પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે.મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા
Diamonds are forever. So are morals. From nothing to everything.. a divine journey.
૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે.
વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.
પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિથી સમજવા અને જીવનમાં ઉતારવા અનિવાર્ય છે તે હું પહેલા કહીશ.
૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે.
વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.
પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિથી સમજવા અને જીવનમાં ઉતારવા અનિવાર્ય છે તે હું પહેલા કહીશ.
જીવનમૂલ્ય ત્રિવેણી મૂળભૂત સિદ્ધાંતો
૧. માનવીની સર્વપ્રવૃત્તિઓમાં પ્રામાણિકતા અને નૈતિકતા હોવા જોઇએ.
૨. કોઇ અદ્રશ્ય શક્તિ કે ભગવાન બધું સંચાલન કરે છે.
૩. જીવનના કેન્દ્રમાં પોતાનો પરિવાર હોવો જ જોઇએ. “જેના અન્ન ભેગાં, એનાં મન પણ ભેગાં”.
I am nothing, but I can do anything.
જીંદગીમાં ખોટું કર્યા વગર પણ ધનવાન થઈ શકાય છે.
જીંદગીમાં ખોટું કર્યા વગર પણ ધનવાન થઈ શકાય છે.
करिष्ये वचनं तव : આપની આજ્ઞાનું પાલન કરીશ.
मामेकं शरणं वज : મારા એકલાના શરણે આવ. (ભગવદ્ગીતાજ્ઞાન)
કૌટુંબિક વિગતો
બાપદાદા ધોળકાથી નીકળ્યા હોવાથી ધોળકિયા કહેવાયા.
કૌટુંબિક વિગતો
બાપદાદા ધોળકાથી નીકળ્યા હોવાથી ધોળકિયા કહેવાયા.
દાદા: કાનજીદાદા
પિતા: લાલજીદાદા
માતા: સંતોકબા
જન્મ: તા. ૦૧-૧૧-૧૯૪૯, ગામ : દૂધાળા જી. અમરેલી
પત્ની: ચંપાબહેન લગ્ન : તા. ૦૩-૦૭-૧૯૭૧ નાની વાવડી ખાતે
સાત ભાઇ બહેનો (અનુક્રમે ઉમર પ્રમાણે): ભીમજીભાઇ, નાગજીભાઇ (રિયલ એસ્ટેટ ડેવલપર), શાંતાબહેન, પરબતભાઇ (ડાયમંડ ટ્રેડિંગ), ગોવિંદભાઇ (પોતે), દેવકુંવરબેન અને અરજણભાઇ
બાળકો: મીનાક્ષી (જન્મ ૧૯૭૮), શ્રેયાંશ (જન્મ ૧૯૮૭), શ્વેતા (જન્મ ૧૯૮૩), પૌત્ર ઇશ (જન્મ ૨૦૧૩)
બાળપણ
દૂધાળા ગામમાં કારમી ગરીબીમાં મોટા થયા.
ભોજનમાં ફકત રોટલા મળતા (બાજરાના કે જુવારના).
દર અઠવાડિયે કે પંદર ધ્વિસે સ્નાન.
શાળામાં અક્ષર સારા ન હોવાથી નાપાસ થયા, ત્યારે મા પાસે પાસ થયા છે એવું પ્રથમવાર જુઠું બોલ્યા. ત્યારથી સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી.
પ્રથમ આવકનો પ્રયત્ન : લાઠી જતાં ઘેલાભાઇ રાજપુતની શાકભાજીની ગાંસડી ઉચકીને છ આના કમાવા કોશિશ કરી, પણ કામ ન મળ્યું.
પછી જન્માષ્ટમીના મેળામાં ત્રણ રૂપિયાના કાકડી, ફુગ્ગા અને પપૂડાં ખરીદી દૂધાળા ચોકમાં રામજી મંદિરે ગોવિંદો (આપણા ગોવિંદભાઇ) વેપાર કરવા બેઠા. સાડા ત્રણ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો.
બાળપણની છોડેલી કુટેવો
ધ્રુમપાન: બાળપણમાં બીડીના ઠુંઠા વીણીને પીવાનું શરૂ કર્યું. પાંચ-સાત વખત બીડી પીધા, પછી ધ્રુમપાન કાયમ માટે છોડયું.
જુગાર: જન્માષ્ટમીના દિવસે રમાતો જુગાર રમી એકાદ કલાકમાં ત્રણ રૂપિયા જીત્યા. ત્યારપછી જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી.
