં ચાલતા નેત્રયજ્ઞમાં જોડાવા. મને આમંત્રણ આપ્યું અને અચાનક સેવાની નવી દિશા મળી.

પાલનપુરમાં ગાંધી - લિંકન જનરલ હોસ્પિટલ ચલાવતા ભણસાલી ભાઇઓ મુંબઇ હીરાબજારમાં પુષ્કળ અર્થાપાર્જન કરતા હતા, તેથી સમાજસેવા કરવાની અદમ્ય ઇચ્છા તેઓ રાખતા અને તેમણે બિહારના અતિગરીબ લોકોને નેત્રરોગ મોતીયાના ઓપરેશન દ્વારા અંધાપામાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.

ડીસાના ડૉ. અસ્નાનીને તેમના આંખના સર્જન મિત્રો સાથે બિહારના બોધિગયા ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવાનું સોંપ્યું.

કેમ્પના ત્રણ મહિના પહેલાં તેઓ જીપ - માઇક અને સ્ટાફના સભ્યોને મોકલી ગામેગામ આ નેત્રયજ્ઞનો પ્રચાર કરવા મોકલતા હતા અને ત્યાર પછી મોતીયાનું નિદાન કરી શકે એવા સ્વયંસેવકો દ્વારા ગામડે ગામડે તેમને મોકલી મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બોધિગયા ઓપરેશન માટે આવવાની તારીખનો કાર્ડ આપતા.




કારતક સુદ છઠનો તહેવાર બિહારમાં છઠ પૂજા તરીકે ભક્તિભાવથી ઉજવાય છે - તે દિવસથી દોઢ મહિના સુધી આ નેત્રયજ્ઞ કરવામાં આવે છે. વિશાળ મેદાનમાં તંબુઓ દ્વારા ઓપરેશન થીયેટર, ડ્રેસિંગ માટેની જગ્યા અને દર્દીની રહેવાની પથારી ઉપરાંત રસોડું ઉભું કરવામાં આવતું.

ઓપરેશનમાં જોડાવા માંગતા ડૉકટરોને ડૉકટરના નિવાસેથી દિલ્હી અને દિલ્હીથી ગયા સુધી રાજધાની એક્ષપ્રેસની ટિકિટ રિઝર્વ કરાવી અપાતી. પોતાની અનુકૂળતા મુજબ ડૉકટરો ૧૦ - ૧૫ કે ૨૦ દિવસ રહી ઓપરેશન કરતા. એક રૂમમાં ત્રણ ડૉકટરોને હોટેલના રૂમમાં નિવાસ કરાવાતો. પરત વતન પહોંચવાની સગવડ કરાતી.

ડીસાની આજુબાજુના આંખની હોસ્પિટલના સ્ટાફને અને નર્સને - ડૉકટરને મદદરૂપ થવા રોકવામાં આવતા. પરચૂરણ કામ માટે પી. ટી. સી. કોલેજ કે બીજી કોઇ કોલેજના ૧૦૦ - ૨૦૦ વિદ્યાર્થીઓને મહિના માટે લાવી રખાતા. સફાઇ કામદારો અને ગાંધીવાદી સ્વયંસેવકો પણ સફાઇકામમાં જોડાતા.

સવારે પાંચ વાગ્યે જાગીને છ વાગ્યા સુધીમાં ચા - નાસ્તો પતાવી દરેક ઓપરેશનમાં જોડાવાનું રહેતું. બપોરનું ભોજન ઓપરેશનના સ્થળે પીરસાતું. સાંજનું ભોજન રસોડામાં થતું. રાત્રિના આઠ સુધી કાર્યકમ ચાલતો.

સવારથી રાત્રિ સુધીમાં દરેક ડૉકટર સરેરાશ ૧૦૦ ઓપરેશન કરતા. આમ, ૧૫ ડૉકટરો ૧,૫૦૦ જેટલાં ઓપરેશન કરતા અને દોઢ મહિના ચાલતા નેત્રયજ્ઞમાં ૫૦ - ૬૦,૦૦૦ ઓપરેશન દર વર્ષ થતાં.


મે પહેલીવાર ૧૦ દિવસમાં ૫૦૦, બીજે વર્ષે ૨૦-૨ર દિવસ રોકાઇ ૧,૫૦૦ - આમ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીમાં, પાંચ વર્ષમાં લગભગ ૫,૦૦૦ ઓપરેશનો બિહારના ગરીબ લોકોને દષ્ટિ પ્રદાન કરવાના હેતુથી કર્યા.

ડૉકટરો અને બાકીના બધા મળી ૫૦૦ - ૬૦૦ વ્યક્તિઓ સેવાભાવનાથી ગુજરાતના અમદાવાદ - ડીસા - વડોદરા - સુરત જેવા સ્થળેથી બોધિગયા આવી સેવાની સુવાસ ફેલાવી વતન પરત થતા.

ભણસાલી ટ્રસ્ટની સેવાભાવના જેટલી બિરદાવીએ એટલી ઓછી.

ઉપસંહાર
છેલ્લાં પચાસ વર્ષના આંખના નિષ્ણાત તરીકેના જીવનના હિસાબ - ટૂંક ઇતિહાસને મેં મારા સંતોષ ખાતર શબ્દદેહ આપ્યો છે.

મને ખબર છે કે ગરીબી શું છે કારણ કે બાળપણમાં મેં કારમી ગરીબી જાતે અનુભવી છે. ત્યારે ભણતરનો ઉપયોગ સમાજસેવા માટે કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

અત્યારે જીવનના ૭૬માં વર્ષે મને સંતોષ લાગે છે - જીવન સાર્થક ગયું છે, ત્યારે છેલ્લાં વર્ષો આનંદથી પસાર કરવાનો નમ્ર ઉદ્દેશ સાથે હું સંપૂર્ણપણે સેવા નિવૃત થઇ વરિષ્ઠ નાગરિક જીવન પરિવાર - સ્વજનો અને સહદયી મિત્રો સાથે વિતાવું છું.

Popular this week

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

પારસીઓ તથા પારસીઓનો ધર્મ ”જરથોસ્તી ધર્મ”

પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા. પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી. આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ. આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું. જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion) સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦) સ્થળ: ઈરાન મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા મુખ્ય દેવ : અહુરમજદ મુખ્ય પ્રાર્થના: અહૂનવર ધર્મગુરુ: મોબેદ , દસ્તૂર ધર્મસ્થાન: અગિયારી પ્રથમ કક્ષા: આતશ બહેરામ બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ ધર્મચિહ્ન: અગ્નિ , અગ્નિકુંડ મુખ્ય પંથો...