Skip to main content

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે.
મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા

Diamonds are forever. So are morals. 
From nothing to everything.. a divine journey. 

૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે.

વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.

પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિથી સમજવા અને જીવનમાં ઉતારવા અનિવાર્ય છે તે હું પહેલા કહીશ.

જીવનમૂલ્ય ત્રિવેણી મૂળભૂત સિદ્ધાંતો 

૧. માનવીની સર્વપ્રવૃત્તિઓમાં પ્રામાણિકતા અને નૈતિકતા હોવા જોઇએ.
૨. કોઇ અદ્રશ્ય શક્તિ કે ભગવાન બધું સંચાલન કરે છે.
૩. જીવનના કેન્દ્રમાં પોતાનો પરિવાર હોવો જ જોઇએ. “જેના અન્ન ભેગાં, એનાં મન પણ ભેગાં”.

I am nothing, but I can do anything. 

જીંદગીમાં ખોટું કર્યા વગર પણ ધનવાન થઈ શકાય છે.

करिष्ये वचनं तव : આપની આજ્ઞાનું પાલન કરીશ.
मामेकं शरणं वज : મારા એકલાના શરણે આવ. (ભગવદ્ગીતાજ્ઞાન)

કૌટુંબિક વિગતો

બાપદાદા ધોળકાથી નીકળ્યા હોવાથી ધોળકિયા કહેવાયા.

દાદા: કાનજીદાદા
પિતા: લાલજીદાદા
માતા: સંતોકબા
જન્મ: તા. ૦૧-૧૧-૧૯૪૯, ગામ : દૂધાળા જી. અમરેલી
પત્ની: ચંપાબહેન લગ્ન : તા. ૦૩-૦૭-૧૯૭૧ નાની વાવડી ખાતે
સાત ભાઇ બહેનો (અનુક્રમે ઉમર પ્રમાણે): ભીમજીભાઇ, નાગજીભાઇ (રિયલ એસ્ટેટ ડેવલપર), શાંતાબહેન, પરબતભાઇ (ડાયમંડ ટ્રેડિંગ), ગોવિંદભાઇ (પોતે), દેવકુંવરબેન અને અરજણભાઇ
બાળકો: મીનાક્ષી (જન્મ ૧૯૭૮), શ્રેયાંશ (જન્મ ૧૯૮૭), શ્વેતા (જન્મ ૧૯૮૩), પૌત્ર ઇશ (જન્મ ૨૦૧૩)

બાળપણ 

દૂધાળા ગામમાં કારમી ગરીબીમાં મોટા થયા.

ભોજનમાં ફકત રોટલા મળતા (બાજરાના કે જુવારના).

દર અઠવાડિયે કે પંદર ધ્વિસે સ્નાન.

શાળામાં અક્ષર સારા ન હોવાથી નાપાસ થયા, ત્યારે મા પાસે પાસ થયા છે એવું પ્રથમવાર જુઠું બોલ્યા. ત્યારથી સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી.

પ્રથમ આવકનો પ્રયત્ન : લાઠી જતાં ઘેલાભાઇ રાજપુતની શાકભાજીની ગાંસડી ઉચકીને છ આના કમાવા કોશિશ કરી, પણ કામ ન મળ્યું.

પછી જન્માષ્ટમીના મેળામાં ત્રણ રૂપિયાના કાકડી, ફુગ્ગા અને પપૂડાં ખરીદી દૂધાળા ચોકમાં રામજી મંદિરે ગોવિંદો (આપણા ગોવિંદભાઇ) વેપાર કરવા બેઠા. સાડા ત્રણ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો.

બાળપણની છોડેલી કુટેવો

ધ્રુમપાન: બાળપણમાં બીડીના ઠુંઠા વીણીને પીવાનું શરૂ કર્યું. પાંચ-સાત વખત બીડી પીધા, પછી ધ્રુમપાન કાયમ માટે છોડયું.

જુગાર: જન્માષ્ટમીના દિવસે રમાતો જુગાર રમી એકાદ કલાકમાં ત્રણ રૂપિયા જીત્યા. ત્યારપછી જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી.

ખોટી રીતે પૈસા ન કમાવાની માન્યતા અને વિશ્વાસ દઢ થયાં.

ખેતરમાં સાપ પસાર થતાં દેખાયો, ગાય કે વાછરડાંને ડંખ ન મારે તેટલા ખાતર સાપને પાવડો માર્યો, ત્યાં જ સાપ ક્ષણમાં જ મૃત્યુ પામ્યો. ત્યારથી કોઇ પણ જાતની હિંસા ન થાય તેની સતત કાળજી રાખી. 