ખોટી રીતે પૈસા ન કમાવાની માન્યતા અને વિશ્વાસ દઢ થયાં.
ખેતરમાં સાપ પસાર થતાં દેખાયો, ગાય કે વાછરડાંને ડંખ ન મારે તેટલા ખાતર સાપને પાવડો માર્યો, ત્યાં જ સાપ ક્ષણમાં જ મૃત્યુ પામ્યો. ત્યારથી કોઇ પણ જાતની હિંસા ન થાય તેની સતત કાળજી રાખી.
પિતા: લાલજીદાદા
માતા: સંતોકબા
જન્મ: તા. ૦૧-૧૧-૧૯૪૯, ગામ : દૂધાળા જી. અમરેલી
પત્ની: ચંપાબહેન લગ્ન : તા. ૦૩-૦૭-૧૯૭૧ નાની વાવડી ખાતે
સાત ભાઇ બહેનો (અનુક્રમે ઉમર પ્રમાણે): ભીમજીભાઇ, નાગજીભાઇ (રિયલ એસ્ટેટ ડેવલપર), શાંતાબહેન, પરબતભાઇ (ડાયમંડ ટ્રેડિંગ), ગોવિંદભાઇ (પોતે), દેવકુંવરબેન અને અરજણભાઇ
બાળકો: મીનાક્ષી (જન્મ ૧૯૭૮), શ્રેયાંશ (જન્મ ૧૯૮૭), શ્વેતા (જન્મ ૧૯૮૩), પૌત્ર ઇશ (જન્મ ૨૦૧૩)
બાળપણ
દૂધાળા ગામમાં કારમી ગરીબીમાં મોટા થયા.
ભોજનમાં ફકત રોટલા મળતા (બાજરાના કે જુવારના).
દર અઠવાડિયે કે પંદર ધ્વિસે સ્નાન.
શાળામાં અક્ષર સારા ન હોવાથી નાપાસ થયા, ત્યારે મા પાસે પાસ થયા છે એવું પ્રથમવાર જુઠું બોલ્યા. ત્યારથી સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી.
પ્રથમ આવકનો પ્રયત્ન : લાઠી જતાં ઘેલાભાઇ રાજપુતની શાકભાજીની ગાંસડી ઉચકીને છ આના કમાવા કોશિશ કરી, પણ કામ ન મળ્યું.
પછી જન્માષ્ટમીના મેળામાં ત્રણ રૂપિયાના કાકડી, ફુગ્ગા અને પપૂડાં ખરીદી દૂધાળા ચોકમાં રામજી મંદિરે ગોવિંદો (આપણા ગોવિંદભાઇ) વેપાર કરવા બેઠા. સાડા ત્રણ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો.
બાળપણની છોડેલી કુટેવો
ધ્રુમપાન: બાળપણમાં બીડીના ઠુંઠા વીણીને પીવાનું શરૂ કર્યું. પાંચ-સાત વખત બીડી પીધા, પછી ધ્રુમપાન કાયમ માટે છોડયું.
જુગાર: જન્માષ્ટમીના દિવસે રમાતો જુગાર રમી એકાદ કલાકમાં ત્રણ રૂપિયા જીત્યા. ત્યારપછી જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી.
ખોટી રીતે પૈસા ન કમાવાની માન્યતા અને વિશ્વાસ દઢ થયાં.
ખેતરમાં સાપ પસાર થતાં દેખાયો, ગાય કે વાછરડાંને ડંખ ન મારે તેટલા ખાતર સાપને પાવડો માર્યો, ત્યાં જ સાપ ક્ષણમાં જ મૃત્યુ પામ્યો. ત્યારથી કોઇ પણ જાતની હિંસા ન થાય તેની સતત કાળજી રાખી.
લાઠીમાં ચૌદેક વર્ષનો છોકરો પોતાની પાસેના પાંચ પૈસા પડાવવા દબડાવવા લાગ્યો. સામનો કરી પૈસા બચાવ્યા. ત્યારે મન, વચન અને કર્મથી નિર્ભયતાના પાઠ ભણ્યા.
આમ, બાળપણની ગરીબી વચ્ચે નીતિમત્તા, અહિંસા અને નિર્ભયતાના પાઠ ભણ્યા. વેપાર શીખ્યા.
