Skip to main content

Posts

Showing posts with the label philosophy

જીવનમાં સુખી થવાનો રામબાણ ઈલાજ

આપણા અમદાવાદના ગુજરાતી મનોરોગ નિષ્ણાત (Neurologist) મગજનો અભ્યાસ કરતાં કરતાં જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરે છે અને સુખી થવાના ઉપાયો ખાલી બતાવીને બેસી ન રહેતાં, વૈજ્ઞાનિક સાધનો દ્વારા પ્રયોગો સહિત (Clinical Neurological Investigations like MRI, SPECT, MEEG, MRI etc.) આપણને મગજની રચના અને કાર્યો સમજાવે છે. તેમણે આપણે માટે સુંદર પુસ્તક લખ્યું છે. આવા વિદ્વાન - ધાર્મિક પ્રકૃતિના - આધુનિક વિચારધારાને વરેલા (Rationalist) - તબીબ ડો. સુધીર વી. શાહ - M.D. (Neurology), FRCP (London), FAAN (USA), D.M. (Neurology) અને D.N.B. (Neurology) પોતે વેદાંત - પ્રાચીન જૈનશાસ્ત્રો અને મગજ - જ્ઞાનતંતુના રોગ નિષ્ણાત આપણને સરળ ગુજરાતીમાં સુખી જીવનની ચાવી બતાવે ત્યારે, તે વાંચી જીવનમાં ઉતારવું જ રહ્યું. ભગવાન શ્રીકૃષ્ણ, પૈગંબર સાહેબ, અશોજરથુષ્ટ્ર, ગુરુ નાનક અને જિસસ બધાએ જ સૌને માટે સુખી થવાના રસ્તા શોધ્યા છે અને બતાવ્યા છે. સચોટ રહસ્યો શોધીને જ્ઞાન-ભક્તિ-કર્મ-યોગ ધ્યાન અને મોક્ષ દ્વારા સુખી કેમ થવાય તે સમજાવ્યું છે.   પુસ્તક પરિચય લખનારે 232 પાનાનાં પુસ્તકનો સાર જ નહિ સાથે વિચારનો અર્ક બતાવવાનો છે, બાકી તો...