લાઠીમાં ચૌદેક વર્ષનો છોકરો પોતાની પાસેના પાંચ પૈસા પડાવવા દબડાવવા લાગ્યો. સામનો કરી પૈસા બચાવ્યા. ત્યારે મન, વચન અને કર્મથી નિર્ભયતાના પાઠ ભણ્યા. 

આમ, બાળપણની ગરીબી વચ્ચે નીતિમત્તા, અહિંસા અને નિર્ભયતાના પાઠ ભણ્યા. વેપાર શીખ્યા.

મારો વાંચનનો શોખને કારણે મેં ઘણી આત્મકથાઓ વાંચી છે. આ પુસ્તકમાં બે વસ્તુઓ નવીન અને અનુકરણીય છે - જે બીજે કયાંય નથી. જીવનકથાના દસે પ્રકરણોના અગત્યના મુદાનો સાર અંતમાં છે અને બીજું ત્રણ પરિશિષ્ટોમાં જીવનતવારીખ હદ્યસ્થ સૂત્રો અને ૭૨16 કંપનીની નીતિના સિદ્ધાંતો. આ બાબતો કદાચ પહેલાં વાંચીશું, તો દરેક પાઠ વિગતવાર સમજવામાં અનુકૂળતા રહેશે.

વ્યાવસાયિક ઘટનાક્રમ

તા. ૦૨-૦૪-૧૯૬૪ સુરત આવીને છ મહિના વગર પૈસે હીરા ઘસવાનું કામ ગોરધનદાસ ખરસલિયાના કારખાને શીખ્યા. પછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાણીથી જીવનની શરૂઆત કરી. તા. ૦૨-૦૮-૧૯૭૦ વીરજીભાઇ અને ભગવાનભાઇ સાથે નાગોરીવાડ, સુરતમાં શ્રી રામકૃષ્ણ (SRK) નામે ઓફિસ શરૂ કરી. એપ્રિલ, ૧૯૭૦માં પ્રથમવાર મુંબઇ ઓફિસ શરૂ કરી અને રૂ. ૯૨૦ના રફ હીરા ખરીધ્યા. ત્યારથી ૧૯૭૫ની પાર્ટનરશીપ વિભાજીત થઇ અને ત્રણ કંપનીઓ બની. ૧૯૯૭માં ૧૭૦૦ રત્નક્લાકારો કામ કરી શકે અને ટ્રેનિંગ આપવા શ્રી રામકૃષ્ણ કોમ્પલેક્ષ અને SRK Institute of Diamond ની સ્થાપના કરી. ૧૯૬૪-૨૦૧૪ પચાસ વર્ષ નિમિત્તે ઉજવણી. ત્યાંથી આગળ વધતાં તે હોંગકોંગ, એન્ટવર્પ, ન્યુયોર્ક, કેનેડા, રશિયા સાઉથ અફ્રીકા જેવા ઘણા બધા દેશોમાં હીરા ઉદ્યોગ આગળ વધાર્યો. છેલ્લે ૬,૦૦૦ રત્નકલાકારોને વ્યવસાય આપી પોતે અબજોપતિ બન્યા. કંપની ૧.૮ અબજ અમેરિકન ડોલર (USD 1.8 Billion) કમાણી કરતી થઈ. હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઇ નિષ્ક્રિયતાને ભગાવી દિવસમાં ૧૪ કલાક કામ કરી ખૂબ મહેનત, આપલગન, સતત આગળ વધવાની ધગશ અને માણસ પારખવાની કળાથી સફળતાને વર્યા.

સફળતા માટે તેમના સૂત્રો:

૧. સફળતા મારે લીધે હોવાનું માનશો નહી. : કોઇ પણ કાર્ય સંપન્ન થવા પાછળ ઘણા પરિબળો હોય છે. 

૨. જે કંઇ કાર્ય કરો તેમાં શરીર, મન હદય એમ ત્રણેનો વિનિયોગ કરવો જરૂરી છે.

૩. જવા દેવાની વૃત્તિ રાખો.

૪. ભગવાન અને ભાગ્યમાં શ્રધ્ધા રાખી સતત કાર્યરત રહો.

પ. જે લોકોની જરૂર હોય ત્યારે તેવા લોકોને મેળવવાનું અને અલગ કરવાનું ઉપરવાળો જ ગોઠવે છે.


“ઉર્ધ્ધગમન” Ascend: ટેકનોલોજી અપગ્રેડ કરી, કમ્પ્યુટર-આધારિત વ્યવસ્થાપન પદ્ધતિ ઉભી કરી, ફેકટરીના વિસ્તરણ માટે આધુનિક મકાન બનાવ્યું.