મારો વાંચનનો શોખને કારણે મેં ઘણી આત્મકથાઓ વાંચી છે. આ પુસ્તકમાં બે વસ્તુઓ નવીન અને અનુકરણીય છે - જે બીજે કયાંય નથી. જીવનકથાના દસે પ્રકરણોના અગત્યના મુદાનો સાર અંતમાં છે અને બીજું ત્રણ પરિશિષ્ટોમાં જીવનતવારીખ હદ્યસ્થ સૂત્રો અને ૭૨16 કંપનીની નીતિના સિદ્ધાંતો. આ બાબતો કદાચ પહેલાં વાંચીશું, તો દરેક પાઠ વિગતવાર સમજવામાં અનુકૂળતા રહેશે.
વ્યાવસાયિક ઘટનાક્રમ
તા. ૦૨-૦૪-૧૯૬૪ સુરત આવીને છ મહિના વગર પૈસે હીરા ઘસવાનું કામ ગોરધનદાસ ખરસલિયાના કારખાને શીખ્યા. પછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાણીથી જીવનની શરૂઆત કરી. તા. ૦૨-૦૮-૧૯૭૦ વીરજીભાઇ અને ભગવાનભાઇ સાથે નાગોરીવાડ, સુરતમાં શ્રી રામકૃષ્ણ (SRK) નામે ઓફિસ શરૂ કરી. એપ્રિલ, ૧૯૭૦માં પ્રથમવાર મુંબઇ ઓફિસ શરૂ કરી અને રૂ. ૯૨૦ના રફ હીરા ખરીધ્યા. ત્યારથી ૧૯૭૫ની પાર્ટનરશીપ વિભાજીત થઇ અને ત્રણ કંપનીઓ બની. ૧૯૯૭માં ૧૭૦૦ રત્નક્લાકારો કામ કરી શકે અને ટ્રેનિંગ આપવા શ્રી રામકૃષ્ણ કોમ્પલેક્ષ અને SRK Institute of Diamond ની સ્થાપના કરી. ૧૯૬૪-૨૦૧૪ પચાસ વર્ષ નિમિત્તે ઉજવણી. ત્યાંથી આગળ વધતાં તે હોંગકોંગ, એન્ટવર્પ, ન્યુયોર્ક, કેનેડા, રશિયા સાઉથ અફ્રીકા જેવા ઘણા બધા દેશોમાં હીરા ઉદ્યોગ આગળ વધાર્યો. છેલ્લે ૬,૦૦૦ રત્નકલાકારોને વ્યવસાય આપી પોતે અબજોપતિ બન્યા. કંપની ૧.૮ અબજ અમેરિકન ડોલર (USD 1.8 Billion) કમાણી કરતી થઈ. હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઇ નિષ્ક્રિયતાને ભગાવી દિવસમાં ૧૪ કલાક કામ કરી ખૂબ મહેનત, આપલગન, સતત આગળ વધવાની ધગશ અને માણસ પારખવાની કળાથી સફળતાને વર્યા.
સફળતા માટે તેમના સૂત્રો:
૧. સફળતા મારે લીધે હોવાનું માનશો નહી. : કોઇ પણ કાર્ય સંપન્ન થવા પાછળ ઘણા પરિબળો હોય છે.
૨. જે કંઇ કાર્ય કરો તેમાં શરીર, મન હદય એમ ત્રણેનો વિનિયોગ કરવો જરૂરી છે.
૩. જવા દેવાની વૃત્તિ રાખો.
૪. ભગવાન અને ભાગ્યમાં શ્રધ્ધા રાખી સતત કાર્યરત રહો.
પ. જે લોકોની જરૂર હોય ત્યારે તેવા લોકોને મેળવવાનું અને અલગ કરવાનું ઉપરવાળો જ ગોઠવે છે.
“ઉર્ધ્ધગમન” Ascend: ટેકનોલોજી અપગ્રેડ કરી, કમ્પ્યુટર-આધારિત વ્યવસ્થાપન પદ્ધતિ ઉભી કરી, ફેકટરીના વિસ્તરણ માટે આધુનિક મકાન બનાવ્યું.
એવોર્ડ
એમને મળેલા ઘણા બધા એવોર્ડમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મળેલ “સૂર્યપૂર રત્ન એવોર્ડ” અને ઇન્ડસ્ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અપાયેલ “માનદ્ ડૉકટર” (D.Phil) ની પદવી મુખ્ય ગણાય.
એવોર્ડ
એમને મળેલા ઘણા બધા એવોર્ડમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મળેલ “સૂર્યપૂર રત્ન એવોર્ડ” અને ઇન્ડસ્ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અપાયેલ “માનદ્ ડૉકટર” (D.Phil) ની પદવી મુખ્ય ગણાય.
પરિવાર
એમનું સૂત્ર છે, ભવિષ્યની પેઢીનું નિમાર્ણ કરો. હિરણ્યગર્ભ બનાવો.
પહેલાં રપ વર્ષ ભગવાનભાઇ અને વીરજીભાઇ સાથે ભાગીદારી કરી. ૧૯૯૫માં છૂટાં પડતાં SRKના માળખાનું નવીનકરણ કર્યું.
પ્રથમ રાહુલભાઇ, જયંતિભાઇ, દિનેશભાઇ અને અરજણભાઇને સાથે લીધા. નાગજીભાઇને રિયલ એસ્ટેટ ડેવલપર અને પરબતભાઇ ડાયમંડ ટ્રેડિંગમાં લગાડયા.
ત્યાર પછીની પેઢીમાં શ્રેયાંસ, અક્ષય, નિરવ, અર્પિત અને નીરવને લીધા. તેઓ તાલીમબધ્ધ, કેળવાયેલ અને નવી ટેકનોલોજીના જાણકાર છે. નવી પેઢીના કેવીન, ઉત્કર્ષ, દર્શિલ, ધુવલ, રાજ તેજ, ધુવ અને ક્રિસ ઉગતા સિતારાઓ છે.
આમ, પરિવારને કેન્દ્રમાં અને સાથી બનાવીને પેઢીનો વિકાસ કર્યો છે. પરિવારના છ પેઢીના ૧૫૦૦ સભ્યો સૌ સાથે દર નવરાત્રિએ ભેગા નિયમિત મળે છે.
સમાજસેવા
કમાવું જેટલું ભારી છે તેનાથી વધારે ભારી સમાજને દાનમાં પરત કરવું છે. એમની સફળતાનું રહસ્ય સમાજસેવા જ છે, એમ સ્વીકારવું રહ્યું.
એમનું સૂત્ર છે, ભવિષ્યની પેઢીનું નિમાર્ણ કરો. હિરણ્યગર્ભ બનાવો.
પહેલાં રપ વર્ષ ભગવાનભાઇ અને વીરજીભાઇ સાથે ભાગીદારી કરી. ૧૯૯૫માં છૂટાં પડતાં SRKના માળખાનું નવીનકરણ કર્યું.
પ્રથમ રાહુલભાઇ, જયંતિભાઇ, દિનેશભાઇ અને અરજણભાઇને સાથે લીધા. નાગજીભાઇને રિયલ એસ્ટેટ ડેવલપર અને પરબતભાઇ ડાયમંડ ટ્રેડિંગમાં લગાડયા.
ત્યાર પછીની પેઢીમાં શ્રેયાંસ, અક્ષય, નિરવ, અર્પિત અને નીરવને લીધા. તેઓ તાલીમબધ્ધ, કેળવાયેલ અને નવી ટેકનોલોજીના જાણકાર છે. નવી પેઢીના કેવીન, ઉત્કર્ષ, દર્શિલ, ધુવલ, રાજ તેજ, ધુવ અને ક્રિસ ઉગતા સિતારાઓ છે.
આમ, પરિવારને કેન્દ્રમાં અને સાથી બનાવીને પેઢીનો વિકાસ કર્યો છે. પરિવારના છ પેઢીના ૧૫૦૦ સભ્યો સૌ સાથે દર નવરાત્રિએ ભેગા નિયમિત મળે છે.
સમાજસેવા
કમાવું જેટલું ભારી છે તેનાથી વધારે ભારી સમાજને દાનમાં પરત કરવું છે. એમની સફળતાનું રહસ્ય સમાજસેવા જ છે, એમ સ્વીકારવું રહ્યું.
- ૧૯૭૫માં પ્રથમદાન રૂ. ૫૧,૦૦૦ પિતાના નામે દામ કર્યું અને “લાલજીભાઇ કાનજીભાઇ પટેલ વાડી”ની સ્થાપના કરી.
- સાત મિત્રો ભેગા મળી “સોરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ” સ્થાપ્યું.
- “સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્ટ” બનાવી ૧,૦૦૦ જોડીના સમુહલગ્ન સાદાઇથી કર્યા. પોતાના પરિવારસભ્યને જોડી દાખલો બેસાડયો.
- દીકરી મીનાક્ષી કમળામાંથી સાજી થવાની ખુશીમાં - દૂધાળા રામજીમંદિર જિર્ણોધ્ધાર, “પડદા પ્રથા”માંથી બહેનોની મુક્તિ કરાવી.
- જરૂરિયાત મંદોને આર્થિક મદદ માટે ટ્રસટ બનાવ્યું.