એવોર્ડ

એમને મળેલા ઘણા બધા એવોર્ડમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મળેલ “સૂર્યપૂર રત્ન એવોર્ડ” અને ઇન્ડસ્‌ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અપાયેલ “માનદ્‌ ડૉકટર” (D.Phil) ની પદવી મુખ્ય ગણાય.

પરિવાર

એમનું સૂત્ર છે, ભવિષ્યની પેઢીનું નિમાર્ણ કરો. હિરણ્યગર્ભ બનાવો.

પહેલાં રપ વર્ષ ભગવાનભાઇ અને વીરજીભાઇ સાથે ભાગીદારી કરી. ૧૯૯૫માં છૂટાં પડતાં SRKના માળખાનું નવીનકરણ કર્યું.

પ્રથમ રાહુલભાઇ, જયંતિભાઇ, દિનેશભાઇ અને અરજણભાઇને સાથે લીધા. નાગજીભાઇને રિયલ એસ્ટેટ ડેવલપર અને પરબતભાઇ ડાયમંડ ટ્રેડિંગમાં લગાડયા.

ત્યાર પછીની પેઢીમાં શ્રેયાંસ, અક્ષય, નિરવ, અર્પિત અને નીરવને લીધા. તેઓ તાલીમબધ્ધ, કેળવાયેલ અને નવી ટેકનોલોજીના જાણકાર છે. નવી પેઢીના કેવીન, ઉત્કર્ષ, દર્શિલ, ધુવલ, રાજ તેજ, ધુવ અને ક્રિસ ઉગતા સિતારાઓ છે.

આમ, પરિવારને કેન્દ્રમાં અને સાથી બનાવીને પેઢીનો વિકાસ કર્યો છે. પરિવારના છ પેઢીના ૧૫૦૦ સભ્યો સૌ સાથે દર નવરાત્રિએ ભેગા નિયમિત મળે છે.

સમાજસેવા

કમાવું જેટલું ભારી છે તેનાથી વધારે ભારી સમાજને દાનમાં પરત કરવું છે. એમની સફળતાનું રહસ્ય સમાજસેવા જ છે, એમ સ્વીકારવું રહ્યું.
  • ૧૯૭૫માં પ્રથમદાન રૂ. ૫૧,૦૦૦ પિતાના નામે દામ કર્યું અને “લાલજીભાઇ કાનજીભાઇ પટેલ વાડી”ની સ્થાપના કરી.
  • સાત મિત્રો ભેગા મળી “સોરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ” સ્થાપ્યું.
  • “સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્‍ટ” બનાવી ૧,૦૦૦ જોડીના સમુહલગ્ન સાદાઇથી કર્યા. પોતાના પરિવારસભ્યને જોડી દાખલો બેસાડયો.
  • દીકરી મીનાક્ષી કમળામાંથી સાજી થવાની ખુશીમાં - દૂધાળા રામજીમંદિર જિર્ણોધ્ધાર, “પડદા પ્રથા”માંથી બહેનોની મુક્તિ કરાવી.
  • જરૂરિયાત મંદોને આર્થિક મદદ માટે ટ્રસટ બનાવ્યું.
  • ૧૯૮૩ - દીકરી શ્વેતાના જન્મની ખુશાલીમાં દર અઠવાડિયે શનિવારે સત્સંગ માટે સ્વાધ્યાય પરિવાર સ્થાપ્યો.
  • ૧૯૭૭ - દૂધાળા ખાતે દૂધેશ્વેર મહાદેવ મંદિરની સ્થાપના.
  • ૧૯૮૯ - કતારગામમાં વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલય એજ કન્યાશાળામાં તબીબી સહાય માટે નંદુબા મેડિકલ સેન્ટરની સ્થાપના.
  • દુકાળ સમયે જોથાણ ખાતે “પ્રભુહદય જીવદયા ટ્રસ્ટ” સ્થાપી સૌરાષ્ટ્રથી ૨,૦૦૦ પશુઓ લાવી રાખ્યાં.
  • સૌરાષ્ટ્રની દરેક (૫૦) ગૌશાળાને રૂ. ૧ લાખ દાનમાં આપ્યા.
  • ૧૯૯૩ - Welcome Cleartiy સ્થાપી. ૨૫૦ સ્વચ્છતા સૈનિકો દ્વારા સુરતની સફાઇ.
  • ૨૦૦૮ - સાર્વજનિક એજ્યુ-સોસાયટીમાં કોલેજ સ્થાપી, નામ “શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટયુટ ઓફ કોમ્પ્યુટર એજયુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ”.
  • સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્‍ટ મારફતે પાણી બચાવવા ૧,૨૫,૦૦૦ ચેકડેમ બનાવ્યા.
  • ૨૦૧૪ - સૌરાષ્ટ્રના લોકોના પ્રવાસ માટે વિમાનો ખરીદી “વેન્ચુરા એરકનેકટ એરલાઇન્સ” શરૂ કરી.
  • ૨૦૧૪ - પચાસ વર્ષની ઉજવણી વખતે 52 અઠવાડિયામાં દર અઠવાડિયે એક નવી સેવા પ્રવૃત્તિ કરી.
  • ૨૦૧૭ - ગરીબ, રખડતાં, અભાવગ્રસ્ત બાળકો માટે “મોબાઇલ સ્કુલ” ચલાવી.
  • ૨૦૧૭ - ડાંગના ૩૦૦ ગામમાં, પી.પી.સ્વામી સાથે “ગ્રામ્યમંદિરો” બાંધ્યા.
  • ૨૦૧૭ - રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૫૫૦ ખાટલાવાળી અદ્યતન Kiran Hospital સ્થાપી. લોકોએ ચેરમેન બનાવ્યા.
આ યાદી સંપૂર્ણ નથી. ઘણું રહી ગયું છે, જેમ કે,