- ૧૯૮૩ - દીકરી શ્વેતાના જન્મની ખુશાલીમાં દર અઠવાડિયે શનિવારે સત્સંગ માટે સ્વાધ્યાય પરિવાર સ્થાપ્યો.
- ૧૯૭૭ - દૂધાળા ખાતે દૂધેશ્વેર મહાદેવ મંદિરની સ્થાપના.
- ૧૯૮૯ - કતારગામમાં વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલય એજ કન્યાશાળામાં તબીબી સહાય માટે નંદુબા મેડિકલ સેન્ટરની સ્થાપના.
- દુકાળ સમયે જોથાણ ખાતે “પ્રભુહદય જીવદયા ટ્રસ્ટ” સ્થાપી સૌરાષ્ટ્રથી ૨,૦૦૦ પશુઓ લાવી રાખ્યાં.
- સૌરાષ્ટ્રની દરેક (૫૦) ગૌશાળાને રૂ. ૧ લાખ દાનમાં આપ્યા.
- ૧૯૯૩ - Welcome Cleartiy સ્થાપી. ૨૫૦ સ્વચ્છતા સૈનિકો દ્વારા સુરતની સફાઇ.
- ૨૦૦૮ - સાર્વજનિક એજ્યુ-સોસાયટીમાં કોલેજ સ્થાપી, નામ “શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટયુટ ઓફ કોમ્પ્યુટર એજયુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ”.
- સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ મારફતે પાણી બચાવવા ૧,૨૫,૦૦૦ ચેકડેમ બનાવ્યા.
- ૨૦૧૪ - સૌરાષ્ટ્રના લોકોના પ્રવાસ માટે વિમાનો ખરીદી “વેન્ચુરા એરકનેકટ એરલાઇન્સ” શરૂ કરી.
- ૨૦૧૪ - પચાસ વર્ષની ઉજવણી વખતે 52 અઠવાડિયામાં દર અઠવાડિયે એક નવી સેવા પ્રવૃત્તિ કરી.
- ૨૦૧૭ - ગરીબ, રખડતાં, અભાવગ્રસ્ત બાળકો માટે “મોબાઇલ સ્કુલ” ચલાવી.
- ૨૦૧૭ - ડાંગના ૩૦૦ ગામમાં, પી.પી.સ્વામી સાથે “ગ્રામ્યમંદિરો” બાંધ્યા.
- ૨૦૧૭ - રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૫૫૦ ખાટલાવાળી અદ્યતન Kiran Hospital સ્થાપી. લોકોએ ચેરમેન બનાવ્યા.
૨૦૦૧ - કચ્છ ભૂકંપમાં બે ગામ દત્તક લીધાં.
ગરીબોને મદદ કરવા સુરત રીલીફ સેન્ટર શરૂ કર્યા.
આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી મેડિકલ કેમ્પ શરૂ કર્યા.
માલેગાંવ (ડાંગ) સંતોકબા સ્કુલ શરૂ કરી.
સુરત ટ્રાફિક માટે CCTV કેમેરા પ્રોજેકટ લોકાર્પણ.
વિશ્વભરના મહાનુભાવોને સમાજસેવા માટે બિરદાવવા “સંતોકબા માનવરત્ન એવોર્ડ” શરૂ કર્યા. સમાજસેવાને વરેલાને દર વર્ષે આમંત્રી જાહેર સમારંભમાં સન્માન અને એક કરોડ રૂ. પુરસ્કાર આપ્યો.
૨૦૨૧ - પુસ્તક અયોધ્યા રામમંદિરને રૂ. ૧૧ કરોડનું અનુદાન.
ચાલો, પુસ્તક પરિચયના અંતમાં એમના સુવિચારો જાણીએ.
૧. આપણું ધાર્યું થાય તે ભગવાનની કૃપા, આપણું ધાર્યું ન થાય તે ભગવાનની ઇચ્છા.
૨. સફળતાનું સૂત્ર - જે કરી શકતા હો, તે વધારે સારી રીતે કરો.
૩. નિજાનંદ માટે હંમેશા કોઇને મદદ કરતા તત્પર રહો.
૪. આ જગતને સુધારવાની ભાંજગડમાં પડશો નહિ, પોતે જ સુધરો.
પ. “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” વાળી સર્વ-સ્વીકારની ભાવના અને અન્યોને માન-સન્માન આપશો, તો જીવન સંપુર્ણ સફળ થશે.
Diamonds are Forever, So are Morals
| ![]() |

Comments
Post a Comment
Thank you for your comment!