૨૦૦૧ - કચ્છ ભૂકંપમાં બે ગામ દત્તક લીધાં.
ગરીબોને મદદ કરવા સુરત રીલીફ સેન્ટર શરૂ કર્યા.
આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી મેડિકલ કેમ્પ શરૂ કર્યા.
માલેગાંવ (ડાંગ) સંતોકબા સ્કુલ શરૂ કરી.
સુરત ટ્રાફિક માટે CCTV કેમેરા પ્રોજેકટ લોકાર્પણ.

વિશ્વભરના મહાનુભાવોને સમાજસેવા માટે બિરદાવવા “સંતોકબા માનવરત્ન એવોર્ડ” શરૂ કર્યા. સમાજસેવાને વરેલાને દર વર્ષે આમંત્રી જાહેર સમારંભમાં સન્માન અને એક કરોડ રૂ. પુરસ્કાર આપ્યો.

૨૦૨૧ - પુસ્તક અયોધ્યા રામમંદિરને રૂ. ૧૧ કરોડનું અનુદાન.

ચાલો, પુસ્તક પરિચયના અંતમાં એમના સુવિચારો જાણીએ.
૧. આપણું ધાર્યું થાય તે ભગવાનની કૃપા, આપણું ધાર્યું ન થાય તે ભગવાનની ઇચ્છા. 
૨. સફળતાનું સૂત્ર - જે કરી શકતા હો, તે વધારે સારી રીતે કરો. 
૩. નિજાનંદ માટે હંમેશા કોઇને મદદ કરતા તત્પર રહો. 
૪. આ જગતને સુધારવાની ભાંજગડમાં પડશો નહિ, પોતે જ સુધરો. 
પ. “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” વાળી સર્વ-સ્વીકારની ભાવના અને અન્યોને માન-સન્માન આપશો, તો જીવન સંપુર્ણ સફળ થશે.

ચાલો, તીક્ષ્ણ ધંધાકીય આવડતવાળા, નિરાભિમાની, સફળ અને સેવાભાવી “ગોવિંદભગત”ને વંદન કરીએ.


Diamonds are Forever, So are Morals
  • Book Title: Ikigai: Diamonds are Forever, So are Morals - Autobiography of Govind Dholakia
  • Author: Arun Tiwari, Kamlesh Yagnik
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 16-Mar-2026
  • Pages: 380 pages
  • ISBN-10: 0670095729
  • ISBN-13: 978-0670095728

Popular this week

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું. બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા. ૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આં...

પારસીઓ તથા પારસીઓનો ધર્મ ”જરથોસ્તી ધર્મ”

પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા. પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી. આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ. આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું. જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion) સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦) સ્થળ: ઈરાન મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા મુખ્ય દેવ : અહુરમજદ મુખ્ય પ્રાર્થના: અહૂનવર ધર્મગુરુ: મોબેદ , દસ્તૂર ધર્મસ્થાન: અગિયારી પ્રથમ કક્ષા: આતશ બહેરામ બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ ધર્મચિહ્ન: અગ્નિ , અગ્નિકુંડ મુખ્ય પંથો...